Alert Archives - Page 393 of 512 - CIA Live

March 21, 2019
ipl-2019-min-1024x585.jpg
1min15960

22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.

બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6590

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
March 21, 2019
uv.jpg
1min11090

IPL 2019:ખુલ્યો રાઝ, આ કારણથી મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને ખરીદ્યો
યુવરાજસિંહને વેલકમ કરી રહેલા નીતા અંબાણી

ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ આઈપીએલ 2019માં માંડ માંડ કોઈ ટીમમાં જવામાં સફળ થયા છે. પહેલા રાઉન્ડમાં યુવરાજ સિંહને કોઈ ટીમે નહોતા ખરીદ્યા, પરંતુ આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદી લીધા. પરિણામે આ વખતે યુવરાજ સિંહ રોહિત શર્માની કેપ્ટનસીમાં રમતા દેખાશે. જો કે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને એક ખાસ યોજના અંતર્ગત ખરીદ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ ઝહીર ખાને કર્યો છે.

ઝહીર ખાને કહ્યું કે યુવરાજસિંહ પાસે લાંબો અનુભવ છે, તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં એક મહત્વના બેટ્સમેન સાબિત થઈ શકે છે. યુવરાજસિંહ મેચન વિનર ખેલાડી છે, અમને એક એવા બેટ્સમેનની જરૂર હતી જે મિડલ ઓર્ડરમાં અનુભવી હોય. મને લાગે છે કે યુવરાજસિંહ પાસે આ અનુભવ છે, એટલે જ અમે તેમને અમારી ટીમમાં ખરીદ્યા છે. ઝહીર ખાને કહ્યું કે યુવરાજ સિંહે વર્ષો સુધી પોતાની ટીમને મેચ જીતાડી છે અને તેઓ એક મેચ વિનર ખેલાડી છે, તેમાં કોઈ બેમત નથી. અમે પ્રેક્ટિસ દરમિયાન પણ જોયું છે કે તે સારી બેટિંગ કરી રહ્યા છે. આ સિઝનમાં તે સારું પ્રદર્શન જરૂર કરશે. યુવરાજ સિંહની હાજરીથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપ મજબૂત બની છે.

યુવરાજસિંહને બીજા રાઉન્ડમાં ખરીદવા અંગે ઝહીર ખાને કહ્યું કે એવા ઘણા ખેલાડીઓ હતા જે પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ હતા, હું પણ તેમાંથી એક છું. ઓક્શન વખતે તમામ ફ્રેન્ચાઈઝી પોતાની રણનીતિ મુજબ ખેલાડીઓની પસંદગી કરે છે. તો રોહિત શર્માએ કહ્યું કે ખેલાડીઓએ નક્કી કરવાનું છે કે તેઓ પોતાની ક્ષમતા બરાબર ઓળખે છે. તેમને પોતાને જ્યારે જરૂર હશે ત્યારે તેઓ આરામ કરશે. રોહિત શર્માએ કહ્યું કે પાછલા ત્રણ-ચાર વર્ષમાં અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. વર્કલોડ ખેલાડીઓનો અંગત મામલો છે. આ મામલે ખેલાડીઓએ જાતે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.

March 20, 2019
hardik-alpesh.png
1min9730

જયેશ બ્રહ્મભટ્ટ

એક સમયે સમગ્ર ગુજરાતનું જનજીવન ખોરવી દેનારું પાટીદાર આંદોલન હવે ફાઇટ ટુ ફિનિશના મોડમાં આવી ગયું છે. ફાઇટ ટુ ફિનિશ એ સેન્સમાં કે હવે પાસમાં બાકી બચેલા નેતાઓ અંદરો અંદર એવી લડાઇ લડી રહ્યા છે કે પાસ જેવી સંસ્થા જ નહીં રહે. પાટીદાર આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હવે કોંગ્રેસી નેતા બની ચૂકેલા હાર્દિક પટેલએ કોંગ્રેસની કંઠી બાંધી ત્યારથી શરૂ થયેલા અંદરોઅંદરના ડખાંમાં તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પાસની મિટીંગે પેટ્રોલ હોમવાનું કામ કર્યું. અમદાવાદની પાસની મિટીંગના મંચ પર લગાડાયેલા બેનરમાં એકલા હાર્દિક પટેલનો ફોટો સમાવાયો હતો અને અલ્પેશ કથિરીયાની બાદબાકી કરવામાં આવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત એ જ મિટીંગમાં પડ્યા અને હાર્દિક અલ્પેશ ગબ્બરના સમર્થકો અંદરોઅંદર ઝઘડી પડ્યા. બસ આ ફાઇટથી શરૂ થઇ છે પાસમાં ફાઇટ ટુ ફિનિશની ગેમ.

(સુરતમાં લાગેલા હાર્દિક પટેલ વિરોધી બેનર્સ હવે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ લાગવા માંડ્યા છે)

અમદાવાદ ખાતેની પાસની છેલ્લી મિટીંગના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો નહીં સામેલ કરીને હાર્દિક એન્ડ કંપનીએ પાસનો જ સેલ્ફ ગોલ સાથે ફાઇટ ટુ ફિનિશ શરૂ કરી

  • કેન્દ્ર સરકારે 10 ટકા ઉજળીયાત અનામત આપીને પાટીદાર આંદોલન માટે લડવાનો કોઇ મુદ્દો રહેવા દીધો નહીં
  • હાર્દિક પટેલએ પણ પવન જોઇને વહાણનું શઢ રાજકીય દિશામાં ફેરવતા કોંગ્રેસની કંઠી બાંધી લીધી

પાટીદારો માટે અનામતની માગ સાથે શરૂ થયેલું પાસનું પાટીદાર આંદોલન ત્યારે જ હળવું થઇ ગયું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત પાટીદારોને નહીં બલ્કે તમામ ઉજળીયાત વર્ગના આર્થિક રીતે પછાત પરિવારોના ઉમેદવારોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી અને એ પછી લોકસભા, રાજ્યસભામાં તાબડતોડ ઠરાવો કરાવીને તેનો અમલ ચૂંટણી પહેલા શરૂ કરાવી દીધો. આ ડેવલપમેન્ટ પછી પાટીદાર અનામત આંદોલન પાસે કોઇ નક્કર મુદ્દો લડવા માટે રહ્યો નથી, અને હવે ગુજરાતમાં ફક્ત પાટીદારોને અનામત મળે તેવી કોઇ શક્યતા પણ રહી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા હાર્દિક પટેલએ પોતાની નાની ઉંમર અને ભવિષ્યને જોતા રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવાના ઇરાદે કોંગ્રેસની કંઠી બાંધી લીધી.

હાર્દિકને પાટીદાર સમાજના ગદ્દાર ચિતરતા પોસ્ટર પહેલા સુરત લાગ્યા, બાદમાં સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં લાગવા માંડ્યા

અનેક પાટીદાર નેતાઓ, પાસના કાર્યકર્તાઓને હાર્દિકનું આ પગલું ગમ્યું નહીં, પણ પાસમાં ફાટફૂટ ન પડે તે માટે પહેલા કોઇ કશું બોલ્યું નહીં. પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં મળેલી પાસની મિટીંગમાં તોફાન થયા પછી હવે હાર્દિક પટેલ વિરુદ્ધ પહેલા સુરતમાં, બાદમાં સૌરાષ્ટ્રમાં અને હોળીના દિવસથી અમદાવાદમાં પણ પોસ્ટરો લાગવા માંડ્યા છે. હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર દર્શાવતા એક સરખા બેનરો સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, જામનગરમાં લાગી રહ્યા છે. ભાજપા માટે આ એક ગેઇનિંગ સબ્જેક્ટ છે. પાટીદારો અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને અલ્પેશ ગબ્બર એક હતા, તેમાં પણ હવે ઉગ્ર મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. લાલજી પણ હાર્દિક વિરુદ્ધ ખુલ્લંખુલ્લા મોરચો માંડી ચૂક્યા છે, આમ એક સમયે ગુજરાતનું જનજીવન ખોરવી નાંખનાર શક્તિશાળી પાટીદાર આંદોલન અને પાસનું સંગઠન વેરણછેરણની સ્થિતિમાં આવી ચૂક્યું છે.

હાર્દિકનો બળાપો, ભાજપના આશીર્વાદથી વિરોધ થઇ રહ્યો છે

છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલનો વિરોધ ખુદ પાટીદારો કરી રહ્યા છે, જામનગરમાં જ્યાંથી હાર્દિક પટેલએ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયો, એથી વિશેષ સુરતમાં પાટીદાર સમાજનો ગદ્દાર ચિતરતા પોસ્ટર લાગ્યા, આ સિલસિલો જે રીતે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહયો છે એ માટે હાર્દિક પટેલ જાહેરમાં એવો બળાપો કાઢી રહ્યો છે કે ભાજપા નેતાઓ આવું કરાવી રહ્યા છે. આ એક પોલિટીકલ સ્ટેટમેન્ટથી વિશેષ કંઇ ગણાતું નથી. હાર્દિક જ્યારે શક્તિશાળી પાટીદાર આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે પણ ઇમ્મેચ્યોર હતો અને આજે પણ ઇમ્મેચ્યોર જ જણાય છે. એ સમયે છાશવારે એવા નિવેદનો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બન્ને સરખા છે, આજીવન ક્યારેય કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ, એ જ હાર્દિકે  કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે, હવે એ પોતાના વિરોધ માટે ભાજપાના નેતાઓને જવાબદાર ગણાવી રહ્યો છે, એ પણ નાદાનીથી વિશેષ કશું નથી. રાજકારણની ગેમમાં કદાચ હાર્દિક નબળો પડીને ધીમે ધીમે અસરકારકતા ગુમાવી દેશે.

( પાસના બે દિગ્ગજ નેતાઓમાં શરૂ થઇ છે ફાઇટ)

સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ હાર્દિક પટેલને આંધળું સમર્થન આપીને મોટો બનાવ્યો એ જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકરો હવે હાર્દિક પટેલનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પૂરું હવે અલ્પેશ કથિરીયાના સમર્થકોની પણ દુશ્મનાવટ વ્હોરી લઇને હાર્દિકે તેની સામે એવું જોખમ ઉભું કર્યું કે જેનાથી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ઘટી રહી છે. પાટીદારો હવે એવું માનવા માંડ્યા છે કે હાર્દિક પટેલ સમાજના નામે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે.

બીજી તરફ અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલા પોલીસ કેસ તેમજ તેની વર્તણૂકને લીધે બુધ્ધિજીવ પાટીદારો હવે પાસ કે આંદોલનથી કિનારો પકડી રહ્યા છે. અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલી લિગલ પ્રોસિડીંગ્સને કારણે પાટીદાર આંદોલન કે પાસ પાસે હવે કોઇ એવો સક્રીય નેતા રહ્યા નથી કે જે આ સંગઠનને નવી દિશા આપીને જાળવી શકે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે પડેલા ડખાં સમગ્ર સંગઠનને જ ફિનિશ કરવા તરફ દોરી જઇ રહ્યા છે.

March 20, 2019
whatsapp_logo.png
1min10260

વિશ્વમાં સૌથી વધુ યુઝ થઈ રહેલા મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચરમાં યુઝર્સ ફોન સ્ટોરેજમાંથી ડિલીટ કરેલા મીડિયા ફાઈલ્સને રી-ડાઉનલોડ કરી શકશે. વોટ્સએપના રિપોર્ટ મુજબ આ સેવા હાલ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નવા અપડેટ સાથે જ તેનો યુઝ કરી શકાશે.

‌નવા ફીચર અંતર્ગત જો તમે વોટ્સએપ ફોલ્ડરમાંથી કોઈ ઈમેજ, વીડિયો, વોઈસ મેસેજ તેમજ અન્ય મીડિયા ફાઈલ ડિલીટ કરી નાંખી હશે તો હવે તેને પરત મેળવવું સરળ બનશે. યુઝર્સ ત્રણ મહિના જૂની ફાઈલ્સ પણ વોટ્સએપ સર્વર પરથી ડાઉનલોડ કરી શકશે. જો કે આ સેવા મીડિયા ફાઈલ્સ પરુતી જ સિમિત રહેશે ટેક્સ્ટને તમે ડાઉનલોડ કરી શકશો નહીં.

અત્યાર સુધી જ્યારે રિસીવર કોઈ ફાઈલ ડાઉનલોડ કરી લેતો હતો તો તેને સર્વર પરથી હટાવી દેવાતી હતી, પરંતુ હવે વોટ્સએપ ત્રણ મહિના સુધી સર્વર પર રાખશે. જેથી યુઝર્સ ત્રણ માસ જૂની ઈમેજ, વીડિયો, વોઈસ મેસેજ અથવા અન્ય ફાઈલ્સને રી-ડાઉનલોડ કરી શકશે. જો કે આ ફાઈલ્સ મોકલનારે તેને ડિલીટ ના કરી હોય તો જ તે પરત ડાઉનલોડ કરી શકાશે.

March 20, 2019
ipl-2019-min-1024x585.jpg
1min8740

IPL ના 2 ટાઇટલ જીતનાર આ ટીમમાં એક પણ ગુજરાતી ક્રિકેટર નથી

આ ટીમ બીજી કોઈ નથી શાહરુખ ખાન ફ્રેચાઈઝીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. આ વર્ષે આ ટીમમાં એક પણ ગુજરાતી ક્રિકેટરને કોલકત્તાની ટીમમાં સ્થાન મળ્યું નથી. આ પહેલા શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સમાં ગુજરાતી ક્રિકેટર તરીકે યુસુફ પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે યુસુફ પઠાણને રિટેન ન કરાતા હૈદરાબાદ દ્વારા તેને ખરિદવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોલકત્તા ટીમે ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ બે આઇપીએલના ટાઇટલ જીત્યા હતા.

IPL 2019: એક એવી ટીમ જેમાં એક પણ ગુજરાતી ક્રિકેટર નથી
એક ટીમ જેમા નથી કોઈ ગુજરાતી પ્લેયર

IPL 2019 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પરંતુ આજે અમે તમને એક એવી વાતથી વાકેફ કરવા જઇ રહ્યા છીએ કે તમને જાણીને નવાઇ લાગશે. IPL માં ધમાલ મચાવનાર ખેલાડીઓની લિસ્ટમાં મોટા ભાગના ગુજરાતી ખેલાડીઓ છે. પરંતુ આ વખતે IPL માં એક એવી પણ ટીમ છે જેમાં એક પણ ગુજરાતી ખેલાડી નથી. તમે આ વાંચીને અજુગતું લાગ્યું ને, પણ આ વાત સાચી છે.

IPL માં અત્યાર સુધી આ ગુજરાતી ક્રિકેટર્સનું રહ્યું છે પ્રભુત્વ

ભારતીય ક્રિકેટ ટીમમાં અને આઇપીએલમાં પણ ગુજરાતી ક્રિકેટરોએ પ્રભુત્વ જમાવ્યું છે. બરોડાના પંડ્યા બ્રધર્સ, અમદાવાદનો જસપ્રિત બુમરાહ, પોરબંદરનો જયદેવ ઉનડકટ, રાજકોટનો રવિન્દ્ર જાડેજા સહીતના ખેલાડીઓએ અત્યાર સુધી તમામ આઇપીએલમાં ધમાલ મચાવી હતી. IPL 2019માં કુલ 10 ગુજરાતી ક્રિકેટરો રમી રહ્યા છે. પરંતુ IPLમાં આ વર્ષે એક ટીમ એવી પણ જેમાં એક પણ ગુજરાતી ક્રિકેટર નથી રમી રહ્યો.

 

March 20, 2019
nirav.jpeg
1min7200

યુ.કે.ના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે આપેલી માહિતી પ્રમાણે લંડનમાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી નિરવ મોદીની ધરપકડ થઈ છે અને તેના આજે એટલે કે તા.20મી માર્ચ 2019ના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેની જામીન અરજી ફગાવીને તા.29મી માર્ચ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો.

ભારતની પંજાબ નેશનલ બેંકમાંથી હજારો રૂપિયાનું ધિરાણ લઇને બાદમાં નાદારી નોંધાવીને વિદેશ ભાગી છૂટેલો નીરવ મોદી આખરે લંડનમાં આજે ઝડપાયો હતો.  નીરવ મોદીને તા.20મી માર્ચે બપોરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં નીરવ મોદી તરફે તેમના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ, ગણતરીની મિનીટોમાં તેની જામીન અરજી ફગાવાઈ હતી.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદી ને આગામી તા.29 માર્ચ સુધી જેલની સજા ફટકારી છે. વધુમાં આ કેસની વધુ સુનવણી એ જ દિવસે એટલે કે તા.29 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ ભારતમાં તેના પ્રત્યર્પણને લઈને આ મામલે સુનવણી કરશે. જજે કહ્યું કે એ વાતનો પર્યાપ્ત આધાર છે કે જો આરોપીને જામીન પર છોડવામાં આવ્યો તો આત્મસમર્પણ માટે રજૂ નહીં થાય. આ ઘટનાક્રમને નીરવ મોદીને પૂછપરછ માટે ભારત લાવવા અને દરેક આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે.

ભારતથી કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર શરૂ કર્યો હોવાની માહિતી બાદ ભારત સરકાર એલર્ટ થઇ હતી અને બાદમાં તેને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા સાંપડી છે અને તા.20મી માર્ચે સવારે જ નિરવ મોદીને લંડન ખાતેથી પકડવામાં આવ્યો હતો. એ પૂર્વે યૂકેના એક અખબાર Telegraphએ એક વીડિયો જાહેર કર્યો એ વીડિયોમાં ભારતમાં કૌભાંડ કરીને ભાગેલો 48 વર્ષીય નીરવ મોદી લંડનની રસ્તાઓ પર લુક બદલીને ફરી રહ્યો છે.

ભારતની પહેલ પર ઈંટરપોલે નીરવની સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. આટલું જ નહીં. આ વીડિયોમાં નીરવ મોદીએ લંડનમાં હીરાનો કારોબાર શરૂ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

neerav modi london

એ વીડિયોમાં નીરવ મોદી જાડીયો થઇ ગયો હોવાનું જણાય આવે છે અને તેણે આસાનીથી ન ઓળખી શકાય એ પ્રકારનો લુક પણ ધારણ કરી લીધો છે. નિરવ મોદીએ મૂંછો મોટી કરી લીધી છે અને દાઢી પણ વધારી છે.

અંગ્રેજી અખબારે નીરવ મોદીના એક નવા આલિશાન ઘરનો પણ ખુલાસો કર્યો છે. મોદીના આ ત્રણ બેડરૂમ વાળા ઘરની કિંમત 73 કરોડ જણાવવામાં આવી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદીએ પોતાના વ્યવસાયને મે 2018માં પોતાના ઘરથી જ ચાલુ કર્યું.

નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી છે અને ફરાર ચાલી રહ્યો છે. ભારતીય તપાસ એજન્સીઓએ નીરવ મોદીની સામે રેડ કૉર્નર નોટિસ પણ જાહેર કરી છે. ઈડીએ 15 ફેબ્રુઆરી, 2018ના PMLAના પ્રાવધાનો અંતર્ગત નીરવ મોદી અને અન્ય લોકો સામે મની લૉન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો હતો. કથિત રૂપથી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ પંજાબ નેશનલ બેંકના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને બેંક સાથે છેતરપિંડી કરી.

March 20, 2019
khaman.jpg
1min12630

જયેશ બ્રહ્મભટ્ટ

સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-ચણાં ખાવાનો મહિમા છે. ધાણી-ચણા ખાવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કાર્ય કરે છે. પરંતુ, સ્વાદના શોખીન સુરતીઓ ધાણી ચણા તો હોળી ધૂળેટીએ આરોગે છે પરંતુ, સુરતની ફૂડ ફેન્ટસીમાં સૌથી ટોપ પર જે વાનગી આવે છે અને જેને સુરતીઓએ જ શોધી છે એ ખમણ આરોગવાના અગાઉના તમામ રેકોર્ડ ધૂળેટી 2019 તોડી નાંખે તેમ છે.

  • ધૂળેટી 2018ના દિવસે સવારે શહેરના મોટા ભાગની દુકાનોમાં કાચા ખમણની શોર્ટેજ વર્તાઇ હતી
  • વ્હોલસેલ ખમણ ઉત્પાદકો પાસે 2-2 હજાર કિલોના કાચા ખમણના ઓર્ડર
  • ધૂળેટીનો ખમણનો ઓર્ડર પૂરો કરવા હોળીની પ્રગટાવાની સાથે જ ખમણનું પ્રોડકશન શરૂ કરી દેવાશે

સુરતમાં શહેરમાં મોટા ગણી શકાય તેવા 9 ખમણ ઉત્પાદકો છે જે નાના ફરસાણના વેપારીઓને રોજેરોજ કાચા ખમણ સપ્લાય કરે છે. આવા ઉત્પાદકો પૈકીના એક હરેશભાઇ પટેલ કહે છે કે તેમની પાસે ફક્ત ધૂળેટીએ સવારે 9 વાગ્યા સુધીમાં સપ્લાય કરવા માટે 2000 કિલોથી વધારેનો કાચા ખમણનો ઓર્ડર છે અને હજુ ઓર્ડર આવી રહ્યા છે. તેઓ કહે છે કે સુરતીઓ ધૂળેટી રમ્યા પછી ગ્રુપ્સમાં નાસ્તો કરવા માટે મોટા ભાગે કાચા ખમણ, તેલ અને કાચી ડૂંગળી પસંદ કરતા હોય છે. આ સુરતીઓનો ફેવટીટ નાસ્તો હોય છે અને ગયા વર્ષે 2018માં જે પ્રકારે કાચા ખમણની શોર્ટેજ પડી હતી એ અનુભવને જોતા શહેરના નાના રિટેઇલ ફરસાણ ગૃહોએ ગયા વર્ષથી 25 ટકા વધુ માત્રામાં કાચા ખમણ ઓર્ડર કર્યા છે.

એવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં મોટા ખમણ સપ્લાયર તરીકે જાણીતા વ્યાપારીએ જણાવ્યું કે સુરતમાં કોઇપણ તહેવાર હોય એટલે રુટીન કરતા વધારે જથ્થામાં કાચા ખમણનો ઉપાડ રહે છે, આ વખતે પણ તા.21મી માર્ચ 2019ને ધૂળેટીનો પર્વ હોઇ એડવાન્સ્ડ ઓર્ડર રૂટીન દિવસો ખાસ કરીને રવિવાર કરતા પણ 30 ટકા વધારે માત્રામાં એડવાન્સ્ડ ઓર્ડર મળ્યા છે. આમ, આ વખતે ધૂળેટીમાં જેટલા ધાણી ચણા નહીં ખવાય તેના કરતા અનેક ઘણી વધુ માત્રામાં કાચા ખમણ સુરતમાં ખવાશે.

ખમણ છે સૌની પસંદ

સુરતમાં અબાલવૃદ્ધો સૌની જો કોઇ એક કોમન પસંદની વાનગી હોય તો એ છે ખમણ. સુરત સિવાય આખા ગુજરાતમાં મોટા ભાગે આંશિક ગળ્યા લાગે તેવા ખમણ મળે છે. વડોદરાથી ઉપર ઉત્તર ગુજરાત તરફ જઇએ તો મોટા ભાગે નાયલોન ખમણ મળે એ સિવાય ખમણ કરતા વધારે વણાયેલા ગાંઠીયા ખવાય. પણ સુરતના ખમણની વાત જ નિરાલી છે. અહીં 5-6 મહિનાના બાળકને પણ ખમણનો ટેસ્ટ કરાવે એ સુરતી કહેવાય. બાળકોથી લઇને મોટેરાઓ અને સિનિયર સિટીઝન સુધી બધાને સુરતી ખમણનો ચટાકો હોય જ. એવા કોઇ ભાગ્યે જ મળી આવે જેને ખમણ પ્રત્યે સુગ હોય. સુરતીઓ માટે ક્યારેય ખમણ જૂની વાનગી થઇ નથી. જે લોકોને એકલા કે કાચા ખમણ નથી ભાવતા તેઓ હવે રસાવાળા ખમણ ખાય રહ્યા છે. જેમને ટૂકડામાં ખમણ નથી ભાવતા તેઓ લોચો ભરપૂર ઝાપટી જાય છે. આમ, સુરતીઓ માટે ખમણ એ એવી વાનગી છે જે 24×7 હોટ ફેવરીટ બની રહે છે.

  • સુરતીઓની ફેસ્ટીવલમાં ફૂડ ફેન્ટસી

  • ચંદી પડવાએ ઘારી

  • ઉતરાયણમાં જલેબી અને ઉંધીયું

  • ક્રિસમસ પર પોંકવડા અને પોંક પાર્ટી

  • કેરી ગાળામાં સરસીયા ખાજા

  • ધૂળેટીમાં કાચા ખમણ અને કાંદો

  • દર રવિવારે લોચો

  • દશેરાએ જલેબી અને ફાફડા-પાપડી ગાંઠીયા

  • બેસતા વર્ષે વેજીટેરીયન ચોળીનું શાક ખાય અને નોનવેજીટેરીયન પોમ્ફલેટ માછલી અવશ્ય ખાય જ

સ્વાદના શોખીન સુરતીઓની દરેક તહેવારને અનુલક્ષીને સ્પેશિફિક વાનગીઓ આરોગવાની એક પેટર્ન છે, જેમકે ચંદી પડવાએ ઘારી-ભૂસું-ભજીયા સાથે નોનવેજ ખાનારાઓ ચીકન અચૂક ખાય છે. ઉતરાયણના પર્વે ઉંધીયું અને જલેબી વગર સુરતીઓ પતંગના પેચ કાપી શક્તા નથી. ક્રિસમસ પર્વે પોંક પાર્ટી કે પોંકવડા વગર સુરતીઓને ક્રિસમસને કેક હજમ જ ન થાય. કેરીના રસની સીઝનમાં સરસીયા ખાજા સાથેની જયાફત ન માણે તે સુરતી નહીં. એવી જ રીતે દશેરાએ જલેબી ફાફડા નહીં ખાય તો સુરતીઓના તહેવારની રોનક સાવ ફિક્કી લાગે.

March 20, 2019
masood_mumbai11.jpg
1min20170

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 20, 2019
ramjan_shaikh.jpg
1min5250

પોતાના કુટુંબને બચાવવા ત્રાસવાદીઓ સામે ઝઝૂમનાર 16 વર્ષના રમજાન શેખ નામના કાશ્મીરી કિશોરને અપવાદ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તા.19મી માર્ચ 2019ના દિવસે શૌર્યચક્ર આપ્યું હતું. શૌર્ય ચક્ર સામાન્ય રીતે દુશ્મન સામે અસાધારણ બહાદુરી બતાવનાર સશસ્ત્ર સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને આપવામાં આવે છે.

16-17 ડિસેમ્બર, 2017ની રાતે ત્રણ ત્રાસવાદીઓ શોપિંયા જિલ્લામાં રહેતા રમજાનના ઘરને ઘેરીને ઊભા હતા. એના પિતા મોહમ્મદ રમજાન ભૂતપૂર્વ સરપંચ અને પીડીપીના સભ્ય હતા.

એ રાતે દરવાજો ખોલતા શેખને શસ્ત્ર અને ગ્રેનેડ સહિત ત્રણ ત્રાસવાદી વરંડામાં ઊભેલા દેખાયા. ત્રાસવાદીઓ પોતાના કુટુંબીઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાના અંદાજે શેખે અસાધારણ બહાદુરી દાખવતા એમને ઘરમાં ઘૂસતા રોક્યા હતા. દરમિયાન, એના પિતા ઘરની બહાર આવ્યા અને ત્રાસવાદીઓ એમના પર તૂટી પડયા. શેખે પોતાની પરવા કર્યા વગર ત્રાસવાદીઓનો સામનો કરવા માંડયો.

દરમિયાન, ત્રાસવાદીઓએ શેખના પિતા પર આડેધડ ગોળીબાર કરવો શરૂ કર્યો હતો અને એમાંથી અમુક ગોળીઓ એની સાથે બાખડી રહેલા એક ત્રાસવાદીને પણ વાગી હતી. પોતાના એક સાથીને ઘાયલ થયેલો જાણી ત્રાસવાદીઓ ભાગવા માંડયા હતા. શેખે એમનો પીછો કર્યો અને આખરે ત્રાસવાદીઓ પોતાના સાથીનો મૃતદેહ મૂકીને ભાગી ગયા હતા.

ગોળીબારમાં એના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાછળથી તેઓ મરણ પામ્યા હતા. શેખે દાખવેલી પોતાની વય કરતા વધુ અપ્રતિમ બહાદૂરી વખાણવાલાયક છે. એ હાલ દસમા ધોરણમાં ભણે છે અને એની ઇચ્છા આઇપીએસ અધિકારી બનવાની છે.