Alert Archives - Page 394 of 512 - CIA Live

March 20, 2019
jet-1280x720.jpg
1min6040

ઉડ્ડયન કંપની જેટ એરવેઝના વધુને વધુ પ્લેન ઉડાનના બદલે જમીન પર જ રહ્યા છે, અનેક ફલાઈટ રદ થઈ છે. ઉડ્ડયન જોખમી બન્યા છે. એરલાઈનના ઍરક્રાફટ મેઈનટેનન્સ એન્જિનિયર્સ યુનિયને એવિયેશન રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી.

  • 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી
  • નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે

ડિરેકટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને મોકલેલા પત્રમાં જેટ ઍરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસોસિયેશને જણાવ્યું છે કે અમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કઠિન બન્યું છે. પરિણામ સ્વરૂપ ઍરક્રાફટ એન્જિનિયર્સને કામ કરવામાં પ્રતિકૂળ સ્થિતિ ઊભી થઈ છે. આ કંપનીના પ્લેનના ઉડ્ડયન સામે જોખમ પણ ઊભું થયું છે.

સિનિયર મેનેજમેન્ટ ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે. એન્જિનિયર્સ સમયસર વેતન નહીં મળતા સતત તાણ હેઠળ કામ કરી શકતા નથી. ત્રણ માસથી પગાર મળ્યો નથી. નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે. યુનિયને ડીજીસીએને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

જેટ એરવેઝમાં 560 એન્જિનિયર્સ છે. ત્રણ માસથી વેતન નહીં મળતા તેઓેનો કંપની માટે વિશ્ર્વાસ ડગમગી ગયો છે. યુનિયને પત્રની કોપી વડા પ્રધાન મોદી, નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુને પણ મોકલી હતી.

March 19, 2019
jeeadv.png
1min12400

ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.19મી મે 2019ના રોજ લેવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, ચૂંટણી પંચે જાહેર કરેલા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં મતદાનો 7મો અને આખરી તબક્કો તા.19મી મે 2019ના રોજ છે. ચૂંટણી મતદાનના કારણે સંભવે છેકે પરીક્ષાર્થીઓથી શરૂ કરીને સ્કુલ સ્ટાફ, સ્કુલ બિલ્ડીંગ વગેરેનો પ્રશ્નો ઉપસ્થિત થતો હતો. આથી આ વખતની આઇ.આઇ.ટી. જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 2019 લેવાની જવાબદારી જેના શિરે છે એ આઇ.આઇ.ટી. રૂરકીના સંચાલકોએ જે.ઇ.ઇ. એડવાન્સ્ડ પરીક્ષા તા.19મી મેની જગ્યાએ તા.27મી મે 2019ના રોજ લેવાની જાહેરાત કરી છે.

  • અગાઉ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા તા.19-05-2019ના રોજ લેવાની જાહેરાત થઇ હતી
  • લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું મતદાન તા.19-05-2019ના રોજ હોઇ જેઇઇ એડવાન્સ્ડની તારીખ બદલવી પડી
  • હવે જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.27-05-2019ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે

The Indian Institute of Technology (IIT), Roorkee has shifted the Joint Entrance Examination (JEE) Advanced date to May 27, 2019. Earlier, the JEE (Advanced) examination was to be conducted on May 19, 2019. The JEE Advanced examination will be conducted on Monday (May 27) in two shifts – Paper 1 from 09:00 am to 12:00 noon and Paper 2 from 02:00 pm to 05:00 pm.

The JEE (Advanced) exam date has been changed as it was clashing with the seventh phase polls, to be conducted on 59 seats of the Lok Sabha elections at 1. Bihar: 8 seats, 2. Jharkhand: 3 seats, 3. Madhya Pradesh: 8 seats, 4. Punjab: 13 seats, 5. West Bengal: 9 seats, 6. Chandigarh: 1 seat, 7. Uttar Pradesh: 13 seats, and 8. Himachal Pradesh: 4 seats.

જેઇઇ મેઇન્સમાં ટોપ 2.24 લાખમાં સામેલ વિદ્યાર્થીઓ જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે

 

March 19, 2019
Event-cover.jpeg
1min19200

જો તમે રોજીંદા જીવનમાં કરિઅર-ઈન્કમ અંગે કઈક નવા મુકામ હાસલ કરવા માંગતા હોવ તે ઉપરાંત જો તમે ફ્રી ટાઈમનો ઈફેક્ટિવ ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તે સાથે જો એવું ઈચ્છતા હોવ કે તમે ટેકનોલોજી અથવા તો ડિજીટલ યુગ સાથે કદમ મેળવીને આગળ વધો તો આ જાણકારી તમારા માટે અનહદ અગત્ય તેમ જ ફાયદાકારક પણ છે.

આ જાણકારી છે, ફ્રી સેમીનાર અંગેની, જે સેમીનાર પાવર ઓફ  ડિજીટલ માર્કેટીંગના વિષય પર આયોજીત છે. આ સેમિનાર 24, 28, અને 31 માર્ચ એટલે કે 3 અલગ-અલગ દિવસો માટે આયોજીત છે, જેથી કરીને જો તમે કોઈ એક તારીખે આ સેમિનારની તક ચૂકી જાવ છો તો તમે બીજા સેમિનારમાં હાજરી આપીને આ તકનો લાભ મેળવી શકો છો.

આ દરેક સેમિનાર ફ્રી છે, પરંતુ રજીસટ્રેશન ફરજીયાત છે. આ સેમીનાર દરેક વ્યક્તિને ડિજીટલ ઈન્ડિયાના કોન્સેપ્ટ માં ડિજીટલ શબ્દની અગ્રમ્તા સમજાવવા માટે ઓયોજીત કરવામાં આવ્યો છે. અને આ ડિજીટલ શબ્દના અગત્ય ફાયદા અંગે જાણકારી આપવા માટે પણ છે. આ શબ્દ વડે દરેક વ્યક્તિને કેટલો ફાયદો થઈ શકે છે એ જણાવામાં આવશે.

આ સેમીનાર દરેક વ્યક્તિને આજના સમયમાં સશક્ત કરવા માટે રાખવામાં આવ્યો છે.  આ સેમીનારને ફ્રી રાખવા માટેનો ધ્યેય સામાજીક રીતે દરેક વ્યક્તિ આ સેમીનારનો લાભ લઈ શકે એ છે.  આ સેમીનારની વક્તા ફોરમ માર્ફતિયા પટેલ છે કે જેઓ ઓન્લાઈન યુગ નામની ડિજીટલ માર્કેટિંગ કંપનીના કો-ફાઉન્ડર છે, તેઓ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં નિષ્ણાંત છે તે ઉપરાંત ઈન્ડિયન ટ્રેનર અશોશિયેન દ્રારા તેમને સર્ટિફાઈડ ટ્રેનરની પદવી પણ આપવામાં આવી છે. આ સેમીનાર વડે ફોરમ માર્ફતિયા પટેલ  નીચે મૂજબના મુદ્દા અંગે એકસ્પર્ટ ટોક-વાતો કરશે.

ડિજીટલ માર્કેટિંગ અવેરનેસ, ડિજીટલ માર્કેટિંગના અનહદ અગત્ય ફાયદા, ડિજીટલ માર્કેટિંગ વડે કોઈપણ વ્યક્તિ વ્યવસાયમાં વૃદ્ધિ મેળવી શકે છે.

ડિજીટલ માર્કેટિંગ માત્ર માર્કેટિંગનું સાધન જ નથી પણ એક બિઝનેસને બ્રેન્ડ બનાવવા માટે આવશ્કય છે. ડિજિટલ માર્કેટિંગ એક એવો બ્રહ્માસ્ત્ર છે જે આપણા બિઝનેસને અલગ ઉંચાઈઓ પર પહુંચાડે છે. આ સેમિનારમાં ડિજિટલ માર્કેટિંગ ટેક્નિક સાથે સાથે આપણા બ્રાન્ડની ઇમેજ લોકોમાં કેવી રીતે પ્રખ્યાત કરવી તેની ટિપ્સ આપવામાં આવશે.. શું તમે જાણો છો કે આપડે આખા દિવસ દરમિયાન અવરેજ 3 કલાક સોશ્યિલ મીડિયા માં અને 6 કલાક ડિજિટલ ગૅજેટ્સની સાથે આપડો સમય પસાર કરીએ છે. 2021 સુધી ભારતમાં 88 કરોડ થી વધુ મોબાઇલ યુઝર્સ થવાંના છે. હવે આપણે ખબર વાંચવા કે આમંત્રણ આપવા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટટર અને બીજી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરીયે છે. ગૂગલની મદદથી હવે આપણે અજાણ્યા જગ્યા પર પણ સહેલાઈથી પહોંચી શકીયે છીએ. આપડા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ પણ ડિજિટલ ઇન્ડિયા ને ખુબ સપોર્ટ કર્યો છે. જો અગર આપણે આ લોકપ્રિય પ્લેટફોર્મ્સ વડે આપણા બીઝનેસની ડિજિટલ માર્કેટિંગ કરીયે તો આપણું બિઝનેસનો પણ ઘણો વિકાસ થઇ શકે છે.

ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં SEO, SEM, EMAIL MARKETING, AFFILIATE MARKETING, BLOGGING, વગેરે ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આ ક્ષેત્રમાં ફક્ત ઉદ્યોગકર્તાઓ જ નહિ પરંતુ કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા ગૃહિણીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમને ઓફિસની જરૂર પડતી નથી. જરૂર પડે છે

ફક્ત સ્માર્ટ ફોન અથવા લેપટોપની. ડિજિટલ માર્કેટિંની એ ખાસિયત છે કે તમે ફક્ત એક ક્લિકથી લાખો લોકો સુધી પહોંચી શકો છો. આ ફિલ્ડમાં તમને ઉચ્ચ ડિગ્રીની કે મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી અને એમાં કોઈ ઉંમરની સીમા નથી. જરૂર પડે છે તો બસ સીખાવાની ધગસની.

આથી એ તમામ વ્યક્તિ જેઓ ડિજીક્ટ માર્કેટિંગ ક્ષેત્રે કઈ હાસલ કરવા માંગતા હોય તેમણે આ ટક જતી ન કરવી જોઈએ.

સેમિનારમાં સહભાગી થવા માટે સંપર્ક કરો 9574750077.

March 19, 2019
utuimages.jpg
9min33230

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.

માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.

ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે

ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.

અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.

GROUP-A

BACHELOR OF TECHNOLOGY [B.TECH.]

INTEGRATED PROGRAMMES

Master Of Science

Bachelor Of Science

GROUP-B 

INTEGRATED PROGRAMMES

Master Of Science

BACHELOR

 

 

ARTS

 

COMMERCE

Integrated Programmes

Other Bachelors Programmes at UTU

Bachelor Programmes in Designing

 

 

About UTU

Established under Gujarat Private University(Amendment) Act No. 25 – 2011 Government of Gujarat and approved under section 22 of UGC Act 1956

Location

Uka Tarsadia University Maliba Campus , Gopal Vidyanagar , Bardoli-Mahuva Road , Tarsadi – 394 350. Tal: Mahuva Dist: Surat Gujarat, INDIA

Helplines

6353030096, 6353033853

 

 

March 18, 2019
j2.jpg
1min8820

ન્યુઝીલેન્ડમાં ગઇ તા.15મી માર્ચ 2019ના રોજ બે મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં માર્યા ગયેલા 50 મૃતકોની અંતિમવિધીમાં જોડાયેલા ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટર અદ્દલ મુસ્લિમ મહિલા હોય તેવો વસ્ત્ર પરિધાન કરીને ગયા હતા. તેમણે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતા હિજાબ પરિધાન કર્યો હતો. સમગ્ર વિશ્વમાં તેમની તસ્વીરોના વખાણ થયા હતા. તેમણે હુમલાનો ભોગ બનેલા પરિવારજનોને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે તેઓ બિનમુસ્લિમ દેશમાં બિન મુસ્લિમ મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે.

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં ચરમપંથી બ્રેન્ટન ટેરન્ટે કરેલા આંધાધૂંધ ગોળીબારે ન્યુઝીલેન્ડમાં વસતા 50 જેટલા મુસ્લિમોના જીવ લીધા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા ન્યુઝી લેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડન હિજાબ પહેરીને પહોંચ્યા હતા.

મૃતકોના પરિવારજનોને ગળે મળી તેમણે આશ્વાસન આપ્યું હતું. તેમના આ પગલાના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.

ન્યુઝિલેન્ડમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ વધી રહેલી નફરત વચ્ચે વડાપ્રધાન આર્ડને મૃતકોના પરિવારની મુલાકાત લઈને માનવતાનો સંદેશ આપ્યો હતો. તે મૃતકોના પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેમની આંખમાં દુઃખ અને કરુણા ભારોભાર નજર આવી રહ્યા હતા.

તેમની આ તસવીરો ટ્વીટર પર વાયરલ થઈ હતી. લોકોએ તેને ‘ત્રાસવાદ વિરુદ્ધ સકારાત્મક ચહેરો’ કહી વધાવી લીધા હતા. આર્ડને હુમલો થયો તેની સાંજે જ મીડિયાને સંબોધન કર્યું હતું.

તેમાં તેમણે કહ્યું કે, “ન્યુઝીલેન્ડમાં 20થી વધુ જાતિના લોકો રહે છે અને 160 ભાષાઓ બોલાય છે. આટલી વિવિધતા છતાંય અમુક નૈતિક મૂલ્યો બધામાં સરખા જ જોવા મળે છે.

જે લોકો પર દુર્ઘટનાની સીધી અસર પડી છે તેની સાથે આખા દેશની કરુણા છે.

બીજું જે લોકોએ આ કર્યું તેને અમે વખોડીએ છીએ. તમે કદાચ આ અમારા માટે કર્યું હશે પણ અમે તમને સ્વીકારતા નથી અને તમારી આકરી ટીકા કરીએ છીએ.”

March 18, 2019
swiggy.jpg
1min7890

ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ છેલ્લા અઠવાડિયામાં ટુ-વ્હીલર પર ફૂડ ડિલિવરી કરનાર ૭૦૦ બાઇકરને દંડ ફટકારવામાં આવ્યો હતો.  મુંબઇગરાઓએ લગભગ દરેક વિસ્તારમાંથી એવી ફરીયાદો કરી હતી કે જુદી જુદી ફુડ ડિલિવરી કંપનીઓ જેવી કે સ્વીગી, ઝોમેટો, ઉબેર ઇટ્સ, ડોમીનોઝ પીઝા તેમજ અન્ય પ્રાઇવેટ રેસ્ટોરેન્ટસના ડિલીવરી બોયઝ દ્વારા બેફામ રીતે બાઇક હંકારીને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકવામાં આવે છે, વનવેમાં બેફામ ગતિઓ બાઇકો દોડાવે છે, હોર્ન વગાડીને પરેશાન કરી રહ્યા છે આવી અનેક ફરીયાદોને પગલે મુંબઇ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સંયુક્ત રીતે અભિયાન હાથ ધરીને ફૂડ ડિલીવરી બોયઝને જુદા જુદા ગુનાઓમાં દંડ કર્યો હતો.

હેલ્મેટ પહેર્યા વગર બાઇક સવારી કરવી, ફૂટપાથ પર બાઇક ચલાવવી, સિગ્નલ તોડવી, મર્યાદા કરતાં વધુ ઝડપે બાઈક હંકારવી વગેરે કારણોસર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ જ વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર ગુનેગારની યાદી રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (આરટીઓ)ને મોકલીને તેમનું લાઇસન્સ રદ કરવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું છે.

એટલું જ નહીં, આવા ડિલિવરી બૉયને નોકરીમાંથી કાઢી નાખવા માટે પણ ઍપ આધારિત ફૂડ ડિલિવરી કંપનીઓને જણાવવામાં આવ્યું છે.

March 18, 2019
raj_thackary-1280x719.jpg
1min1052

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

March 18, 2019
flood.jpg
1min7570

ઈન્ડોનેશિયાના પાપૂઆ પ્રાંતમાં આવેલા ઘોડાપૂરમાં ૫૦ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. પાપૂઆ પ્રાંતની રાજધાની જયાપુરા પાસેના સેન્ટાનીમાં ભારે વરસાદ પડવાથી અને તેના પરિણામે થયેલા ભૂસ્ખલનના સંખ્યાબંધ બનાવોના પગલે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સંખ્યાબંધ ઘરને નુકસાન થયું હતું અને ૫૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતાએ કહ્યું હતું કે બચાવ રાહત ટુકડીઓ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પહોંચી રહી છે અને વધુ વિગત મળતા વાર લાગશે.

પાણી ઓસરી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હજારો વૃક્ષ માર્ગમાં પડ્યા હોવાને કારણે અને પથ્થરો, કાદવ વિગેરેને કારણે બચાવ – રાહત ટુકડીઓ બધા પ્રભાવિત વિસ્તારોમાં હજુ પહોંચી નથી.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુરોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, ‘જમીન ધસી પડવાને કારણે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ઉપલબ્ધ વીડિયો ફૂટેઝમાં જોઈ શકાતું હતું કે, ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ અથવા થડ, અન્ય કાટમાળ કાદવિયા માર્ગો પર પથરાયો હતો. જયાપુરાના નાના એરપોર્ટના એક પ્રોપેલર પ્લેન તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

ઈન્ડોનેશિયામાં ઓકટોબરથી એપ્રિલ સુધી વરસાદની સીઝન રહેતી હોય છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ નિયમિતપણે સર્જાતી હોય છે.૧૭૦૦૦ ટાપુથી બનેલા આ રાષ્ટ્રમાં ભૂકંપ, જવાળામુખી ફાટવાની ઘટના પણ અવારનવાર થતી રહે છે.

સુલાવેસી ટાપુ પર પૂર અને ભૂસ્ખલનના પગલે ૭૦ વયક્તિનું મોત થયું હતું. આ મહિનામાં થોડા દિવસ અગાઉ વેસ્ટજાવા પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરના કારણથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

જાવાના પશ્ર્ચિમ હિસ્સામાં જવાળામુખી ફાટવાથી સુનામી આવ્યું હતું, જેમાં ૪૦૦ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સુલાવેસીના પાલુ શહેરમાં સુનામીને કારણે હજારો લોકો માર્યા ગયા હતા, જયારે બાલી પાસેના લોમ્બોક ટાપુ પર ભૂકંપના હારબંધ આંચકાને પગલે સેંકડો લોકો માર્યા ગયા હતા.

March 18, 2019
eci_logo.jpg
1min14440

ચૂંટણી સંબંધી ખર્ચ પર નિગરાની રાખવા ચૂંટણી પંચે ચૂંટણીના હેતુસર વપરાતા હેલિકોપ્ટર, ચાર્ટર્ડ ફલાઇટની વિગતો એર ટ્રાફિક ક્ધટ્રોલ વિભાગ પાસેથી મગાવી છે. જે વિસ્તારમાં એરપોર્ટ છે ત્યાંના ડિસ્ટ્રિકટ ઈલેકશન ઑફિસર સાથે જરૂરી આંકડા મેળવવા એર ટ્રાફિક ક્ધટ્રોલને જણાવ્યું છે. બિહારના વધારાના ચીફ ઈલેકટોરલ ઑફિસર સંજયકુમાર સિંહે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનો નિર્ણય સરકારના તમામ અધિકારીઓને જણાવી દેવાયો છે.

પટના અને ગયાના એર ટ્રાફિક ક્ધટ્રોલે તમામ ચાર્ટર્ડ ફલાઈટ, હેલિકોપ્ટર અને પેસેન્જરની વિગતો સીઇઓની ઓફિસ અને પટના – ગયાના ડીઈઓને આપવી પડશે. પેસેન્જરોના સામાનની તપાસ થશે.

મતદાનના પ્રથમ તબક્કા માટે નોમિનેશન ફાઈલિંગનું નોટિફિકેશન ૧૮ માર્ચથી શરૂ થશે. આવકવેરાના અધિકારી રૂ. ૧૦ લાખથી ઉપરના કોઈપણ શંકાસ્પદ સોદા પર ચાંપતી નજર રાખશે. બૅન્કમાંથી રોકડ લઈ જતી વેનના સ્ટાફે યોગ્ય ઓળખપત્ર પહેરવું પડશે. કાનૂની રોકડ હેરફેર પર કોઈ અંકુશ નથી.

March 18, 2019
girbanej.jpg
1min9850

કેસરી સિંહો અને ગીરની સુવિખ્યાત કેસર કેરીનું ઘર, ગણાતું ગીરની અન્ય એક વિશિષ્ટતા તેના એકમાત્ર મતદાર બાણેજને લીધે છે. આ ધાર્મિક જગ્યાના,મહંત ભરતદાસ બાપુ,જો અહીં મતદાન કરે તો,૧૦૦ ટકા મતદાન થયું ગણાય છે. મહંત દર ચૂંટણીમાં મતદાન કરે છે.

ચૂંટણીપંચના નિયમોનુસાર આ એક જ મતદાર અને મતદાન મથક માટે જરૂરી પૂરતો ચૂંટણી સ્ટાફ મતદાન સમયના પ્રારંભથી અંત સુધી રાખવામાં આવે છે.

બાણેજના મહંત ભરતદાસ બાપુ,ઉદાસીન સંપ્રદાયના સાધુ છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આ જગ્યા આવેલી છે.જે કોડિનારથી જામવાળાથી નજીક પડે છે.ગીર જંગલની છોડવડી ચેક પોસ્ટથી પરમીટ લઈને, સવારથી સાંજ અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ વ્યક્તિ ત્યાં જઇ શકે છે. જીવનમાં એકવાર બાણેજની જગ્યા જોવા જેવી છે. ગીરના ગૌરવ સમાન છે.