વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં સારા સ્વાસ્થ્યની આશા સાથે દીપ પ્રગટાવવા કરેલાં આગ્રહનું તા.5મી એપ્રિલ 2020ના રોજ કરવામાં આવેલું Tweet ટ્વીટ ભારતીય રાજકારણમાં સૌથી વધુ વખત રીટ્વીટ થયેલું Retweet ટ્વીટ છે. ટ્વિટર દ્વારા આ અંગે આધિકારીક રીતે ઘોષણા કરવામાં આવી છે.
ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજીંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીનાં કહેવા અનુસાર જે પ્રકારનું આ વર્ષ રહ્યું તેમાં ટ્વિટર ઉપર વાર્તાલાપ પણ અદ્દભૂત રહ્યો છે. આ વૈશ્વિક મહામારી વિરુદ્ધથી લઈને ઉત્સવોની ક્ષણોમાં આનંદ, મહામારીથી પ્રભાવિત સમુદાયો માટે ઉભા થવા સહિતની બાબતો ખૂબસૂરતી સાથે બહાર આવી છે.
આ વર્ષ દરમિયાન માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર અગ્રિમ હરોળનાં કાર્યકરો માટે આભારની ભાવના પણ જોરશોરથી દેખાઈ હતી. તબીબો અને શિક્ષકો માટે કૃતજ્ઞતા દેખાડતા ટ્વીટની સંખ્યામાં આશરે 20 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે સુશાંત સિંહ રાજપૂતને અંજલિથી લઈને હાથરસકાંડની નિંદાનાં ટ્વીટ પણ મોટાપાયે થયા હતાં.
મુંબઈના મૂળ વતની ડો. હરિ શુકલ (૮૭ વર્ષ) અને તેમના પત્ની રંજન (૮૩ વર્ષ) બ્રિટન (યુકે)માં કોરોનાની રસી લેનારું પ્રથમ દંપતી બન્યું હતું. તેમણે મંગળવારે ન્યૂકેસ્ટલની એક હોસ્પિટલમાં ફાઇઝરની વેક્સિન લીધી હતી.
વિશ્ર્વમાં સૌપ્રથમ વેક્સિન લેનાર ટાયને એન્ડ વિઅર ખાતેના હરિ શુકલે જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે કે બે ડોઝની વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની મારી ફરજ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને તેમના આ પગલાંના વખાણ કર્યા હતા જ્યારે બ્રિટનમાં મંગળવારે વેક્સિન-ડે અથવા વિ-ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો.
‘મને ઘણો આનંદ છે અને આશા છે કે આ મહામારીનો જલદીથી અંત આવશે. મારું માનવું છે કે આ મારી ફરજ હતી અને મદદ કરવા માટે મારે કંઇ પણ કરવું જોઇએ’, એમ શુકલે જણાવ્યું હતું.
‘નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના સંપર્કમાં હું હતો એટલે મને ખબર છે કે તેઓ કેટલી મહેનત કરતા હતા. મને તેમના પર ગર્વ છે. તેમની પાસે સુવર્ણ હૃદય છે અને મહામારીમાં અમને સુરક્ષિત રાખવા માટે તેમને જે કંઇ કર્યું તે માટે હું તેમનો આભારી છું’, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
આ દરમિયાન ૯૦ વર્ષના એક વૃદ્ધા ફાઈઝર કોવિડ-૧૯ વેક્સિન લેનાર વિશ્ર્વના પ્રથમ મહિલા બની ગયાં છે. માર્ગરેટ કીનાન નામની આ મહિલાને સેન્ટ્રલ ઈંગ્લેન્ડના કોન્વેન્ટ્રીની સ્થાનિક હોસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિન લીધા પછી તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં પ્રથમ મહિલા હોવાનું મને ગૌરવ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૭ લાખ ૩૭ હજાર ૯૬૦ કેસ નોંધાયા છે અને ૬૧ હજાર ૪૩૪ લોકોનાં મોત થયાં છે.
દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન કોવિશીલ્ડના સપ્લાય કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની મંજૂરીની પ્રક્રિયા પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. એસઆઇઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પુનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના ખાનગી બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાય ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત ત્રણ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે. પુનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાય કરવાનું રહેશે.
ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૧૪૫૦ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાય ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.
બીજી બાજુ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે.
Banking Services may also be affected on December 8 as several bank unions have expressed their solidarity with farmers. It is likely that the supply of milk, vegetables would be affected during he Bharat Bandh.
દિલ્હીની સરહદો પર ધામા નાંખીને બેઠેલા ખેડૂતોના સમર્થનમાં રોજેરોજ નવા રાજકીય પક્ષો અને યુનિયનો આવી રહ્યા છે. મોદી સરકારે લાગૂ કરેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચ પાંચ તબક્કાની મંત્રણા નિષ્ફળ ગઈ છે. પરીણામે આવતીકાલ તા.8મી ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે જેને 10 રાજકીય પક્ષો અને 11 જેટલા મોટા યુનિયનોએ ટેકો જાહેર કરી દીધો છે.
તા.8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે જેને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ટીઆરએસ, આપ, ડીએમકે, વીસીકે, એમડીએમકે, રાષ્ટ્રીય લોકદળ, રાલોસપા, રાજદ, સપા સહિત ડાબેરી પક્ષો તથા હિંદ મજદૂર સભા, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સહિત 10 ટ્રેડ યુનિયને સમર્થન જાહેર કર્યુ છે.
ભારત બંધના દિવસે દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવા આહવાન આપવામાં આવ્યું છે.
દરમિયાન ખેડૂત સંગઠનોના 8 ડિસે.ના ભારત બંધના આહવાનમાં પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યના ખેડૂતો જોડાયા છે.
ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા ૨૦ નવેમ્બરના એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આયુર્વેદિક ડૉકટરોને ઑપરેશન કરવાની આપેલી પરવાનગીનો વિરોધ કરવા આવતી કાલે તા.8મી ડિસેમ્બર 2020ના રોજ સુરત, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક શહેરોમાં તબીબો દેખાવો કરશે, કેટલીક પ્રાઇવેટ બ્રાન્ડ્સની હોસ્પિટલો પણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.
આઇએમએ માગણી કરી રહ્યું છે કે સીસીઆઇએમએ દ્વારા આપવામાં આવેલી સજિર્કલ પ્રક્રિયાઓ વિશેની સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવે તેમ જ મિક્સોપેથીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહેલી રાષ્ટ્રીય તબીબી આયોગની તમામ ચાર સમિતિઓને વિસજર્ન કરવામાં આવે, ઉપરાંત આપણા દેશમાં દરેક પ્રકારની દવાના સંશોધનકાર્યને પ્રોત્સાહન આપી તેનો વિકાસ કરવો જોઈએ.
સુરત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સક્રિય રીતે લડી રહ્યું છે આ મુદ્દા પર
આ માટે સીસીઆઇએમએ આયુર્વેદ પ્રક્રિયાઓ મોર્ડન મેડિકલ સાયન્સની સમકક્ષ છે એ વાતને તેમને પુરાવા આપીને સાબિત કરવી જોઈએ. અગાઉ કાયદાકીય લડતમાં કોર્ટના આદેશો છે કે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જ મોર્ડન મેડિસિન સિસ્ટમની પ્રેક્ટિસ કરી શકે છે. સીસીઆઇએમ સાથે કાનૂની લડત એક જ વિકલ્પ છે. સીસીઆઇએમના આદેશને કારણે ઉદ્દભવનારી સંભવિત આફતો સામે સમાજને જાગરૂક કરવા આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને હરિયાણાના બૉક્સર વિજેન્દ્ર સિંહે સરકારને ચેતવણી આપી છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી મુજબ સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચી લે તો તે રાજીવ ગાંધી ‘ખેલરત્ન’ અવૉર્ડ પાછો આપી દેશે.
રવિવારે કૃષિ આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યું હતું.
વિજેન્દ્ર સિંહ રવિવારે હરિયાણા-દિલ્હી સીમા પર પહોંચ્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં તે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ આંદોલન ખેંચી લેવાને મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું.
CiA Live એ 18 જુને લખ્યું હતું કે ‘ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત’
Jayesh Brahmbhatt 98253 44944
ભાજપાના 80 અને કોંગ્રેસના 36 મળીને કુલ 29 વોર્ડમાં 116 કોર્પોરેટરોનું સંખ્યાબળ ધરાવતી સુરત મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખના છેલ્લા દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા.14મી ડિસેમ્બર 2015ના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી હતી જેની પાંચ વર્ષની અવધિ આગામી તા.13મી ડિસેમ્બર 2020ના રોજ પૂરી થઇ રહી છે. આ વખતે કોરોનાકાળના અસામાન્ય સંજોગોને કારણે હજુ સુધી ચૂંટણીઓ યોજી શકાઇ નથી. આ અંગે CiA Live એ ગઇ તા.18મી જુન 2020ના રોજ સ્પષ્ટ લખ્યું હતું કે ચૂંટણીઓમાં વિલંબ નિશ્ચિત છે.
સુરત મહાનગરપાલિકાની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ જ સ્થિતિ સર્જાયેલી છે. હવે પછીના 8 દિવસમાં રાજ્ય સરકાર બેમાંથી એક નિર્ણય જાહેર કરશે
તા.14મી ડિસેમ્બરથી સુરત મહાનગરપાલિકા સમેત તમામ મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું નિમણૂંક કરીને જ્યાં સુધી ચૂંટણીઓ નહીં યોજાય ત્યાં સુધી વહીવટ વહીવટદારોને હવાલે કરશે અથવા
વર્તમાન ચૂંટાયેલી પાંખને બે મહિના જેટલું એક્ષટેન્શન આપી શકે
વર્તમાન ચૂંટાયેલી પાંખમાં ભાજપાના કુલ 80 કોર્પોરેટરો અને કોંગ્રેસના કુલ 36 કોર્પોરેટરોનો સમાવેશ થાય છે
નવા વોર્ડ સીમાંકન પ્રમાણે જો સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે તો 30 વોર્ડ અને 120 કોર્પોરેટરો પાંચ વર્ષ માટે પાલિકાના વહીવટ કરશે
મહાનગરપાલિકાની ચૂંટણીઓ સંદર્ભે બે મેટર સબજ્યુડીશ છે, જેનો અંતિમ નિર્ણય સામાન્ય ચૂટણીઓને અસરકર્તા બની રહેશે
એક વોર્ડ અને એક કોર્પોરેટર હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી છે
જો ધારાસભાની પેટા ચૂંટણીઓ યોજી શકાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ ન યોજી શકાય એ સંદર્ભે હાલમાં બે પીટીશન ચાલી રહી છે
નવી ટીમની રચનાઓ અને પેજ પ્રમુખ અભિયાનને કારણે ભાજપા એક્ટિવ મોડ પર છે
ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે ગઇ તા.27મી નવેમ્બર 2020ના રોજ પોતે પ્રદેશ પ્રમુખ હોવા છતાં પોતાનું નામ મતદાર યાદીના જે પેજ પર છે તે પેજના પ્રમુખ બન્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ જોગ જણાવ્યું હતું કે મારા બુથ નંબર 94નાં પેજ નંબર 36નાં પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના સંપૂર્ણ કરી, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને સુપરત કરી છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપની પેજ કમિટીની રચના શીઘ્ર પૂર્ણ કરશો.
હાલમાં ચાલી રહેલી બિનઆધારભૂત ચર્ચાઓ મુજબ આગામી ફેબ્રુઆરી 2020માં ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓની સામાન્યૂ ચંટણીઓ યોજાઇ શકે એમ છે. તૈયારીની વાત કરીએ તો સુરત ભાજપા નહીં બલ્કે સમગ્ર રાજ્યમાં ભાજપા એક્ટિવ મોડ પર છે. ભાજપામાં દિવાળી પૂર્વે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંકો કરીને ભાજપાને એક્ટિવ મોડમાં લાવી દીધી છે. હાલમાં મતદાર યાદી પેજ પ્રમુખ અભિયાનને કારણે ગમે ત્યારે ચૂંટણીઓ યોજાય ભાજપાના કાર્યકરો એક્ટીવ મોડમાં જણાય રહ્યા છે.
કોંગ્રેસમાં સંગઠનાત્મક પ્રવૃતિ નહીંવત્
કોંગ્રેસની પરિસ્થિતિ એ છે કે ભાજપા જે રીતે સંગઠનની નવરચના અને પેજ પ્રમુખ જેવા અભિયાનો કરીને કાર્યકરોને સતત પાર્ટી માટે એંગેજ રાખી શકે છે તેવી કોઇ જ સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી નથી. કોંગ્રેસમાં કેટલાક પ્રાદેશિક નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરો સ્વયંના જોરે એક્ટીવ રહ્યા છે, એ સિવાય સંગઠનાત્મક સક્રિયતામાં ભાજપા સામે કોંગ્રેસનો કોઇ કાળે મેળ પડે તેમ જણાતો નથી.
120/120 થી ઓછું કંઇ નહીં ખપે ભાજપાને
ગમે ત્યારે ચૂંટણી લડી શકે એવા મોડ પર હાલ એક્ટીવ સુરત ભાજપના પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને નાનપુરા ટીમલિયાવાડના ભાજપાના આગેવાન શ્રી અશોકભાઇ રાંદેરીયાએ મતદાર યાદીના પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું પત્રક સુપરત કર્યું હતું. આ રીતે ભાજપા માઇક્રોલેવલ પર કાર્યકરોને મતદાન માટે તૈયારી કરાવી રહી છે.
સુરત શહેર ભાજપાના પ્રમુખ પદે નિયુક્તિ બાદ પહેલી પ્રતિક્રિયા નિરંજનભાઇ ઝાંઝમેરાએ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે નવા વોર્ડ સીમાંકનના આધારે 20 વોર્ડમાં 120 કોર્પોરેટરો માટે ચૂંટણી યોજાશે તો ભાજપનો તમામ 120 બેઠકો પર વિજય થશે, આનાથી ઓછું કંઇ ખપે નહીંં. ભાજપાનું સંગઠન ચૂંટણીમાં ક્લીન સ્વીપ માટે તૈયાર છે.
CiA Live એ 18 જુન 2020ના રોજ લખ્યું હતું કે ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત
ભારતમાં કોરોના રસી અંગે પહેલી વખત સત્તાવાર અને નક્કર માહિતી વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.4 ડિસેમ્બરના રોજ યોજાયેલી સર્વપક્ષિય ઓનલાઇન મિટીંગમાં જારી કરી હતી. પીએમ શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસી વિશે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે, નિષ્ણાતો માને છે કે, કોવિડ રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના રસી પહેલા હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે.
ભારત રસીની ખૂબ નજીક છીએ તે ત્યારે તે જ લોકભાગીદારી, તે જ સાઈન્ટિફિક એપ્રોચ, તે જ સહકાર ભવિષ્યમાં પણ ખૂબ જ જરૂરી છે.
સમગ્ર વિશ્વની નજર દેશમાં બનાવવામાં આવેલી સૌથી સલામત અને સસ્તી રસી પર છે. પીએમે કહ્યું કે, નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના રસી તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં લોકોને રસી આપવાની શરૂઆત કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષના નેતાઓને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ માહિતીથી માહિતગાર કર્યા હત.
તા.4 ડિસેમ્બરની સર્વપક્ષીય બેઠકમાં પીએમ શ્રી મોદીએ કહ્યું કે, રસીના સ્ટોક અને રીયલ ટાઇમ માહિતી માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસીકરણ અભિયાન વ્યાપકપણે ફેલાશે.
ગુજરાત રાજ્યના કોઇપણ વિસ્તારમાં 15 મીટરની ઊંચાઈ ધરાવતું બાંધકામ કરવા માટેની પ્રક્રિયામાં પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન 2017 મુજબ યોગ્ય હશે તો તેને 24 કલાકમાં જ ઓનલાઈન જ ડેવલપમેન્ટ પરમિશન આપી દેવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન 2.0 વર્જનનું તા.3 ડિસેમ્બર 2020ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતીકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઓનલાઈન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેક્ટ-ઈજનેરોને વિતરણ કર્યું હતું.
સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે. ODPS માટે બાંધકામ જમીનથી 15 મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેક્ટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.
બાંધકામની મંજૂરી આપવા માટે 15 વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે.
આરબીઆઈએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રખાયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે તમામ લોન પરના ઈએમઆઈમાં ગ્રાહકોને કોઈ રાહત નહીં મળે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બે દિવસની મોનેટરી પોલીસી બેઠકના અંતે વ્યાજ દરમાં કોઈ બદલાવ નહીં કરતા યથાવત્ રાખ્યા છે.
કોરોના મહામારીને પગલે અર્થતંત્રમાં આવેલી પછડાટને લીધે તેને ફરીથી ધબકતું કરવા માટે ભવિષ્યમાં જરૂર જણાયે વ્યાજ દરમાં ઘટાડો કરાશે તમ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ચાલુ વર્ષ માટે આરબીઆઈ અનુકૂળ ધિરાણનીતિ અપનાવવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલીસીના સભ્યોએ સર્વાનુમતે આ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા આરબીઆઈ ગર્વનરે કરી હતી.
કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો જેને પગલે માર્ચથી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લે 22 મેના રોજ આરબીઆઈએ વચગાળામાં વ્યાજ દરમાં ઘટાડો કરતાઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.