CIA ALERT

Alert Archives - Page 365 of 518 - CIA Live

May 22, 2019
guj.jpg
1min5720

23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને ત્રણ પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.

દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક રિટર્નિંગ ઑફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર)નું ટેબલ રહેશે.

26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે. 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે. તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.

આ ઉપરાંત તમામ ઇવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટૅકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટ સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે.

May 22, 2019
bjpvsgu.jpg
1min5910

એક્ઝિટ પોલમાં ભાજપની બેઠક વિશે અલગ અલગ અનુમાન મુકાયા છે. જોકે, સૌથી વધુ આધાર હિન્દીભાષી રાજ્યો પર છે. મુખ્યત્વે ૮૦ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કેટલી બેઠક મળે છે તેના પર વધારે મદાર છે. તે ઉપરાંત બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે ૨૦૧૪માં ૧૮૫ પૈકી ૧૬૫ બેઠક જીતી હતી.

મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ છે કે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિપક્ષો કરતાં ભાજપ ઘણો આગળ છે. છત્તીસગઢમાં બંને પક્ષ સમાંતર ચાલી રહ્યા છે. યુપીમાં ભાજપની બેઠક ૩૩ થી ૬૫ અંદાજાય છે. પાંચ રાજ્યોમાં ૮૯ થી ૧૪૪ બેઠક મળવાનું અનુમાન છે. એસપી અને બીએસપી યુતિ મોટો પડકાર છે.

હિન્દીભાષી રાજ્યોમાં જે ખોટ પડશે તે પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશામાં ભરપાઈ થશે એમ ભાજપનું માનવું છે. તમામ એક્ઝિટ પોલ જણાવે છે કે એનડીએ ૨૭૨નો આંકડો પાર કરશે અને નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બનશે.

કૉંગ્રેસશાસિત ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ લોકસભામાં સારી બેઠક મેળવશે એમ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે.

May 22, 2019
voting.jpg
1min12830

સોશિયલ મીડિયા પર ઈવીએમને ખસેડવા અંગેના અને છેડછાડના વીડિયો વાઈરલ થતા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ રસ્તા પર નીકળી આવ્યા હતા અને દેખાવો કર્યા હતા.

ઈવીએમ સાથે ગડબડ થઈ રહી હોવાના અહેવાલોને ચૂંટણી પંચે ‘પાયાવિહોણા’ અને ‘ક્ષુલ્લક’ ગણાવ્યા હતા. ચંદોલીમાં ઈવીએમને વાહનમાંથી ઉતારી કાઉન્ટિંગ સેન્ટરના કોમ્પલેક્સમાં આવેલા એક રૂમમાં મૂકવામાં આવ્યું હોવાની વીડિયો ક્લીપ વાયરલ થઈ હતી. એક અન્ય વીડિયો દર્શાવે છે કે ગાઝીપુરના સપા-બસપા જોડાણના ઉમેદવાર અફઝલ અંસારી આક્ષેપ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર ઈવીએમ બદલવા પ્રયત્ન કરી રહ્યું છે.

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંસારી અને તેમના ટેકેદારો પોલીસ અધિકારી સાથે દલીલ કરી રહ્યા છે. ઈવીએમ ભરેલું એક વાહન લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેવો દાવો કરતા અંસારી અને તેના ટેકેદારોને રસ્તો ખાલી કરવા વિનંતી કરી રહ્યા છે. તેવું વીડિયોમાં દેખાય છે. અંસારીએ માગ કરી હતી કે બીએસપીના ઓછામાં ઓછા બે કાર્યકરોને ઈવીએમ ભરેલા પાંચ સ્ટ્રોન્ગ રૂમમાં નજર રાખવા બેસવા દેવા જોઈએ. વીડિયો વાઈરલ થયા હતા તે પછી ગાઝીપુર, ચંદોલી અને ડુમારિયાગંજમાં રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્ર્વરલુએ રાજકીય પક્ષોના ભયને દૂર કર્યો હતો. ગાઝીપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઉમેદવાર (અંસારી) ઈવીએમ પર નજર રાખવા વધુ લોકોને તહેનાત કરવા માગતો હતો અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે તેમને સમજાવ્યા હતા જેના પછી આંદોલનકારીઓ પાછા હટ્યા હતા. ચંદોલી બાબતમાં તેમણે સમજાવ્યું કે વણવપરાયેલા ઈવીએમ પાછા લાવવામાં આવ્યા હતા અને વાતચીત પછી ઈવીએમના આ જથ્થાને વપરાયેલા ઈવીએમથી જુદા રાખવામાં આવ્યા હતા.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્ટ્રોન્ગ રૂમમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને ઉમેદવારોના પ્રતિનિધિઓ ઈવીએમ પર નજર રાખવા બેસી શકે છે.

વીડિયો વાયરલ થયા તેના પગલે રાજકીય પક્ષોએ તેમના નેતાઓને, ઉમેદવારોને અને કાર્યકરોને ઈવીએમ પર નજર રાખવા નિર્દેશ આપ્યા હતા. મતગણતરી વખતે હાજર રહેવા વિપક્ષોએ તેમના જિલ્લા એકમોના અને શહેરી એકમોના વડાને સૂચના આપી હતી. સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા જાળવવા તમામ વિપક્ષોએ પોતાના કાર્યકરોને સંદેશ આપ્યો હતો.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min22550

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેરનું ધો.10નું પરીણામ આ વખતે અભૂતપૂર્વ રહ્યું છે. એ-વન ગ્રેડમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 1009 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યા છે જે નભૂતો ન ભવિષ્યતી જેવું છે. બોર્ડના ઇતિહાસમાં કોઇ જિલ્લાએ બોર્ડની કોઇપણ પરીક્ષામાં ચાર ડિજિટમાં એ-વન રેન્ક હાંસલ કરી શક્યા નથી.

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.10ના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ-વન રેન્ક હાંસલ કર્યા હતા.

સુરતના 1009 એ-રેન્કર્સમાં 99 તો એકલી નાના વરાછાની આશાદીપ ગ્રુપના હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓમાં પીપી સવાણી સ્કુલના 83 વિદ્યાર્થીઓ સાથે દ્વિતિય ક્રમે રહી છે.

સુરતમાં ધો.10માં એ ગ્રેડ મેળવનારી શાળાઓ અને એ-ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

નોંધ. જે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યાં અહીં અમને સત્તાવાર રીતે મળી છે તેમનો જ સમાવેશ કરાયો છે. અન્ય શાળાઓએ તેમની માહિતી 098253 44944 પર મોકલી આપવી.

 

સ્કુલનું નામ                એ-વન ગ્રેડની સંખ્યા

આશાદીપ ગ્રુપ                   99

પીપી સવાણી ગ્રુપ              83

મૌની ગ્રુપ                           31

જે.બી. એન્ડ કાર્પ સ્કુલ        35

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સ       34

ભૂલકા વિહાલ સ્કુલ            30

કૌશલ વિદ્યાભવન              29

સંસ્કારભારતી વિદ્યાલય      27

એલ.પી. સવાણી સ્કુલ          27

તપોવન ગ્રુપ                        25

અંકુર-અર્ચના ગ્રુપ ઓફ સ્કુલ્સ   20

સ્વામીનારાયણ ગુરુકુળ      19

સુરત ડાયમંડ ગર્લ્સ              16

સદભાવના ગ્રુપ સ્કુલ્સ          16

ભૂલકા ભવન સ્કુલ                15

વશિષ્ઠ ગ્રુપ                           15

આઇ એન ટેકરાવાળા          13

યોગી પ્રવૃતિ વિદ્યાલય          12

સુમન હાઇસ્કુલ્સ                  12

એલપીડી પૂણા સ્કુલ             11

ડીઆર રાણા સ્કુલ               11

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ    11

સંસ્કારદીપ વિદ્યાલય            09

લિયો ગ્રુપ ઓફ સ્કુલ્સ          09

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ              09

વનિતા વિશ્રામ સ્કુલ સુરત    09

માધવબાગ વિદ્યાભવન        08

ઉત્તર ગુજરાત કેએસકે વિદ્યાલય  08

વીએન ગોધાણી કન્યા          07

શારદા વિદ્યાભવન               06

દીપદર્શન વિદ્યાસંકુલ           06

ગુરુકૃપા વિદ્યાસંકુલ              06

એસ્પાયર સ્કુલ                     06

શિશુવિહાર સ્કુલ                 05

જીવનભારતી કુમારભવન     05

બચકાણીવાલા વિદ્યામંદિર   04

દક્ષિણામૂર્તિ વિદ્યાલય          04

પ્રેસિડેન્સી સ્કુલ                    04

ધર્મજીવન સ્કુલ, એકેરોડ       04

સરસ્વતી વિદ્યાલય               04

બાયોનિક્સ સ્કુલ                 04

નોબલ ગ્રુપ                          04

લોકમાન્ય વિદ્યાલય              04

દિવ્યજીવન જોથાણ            03

માતૃભૂમિ વિદ્યાભવન           03

અંકુર સ્કુલ   કતારગામ        03

સાધના ગર્લ્સ સ્કુલ               03

આર.કે. વિદ્યાભવન             03

પ્રેરણા સ્કુલ                         02

વષિષ્ઠ જેનેસીસ                   02

વિશ્વભારતી ગર્લ્સ સ્કુલ        02

સિવિલાઇજ્ડ મોડર્ન સ્કુલ     02

અક્ષરદીપ વિદ્યાલય,નાના વરાછા    02

વિદ્યાકુંજ                            02

લીલાબા સ્કુલ                      01

રાદડીયા સ્કુલ                      01

ઉમરીગર મેમો. સ્કુલ            01

મેટ્રીક્સ ગ્લોબલ સ્કુલ            01

કેટલાઇઝર સ્કુલ                    01

કેજી ભીંગરાડીયા શાળા          01

વિઝડમ સ્કુલ                          01

બાલાજી ગર્લ્સ સ્કુલ                 01

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8920

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.

May 21, 2019
gseb.png
1min9870

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે માર્ચ 2019ની ધો.10 એસએસસીની પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધો.10નું પરીણામ સરેરાશ દર વર્ષે આવે છે તેટલું જ છે પરંતુ, સુરતનું પરીણામ સુરત માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે ન ભૂતો ન ભવિષ્યતી જેવું છે.

સુરત જિલ્લાનું પરીણામ 2018માં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ હતું અને 2019માં આ વખતે પણ સુરત જિલ્લાનું પરીણામ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે.

સૌથી મહત્વની વાત એ છે કે એ-વન ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા. સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે.

કોઇ એક જિલ્લાની એ વન ગ્રેડની સંખ્યા ચાર આંકડામાં આવી હોય તેવો આ પહેલો બનાવ ગુજરાત બોર્ડના ઇતિહાસમાં બન્યો છે. સુરતે અત્યાર સુધી અનેક વખત રેન્કર્સ આપ્યા છે પરંતુ, આજનું પરીણામ વાસ્તવમાં જ છપ્પર ફાડ પરીણામ છે.

જોઇએ બોર્ડ અને સુરતના પરીણામની સરખામણી

સુરતમાંથી કુલ 82,781 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી

  • એ-વન ગ્રેડ          1,009,
  • એ-ટુ ગ્રેડ             5,734,
  • બી-વન ગ્રેડ      10,577,
  • બી-ટુ ગ્રેડ         16,831,
  • સી-વન ગ્રેડ      19,676,
  • સી-ટુ ગ્રેડ         11,382,
  • ડી-ગ્રેડ                  707

ગુજરાતનું પરીણામ

ગ્રેડ       2018            2019
A1        6378            4974
A2       33956        32375
B1        72739        70677
B2       127110     129629
C1        172350    187607
C2       113932     119452
D            6937        6288

May 21, 2019
ssc.jpg
1min11610

જયેશ બ્રહ્મભટ્ટ

હોંશિયાર વિદ્યાર્થીઓને ખેંચી લાવવા માટે પહેલા ટ્યુશન ક્લાસીસો અને હવે સ્કુલોએ એ-વન વિદ્યાર્થીઓને સાવ મફતમાં ભણાવવા અંગે કરેલી જાહેરાતો 2019ના ધો.10ના પરીણામ સાથે જ ટ્યુશન અને સ્કુલોના સંચાલકોના ગળે ગાળીયાની જેમ ફીટ થઇ ગઇ છે. ઇનામી ફંડા આ વખતે ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકો માટે આર્થિક ફંદા બની જાય તેવી સ્થિતિ છે.

આજે સવારે જેમ જેમ સ્કુલોના પરીણામોમાં એ-વન ગ્રેડ નીકળતા જતા હતા તેમ તેમ ટ્યુશન ક્લાસીસો અને કેટલીક સ્કુલોના સંચાલકોના બ્લડ પ્રેશર વધતા ગયા હતા, કેમકે એ-વન વાળાને એકપણ રૂપિયો લીધા વગર ભણાવવાની જાહેરાતો અનેકે કરી છે.

સુરતમાંથી અભૂતપૂર્વ રીતે 1009 એ-વન ગ્રેડ આવ્યા છે. આવી ઘટના ગુજરાત બોર્ડ માટે પણ પહેલી વખતબની છે જેમાં એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓની કોઇ એક જિલ્લાની સંખ્યા ચાર આંકડાને પાર કરી ગઇ હોય

સુરતમાંથી કુલ 1009 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. આ બધા જ વિદ્યાર્થીઓને જાણીતા અને જેમણે અગાઉથી જાહેરાતો કરી છે એ મુજબની સ્કુલ અને ટ્યુશનમાં બિલકુલ ફ્રી ભણાવવામાં આવશે. આ ગણતરી જોઇએ તો ટ્યુશન ક્લાસીસોમાં ધો.12ના ટ્યુશન તેમજ જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે પરીક્ષાના ટ્યુશન મળીને વાર્ષિક ફી વિદ્યાર્થી દીઠ રૂ.50 હજારથી એક લાખ સુધીની આવે છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો આ વખતે કરોડો રૂપિયાની ખોટ સ્કુલો અને ક્લાસીસોએ કરવી પડે તેમ છે.

શહેરના કેટલાક ધંધાદારી ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકોએ એ-વન ગ્રેડવાળાને ધો.11-12 સાયન્સ, કોમર્સમાં ફ્રી ભણાવવાની જાહેરાતો કરી છે, ધો.11-12ની સ્કુલ ટ્યુશનની એવરેજ ફી રૂ.1 લાખ જેટલી થાય છે ત્યારે 1009 એ-વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓને ભણાવવાનો ટોટલ ખર્ચો રૂ.10 કરોડને આંબી જશે

આમ સુરતના એ-વન ટોપર્સની વાત કરીએ તો તેમણે ઝળહળતું પરીણામ મેળવીને ધંધાદારી ટ્યુશન ક્લાસીસો, સંચાલકોને કુલ રૂ.10 કરોડ જેટલી જંગી રકમના ઇનામો જીતી લીધા છે અને હવે સંચાલકોએ અગાઉથી કરેલી જાહેરાતો મુજબ આ વિદ્યાર્થીઓેને મફતમાં ભણાવવા પડશે.

આમ સુરતના 1009 એ વન વિદ્યાર્થીઓએ કુલ રૂ.10 કરોડ ઉપરાંતની રકમ ઇનામ રૂપે જીતી લીધી છે અને મોટા ભાગના એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ અત્યાર સુધી જ્યાં ભણ્યા છે ત્યાં ફ્રીમાં જ ભણ્યા છે. હવે આ વખતે 1009ની ઉપર એવન ગ્રેડ આવ્યા હોઇ સંચાલકો આવતા વર્ષથી એવન ગ્રેડને ફ્રીમાં ભણાવવાની જાહેરાત કરતા પહેલા સો વખત વિચાર કરશે.

એ-વન ગ્રેડવાળાને ફ્રીમાં ભણાવવાની ઇનામી યોજનાને પગલે ટ્યુશનો અને સ્કુલોમાં સંભવ છે કે આખેઆખા ક્લાસ ફ્રી ભણશે. બહુ મોટી અને અસામાન્ય સંખ્યામાં એ-વન ગ્રેડ આ વખતના ધો.10ના પરીણામમાં આપવામાં આવ્યા છે.

વાંચો અહીં ધો.10નું પરીણામની સઘળી વિગતો

આખા રાજ્યના પરીણામ પર નજર

સુરત સમેત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું પરીણામ

May 19, 2019
voting111.jpg
1min6890

આજે તા.19મી મે 2019ની સવારે 7ના ટકોરે ભારતની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન શરૂ થયું હતું. શાંતિ પૂર્ણ મતદાન માટે બધા વોટિંગ સેન્ટરની બહાર સુરક્ષા માટે કડક બંદોબશ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળમાં છેલ્લા દિવસે થયેલી હિંસાને જોતા સુરક્ષા દળોને વધારે અલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.

આજે બિહારની 8, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4, પંજાબની 13, ચંદીગઢની 1 સીટ પર મતદાન છે. આ તબક્કામાં મનોહર પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી ગોવાની પણજી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થઈ રહી છે. આ ઉપરાંત તમિલનાડુની 4 વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

સાતમાં ચરણમાં આઠ રાજ્યોની 59 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. એના માટે શનિવાર સાંજથી તૈયારી પૂરી કરી લીધી હતી.

મતદાન શરૂ થવા પહેલા પ્રત્યેક બૂથ પર પાર્ટીઓના પોલિંગ એજન્ટની ઉપસ્થિતિમાં મૉક પોલ નાખીને ઈવીએમ ચેક કરવામાં આવ્યા હતા. પ્રત્યેક બૂથ પર 50 મૉક નાખીને ઈવીએમ મશીન ચેક કરવામાં આવી. બાદ આ મૉક પોલને મશીનથી ડિલીટ કરી આધિકારીક મતદાન શરૂ થઈ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થઈ રહ્યું છે. 918 ઉમેદવાર મેદાનમાં છે. 2 વાગ્યા સુધીમાં લગભગ 41 ટકા મતદાન થયું છે.

ઝારખંડમાં સૌથી વધુ 53%, મધ્યપ્રદેશમાં 46% મતદાન નોંધાયુ છે. પશ્ચિમ બંગાળમાં આ તબક્કામાં પણ હિંસા થઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેનાં રોજ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સની દેઓલ, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવાર મેદાનમાં છે.

 

May 18, 2019
Kanchenjunga-mountain.jpg
1min10080

એક લશ્કરી જવાન સહિત ભારતના વધુ બે પર્વતારોહકોનાં નેપાળમાં પર્વતારોહણ દરમિયાન મૃત્યુ થયા છે અને ત્રીજો પર્વતારોહક લાપતા છે. બુધવારે નેપાળના કાંચનજંગા પર્વત પર બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ થયાં હતાં એ જોતાં ભારતીયોનો મરણાંક શુક્રવારે ચાર ઉપર પહોંચ્યો હતો. બુધવારે ચિલીનો એક પર્વતારોહક કાંચનજંગા પર્વત પર ગુમ થઈ ગયો હતો.

શુક્રવારે મળેલા અહેવાલ મુજબ ૨૮ વર્ષીય લશ્કરી સૈનિક રવિ ઠાકર વિશ્ર્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા બાદ સવારે આ જ સર્વોચ્ચ શિખર પરના કૅમ્પ-૪ ખાતેના તેના તંબુમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે નારાયણ સિંહ વિશ્ર્વના પાંચમા ક્રમના સૌથી ઊંચા પર્વત માઉન્ટ મકાલુની ૮,૪૮૫ મીટરની ઊંચાઈએથી નીચે ઉતરતી વખતે ગુરુવારે રાત્રે કૅમ્પ-૪ ખાતે મૃત્યુ પામ્યો હતો. આ માહિતી પર્વતારોહણના આયોજકે આપી હતી.

સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ લશ્કરી જવાન રવિ ઠાકરનું મૃત્યુ

કોલકતાનો બાવન વર્ષીય દીપનકર ઘોષ માઉન્ટ મકાલુ પર્વત પરથી પાછા આવતી વખતે કૅમ્પ-૪ની ઉપરના ભાગમાં ગુમ થઈ ગયો હતો, એમ સેવન સમિટ ટ્રેક્સના ચૅરમૅન મિન્ગમા શેરપાએ જણાવ્યું હતું.

ઘોષને શોધવા એક સર્ચ-ટીમે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ તે નહોતો મળ્યો. ઘોષ ૨૦૧૧ની સાલમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થયો હતો. એ ઉપરાંત તેણે માઉન્ટ કાંચનજંગા સહિત બીજા ચાર ઊંચા પર્વતો પણ સર કર્યા હતા.

લશ્કરી જવાન ઠાકર ઊંચાઈ પરના વાતાવરણમાં માંદો પડી ગયો હતો અને તેની માંદગી વધતી ગઈ હતી અને સંભાવના મુજબ તેણે શુક્રવારે સવારે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. તે આઠ મેમ્બરોવાળી ટુકડીનો સભ્ય હતો. એ ટીમનું નેતૃત્વ આયર્લેન્ડના જાણીતા પર્વતારોહક નોએલ રિચર્ડ હૅન્નાએ સંભાળ્યું હતું. ઠાકર સહિત તમામ આઠ જણે ગુરુવારે સવારે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું.

દરમિયાન, આયર્લેન્ડનો સીમસ શૉન લૉલેસ નામનો પર્વતારોહક એવરેસ્ટ પરથી પાછા આવતી વખતે પર્વતની એક ધાર પરથી નીચે પડ્યો હતો અને ત્યાર બાદ સાથીઓને તેની ભાળ નહોતી મળી શકી.

બુધવારે કાંચનજંગા પર્વત પર માંદગીને લીધે મૃત્યુ પામેલા બે ભારતીયોમાં કોલકતાના ૪૮ વર્ષીય બિપ્લબ બૈદ્યનો અને ૪૬ વર્ષીય કુંતલ ક્ધરારનો સમાવેશ હતો.

દરમિયાન, પશ્ર્ચિમ બંગાળ સરકાર બિપ્લબ અને કુંતલના મૃતદેહ મેળવવા બે મેમ્બરોની એક ટુકડીને મોકલી રહી છે. જોકે, એક અહેવાલ મુજબ બન્નેના મૃતદેહ ૮૫૮૬ મીટર ઊંચે કંચનજંગા પર્વત અને કૅમ્પ-૪ વચ્ચે ક્યાંક પડ્યા છે. જો બે દિવસમાં તેમના મૃતદેહ નહીં મળે તો એ શોધવાનું અભિયાન સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં લેતાં લગભગ એક વર્ષ માટે મુલતવી રાખવું પડશે.

વિશ્ર્વના કેટલાક સૌથી ઊંચા પર્વતો નેપાળમાં છે અને એ સર કરવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં પર્વતારોહકો નેપાળ આવતા હોય છે. તેઓ ખાસ કરીને વસંત ઋતુ (માર્ચથી જૂન)માં પર્વતારોહણ કરતા હોય છે.

May 18, 2019
modi_kedardham.jpg
1min10260

આજે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. ચૂંટણી સભાઓમાંથી વિરામ મળતાની સાથે જ તેઓ ચારધામ પૈકી કેદારનાથ અને બદરીનાથના દર્શને ઉપડ્યા છે. આજે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાનની મુલાકાતને લઇને અહીં ટાઇટ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કેદારધામ પહોંચીને મંદિરમાં પ્રવેશ કરીને શિવપૂજા કરી હતી. આવતીકાલ રવિવારે રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.

વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’

અમિત શાહ પરિવાર સમેત સોમનાથ પહોંચ્યા

બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સમેત ગુજરાતના જ્યોતિર્રલિંગ સોમના મહાદેવ પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.

શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી.

શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી.