CIA ALERT

Alert Archives - Page 313 of 518 - CIA Live

November 1, 2019
maha_trafic.jpg
1min5670

ગુજરાતમાં બે વખત મોકૂફ રહેલા ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ આજરોજ તા.1લી નવેમ્બર 2019ને લાભપાંચમથી રાજ્યવ્યાપી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, આરસી બુક, વીમો સહિતના જરૂરી દસ્તાવેજો વાહન ચાલકોએ વાહન હંકારતા વખતે સાથે રાખવું પડશે, નહીં તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ટ્રાફિકના નવા નિયમો અંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે, કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રૂ.500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂ.100 હતો.

કેન્દ્ર સરકાર દ્વારા રૂા.1000 દેડની જોગવાઇ કરવામાં આવી છે પરંતુ રાજ્યસરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટુ-વ્હીલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઇ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂા.500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂા.1000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આરસી બુક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઇ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂા.500 અને બીજી વખત પકડાશે તો રૂા.1000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટુ-વ્હીલર ચલાવવા બદલ રૂા.2000, રૂા.3000 અને રૂા.5000 એમ વાહનોની શ્રેણીના આધારે ક્ષણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. લાયસન્સ વગર વાહન ચલાવનારને રૂા.3000નો દંડ થશે, જો અન્ય કોઇનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂા.3000નો દંડ થશે. ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂા.500 અને બીજી વખત રૂા.1000નો દંડ થશે.

November 1, 2019
marketyard.jpg
1min5570

આજે તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ માકેર્ટિંગ યાર્ડ ખુલી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડ આજે શુક્રવાર સવારથી મગફળી અને કપાસથી ઉભરાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઇને માકેર્ટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.

એક વેપારીએ જણાવાયું હતું કે, વરસાદી માહોલમાં ખુલ્લા માકેર્ટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી અને કપાસ લઇને આવી રહ્યા છે, પરંતુ અમે તેને વાહનમાં જ રાખવાનું કહ્યું છે જેથી વરસાદ પડે તો તેનો પાક પલળે નહીં અને શુક્રવારે વાહનમાં જ સીધી હરાજી કરવામાં આવશે.

November 1, 2019
qantas_plan.jpg
1min6350

બોઈંગના લગભગ ૫૦ જેટલાં ૭૩૭ એનજી વિમાનોમાં ક્રેક મળી આવતા તેમને ભૂમિગત કરવામાં આવ્યાં છે, તેવું બોઈંગે ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર નિવેદન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની ઍરલાઈન ક્વાન્ટાસે એક વિમાન ભૂમિગત કર્યું હતું અને અન્ય ૩૨ વિમાનમાં તપાસ કરશે, તેવું કહ્યું હતું. પ્રવાસીઓએ કોઈ ભય રાખવાની જરૂર નથી, તેવું તેમણે કહ્યું હતું. આ અગાઉ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં સાઉથ કોરિયામાં નવ વિમાન ભૂમિગત કરાયાં હતાં જેમાંથી પાંચ વિમાન કોરિયન ઍરના હતા.

ક્વાન્ટસ ઍરલાઈનના નિવેદન પછી ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ બોઈંગના એક પ્રવકતાએ સિડનીમાં કહ્યું હતું કે કુલ ૧૦૦૦ વિમાનમાંથી પાંચ ટકા જેટલા વિમાનમાં તિરાડ મળી આવી છે અને રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રવકતાએ આંકડો જણાવ્યો ન હતો પણ પાંચ ટકા એટલે ૫૦ વિમાન છે, એમ કહી શકાય છે.

ઑસ્ટ્રેલિયાના એવિયેશન રેગ્યુલેટરના એક પ્રવકતાએ કહ્યું કે સેફટી પ્રોબ્લેમનો શરૂઆતી તબક્કામાં જ નિકાલ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયાની વર્જિન ઍરવેઝના ૧૭ બોઈંગ ૭૩૭એનજી વિમાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પણ કોઈ ખામી મળી ન હતી.

ક્વાન્ટસના એન્જિનિયરિંગ વિમાગના વડા ક્રિસ સ્નૂકે કહ્યું કે ‘વિમાન સંપૂર્ણ રીતે સલામત ન હોય ત્યાં સુધી અમે કોઈ પણ વિમાનને ઉડ્ડયન કરવા દેતા નથી.’

સ્નૂકે કહ્યું કે ‘ક્રેક હોવા છતાં વિમાનની સુરક્ષા તાત્કાલિક જોખમાતી નથી.’ ઑસ્ટ્રેલિયાની સ્વાઈન બર્ન યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજીના એક એવિયેશન એક્સપર્ટે કહ્યું કે પાર્ટ્સની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે થોડી ક્ષતિ અથવા ખરાબી હોય તો માળખું સહન કરી શકે છે.

બોઈંગના પ્રવકતાએ કહ્યું કે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા કંપની સતત પ્રયત્નશીલ છે. અમારા ગ્રાહકો સાથે અમે સંપર્કમાં છીએ અને જરૂરી પાર્ટ્સ, ટૅક્નિકલ ગાઈડન્સ પણ આપતા રહીશું.

October 31, 2019
pakistan1.jpg
1min5750

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તા.31મી ઓક્ટોબર 2019ને ગુરુવારે સવારે ચાલતી ટ્રેનમાં આગ લાગવાની બનેલી હોનારતમાં 46 મુસાફરો જીવતા ભડથું થઇ જવાની ગમખ્વાર ઘટનાએ સમગ્ર વિશ્વભરમાં અરેરાટી મચાવી છે.

પાકીસ્તાનની તેજગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હોવાનું ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. એવી પણ જાણકારી બહાર આવી રહી છે કે એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. તેજગામ એક્સપ્રેસ ટ્રેન કરાચીથી રાવલપિંડી તરફ જઈ રહી હતી. આ બર્નિંગ ટ્રેનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં એક પ્રત્યક્ષદર્શી એમ જણાવી રહ્યો છે કે તબલીગી જમાતના લોકો ટ્રેનમાં સવાર હતા. સિલિન્ડર ફાટવાના કારણે ટ્રેનમાં આગ લાગી ગઈ.

રહીમ યાર ખાન જિલ્લાના લિયાકતપુર શહેરમાં કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં તા.31મી ઓક્ટોબર 2019ની સવારે સવારે ભીષણ આગ લાગી હતી.

જ્યારે આગ લાગી ત્યારે ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરાયેલી હતી, યાત્રીઓ બચવાનો પ્રયાસ કરે એ પહેલા અનેક મુસાફરો આગમાં જીવતા ભડથું થઈ ગયા. સેંકડો મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના રિપોર્ટ છે. સતત મૃતકોનો આંકડો વધે તેવી શંકા સેવાય રહી છે.

October 31, 2019
mumbai_city.jpg
1min6020

પર્યાવરણમાં થઇ રહેલા ફેરફાર પર અભ્યાસ કરતી વિજ્ઞાનીઓ અને પત્રકારોની બનેલી અમેરિકી સંસ્થા ‘ક્લાઇમેટ સેન્ટ્રલ’એ તાજેતરમાં પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક મુંબઈ દરિયામાં વધતી જળસપાટીને લીધે ૨૦૫૦ સુધીમાં ડૂબી જવાની શક્યતા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૦૧૧ની વસતિગણતરી મુજબ અંદાજે ૧.૨૫ કરોડ લોકો રહે છે. દક્ષિણ મુંબઈમાં

વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મોટી ભરતીને કારણે ઘણું પાણી ભરાઇ જાય છે અને ભવિષ્યમાં આ વિસ્તારની પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.

દરિયામાં વધતી જળસપાટીથી ભારત, બંગલાદેશ અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશના કાંઠાવિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે.

સ્કોટ એ. કલ્પ અને બેન્જામિન એચ. સ્ટ્રોસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસના સંબંધિત અહેવાલમાં દાવો કરાયો હતો કે દરિયામાં વધતી જળસપાટીથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૨૧૦૦ સુધીમાં પાંચથી દસ ગણી વધી જશે.

અહેવાલમાં જણાવાયું હતું કે દરિયાની જળસપાટીમાં થઇ રહેલા વધારાથી અસરગ્રસ્ત દુનિયાના ૭૦ ટકા લોકોથી વધુ લોકો એશિયાના આઠ દેશ – ચીન, બંગલાદેશ, ભારત, વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને જાપાનમાં જ છે.

દરિયાની મોટી ભરતીથી અસર પામનારા ભારત, બંગલાદેશ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના લોકોમાં પાંચથી દસ ગણો વધારો થવાની ધારણા છે.

અભ્યાસમાં કરાયેલી ધારણા મુજબ દરિયાની વધી રહેલી જળસપાટીની અસર ૨૦૫૦ સુધીમાં અંદાજે ૩૪ કરોડ લોકોને થશે અને આ આંકડો સદીના અંત સુધીમાં વધીને આશરે ૬૩ કરોડ થઇ જશે.

વિજ્ઞાનીઓએ વિશ્ર્વમાં ગ્રીનહાઉસ ગૅસના વધી રહેલા પ્રમાણ સામે ચેતવણી આપી હતી અને તેનાથી રાજકીય સ્થિરતા સામે ગંભીર પડકાર ઊભો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

October 31, 2019
albagdadi.jpg
1min4910

વિશ્ર્વના ટોચના ત્રાસવાદી અબુ બકર અલ બગદાદીના માથા માટે જાહેર કરાયેલું ૨૫ મિલિયન ડૉલરનું ઇનામ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે બાતમીદારને મળશે તેવું અત્રેના એક અગ્રણી અખબારે જણાવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસના ત્રાસવાદીએ સિરિયામાં બગદાદીની હિલચાલની માહિતી આપી હતી જેના આધારે બગદાદીના સેફ હાઉસ પર યુએસ સ્પેશિયલ ફોર્સીસના કમાન્ડો ૨૬ ઑક્ટોબરના શનિવારે ત્રાટક્યા હતા.

બાતમીદારે સેફ હાઉસના બાંધકામના કામકાજ પર પણ ધ્યાન આપ્યું હતું, તેથી તેની પાસે સંપૂર્ણ લેઆઉટ તૈયાર હતો જે તેણે જણાવ્યો હતો. સેફ હાઉસ પર હુમલાના દિવસે બાતમીદાર પણ ત્યાં જ હતો અને તેને બે દિવસ પછી તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે બહાર લઇ જવામાં આવ્યો હતો. કુર્દ લડવૈયાઓએ બાતમીદારની સાથે સક્રિય સંપર્ક રાખ્યા હતા અને સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ નામના તેમના દળે તેને અમેરિકાના જાસૂસી અધિકારીઓને સોંપી દીધો હતો. બગદાદી હંમેશા સ્યુસાઇડ બેલ્ટ ધારણ કરતો હતો એ માહિતી પણ તેણે અમેરિકન અધિકારીઓને આપી હતી. અખબારે જણાવ્યું તે પ્રમાણે તેને ઇનામની સંપૂર્ણ અથવા આંશિક રકમ આપવામાં આવશે.

October 30, 2019
sakib.jpg
1min5090

બંગલાદેશના ટેસ્ટ અને ટી-૨૦ મેચોની ટીમના કેપ્ટન શકિબ અલ હસનને ક્રિકેટના ભ્રષ્ટાચાર (ફિક્સિગં)ના સંબંધમાં આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સહિત તેનો ત્રણ વાર સંપર્ક સાધવામાં આવ્યા પછી તે વાતની સત્તાવાળાઓને જાણ ન કરવા માટે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા બે વર્ષ માટે મંગળવારે સસ્પેન્ડ કરાયો હતો અને આ કારણે તેને રાષ્ટ્રની ટીમના ભારત ખાતેના પ્રવાસમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.

બંગલાદેશની ટીમ ૩જી નવેમ્બરથી ભારતમાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટનો પ્રવાસ-કાર્યક્રમ શરૂ કરનાર છે.

૩૨ વર્ષના શકિબને પ્રવાસની તૈયારીમાં ટીમની પ્રેક્ટિસથી પણ આઈ. સી. સી.ના આદેશને અનુસરી દૂર રખાયો હતો.

“મને રમતમાંથી બાકાત થઈ જવામાં ઘણું દુ:ખ થઈ રહ્યું છે, પણ મારી ભૂલ બદલ હું આ સજાને સ્વીકારી રહ્યો છું, એમ આઈ. સી. સી. તરફથી બહાર પાડવામાં આવેલ પ્રસાર માધ્યમો માટેની યાદીમાં શકિબે કહ્યું હતું.

શકિબ આવતા વર્ષે આઈ. પી. એલ.માં અને ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં ૧૮મી ઑક્ટોબરથી ૧૫મી નવેમ્બર સુધી યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ નહીં રમી શકે.

બે વર્ષ અગાઉ એક સંભવિત ભારતીય બુકીએ શકિબનો આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વે ઓફર આપી સંપર્ક સાધ્યો હતો જે વાતની તેણે આઈ. સી. સી.ના ભ્રષ્ટાચાર વિરોધી ખાતાને જાણ ન કરી હતી.

શકિબનો પ્રતિબંધ બંગલાદેશ ક્રિકેટ બૉર્ડ (બી. સી. બી.)ની પ્રવાસ પહેલાની સમસ્યાઓમાં વધારો કરશે.

તેની ગેરહાજરીમાં ટીમનો સૌથી વરિષ્ઠ ખેલાડી મુશફિકર રહીમ ટેસ્ટ મેચોમાં સુકાન સંભાળશે અને વન-ડે મેચોમાં મહમુદુલ્લાહ રિયાઢ અથવા મોસાદેક હુસેનને નેતૃત્વ અપાશે.

શકિબની આગેવાનીમાં બંગલાદેશના ખેલાડીઓએ તાજેતરમાં હડતાળ પાડી હતી, પણ બી. સી. બી.એ વધુ નાણાંની ચુકવણી સહિત તેઓની માગણી સ્વીકારી લેતા તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

શકિબે ત્રણ ફૉર્મેટની ક્રિકેટમાં કુલ ૧૧,૦૦૦થી વધુ રન કર્યા છે અને ૫૦૦થી વધુ વિકેટ લીધી છે.

October 30, 2019
statue-of-unity.jpg
1min9880

૩૧ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે આવવાના છે તે જ દિવસે આદિવાસી સમાજે પોતાના હકોની માગણીઓને લઇને કેવડિયાબંધનું એલાન આપ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજની રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. ગુજરાતની પૂર્વપટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં ૩૧ ઑકટોબરે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આદિવાસી અગ્રણી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે ૩૧ ઑકટોબરના રોજ કેવડિયા વિસ્તારબંધનું એલાન આપ્યું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરીને જો કેવડિયા વિસ્તારને બીજું કાશ્મીર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસીઓ ભાજપના ઝંડાને કાયમી તિલાંજલિ આાપી દેશે. ૩૧ ઑક્ટોબરે અમે અહિંસક આંદોલન કરીશું અને સમગ્ર આદિવાસી પંથક સ્વંયભૂ બંધ પાળશે. વધુમાં પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં વિકાસના નામે સ્થાનિક લોકોને હટાવીને બહારના લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેનો અમારો વિરોધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને જે બાંધકામ કરાઇ રહ્યું છે, તેને પગલે આદિવાસીઓને નુકસાન થઇ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે. ભાજપ કેવડિયાને કાશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરૂર પડશે તો દેશના ૧૨.૫ કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે.

October 29, 2019
jyotish.jpg
2min8810

શનિની પનોતી કે ગ્રહયોગોથી ડરાવતા જ્યોતિષોની પહોંચની બહાર સોશ્યલ મિડીયા ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપાવલીની રજાઓમાં જો કંઇપણ વધારે વખત વંચાતુ મટિરીયલ હોય તો એ જ્યોતિષો દ્વારા કરવામાં આવેલી (C.I.A. Live) વિક્રમ સંવતના નવા વર્ષ માટેની ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથન હોય છે. ગુજરાતમાં જ્યોતિષો દ્વારા કરવામાં આવતી આ ભવિષ્યવાણીઓને લોકો આખું વર્ષ સાચવી રાખતા હોય છે અને તેમાં લખેલું હોય એ બ્રહ્મવાક્ય માની લેતા હોય છે.

આ વખતના જ્યોતિષીઓના કથનમાં એક ઉડીને આંખ વળગે એવી વાત આપ સૌ સાથી શેર કરી રહ્યો છું. સોશ્યલ મિડીયા આજના યુગમાં દૈનિક ક્રિયા કે કાર્યની જેમ વણાઇ ચૂક્યું છે એવું અભિન્ન અંગ થઇ ચૂક્યું છે. (C.I.A. Live) સોશ્યલ મિડીયાનો સૌથી નકારાત્મક પ્રભાવ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ છે. એવી જ રીતે સ્ત્રી વર્ગ સોશ્યલ મિડીયા અને સાઇબર ક્રાઇમથી ભોગ બનતી હોવાની ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ધંધા-રોજગાર માટે સોશ્યલ મિડીયાના સારા-નરસા પ્રસંગો પણ રોજેરોજ જોવા મળે છે.

નૂતન વર્ષની ભવિષ્યવાણીઓનો પ્રભાવ લોકો પર હોય છે સોશ્યલ મિડીયાથી થતાં નફા નુકસાનનો કોઇ જ પ્રભાવ જ્યોતિષોની ભવિષ્યવાણીઓ પર નથી

વિક્રમ સંવત 2076ના વર્ષ માટે જ્યોતિષોએ જુદા જુદા પ્લેટફોર્મ પરથી કરેલી ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથનમાં રોજેરોજની પ્રવૃતિઓ ત્યાં સુધી કે ગાયને શું ખવડાવવું, ગરીબોને શું દાન આપવું, કઇ દિશામાં બેસવું, કઇ દિશામાં સૂઇ જવું, કાળા મરી, હળદર, દૂધ કોને ક્યાં કેવી રીતે ચઢાવવું વગેરેનું જ્ઞાન પીરસતા જોવા મળે છે પણ સોશ્યલ મિડીયાથી થતા નુફા નુકસાન બાબતે એક હરફ ઉચ્ચાર્યો નથી. (C.I.A. Live) જ્યારે સામાન્ય લોકોની દૈનિક ક્રિયાઓ, દિનચર્યા અંગેની તમામ વાતો, પાસાઓ જ્યોતિષો આવરી લેતા હોય ત્યારે સોશ્યલ મિડીયા તો દૈનિક કાર્યનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના નફા-નુકસાનની સારી નરસી બાબતો સામાન્ય લોકો પર રોજેરોજ વર્તાતી જોવા મળે છે. પણ વિક્રમ સંવત 2076 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં સોશ્યલ મિડીયા જ્યોતિષોની પહોંચની બહાર હોવાનું જણાય આવે છે.

આવી સ્થિતિમાં વિક્રમના નવા વર્ષમાં જ્યોતિષીઓએ કરેલી આગાહીઓમાં ક્યાંયે સોશ્યલ મિડીયાથી થનારા નફા નુકસાનનો કોઇ જ નામોલ્લેખ સુદ્ધાં નથી. બુદ્ધિજીવી વર્ગ આમેય જ્યોતિષીઓના કથનને માનતા નથી ત્યારે આ મુદ્દો તેમની દલીલને બળ આપી રહ્યો છે.

શનિની પનોતી કે અન્ય ગ્રહયોગો અંગે લોકોને ડરાવતા જ્યોતિષો સોશ્યલ મિડીયાના અજગરી ભરડાંથી થતાં નુકસાનથી લોકોને સાવચેત નથી કરી રહ્યા

Symbolic pic : CIA Live

સોશ્યલ મિડીયાથી વિદ્યાર્થી વર્ગને શું નુકસાન

  • વિદ્યાર્થીઓનો અભ્યાસ સોશ્યલ મિડીયા બગાડી રહ્યું છે
  • આરોગ્ય બગડે એ રીતે વિદ્યાર્થીઓ સોશ્યલ મિડીયાના આદી બની ચૂક્યા છે.
  • વિદ્યાર્થીઓ માટે વ્યસન બની ચૂક્યું છે સોશ્યલ મિડીયા
  • પબજી જેવી ગેમ્સ પર સરકારી પ્રતિબંધો મૂકી દેવા પડ્યા હતા (C.I.A. Live)
  • કેટલીક ગેમ્સ રમતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના દાખલા વિશ્વભરમાં બન્યા

સોશ્યલ મિડીયાથી સ્ત્રી વર્ગને નુકસાન

  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાના કારણે અનેક સ્ત્રીઓના સંસારમાં કલેષ જન્મે છે
  • સોશ્યલ મિડીયાના દુરુપયોગથી અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની
  • સોશ્યલ મિડીયા, સેલ્ફીના ચક્કરમાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકોના ઉછેરમાં સમય આપી શકતી નથી (C.I.A. Live)
  • અનેક મહિલાઓ, યુવતિઓના સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરાયેલા ફોટાને મોર્ફ કરીને તેમની બદનામી કરવામાં આવી

સોશ્યલ મિડીયાથી માનસિક-શારીરીક આરોગ્યને ગંભીર નુકસાન

  • કામકાજના માટે 24 કલાકમાંથી માંડ 14 કલાક મળે તેમાંથી 3-4 કલાક સોશ્યલ મિડીયામાં બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફાવા માંડતા નાણાંકીયા આવક અને ક્રિએટિવીટી ઘટી જવા પામી છે.
  • એવા લોકો મંદી મંદીના બૂમો પાડી રહ્યા છે જેઓ સોશ્યલ મિડીયા પાછળ પોતાના કામના કલાકો અને મગજ બન્ને બગાડતા જોવા મળે છે. (C.I.A. Live)
  • શારીરીક અને માનસિક આરોગ્ય બન્ને સામે સોશ્યલ મિડીયાએ જોખમ ઉભા કર્યાના દાખલાઓ રોજેરોજ જોવા-જાણવા મળી રહ્યા છે.
  • સોશ્યલ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયાથી બનતા ગુનાઓ વધી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચવું આજે મહત્વની બાબત બની ચૂકી છે.
  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાને કારણે આર્થિક નુકસાનીનો કોઇ અંદાજ જ નથી. જે યુઝર્સ પહેલા 500 એમ.બી.ડેટા મહિને કરકસરથી વાપતા હતા એ યુઝર્સને આજે દૈનિક 1500 એમ.બી. ડેટા ઓછો પડી રહ્યો છે. સોશ્યલ મિડીયાના કારણે ઇન્ટરનેટને વપરાશ વધ્યો અને વપરાશ વધતા ડેટા પેક પાછળના ખર્ચા પણ વધ્યા.

એવું નથી કે સોશ્યલ મિડીયાથી નુકસાન જ નુકસાન છે ફાયદાઓ પણ અનેક છે

  • જીવનસાથી આ વર્ષે મળશે એવી આગાહી કરતા જ્યોતિષો એવું નથી કહી રહ્યા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીવનસાથી મળશે. આજે સોશ્યલ મિડીયાથી લોકોનો જીવનસાથી મળી રહ્યા છે અગર તો જીવનસાથીની સાચી ઓળખ સોશ્યલ મિડીયાથી લોકો મેળવી રહ્યા છે. (C.I.A. Live)
  • મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સોશ્યલ મિડીયા પોસ્ટ્સનો સહારો લઇને ઉમેદવારોનું વ્યક્તિત્વ અને વ્યક્તિગત પસંદગીનો તાગ મેળવતા હોય છે.
  • ધંધા-રોજગારમાં લોકો પ્રત્યક્ષ બિઝનેસ ટુ કસ્ટમર, ડાયરેક્ટ વેપારથી નુકસાન પામતા લોકોને સોશ્યલ મિડીયા માર્કેટિંગ, ઇનડાયરેક્ટ માર્કેટિંગથી ભરપૂર ફાયદો મળ્યો. આમાં કેમ જ્યોતિષો કંઇ કહી શક્તા નથી.

October 29, 2019
pmmodi_riyadh.jpg
1min7180

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હીથી સાઉદી અરબ જવા માટે નીકળ્યા હતા. ભારતમાં ભાઇબીજની વહેલી સવારે તેઓ સાઉદીની રાજધાની રિયાધ પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. સ્થાનિક સમય મુજબ ત્યાં મધરાત હતી આમ છતાં તેમનું ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર રિયાદની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે.

વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે જે મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે તેમાં ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરિષદની શરૂઆત કરવી, રૂપે કાર્ડ શરૂ કરવું તથા બંને દેશોની ઈ-પ્રવાસ પ્રણાલી વચ્ચે સમન્વય લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રૂપે કાર્ડ લોન્ચ કરશે. સાથે જ તે ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ (FII)ના ત્રીજા સત્રમાં શામેલ થશે. તે મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે.