CIA ALERT

Alert Archives - Page 39 of 509 - CIA Live

February 27, 2025
SS_Logo_Red-1280x986.png
1min1413

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે ગુરુવાર તા.27મી ફેબ્રુઆરી 2025થી શરૂ થયેલી ગુજરાત બોર્ડની રાજ્યવ્યાપી પરીક્ષાઓ પૈકી બપોરેના સેશનમાં ધો.12 સાયન્સમાં લેવાયેલી ફિઝિક્સન પરીક્ષાના પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં સ્પષ્ટીકરણના અભાવે અનેક વિદ્યાર્થીઓ ગૂંચવાયા હતા. મળતી માહિતી મુજબ ધો.12 સાયન્સના ફિઝિક્સના પ્રશ્નપત્રની પેટર્ન જ બદલી કાઢવામાં આવી છે અને તેની કોઇ જાણકારી વિદ્યાર્થીઓ કે સ્કુલોના શિક્ષકોને આપવામાં આવી ન હતી. જેમકે અત્યાર સુધી દ્રષ્ટીહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હતા પરંતુ, આ વખતે પ્રશ્નપત્રમાં દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટેના સવાલો એવી રીતે પૂછવામાં આવ્યા કે પ્રાથમિક દ્રષ્ટીએ સામાન્ય વિદ્યાર્થી શું કોઇ પણ વિદ્યાર્થી મૂઝાય જાય કે સવાલ કયો એટેન્ડ કરવો. બે સવાલોની વચ્ચે એવી સૂચના લખવામાં આવી છે કે બ્લાઇન્ડ (દ્રષ્ટીહીન) વિદ્યાર્થી માટેના સવાલ. આવી સૂચના સાથે જ્યાં જ્યાં સવાલો પૂછવામાં આવ્યા ત્યાં ત્યાં વિદ્યાર્થીઓ મૂઝાયા કે સૂચનાની ઉપરનો સવાલ સામાન્ય વિદ્યાર્થીને માટે છે કે સૂચનાની નીચેનો સવાલ સામાન્ય વિદ્યાર્થી માટે છે.

આ પ્રકારનો ગૂંચવાડો થાય તેવા ફિઝિક્સના પેપરમાં કૂલ 24 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.જેને કારણે આગામી દિવસોમાં મુદ્દા પર ભારે હોબાળો મચી જાય તેમ છે. જાણકારોનું કહેવું છે કે દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે અત્યાર સુધી સવાલો અલગથી જ પૂછવામાં આવતા હતા પરંતુ, આ વખતે બોર્ડે પેપર સ્ટાઇલ બદલી કાઢી છે અને તે અંગે આગોતરી જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવી નથી, જેથી સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય જાય.

સુરતના રાંદેર ખાતે આવેલી પીપરડીવાલા સ્કુલમાં આ પ્રકારના ગૂંચવાડામાં વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને પૂછતાં સુપરવાઇઝરે પહેલા એવું કહી દીધું કે બેમાંથી જે આવડે તે લખવાનો છે. આથી વિદ્યાર્થીઓએ જે સવાલ આવડ્યો એ લખી દીધો, પાછળથી ખબર પડી કે ચોક્કસ સવાલ જ સામાન્ય વિદ્યાર્થી માટે છે જ્યારે અન્ય સવાલ દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે છે. ત્યારે અનેક સામાન્ય વિદ્યાર્થીઓને પરસેવો વળી ગયો કેમકે ત્યાં સુધીમાં સામાન્ય વિદ્યાર્થીઓ દ્રષ્ટીહીન વિદ્યાર્થી માટે પૂછાયેલા સવાલનો જવાબ લખી ચૂક્યા હતા.

આ પ્રકારનો ગૂંચવાડો સુરતની અન્ય સ્કુલોમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ જરૂર થયો હશે અને રાજ્યમાં પણ આવું થયું હશે. જાણકારો તો ત્યાં સુધી જણાવે છે કે પરીક્ષણ કાર્ય કરનારા પરીક્ષકો પણ આ મુદ્દે ગૂંચવાશે તે અલગ. ગુજરાત બોર્ડ દ્વારા આ સંવેદનશીલ મુદ્દા પર આગામી દિવસોમાં સ્પષ્ટીકરણ જાહેર કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
જાણકારોએ એમ પણ જણાવ્યું કે દ્રષ્ટીહીન વિદ્યાર્થીઓ આકૃતિ દોરી શકે તેમ ન હોઇ, તેમના માટે થિયરી બેઝ સવાલો હતા અને સામાન્ય વિદ્યાર્થીઓ આકૃતિ દોરી શકે એટલે તેમના માટે આકૃતિ બેઝ સવાલો હતા. પરંતુ, આ પ્રકારની સમજણ વિદ્યાર્થીઓને આગોતરી આપવી જરૂરી હતી.

February 26, 2025
sumul-vnsgu-1280x854.jpeg
1min328

આજ રોજ તારીખ: 26.02.2025 ને બુધવાર ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ ખાતે “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” નું ઉદ્ઘાટન ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ “અમુલ બફેલો મિલ્ક” ના ૧ લિટર અને ૬ લિટર પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, સુમુલ ડેરીના BOD જયેશભાઇ દેલાડ, VNSGU કુલપતિ કિશોરસિંહ ચાવડા, VNSGU કુલસચિવ રમેશદાન ગઢવી, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત, તેમજ સુમુલ ડેરી અને VNSGU ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

“સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” શરૂ કરવામાં આવેલ છે, જેમા અમુલ-સુમુલના વિવિધ પ્રોડક્ટસ જેવા કે ડેરી પ્રોડક્ટસ, બેકરી પ્રોડક્ટસ, ખાખરા, ચોકલેટ્સ, ફ્રોઝન સ્નેક્સ તેમજ ફૂડ અને બેવરેજીસની વાઈડ રેન્જ ઉપલબ્ધ રહેશે. જેમ કે સેન્ડવીચીસ, પીઝા, મિલ્ક શેક, ચા-કોફી બનાવવામાં આવશે.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કર્મચારીઓ, તેમજ યુનિર્વિસટીના વિઝિટ માટે આવતા વિઝિટર્સ, વાલીઓને હેલ્ધી અને શુદ્ધ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ મળી રહે તે હેતુથી “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” ચાલુ કરવામાં આવ્યું છે.

વધુમાં સુરતના માનવંતા ગ્રાહકોને વધુ ફેટ વાળું દૂધ મળી રહે એ હેતુથી સુમુલ ડેરી દ્વારા “અમુલ બફેલો મિલ્ક” (FAT 6.5%)” નું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે પ્રતિ લિટર રૂ. 71.00 થી માર્કેટમાં ઉપ્લબ્ધ રહેશે.

February 26, 2025
SS_Logo_Red-1280x986.png
2min423

CBSE સેન્ટ્રલ બોર્ડે નેશનલ એજ્યુકેશન પોલિસીનો હવાલો આપીને આગામી 2026થી અમલમાં આવે એ રીતે ધો.10 એસ.એસ.સી.માં બે વખત વાર્ષિક પરીક્ષા લેવા અંગેનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. એવું જણાય રહ્યું છે કે આ પ્રકારે બે પરીક્ષા લેવાનો નિર્ણય લાંબુ વિચાર્યા વગર જાહેર કરાયો છે. સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના શિક્ષકોનો વિચાર કર્યા વગર આડેધડ રીતે કરાયેલી જાહેરાતનો વિરોધ આગામી દિવસોમાં દેશભરમાં જોવા મળે તો નવાઇ નહીં. CBSEની આગામી વર્ષની પરીક્ષાનું શિડ્યુલ જોતા એવું જણાય છે કે શિક્ષકોએ ચાર જ મહિનાના સમયગાળામાં બબ્બે વખત પરીક્ષા લેવી પડશે અને બબ્બે વખત ઉત્તરવહીઓ તપાસીને તેના પરીણામ તૈયાર કરીને CBSEની વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. CBSEની હાલમાં 2025માં ચાલી રહેલી પરીક્ષા અને આગામી વર્ષ 2026ની પરીક્ષાના કેટલાક સ્ટેટેસ્ટીક્સન પર નજર કરીએ તો સમજાશે.

2025માં હાલમાં ચાલી રહેલી CBSEની પરીક્ષાના સ્ટેટ્સ

2026માં લેવાનારી CBSEની પ્રપોઝ્ડ પરીક્ષાના સ્ટેટ્સ

2025ની પરીક્ષામાં સેન્ટ્રલ બોર્ડના શિક્ષકોએ ધો.10ની કુલ 1.56 કરોડ ઉત્તરવહીઓની ચકાસણી કરવી પડશે. 2026માં એ વધીને લગભગ 1.73 કરોડ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવું પડશે. વધારાનો આ વર્કલોડ જેટલો જ અન્ય વર્કલોડ પરીક્ષા લેવામાં વધશે. 2026માં 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન સેન્ટ્રલ બોર્ડની ધો.10ની ફેઝ-1ની પરીક્ષા લેવાશે જ્યારે 5 મેથી 20 મે દરમિયાન ફેઝ-2ની પરીક્ષા લેવાશે. આમ પરીક્ષા લેવાથી લઇને ઉત્તરવહીઓની ચકાસણી, પરીણામ તૈયાર કરવાથી લઇને સબમિશન સુધીની કામગીરી સીધી ડબલ થઇ જશે.

CBSE ધો.10માં 2026થી આ મુજબ રહેશે વિષય માળખું

CBSE ધો.10ની પરીક્ષા બે વખત લેશે પણ રીઝલ્ટ એક જ જાહેર કરશે

સેન્ટ્રલ બોર્ડ દ્વારા બે વખત પરીક્ષા લેવાની જાહેરાત કરી છે અને તેનો ડ્રાફ્ટ પણ જાહેર કરી દીધો છે. આ ડ્રાફ્ટનો અભ્યાસ કર્યા પછી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે ફેબ્રુઆરી અને મે માસમાં પરીક્ષા લેવાશે પરંતુ, પહેલી પરીક્ષા એટલે કે ફેબ્રુઆરી ફેઝ-1ની પરીક્ષાનું પરીણામ જાહેર કરશે નહીં. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે તેમને સ્કુલ મારફતે જાણ કરવામાં આવશે કે તેમણે નીડ ઇમ્પ્રુવમેન્ટ તરીકે ફેઝ-2ની પરીક્ષા આપવાની રહેશે. CBSE ધો.10નું પરીણામ ફેઝ-2ની મેમાં યોજાનારી પરીક્ષા પછી જ જાહેર કરશે.

February 26, 2025
shiva-mahadev.jpg
1min263

મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવસ છે. પવિત્ર શ્રાવણ માસ પછી મહાશિવરાત્રી પર્વમાં ભગવાન શિવના ભક્તો દ્વારા વિવિધ પ્રકારની પુજા તેમજ અભિષેક કરવામાં આવતાં હોય છે. ત્યારે 26/2/25ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે.આ દિવસે ગાંધીનગરના શિવાલયો ઓમ નમઃ શિવાય…અને હર..હર..મહાદેવ..ના નાદથી ગુંજી ઉઠશે.

મહાકુંભનું સમાપન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં બુધવારે મહાશિવરાત્રીના રોજ અંતિમ પવિત્ર સ્નાન કરવામાં આવશે, જે સાથે જ આ મહાકુંભનું સમાપન થશે. લાખો લોકો હાલ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જે લોકો પહોંચી ગયા છે તેમણે મંગળવારની રાત્રે 12 વાગ્યા બાદ સ્નાનનો લાભ લઇ લીધો હતો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજને નો-વિહિકલ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને પગલે કોઇ વાહનને મેળાના વિસ્તારમાં પ્રવેશવા નહીં દેવાય. બહાર જ તેને પાર્ક કરી દેવા પડશે. આ નિર્ણય મહાકુંભના સમાપન સુધી લાગુ રહેશે. અંતિમ દિવસ પૂર્વે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે મહાકુંભમાં ડુબકી લગાવનારાની કુલ સંખ્યા ૬૫ કરોડને પાર પહોંચી ગઇ છે.

મંગળવારે મહાકુંભનો 4મો દિવસ હતો, જ્યારે અંતિમ અને ૪૫માં દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રીની પુજા કરશે. અંતિમ શાહી સ્નાનની પૂર્વ તૈયારીના ભાગરુપે સમગ્ર પ્રશાસન એલર્ટ થઇ ગયું છે, જવાબદારી સંભાળનારા અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી યોગીના આદેશ પર બોલાવાયેલી બેઠકમાં ડીઆઇજી, કમિશનર, કલેક્ટર સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રશાસને 48 કલાકમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અગાઉ મૌની અમાસે નાસભાગમાં ૩૦ લોકો માર્યા ગયા હતા તેવી કોઇ ઘટના ફરી ના થાય તેની તકેદારી માટે આ ઇમર્જન્સી બેઠક બોલાવાઇ હતી. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂમ શરૂ કરાયો છે.

અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોએ જવાની છૂટ અપાશે, મહાકુંભની શરૂઆત થઇ ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવુ અનુમાન લગાવ્યું હતું, જોકે આ આંકડો 11 ફેબુ્રઆરીએ જ પાર પહોંચી ગયો હતો. હાલ આંકડો 65કરોડે પહોંચ્યો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાશીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે જ્યારે પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે, તેથી હવે ૧૨ વર્ષ બાદ આ મહાકુંભ યોજાશે તેને ધ્યાનમાં રાખીને હાલ અંતિમ દિવસે પણ સ્નાન કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ ત્રિવેણી સંગમ પર નોન-સ્ટોપ સ્નાન કરાઇ રહ્યું છે. હાલ સંગમમાં ઘાટ પર પગ મુકવાની પણ જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા પહોંચી ગયા છે. વૃદ્ધોથી લઇને યુવા વયના, મહિલાઓથી લઇને પુરુષો, શહેરી નાગરિકોથી લઇને ગ્રામીણ વિસ્તારના લોકો એક થઇને સ્નાન કરી રહ્યા છે.

મહાકુંભમાં સાફ સફાઇ માટે ૧૫ હજાર સેનિટેશન વર્કર્સ તૈનાત કરાયા હતા, એક જ સ્થળે એક સાથે 15 હજાર લોકો દ્વારા સાફસફાઇ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે જેની ગિનિસ વર્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી શકે છે અને પરીણામ ૨૭મી ફેબુ્રઆરીએ જાહેર કરાશે. ગિનિસ સાથે જોડાયેલા રિશિ નાથે કહ્યું હતું કે અમે ભાગ લેનારા તમામ વર્કર્સને કાંડે એક પટ્ટી બાંધી હતી, જેમાં યુનિક ક્યૂઆર કોડ પણ છે. તેમની કામગીરીની અમે નોંધ લીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મક્કા મદિના હજ માટે દર વર્ષે 1.4 કરોડ લોકો જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો જાય છે. જ્યારે બીજી તરફ માત્ર અયોધ્યામાં જ ૫૨ દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરાયું. મહાકુંભમાં પહોંચનારાઓનો આંકડો તો કરોડોમાં છે જ સાથે અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ પહોંચીને અનોખો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

February 21, 2025
SS_Logo_Red-1280x986.png
1min368

સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહમાં આપેલા એક ચુકાદા મુજબ વિદેશમાં મેડીકલ એમબીબીએસમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશી મેડીકલ કોલેજો, યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે લાયક બનવા માટે ભારતમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી NEET UG પરીક્ષા પ્રવેશના જે તે વર્ષે ક્વોલિફાય કરેલી હોવી ફરજિયાત છે.

સુપ્રીમ કોર્ટે બુધવાર તા.19મી ફેબ્રુઆરીના રોજ થયેલા હીયરીંગમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમનને સમર્થન આપ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ માટે વિદેશી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો કરવા માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) યુજીમાં ક્વોલિફાય થવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
2018 માં તત્કાલિકન મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કરેલું આ પ્રકારનું નિયમન ખાતરી કરે છે કે વિદેશમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં મેડિસિનની પ્રેક્ટિસ કરવા માટે જરૂરી ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવાયું હતું કે વિદેશમાં આવેલી મેડીકલ કોલેજો કે યુનિવર્સિટીઓમાં એમબીબીએસમાં પ્રવેશ પૂર્વે ભારતની નીટ યુજી પરીક્ષામાં ક્વોલિફાય થવું ફરજિયાત હોવાનું આ નિયમન વાજબી, પારદર્શક છે અને કોઈપણ કાયદાકીય જોગવાઈઓ સાથે વિરોધાભાસી નથી. NEET UG માટે લાયક બનવાની જરૂરિયાત ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ, 1997 માં નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા ઉપરાંત છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બી.આર. ગવઈ અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે અરજીની સુનાવણી કરી હતી.

અરજદારોએ નિયમનને પડકાર્યો હતો, દલીલ કરી હતી કે તે ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956 માં સુધારો કર્યા વિના રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, કોર્ટે ઠરાવ્યું હતું કે મેડિકલ કાઉન્સિલને કાયદાની કલમ 33 હેઠળ નિયમન રજૂ કરવાની સત્તા છે.
“અમને નિયમોમાં દખલ કરવાનું કોઈ કારણ મળતું નથી,” બેન્ચે કહ્યું. સુપ્રીમ કોર્ટે એક વખતના પગલા તરીકે મુક્તિ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

“દેખીતી રીતે સુધારેલા નિયમો અમલમાં આવ્યા પછી જો કોઈ ઉમેદવાર પ્રાથમિક તબીબી લાયકાત તરફ દોરી જતા અભ્યાસક્રમ માટે વિદેશી સંસ્થામાં પ્રવેશ મેળવવાનું પસંદ કરે છે, તો તેઓ નિયમોમાંથી મુક્તિ માંગી શકતા નથી; જે દેશમાં મેડીકલની પ્રેક્ટિસ કરવા માટે આવશ્યક પાત્રતા માપદંડો નક્કી કરે છે. આ ભારતની બહાર ક્યાંય પણ પ્રેક્ટિસ કરવાના તેમના અધિકારને પ્રતિબંધિત કરતું નથી,” બેન્ચે કહ્યું.

આ ચુકાદો સૂચવે છે કે વિદેશમાં મેડીકલનો અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ હવે વિદેશી તબીબી સંસ્થાઓમાં પ્રવેશ માટે લાયક બનવા માટે NEET UG લાયક બનવું આવશ્યક છે.

February 20, 2025
gujarat-vidhansabha.jpg
2min313

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.

આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા

શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી

નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.

નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.

નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.

ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

February 20, 2025
Rekha-Gupta.png
1min309

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.

February 20, 2025
Mr.-Kirit-Bhansali-Chairman-GJEPC-1280x1920.jpg
11min456

Surat : Gem & Jewellery Export Promotion Council (GJEPC), the country’s apex nodal trade body, announced the appointment of Mr. Kirit Bhansali as Chairman; Mr. Shaunak Parikh as Vice Chairman and announced the constitution of new Committee of Administration (COA) after the completion of the COA Election 2024.

Mr. Kirit Bhansali, Chairman, GJEPC, said, “Our vision is to drive transformative growth for India’s gem and jewellery industry through strategic initiatives, innovative projects, and collaborative efforts. From advancing flagship projects like the India Jewellery Park in Mumbai and the Gem Bourse in Jaipur to expanding our global footprint with initiatives like Saudijex in Saudi Arabia and IJEX Dubai, we aim to position India as a global leader in technology, design, and manufacturing. Together, we will strive to achieve the ambitious export target of USD 100 billion by 2047, aligning with our Hon’ble Prime Minister’s vision of a Viksit Bharat.”

Bhansali further added, “We aim to sustain India’s global leadership, capitalize on domestic market potential, and advocate for favorable policies while continuing to support our artisans. To boost exports from the sector and support India’s economic growth, GJEPC has identified 17 key clusters based on their size, potential, and strategic location. By nurturing these clusters, we aim to develop them into thriving export hubs.”

Mr. Shaunak Parikh, Vice Chairman, GJEPC, said, “I sincerely thank all the industry members for entrusting me with this responsibility and giving me the opportunity to contribute to the growth and success of our remarkable gem and jewellery sector. This is a crucial time for the industry, and the challenges before us demand bold vision and decisive action. It is imperative to focus on category promotion across all verticals, infrastructure development, skill enhancement, and adopting global standards to ensure our industry remains competitive on the world stage. The Council will continue to collaborate closely with the government to shape policies that not only drive growth but also address the pressing concerns of our exporters in an ever-evolving global market.”

List of CoA Member(s) 2024

Sr. NoName of the Directors Designation
1Kirit BhansaliChairperson
2Shaunak ParikhVice-Chairperson
3Smt. Khushboo RanawatRegional Chairperson – Western Region
4Pankaj ParekhRegional Chairperson – Eastern Region
5Antar Pal SinghRegional Chairperson – Northern Region
6Jayantibhai N. SavaliyaRegional Chairperson – Gujarat Region
7Mahendra Kumar TayalRegional Chairperson – Southern Region
8Ajesh MehtaCoA Member
9Nirav BhansaliCoA Member
10Nilesh KothariCoA Member
11Anil ViraniCoA Member
12Pankaj ShahCoA Member
13Anil SankhwalCoA Member
14Smit PatelCoA Member
15Krishna Behari GoyalCoA Member
16Manish JiwaniCoA Member
17Anoop MehtaCoA Member
18Ashish BordaCoA Member
19Dwarka Prasad KhandelwalCoA Member
20K. SrinivasanCoA Member
21Mansukhlal KothariCoA Member
   
Govt. Nominee 
1Shri Siddharth Mahajan – Joint Secretary, Ministry of Commerce & Industry, Government of IndiaGovt. Nominee Director

 Profiles of Chairman and Vice Chairman

Mr. Kirit A. Bhansali, Chairman, GJPEC

Mr. Kirit A. Bhansali, is a well-known personality in the Indian diamond and jewellery industry. He is a partner in Smital Gems, a leading diamond manufacturing company based in Mumbai. With his extensive experience in the field, he has played a significant role in promoting and developing the Indian gem and jewellery industry. He is the Chairman of India Jewellery Park Mumbai (IJPM) and is a Committee Member of the Bharat Diamond Bourse (BDB). In the past he has also served as the chairman of the Indian Institute of Gems and Jewellery (IIGJ). Apart from his business activities, Mr. Bhansali is actively involved in various socio-political and educational initiatives. Through his leadership and vision, Mr. Bhansali has contributed significantly to the growth and development of the Indian diamond and jewellery industry.

Mr. Shaunak Jitendra Parikh, Vice Chairman, GJEPC

Mr. Shaunak Jitendra Parikh is 3rd generation entrepreneur and is one of the Directors of Mahendra Brothers Group of Companies who are into business of the manufacturing and marketing of diamonds and diamond jewellery. Mr. Parikh holds a degree ofBachelors of Commerce from University of Mumbai and has more than 30 years of experience in the industry. After successfully establishing manufacturing and marketing of diamond jewellery for over a decade, Mr. Parikh took charge of Group’s finances about 15 years back. He simultaneously completed an executive diploma in corporate finance from London Business School. A people’s man, and with a flair for creativity, he plays a vital role in running company’s overall business, group strategic planning & decision making, managing group finances and new business opportunities. Shaunak Parikh has previously held several key positions in GJEPC, including serving as the Convener of the Banking, Insurance, and Taxation Committee, as well as the Convener of International Exhibitions.

About The Gem and Jewellery Export Promotion Council (GJEPC)

The Gem & Jewellery Export Promotion Council (GJEPC), set up by the Ministry of Commerce, Government of India (GoI) in 1966, is one of several Export Promotion Councils (EPCs) launched by the Indian Government, to boost the country’s export thrust, when India’s post-Independence economy began making forays in the international markets. Since 1998, the GJEPC has been granted autonomous status. The GJEPC is the apex body of the gems &jewellery industry and today represents 10600+ members in the sector.  With headquarters in Mumbai, GJEPC has Regional Offices in New Delhi, Kolkata, Chennai, Surat and Jaipur, all of which are major centres for the industry. It thus has a wide reach and is able to have a closer interaction with members to serve them in a direct and more meaningful manner. Over the past decades, GJEPC has emerged as one of the most active EPCs and has continuously strived to both expand its reach and depth in its promotional activities as well as widen and increase services to its members.

February 18, 2025
bjp_vs_congress.jpg
1min353

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આઈ છે, જ્યારે  15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.  ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઇપણ ભોગે ન જોઇએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. 

February 17, 2025
earth-quake.png
2min230

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોરદાર ભૂકંપ પર પ્રતિક્રિયા આપી હતી.

સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાના આંચકા સવારે લગભગ ૫:૩૬ વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા.

એનસીએસે ઉમેર્યું હતું કે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનુભવાયેલો ભૂકંપ ૨૮.૫૯ ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો.

“દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતી રાખવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે કહ્યું.

રહેવાસીઓને સલામતીની સાવચેતી રાખવાનું કહેતા, વડા પ્રધાને તેમને “સંભવિત આફ્ટરશોક્સ માટે” સતર્ક રહેવા વિનંતી કરી. “અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.

આ જોરદાર આંચકાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશોમાં રહેતા લોકોને તેમના રહેણાંક સંકુલોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ X પર વાત કરી અને માહિતી આપી કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરી: “હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું”.

દિલ્હી પોલીસે પણ લોકોની સલામતીની તપાસ કરી, રહેવાસીઓને આ સમય દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં “112 ડાયલ” કરવા કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!”

નેટીઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને ભયંકર આંચકા અનુભવાયા, જે “તમને ઊંઘમાંથી ઉડાડી દે છે”. ઘણા લોકોએ કહ્યું કે ભૂકંપથી તેમના પલંગ હલી ગયા. લોકો આટલી તીવ્રતાવાળા 4 ના આંચકા પર આઘાત વ્યક્ત કરતા જોવા મળ્યા.

પ્રતિક્રિયાઓ આવવાનું ચાલુ રહ્યું, જેમાં એક યુઝરે પોસ્ટ કરી, “આ મારા જીવનમાં મેં અનુભવેલો સૌથી પાગલ ભૂકંપ છે,” અને બીજાએ કહ્યું “મારા જીવનની સૌથી ભયાનક થોડી મિનિટો.”

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. “બધું ધ્રુજી રહ્યું હતું,” એક વ્યક્તિએ કહ્યું. સ્ટેશન પર એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા કારણ કે ભૂકંપથી બધું ધ્રુજી ઉઠ્યું.

“તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી છે,” ટ્રેનની રાહ જોઈ રહેલા અન્ય એક મુસાફરે ANI ને જણાવ્યું.

ગયા મહિને, નેપાળમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે, કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી.