CIA ALERT

Alert Archives - Page 230 of 511 - CIA Live

July 27, 2020
corona-gujarat.jpg
1min4690

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણે હવે મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં વ્યાપક રીતે પગપેસારો કર્યો છે. ચાલુ માસના અંતમાં હવે બાકી રહેલા નિયંત્રણોમાં વધુ છુટછાટની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે નગરો, ગામડાઓમાં બેફામપણે વકરી રહેલા ચેપથી રાજ્યમાં આજે પહેલી વખત ૫૫ ટકા કેસ નોંધાયા છે જ્યારે મહાનગરોમાં ૪૫ ટકા કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વિક્રમી ૧૧૧૦ કેસમાંથી ૫૩૩ કેસ આઠ મહાનગરોમાંથી તેમજ ૫૭૭ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાયા છે. અલબત્ત ૨૧ મૃત્યુમાંથી ૧૨ મૃત્યુ મહાનગરોમાંથી તેમજ નવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.

શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિત લોકોને શોધવા માટે ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આને પગલે ૧૧૧૦ કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૬ દિવસમાં ૨૨મી વખત નવા વિક્રમી કેસ ગુજરાતમાં ઉમેરાયા છે. એમાં સૌથી વધારે સુરત મહાનગરમાંથી ૨૦૧ કેસ ગ્રામ્યના ૯૮ કેસ મળી કુલ ૨૯૯ કેસનો સમાવેશ થાય છે. મહાનગરમાં ૭ અને ગ્રામ્યના ૫ મળી કુલ ૧૨ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. આ જ પ્રમાણે અમદાવાદ મહાનગરમાંથી ૧૫૨ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૧૬૩ કેસ જાહેર થયા છે એમાં મહાનગરના ૩ દર્દીના મૃત્યુ થયા છે.

વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોજેરોજ કેસ વધી રહ્યા છે. મહાનગરમાંથી નવા ૭૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ૧૩ મળી ૯૨ કેસ તેમજ એક એક દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. અમદાવાદને અડીને આવેલા મહાનગર ગાંધીનગરમાંથી નવા ૬ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૩ મળી કુલ ૧૯ કેસ પોઝિટિવ મળ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.

સૌરાષ્ટ્રના મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો સૌથી વધારે સંક્રમિત રાજકોટ મહાનગરમાંથી ૫૨ નવા કેસ ઉમેરાયા છે જ્યારે ગોંડલ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ મહાનગરમાંથી ૧૮ મળી કુલ વીસ કેસ, ભાવનગર શહેરમાંથી ૧૭ મળી કુલ ૩૧ કેસ, જામનગર મહાનગરમાંથી એક દર્દીનું મૃત્યુ સાથે નવા ૮ કેસ અને ગ્રામ્યના ૬ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સુરતના ગ્રામ્ય વિસ્તાર પછી અમરેલીમાં એક સાથે ૩૯ કેસ નોંધાયા છે. અમરેલી શહેર ઉપરાંત લાઠી, લીલીયા, ધારી જેવા તાલુકાઓમાંથી એક સાથે કેસ મળતાં હાહાકાર મચી ગયો છે. આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના દીયોદર, ડીસા, ધાનેરા, લાખેણી, વાવમાંથી કુલ ૩૫ કેસ નોંધાયા છે. નર્મદામાં રાજપીપળા, નાંદોદ, ડેડીયાપાડા, ગરુડેશ્વરમાંથી ૨૬ કેસ આવ્યા છે તો પડોશી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ નગરમાંથી ૩૦ કેસ નવા પોઝિટિવ મળ્યા છે.

સુરેન્દ્રનગરના પારડી, વઢવાણ, મુળીમાંથી ૨૪ કેસ, છોટાઉદેપુરમાંથી એક સાથે ૨૨ કેસ નોંધાયા છે. પાટણ નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૨ કેસ, કચ્છમાંથી ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ મળ્યા છે. મહેસાણા, ગીર સોમનાથ, નવસારીમાંથી ૧૮-૧૮ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ૧૮ કેસ આવ્યા છે. વલસાડમાં પારડી, વાપી, ધરમપુરમાંથી નવા ૧૫ કેસ, સાબરકાંઠાના ઇતર, હિંમતનગર, પ્રાંતિજમાંથી ૧૪ કેસ, આણંદમાંથી ૧૧, મોરબીમાંથી ૧૦, ખેડા, તાપીમાંથી ૯-૯, ડાંગમાંથી એક સાથે ૬ કેસ, બોટાદમાંથી ૫, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર ૩-૩ કેસ, પોરબંદરમાંથી ૨ કેસ નોંધાયા છે. મોરબીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં ૬,૪૨,૩૭૦ જેટલા ટેસ્ટ કરાયા છે એમાંથી ૫૫૮૨૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી ૫૭૩ પાછલા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૦,૩૬૫ સુધી પહોંચ્યો છે જે કુલ કેસના ૭૨.૩૧ ટકા જેટલો થાય છે. આની સામે ૨૩૨૬ દર્દીઓના અત્યાર સુધી કોવિડ તથા કોવિડ સાથે અન્ય બિમારીને લીધે મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૩૧૩૧ સુધી પહોંચ્યા છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા પડ્યા છે એ સિવાયના ૧૩૦૪૬ સ્ટેબલ છે.

ગુજરાતમાં દર 10 હજાર કેસની ગતિ

પહેલા 10 હજાર કેસ – 59 દિવસ

બીજા 10 હજાર કેસ – 22 દિવસ

ત્રીજા 10 હજાર કેસ – 19 દિવસ

ચોથા 10 હજાર કેસ – 14 દિવસ

પાંચમા 10 હજાર કેસ – 11 દિવસ

July 26, 2020
CIA_Live_Logo_New2.jpg
2min6360

NRI અને NRG ને ગુજરાતમાં અભ્યાસ માટે આકર્ષવા Study In Guj. સરકારી મિશન

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના સારા, લોકહિતના પ્રોજેક્ટસમાં સુરત, દક્ષિણ ગુજરાતને અન્યાય થયાનો ઘટનાક્રમ કંઇ નવો નથી. દાયકાઓથી આપણે સાંભળી રહ્યા છીએ કે સુરતને કે દક્ષિણ ગુજરાતને અન્યાય કરીને અન્યોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. હવે શિક્ષણમાં પણ આ સડો પેસી ગયો હોવાનું જણાય આવે છે.

ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં અમદાવાદ ખાતે સક્રીય એવા સરકારી અધિકારીઓ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ધંધાદારી સંચાલકોની એક ધરી કામ કરી રહી છે જે દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને અન્યાય કરી રહી છે. આવા લોકોને દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિ આંખમાં કણાની માફક ખૂંચે છે. યેનકેન પ્રકારે કેટલાક અધિકારીઓ અને અમદાવાદ મધ્યગુજરાતની કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓના સંચાલકોની ધરી દક્ષિણ ગુજરાતની સંસ્થાઓને પ્રતિનિધિત્વ ન મળે એ માટે સક્રીય છે.

દક્ષિણ ગુજરાતમાં અનેક સારી કોલેજો, સારા કોર્સ ચાલી રહ્યા છે, આ કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ કે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ પ્રવેશ ન લે એ માટે તેમને માહિતી જ ન મળે તેવી ગોઠવણમાં દક્ષિણ ગુજરાતના વિરોધીઓની લોબી સતત કામ કરી રહી છે. સ્ટડી ઇન ગુજરાત મિશનમાં અમદાવાદની લગભગ દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ કોલેજો સુદ્ધાને સમાવવામાં આવ્યા છે. ઇવન વેબીનારમાં અમદાવાદની આર્ટસ કોલેજના આચાર્યને વકતા બનાવાયા છે પણ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીનું પત્તુ ધરાર કાપી નાંખવામાં આવ્યું છે.

સ્ટડી ઇન ગુજરાત મિશનમાંથી દક્ષિણ ગુજરાતનો એકડો કાંઢી નંખાયો

ગુજરાત સરકારે ગુજરાતમાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં એન.આર.આઇ. તેમજ એન.આર.જી. એટલેકે બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત આવીને ભણવા માટે આકર્ષવા એક મિશન હાથ ધર્યું છે. આ મિશનનું નામ આપવામાં આવ્યું છે સ્ટડી ઇન ગુજરાત. સ્ટડી ઇન ગુજરાતની પાર્ટનર યુનિવર્સિટીઓમાં કે પાર્ટનર ઇન્સ્ટીટ્યુટ્સમાં દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું છે અને એ પણ સમખાવા પૂરતું નામ અપાયું છે કેમકે આ અંગે યોજવામાં આવેલા વેબીનારમાંથી તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકડો કાઢી નંખાયો છે. એકેય વક્તા કે પ્રતિનિધિત્વ કે પ્રેઝન્ટેશન આપવા માટે દક્ષિણ ગુજરાતની ચાર યુનિવર્સિટીઓ પૈકી એકેયનું નામ કે પ્રતિનિધિને સમાવાયો નથી.

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • ઉકા તરસાડીયા યુનિવર્સિટી, સુરત (બારડોલી-મહુવારોડ)
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • પી.પી. સવાણી યુનિવર્સિટી, સુરત (અંકલેશ્વર-કોસંબા)

સ્ટડી ઇન ગુજરાત સેમિનાર તા.25 જુલાઇના શિડ્યુલમાં એકેય દક્ષિણ ગુજરાતમાંથી નહીં

આજે તા.26 જુલાઇના શિડ્યુલમાં એકેય દક્ષિણ ગુજરાતમાંથી નહીં

આ છે સ્ટડી ઇન ગુજરાત મિશન

Also Read

July 26, 2020
breaking_CIA-1280x831.jpg
5min9380

સામાજિક વિજ્ઞાન અને માનવીય મૂલ્યો વિષયો સાથે આર્ટસ ભણનારાઓના ભાગ્ય ઉઘડી ગયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ પ્રકારની માહિતી તમને CiA Live સતત આપે છે, સોશ્યલ મિડીયામાં આપ અમને ફોલો કરીને સતત નવી માહિતી, નોલેજ ગેઇન કરી શકો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે પરીક્ષા ભારતમાં અત્યાર સુધી ફક્ત 4 વર્ષનો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કરનાર ઉમેદવારો જ આપી શક્તા હતા એ ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ) પરીક્ષા 2021થી આર્ટસ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સ પણ આપી શકશે. ગેટ GATE 2021 પરીક્ષાના લાયકાતના ધોરણોમાં 10+2+4 (એન્જિનિયરિંગ) to 10+2+3 (કોઇપણ સ્નાતક) આ રીતે સુધારવામાં આવ્યા છે.

સામાજિક વિજ્ઞાન (સોશ્યલ સાયન્સ) અને માનવીય મૂલ્યો (હ્યુમેનિટીઝ) વિષયો સાથે આર્ટસ ગ્રેજ્યુએટ ભણનારાઓના ભાગ્ય રાતોરાત ખૂલી ગયા

ગેટ GATE 2021 પરીક્ષામાં બે નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે જેમાં એન્વારન્મેન્ટલ સાયન્સ અને એન્વારયન્મેન્ટલ એન્જિનિયરિંગ ઉપરાંત સોશ્યલ સાયન્સ અને હ્યુમેનિટીઝ સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પણ ગેટ પરીક્ષા આપીને પોતાની કારકિર્દીમાં મહત્વનો વળાંક લઇ શકે છે.

એન્વારન્મેન્ટલ સાયન્સ, એન્જિનિયરિંગ, હ્યુમેનિટીઝ કે સોશ્યલ સાયન્સ વિષય સાથે હાલમાં થર્ડ ઇયર (ફાઇનલ) પરીક્ષા આપી રહેલા કે આપનારા વિદ્યાર્થીઓ પણ આગામી ફેબ્રુઆરી 2021માં લેવાનારી ગેટ પરીક્ષા આપી શકશે.

આ સાથે જ હવે ભારતમાં આર્ટસ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સના અભ્યાસક્રમો ભણનારાઓની સંખ્યા અને કોલેજો બન્ને વધી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કેમકે ગેટ જેવી મહત્વની પરીક્ષામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગેટ GATE 2021 અત્યંત મહત્વની પરીક્ષા મનાય છે

ગેટ GATE પરીક્ષા માસ્ટર ડિગ્રી કે પીએચડીના એન્જિનિયરિંગના અભ્યાસક્રમો માટે જ લેવામાં આવે છે પરંતુ, આગામી સમયમાં ધંધા રોજગાર, સરકારી ભરતીઓમાં હ્યુમેનિટીઝ અને સોશ્યલ સાયન્સિઝ જેવા વિષયોના નિષ્ણાંતોની પણ ઉભી થનારી માગને ધ્યાને લેતા હવે ગેટ GATE 2021 પરીક્ષામાં હ્યુમેનિટીઝ કે સોશ્યલ સાયન્સ વિષયો સાથે પાસ થયેલા આર્ટસ, સાયન્સ કે કોમર્સ કે અન્ય કોઇપણ સ્નાતકોને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગેટ GATE 2021 ફેબ્રુઆરી 2021માં મુંબઇ આઇઆઇટી દ્વારા લેવામાં આવશે

The Graduate Aptitude Test in Engineering (GATE)-a qualifying exam for those seeking admissions to masters and PhD programmes in science & technology and placements in PSUs-will see a significant shift in the coming year with the inclusion of subjects in humanities and social sciences. So, students from commerce and arts background, too, can opt for GATE 2021 in February that IIT-Bombay will conduct.

ગેટ 2021નું સત્તાવાર નોટિફિકેશન હજુ બહાર પડ્યું નથી. વધુ કોઇપણ માહિતી માટે 98253 44944 પર સંપર્ક કરી શકાય

The eligibility criteria, too, has been modified from 10+2+4 to 10+2+3, enabling students in their third year of undergraduate studies to appear for the exam.

GATE aspirants can appear for 2 subjects

Recognizing the global concern over environmental issues, environmental science and engineering, too, has been introduced, taking the total subject papers to 27. With fewer job opportunities due to the pandemic, many are likely to pursue higher education and GATE will add to their options.

Considering the present Covid-19 pandemic situation, the dates for the GATE-2021 examination have been spread out over a longer duration as 5th, 6th, 7th, 12th, 13th and 14th February 2021.

“With the introduction of subjects in humanities and social sciences, IIT-Bombay, as the organizing institute, wanted to make GATE more inclusive. Many premier institutes, including IIT-Bombay, currently use UGC-NET scores or internal exams for admissions to masters in humanities. These students are not eligible for ministry of HRD scholarships.

With GATE scores, they will have an added advantage of government scholarships. Since PSUs recruit aspirants using GATE scores, it will open up avenues for arts and commerce students too,” said professor Deepankar Choudhury, the organising chairman of GATE 2021. Under humanities, English, economics, linguistics, psychology, sociology and philosophy will be offered in the first year, he said.

Subhasis Chaudhuri, director of IIT-Bombay, said, “This will create much-needed career opportunities for those in humanities and social sciences areas as this may serve as one single standardized criterion for admission to various masters and doctoral programmes in various IITs and other universities in India.”

IIT is expecting the number of aspirants to rise in 2021 with the new reforms. Close to 10 lakh students usually take the test. The exams, scheduled in February, will be spread out over a longer duration, over six days instead of four, due to the pandemic. The dates are February 5, 6, 7, 12, 13 and 14. Students will also get to appear for two subjects, unlike one so far, but only a prescribed set of combinations will be allowed in the first year. The idea is to boost opportunities to study in inter-disciplinary areas.

Read Also on this site

July 25, 2020
shivraj.jpg
1min5510

મધ્યપ્રદેશમાં ધારાસભ્યો અને મંત્રીઓ પછી હવે આજરોજ તા.25મી જુલાઇએ બપોરે બાર વાગ્યા બાદ ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણ ટ્વીટ કરીને માહિતી જાહેર કરી હતી કે તેમનો પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં કોઇ મુખ્યમંત્રીને કોરોના થયો હોય તેવા શિવરાજ સિંહ દેશમાં પહેલા મુખ્યમંત્રી છે.

July 25, 2020
chardham.jpg
1min7860

પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.

ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.

ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.


July 25, 2020
ats_gujarat.png
1min6230

તાપી જિલ્લાના વ્યારા ખાતેથી ગુજરાત ATS(એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)ની ટીમે વોન્ટેડ ત્રણ નક્સલીઓની ધરપકડ કરી છે. તેમની સામે આરોપ છે કે તેઓ આદિવાસી વિસ્તારમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઊભું કરી સરકાર ઉથલાવવા હિંસક ઉપાયો કરવાનું કાવતરું રચ્યું હતું.

આ અંગે ATS દ્વારા આપેલી માહિતી મુજબ ગુપ્ત ઈનપુટના આધારે નક્સલી સામુ ઓરેયા, બિરસા ઓરિયા, બબીતા કછપની તેમના વ્યારા ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. જેઓ મુળ ઝારખંડના રહેવાસી છે હાલ વ્યારામાં રહેતા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી પ્રતિબંધિત સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને લગતી પત્રિકા અને અને મુદ્રિત સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત તેમના મોબાઈલ અને લેપટોપમાં પણ આ પ્રકારની સામગ્રી મળી આવી હતી.

બિસરા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપીઓ દ્વારા ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કર્યા હતા. તેઓ સ્થાનિકોને હાલની સરકાર સામે તિરસ્કાર ઉત્પન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પથ્થરલગડી આંદોલનની પદ્ધતિદ્વારા સ્થાનિક આદિવાસીઓમાં સરકાર વિરોધી હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની સામે ભારતીય દંડ સહિતાની કલમ 121 A, 124 A, 153 A, અને 120 B મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પથ્થલગડી ચળવળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે ‘પથ્થલગડી’ શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે. આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો પર સંદેશા પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક રીતે પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. જો, કે, તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની ચૂકી છે.

July 25, 2020
flag.jpg
1min5770

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.

આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.

રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.

July 25, 2020
ipl2020.jpg
1min5440

યૂએઇ (United Arab Emirates) માં રમાનાર આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ફાઇનલ મુકાબલો તા.8 નવેમ્બરે રમાશે. આ જાણકારી ખૂદ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે તા.24 જુલાઇ 2020ના રોજ સાર્વજનિક કરી હતી.

આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આવતા સપ્તાહે મળશે. જેમાં કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી આપવામાં આવશે. જો કે બીસીસીઆઈ તમામ ફ્રેંચાઇઝીને સંભવિત કાર્યક્રમની જાણ કરી દીધી છે.

આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે બેઠક તુરંતમાં મળશે, પણ અમે કાર્યક્રમ ઘડી કાઢયો છે. જે અનુસાર આઇપીએલ-2020નો પ્રારંભ યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી થશે અને 8 નવેમ્બરે સમાપ્ત થશે. અમને સરકારને મંજૂરીની આશા છે. આ વખતે આઇપીએલ પ1 દિવસ સુધી રમાશે. પટેલે કહ્યંy કે કોવિડ-19 મહામારીના ખતરાથી બચવા માટે ગાઇડ લાઇન્સ તૈયાર કરવામાં આવી રહી છે. સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવો કે ન આપવો તેનો અધિકાર અમીરાત (યૂએઇ) સરકારનો છે. અમે આ ફેંસલો તેમના પર છોડી દીધો છે. જો કે સામાજિક દૂરીનું ચુસ્ત પાલન કરવું પડશે.

યૂએઇમાં ત્રણ મેદાન ઉપલબ્ધ છે. દુબઇ, અબુધાબી અને શારજાહના સ્ટેડિયમ પર આઇપીએલના તમામ મેચ રમાશે. એવા પણ રિપોર્ટ છે કે ટીમોની કેમ્પ માટે આઇસીસીની એકેડેમીનું મેદાન બીસીસીઆઇ ભાડે લેશે. જેમાં બે મેદાન, 38 ટર્ફ પિચ, 6 ઇન્ડોર પિચ અને પ700 સ્ક્વેર ફૂટનું આઉટડોર કન્ડીશનિંગ ફિલ્ડ છે. જેમાં ફિઝિયોથેરાપી અને મેડિકલ સેન્ટર પણ છે.

દુબઇ સરકારના નિયમ અનુસાર જે કોઇ વિદેશીનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવે તો તેને ક્વોરન્ટાઇનમાં રહેવું પડતું નથી. આથી આઇપીએલ રમવા આવનાર તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને આયોજન સાથે જોડાયેલા લોકો જો કોરોનાગ્રસ્ત નહીં હોય તો તેમને ક્વોરન્ટાઇન થવાની જરૂર પડશે નહીં.

પ્રત્યેક ટીમ એક મહિના પહેલા યૂએઇ પહોંચશે. એવું જાણવા મળે છે કે મોટાભાગની ટીમ તા.20 ઓગસ્ટ સુધી તેમના ખેલાડીઓને યૂએઇમાં બોલાવી લેશે અને કેમ્પ શરૂ કરશે. આથી તેમને ચાર સપ્તાહનો સમય મળશે.

July 25, 2020
iphone11-1280x960.jpg
1min5850

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક Appleએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન iPhone 11 બનાવવાનું શરુ કરુ દીધુ છે. Appleએ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે. 

જોકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા  iPhone 11 ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જોકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 હેન્ડસેટ્સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં iPhone 11  બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી Appleને 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા Wistron પ્લાન્ટમાં નવા iPhone SEનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં iPhone SEના પહેલાના મોડલ બનતા આવ્યા છે. 

Appleના અન્ય એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર Pegatronએ હાલમાં જ ભારતમાં એક સબ્સિડરી કંપનીની નોંધણી કરી છે. ભારતમાં મોંઘા ફોનમાં Appleના હેન્ડસેટ્સનો દબદબો રહ્યો છે. જોકે ઓલઓવર ઇન્ડિયાના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની શાઓમીની ટક્કરમાં કોઇ કંપની આવી નથી. 

July 25, 2020
corona-gujarat.jpg
1min4690

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.

રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.