Alert Archives - Page 395 of 512 - CIA Live

March 18, 2019
pari_modi.jpg
1min7590

હજારો લોકોની જનમેદની વચ્ચે પૂરા રાજકીય સમ્માન સાથે ગોવાના CM મનોહર પર્રિકરના અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા. માહોલ ગમગીન હતો તો કેન્દ્રીય સ્મૃતિ ઇરાની પણ પોતાના આંસુને રોકી શકયા નહીં. આપને જણાવી દઇએ કે કેન્સરથી પીડિત મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે રવિવારના રોજ નિધન થયું છે.

શ્રદ્ધાંજલી આપ્યા બાદ પીએમ મોદી અહીં તેમના બંને દીકરાને પણ મળ્યા હતા. PM ખૂબ લાંબા સમય સુધી તેમની પાસે જ મૌન ઉભા રહ્યા હતા. પર્રિકરના બંને દીકરાઓ પૈકી એક એન્જિનિયર છે જ્યારે બીજો દીકરાને પોતાનો વ્યવસાય છે. વર્ષ 2000માં પર્રિકરના પત્નિનું પણ કેન્સરના કારણે અવસાન થયું હતું.

 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા.

દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું ૬૩ વર્ષની વયે પણજીમાં સાંજે ૬.૪૦ વાગ્યે એમના નિવાસસ્થાને રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ માંદા હતા. પર્રિકરના અવસાનથી ગોવામાં ભાજપનો ચહેરો અને સ્વચ્છ ચરિત્ર ધરાવતા નેતા ગુમાવ્યા હોવાની ભાવના ભાજપે વ્યક્ત કરી હતી. સાદગીસભર અને સજ્જન વ્યક્તિ તરીકે જીવન વિતાવતા પર્રિકરે પોતાની સ્વચ્છ છબિને કારણે ગોવાવાસીઓના મન જીતી લીધા હતા. વર્ષોથી ગોવામાં ચાલતી રાજકીય અસ્થિરતાને પર્રિકરે પોતાની કુશળતાથી સ્થિરતામાં ફેરવી હતી અને મુખ્ય પ્રધાન તરીકે એમણે ગોવામાં સફળ નેતૃત્વ કર્યું હતું.

પર્રિકરને આ કારણસર ત્રણ વખત ગોવાના મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સૌ પ્રથમ ભાજપ તરફથી ૧૯૯૪માં તેઓ પણજીની બેઠક જીત્યા હતા. જૂન થી નવેમ્બર ૧૯૯૯ સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫, ૨૦૧૨થી ૨૦૧૪ અને ૧૪મી માર્ચ ૨૦૧૭થી એમના મૃત્યુપર્યંત ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. ગોવામાં ૨૦૧૩માં યોજાયેલી ભાજપની બેઠક વખતે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ પણ એમણે જ કર્યો હતો.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ દેશના સંરક્ષણ પ્રધાનની જવાબદારી એમને સોંપવામાં આવી હતી. એમણે ૨૦૧૪થી ૨૦૧૭ સુધી સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.

દરમિયાન, ૨૦૧૭માં ગોવાની વિધાનસભાની ચૂંટણી બાદ કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે પર્રિકરને ગોવા મોકલ્યા અને એમણે અહીં આવીને ગોવા ફોરવર્ડ પક્ષ અને એમજીપીનો ટેકો મેળવીને ફરીથી ભાજપની સત્તા સ્થાપી હતી. આ વખતે ભાજપે એમને ફરીથી મુખ્ય પ્રધાનપદની જવાબદારી સોંપી અને પર્રિકરે પોતાના નવા હોદ્દાને શાનદાર રીતે નીભાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌ પ્રથમ પર્રિકરને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમણે જણાવ્યું હતું કે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનના સમાચાર જાણીને અત્યંત દુ:ખ થયું. પાછલા એકાદ વર્ષથી તેઓ સતત માંદા રહેતા હતા અને પાછલા બે દિવસ દરમિયાન એમની તબિયત વધુ કથળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી એમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

મધ્યમ વર્ગના કુટુંબમાં ૧૩મી ડિસેમ્બર, ૧૯૫૫ના દિવસે જન્મેલા પર્રિકરે પોતાનું રાજકીય જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે શરૂ કર્યું હતું. આઇઆઇટી-મુંબઇમાંથી સ્નાતક થયા બાદ પણ એમણે સંઘનું કાર્ય કરવાનું ચાલું રાખ્યું હતું. સંઘ સાથેના એમના સંબંધને એમણે કદી છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સંઘના કાર્યક્રમમાં યુનિફોર્મ પહેરીને લાઠી ફેરવતા હોય એવા એમના ફોટા પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓ જ્યારે સંરક્ષણ પ્રધાન હતા અને ભારતે પીઓકેમાં જઇને ત્રાસવાદીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય એમણે સંઘના શિક્ષણનું પરિણામ ગણાવ્યું હતું.

એમનું સ્વાસ્થ્ય ફેબ્રુઆરી ૨૦૧૮થી કથળવા માંડયું હતું. સૌ પ્રથમ એમને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાર બાદ માર્ચમાં અમેરિકાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓ જૂન સુધી સારવાર લેતા રહ્યા હતા. ત્યાર બાદ ઑગસ્ટમાં ફરીથી એમને અમેરિકામાં સારવાર માટે લઇ જવાયા હતા. અંદાજે એક મહિનો સારવાર લીધા બાદ તેઓ ૧૪મી ઑક્ટોબરે ભારત પાછા ફર્યા હતા.

લગભગ અઢી મહિનાના ગાળા બાદ તેઓ ૨જી જાન્યુઆરીએ જ્યારે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સૌને આશ્ર્ચર્ય થયું હતું. ત્યાર બાદ એમણે અનેક રાજકીય કાર્યક્રમો અને વિધાનસભા તથા સંસદના કાર્યમાં ભાગ લીધો હતો. પાછલા કેટલાક દિવસોથી એમને વારંવાર સારવાર માટે ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં જવું પડતું હતું, પણ મોટેભાગે તેઓ પોતાના ઘરે જ રહ્યા હતા.

આજે ૧૧ વાગ્યે અપાશે શ્રદ્ધાંજલિ

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સોમવારે પણજી ખાતે આપવામાં આવશે અને સાંજે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાન, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીવાડરા, સપાના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક રાજકીય નેતાએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

March 17, 2019
pub-1280x720.jpg
1min9640

જયેશ બ્રહ્મભટ્ટ

તા.15મી માર્ચ 2019ના રોજ બપોરે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં આવેલી બે મસ્જિદોમાં બ્રેન્ટન્ટ નામના માથાફરેલ હરામખોરે કરેલા ઓપન અને અંધાધૂંધ ફાયરીંગના વિડીયો તેમજ હુમલાખોરની હરકત જોતા પહેલો વિચાર એ જ આવે કે કોઇ વિડીયો ગેમ જોતા હોઇએ. હુમલાખોરે જે રીતે ફાયરિંગનો અંજામ આપ્યો અદ્દલ એ જ પ્રમાણે પબજી ગેમ્સ રમાડવામાં આવે છે. હાલમાં ભારત સમેત અનેક દેશોમાં જેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે એ પબજી ગેમ્સની તર્જ પર જ ન્યુઝીલેન્ડમાં મૂળ ઓસ્ટ્રેલિયન હુમલાખોર બ્રેન્ટને આડેધડ ફાયરીંગ કરીને 50 લોકોના ઢીમ ઢાળી દીધા છે.

હરામખોર હુમલાખોરને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો, આવી ક્રૂરતા પબજી ગેમ્સમાં જ દેખાડવામાં આવે છે

ન્યુઝીલેન્ડમાં જે રીતે હરામખોર બ્રેન્ટન પોતાની કાર લઇને નીકળે છે, પોતાના શરીર પર કેમેરાથી સોશ્યલ મિડીયામાં લાઇવ વિડીયો પ્રસારિત કરે છે, મ્યુઝિક સાંભળે છે, કારમાંથી બેફામ ફાયરિંગ કરે છે, કારની ડિકીમાં રાખવામાં આવેલી ત્રણ ગન્સને ચકાસે છે, હુમલા બ્રેન્ટન ટેરેન્ટ નામના 28 વર્ષની એક વ્યક્તિએ કર્યો છે જેને હુમલામાં કુલ પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો છે. હેડકૅમથી મળેલી તસવીરોમાં જોવા મળી શકે છે કે હુમલાખોર જેવો જ એક રૂમથી બીજા રૂમ તરફ આગળ વધે છે. તે લોકો પર નજીકથી ગોળીઓ વરસાવી રહ્યો છે. તેણે ઘાયલ પર ગોળીઓ વરસાવી છે.

હેમખેમ બચેલા લોકોએ શું જણાવ્યું

  • તેમના જણાવ્યા પ્રમાણે અંદાજે 20 મિનિટ સુધી આ ગોળીબાર ચાલ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
  • તેમણે જણાવ્યું, “હું એ વિચારતો હતો કે તેની પાસે જલદી ગોળીઓ ખતમ થઈ જાય.”
  • “હું ત્યાં કંઈ કરી શકું એમ ન હતો. માત્ર પ્રાર્થના કરતો રહ્યો અને રાહ જોતો હતો કે અલ્લાહ, આની ગોળીઓ ખતમ થઈ જાય.”
  • કથિત રીતે બંદૂકધારીએ મસ્જિદમાં પહેલાં પુરુષોનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો, જ્યારે ત્યારબાદ મહિલાઓનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો.
  • બીજા એક બચી ગયેલા પુરુષે જણાવ્યું કે લોકો બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા.
  • રેડિયો ન્યૂઝીલૅન્ડ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી.”
  • “તેને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો. તે કોઈ જીવતું રહે તેમ ઇચ્છતો ન હતો.”
  • આ હુમલામાં બચી ગયેલા ફરીદ અહમદે કહ્યું કે તેઓ વ્હિલચેર પર હતા અને તેમને હજી જાણ નથી કે તેમનાં પત્ની જીવતાં છે કે નહીં.
  • તેમણે જણાવ્યું, “હું એક રૂમમાં હતો ત્યાંથી મેં જોયું કે એક યુવક એ રૂમમાં આવવા ગયો તો તેને પાછળના ભાગે ગોળી મારી દીધી. તે ત્યાં જ મરી ગયો.”

આ બધી ઘટનાઓને જોતા પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે કે પબજી ગેમ્સમાં મોટા ભાગની સિક્વન્સ મળતી આવી રહી છે. હજુ એ વાત બહાર આવી નથી કે હુમલાખોરે પબજી ગેમ્સ રમી હતી કે નહીં અગર તો આડેધડ ગન ફાયરિંગનો વિચાર ક્યાંથી મેળવ્યો પરંતુ, આજે નહીં તો કાલે એ વાત ચોક્કસ બહાર આવશે કે કોઇકને કોઇ હિંસાત્મક ગેમ કે મૂવીમાંથી જ આવો વાહિયાત આઇડિયા ગુનેગાર મેળવી શકે છે.

હત્યાના આરોપમાં 28 વર્ષના બ્રેન્ટન ટેરન્ટને શનિવારે ક્રાઇસ્ટચર્ચની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાંથી હુમલાખોરો સાથે સંપર્ક ધરાવતા વિસ્તારોમાં ત્રણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા પણ સામેલ છે. તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ તમામની પૂછપરછ થઇ રહી છે અને તેઓ આ આવા હિંસક પ્લાનને કેવી રીતે અંજામ આપ્યો તે પોલીસ શોધી રહી છે.

હકીકતમાં પબજી જેવી હિંસક ગેમ્સ કે ટેલિવિઝનના પ્રોગ્રામ્સમાંથી જ ગુનેગારોને ગુનો કરવા અંગેના આઇડિયા મળી રહેતા હોય છે. ભારતમાં એવા સંખ્યાબંધ ક્રાઇમ્સ પ્રકાશમાં આવ્યા છે જેમાં પકડાયેલા ગુનેગારોએ કબૂલાત કરી હતી કે તેણે ક્રાઇમ પેટ્રોલ કે તેના જેવી અન્ય ક્રાઇમ આધારિત ટેલિ સીરીયલ્સમાંથી જ યુક્તિ મેળવીને ગુનાને અંજામ આપ્યો હતો.

March 17, 2019
fee.jpg
1min7720

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતી દ્વારા વર્ષ ર018-19થી વર્ષ ર019-ર0 માટે રાજકોટ સ્થિત ધોળકીયા ગ્રુપની જુદી જુદી શાળાઓની ફીનું માળખું જાહેર કરાયું હતું, ફી માળખાને જોયા બાદ ધોળકીયા ગ્રુપ ઓફ સ્કુલ્સના સંચાલકોના પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ફી નિર્ધારણ પહેલા જ મસમોટી રકમની ફી વસૂલી લેનાર ધોળકીયા ગ્રુપએ તેની તમામ સ્કુલો મળીને કુલ મળીને રૂ.પ કરોડ ર0 વીસ લાખની રકમ રીફંડ વાલીઓને  રિફંડ કરવી પડશે. ફી નિર્ધારણ કમિટીએ ફી રિફંડ અંગેનો આદેશ પણ કરી દીધો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર એફઆરસીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાએ વાલીઓને 400 રૂપિયાથી લઈને 8100 રૂપિયા સુધીનું અને કુલ પ.ર0 કરોડનું રીફંડ ચુકવવું પડશે. આ સાથે સમિતી દ્વારા નક્કી કરાયેલી ફીની પુરતી જાહેરાત કાયદાનુસાર શાળાએ કરવાની રહેશે તથા વાલીઓને ફી નક્કી કર્યાની જાણ કરવાની રહેશે તેમ ફી નિર્ધારણ સમિતીના અધ્યક્ષ દ્વારા તાકીદ કરાઈ છે.

ધોળકીયા ગ્રુપએ ધો. 1ર સાયન્સ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 1.ર3 લાખની ફીની દરખાસ્ત સૌરાષ્ટ્ર એફઆરસી સમક્ષ રજૂ કરી હતી જેની સામે એફઆઇરસી દ્વારા 91 હજાર રૂપિયાની ફી નિર્ધારિત કરી આપવામાં આવી હતી.

રાજકોટમાં મોટું નામ ધરાવતા ધોળકીયા ગ્રુપની શાળાઓનું ફીનું માળખું જાહેર કરાયા બાદ વાલીઓમાં રાહત એટલા માટે થઇ છે કે તેમને ફી નું રિફંડ મળશે અને સંચાલકોએ મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ધોળકીયા ગ્રુપની સ્કુલ્સમાં કે કે ધોળકીયા, એલ જી ધોળકીયા, એસ જી ધોળકીયા, જી કે ધોળકીયા, કે જી ધોળકીયા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ, સીબીએસઈ બોર્ડ તેમજ ડીવાઈન સ્કૂલનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું હતું.

 

March 17, 2019
bcci_logo.jpg
1min14390
ભારતી ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બીસીસીઆઈએ એ પ્લસ શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. બીસીસીઆઈએ ગુરૂવારે મોડી રાત્રે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે વાર્ષિક કરારની જાહેરાત કરી છે. નવા કરાર અનુસાર કેપ્ટન વિરાટ કોહલી, એક દિવસીય વાઈસ કેપ્ટન રોહિત શર્મા (વન-ડે) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જ એવા ખેલાડીઓ છે કે જેને એ પ્લસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભુવનેશ્વર અને ધવનને આ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને એ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા ગ્રેડ આ પ્રકારે છે:

Grade A Plus :

વાર્ષિક સાત કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી

– વિરાટ કોહલી

– રોહિત શર્મા

– જસપ્રીત બુમરાહ

Grade A :

વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી

– આર અશ્વિન
– રવિન્દ્ર જાડેજા
– ભુવનેશ્વર કુમાર
– ચેતેશ્વર પુજારા
– અજિંક્ય રહાણે
– એમએસ ધોની
– શિખર ધવન
– મોહમ્મદ શમી
– ઈશાંત શર્મા
– કુલદીપ યાદવ
– ઋષભ પંત

Grade B :

વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી

– કે એલ રાહુલ
– ઉમેશ યાદવ
– કુલદીપ યાદવ
– યુજવેન્દ્ર ચહલ
– હાર્દિક પંડ્યા

Grade C :

વાર્ષિક એક કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી

– કેદાર જાધવ
– દિનેશ કાર્તિક
– અંબાતી રાયુડૂ
– મનીષ પાંડે
– હનુમા વિહારી
– ખલીલ અહમદ
– સાહા
March 17, 2019
Gandhinagar-Gujarat.jpg
1min7310

જયેશ બ્રહ્મભટ્ટ

92 વર્ષના ભાજપના એક સમયના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપાના શિર્ષ નેતાઓને જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા નથી, અડવાણી જે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે એ ગુજરાતની રાજધાની ગાંધીનગરની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવી જોઇએ એવો પણ પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણી આપી ચૂક્યા છે અને એવું મનાય રહ્યું છે કે ગાંધીનગરની ગુજરાત ભાજપા માટે સૌથી સેફ  મનાતી લોકસભા સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં એવી હવા ઉભી કરવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાની જગ્યાએ ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ ચૂંટણી લડશે, આનંદીબેન પટેલની પણ વાત ઉડાડવામાં આવી હતી. કેટલાક શુભેચ્છકોએ તો આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી ને પણ ગાંધીનગરના ઉમેદવાર બનાવવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી મૂકી હતી.

(ભાજપના સૌથી વયોવૃદ્ધ સાંસદ 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ગાંધીનગરની ભાજપા માટે ગુજરાતની સૌથી સલામત સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સંજોગો પ્રબળ બન્યા છે)

ગાંધીનગરની બેઠક માટે અમીત શાહ, આનંદીબેન પટેલ, અનાર પટેલ, પ્રતિભા લાલકૃષ્ણ અડવાણી વગેરે જેવા નામો ચર્ચાય રહ્યા છે

આમ ભાજપામાં ગાંધીનગરની સૌથી સલામત સીટ પર કોણ ઉમેદવાર હશે એ અંગે અનેક નામ આ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ, સી.આઇ.એ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેટેસ્ટ પોલિટીકલ ડેવલપમેન્ટ એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ સાંસદ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે એમ છે. નરેન્દ્ર મોદીની ખુદની પસંદ પણ ગાંધીનગર સીટ હોવાનું કહેવાય છે. 2014ની જેમ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડશે એમ મનાય છે. જેમાંથી એક બેઠક ચોક્કસ પણે ગુજરાતની હશે. નરેન્દ્ર મોદી માટે ગુજરાતની સલામત બેઠકોમાં સુરતની બેઠકનું નામ પણ ચર્ચાયું હોવાનું જાણવા મળે છે. પંરતુ, સુરતમાં સંભવતઃ પાટીદાર આંદોલન ફેક્ટરને કારણે હાલમાં ભાજપા માટે સૌથી સલામત સીટ ગાંધીનગર માનવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપા માટે એટલી સલામત સીટ છે કે અજાણ્યા વ્યક્તિને ઉમેદવાર બનાવાય તો એ પણ જીતી શકે તેમ છે.

ટૂંક સમયમાં ભાજપાના 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે, જોકે પહેલી યાદીમાં ગુજરાતની એકપણ સીટની જાહેરાત સંભવ નથી કેમકે ગુજરાતમાં હજુ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઇ નથી અને એ પહેલા જો ઉમેદવારોના નામની ઘોષણા થાય તો પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર અને બેઠકવાર લેવાઇ રહેલા સંભવિત ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા ધુપ્પલ અને નાટક પુરવાર થઇ જાય. એટલે પહેલી યાદીમાં સંભવ છે કે ગુજરાતમાં ગાંધીનગર ખાતેની બેઠક પર નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર નહી થાય.

March 16, 2019
tejaswi.jpg
1min3414

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 16, 2019
Greta-Thunberg-.jpg
3min10290
  • સ્કુલમાં ગૂલ્લી મારીને ગ્રેટા ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ કેમ્પેઇન ચલાવતી હતી
  • યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમમાં લેક્ચર આપી આવી છે
  • પર્યાવરણ બચાવવા માટે 15 વર્ષની ઢબૂડી ગ્રેટાની મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે
  • 15 વર્ષની ઉંમરે સામાન્ય રીતે બાળકો દસમા ધોરણની પરીક્ષા આપતા હોય ત્યારે સ્વીડનની આ ઢબૂડી નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થઇ અને થોડા દિવસોમાં કદાચ પ્રાઇઝ હાંસલ પણ કરી લે

ગુજરાતમાં 12 લાખ જેટલા 15 વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે ધો.10ની પરીક્ષા આપી રહ્યા હતા એ માર્ચ 2019ના બીજા સપ્તાહમાં સ્વીડનની એક 15 વર્ષિય ગર્લ ગ્રેટા ને પર્યાવરણનો નોબલ પારિતોષિક એનાયત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 15 વર્ષની આ ઢબૂડી ગ્રેટા સ્કુલમાં ગૂલ્લી મારીને સ્વીડનમાં જુદા જુદા સ્થળોએ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ બચાવ માટેની જાગૃતિ ફેલાવવાનું કામ કરતી હતી. અનેક વખત તેમણે તેના સહધ્યાયીઓને ભણવાનું છોડાવીને રોડ પર દેખાવો યોજ્યા હતા. ગ્રેટા તેના સહધ્યાયીઓને સમજાવતી કે ભણવા કરતા મહત્વનું પર્યાવરણ છે, પર્યાવરણને બચાવીશું તો માનવીઓને બચાવી શકીશું. ગ્રેટા અત્યાર સુધી યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમથી લઇને અનેક આંતર રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનોમાં સ્પીચ આપી આવી છે. તેની આ મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે.

પર્યાવરણ દિશામાં કામ કરતી સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થુનબર્ગ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. નોર્વેના ત્રણ સાંસદ દ્વારા ગ્રેટાનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયું છે.

ગ્રેટા અનેકવાર શાળા છોડીને સ્વિડીશ સંસદની બહાર બેસીને પર્યાવરણ બચાવવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂકી છે. ફ્રેડી આંડરે ઓવેસ્ટેગાર્ડ અને સોશિયાલિસ્ટ લેફ્ટ પાર્ટીના બે અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે ગ્રેટાએ જેવી રીતે પર્યાવરણ મુદ્દે આંદોલનનો સૂર છેડ્યો છે તે શાંતિ સ્થાપિત કરવા ખૂબ જ મોટું યોગદાન છે.

ગ્રેટાએ બાળકોને શાળા છોડીને જળવાયુ પરિવર્તનમાં ઝડપી કાર્યવાહની માંગ સંબંધી પ્રદર્શનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રેટા થુનબર્ગ તાજેતરમાં પર્યાવરણ સુરક્ષા માટે યોગ્ય પગલા ન લેવાતા આંદોલન કરીને વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગયા ફેબ્રુઆરી માસમાં ગ્રેટાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પર્યાવરણ સુરક્ષા મુદ્દે નક્કર પગલા લેવાની માંગ કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના શક્તિશાળી નેતાઓ પૈકી એક માનવામાં આવે છે. ગ્રેટા પણ એ જાણે છે અને તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પર્યાવરણ બચાવ ઝુંબેશ જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા અપીલ કરી હતી

Climate Activist Greta Thunberg Has A Message For Narendra Modi

A 16-year-old climate activist, Greta Thunberg from Sweden, has asked world leaders not to ignore the impending consequences of runaway climate change. The young girl has a message for Prime Minister, Narendra Modi, and she mentioned it in a video by Brut India.

What is the movement about?

The Schools Strike for Climate is a global, growing movement of students demanding more action from authorities regarding global warming and climate change. The movement began last year as a solo protest by a 15-year-old Swedish girl Greta Thunberg outside the Swedish Parliament building. It has since grown, and on March 15, thousands of students from across continents are expected to skip school and take part in protests. It is said to be the largest such protest.

Who is Greta Thunberg?

Ninth-grade student Greta Thunberg, on August 20, 2018, decided to skip school that day and sat outside the Riksdag (Swedish Parliament) with the signSkolstrejk för klimatet (school strike for the climate). Spurred by the recent heatwave and wildfires in Sweden, Ms. Thunberg skipped school for the next three weeks and continued her protest outside Parliament, demanding that the Swedish government reduce carbon emissions per the Paris Agreement. On September 8, Ms. Thunberg decided to continue striking every Friday, leading to the hashtag #FridaysForFuture and #Climatestrike. She posted her protests on social media, which went viral and the movement spread as students started protesting outside their respective parliaments and town halls. In November 2018, Ms. Thunberg spoke at TEDxStockholm, the following month she addressed the United Nations Climate Change Conference. In January this year, she spoke at the World Economic Forum in Davos. On Thursday, she was nominated for a Nobel Peace Prize.

March 16, 2019
water.jpeg
1min577

રાજ્યમાં આગામી ઉનાળાના સમયમાં ગરમી સાથે પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ અત્યારથી જ વર્તાય રહ્યા છે. સૌથી દુષ્કર પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની થાય તેમ છે.  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે 45.51 ટકા જળસ્તર છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે રાજ્યના 65 જળાશયો તળિયાઝાટક થઇ ગયા છે. ઉનાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા મધ્યે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

રાજ્યસરકારે ખેડૂતોને સિંચાઇનું પાણી પર રોક લગાવીને માત્ર પીવાના પાણી માટે જળાશયોના પાણીને અનામત રાખવાના આદેશો આપી દીધા છે. આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ 76 ટકા વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું હતું.

ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્યના 203 જળાશયોમાં હવે સરેરાશ માત્ર 31.92 ટકા જ પાણી રહ્યું છે. જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કર સ્થિતિ સર્જાઇ છે. જ્યારે 138 જળાશયોમાં સરેરાશ 16.31 ટકા જળસ્તર રહ્યું છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં હાલ માત્ર 17.23 ટકા જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.56 ટકા , દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.94 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.39 ટકા જળસ્તર રહ્યું છે.  ગુજરાતના કુલ 203 જળાશયોમાં કુલ 15760 મિલિયન ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશ્કિત સામે હાલની સ્થિતિએ માત્ર 5030 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. જે કુલ જથ્થાના 31.92 ટકા છે. આ પૈકી 3910 મિલિયન ક્યુબીક મીટર એટલે કે કુલ જથ્થાના 26.82 ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લાવી શકાય તેમ છે.

  • રાજ્યના 17 મોટા બંધોમાં કેટલું પાણી બચ્યું છે

  • પાનમમાં 69 ટકા,
  • કરજણમાં 59 ટકા,
  • કડાણામાં 57 ટકા, 
  • દમણગંગામાં 41 ટકા
  • સરદાર સરોવર નર્મદા બંધમાં 45.51 ટકા
  • ઉકાઇમાં 30 ટકા
  • ધરોઇમાં 22.57 ટકા,
  • દાંતીવાડામાં 8.97 ટકા,
  • શેત્રુંજીમાં 19.25 ટકા,
  • ભાજરમાં 12.11 ટકા,
  • સુખીમાં 38.08 ટકા,
  • વાત્રકમાં 24.17 ટકા,
  • હાથમતીમાં 24.26 ટકા,
  • સિપુમાં 11.13 ટકા,
  • મચ્છુ-2માં 43.07 ટકા,
  • મચ્છુ-1માં 10.41 ટકા
  • ઉંડ-1માં 0.12 ટકા

મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમાં જળસ્તર સારુ રહેતા અત્યાર સુધી પાણીની ખેંચ વર્તાતી ન હતી પરંતુ હવે સરદાર  સરોવર નર્મદા બંધમાં પણ જળસ્તર નીચે જઇ રહ્યુ ંછે ત્યારે ઉનાળામાં જળસંકટ હજુ વધુ ઘેરું બને તેવી સ્થિતિ સર્જાઇ છે.

March 15, 2019
BJP_surat.jpg
1min15670

જયેશ બ્રહ્મભટ્ટ

આજે સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક સંગઠનના હોદ્દેદારોને સેન્સ લેવા માટે આવેલા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકોની ટીમે સાંજે સવા સાત વાગ્યે અનૌપચારિક રીતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 9.30 વાગ્યાથી શરૂ થયેલી રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા સાંજે 7 વાગ્યા સુધી ચાલી હતી. અંદાજે 350 જેટલા ભાજપના નેતાઓ, કાર્યકરોએ પોતપોતાની રજૂઆતો કરી હતી. હકારાત્મક વાતાવરણમાં થયેલી રજૂઆતો અંગે ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સૌનો એક મત હતો કે પાર્લામેન્ટરી બોર્ડ જેને પણ ટિકીટ આપશે અમે તેને જીતાડી લાવીને ફિર એક બાર મોદી સરકારને સાર્થક કરીશું. કેટલી રજૂઆતો અને કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તે અંગે નિરીક્ષકોએ કહ્યું કે એ પક્ષની આંતરિક બાબત છે એ જણાવી શકીએ નહી.

આજે દિવસ દરમિયાન સુરત સંસદીય મતવિસ્તારમાં કોને ઉમેદવાર બનાવવો એ અંગે સ્થાનિક ભાજપના સંગઠન પાંખના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો વગેરેએ રજૂઆતો કરી હતી. સી.આઇ.એ.નું ઇન્વેસ્ટીગેશન કહે છે કે આ વખતની રજૂઆતોમાં બહુમતી રજૂઆત એ હતી કે ટિકીટ કોઇને પણ આપો પરંતુ, મૂળ સુરતી હોય તેવી વ્યક્તિને જ સુરતના સાંસદની સીટ માટે ભાજપાની ટિકીટ મળવી જોઇએ. આજે કોઇ એક વિશાળ જૂથે એક કોમન રજૂઆત કરી હોય તો એ મૂળ સુરતીને જ ટિકીટ મળવી જોઇએ તેવી રજૂઆત હતી. રજૂઆત કરનાર દરેક મૂળ સુરતી ભાજપી નેતાએ આ એક વાત પર જ ભાર મૂક્યો હતો કે સુરતના સાંસદ મૂળ સુરતી જ હોવા જોઇએ.

બીજી તરફ, મૂળ સુરતી ઉપરાંત સૌથી વ્યાપક રજૂઆતો વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોષ માટે કરવામાં આવી હતી. તેમને રિપીટ કરવામાં આવે તો કોઇ વાંદો નથી એ પ્રકારે અનેક રજૂઆત કર્તાઓએ રજૂઆતો કરી હતી.

સૌરાષ્ટ્રવાસીઓ તરફે પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા, અસ્મિતાબેન શિરોયા, ડો. પ્રફુલ શિરોયા, દર્શિણી કોઠિયા, ધીરુભાઇ સવાણી તેમજ અન્યોએ રજૂઆતો કરી હતી. જોકે, મેયર ડો.જગદીશભાઇ પટેલે કોઇ દાવેદારી નોંધાવી ન હતી. સી.આઇ.એ. લાઇવની સાથે વાતચીત કરતા મેયર ડો.જગદીશભાઇ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ના તો કોઇ રેસમાં હતા કે ના તો રહેશે. મેયર તરીકેની તેમની ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે.

BJPમાંથી સુરત સંસદીય બેઠક પર ત્રણ (એસ) S-S-S ની પેનલનો સંયોગ

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે દેશની સૌથી સલામત સીટો પૈકીની એક છે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસી સરકારો હતી ત્યારે પણ સુરત બેઠક પરથી ભાજપાના ઉમેદવારો જ જીતતા આવ્યા હતા. સુરત સંસદીય મત વિસ્તારમાં એસ (સ) મૂળાક્ષરનો કેવો યોગ રચાયો છે એની પહેલા વાત કરીએ.

S એટલે સુરત સંસદીય મત વિસ્તાર અને ફરીથી S એટલે સૌથી સલામત કહો કે અંગ્રેજીમાં સેફ સીટ કહો ભાજપા માટે સુરત એ એવી સીટ છે કે અહીં અજાણ્યાને પણ ઉમેદવાર બનાવે તો આસાનીથી ચૂંટાઇ આવશે.

આજે ઉધના મેઇન રોડ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે ભાજપાના પ્રદેશ નિરીક્ષકો વિધિવત રીતે સ્થાનિક ભાજપાના સંગઠનના આગેવાનોને સ્ટેપ બાય સ્ટેપ સાંભળી રહ્યા છે. વોર્ડ વિસ્તારથી લઇને વિધાનસભા અને લોકસભા વિસ્તારના ભાજપાના સંગઠન સાથે સંકળાયેલા નેતાઓનો સેન્સ લેવાય રહ્યો છે. આ રિપોર્ટ ભાજપાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારફતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચશે.

સુરત સંસદીય મતવિસ્તાર એક હાઇપ્રોફાઇલ બેઠક ગણાય છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે અને દેશ-દુનિયાને ચોંકાવે, અચરજ પમાડે તેવી ઘટનાઓ, ઇવેન્ટસ સુરત આપી રહ્યું છે. ટેક્સ પેયર્સથી શરૂ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડેવલપમેન્ટ વગેરે બાબતો હવે સમગ્ર દેશમાં સુરતને ચર્ચાસ્થાને મૂકે છે. આવા સંજોગોમાં સુરતના સાંસદ બનવું એટલે હાઇપ્રોફાઇલ પોર્ટફોલિયો ધારણ કરવો એમ મનાય છે.

દર્શના જરદોષને બે ટર્મ મળી છે એટલે હવે રિપીટેશનની શક્યતાઓ ઓછી છે 

સુરત સંસદીય મતવિસ્તારમાં દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા છે. બબ્બે ટર્મ મળ્યા પછી હવે તેમને ત્રીજી ટર્મ મળે તેવી શક્યતાઓ ધૂંધળી જણાય આવે છે. દર્શના જરદોષએ એવું કોઇ હાઇપ્રોફાઇલ કામ કર્યું નથી કે તેમને પાર્લામેન્ટરી બોર્ડ રિપીટ કરે કે નથી દર્શના જરદોષે સુરતના ટેક્સટાઇલ વેપારીઓનો જીએસટીનો પ્રશ્ન ઉકેલી શક્યા. સંસદમાં લેખિતમાં પ્રશ્નો પૂછીને તેમણે તેમનો રેકોર્ડ ભલે અપટુ ડેટ મેઇન્ટેન કર્યો હોય પરંતુ, બે ટર્મથી ત્રીજી ટર્મ મળે તેવી શક્યતા બહુ ઓછી જણાય છે. આવી સ્થિતિમાં સુરત સંસદીય મતવિસ્તારમાંથી ભાજપાની ટિકીટ મળે તે માટે અનેક ધારાસભ્યો, સ્થાનિક ભાજપાના અનેક નેતાઓએ એડીચોટીનું જોર લગાડવાનું શરૂ કરી દીધું છે.

  • સુરત સંસદીય મતવિસ્તારમાં બનનારી ત્રણ સંભવિતોની પેનલમાં એસ મૂળાક્ષરનો સંયોગ

  • S એટલે સુરતી, એક મૂળ સુરતી નેતા ત્રણ સભ્યોની પેનલ હશે

  • S એટલે સૌરાષ્ટ્રીયન, એક સૌરાષ્ટ્રીયન નેતા પણ ત્રણ સભ્યોની બનનારી પેનલમાં હશે

  • S એટલે સ્કાયલેબ, કોઇપણ આવી શકે, એ સેલિબ્રિટી હોય, આયાતી હો, ફિલ્મ સ્ટાર પણ હોઇ શકે

સુરત સૌથી સલામત સીટ હોઇ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કોઇ સેલિબ્રિટી અગર તો હોમગ્રાઉન્ડ વગરના દિગ્ગજ નેતાને સુરત સંસદીય મતવિસ્તાર પરથી કોઇપણ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાનું પણ વિચારી શકે. હાલમાં મૂળ સુરતી ઉમેદવારની શક્યતા 50 ટકા, સૌરાષ્ટ્રવાસીની શક્યતા 40 ટકા અને સ્કાલલેબની શક્યતા 10 ટકા હોવાની સ્થિતિ જણાય આવે છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં સૌથી હોટફેવરિટ નીતિન ભજીયાવાળા

મૂળ સુરતી ઉમેદવારોના ચર્ચાય રહેલા નામોમાં દર્શના જરદોષ (રિપીટ), અજય ચોક્સી, નીતિનભાઇ ભજીયાવાળા, કિરીટ ગંગારામ પટેલ વગેરે લાંબુ લિસ્ટ સંભળાય છે. પરંતુ, મૂળ સુરતી તરીકે હાલમાં સૌથી વધુ પ્રોજેકશન સુરત શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળાને મળી રહ્યું છે. નીતિનભાઇ માટે કહેવાય છે કે તેમના કરતા વધુ પ્રયત્નો તેમના શુભેચ્છક, સમર્થક નેતાઓ કરી રહ્યા છે. પ્રદેશ મોવડીથી લઇને કેન્દ્રીય મોવડીમંડળમાં તેમની શાખ સારી મનાય રહી છે. નીતિનભાઇ ભજીયાવાળા માટે હવે પ્રમોશન ટાઇમ ડયુ થઇ ગયો હોવાનું પણ મનાય રહ્યું છે. સૌથી પ્રબળ દાવેદારી જેમની મનાતી હતી એ પૂર્ણેશભાઇ મોદી માટે એવી વાતો ચર્ચાય રહી છે કે તેઓ સાંસદની રેસમાં નથી. નીતિનભાઇ ભજીયાવાળા માટે ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એવી જ છાપ છે કે તેઓ મૂળ સુરતી છે પરંતુ, હકીકતમાં નીતિનભાઇ ભજીયાવાળા મૂળ સૌરાષ્ટ્રવાસી જ છે, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળાને જે લોકો નજદીકથી ઓળખે છે તેઓ જણાવે છે કે તેમના પરિવારિક મૂળ સૌરાષ્ટ્રના છે.

March 15, 2019
Sreesanth_1.jpeg
1min11960

આજીવન પ્રતિબંધના કારણે ક્રિકેટથી દૂર થઇ ગયેલા કેરેલિયન ક્રિકેટર શ્રીસંથ પરથી આજે સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

IPL સ્પોર્ટ ફિક્સિંગ કેસમાં બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયાએ ઝડપી બોલર શ્રીસંત પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુક્યો હતો. જેને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે વધુમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 3 મહિના સુધીમાં આ સમગ્ર કેસમાં પોતાન રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે BCCIની પાસે નિયમોને લગતી કાર્યવાહી કરવાનો અધિકાર છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કૉર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.