CIA ALERT

Alert Archives - Page 220 of 511 - CIA Live

September 7, 2020
corona_india.jpg
1min5190

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતમાં પોતાનો પ્રકોપ વધાર્યો હોય એમ દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 90,632 લોકો કોવિડ-19માં સપડાતાં કુલ કેસની સંખ્યા પણ 41 લાખને પાર ગઈ હતી. આ દરમ્યાન 1065 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 70,626 થઈ હતી. જોકે કોવિડ-19 વેબસાઈટ અનુસાર ભારત 41.31 લાખ કેસ સાથે વિશ્વમાં બ્રાઝિલ (41,23,000 કેસ)ને પાછળ રાખીને બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દરમ્યાન, એક દિવસમાં 73,642 દર્દી આ ખતરનાક વાયરસના સંક્રમણની બહાર આવી ચૂક્યા છે. આ એક દિવસમાં સાજા થયેલાઓની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 77.32 ટકા પહોંચ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોનો આંક 41 લાખના ચિંતાજનક આંકને પાર કરીને 4131811 પહોંચ્યો હતો. કોવિડ-19 વેબસાઈટના આંક અનુસાર ભારત 41,31,690 કેસ સાથે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ચૂક્યો છે. અમેરિકા 64,32,290 કેસ સાથે પહેલા ક્રમે છે.

મંત્રાલય અનુસાર વીતેલા 24 કલાકમાં વિક્રમી 73,642 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહેતાં હજુ સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 32 લાખ નજીક પહોંચતાં રિકવરી રેટ 77.32 ટકાએ પહોંચ્યો હતો. દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કુલ કેસના 20.96 ટકા દર્દી એક્ટિવ છે જ્યારે મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.72 ટકા છે, જે રાહતના સમાચાર છે.

દેશમાં ઓગસ્ટ મહિનાથી મહામારીના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં સાતમી ઓગસ્ટે કોવિડ-19ના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના આ આંક 30 લાખ અને પાંચમી સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગયો હતો.
આઈસીએમઆર અનુસાર પાંચમી સપ્ટેમ્બર સુધી દેશમાં કુલ 4,88,31,145 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે 10,92,654 સેમ્પલ ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં ક્વોરન્ટાઈન દરદીના આંકમાં 1 દી’માં અધધ 1.67 લાખનો વધારો

વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં ભારત બીજા ક્રમાંકે પહોચ્યું છે. આવી જ વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે ગત રોજના ક્વોરન્ટાઈન દર્દીઓમાં સૌથી વધુ 1,67,952નો ઉછાળો આવ્યો છે. 7,35,952 વ્યક્તિઓના ક્વોરન્ટાઈનમાંથી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન જ્યારે 2162 ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1335 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,04,331 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં વધુ 14 કોરોના દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 3100 વટાવીને 3108 થયો છે. બીજીબાજુ સૌથી વધુ સારી વાત એ છે કે, આજે ગુજરાતમાં 1212 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 84758 પર પહોંચ્યો છે. જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર 81.23% પર પહોંચ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય 32 જિલ્લામાં નોંધાયેલા કુલ 1335 કેસમાં સૌથી વધુ સુરતમાં 295, અમદાવાદમાં 173, રાજકોટમાં 151, જામનગરમાં 114 જ્યારે અન્ય 28 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’ગુજરાતમાં આજે 72,561 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો આંક 27,80,861 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે. જેમાં 92 વેન્ટિલેટર પર અને 16383 સ્ટેબલ છે.

September 5, 2020
SMC_commissioner.jpg
2min12200

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછા નિધી પાનીએ આજે તા.5મી સપ્ટેમ્બર 2020ના રોજ એક વર્ષ પૂર્ણ કર્યું. 365 દિવસના ફરજ કાળ દરમિયાન બંછા નિધી પાની સતત સુરતના માર્ગો પર જોવા મળ્યા એટલે કે તેમને ઓન ધ ફિલ્ડ સતત સુરતવાસીઓએ જોયા છે. તેમની આ ફરજમાં અડધું વર્ષ તો કોવીડ-19 પેન્ડેમિક બાદ ઉદ્ભવેલી વિપરીત પરિસ્થિતિમાં વ્યવસ્થાપનમાં નીકળી ગયું. આમ, છતાં પણ સુરતને તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બનવાનો ખિતાબ મળ્યો. તેમની લિડરશીપમાં જ સુરત 14માં નંબર પરથી એક જ વર્ષમાં બીજા નંબરના ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા બની શક્યું છે.

બંછાનિધી પાનીની સૌથી મોટી ક્વોલિટી : Captain is leading from the Front

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસથી બંછાનિધી પાનીની એક ખાસિયતથી આજ દિન સુધીમાં તો હરકોઇ સુરતી વાકેફ થઇ ચૂક્યો છે અને એ છે સતત ઓન ધ ફિલ્ડ રહેવું. કોવીડ પેન્ડેમિક દરમિયાન સુરતનો એવો એકેય વિસ્તાર નહીં હોય જ્યાં તેઓ પગપાળા ગયા નહીં હોય. લૉકડાઉન પાલનથી લઇને સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ મ્યુનિસિપલ આરોગ્ય સેવાઓ પરત્વે તેઓ સતત ઓફિસની બહાર રહીને જ મેનેજમેન્ટ કરવામાં પાવરધા જણાયા છે.

આખુ વર્ષ આ રીતે બંછાનિધી પાની સુરતના માર્ગો પર જોવા મળ્યા છે

2019ની 13મી સપ્ટેમ્બરે ટર્શરી પ્લાન્ટનું પાણી સૌના આશ્ચર્ય વચ્ચે ગટગટાવી ગયા

2019ની 13મી સપ્ટેમ્બરે એટલે કે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધાના એક અઠવાડીયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રદૂષિત પાણીને ટર્શરી પ્લાન્ટથી શુધ્ધ કરવાના પ્લાન્ટની મુલાકાતે ગયા અને ત્યાં તેમને કહેવામાં આવ્યું કે આ પાણી પીવાલાયક છે અને સૌ અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે તેઓ પાણીનો ગ્લાસ ગટગટાવી ગયા હતા. સામાન્ય લોકોની વાત કરીએ તો પ્રદૂષિત પાણી છે એવું જાણ્યા પછી ભલેને ગમે તેટલું ટ્રીટેડ કરાયું હોય, આવું ટ્રીટેડ પાણી પીવાનું કોઇપણ ટાળતા હોય છે.

2019માં 14મી સપ્ટેમ્બરે સ્વચ્છ સર્વેક્ષણ માટે મિટીંગ યોજી હતી

સુરતને તાજેતરમાં ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેરનો ખિતાબ કંઇ બેઠા બેઠા મળ્યો નથી. ગઇ તા14મી સપ્ટેમ્બર 2019ના રોજ તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજીને એક પ્લાન બનાવ્યો હતો. સતત તેના પર કામ કરીને એક વર્ષમાં 14માં નંબરના સ્વચ્છ શહેર પરથી સુરતને બીજા નંબરના સ્વચ્છ શહેર પર લઇ આવવાનું શ્રેય તેમના શિરે જાય છે.

ખુશીઓનો પટારો પ્રોજેક્ટ ભૂલી શકાય નહીં

સુરતના લાખો લોકોને ખુશીઓનો પટારો કાર્યક્રમ અંતર્ગત કપડા, રમકડા, ફટાકડા, મીઠાઇ વગેરે જેવી ચીજવસ્તુઓ વિતરીત કરીને કાર્યક્રમને સુપર યુઝફુલ બનાવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને સૌનો આભાર માન્યો

September 3, 2020
corona_india.jpg
1min5160

ભારતમાં કોરોનાની ઝડપ ઊભવાનું નામ નથી લેતી, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 78 હજારથી વધુ નવા દર્દી સામે આવ્યા છે. જ્યારે 1045 દર્દીઓએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 37,69, 524 થઇ ગઇ છે. જેમાં 801282 કેસ એક્ટિવ છે કે જેની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 29,01,909 દર્દી કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 66,333 કોરોના વાયરસના કારણે મૃત્યુ થયાં છે. એક દિવસમાં 60,868 લોકો સાજા થતાં રિકવરી રેટ 76.98 ટકા છે.’

September 2, 2020
coronavirus.jpg
1min7140

19 માર્ચે ગુજરાતમાં પહેલો કેસ મળ્યો હતો, 2 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 15948 થઈ હતી

ગુજરાતમાં કોરોના કેસોની કુલ સંખ્યા આવતીકાલ તા.3 સપ્ટેમ્બરે એક લાખની સંખ્યાને આંબી જશે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ તા.19મી સપ્ટેમ્બરે નોંધાયો હતો. એ પછી સતત કેસો વધી રહ્યા છે. આજરોજ તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે રાજ્ય સરકારની સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 99,050 થયા હતા. હાલ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં દૈનિક 1300 પ્લસ નવા કેસો મળી રહ્યા છે, એ પ્રોજેકશનના આધારે તા.3 સપ્ટેમ્બરને ગુરુવારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1 લાખને આંબી જશે. તા.2જી સપ્ટેમ્બરની સંખ્યામાં નવા 950 કેસો ઉમેરાશે એટલે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા એક લાખની સંખ્યાને પાર કરી જશે.

ગુજરાતમાં કોરોના પીક પસાર થયો નથી. જોકે, ગુજરાતમાં કોરોના રીકવરી રેટ 80 ટકાની આસપાસ હોઇ, થોડી રાહત જણાય રહી છે. કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 3048 થઇ છે. જ્યારે તા.2 સપ્ટેમ્બરની રાત્રે જ ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટીવ કેસોની સંખ્યા 16000 થઇ હતી.

તા.2જી સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ 74,523 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સંખ્યા ઉમેરાત હવે ગુજરાતમાં કોરોના ટેસ્ટસની સંખ્યા 24,84,429 થઇ છે.

2જી સપ્ટેમ્બરના દિવસ દરમિયાન રાજ્યમાં 1305 નવા દર્દીઓ સામે 1141 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 80,054 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1146.50 ટેસ્ટ થાય છે.

તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

corona

September 2, 2020
smc.jpg
1min5800

અત્યાર સુધી એવા સમાચાર મિડીયામાં વાંચવા-જોવા મળતા કે હેલ્મેટ નહીં પહેરવા અને નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ સુરતીઓ દંડાયા, પણ આજે એવી હેડલાઇન બની છે કે માસ્ક નહીં પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખવા બદલ સુરતીઓએ લૉકડાઉન-અનલૉકથી અત્યાર સુધીમાં કુલ રૂ. 1 કરોડ 74 લાખ 84 હજાર 873 રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.

સુરત મહાનગરપાલિકાએ આજરોજ 31મી ઓગસ્ટ 2020ના રોજ જાહેર કરેલી સત્તાવાર અખબારી યાદીમાં આપેલી વિગતો મુજબ કુલ 39,907 વ્યક્તિઓ પાસેથી કોવીડની જુદીજુદી ગાઇડલાઇન્સનો ભંગ કરવા બદલ 1.74 કરોડ જેટલી માતબર રકમનો દંડ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યાર સુધીમાં વસુલી ચૂક્યું છે.

કોવીડની આ ગાઇડલાઇનનો ભંગ કરવામાં સુરતીઓ પાવરધા

  • ગમે ત્યાં થૂંકવું ખાસ કરીને પાન મસાલા ખાવાવાળાઓ
  • જાહેર સ્થળો પર, જાહેર માર્ગો પર માસ્ક પહેર્યા વગર ફરવું
  • દો ગજ કી દૂરી, સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવો
  • જાહેર ધંધાકીય સ્થળો પર સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરવો

સુરત મહાનગરપાલિકાની આ છે સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ

September 2, 2020
ibps.jpg
4min78410

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન The Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા દેશની નામાંકિત 11 નેશનલાઇઝ્ડ બેંકોમાં ખાલી પડેલી ક્લેરીકલ કેડરની કુલ 1558 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજરોજ તા.2 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી શરુ કરવામાં આવી છે.

કોઇપણ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે

રસ ધરાવતા ઉમેદવારોએ official website of IBPS — ibps.in પરથી ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.

આ બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરાશે

  • Bank of Baroda,
  • Canara Bank,
  • Indian Overseas Bank,
  • UCO Bank,
  • Bank of India,
  • Central Bank of India,
  • Punjab National Bank,
  • Union Bank of India,
  • Bank of Maharashtra,
  • Indian Bank Punjab &
  • Sind Bank

રસ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની તારીખો

Activity Tentative Dates
On-line registration 02.09.2020 to 23.09.2020
Payment of Application Fees02.09.2020 to 23.09.2020
Download of call letters for Pre- Exam17.11.2020 onwards
Conduct of Pre-Exam Training23.11.2020 to 28.11.2020
Download of call letters for Online examinationPreliminary 18.11.2020
Online Examination – Preliminary05.12.2020, 12.12.2020 and 13.12.2020
Result of Online exam – Preliminary31.12.2020
Download of Call letter for Online exam – Main12.01.2021
Online Examination – Main24.01.2021
Provisional Allotment01.04.2021

પરીક્ષા દ્વી સ્તરીય

આ પરીક્ષા પ્રીલીમનરી અને મેઇન એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રીલીમનરી પરીક્ષા 5મી ડિસેમ્બર, 12 ડિસેમ્બર અને 13મી જાન્યુઆરીએ લેવાશે. મેઇન એક્ઝામ તા.24મી જાન્યુઆરીએ લેવામાં આવશે.

In English

The Institute of Banking Personnel Selection (IBPS) has invited online applications for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Organisations.

The interested candidates can submit their online applications for the IBPS Clerk 2020 recruitment through the official website of IBPS — ibps.in — from today, i.e., September 2, 2020. The last date to submit online applications for the IBPS Clerk post is September 23. Candidates can make application fee payments between September 2 to 23.

IBPS is conducting this recruitment drive to fill up 1558 Clerical vacancies. The recruitment process will include online preliminary exam and online main examination.

The notification reads “Depending on the vacancies to be filled in during the financial year 2021-22 based on the business needs of the Participating Organisations and as reported to IBPS, candidates shortlisted will be provisionally allotted to one of the Participating Organisations keeping in view the spirit of Govt. Guidelines on reservation policy, administrative convenience, etc. The validity for CRP Clerks-X will automatically expire at the close of business on 31.03.2022 with or without giving any notice.”

ભરતી પ્રક્રિયાનું સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં મેળવવા માટે 98253 44944 પર IBPS sms કરો

September 2, 2020
24x7-1280x1281.jpg
1min10780

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામા મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં. રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ હવે પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
આ ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. જો કે’ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે જ્યારે ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે તથા ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે.

24 7 clock arrow icon, customer support, delivery and open symbol. Vector 24 7 round clock open supermarket or shop sign

મહત્ત્વનું છે કે, સ્કૂલો નહીં ખુલે પણ અન્ય શૈક્ષણિક કાર્યોમાં રાહત આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સાલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙનું પાલન કરવું પડશે.

21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙ અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખીતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
સ્કિલ ડેવલપમેન્ટ ટ્રાનિંગ ઈન્સ્ટિટયૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.

ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત 100 લોકોની મર્યાદા સાથે ધાર્મિક-રાજકીય કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે. જે મુજબ, સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કાનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જ્યારે’ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.’ મેટ્રો શરૂ કરવાના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે ગુજરાતમાં ક્યાંય પણ મેટ્રો નથી. માત્ર અમદાવાદમાં કહેવા પુરતા એક રૂટ પર મેટ્રોનું સંચાલન થાય છે.

September 2, 2020
corona-gujarat.jpg
1min4910

ગુજરાતમાં કોરોનાના ચેપની સ્થિતિ મહાનગરોમાં જ બેદરકારીના કારણે ગંભીર બનેલી રહી હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૧૩૧૦ કેસની નવી સપાટી રચાઇ છે. આ ગતિ જળવાશે તો ગુરુવાર સુધીમાં રાજ્યના કુલ કેસ ૯૭,૭૪૫થી આગળ વધીને એક લાખને પાર થઇ જશે. એની સાથોસાથ સુરતમાં છેલ્લા એક સપ્તાહથી વધતાં જતાં કેસ આજે એકાએક એક મહિના પહેલાની સ્થિતિએ પહોંચી ગયા છે. ૨૯ જુલાઇ પછી પહેલી વખત કુલ કેસની સંખ્યા ૨૮૯ કેસ સુધી પહોંચી છે જ્યારે શહેરમાંથી બે અને ગ્રામ્યના ચાર મળી કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં નવા ૧૪ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાં ચાર, વડોદરામાં બે, જામનગર અને ગીર સોમનાથમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરત મહાનગર કરતાં ગ્રામ્ય વિસ્તારામાંથી નોંધાયા છે. શહેરમાંથી ૧૭૪ કેસ અને ગ્રામ્યના ૧૧૫ કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે એક સાથે સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ આને લીધે કેસ પણ વધી રહ્યા છે. સુરત પછી સૌથી વધારે હોટ સ્પોટ બનેલા રાજકોટમાં કુલ ૧૨૫ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૮૯ કેસનો સમાવેશ થાય છે. એક એક મૃત્યુ પણ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે જામનગરમાંથી કુલ ૧૧૩ કેસ નોંધાયા છે એમાં શહેરના જ ૯૭ કેસ છે. એક મૃત્યુ પણ કોવિડના કારણે થયું છે.

વડોદરા શહેરમાં સ્થિર ગતિએ કુલ એક સોથી વધારે કેસ નોંધાય છે. શહેરમાંથી નવા ૮૫ અને ગ્રામ્યના ૩૬ મળી કુલ ૧૨૧ કેસ અને એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે. આ સિવાય મોટાભાગના શહેરો, જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રણમાં હોય એવી રીતે ભાવનગરમાંથી ૫૩ કેસ નોંધાયા છે એમાં શહેરના ૩૭ કેસ છે જ્યારે ગાંધીનગરમાં કુલ ૩૭ કેસમાં શહેરના ૧૯ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસ છે.

પંચમહાલ જિલ્લામાં નવા ૩૭ કેસ, અમરેલીમાં ૩૧, મહેસાણામાં ૩૦, પાટણમાં ૨૬, ભરૂચમાં ૨૫ નવા કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં હવે વરસાદી જોર ઘટતાં સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મોરબામાં ૨૩, કચ્છ, નવસારીમાં ૨૦-૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાં ૧૯, દાહોદમાં ૧૬, બનાસકાંઠામાં ૧૫ કેસનો ઉમેરો થયો છે.

આ ઉપરાંત ગીર સોમનાથમાં નવા ૧૪ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. છોટાઉદેપુરમાં ૧૧, મહી સાગર અને બોટાદમાં ૧૦-૧૦ કેસ, સાબરકાંઠા અને તાપામં ૯-૯ કેસ નવા નોંધાયા છે. ખોડા, નર્મદા અને પોરબંદરમાં ૮-૮ કેસ, વલસાડમાં ૭, અરવલ્લામં ૬, આણંદ તથા ડાંગમાં ૩-૩ કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૦૭૦ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨૪,૦૯,૯૦૬ થયો છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૯૭,૭૪૫ થયો છે. આ પૈકી ચોવીસ કલાકામં ૧૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ સાજા થનારાની સંખ્યા ૭૮,૯૧૩ સુધી પહોંચી છે એને પગલે રિવકરી રેટ ૮૦.૭૩ ટકા થઇ છે. અત્યાર સુધીમાં ૩૦૩૬ દર્દીના મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસનો આંક વધીને ૧૫૭૯૬ થયો છે એમાંથી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૫૭૦૪ સ્ટેબલ છે.

September 1, 2020
ausi-flood6.jpg
1min5560

સુરત નજીક આવેલા ભરૂચ મધ્યેથી પસાર થતી નર્મદા નદીમાં આજે પાણી સપાટી વધીને 35.24 ફૂટ થવાની સંભાવના છે. આ સપાટી ભયજનક હોવાથી કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ભરૂચ કલેક્ટરે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘આજરોજ બપોરના 12 કલાકે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર 34.76 ફૂટ નોંધાયુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ છે. CWCના ફોરકાસ્ટ અનુસાર બપોરે 4 કલાકે જળસ્તર 35 ફૂટની સપાટી વટાવી 35.24 ફૂટ થવાની સંભાવના છે. લોકોને સાવચેત રહેવા અનુરોધ છે.’

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ પૂરજનક સ્થિતિ

મળતી માહિતી અનુસાર વડોદરા મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. પૂરની સ્થિતિને પગલે વડસર અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. વડસર ગામમાં કેટલાય મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેના પગલે 50 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિકો પોતાનો સામાના બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

September 1, 2020
chorasi.jpg
2min8290

Jayesh Brahmbhatt 9825344944

માલસામાનની હેરફેર માટે સુરત મહત્વનું થાણું હતું અને છે અને રહેશે

સજ્જડ લૉકડાઉનમાં પણ સતત ઓપરેશનલ રહ્યું સુરત એરપોર્ટનું એર કાર્ગો ટર્મિનલ

ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એક કાર્ગો ટર્મિનલ શરૂ થયું ત્યારથી અત્યાર પર્યંત વિક્રમી જથ્થા 2434 ટન માલસામાનની હેરફેર

બ્રિટીશકાળ સમયે સુરત બંદરથી સમગ્ર વિશ્વમાં માલ પરિવહન થતું હતું

સુરતના લલાટે સિદ્ધીઓનો યશ લખાયેલો છે એની પ્રતીતિ આદીકાળથી જોવા મળી રહી છે. અંગ્રેજોએ જ્યારે પહેલી કોઠી સુરત બંદરે સ્થાપી હતી ત્યારે પણ સુરત માલસામાનની હેરફેર માટેનું મુખ્ય બંદર મથક હતું અને હવે સુરતનું એરપોર્ટ એ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બાબતની નોધ લીધી છે કે સુરત એરપોર્ટ પર કાર્યાન્વિત એરકાર્ગો ટર્મિનલ દેશમાં સજ્જડ લૉકડાઉન વખતે સતત ઓપરેશનલ હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરેલા ટ્વીટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એર કાર્ગો ટર્મિનલનો આરંભ થયો ત્યારથી અહીં કાર્ગો મૂવમેન્ટ નિરંતર થઇ રહી છે.

છેલ્લા છ મહિનામાં સુરત એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલથી 2434 ટન માલની હેરફેર થઇ ચૂકી છે

સુરત એરપોર્ટ પર એરકાર્ગો ટર્મિનલ પર ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી (લૉકડાઉન પિરીયડ)માં કુલ 2434 ટન જેટલા જંગી માત્રામાં માલસામાનની હેરફેર કરવામાં આવી ચૂકી છે. આ એક નોંધપાત્ર કાર્યવાહી હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સુરત એરપોર્ટ કાર્ગો સર્વિસીઝ માટેનું ટ્વીટ