આજે 26.05.2020 ને મંગળવારના રોજ ચુંદડીવાળા માતાજી દેહાવસાનથી સમસ્ત બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત પાસે નિવાસ સ્થાન બનાવીને રહેતા ચુંદડીવાળા માતાજીએ 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કર્યો હતો.
ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા પ્રહલાદભાઈ જાનીએ અરવલ્લીની ગિરિકંદરાઓમાં અન્નજળનો ત્યાગ કરીને તપસ્વીની જેમ ધુણી ધખાવી હતી. તેમને તેમના વતન ચરાડામાં અંતિમ શ્ર્વાસ લીધા. આજે મંગળવાર અને બુધવાર સુધી તેમના પાર્થિલ દેહને અંબાજી ખાતે દર્શનાર્થીઓ માટે રાખવામાં આવેલ છે.
નર્મદા બંધ હાલમાં ૧૨૧.૨૮ મીટરે પહોંચ્યો છે. ઉનાળામાં આ સમયે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી નોંધાઈ છે. બંધમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી ગુજરાતના અન્ય જીલ્લાઓમાં ઉનાળુ સિઝનમાં પાણી પહોંચાડવામાં પણ સરળતા રહેશે.
નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના વીજ મથકના ટર્બાઇન ચાલુ થતાં તેમાંથી ડિસ્ચાર્જ પાણી સીધું જ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ૧૦૭૭૬ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવામાં બંધ સક્ષમ બન્યો છે.
ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં પાણીની માગ વધતા સૌની યોજના થકી ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધની મુખ્ય કેનાલમાં ૫ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ માર્ગે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા લગાવ્યા બાદ ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. આ વર્ષે પણ સારા વરસાદના એંધાણ છે એટલે નર્મદા બંધના સરદાર સરોવરમાં ૧૩૮.૬૮ મીટર સુધી પાણી ભરી શકાશે.
આગામી સપ્તાહે એટલે કે તા. ત્રીજી જૂનની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીમાં વધારો થવાની પણ આગાહી છે.
પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ, જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવો પણ વર્તારો હવામાન ખાતાએ કર્યો છે. ૩જી જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે.
ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ર્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેન્ટ નક્કી કરશે, આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને ૩ જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે, જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.
ગઇ તા.17મી મે 2020ના રોજ જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12 સાયન્સના પરીણામ બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના પરીણામથી અસંતોષ હોવાની વિગતો સપાટી પર આવી છે.
પરીણામથી અસંતુષ્ઠ હોય તેવા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ઉત્તરવહીઓનુ રી-ચેકિંગ તેમજ રિ-એસએસમેન્ટ (અવલોકન)ની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રોસેસમાં વિદ્યાર્થી અને વાલીઓને તેમની ઉત્તરવહીનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાવવામાં આવે છે.
આ પ્રોસેસ તા.26મી મે થી શરૂ થઇ છે. ઉત્તરવહીઓનું રિચેકિંગ કે રિએસએસમેન્ટ કરાવવા માટે ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેની સઘળી વિગતો માટે બોર્ડ દ્વારા નીચે મુજબની માહિતી રજૂ કરવામાં આવી છે.
બોરીવલીથી આશરે ૧૫૦૦ જેટલા હીરાના કારીગરો માટે શુક્રવારે મોડી રાતે રવાના થયેલી ટ્રેન Friday બપોરે ૧૨.૩૦ વાગ્યે સાવરકુંડલા પહોંચી હતી. સાવરકુંડલાના હીરાના કારીગર તેમ જ બોરીવલી અને દહિસરના હીરાના કારખાનેદારોએ આખા મુંબઈ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. એક તરફ જ્યાં મુંબઈ શહેરની બહાર જવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે ત્યારે બીજી તરફ સારી રીતે રજૂઆત કરીને પ્રશાસન અને સરકારની મદદથી આ તમામ લોકો મફતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. અમદાવાદમાં ટ્રેનને બે કલાક હોલ્ટ આપી, તમામ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
બોરીવલી અને દહિસરમાં ૭૦૦થી ૮૦૦ જેટલી હીરાની ફૅક્ટરીઓ છે. અહીં મોટા ભાગે ફૅક્ટરીના માલિકો તેમ જ કર્મચારીઓ સૌરાષ્ટ્રના છે.
૧૬ મેના દિવસે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑફ પોલીસને અરજી કરી હતી કે બોરીવલી અને દહિસરમાં રહેતા હીરાના કારખાનેદારોને ત્યાં કામ કરતા કર્મચારીઓને સાવરકુંડલા-સૌરાષ્ટ્ર તરફ જવું છે. અમારી અરજી ઑથોરિટીને ફૉર્વર્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો. જોકે પહેલાં અમને જે ટ્રેન આપવામાં આવી હતી એ રાત્રે ૧૨ વાગ્યે સાવરકુંડલા પહોંચી રહી હતી અને સાવરકુંડલાનું તંત્ર એ માટે તૈયાર નહોતું એથી ટ્રેનનો સમય બદલવામાં આવ્યો. એ ઉપરાંત સારી રીતે મુસાફરી કરવા માટે ૩૦ જણનું ગ્રુપ બનાવવામાં આવ્યું, જ્યાં ગ્રુપ-લીડર નિયુક્તિ કરવામાં આવ્યો. તમામનાં મેડિકલ-ટેસ્ટ કરવામાં આવ્યાં, દરેક વ્યક્તિ કોરોના-મુક્ત છે.
વિશ્ર્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ ડેટા સ્પીડ નોંધાવવાની સિદ્ધિ વિજ્ઞાનીઓએ મેળવી છે જેને કારણે સેકંડ કરતા પણ ઓછા સમયમાં ૧૦૦૦ જેટલા એચડી પિકચર ડાઉનલોડ કરી શકાશે.
સિંગલ ઓપ્ટિકલ ચિપની મદદથી આ શક્ય બન્યું છે જે વિશ્ર્વભરમાં નેટવર્ક કનેક્શનની ક્ષમતા વધારવામાં મદદ કરશે.
The test on the network was done by researchers from Monash, Swinburne and RMIT universities. This speed was achieved using a single optical chip. The study says during peak time, internet speed at this rate can be accessible for over 1.8 million houses in Melbourne. In addition to this, billions of people from across the world. Also Read – Rural India now has 227 million internet users, 22 million more than urban areas: Report
The research team led was by Dr Bill Corcoran (Monash), Professor Arnan Mitchell from RMIT and David Moss from Swinburne. The team believes their breakthrough in the internet speed can help with advancement of technology. Fast internet bandwidth could be the catalyst for development of effective self-driving car solutions, as well as build robust digital education network. Also Read – Internet speeds in India decline due to increased usage, reveals Ookla Speedtest
“We’re currently getting a sneak-peak of how the infrastructure for the internet will hold up in two to three years’ time, due to the unprecedented number of people using the internet for remote work, socialising and streaming, Dr Bill Corcoran, Lecturer – Electrical and Computer Systems Engineering, Monash University said in this release.
Tests of this magnitude is confined to laboratories but that’s the unique part about this achievement. “This test was done using the existing communication infrastructure. The researchers were able to load-test it on the network, the group said.
Behind the scenes
To achieve this feat, the researchers installed “76.6km of ‘dark’ optical fibres between RMIT’s Melbourne City Campus and Monash University’s Clayton Campus. The optical fibres were provided by Australia’s Academic Research Network,” it noted.
They further explained the test methodology. “The group used a new device that replaces 80 lasers with one single piece of equipment known as a micro-comb, which is smaller and lighter than existing telecommunications hardware. It was planted into and load-tested using existing infrastructure, which mirrors that used by the National Broadband Network (NBN).”
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો
નીટ,
ગુજકેટ, જેઇઇ મેઇન્,
એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને
વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.
ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું
આ માટેની સૌથી સાદી અને સરળ
ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા
છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત
કરી રહ્યા છીએ કે ધો.12
બાયોલોજી વિષય ધરાવતા
વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર
પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
નેશનલ લેવલની એન્જિનિયરિંગ કોલેજો
IIT, NIT, IIIT, CSAB માટે અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે, એના માટેની વેબસાઇટનું નામ જોસા (જે.ઓ.એસ.એ.એ.)
ગુજરાતની એન્જિનિયરિંક કોલેજો
ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી એ.સી.પી.સી. (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત સરકાર કરે છે, તેના માટે રજિસ્ટ્રેશન અલગ કરાવવું પડે
ગુજરાતની ફાર્મસી કોલેજો
બી.ફાર્મ.માં એ ગ્રુપના વિદ્યાર્થીઓ પણ પ્રવેશપાત્ર છે. ગુજરાતની તમામ ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી એ.સી.પી.સી. (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત સરકાર કરે છે, તેના માટે રજિસ્ટ્રેશન અલગ કરાવવું પડે
આર્કિટેક્ચર કોર્સ ચલાવતી કોલેજો
બી.આર્કીટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા કરવામાં આવે છે. તેના માટે પણ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે.
એગ્રિકલ્ચર યુનિવર્સિટી સંચાલિત કોર્સ
ફુડ પ્રોસેસિંગ, ડેરી ટેક્નોલોજી, એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ વગેરે અભ્યાસક્રમો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે તેના માટે અલગ ફોર્મ ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી કરવું પડે છે.
સ્થાનિક સરકારી યુનિવર્સિટીઓના બી.એસસી. કોર્સ
સ્થાનિક યુનિવર્સિટીઓમાં જેમકે દક્ષિણ ગુજરાતમાં વીએનએસજીયુ, વડોદરામાં એમ.એસ. યુનિ, આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે જેવી દરેક યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં ચાલતા બી.એસસી.ના અભ્યાસક્રમો માટે સ્થાનિક યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
ઉકા તરસાડીયા, પી.પી. સવાણી યુનિવર્સિટીના કોર્સ
પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેવી કે ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, અંકલેશ્વર કોસંબા નજીક આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટી વગેરેના અભ્યાસક્રમો માટે આ બન્નેની યુનિવર્સિટીઓની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ
અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે
દક્ષિણ
ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું
સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત
ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ઉપરોક્ત
લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા
અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.
કોસંબા સ્થિત પી.પી. સવાણી
યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે
સૂરત
જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ
આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી
યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો નીટ, ગુજકેટ, જેઇઇ મેઇન્, એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.
ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું
આ માટેની સૌથી સાદી અને સરળ ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ કે ધો.12 બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
NEET ના સ્કોરના આધારે પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે
ગુજરાત રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે અને તેના માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
NEET ના સ્કોર વગર ફિઝિયોથેરાપી સમેતના કોર્સમાં પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે
ગુજરાત રાજ્યમાં આવેલી ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી વગેરે અભ્યાસક્રમોની કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે. આ કોર્સમાં નીટના સ્કોરની આવશ્યકતા નથી. આ માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના સ્કોરના આધારે પ્રવેશ મળે છે એ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
સમગ્ર દેશની સરકારી મેડીકલ ડેન્ટલ કોલેજની 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી માટે
સમગ્ર દેશમાં આવેલી સરકારી મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષની 15 ટકા બેઠકો પર નેસનલ કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરીને પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ બેઠકો પર મેરીટની ગણતરી ફક્ત નીટ ના માર્કસના આધારે જ કરવામાં આવે છે. આ કમિટીને મેડીકલ કાઉન્સેલિંગ કમિટી કહેવામાં આવે છે.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ મેડીકલ અને ડેન્ટલ કોલેજોની સમગ્ર દેશની 15 ટકા ક્વોટાની બેઠકો પર હાથ ધરવામાં આવતી પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
બી.ફાર્મ. (ફાર્મસી) ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટે
ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ.), ડોક્ટરેટ ઓફ ફાર્મસી (ફાર્મ.ડી. છ વર્ષનો કોર્સ) તેમજ ડી.ફાર્મ. ડિપ્લોમા ઇન ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશની રાજ્યસ્તરની કાર્યવાહી રાજ્ય સરકાર નિયુક્ત કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં ધો.12 પીસીબીના 60 ટકા તેમજ ગુજકેટના 40 મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી બી.ફાર્મ. કોર્સમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પેજ ઓપન થશે. એ પૂર્વે આ વેબસાઇટ પરથી પીન નંબર કેવી રીતે મેળવવો તે અંગેની માહિતી મેળવી લેવાની રહેશે.
એગ્રીકલ્ચર સાયન્સ, વેટરનરી વગેરેના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે
ધો.12 બાયોલોજી ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એગ્રિકલ્ચર સેક્ટરમાં વેટરનરી સાયન્સ, એગ્રિકલ્ચર સાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારની સત્તાવાર કમિટી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ધો.12 પીસીબીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત ગુજરાતમાં આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે
ઉપરની લિંક ક્લીક કરવાથી ગુજરાતમાં ધો.12 બાયોલોજી પાસ કર્યા પછી ચાલતા એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.એસસી. કોલેજોમાં પ્રવેશ માટે
દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. આ યુનિર્વસિટી સંલગ્ન કોલેજોમાં ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ બી.એસસી. માઇક્રોબાયોલોજી, બી.એસસી. એન્વાયરન્મેન્ટલ સાયન્સ, બી.એસસી. બાયોટેક વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી કેન્દ્રીયકૃત રીતે ઓનલાઇન હાથ ધરવામાં આવે છે.
ઉપરોક્ત લિંક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર દોરી જશે. આ વેબસાઇટ પરથી ફર્સ્ટ ઇયર બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગેની લિંક ઉપલબ્ધ થઇ શકશે. તા.23મી મે સુધી આ યુનિર્વસિટીએ બીએસસી પ્રવેશ કાર્યવાહી અંગે કોઇપણ પ્રકારની માહિતી જારી કરી નથી.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે
દક્ષિણ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.
કોસંબા સ્થિત પી.પી. સવાણી યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે
સૂરત જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ગુરુવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. ગુરુવારે 1255 કેસ નોંધાયા છે, અને બુધવારે લગભગ 1500 લોકોના મોત થઈ ગયા હતા, અમેરિકામાં વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. પાછલા કેટલાક દિવસોમાં મૃત્યુઆંક ઘણો ઊંચો રહ્યો છે. પાછલા એક અઠવાડિયામાં કોરોના વાયરસના કારણે અહીં 1000 કરતા વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે.
આ સાથે અમેરિકામાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા 96,354 થઈ ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.20 લાખ કરતા વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે, અહીં રોજ 20,000 કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે.
જો પાછલા 24 કલાકની વાત કરીએ તો દુનિયાભરમાં લગભગ 1 લાખ નવા કેસ નોંધાયા છે. જેમાં રશિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3.17 લાખ થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 3,100 લોકોના મોત થઈ ગયા છે. તો બ્રાઝિલમાં 3.10 લાખ લોકો છે, જેમાં 20,000 કરતા વધારે લોકોનો જીવ ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસના 2.80 લાખ કેસ છે, જ્યારે 28,000 લોકોના મોત થઈ ગયા છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. આ વિશે માહિતિ આપતા તેમણે કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ ભાડું 10,000 રૂપિયા રહેશે. પ્રવાસીઓએ સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા જણાવવાનું રહેશે કે તેમનામાં કોરોનાના લક્ષણ નથી.
ફ્લાઇટના રૂટ વિશે હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ રૂટને 7 રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. જે નીચે મુજબ છે:
1. 40 મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ
2. 40થી 60 મિનિટ
3. 60થી 90 મિનિટ
4. 90થી 120 મિનિટ
5. 120થી 150 મિનિટ
6. 150થી 180 મિનિટ
7. 180થી 210 મિનિટ
દરેક રૂટ આ ટાઇમલાઇનમાં આવે છે.
પુરી સાથે હાજર એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહે કહ્યું હતું કે, 40% સીટ્સ પ્રાઇસ બેન્ડના મધ્યભાગના નીચલા ભાવે વેચવામાં આવશે. ઉદાહરણ તરીકે 3,500 રૂપિયાથી 10,000 રૂપિયાની પ્રાઈઝનો મધ્યભાગ 6,700 રૂપિયા થાય છે. એટલે આ પ્રાઈસ બેન્ડમાં 40% સીટો 6,700 રૂપિયાથી ઓછી કિંમતે બુક કરવી પડશે.
પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતિ આપતા હરદીપસિંઘ પુરીએ કહ્યું હતું કે, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં રહેતા આપણા 20,000થી વધુ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જોકે અમુક દેશમાંથી નાગરિકોને પરત આવવાની મંજૂરી મળી નથી તેથી મુશ્કેલી પડી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયત્નો હજી ચાલુ જ છે અને આગામી બે અઠવાડિયામાં ‘વંદે ભારત મિશન’ અંતર્ગત આ પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવશે. 5મી મે બાદ હવાઈ માર્ગે 5 લાખ કિલોમિટર્સનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાયરસથી જોડાયેલી સમાગ્રીઓ પહોંચાડવામાં આવી હતી. વિદેશથી પણ મેડિકલ સામગ્રી દેશમાં લાવવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.