CIA ALERT

Alert Archives - Page 264 of 511 - CIA Live

April 17, 2020
kedarnath2020.jpg
1min5470

ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.

કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.

કેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.

કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.

April 17, 2020
coronaguj-1280x875.jpg
7min11730

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1127

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

Reported on 17 April 2020

અમદાવાદમાં દર 24 મિનિટે એક કેસ : સૂરતમાં કેસોની સદી : સ્વયંશિસ્તનો અભાવ કરફ્યુ તરફ દોરી રહ્યો છે : શાકભાજી અને ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

તા.17મી એપ્રિલે સવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1000 ને પાર થઇને 1021 પર પહોંચી હતી. સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે 590, બીજાક્રમે વડોદરા ખાતેથી 137 અને ત્રીજા ક્રમે સૂરતમાં 102 કેસો થયા છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,021 પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં સમગ્ર રાજ્યમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 45, સુરતના 14, વડોદરાના 9, આણંદના 1, ભરુચના 8, બોટાદના 3, છોટા ઉદેપુરના 1, દાહોદના 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ જિલ્લાના 2 અને પાટણ જિલ્લાના 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં બે દર્દીઓના મોત થયા છે, જેમાં એક વડોદરા અને બીજા અમદાવાદના રહેવાસી હતા. આ બંને દર્દ હાયપર ટેન્શનની બીમારી પણ ધરાવતા હતા. હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં કુલ 901 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે વેન્ટીલેટર સપોર્ટ પર હોય તેવા દર્દીઓની સંખ્યા 8 છે. રાજ્યમાં અત્યારસુધી 74 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે, જ્યારે 38ના મોત થયા છે.

સૂરત શહેરમાં 17મી એપ્રિલે સવારે સૂરત મ્યુનિ. કોર્પોરેશને આપેલી સત્તાવાર ડિટેઇલ

સૂરતમાં શાકભાજી ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

સૂરત શહેરની વાત કરીએ તો શાકભાજી અને ફ્રુટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી. લોકો ગમે ત્યારે શાકભાજી, ફ્રૂટ લેવા રસ્તા પર નીકળી પડતા જોવા મળે છે. જે લોકો ખાણીપીણીના ધંધામાં હતા, એ બંધ થતા હવે એવા તમામે, તેમજ બેરોજગાર થયેલા મજૂરો, લેબર તમામે મોટા ભાગે શાકભાજી અને ફ્રુટ્સના ધંધા શરૂ કરી દીધા છે. શહેરના મુખ્યમાર્ગોથી લઇને સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોની બહાર, દરેક નાના મોટા ચાર રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં શાકભાજી, ફ્રુટવાળાઓની રેકડીઓ, લારીઓ, સાઇકલ લારીઓ, ફૂટપાથો પર ઢગલા જોવા મળે છે. આ લોકોને કારણે લોકો ગમે ત્યારે લૉકડાઉન છે એવી સ્વયંશિસ્ત જાળવ્યા વગર ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે.

Gujart update on 17 April 11 am

અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનિટે એક કેસ મળ્યો

અમદાવાદની સ્થિતિ વિકટ હોવાનું જણાવતા મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શ્રી વિજય નેહરાએ જમાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 302 નવા કેસો નોંધાયા હતા. પાંચ દિવસ પૂર્વે અમદાવાદમાં 242 કેસો હતા. જેમાં 302 ઉમેરાયા. અમદાવાદમાં દરરોજ 60.4 કેસો મળ્યા છે. બીજી રીતે કહીએ તો અમદાવાદ ખાતે દર 24 મિનિટે કોરોનાનો એક પોઝીટીવ કેસ મળી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. અમદાવાદમાં આગામી દિવસોમાં દૈનિક 100 કેસો પણ મળવા સંભવ છે કેમકે અમદાવાદ ખાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરવામાં આવ્યું છે. કરફ્યુ મૂકાયો હોવા છતાં અમદાવાદના વિસ્તારોમાં લોકો બેરોકટોક બહાર નીકળી રહ્યા છે.

ગુરુવારે ગુજરાતમાં 163 કેસો મળી આવતા ચિંતાનું મોજું

ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 163 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 929એ પહોંચી ગયો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા હતા, તેમાંથી 53 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં થલતેજ, નવરંગપુરા, નરોડા, સારંગપુર, કાળુપુર, બહેરામપુરા, જમાલપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, નિકોલ અને વટવા વિસ્તારમાં આ કેસો નોંધાયા છે.

ગુરુવારે રાત્રે 8 વાગ્યે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જે નવા 58 કેસ નોંધાયા છે, તેમાંથી એકલા અમદાવાદના જ 53 કેસ છે. આ ઉપરાંત સુરતમાં 2 જ્યારે વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં જે 58 નવા કેસો નોંધાયા છે, તેમાં 34 પુરુષો અને 24 મહિલાઓ છે. સાથે જ તેમણે જણાવ્યું કે, 9 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે રાજ્યમાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ધંધા-રોજગારોને 20મીથી છૂટછાટ

કોરોનાના સંદર્ભમાં ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે તેમજ ૨૦મી પછી હોટસ્પોટ અને કોરોના રેડ ઝોન સિવાયના જિલ્લાઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની આ જાહેરાત મુજબ ઉદ્યોગ અને વાણિજ્યીક સેક્ટરોને શરતી છૂટછાટ આપવાનું નકકી કર્યું છે.

ગુજરાતમાં પણ તા. ૩જી મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે ત્યારે આ છૂટછાટ ક્ધટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. વાણિજ્યીક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિ. કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના ડભોઈમાં પાન મસાલા ચોરનારને કોરોના પોઝિટિવ, ઝબ્બે કરનાર પોલીસ પણ સંક્રમણનો શિકાર

વડોદરાના ડભોઇ ખાતે તાજેતરમાં લૉકડાઉન દરમિયાન કરીયાણાની દુકાનમાં લૂંટ કરનાર બે લોકોને પોલીસ કોન્સ્ટેબલે ઝડપી પાડ્યા હતા આ લૂંટ કરનારા બે પૈકી એકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે તેને પકડનાર પોલીસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોલીસ જવાનનો પણ કેસ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં નિરાશા ફરી વળી હતી.

હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ઝાલાએ કરિયાણાની દુકાનમાંથી 4,625 રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કરનાર આયુબ તાઈ અને તેના સાથી કુલદીપ શર્માની ધરપકડ કર્યાના એક દિવસ બાદ એટલે ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આયુબ તાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શર્માનો રિપોર્ટ નેગેટિવ.

દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર

ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.

16 April : દેશમાં કોરોનાના ૧૨૩૮૦ દર્દીઓ, છેલા ૨૪ કલાકમાં ૯૪૧ નવા કેસ 

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૩૮૦ થઇ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધી ૪૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૭ લોકોના મોત નીપજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવઅગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, ૩૨૫ જીલ્લામાંથી એક પણ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો નથી. દેશમાં ૧૦,૪૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૧૪૮૯ લોકો અત્યાર સુધી રીકવર થયા છે. હેલ્થ કેરમાં ખાસ મેડ ઇન ઇન્ડિયા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ પેયજળને લઈને પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

World update

દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.

April 16, 2020
zones_map-surat.jpg
1min5900

સુરતમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા હોટસ્પોટ વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સુરતના 5 વિસ્તારો જેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતમાં આજે મઘરાતની કરફ્યુ લાગુ કરવામાં આવશે. જેનો 22 એપ્રિલ 2020 સુધી અમલ કરવાનો રહેશે.

કરફ્યુ દરમિયાન બપોરે 1થી 4 દરમિયાન માત્ર મહિલાઓ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકશે. વિડીયો કોન્ફરન્સ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે મધરાતેથી 22 એપ્રિલ 2020 સુધી સુરત શહેરમાં 4 પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતના કમરૂનગર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેસ સામે આવ્યા છે તેવા 5 વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

એ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝા, ACS સંગીતા સિંહ, સુરતના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

April 16, 2020
coronaresearch-1280x720.jpg
1min13850

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

April 16, 2020
plazma.jpg
1min689

કોરોના સામે લડવા માટે એક અમોઘ શસ્ત્ર એટલે કે કારગર ટેક્નિક મળી છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ ટેક્નિકની કોઇ સાઇડ-ઇફેક્ટ પણ નથી. આ ઇલાજ બેહદ સસ્તો પણ છે. અમેરિકામાં કોરોના વાઇરસગ્રસ્ત કેટલાક ભારતીય-અમેરિકન દર્દીઓ પર આ ટેક્નિકથી સારવાર કરવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. ચીનમાં પણ પ્લાઝમા આપ્યા બાદ ૭૨ કલાકમાં દર્દીમાંથી કોરોનાનાં લક્ષણ ખતમ થવા માંડ્યાં હતાં અને દર્દીઓ સાજા થઇ ગયા હતા.

આ ટેક્નિકનું નામ કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપી છે. ભારતમાં આ થેરેપીની ટ્રાયલ કરવા માટે આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ મંજૂરી આપી દીધી છે. હાલમાં કોરોનાના ફક્ત ગંભીર અસરગ્રસ્ત દર્દીઓ પર પ્રતિબંધિત ઉપયોગ માટે જ પ્રાયોગિક ઉપચાર પ્લાઝમા થેરેપીને મંજૂરી મળી છે.

આ થેરેપીથી કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવાર કરનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ સારવાર પદ્ધતિ બેહદ પારંપરિક અને ભરોસાપાત્ર છે. ઘણા રોગ સામે આ થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કારગર નીવડ્યો છે. આ અત્યંત બેઝિક ટેક્નિક છે જેનો લાભ કોઈ પણ દેશ લઈ શકે છે. આવો આપણે કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપી વિશે જાણીએ.

બેક્ટેરિયાના ચેપની સામે લડવા માટે આપણી પાસે અસરકારક એન્ટિબાયોટિક્સ દવાઓ છે, પરંતુ અસરકારક એન્ટિવાઇરલ દવાઓ નથી. જ્યારે પણ કોઈ નવો વાઇરસ ફાટી નીકળે છે ત્યારે તેની સારવાર માટે કોઈ દવા હોતી નથી. ૨૦૦૯-૧૦માં એચ૧એન૧ ઇનફ્લુએન્ઝા વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પ્લાઝમા થેરેપીની સારવાર મેળવનારી વ્યક્તિઓ સાજી થઈ હતી અને મૃત્યુદરમાં પણ ઘટાડો થયો હતો. ટૂંક સમય પહેલાં જ્યારે ઇબોલા અને સાર્સનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પણ આ જ પદ્ધતિથી રોગીઓની સારવાર કરવામાં આવી હતી જે ઘણી ઉપયોગી નીવડી હતી.

આ થેરેપી રસીકરણથી કેવી રીતે અલગ છે તે સમજવાની કોશિશ કરીએ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ એક રોગ માટે રસી આપવામાં આવે છે ત્યારે તેના શરીરની રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડી ઉત્પન્ન કરે છે જેનાથી એ રોગ સામે રક્ષણ મળે છે. અને આ એન્ટિબોડીઝ તેના શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહે છે. પછીથી જ્યારે રસી અપાયેલી વ્યક્તિને ક્યારેક ચેપ લાગે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ નિષ્ક્રિય પડી રહેલા એન્ટિબોડીઝ મુક્ત કરે છે જે રોગના ચેપને બેઅસર કરે છે અને વ્યક્તિ સાજી થઇ જાય છે. રસીકરણથી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન થાય છે. કોરોનાના ઇલાજ માટે રસીની શોધ અને સંશોધનો ચાલુ છે પરંતુ એની માટે છ મહિનાથી લઇને એકાદ વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેથી હાલમાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે પ્લાઝમા થેરેપી પર જ નિર્ભર રહેવું પડે તેમ છે.

હવે પ્લાઝમા થેરેપી શું છે એ વિશે જાણીએ. સૌપ્રથમ આપણે પ્લાઝમા વિશે જાણીએ. આપણા શરીરમાં જે લોહી હોય છે તેમાં ૫૫ ટકા પ્લાઝમા હોય છે જે રક્તમાં રહેલા લાલ કણ અને શ્ર્વેત કણને પ્રવાહી પદાર્થ ઉપલબ્ધ કરાવે છે.

રોગીઓને ઉચિત માત્રામાં પ્લાઝમા આપવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે. જે વ્યક્તિ કોરોનાના રોગમાંથી સાજો થયો છે તેના શરીરમાંથી બ્લડ લેવામાં આવે છે અને તેમાંથી સિરમ (પ્લાઝમા) છૂટો પાડવામાં આવે છે અને તે કોરોનાના રોગ માટેના એન્ટિબોડીઝથી સમૃદ્ધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી આ સિરમ કોરોનાના દર્દીને આપવામાં આવે છે. રસીથી વિપરીત એન્ટિબોડી સિરમ દર્દીના શરીરમાં ત્રણથી ચાર દિવસ રહે છે. યુએસએ અને ચાઇનાના સંશોધન અહેવાલો સૂચવે છે કે ટ્રાન્સફ્યુઝન પ્લાઝમાની ફાયદાકારક અસર ત્રણથી ચાર દિવસમાં જોવા મળે છે અને તે ધીમે ધીમે સાજો થઇ જાય છે. આ સમય દરમિયાન દર્દી આડકતરી રીતે કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ મેળવે છે. તેના લોહીમાં એન્ટિબોડીઝ પેદા થાય છે જે રોગ સામે લડે છે. જેમ આપણે કોઈ રોગ માટે રસી લઈએ અને એ રસી શરીરમાં એ રોગના એન્ટિબોડીઝ બનાવે જે શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહેતા હોય છે અને જરૂર પડે ત્યારે સક્રિય થઇને રોગનો ખાતમો બોલાવે છે તેવી જ રીતે કોરોનાના દર્દીને અન્ય સાજા થઇ ગયેલા દર્દીના લોહીમાંથી આપવામાં આવેલા સિરમમાંના એન્ટિબોડીઝ સાજા થવામાં અને રોગનો ખાતમો બોલાવવામાં મદદ કરે છે.

કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપીનો ઇતિહાસ ઘણો જૂનો છે. ૧૮૯૦ની સાલમાં એક જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહરિંગે શોધી કાઢ્યું કે ડિપ્થેરિયાથી સંક્રમિત સસલામાંથી મેળવેલો સિરમ (પ્લાઝમા) ડિપ્થેરિયા ચેપને રોકવા માટે અસરકારક હતો. બેહરિંગને ૧૯૦૧માં પ્રથમ વખત દવા માટેનું નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું. તે સમયે એન્ટિબોડીઝ જાણીતા ન હતા. કોન્વેલેસેન્ટ સિરમ થેરેપીની અસરકારકતા વિશે ઝાઝી જાણ નહોતી.

જોકે, આ સારવાર પદ્ધતિ સામે પણ ઘણા પડકાર રહેલા છે. આ પ્રકારના ઉપચારમાં મુખ્યત્વે રોગમાંથી બચી ગયેલા અથવા તો રોગ સામે લડત આપીને સફળ થયેલા લોકો જ પ્લાઝમાના દાતા બની શકે છે અને તેમની પાસેથી જ પ્લાઝમા મેળવવામાં આવે છે જેમાં મુશ્કેલી આવી શકે છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો પાસેથી પ્લાઝમાની નોંધપાત્ર માત્રા મેળવવામાં મુશ્કેલીને કારણે તેનો ઉપયોગ સરળ નથી.

કોરોના જેવા રોગમાં જ્યાં મોટા ભાગના લોકો વૃદ્ધ હોય છે અને હાઈપરટેન્શન, ડાયાબિટીસ જેવી વ્યાધિઓથી પીડાતા હોય છે તેથી તેમની પાસેથી રક્ત લઈ શકાતું નથી. આ ઉપરાંત જે બ્લડ ગ્રુપ ધરાવતા સાજા થયેલા દર્દીનું રક્ત લીધું હોય તે બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીને જ તે આપી શકાય છે.

આ ઉપરાંત પ્લાઝમાના દાતાની હેપેટાઇટિસ, એચ.આઇ.વી., મેલેરિયા વગેરે જેવા રોગ માટે પણ તપાસ કરવી જરૂરી છે જેથી તેઓ રિસીવરને કોઈ જુદા રોગ પેદા ન કરે.

April 16, 2020
trumph.jpg
1min5340

ચીનમાં કોરોના વાઈરસ સૌપ્રથમવાર દેખાયા બાદ તેને વધુ ફેલાતો અટકાવવાની તેની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ જવા બદલ અમેરિકાએ વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનને દર વરસે અમેરિકા તરફથી આપવામાં આવતું ૫૦ કરોડ ડૉલરનું ભંડોળ અટકાવી દેવાની અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. ગયા વર્ષના નવેમ્બરમાં ચીનના હુબેઈ પ્રાન્તના વુહાન શહેરમાં સૌપ્રથમવાર જીવલેણ કોરોના વાઈરસ દેખાયા બાદથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે વિશ્ર્વરભરમાં ૧,૧૯,૦૦૦ કરતા પણ વધુ લોકોનાં મોત થયાં હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ વાઈરસે અમેરિકામાં અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો છે, એમ જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટીએ જણાવ્યું હતું.

કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવામાં વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનની ભૂમિકામાં જોવા મળેલી અવ્યવસ્થાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે ત્યારે હું વહીવટીતંત્રને વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનને આપવામાં આવતું ભંડોળ રોકી દેવાની સૂચના આપું છું, એમ ટ્રમ્પે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનમાં શું ચાલી રહ્યું છે તે બધા જ જાણે છે. ટ્રમ્પ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ અગાઉ જીનિવાસ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પર વિશ્ર્વના સૌથી મોટા ગણાતા અર્થતંત્રને સ્થગિત કરી દેનાર કોરોના વાઈરસને મામલે ચીનનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી ઍન્ટોનિયો ગ્રટ્રૅસે કહ્યું હતું કે વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનના સ્રોતો પર કાપ મૂકવાનો આ સમય નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા આરોગ્યના જોખમ અંગે વિશ્ર્વના તમામ દેશોને સમયસર માહિતી આપવાનું કામ વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનનું છે અને તે તેની આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું હોવાને કારણે કોરોના મહામારીના પરિણામ માટે પણ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા જવાબદાર હોવાનો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો.

April 15, 2020
closed.png
2min5140
  • All domestic and international air travel of passengers except for security purposes
  • All passenger movement by trains, except for security purposes
  • Buses for public transport
  • Metro rail services
  • Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
  • All educational, training, coaching institutions etc. shall remain closed
  • All industrial and commercial activities other than those permitted
  • Hospitality services other than those specifically permitted
  • Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
  • All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
  • All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
  • All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
  • In case of funerals, congregation of more than twenty persons will not be permitted
April 15, 2020
jaanjahaan.jpg
3min16130

હોટસ્પોટ એરીયામાં લૉકડાઉન છૂટછાટો લાગૂ પડશે નહીં

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આજે તા.15મી એપ્રિલે 20મી એપ્રિલથી લૉકડાઉન દરમિયાન કેટલીક પ્રવૃતિઓને ચુસ્ત નીતિ નિયમોના પાલન કરવાની શરત સાથે છુટછાટ આપવાની જાહેરાત કરી છે. અહીં અમે તેનું ગુજરાતી તેમજ અંગ્રેજી અનુવાદ લખી રહ્યા છે. અમારું ઇન્ટરપ્રિટેશન અને સરકારના નોટિફિકેશન વચ્ચે ભેદ હોઇ શકે. અહીં ફક્ત અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાચકોને સરકારના નોટીફિકેશનનો રેફરન્સ જ ઉપયોગમાં લેવા જણાવવામાં આવે છે.

તદુપરાંત હોટસ્પોટ, ક્લસ્ટર કોરન્ટાઇન વિસ્તારમાં કોઇપણ પ્રકારની છૂટછાટો આપવામાં આવનાર નથી. નોટીફિકેશન ગાઇડલાઇન્સ હોટસ્પોટ એરીયાને લાગૂ પડતી નથી.

Activities permitted April 20 onwards

Specific activities have been allowed April 20 onwards which will be operationalized by states, UTs and district administrations while adhering to social distancing measures.

However, exemptions given from April 20 will not be applicable in Covid-19 hotspots or containment zones and industries operating in rural areas will be able to operate only after April 30:

આટલી કામગીરીને આંશિક રીતે છૂટછાટ મળશે

  • ખેતી, હોર્ટિકલ્ચર, ફાર્મિંગ, ખેત પેદાશો હેરફેર, લે-વેચ, લેવડ-દેવડ
  • મત્સ્યોદ્યોગ, એકવા કલ્ચર, ઝીંઘા ફાર્મ તેમજ તેના ઉછેર અંગેની પ્રવૃતિઓ
  • આયુષ સમેતની તમામ પ્રકારની મેડીકલ સર્વિસીઝ
  • ફાર્મ મશીનરી, સ્પેરપાર્ટસ, સપ્લાય ચેન, રિપેરિંગ, મશીનરી સંબંધિત કસ્ટમ હાયરિંગ સેન્ટર
  • દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ, મેડીકલ ડીવાઇસ, મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રકશન કામગીરી
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ તેના દ્વારા સંચાલિત નાણાકીય બજારો અને આનુષંગિક પ્રવૃતિઓ
  • હાઇવે ધાબા, ટ્રક રિપેરિંગ શોપ્સ, સરકારી પ્રવૃતિઓ માટેના કોલ સેન્ટર્સ
  • બાળકો, દિવ્યાંગો, માનસિક વિકલાંગો માટેની પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ
  • સોશ્યલ ડિસ્ટન્સીંગનો કડક અમલ સાથે મનરેગા યોજનાઓ
  • ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ તેમજ પોસ્ટલ સર્વિસીઝ, વીજ ઉત્પાદન એકમો વગેરે પબ્લિક યુટિલિટીઝ યુનિટ્સ,
  • મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન્સ, એક્સપોર્ટ ઓરીએન્ટેડ યુનિટ્સ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ, ટાઉનશીપ્સ

What allowed

  • Agricultural, horticultural, farming, procurement of agri products, ‘mandis’
  • Fishery, aquaculture and plantation activities
  • All health services (including AYUSH)
  • Shops of farm machinery, its spare parts, supply chain, repairs, ‘Custom Hiring Centres’ related to machinery
  • Manufacturing units of pharmaceuticals, medical devices, construction of medical infrastructure
  • Reserve Bank of India & RBI-regulated financial markets and entities
  • Highway ‘dhabas’, truck repairing shops, call centres for govt activities
  • Operation of homes for children/ disabled/ mentally challenged/ senior
  • MNREGA works will be allowed with strict implementation of social distancing
  • Public utilities like operations of oil and gas sector, postal services, power generation etc.
  • Manufacturing, industrial units with access control in SEZs, Export Oriented Units, industrial estates, townships
April 14, 2020
coronaguj-1280x875.jpg
13min22770

દેશના 170 હોટસ્પોટમાં ગુજરાતના સૂરત સમેત 5 જિલ્લાઓ : ગુજરાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરતા કેસો મળવાના શરૂ થયા

રાજ્યમાં તા.16મી એપ્રિલે સવારે 10 વાગ્યે આરોગ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 105 કેસો મળ્યા હતા. જેમાંથી 42 અમદાવાદ અને 35 સૂરતના છે. સૂરતમાં ઉમરવાડા, કતારગામ, માનદરવાજા, મીઠીખાડી અને રૂસ્તમપુરા ખાતે નવા કેસો મળ્યા હોવાનું તેમણે બ્રિફીંગમાં જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં કોરોના સ્થિતિ અંગે માહિતી માટે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 કલાકમાં વધુ 105 કેસ સાથે કુલ કેસનો આંકડો 871 પર પહોંચી ગયો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 64 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,000થી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2971 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં પાછલા કલાકમાં અમદાવાદ અને સુરતમાં વધુ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણીનગર, મેમનગર, સરસપુર અને ગોમતીપુરમાં નવા કેસનો નોંધાયા છે. જ્યારે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી, રુસ્તમપુરામાં નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં મળેલા નવા કેસોની વિગત

સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો તા.15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે 64 હતો જેમાં 22 વધારા સાથે તા.16મી એપ્રિલે સવારે એ વધીને 86 થઇ ગયો છે.

ગુજરાતના કુલ કેસો તા.16મી એપ્રિલે સવારે 11 વાગ્યે

દેશમાં 170 અને ગુજરાતમાં 5 જિલ્લાઓ હોટસ્પોટ જાહેર

કોરોના વાયરસથી અસરગ્રસ્ત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (રેડ ઝોન) તરીકે તેમજ સંક્રમણની હાજરી ધરાવતા 207 જિલ્લાઓને નોન હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ બાકીના જિલ્લાઓમાં જો વાયરસનું સંક્રમણ નહીં હોય તો તેમને ગ્રીન ઝોન હેઠળ મુકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના આ માપદંડ હેઠળ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર છે તેવા જિલ્લા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટ (hotspot districts with large outbreaks ) જાહેર કરવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જે વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાતું હોય તે જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ જો સંક્રમણવાળા વિસ્તારમાં એક જ સ્થાન પર સંક્રમણના ઓછામાં ઓછા 15 કેસ થાય તો તેને એક ‘ક્લસ્ટર’ માનવામાં આવશે. આ માપદંડ અનુસાર ગુજરાતનો પાટણ જિલ્લો ક્લસ્ટર ઝોન જાહેર થયો છે.

ગુજરાતમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાની મંજૂરી મગાઇ

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.

આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે. કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.

ગુજરાતમાં રિકવરી રેટમાં ગાંધીનગર પ્રથમ

ભાવનગરમાં અત્યાર સુધીમાં જે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં સાત કેસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા ભાવનગરમાં દર્દીઓના સાજા થવાનો દર ૨૬.૯૨ ટકા છે. જ્યારે

  • ગાંધીનગર પ્રથમ ક્રમે છે જ્યાં પોઝિટિવ દર્દીનો સાજા થવાનો દર ૪૬.૬૭ ટકા છે. ત્યાં ૧૫ પૈકી સાત દર્દી સાજા થઇ ગયા છે. તો
  • બીજા ક્રમે રાજકોટ છે જ્યાં ૧૮ પૈકી ૮ દર્દી સાજા થઇ જતાં ટકાવારી ૪૪.૪૪ છે. તો
  • ત્રીજા ક્રમે પાટણ છે જ્યાં સાજા થવાનો દર ૨૮.૫૭ ટકા છે.
  • ચોથા ક્રમે ભાવનગર છે.

મૃત્યુ દરમાં ગુજરાતના શહેરોની તુલના

ભાવનગરમાં મૃત્યુદર ઉંચો છે. ભાવનગરમાં ૨૬ દર્દીમાં ત્રણના મોત થતાં ટકાવારી ૧૧.૫૪ ટકા થઈ છે. સુરતમાં મૃત્યુદર ૪૦ દર્દીમાં ચારના મોત થતા ટકાવારી ૧૦ ટકા છે. આમ રાજ્યમાં ભાવનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. જોકે વડોદરામાં પણ પાંચ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે અહીં કુલ પોઝિટિવ કેસ ૧૧૬ ઉપર પહોંચ્યો છે.

લોકડાઉનનું પાલન ન કરે તે વિસ્તારમાં ‘કોરોના કરફ્યૂ’ લદાશેઃ DGPની ચેતવણી

રાજ્યના DGP શિવાનંદ ઝાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, લોકડાઉનનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવશે. લોકોના હિત માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ અપીલ કરતી આવી છે, છતાં અનેક લોકો તેનું પાલન કરતાં નથી અને કોરોના વકરે તેવી પ્રવૃત્તિ કરે છે. આ કારણે પોલીસ પાસે લોકડાઉનનું પાલન થતું ન હોય તે વિસ્તારમાં કરફ્યૂ લાદવાનો વિકલ્પ જ બચે છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવાયો છે ત્યાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી  રહ્યાં છીએ. પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે અને જનતા લોકડાઉનનું કડક પાલન કરે. 

કોરોના રસીશોધની દિશામાં ગુજરાતની લેબને મહત્વની લીડ મળી

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

Reported on 15 April 2020

કોરોનાથી મુક્ત વિસ્તારોમાં ચેપ નહીં ફેલાય એની ખાસ તકેદારી : એક દર્દીના મોત સાથે સૂરતમાં મૃત્યુઆંક 5

ગુજરાતમાં આજે તા.15મી એપ્રિલે સવારે પૂરા થયેલા 12 કલાક દરમિયાન ગુજરાતમાંથી કોરોના પોઝીટીવના વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો પોઝિટીવ દર્દીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 30 થઇ છે.

આજે તા.15મી એપ્રિલે સવારે વધુ નવા ત્રણ પોઝિટીવ કેસ આવ્યા છે. વધુમાં રાંદેરની ૪૫ વર્ષિય મહિલા યાસ્મીનના મોત સાથે કુલ મોતની સંખ્યા 5 પર પહોંચી છે. સૂરતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 50 થઇ છે જેમાં 2 કેસ જિલ્લા વિસ્તારના છે.

India at glance

  • Cases : 12,380
  • Deaths : 414
  • Recovered : 1,489
  • Active Cases : 10,477

India Statewise on 16 April 11 am

StateCaseDeathRecover
MH2916187295
DL15783240
TN124214118
RJ10233147
MP9875364
GJ7663364
UP7351151
TG64718120
A.P.5251420
KL3883218
JK300436
KA2791280
WB231742
HR205343
PB1861327
BR70129
OR60118
UK3709
HP35116
CG33017
AS3310
JH2820
CH2107
Leh17010
AN11010
PY701
ML710
GA705
MN201
TR201
MZ100
AR100
NL000

ગુજરાતમાં 15 એપ્રિલે સવારે મળેલા કેસોની વિગતો

તા.15મી એપ્રિલે સવારે 10 કલાકે ગુજરાતનું કોરોના સ્ટેટસ અપડેટ

કેન્દ્ર સરકારે તા.15મી એપ્રિલે જાહેર કરેલી લૉકડાઉન સંદર્ભની ડિટેલ્ડ ગાઇડલાઇન માટે નીચેની લિંક ક્લીક કરો

https://mha.gov.in/sites/default/files/PR_Consolidated%20Guideline%20of%20MHA_28032020%20%281%29_1.PDF

આજરોજ તા.15મી એપ્રિલથી ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક નવા અભિગમ સાથે રણનીતિનો અમલ કરી રહ્યા છે. હવે સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ લંબાવવામાં આવ્યું છે.

દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે. રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.

મંગળવાર રાત્રે 8 વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.

મહારાષ્ટ્રમાં મંગળવારે 350 નવા પોઝીટીવ કેસો અને આ જ રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં મંગળવાર તા.14મીએ કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.

ભારતમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં મંગળવારે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં મંગળવારે રાત સુધીની સ્થિતિ

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ સામે આવ્યા છે. આમ, ગઈકાલ રાતથી અત્યારસુધી રાજ્યમાં કુલ 78 નવા કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં બે દર્દીના મોત પણ થયા છે. આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજના દિવસમાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં ભાવનગરના બે, અમદાવાદના બે, અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.

મંગળવારે રાત્રે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા હતા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૯૮૦ જેટલા સેમ્પલ ટેસ્ટિંગને અંતે કુલ ૬૧૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૬ દર્દીઓનો મોત થઇ ચૂક્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૫૧ કેસ નોંધાયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરન્ટીન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરન્ટીન, ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બીજી બાજુ ૨૦ જિલ્લાઓમાં કોરોના વાઈરસ પ્રસરી ચૂક્યો છે. જિલ્લા દીઠ કોરોનાના આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૩૫૧ કેસ અને ૧૩ દર્દીઓના મોત, વડોદરામાં ૧૦૮ અને ત્રણના મોત, સુરતમાં ૪૩ કેસ અને ચાર દર્દીઓના મોત, ભાવનગરમાં ૨૬ કેસ અને બે ના મોત, ગાંધીનગરમાં ૧૬ કેસ અને એકનું મોત, પાટણમાં ૧૪ કેસ અને એકનું મોત, પંચમહાલમાં બે કેસ અને એકનું મોત, જામનગરમાં એક કેસ અને એકનું મોત થયું હતું. કુલ ૬૧૭ કેસમાંથી ૩૩ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા ૩૩, આંતરાજ્ય પ્રવાસ કરનારાં ૩૪ અને લોકલ ૫૫૦ દર્દીઓના સમાવેશ થાય છે. કુલ ૨૬ના મોત થયાં છે, જેમાં વિદેશ યાત્રા કરનારાં ત્રણ અને આંતરરાજ્ય પ્રવાસ કરનારાં ત્રણ તેમજ ૨૦ લોકલ દર્દીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે.

ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં. અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Reported on 14 April 2020

ભારતમાં 15 એપ્રિલથી Lockdown 2.0 : કેસોની સંખ્યા 10,000ને પાર

ગુજરાતમાં તા.13મી એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી તા.14મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 42 નવા કેસો ઉમેરાયા હોવાની માહિતી રાજ્યના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા 14 એપ્રિલ સવારે 11 વાગ્યે

ભારતમાં 3 મે સુધી લોકડાઉન.02, 20 એપ્રિલ સુધી અત્યંત સખ્તાઈથી થશે અમલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે તા.14મી એપ્રિલે સવારે 10 કલાકે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે.

તેમણે કહ્યું કે નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે. આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે. જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.

જોકે, આ છૂટછાટ શરતી હશે, અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે, અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.

ભારતમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓ

કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.

ભારતમાં આંકડો 10 હજારને પાર (14 એપ્રિલ સવારે 11 વાગ્યે)

  • Cases : 10,363
  • Deaths : 339
  • Recovered : 1,036
  • Active Cases : 8,988
STATECaseDeathRecover
MH2334160217
DL15102830
TN11731158
RJ873321
MP6044344
TG56216100
UP558549
GJ5392654
AP432711
KL3793198
JK270416
KA247659
WB190736
HR185329
PB1671114
BR65126
OR54112
UK3505
HP32113
CG31010
AS3110
JH2420
CH2107
LADAKH15010
AN11010
PY701
GA705
MN201
TR200
NL100
MZ100
AR100

ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67% વધવા સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.

ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.

April 13, 2020
farmers.jpg
1min13240

દેશના વિવિધ વિસ્તારોમાં રવી પાકની લણણી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં ઘઉં, ચણા સહિતના અન્ય પાકની મોટાપાયે આવક શરૂ થશે પરંતુ લોકડાઉનના કારણે ખાનગી વાહન વ્યવહાર બંધ હોવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન પણ સ્થગિત થઇ ગયું છે.

વિવિધ માલને લોડ/અનલોડ કરવા માટે મજૂરો પણ ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રતિકૂળ સંયોગો ઉભા થયેલા છે. અત્રે એ ઉલ્લેેખનીય રહેશે કે આ વરસે ચોમાસુ સારૂ રહેતા તમામ સ્તરે પાકમાં વધારો થવાના ગણિત મંડાયેલા છે.

હાલની પ્રતિકૂળ સ્થિતિમાં પાકને ખેતરથી બજાર સુધી લાવવો એ ખૂબ અઘરી બાબત છે. આ સંજોગોમાં વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો અને કૃષિ મંડળીઓ દ્વારા જે તે રાજ્ય સરકાર સમક્ષ કૃષિ પાકના વહન માટે લોકડાઉનની અમલમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે.

મધ્ય પ્રદેશના ખેડૂત સંગઠનો દ્વારા વિવિધ જણસોના ભાવમાં થયેલ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. મધ્ય પ્રદેશના ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે અહીંના બજારો બંધ થયા તે પહેલા જ મધ્ય પ્રદેશમાં ચણા અને મસ્ટર્ડ (રાઇ)ના ભાવ ટેકાના ભાવથી ૨૦ થી ૩૦ ટકા નીચા ચાલતા હતા.

આમ પણ નવા પાકની આવકો બજારમાં મોટાપાયે ઠલવાય તે સાથે જે તે જણસના ભાવ પણ ઘટતા હોય છે. તેથી આ મુદ્દાને લઇને મધ્ય પ્રદેશના ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. આ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્ધસોર્ટીયમ ઓફ ઇન્ડિયન ફાર્મર્સ એસોસીએશને લણણીની આ સિઝનને ધ્યાનમાં રાખી લોકડાઉનમાં છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રોસરી ચેઇન્સ, ઇ-કોમર્સ કંપનીઓ તેમજ વેપારીઓને સીધા ખેતરમાંથી જ ખરીદી કરવા છૂટ આપવા રજૂઆત કરાઇ છે.