CIA ALERT

Alert Archives - Page 199 of 518 - CIA Live

January 25, 2021
crpatil.jpg
3min611

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત સમેત ગુજરાતભરમાં ભાજપા કેમ્પમાં હાલ અત્યંત વાઇબ્રન્ટ માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપામાં હાલ ચાલી રહેલી ઉમેદવારોના સેન્સ લેવાની કાર્યવાહીમાં યંગ અને ટેક્નોક્રેટ્સની સાથે એક સમયથી હાંસિયામાં ધકેલી દેવાયેલા સિનિયર નેતાઓમાં પણ રિ-એન્ટ્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે રીતે સંગઠનમાં તેમણે નિમણૂંકો કરી-કરાવી એ જોતા હવે કોરાણે મૂકી દેવાયેલા નેતાઓ, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્યોમાં પણ આશા જાગી છે કે તેઓ ફરીથી પાર્ટી પોલિટિક્સ કે ચૂંટણીની ટિકીટ સુધી પહોંચી શકે તેમ છે.

એક તસ્વીર ભાજપાનું ઇન્ટર્નલ પોલિટિક્સ બદલી શકે

હાંસિયામાં ધકેલાયેલા ભાજપના આ દિગ્ગજ નેતાના સી આર પાટીલે ચરણ સ્પર્શ કરતાં  શું કહ્યું, જાણો
તાજેતરમાં ભાવનગરની મુલાકાત સમયે ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાના સિનિયર મોસ્ટ નેતા અને હાલમાં અલ્પ સક્રિય નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણાને જાહેર સમારોહના મંચ પર પગે લાગીને તેમને સન્માન અર્પણ કર્યું હતું. આ એક તસ્વીર ભાજપામાં ઇન્ટર્નલ પોલિટિક્સ બદલાય રહ્યાની અનુભૂતિ કરાવી રહી છે. CiA Live

CR પાટીલના આવ્યા પછી અનેક નેતાઓને લિફ્ટ મળી

સુરત શહેર ભાજપાના સંગઠનની રચનામાં અનેક એવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યા છે કે જેમને અગાઉના શહેર પ્રમુખોના શાસનમાં કોઇ જ જવાબદારી કે કામગીરી નહીં આપીને સાવ નિષ્ક્રિય બનાવી દેવાયા હતા. આ નેતાઓને સંગઠનમાં મહત્વના હોદ્દાઓ કે જવાબદારીઓ આપવાની નીતિ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અપનાવી અને તેના આધારે જ સિનિયર મોસ્ટ, પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો વગેરેમાં ફરીથી મેઇન સ્ટ્રીમમાં આવવાની આશા જાગી છે. હાલમાં એવા અનેક સિનિયર નેતાઓને જુદી જુદી કામગીરીઓ, જવાબદારીઓ આપીને ભાજપાના સંગઠન લેવલ પર મેઇન સ્ટ્રીમમાં જોતરી દેવાયા છે અને તેની સીધી અસર ભાજપામાં સાવ નિષ્ક્રિય થઇ ગયેલા કે કરી દેવાયેલા નેતાઓ હવે ફરીથી ભાજપાની ઇન્ટર્નલ રાજનીતિમાં સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. જેનો અલ્ટીમેટ બેનિફિટ તો ભાજપાને જ મળી રહ્યો છે.

સુરત શહેર-જિલ્લાથી લઇને ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠનના નવનિર્મિત માળખામાં અનેક એવા ચહેરાઓને સ્થાન મળ્યા છે, જેમને અગાઉના સમયમાં યેનકેન પ્રકારે કામગીરી વિહોણા કરીને કોરાણે બેસાડી દેવામાં આવ્યા હતા. આ ટ્રેન્ડને પગલે ભાજપાને સિનિયર મોસ્ટ નેતાઓનો બહોળો અનુભવ મળે તેમ છે.

સુરત સંગઠનમાં અનેકની રિ-એન્ટ્રીથી આશા જાગી

હાલ ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયામાં 1995ની ટર્મમાં, 2000ની ટર્મમાં, 2005ની ટર્મમાં કોર્પોરેટર રહ્યા બાદ સાવ હાંસિયામાં ધકેલાય ગયેલા અનેક નેતાઓએ ફરીથી ટિકીટ માટે દાવો કર્યો છે. પૂર્વ કોર્પોરેટરોની સાથે અગાઉ ભાજપામાં જે પ્રકારનું ગ્રુપીઝમ હતું અને એ ગ્રુપીઝમને કારણે હાંસિયામાં ધકેલાય ગયેલા નેતાઓ ફરીથી સક્રિય થયા છે. આવા અનેક નામો અહીં લઇ શકાય પરંતુ, કેટલીક મર્યાદાઓને કારણે એમને અહીં લખી શકાય તેમ નથી.

No description available.
ભાજપા પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને દાવેદારોને સાંભળવા માટે નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો ડો.ઋુત્વિજ પટેલ (પ્રદેશ પ્રમુખ યુવા મોરચો) , શ્રી દુષ્યંતભાઇ પટેલ (પ્રદેશ સહકોષાધ્યક્ષ) અને શ્રીમતી ભાવનાબેન દવે (પ્રદેશ મંત્રી, મહિલા મોરચો)એ સાંભળ્યા હતા. (CiA Live)

અન્ડર-50 વયના સેંકડોની દાવેદારી

મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી અંગેનો સેન્સ લેવાની હાલ ભાજપામાં હાથ ધરાઇ રહેલી પ્રક્રિયામાં ઉડીને આંખે વળગે એવી બાબત એ પણ જોવા જાણવા મળી રહી છે કે 50 વર્ષથી ઓછી વયના (રાજનીતિમાં યુવા નેતાગીરી કહેવાય) સેંકડો નેતાઓએ જુદા જુદા વોર્ડમાંથી દાવેદારી કરી છે. ભાજપા માટે આ એક પોઝિટીવ સાઇન છે.

સિટીંગ ધારાસભ્ય કે સાંસદોના લેબલ વગર ટિકીટ માટે દાવો કરવાનો ટ્રેન્ડ

ભાજપામાં હાલ ચાલી રહેલા ઉમેદવારોની દાવેદારી અંગેની કાર્યવાહીમાં એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે અત્યાર સુધી સિટીંગ ધારાસભ્યો કે સાંસદોનું પીઠબળ હોવાની બાબતને નિરીક્ષકો સમક્ષ દાવેદારો રજૂ કરી રહ્યા હતા. પરંતુ, આ વખતે સી.આર. પાટીલની રાજનીતિની ફળશ્રુતિ કહો કે બદલાવ કહો પણ ઉમેદવારો સ્વતંત્ર રીતે અને પોતાના જ્ઞાતિ-સમાજ સંગઠનના જોરે અને કેટલાક તો સોશ્યલ મિડીયા પ્રેઝન્સને જ પોતાની ક્રેડિટ ગણાવીને ટિકીટ માટે દાવો કરી રહ્યા છે.

ભાજપા પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને દાવેદારોને સાંભળવા માટે નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો શ્રી છત્રસિંહ મોરી ( પૂર્વ ધારાસભ્ય), શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (ધારાસભ્ય) તેમજ શ્રીમતી ઉષાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય)એ વોર્ડ નં.21માં દાવેદારોને સાંભળ્યા હતા. CiA Live

શક્તિ પ્રદર્શનને મંજૂરી નહીં

મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયામાં આ વખતે એક બાબત એ પણ જોવા મળી રહી છે કે કોરોના કહો કે સી.આર. પાટીલનો ધાક કહો પણ શક્તિ પ્રદર્શન કરવાથી દાવાદારો બચી રહ્યા છે. ભાજપામાં હાલ એક હવા એવી પણ છે કે શક્તિ પ્રદર્શન કરીને ટિકીટ માગનારાને સાવ જ કોરાણે બેસાડી દેવામાં આવે તેમ છે. પરીણામે મોટા ટોળા, સૂત્રોચ્ચાર કે રેલી કાઢીને ઉગ્ર રજૂઆતો કરવાનો અગાઉ જોવાયેલો ટ્રેન્ડ આ વખતે બિલકુલ જોવા મળતો નથી. ઉમેદવારો એકલ-દોકલ કે વધુમાં વધુ પાંચેક સમર્થકો સાથે જઇને પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે.

દરેક વોર્ડમાં અનેકોની દાવેદારી

No description available.
January 23, 2021
gujrat-012.jpg
1min536

નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.

January 20, 2021
joebiden.jpg
1min626

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અંતે દેશની સત્તા સંભાળવાથી માત્ર એક દિવસ દૂર છે. 20મી જાન્યુઆરી એટલે કે, બુધવારે દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 46મા રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કરશે. આ સાથે જ દેશની પહેલી મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ શપથ લેશે. દરમ્યાન, શપથથી પહેલાં અમેરિકામાં’ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં 25,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બાયડને પોતાની સરકારમાં મહત્ત્વનાં પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય મૂળનાં અમેરિકીઓનું નામાંકન કર્યું છે.

રાષ્ટ્રપતિનો શપથ સમારોહ અમેરિકામાં દર વર્ષે ચર્ચામાં હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર દુનિયાની નજર અનેક કારણોસર તેનાં પર ટકેલી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદના શપથ સમારોહને ‘ઇનેગ્યુરેશન’ કહેવાય છે, જે વોશિંગ્ટન સ્થિત સંસદની ‘યુએસ કેપિટલ’ ઇમારતમાં આયોજિત કરવામાં આવે છે, આ વર્ષની થીમ છે ‘અમેરિકા યુનાઇટેડ’. આ વર્ષની શરૂઆતમાં જ 6ઠ્ઠી જાન્યુઆરીનાં સંસદની ઇમારત હિંસાનો શિકાર બની હતી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પર ચડાઇ કરી હતી. જેના જવાબદાર માનવામાં આવતા ટ્રમ્પની સામે મહાભિયોગ પણ લાવવામાં આવ્યો હતો.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાનારા આ સમારોહમાં અપેક્ષા મુજબ ઓછા લોકો પહોંચશે. જો કે, તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 20મી જાન્યુઆરીના કાર્યક્રમ મુજબ, શપથ સમારોહ રાષ્ટ્રગીતની સાથે સવારે 11 વાગ્યાને 30 મિનિટે (ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે) શરૂ થશે. એ પછી બપોરથી પહેલાં જ કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદનાં શપથ લેશે. કમલા હેરિસને સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ સોનિયા ઓટોમેયર પદની શપથ અપાવશે. એ પછી નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ પદનારૂપમાં શપથ લેશે, પરંપરા મુજબ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટસ બાયડનને શપથ અપાવશે. એબીસી, સીબીએસ, સીએનએન સહિતની ચેનલો પ્રસારણ કરશે.

January 20, 2021
republic.jpg
1min774

પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.

  • દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
  • વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
  • આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં,
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં,
  • સૌરભ પટેલ અમદાવાદમાં,
  • કૌશિક પટેલ ગાંધીનગરમાં,
  • ગણપત વસાવા સુરતમાં,
  • જયેશ રાદડીયા કચ્છમાં,
  • ઈશ્ર્વર પરમાર નવસારીમાં,
  • કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને
  • જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં

  • પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ,
  • બચુ ખાબડ છોટાઉદેપુર,
  • જયદ્રથસિંહ પરમાર આણંદ,
  • ઈશ્ર્વરસિંહ પટેલ વલસાડ,
  • વાસણ આહીર પાટણ,
  • વિભાવરીબેન દવે મહેસાણા,
  • રમણ પાટકર અરવલ્લી,
  • કિશોર કાનાણી ભરૂચ,
  • યોગેશ પટેલ તાપી અને
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે.

રાજ્યના ૧૦ જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.

જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.

January 18, 2021
india_aus.jpg
1min507

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં 75.5 ઓવરમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. મેજબાન ટીમને પહેલી ઈનિંગ્સમાંથી પણ 33 રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે. એવામાં જો ભારતીય ટીમ આ ટાર્ગેટને હાંસેલ કરી લે છે તો ઓસ્ટ્રેલિયાના ગઢમાં તેની સૌથી મોટી હાર ગણાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 1988થી અજેય રહી છે. એવામાં હવે રહાણે એન્ડ ટીમ પર મેચ જીતીને શ્રેણીમાં 2-1થી જીત મેળવવાનું લક્ષ્ય હશે.

ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગ્સમાં સ્ટીવન સ્મિથે 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે બાદ ડેવિડ વોર્નર સૌથી વધુ 48 રન, માર્કસ હેરિસે 38, કેમરોન ગ્રીને, 37, કેપ્ટન ટીમ પેઈને 27 તથા માર્નસ લબુશાનેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલિંગ આક્રમણની વાત કરીએ તો મેચમાં મોહમ્મદ સિરાજે 19.5 ઓવરમાં 73 રન આપીને 5 વિકેટો ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે 19 ઓવરમાં 61 રન આપીને 4 વિકેટો લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ 1 વિકેટ મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

January 18, 2021
surat_metro-1280x693.jpg
1min587
Four Firms submit bids for Construction of Underground Line of Surat Metro  - Metro Rail News

આજરોજ તા.18મી જાન્યુઆરી 2021ના દિને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો કોન્ફરન્સિંગમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ
રૂટ: સરથાણા-ડાયમંડ સિટી, ભેસાણ-સરોલી
ટોટલ કિલોમીટર: 40.35
સ્ટેશનની સંખ્યા: 38
અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ: 12020 કરોડ રૂપિયા

January 16, 2021
CIA_Live_Logo_New2.jpg
1min688

કોરોના વેક્સિનેશન અભિયાનના અમલ માટે સુરતમાં ઉભા કરવામાં આવેલા કુલ 14 વેક્સિનેશન કેન્દ્રો પૈકીના એક વરાછા રોડ પર આવેલી પીપી સવાણી હોસ્પિટલ ખાતે આજે સવારે સાડા દસ કલાકે પહેલી રસી સુરત મહાનગરપાલિકાના કર્મચારી શ્રી જશવંતભાઇને આપીને આ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત ઉત્તર વિસ્તારના ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલર અને પી. પી. સવાણી ગ્રુપના ચેરમેનશ્રી વલ્લભભાઈ પી. સવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાંતિભાઇ બલર તેમજ પીપી સવાણી ગ્રુપના વડીલ આગેવાન શ્રી વલ્લભભાઇ બાપૂજીએ સર્વે સંતુ નિરામય સૂત્ર સાર્થક થાય અને વિશ્વ કોરોના મુક્ત થાય એવા આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે શ્રીજશવંતભાઇને વેક્સિન પ્રમાણપત્ર પણ આપ્યું હતું.

January 16, 2021
breaking_CIA-1280x831.jpg
3min1161

Jayesh Brahmbhatt 9825344944

16 જાન્યુઆરી એટલેકે આજે શનિવાર મળસ્કે સુરતીઓ જ્યારે મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે સુરતનું હવામાન સિવિયર કક્ષાએ બગડ્યું હતું. સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર રાઉન્ ધ ક્લોક થઇ રહેલા મોનિટરિંગમાં સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI વરાછા અને લિંબાયતના મેઝર ઇક્વિપમેન્ટ પર 410 પ્લસ નોંધાયો હતો. સિવિયર કેટેગરીમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI હોય તો એ ફેફ્સા અને હાર્ટ પર સીધી અને ગંભીર રીતે અસર કરી શકે છે.

નીચે દર્શાવેલો સ્ક્રીન શૉટ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી લેવાયેલું દ્રશ્ય છે. જ્યાં આજે તા.16મી જાન્યુઆરી 2021ના રોજ મળસ્કે આ સિઝનમાં સૌથી ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI 414 જે લિંબાયત ખાતેના મેઝર ઇક્વિપમેન્ટ ખાતે નોંધાયો હતો. જ્યારે વરાછા ખાતે મૂકાયેલા મશીન પર એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI 441 નોંધાયો હતો.

પાછલા વર્ષ સુધી દિવાળીના સમયે આવું બનતું

ગત વર્ષ સુધી દિવાળીના તહેવારો દરમિયાન સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI 400 પ્લસ એટલે કે સિવિયર કેટેગરીમાં જોવાતો હતો પરંતુ, આ વખતે જાન્યુઆરીના મધ્યમાં આ પ્રકારનું વાતાવરણ અને એ પણ સિઝનમાં પહેલી વખત આવું બન્યું છે.

આ રીતે સમજીએ એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQIને

Air Quality Index (AQI) categories:

  • AQI between 0-50 is considered Good.
  • AQI between 51-100 is considered Satisfactory.
  • AQI between 101-200 is considered Moderately Polluted.
  • AQI between 201-300 is considered Poor.
  • AQI between 301-400 is considered Very Poor.
  • AQI between 401-500 is considered Severe.

AQI levels and likely impact on Human Health

  • Good – Minimal impact.
  • Satisfactory – May cause minor breathing discomfort to sensitive people.
  • Moderately polluted – May cause breathing discomfort to people with lung disease such as asthma, and discomfort to people with heart disease, children and older adults.
  • Poor – May cause breathing discomfort to people on prolonged exposure, and discomfort to people with heart disease.
  • Very poor – May cause respiratory illness to the people on prolonged exposure. The effect may be more pronounced in people with lung and heart diseases.
  • Severe – May cause respiratory impact even on healthy people, and serious health impacts on people with lung/heart disease. The health impacts may be experienced even during light physical activity.

January 16, 2021
Gujarat-map.jpg
1min508

આજથી ગુજરાત રાજ્યના કુલ 161 સ્થળોથી રસીકરણનો પ્રારંભ સવારે સાડા દસ વાગ્યાના ટકોરે કરવામાં આવ્યો છે. આજથી પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્યકર્મીને વેક્સિન આપવામાં આવી રહી છે. જુદા જુદા વેક્સિન કેન્દ્રો પર રાજ્યના પ્રધાનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં 16, સૂરતમાં 14 અને વડોદરામાં 10 સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.

એ પૂર્વે કોરોના વાયરસ સામેની આ લડત માટે પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાત આવી ગઈ છે. હાલ તંત્ર દ્વારા 16મી જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી લઈ સ્ટોરેજ સહિતની તમામ રીતે તંત્ર સજ્જ થઈ ગયું છે.

January 16, 2021
corona-vaccine-drive.jpg
1min626

આજરોજ તા.16 જાન્યુઆરીને સવારે સાડા દસ કલાકથી ભારતમાં કોરોના કાળ વચ્ચે વેક્સિન અભિયાન શરૂ થયું છે. એન્ટી કોરોના વેક્સિન અભિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી વીડિયો લિંક મારફત શરૂ કરાવ્યું હતું.

એન્ટી કોરોના રસી મૂકવાનો કાર્યક્રમ આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૩૦૦૬ કેન્દ્રમાં આજરોજ તા.16મી જાન્યુઆરી 2021થી શરૂ થયો છે. આ દરમિયાન બધા જ કેન્દ્રો વીડિયો લિંક દ્વારા જોડાયેલા રહ્યા હતા. દરેક કેન્દ્રમાં અંદાજે ૧૦૦ જેટલી વ્યક્તિને રસી મૂકવામાં આવી રહી છે.

આજે તા.16મી જાન્યુઆરીના પ્રથમ દિવસે આશરે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશમાં એક સાથે 3006 સ્થળે રસીકરણ અભિયાન હાથ ધરાય રહ્યું છે.આ અભિયાન લાંબુ ચાલશે અને તબક્કાવાર દેશની મોટાભાગની વસતીને આવરી લેવામાં આવશે. રોજ સવારે 9થી સાંજે પ સુધી રસીકરણ ચાલશે. સરકાર દ્વારા રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરનાને જ રસી આપવામાં આવશે.

ભારતે તાજેતરમાં કોરોનાની બે વેક્સિન (કોવિશીલ્ડ, કોવેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દેશના વિવિધ શહેરોમાં વેક્સિનનો કુલ 1.6પ કરોડ ડોઝનો જથ્થો પહોંચી ચૂકયો છે. અગાઉ બે ડ્રાય રનનું સફળતાપુર્વક આયોજન કરાઈ ચૂકયુ છે. વડાપ્રધાન દ્વારા શનિવારે કોવિન (કોવિડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક) એપ લોન્ચ કરવામાં આવી હતી. જેના દ્વારા અભિયાન પર દેખરેખ રાખવામાં આવશે. સાતેય દિવસ ર4 કલાક કાર્યરત હોટલાઈન 1057નો આરંભ કરવામાં આવ્યો હતો.

રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને આવરી લેવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્યકર્મીઓ (ડોકટર, નર્સ, ટેકનીશ્યન, લેબ વર્કર્સ, આઈસીડીએસ) અને કોરોના નિયંત્રણની કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસકર્મીઓ, લશ્કરના જવાનો, હોમગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયંસેવકો, સિવિલ ડિફેન્સ સંસ્થાનો, મનપા કર્મીઓ, રેવન્યૂ કર્મીઓ) સામેલ છે. કોરોના રસીકરણ અભિયાનનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન તબક્કાવાર પ્રાથમિકતા ધરાવતા જૂથના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.

વર્ધને જણાવ્યું હતું કે ભારતનો પોતાના નાગરિકોને કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આખા વિશ્ર્વમાં આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને પ્રકારની રસી સુરક્ષિત છે.

ક્ધટ્રોલરૂમની મુલાકાત દરમિયાન એમણે સ્વાસ્થ્ય મંત્રાલયે ડેવલપ કરેલી કો-વિન (ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ) પ્રણાલીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ પ્રણાલી દ્વારા તુરંત જ રસીનો સ્ટોક, સ્ટોરેજનું તાપમાન અને વ્યક્તિગત રીતે રસી લેનારની માહિતી મેળવી શકાશે.

આ પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે આ કામ માટે નીમાયેલા ખાસ મેનેજરોને રસીની પ્રક્રિયા દરમિયાન મદદ કરશે. તેઓ મેનેજરોને લાભકર્તાએ રસી મુકાવી કે નહીં, આયોજિત સત્ર અને ખરેખર યોજાયેલા સત્ર, કેટલી વેક્સિન વપરાઇ વગેરે માહિતી આપશે.

કેન્દ્ર સરકારે ખરીદેલો ૧.૬૫ કરોડ વેક્સિનનો જથ્થો બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા તબક્કા માટે મોકલી દેવાયો છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પંદર દિવસમાં વધુમાં વધુ ૧૦ દિવસ કોવિડ-૧૯ના રસીકરણ માટે વાપરવાની સલાહ આપવામાં આવી છે.

સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. છેવટે પચાસ વર્ષથી ઓછી વયના લોકોને આ રસી મૂકવામાં આવશે.

સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.