Alert Archives - Page 394 of 519 - CIA Live

March 30, 2019
gir_kesar.jpg
1min16180

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે

કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.

તાલાલા પંથકમાંઆંબાની ખેતી કરતા ખેડૂત રાજેશ પાનગાડીયા જણાવે છે કે “પંથકમાં કુલ 16,900 હેકટરમાં આંબાની ખેતી થાય છે પરંતુ ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડયા હતા. હવે જયારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે. ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરે મોરને ભારે નુક્સાન થયું છે. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઇ કેરી દેખાતી નથી.
તાલાલામાંથી દર વર્ષે પાક ઓછો હોવાની બૂમ ઉઠે છે પરંતુ વિસ્તાર ઘણો મોટો હોવાને લીધે બજારમાં કેરી મોટાંપાયે આવે છે. જોકે બાગાયતકારોને વ્યક્તિગત નુક્સાની પણ જાય છે. આ વર્ષે પાકના ગણિતો ઓછાં મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે.
પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ 20 થી 30 ટકા વધારે આપવા પડશે. ગુજરાતના લોકોની પહેલી પસંદ હમેશા કેસર કેરી જ’ રહી છે પરંતુ આ વખતે કેસર કેરી જ ઓછી આવવાથી હવે વધુ ભાવ આપવા પડે તેવું અત્યારે દેખાય છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 1.78 મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના છે જે ગત વર્ષ કરતા 33000 ટન ઓછું છે.
ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને મનગમતા ભાવ મળશે પરંતુ ગ્રાહકોને વધારે ચુકવવા પડશે.’ ગત વર્ષે કેસર કેરીના 20 કિલો બોક્સના ભાવ શરૂઆતમાં 750 હતા અને બાદમાં 550 રૂપિયે સ્થિર થઇ ગયા હતા પરંતુ આ વખતે ભાવ શરૂઆતમાં તો 1200 થી 1500 રૂપિયા રહે તો નવાઈ નહિ. જોકે છેલ્લે છેલ્લે ભાવ ઘટતા હોય છે પરંતુ શરૂઆતમાં ભાવ ઉંચા રહેશે.
March 30, 2019
modi_vspriyanka-1280x720.jpg
1min1285

વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવામાં મને કોઈ વાંધો નથી એ પ્રકારના સંકેત આપ્યાનાં એક દિવસ બાદ કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ વારાણસીની અવગણના કરવાના મામલે મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

માતા સોનિયા ગાંધીનાં મતદારક્ષેત્ર રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવી જોઈએ એ પ્રકારના પક્ષના કાર્યકર્તાએ કરેલા સૂચન અંગે પ્રતિક્રિયા આપતાં પ્રિયંકાએ કટાક્ષમાં કહ્યું હતું કે શું કામ હું વારાણસીથી ચૂંટણી ન લડું?

વર્ષ 2014માં મોદીને લોકસભામાં મોકલનાર વારાણસી મતદારક્ષેત્રની અવદશાને મામલે તેમને નિશાન બનાવી પ્રિયંકાએ આ શકયતાની અટકળોને ઈંધણ પૂરું પાડ્યું હતું, પરંતુ પત્રકારોએ આ મામલે જ્યારે પ્રિયંકાને સીધો સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે પક્ષ મને જ્યાંથી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડીશ.

અયોધ્યામાં નુક્કડ સભામાં પ્રિયંકાએ ભાજપને ધનવાનતરફી અને ખેડૂતવિરોધ તેમ જ લશ્કરના હિતવિરોધી લેખાવ્યો હતો.

મોદી દેશવિદેશમાં ભ્રમણ કરતા રહે છે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે તેમના મતદારક્ષેત્રના એકપણ ગામડાંની મુલાકાત ન લીધી હોવાનો પ્રિયંકાએ દાવો કર્યો હતો.

પ્રિયંકાએ દાવો કર્યો હતો કે ભાજપ સરકાર માત્ર અમીરોને જ મદદ કરે છે અને તેમને વધુ અમીર બનાવે છે. ભાજપ સરકાર પાસે ઉદ્યોગપતિઓ માટે રૂપિયા છે, પરંતુ ખેડૂતો અને ગરીબો માટે નથી, એમ પ્રિયંકાએ કહ્યું હતું.

પ્રિયંકાએ મોદી સરકાર પર લોકશાહી અને બંધારણીય સંસ્થાઓનો નાશ કરવાનો આરોપ મૂક્યો હતો.

આ વખતની ચૂંટણી દેશ અને બંધારણને બચાવવા માટેની છે, એમ પ્રિયંકાએ કહ્યું હતું.

March 30, 2019
amit_shah.jpg
1min10880

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા સીટ પર ઉમેદવારી કરવા પૂર્વે આજે તા. 30 માર્ચને શનિવારે અમદાવાદ તેમજ ગાંધીનગરની 18 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ફરીને મેગા રોડ શૉ કર્યો હતો. મોટી સંખ્યામાં અમદાવાદીઓ સમેત રાજ્યભરમાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરતા પહેલા 4 કિલોમીટર લાંબા રોડ શો જોઇને કોંગ્રેસીઓ મોં માં આંગળા નાંખી ગયા હતા. વિજય મુહૂર્તે ઉમદવારી ફોર્મ ભર્યું હતું.

અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના આખા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અગ્રણીઓ નીતિન ગડકરી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો ભવ્ય રોડ શો #MaiKamalKhilaneAyaHu

Posted by BJP Gujarat on Friday, 29 March 2019

March 29, 2019
hardik.jpg
1min5530

 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા અને સામાજિક આંદોલનમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા બનેલા હાર્દિક પટેલ પર રાયોટિંગ, રાષ્ટ્રધ્વજનું અપમાન, રાજદ્રોહ, જાહેરનામાના ભંગ સહિતની 25થી વધુ એફઆઈઆર નોંધાયેલી છે અને કેસ પણ ચાલી રહ્યા છે. એ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ પાસે એક ગુનામાં ફટકારાયેલી સજા સસ્પેન્ડ કરવાની અરજી સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે. લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે. હાર્દિકને વિસનગર કોર્ટે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને આગચંપી કરવાના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે, આ સજાની સામે હાર્દિક પટેલએ ગુજરાત હાઈકોર્ટમાં સજાને સસ્પેન્ડ કરવા અપીલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત કોર્ટે હાઇ સેન્સિટીવ બનેલા કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, નીચલી કોર્ટે જે તથ્યો અને પુરાવાને આધારે ચુકાદો આપ્યો છે તેને ગેરલાયક ઠેરવી શકાય તેમ નથી. હાઈકોર્ટે આ ચુકાદો આપ્યા બાદ હવે હાર્દિક પટેલ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો એકમાત્ર વિકલ્પ બાકી બચ્યો છે. જો સુપ્રીમ કોર્ટે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ મુદત તા.4 એપ્રિલ 2019  પહેલા ચુકાદો ન આપ્યો તો હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવાથી વંચિત રહી જશે.

હાર્દિક પટેલ સામે રાજ્ય સરકારે પણ ગુજરાત કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે, હાર્દિકને જો સમાજસેવા જ કરવી હોય તો તેના માટે ચૂંટણી લડવાની જરુર નથી. સરકાર તરફે એવી પણ રજૂઆતો થઇ કે હાર્દિક પટેલએ પોતે કાયદાઓનો ભંગ કર્યો છે તે સંજોગોમાં તેને કાયદાને ઘડનારા પ્રજાના પ્રતિનિધિત્વ બનવાની મંજૂરી આપી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલએ નીચે મુજબનો સંદેશો ટ્વીટ કર્યો હતો

હાર્દિક પટેલે બીજી ટવીટ તરત જ કરી હતી

March 29, 2019
bharat_pandya.jpg
1min8950

આજે સુરત ભાજપા મહાનગર કાર્યાલય ખાતે પત્રકાર પરિષધને સંબોધતા ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની કડક આલોચના કરતા એવું નિવેદન કર્યું હતું કે ચૌકીદાર ચોર નહીં પણ ગાંધી પરિવાર મહાચોર છે.

ચોકીદારી કોની થઇ રહી છે એના જવાબમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે દેશનું ગૌરવ અપાવવામાં, દેશનું સન્માન વધારવામાં, ગરીબોની યોજના ગરીબો સુધી પહોંચાડવામાં તમામ કામોમાં ચૌકીદારીને કારણે જ લોકો સુધી યોજના પહોંચી રહી છે.

સુરતની સૌથી સલામત ગણાતી બેઠક પર ભાજપાએ ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ કેમ કર્યો એવા પ્રશ્ના ઉત્તરમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે સુરત અમારા માટે મોડેલ સિટી છે, સુરત મિની ભારત સમાન છે. યોગ્ય સમયે, એકાદ બે દિવસમાં જ સુરતની સીટ પર ભાજપાના સત્તાવાર ઉમેદવારની ઘોષણા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરી દેવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળા, મેયર ડો.જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, ડેપ્યુટી મેયર નિરવ શાહ, વિવેકભાઇ પટેલ, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, નિરંજનભાઇ ઝાંઝમેરા, દર્શિણી કોઠીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

March 29, 2019
congress.jpg
1min4430
અમદાવાદ, તા.28: કોંગ્રેસે ગુજરાત લોકસભા માટે વધુ સાત નામો જાહેર કર્યા છે. વર્તમાન ચાર ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં કુલ 13 નામો જાહેર થયા છે હજુ 13 નામો જાહેર થવા બાકી છે. રાજકોટ જેવી પ્રતિષ્ઠિત બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, પોરબંદર માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જૂનાગઢ માટે ઉનાના અનુભવી ધારાસભ્ય પૂંજાભાઇ વંશની પસંદગી કરી છે.રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી લોકસભાની 26 બેઠકો પૈકી આજે બીજા 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક બાદ પાટણ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બારડોલી અને વલસાડ તેમજ પંચમહાલ બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની’ પસંદગીને લઇને કોંગ્રેસમાં કોકડું ગુચવાયેલું છે. અગાઉ કોંગ્રેસે 6 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતા.’
આજરોજ જાહેર કરાયેલા 7 લોકસભા બેઠકના ઉમેદવારોમાંથી 4 બેઠક પર કોંગ્રેસ તેમના વર્તમાન ધારાસભ્યો ઉપર ભરોસો મુકીને તેમને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં જુનાગઢથી પુંજાભાઇ વંશ, રાજકોટથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા અને વલસાડથી’ જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.’ આ ઉપરાંત પાટણથી જગદીશ ઠાકોર, પંચમહાલથી વી.કે. ખાંટ અને બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ ફાળવવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ પર રાજુ પરમાર, આણંદમાં ભરતસિંહ સોલંકી, વડોદરામાં પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરમાં રંજીત રાઠવા, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર કર્યુ હતું. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસે એકપણ મહિલાના નામની ઘોષણા કરી નથી.
દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ ંકે, કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. આજે ગુજરાતની સાત બેઠકના ઉમેદવાર સાથે કુલ 13 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે અને બાકીની બેઠકો એકાદ-બે દિવસમાં જાહેર કરી દેવામાં આવશે.’ મહત્વનું છે કે, આજથી ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઇ છે. 4 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
March 28, 2019
ncp.jpg
1min13610
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી આગામી તા. 4થી ચૂંટણી પ્રચારઝુંબેશ આરંભશે અને 14 દિવસમાં તેઓ રાજ્યભરમાં એકસો રેલી સંબોધશે. દરેક મતવિસ્તારમાં તેઓ ઓછામાં ઓછી બે રેલી સંબોધશે.’ આસામમાં ય રેલી સંબોધવા જનારા મમતા, વિપક્ષી એકતા નિમિત્તે શાસક તેલુગુ દેશમ પાર્ટીની ઝુંબેશ સારુ તા. 31મીએ આંધ્ર પ્રદેશ જશે.

ગુજરાતમાં શરદ પવારની NCP તમામ 26 બેઠકો પર ચૂંટણી લડશે, કોંગ્રેસને ફટકો

શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી NCPએ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. એનસીપીનું કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવાની વાતો નિષ્કર્ષ વગર પડી ભાંગતા એનસીપી હવે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે. આ રાજકીયર સમીકરણ ઉપરાંત કોંગ્રેસ સાથે વાટાઘાટો ફળદાયી નહીં નિવડતા આદિવાસી બેલ્ટમાં મજબૂત પકડ ધરાવતી છોટુભાઇ વસાવાની પાર્ટી, BTPએ પણ ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો છે.

લોકસભા પહેલા ગુજરાતમાં કોંગ્રેસને બેવડો ફટકો પડવા જઈ રહ્યો છે. પાર્ટી બદલવાનો અને સમર્થન આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસની કોઈ પક્ષ પાસેથી સમર્થન મેળવવાની આશાઓ પર પણ પાણી ફરી રહ્યું છે.

અમદાવાદમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરતા કહ્યું કે, ‘અમે ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારીશું. જ્યાં સુધી કોંગ્રેસને સમર્થન આપવાની વાત છે તો ગુજરાતમાં અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ.’

ભરૂચ, નર્મદા અને આસપાસના આદિવાસી પટ્ટામાં સારી પકડ ધરાવતી બીટીપીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. BTP વલસાડ, બારડોલી, વડોદરા અને નવસારી સહિતની 8 બેઠકો પર લડશે. BTPએ રાજ્યસભા અને સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થન આપ્યું હતું, પણ હવે તેઓ લોકસભામાં કોંગ્રેસને સમર્થન નહીં આપે.

March 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13560

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટિ-સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણની જાહેરાત કરી તેમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ચૂંટણી પંચે આ વિશે એક સમિતિની રચના કરી છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી અત્યારે આચારસંહિતા લાગુ છે જેમાં મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકરંજક જાહેરાતો કરવાની મનાઈ હોય છે.

ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું કે આચારસંહિતા લાગુ છે તે બાબત ધ્યાનમાં રાખીને પોલ પેનલે અધિકારીઓની એક સમિતિને આ બાબતની ચકાસણી કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેરાત કરી હતી કે ભારતે એક જીવંત સેટેલાઇટને તોડી પાડીને એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ ક્ષમતા પુરવાર કરી છે. આ પરીક્ષણ બાદ ભારત હવે સ્પેસ સુપરપાવરની એક્સક્લુઝિવ ક્લબમાં આવી ગયું છે અને આવી ક્ષમતા ધરાવતું ચોથું રાષ્ટ્ર બન્યું છે.

ભારતે 300 કિલોમીટરની ઊંચાઈ પર આવેલા સેટેલાઇટને મિસાઇલથી તોડી પાડ્યું હતું. વિરોધપક્ષોએ આ જાહેરાતને ચૂંટણી પર અસર પાડવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે અને આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન દ્વારા ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમણે આ વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

 

March 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4630

ભાંગફોડના બીજા રાઉન્ડમાં કોંગ્રેસના સાત મોટા માથાઓ ભાજપની નજરમાં , વર્તમાન પ્રમુખ – ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા વિપક્ષ પાસે 24 સભ્યો હોવા જરૂરી

રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શહેરમાં ભાજપ દ્વારા આયોજિત વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને બાગી જૂથના 12 સભ્યોએ કેસરિયો પહેરતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે અને ભાજપના સદસ્યોનું સંખ્યા બળ 2માંથી વધીને 14 થઈ ગયું છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ભાજપ પાસે ઓછામાં ઓછા 24 સભ્યો હોવા જરૂરી છે ત્યારે ખૂટતા 10 સભ્યોને ખેંચવા માટે શામ – દામ – દંડ – ભેદ તમામ પ્રકારની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.
12 બાગી સભ્યો ભાજપમાં જોડાતા તેઓની વિરુદ્ધ પક્ષાંતરધારાનો ગાળિયો વધુ મજબૂત થઈ ચૂક્યો છે. ગઈકાલનાં સંમેલનમાં કેટલાક મહિલા સભ્યોને બદલે તેમના પતિઓએ કેસરિયો ખેસ પહેરતાં ક્યાંકને ક્યાંક પક્ષાંતરધારાની છટકબારી શોધવાની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. બાગીજૂથ દ્વારા કોંગ્રેસમાં ભાંગફોડનો બીજો તખ્તો ઘડાઈ રહ્યો છે. બીજા રાઉન્ડમાં કોંગ્રેસના કેટલાક મોટા માથાઓ ભાજપમાં જોડાવાના છે જેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઉપસ્થિતિમાં ખાસ સમારોહનું આયોજન પણ કરાઈ રહ્યું છે. બીજા રાઉન્ડમાં સાતેક સભ્યોનો સંપર્ક થઈ રહ્યો છે. જો એ સભ્યો કેસરિયો ધારણ કરશે તો જિલ્લા પંચાયતમાં બીજુ મોટું ભંગાણ પડશે. ગઈકાલે પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ જણાવ્યું હતું કે, કુલ 36 સભ્યોમાંથી ભાજપનું સંખ્યાબળ અત્યારે 14 થયું છે. નજીકના ભવિષ્યમાં તે 25 આસપાસ હશે.
દરમિયાન આ મુદ્દે પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ ખાટરિયા જણાવે છે કે, પ્રમુખ – ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે 36 પૈકી ભાજપ પાસે ઓછામાં ઓછા 24 સભ્યો હોવા જરૂરી છે. આ ઉપરાંત હાલ ચૂંટણી આચારસંહિતના માહોલ છે ત્યારે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી કોઈ પણ દરખાસ્ત મૂકી શકાય નહીં. બાગી સભ્યો વિરુદ્ધ તમામ પુરાવા હવે નામોનિર્દેશ વિભાગને આપી દેવામાં આવ્યાં છે. આગામી તા.29ના રોજ અંતિમ નિર્ણય આવી જશે. ખાટરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પંચાયતધારા મુજબ એક વર્ષ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સામે એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન મૂકી શકે. વર્તમાન પ્રમુખને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી.
March 28, 2019
Gandhinagar-Gujarat.jpg
1min7180

ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની સોમવારે મળેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં આમ છતાં ગુજરાતના 10 બેઠકોના ઉમેદવારોના મુદ્દે કોઇ ઉકેલ આવી શક્યો ન હતો તેમજ કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાયું નહોતું. ગુજરાતની કુલ 26 બેઠકો છે અને આ પૈકી 16 બેઠકોના નામની જાહેરત થઇ ચૂકી છે જ્યારે બાકીના 10 ઉમેદવારોના નામ ઉપર સર્વસંમતિ નથી સાધી શકાઇ અર્થાત્ ગુજરાતના ઉમેદવારોને લઇને ક્યાંક ને ક્યાંક’ કેન્દ્રિય નેતાગીરીમાં કોકડું ગુંચવાયેલું છે અથવા તો કહી શકાય કે’ ક્યાંકને ક્યાંક હજુ ખેંચતાણ ચાલી રહી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની રાજકીય તાસીરથી’ રગેરગથી વાકેફ છે ત્યારે તેમના માટે કોઇ વિસ્તાર કે કોઇ સમાજ કે કોઇ બેઠક કે કોઇ સમીકરણ અજાણ્યુ ન હોઇ શકે એટલે બાકી રહેલી’ મહેસાણા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, આણંદ, છોટાઉદેપુર, સુરત અને અમદાવદ પૂર્વ સહિતની 10 બેઠકોના ઉમેદવાર કેવા ઉભા રાખવા તે બન્ને નેતાઓના મનમાં ક્લિયર હોય તે સ્વાભાવિક છે પરંતુ આટલી બધી ક્લેરિટી હોવા છતાં ગુજરાતના 10 ઉમેદવારો જાહેર કરી શકાયા નથી એ પણ એટલી જ હકીકત છે.

બીજી તરફ ભાજપના અંતરંગ વર્તુળોમાંથી પ્રાપ્ત થઇ રહેલા અહેવાલો અનુસાર, ભાજપે મહેસાણા બેઠક માટે વર્તમાન સાસંદ જયશ્રીબેન પટેલને હટાવીને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને લડાવવા માટેની’ ઇચ્છા વ્યક્ત કરી છે. એવું સમજાય છે કે, ભાજપે નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડવા કહ્યું છે પરંતુ નીતિન પટેલ આ માટે સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. જેને કારણે ભાજપની કેન્દ્રિય નેતાગીરી હાલ મુંઝવણમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીતિન પટેલ જાણે છે કે જો લોકસભા લડવામાં આવશે તો તેમની રાજકીય કારકિર્દી ક્યાંક ને ક્યાંક જોખમમાં મુકાઇ શકે છે. જો નીતિન પટેલ નહી લેડે તો બીજુ નામ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીવાભાઇ પટેલનું ચાલી રહ્યુ ંછે. એટલે હવે દ્ધિધાભરી પરિસ્થિતિ’ ઉભી થઇ છે અને પાર્ટી બાકી રહેલી 10 બેઠકોના ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરે છે, તે જોવાનું રહે છે.

પોરબંદર, બનાસકાંઠા, પંચમહાલના સિટિંગ MPની ટિકિટ કાપી

ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ બુધવારે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પંચમહાલથી રતનસિંહ રાઠોડ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામ જાહેર કર્યા હતા. આ ત્રણેય બેઠકો પર સિટિંગ સાંસદની રિપીટ કર્યા નથી. આમ ભાજપે કુલ 19 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી એલ.કે. અડવાણી, વિઠ્ઠલ રાદડીયા, પ્રભાતસિંહ ચૌહાણ, હરિભાઈ ચૌધરી (કેન્દ્રીય પ્રધાન) અને દેવજી ફતેપરાની ટિકિટ કાપવામાં આવી છે. પંચમહાલ, પોરબંદર અને બનાસકાંઠાની આ ત્રણેય બેઠકો પર નવા ચહેરાને સ્થાન આપીને ભાજપે નવો દાવ ખેલ્યો છે. પાર્ટીએ આ ત્રણ નામોની જાહેરાત કરીને સ્થાનિક નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પરબત પટેલ રાજ્ય કક્ષાના પ્રધાન છે અને ચૌધરી સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપે કેન્દ્રીય પ્રધાન હરીભાઈ ચૌધરીનું જ પત્તુ કાપ્યું છે. ભાજપે બનાસકાંઠા માટે સૌમ્ય અને શાંત ચહેરો ધરાવતા પરબત પટેલ પર પસંદગી ઉતારી છે. પંચમહાલમાં સિટિંગ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અનેક દાવા કર્યા હતા કે, તેમને ટિકિટ મળશે. મારી ટિકિટ નહીં કપાય. પણ તેમની ટિકિટ કપાઈ છે. પ્રભાત સિંહનો દબંગ સ્વભાવ રહ્યો છે. તેમણે ટિકિટ મેળવવા માટે દિલ્હીના પણ આંટાફેરા કર્યા હતા. પોતાને ટિકિટ ન મળતા આખરે તેમણે બળાપો કાઢ્યો હતો. અપક્ષ દાવેદારી પણ કરે તેવી શક્યતા છે. તો બીજી તરફ, પંચમહાલ પર સી. કે. રાઉલજીનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું પણ તેમના સ્થાને રતન સિંહ નામના નવા ચહેરાની પંસદગી કરવામાં આવી છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમનુ ચૂંટણી લડવું અશક્ય હતું, પણ રાદડિયા પરિવારમાં અન્ય કોઈને ટિકિટ ફાળવાઈ નથી. પોરબંદર રાદડિયા પરિવારનો ગઢ કહેવાય છે, ત્યારે અહીં નવા ચહેરા રમેશ ધડુકને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે. બાકીની 7 બેઠક પર હજી નામ જાહેર થવાના બાકી છે.