એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે 21/09/25 ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ ગઈ હતી. યુએઇની 85 રનમાં ચાર વિકેટ હતી, પણ પછીથી પત્તાનાં મહેલની જેમ બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.
એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચમા જ બૉલમાં ઓપનર સઇમ અયુબની વિકેટ ગુમાવી દીધી હતી. ડુ ઑર ડાય જેવા આ મુકાબલામાં પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા.
પાકિસ્તાને ખરાબ શરૂઆત કર્યા બાદ એક તબક્કે 93 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી પૂંછડિયાઓની ફટકાબાજીને લીધે યુએઇને 147 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.
ફખર ઝમાનના 50 રન બાદ ખાસ કરીને શાહીન શાહ આફ્રિદીએ 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 29 રન કર્યા હતા. યુએઇના જુનૈદ સિદ્દીકીએ ચાર, સિમરનજિતે ત્રણ અને ધ્રુવ પરાશરે એક વિકેટ લીધી હતી.
18/9/25 (ગુરુવારે) અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિયિટરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે. અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ બુરી રીતે ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ 171માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે. જો કે, કેન્દ્ર સરાકરે કલમ 171(2)ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ 2025થી નિષ્ક્રિય કરી દીધી છે. છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી. તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહીં.
સરકારે વેપારી આલમ પર વિશ્વાસ મૂક્યો છે. તેનો લાભ જનતાને મળશે તેવા વિશ્વાસને આધારે જ જીએસટીના રેટ ઘટાડ્યા છે. ડીલરો પણ ટેક્સ કોઈએ રાખવી ન જોઈએ. વેપારીઓ ઘટાડીને ચીજવસ્તુઓનું વેચાણ કરશે. વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે. તેમાં વેપારીના બે ચાર હિસાબો નહીં, પૂરે પૂરા હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં વસ્તુઓને મૂકી આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ચીજવસ્તુઓના ભાવ સીધા 7 ટકા ઘટી જશે તેવી માન્યતામાં ગ્રાહકોએ પણ રહેવું જોઈએ નહીં. 12 ટકા જીએસટીનો સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી ઘણી વસ્તુઓ પરના જીએસટીના દર ઘટીને 5 ટકા થયા છે. હવે આ વસ્તુના વર્તમાન ભાવમાંથી સીધા 7 ટકાની બાદબાકી કરીને તેની ઘટાડેલી કિંમત નક્કી કરી ચીજવસ્તુના નવા ઘટાડેલા ભાવ નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય છે.
12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકા જીએસટીમાં જાય તો નવી ઘટાડેલી કિંમત નક્કી નીચે મુજબ કરી શકાશે 100 રૂપિયાની કિંમતની ચીજવસ્તુ પર 12 ટકા જીએસટી છે. સો ગુણ્યા બાર ભાગ્યા 112 કરતાં 10.71 રૂપિયાનો ઘટાડો આવશે. આમ 89.29 રૂપિયાની કિંમત શૂન્ય જીએસટી પર થશે. પરંતુ 12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકા જીએસટીના સ્લેબમાં આવી હોય તો તેના પર 5 ટકા જીએસટી ઉમેરવાનો આવે છે. 89.29 રૂપિયાની કિંમતની વસ્તુ પર 5 ટકા જીએસટી ઉમેરતા તેમાં 4.46 રૂપિયાનો ઉમેરો થાય છે. તેથી તેની બજારમાં વેચવાની કિંમત 93.75 રૂપિયાની થાય છે.
આમ 100 રૂપિયાના ભાવની અને 12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકાના સ્લેબમાં જાય તો તેના ભાવમાં 6.25નો ઘટાડો આવશે. ગ્રાહકોની ગણતરી મુજબ આ ઘટાડાડો 7 રૂપિયાનો આવવો જોઈએ તે સાચુ નથી. આ જ રીતે 100 રૂપિયાની કિંતની વસસ્તુ પર 12 ટકા જીએસટી લાગતો હતો તે વસ્તુને 18 ટકા જીએસટીમાં મૂકી દેવામાં આવી હોય તો તેને પરિણામે તેના ભાવમાં 6 ટકાનો નહીં, પરંતુ 5.39 રૂપિયાનો વધારો આવશે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના લોકલાડિલા નેતા નહીં પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારા નેતા છે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગર ખાતે થયો હતો. પાંચ ભાઈ-બહેનોમાં પીએમ મોદી સાહેબ બીજા નંબરે છે. એક ચાવાળાથી લઈને દેશના વડા પ્રધાન બનવા સુધીની મોદીસાહેબની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આજે આપણે અહીં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના એવા કેટલાક રોચક તથ્યો વિશે વાત કરીશું કે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે.
બાળપણમાં આ હુલામણા નામથી લોકો બોલાવતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની બીએન હાઈસ્કૂલમાં ભણતા હતા અને પીએમ મોદીને ધોરણ 9,10 અને 11માં સંસ્કૃત ભણાવતા શિક્ષક પ્રહ્લાદ પટેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું નરેન્દ્રને નરિયા કહીને બોલાવતો હતો. આખા વર્ગમાં તેઓ ક્યારેય સાચું બોલતા નહોતા ખચકાતા. બાકીના બાળકોની જેમ તોફાની ખરા પણ તેમ છતાં તેઓ તમામ શિક્ષકોનો આદર કરતાં હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના બાળપણના મિત્ર જાસુદભાઈએ જણાવ્યું હતું કે બાળપણમાં અમે મિત્રો તેમની એનડી કહીને બોલાવડા અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમારી તેમની મુલાકાત થઈ અને મેં તેમને એનડી કહીને બોલાવ્યા તો તેઓ હસી પડ્યા હતા.
રાજકારણ નહીં આ ક્ષેત્રે આગળ વધવું હતું
તમને જાણીને નવાઈ લાદશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણ નહીં પણ સૈન્યમાં જોડાવવાની ઈચ્છા હતી. પીએમ મોદીજીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બાળપણમાં તેઓ જામનગર ખાતે આવેલી સૈનિક શાળામાં અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે આવું ના થઈ શક્યું. આઠ વર્ષની ઉંમરમાં તેમણે આરએસએસ જોઈન કરી લીધું હતું.
નાટકમાં કર્યું કામ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો અને આ વાતનો ઉલ્લેખ તેમના પર લખવામાં આવેલા એક પુસ્તકમાં જોવા મળે છે. જ્યારે પીએમ મોદી 13-14 વર્ષના હતા ત્યારે તેમણે શાળા માટે ભંડોળ એકઠું કરવા માટે શાળાના બાકી વિદ્યાર્થીઓ સાથે નાટકમાં ભાગ લીધો હતો અને આ નાટકનું નામ હતું પીળું ફૂલ. આ નાટક ગુજરાતી નાટક હતું.
સંન્યાસી બનવા ઘરથી ભાગ્યા
શાળાનું ભણતર પૂરું થતાં જ પીએમ મોદીજી સંન્યાસી બનવા માટે ઘરથી ભાગી ગયા હતા અને તેઓ પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમ સહિત દેશની અનેક જગ્યાઓ પર ગયા હતા. હિમાચલમાં તેઓ અનેક દિવસ સુધી સાધુ-સંતો સાથે રહ્યા હતા અને એ સમયે તેમને સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા તો સંન્યાસ લીધા વિના પણ કરી શકાય છે. બસ આ વાત બાદ તેઓ ગુજરાત પાછા ફર્યા અને સંન્યાસને ત્યાગવાનું નક્કી કર્યું.
પીએમ મોદીનું મનપસંદ ગીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મોનો ખાસ કંઈ શોખ નથી, પરંતુ તેમને લતા મંગેશકરજીના ગીતો સાંભળવાનું ખૂબ જ પસંદ છે. લતાદીદીએ ગાયેલું હો પવન વેગ સે ઉડનેવાલે ઘોડે પીએમ મોદી સાહેબનું સૌથી વધુ મનપસંદ ગીત છે.
જ્યારે સીખ બની ગયા પીએમ મોદી
જી હા, 1975માં જ્યારે ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે પીએમ મોદી યુવા અવસ્થામાં હતા અને એ સમયે તેમણે સંઘના સ્વયંસેવક હોવાને નાતે આનો વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસથી બચવા માટે તેમણે સરદારજીનો ગેટઅપ કર્યો હતો અને અઢી વર્ષ સુધી તેઓ આ જ રીતે પોલીસને હંફાવતા રહ્યા.
દેશના પહેલાં વડા પ્રધાન કે જેઓ આઝાદી પછી જન્મ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના એવા પહેલાં વડા પ્રધાન છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો છે. 2001માં તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને 2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા. 2019માં બીજી વખત અને 2024માં તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા.
આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.
જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.
નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.
પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાએ રવિવારે મોડીરાત્રે સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર એક પોસ્ટ જારી કરીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આવતીકાલ તા.15મી સપ્ટેમ્બર 2025ને રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ડ્યૂટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાનો વાઇરલ કરાયેલો મેસેજ ફેક છે.
A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.
✅ The due date for filing ITRs remains 15.09.2025.
નાણાકીય વર્ષ 2024 25 ના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આજરોજ સોમવાર તારીખ 15મી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીની છે, સામાન્ય રીતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત 31 જુલાઈ હોય છે આ વર્ષે આ મુદત માં દોઢ મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યો છતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટમાં ડેટા અપલોડ કરવાની મુશ્કેલીના કારણે આવતીકાલ અંતિમ મુદત પછી પણ સુરતના હજારો કરદાતાઓના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જાય તેવી સ્થિતિ છે.
Income Tax Department e-filing portal face glitches
શહેરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટે આપેલી માહિતી મુજબ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માટે સુરત ગુજરાત અને નેશનલ લેવલે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અવધીમાં દોઢ મહિનો વધાર્યા પછી પણ હજારો રિટર્ન ભરવાના બાકી રહી જાય તેમ છે. આ પરિસ્થિતિ માટે ટેક્સ કન્સલ્ટન્ટો કે ચાર્ટર્ડ એકાઉન્ટો કે કરદાતા કોઈનો વાંક નથી પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રિટર્ન ફાઇલ કરવાની વેબસાઈટ અત્યંત ધીમી ચાલી રહી હોવાના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે. કર દાતાઓના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે સ્થાનિક સ્તરેથી બધી જ તૈયારીઓ છે પરંતુ રિટર્ન ના ડેટા અપલોડ થઈ શકતા નથી.
આઈટી રિટર્ન ફાઈલ કરવાની અવધી લંબાવવા માટે ક્યારની રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ હવે જ્યારે આખરી મુદત આડે ફક્ત 24 કલાક બાકી રહ્યા છે ત્યારે ફરી સરકારને અપીલ કરવામાં આવી છે કે વેબસાઈટમાં ધાંધિયાના કારણે સુરત સમય રાજ્યમાંથી હજારો એક્સપાયર ના રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જશે અને લેટ રિટર્ન ફાઇલિંગ પેટે ₹5,000 ની પેનલ્ટી લાગશે, કર દાતાઓને આ પ્રકારે ખોટી પેનલ્ટી કરી શકાય નહીં એ માટે તેમના રિટર્ન ફાઇલ કરવા માટે અવધી વધારે આપવા તેમજ it ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે છેલ્લી ઘડીની રજૂઆતો કરવામાં આવી રહી છે.
What is Penalty?
According to Income Tax rules, a penalty of up to Rs 5,000 can be imposed on belated ITR. If your taxable income is less than Rs 5 lakh, then the penalty will be Rs 1,000. Apart from this, you will also have to pay interest under section 234A, 234B and 234C on delay.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયતા થતી ભારતના ઉત્પાદનો પર ભારે ટેરીફ લગાવ્યા બાદ અને ભારત પર વેપાર પ્રતિબંધો લગાવવાની અનેક વાર ધમકીઓ આપ્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવી છે. એવામાં ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ભારત સાથે વેપાર વાટાઘાટો માટે તૈયારી બતાવી છે, જેના પર પ્રતિક્રિયા આપતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત માટે તૈયાર હોવાનું કહ્યું છે.
મંગળવારે ટ્રમ્પે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “મને એ જાહેર કરતા ખુશી થઇ રહી છે કે ભારત અને યુએસ વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. હું આગામી અઠવાડિયે મારા ખૂબ જ સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે આ વાટાઘાટો આપણા બંને મહાન દેશો માટે સારા પરિણામો સાથે પૂર્ણ થશે!”
ટ્રમ્પની પોસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ X પર લખ્યું, “ભારત અને યુએસ મિત્રો અને ભાગીદાર છે. મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે વેપાર વાટાઘાટો ભારત-યુએસ ભાગીદારીની અપાર સંભાવનાઓને ખોલશે. આપની ટીમો આ ચર્ચાઓને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે આતુર છું. અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.”
રશિયાથી પેટ્રોલીયમ ખરીદવા બદલ યુએસએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પ અને તેમના અધિકારીઓ સતત ભારતની ટીકા કરી રહ્યા છે અને વધુ પ્રતિબંધોની ધમકી આપી રહ્યા છે. જો કે ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે. હવે બંને દેશો વચ્ચે વેપાર અંગે વાતચીત ફરી શરુ થવા જઈ રહી છે.
એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.
એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.
ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.
તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાતા યુવાપેઢીએ તેને સ્વતંત્રતા પર સરકારનો અંકુશ ગણ્યો હતો. કેપી શર્મા ઓલી ચીનની જેમ નેપાળમાં પણ એકહથ્થુ સોશિયલ ઈકોસિસ્ટમ ગોઠવવા માગે છે કે જેથી લોકો કે વિરોધીઓ આંખ ઉંચી કરી શકે નહીં. તેની સામે લોકોમાં આક્રોશ હતો. વળી, છેલ્લાં કેટલાય સમયથી ચીનમાં સરકારી ભરતીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળતો હતો. મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે.
આ બધા સામે લોકોમાં ભારે આક્રોશ હતો ને એમાં સોશિયલ મીડિયાના પ્રતિબંધથી યુવાનોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી તરાપ લાગી એટલે બળતામાં ઘી હોમાયું, પરિણામે નેપાળમાં જનાક્રોશનો અગ્નિ ભભૂકી ઉઠયો છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત પછી લાખોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પાટનગરમાં પ્રદર્શનો કર્યા. એટલું જ નહીં, સંસદભવન તરફ કૂચ કરી અને સંસદભવનમાં ઘૂસી ગયા હતા. ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરો એવો સરકારે સુરક્ષાદળોને આદેશ આપ્યો તેનાથી મામલો વધારે તંગ બન્યો હતો. પોલીસે રબરની ગોળીઓ વરસાવી હતી. એમાં ૨૦ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ૨૫૦થી વધુને ઈજા પહોંચી છે. આ ઘટના પછી સ્થિતિ વધારે વણસી હતી.
નેપાળમાં કર્ફ્યૂ લાગુ કરીને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે સૈન્ય બોલાવાયું છે. સેનાએ બળપ્રયોગ કરતાં પ્રદર્શનકારીઓ લડી લેવાના મૂડમાં છે. અનેક લોકો સરકારી ભવનો તરફ કૂચ કરી રહ્યા છે એટલે સુરક્ષાદળો અને સરકાર વચ્ચે ઝપાઝપી-સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. સુરક્ષાદળોએ રબરની ગોળી છોડવાથી લઈને ટીઅર ગેસ છોડયો અને ફાયરિંગ સુદ્ધાં કર્યું છે. પ્રદર્શનમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે એમાં યુવાપેઢી સ્વયંભૂ જોડાઈ છે. કોલેજના વિદ્યાર્થીઓ, યુવા એક્ટિવિસ્ટ, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. એમાંય જેન-ઝીનું પ્રમાણ ખૂબ વધારે છે. જેન-ઝીનો આરોપ છે કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂકીને ભ્રષ્ટાચાર સામેના અવાજને દબાવવા માગે છે.
વિપક્ષોએ પણ આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં સરકાર સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી છે. નેપાળના પૂર્વ વિદેશ મંત્રી ઉપેન્દ્ર યાદવે કહ્યું કે સરકારે તુરંત આ આદેશ પાછો ખેંચીને યુવાનોની માગણી સ્વીકારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળી કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. ગઠબંધનમાં પણ અંદરો અંદર સત્તાની ખેંચતાણ રહે છે એટલે નેપાળમાં કેટલાય સમયથી રાજકીય અસ્થિરતાનો માહોલ છે.
નેપાળની સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં આદેશ કર્યો હતો કે જેટલા વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નેપાળમાં સત્તાવાર રજિસ્ટ્રેશન ન થયું હોય એના પર પ્રતિબંધ મૂકી દો. એ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપ જેવી કંપનીઓને રજિસ્ટ્રેશન કરવા નોટિસ આપી હતી. સાત દિવસ સુધી નોટિસનો કોઈ જવાબ ન મળતા આખરે સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન ન થયું હોય એવા ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાતોરાત બંધ કરી દીધા. પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, વોટ્સએપ, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, એક્સ (ટ્વિટર), રેડિટ, લિંક્ડઈન, સ્નેપચેટ, સિગ્નલ, પિંટરેસ્ટ, થ્રેડ્સ, ક્લબહાઉસ વગેરેનો સમાવેશ થાય છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.
મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.
ફ્રાન્સમાં સોમવારે (8 સપ્ટેમ્બર) સવારે ભારે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી હતી. કારણ કે, વડાપ્રધાન ફ્રાંસ્વા બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. આ પગલાંથી પ્રમુખ ઇમૈનુએલ મેક્રોંના છેલ્લાં બે વર્ષોમાં પોતાના પાંચમાં વડાપ્રધાન નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.
74 વર્ષીય ફ્રાંસ્વા બેરો, જે ફક્ત 9 મહિના વડાપ્રધાન પદ પર રહ્યા. મંગળવારે (9 સપ્ટેમ્બર) તેમણે પોતાનું રાજીનામું સોંપશે. બેરોએ પોતાની સરકારની 44 અબજ યૂરો (51.5 અબજ ડૉલર)ની બચત યોજનાને સમર્થન આપવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો ટેકો લેવામાં આવ્યો હતો, જેથી ફ્રાન્સની ખાધ, જે યુરોપીયન યુનિયનની 3% મર્યાદાથી બમણી થઈ ગઈ છે, તેને ઓછી કરી શકાય.
વર્તમાનમાં ફ્રાન્સનું દેવું જીડીપીના 114% છે. અહેવાલો અનુસાર, બેરોએ નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં આ બચતને નાણાંકીય વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી ગણાવી હતી. પરંતુ, 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પર નજર રાખતા વિપક્ષી પક્ષોએ તેમને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન કરતા પહેલા, ફ્રાંસ્વા બેરોએ સંસદને ચેતવણી આપી હતી કે, ‘તમે મારી સરકારને ઉથલાવી શકો છો, પરંતુ તમે વાસ્તવિકતાને ભૂંસી નથી શકતા. ખર્ચ વધતો રહેશે, અને પહેલાથી જ અસહ્ય દેવાનો બોજ વધુ ભારે અને મોંઘો બનશે.’ આ હોવા છતાં, સાંસદોએ તેમની યોજનાને ભારે બહુમતીથી નકારી કાઢી.
વિરોધ પક્ષો, ખાસ કરીને નેશનલ રેલી અને ડાબેરી ગઠબંધન, બેરોની બચત યોજનાને સામાજિક કલ્યાણ અને જાહેર સેવાઓ પર હુમલો ગણાવે છે. તેમણે દલીલ કરી હતી કે, તે મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને નુકસાન પહોંચાડશે, જ્યારે ધનિકોને ટેક્સ છૂટનો લાભ મળશે. આ મતભેદને 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાની રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે, કારણ કે વિપક્ષ તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. આ ઘટના ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાને પ્રકાશિત કરે છે, જ્યાં પ્રમુખ ઇમૈનુઅલ મેક્રોં સ્થિરતા અને આર્થિક સુધારાઓને સંતુલિત કરવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે.
ફ્રાન્સ પ્રમુખ મેક્રોં હવે એવા નેતાની શોધમાં છે જે સંસદમાં વિભાજિત પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવી શકે. ફ્રાન્સનું ક્રેડિટ રેટિંગ તાજેતરમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે અને યુરોપિયન યુનિયને ખાધ ઘટાડવા માટે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. નવા વડાપ્રધાનની પસંદગી કરવી સરળ નહીં હોય, કારણ કે સંસદમાં કોઈપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. ફ્રેન્ચ જનતા પણ વધતા દેવા અને રાજકીય અસ્થિરતા અંગે ચિંતિત છે. બધાની નજર પ્રમુખ મેક્રોં આગામી વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરશે તેના પર છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.