બોઈંગના વિમાનો માં તિરાડ: ૫૦ વિમાનો જમીન પર
બોઈંગના લગભગ ૫૦ જેટલાં ૭૩૭ એનજી વિમાનોમાં ક્રેક મળી આવતા તેમને ભૂમિગત કરવામાં આવ્યાં છે, તેવું બોઈંગે ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર નિવેદન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની ઍરલાઈન ક્વાન્ટાસે એક વિમાન ભૂમિગત કર્યું હતું અને અન્ય ૩૨ વિમાનમાં તપાસ કરશે, તેવું કહ્યું હતું. પ્રવાસીઓએ કોઈ ભય રાખવાની જરૂર નથી, તેવું તેમણે કહ્યું હતું. આ અગાઉ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં સાઉથ કોરિયામાં નવ વિમાન ભૂમિગત કરાયાં હતાં જેમાંથી પાંચ વિમાન કોરિયન ઍરના હતા.
ક્વાન્ટસ ઍરલાઈનના નિવેદન પછી ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ બોઈંગના એક પ્રવકતાએ સિડનીમાં કહ્યું હતું કે કુલ ૧૦૦૦ વિમાનમાંથી પાંચ ટકા જેટલા વિમાનમાં તિરાડ મળી આવી છે અને રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રવકતાએ આંકડો જણાવ્યો ન હતો પણ પાંચ ટકા એટલે ૫૦ વિમાન છે, એમ કહી શકાય છે.
ઑસ્ટ્રેલિયાના એવિયેશન રેગ્યુલેટરના એક પ્રવકતાએ કહ્યું કે સેફટી પ્રોબ્લેમનો શરૂઆતી તબક્કામાં જ નિકાલ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયાની વર્જિન ઍરવેઝના ૧૭ બોઈંગ ૭૩૭એનજી વિમાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પણ કોઈ ખામી મળી ન હતી.
ક્વાન્ટસના એન્જિનિયરિંગ વિમાગના વડા ક્રિસ સ્નૂકે કહ્યું કે ‘વિમાન સંપૂર્ણ રીતે સલામત ન હોય ત્યાં સુધી અમે કોઈ પણ વિમાનને ઉડ્ડયન કરવા દેતા નથી.’
સ્નૂકે કહ્યું કે ‘ક્રેક હોવા છતાં વિમાનની સુરક્ષા તાત્કાલિક જોખમાતી નથી.’ ઑસ્ટ્રેલિયાની સ્વાઈન બર્ન યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજીના એક એવિયેશન એક્સપર્ટે કહ્યું કે પાર્ટ્સની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે થોડી ક્ષતિ અથવા ખરાબી હોય તો માળખું સહન કરી શકે છે.
બોઈંગના પ્રવકતાએ કહ્યું કે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા કંપની સતત પ્રયત્નશીલ છે. અમારા ગ્રાહકો સાથે અમે સંપર્કમાં છીએ અને જરૂરી પાર્ટ્સ, ટૅક્નિકલ ગાઈડન્સ પણ આપતા રહીશું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now