CIA ALERT

Alert Archives - Page 190 of 511 - CIA Live

February 5, 2021
bull.jpg
1min510

તા.1લી ફેબ્રુઆરીએ રજૂ થયેલી બજેટ પછી સતત પાંચમા દિવસે, આજે તા.5મી ફેબ્રુઆરીને શુક્વારે ભારતીય શેર માર્કેટના સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી સમેતના ઇન્ડેસીસમાં તેજી જોવા રહેતા રોકાણકારો હવે મૂઝાય રહ્યા છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ શરૂઆતમાં જ 400 પોઈન્ટના ઉછાળા સાથે પહેલીવાર 51000ના સિમાચિન્હને પાર કરી ગયો હતો. નિફ્ટી પણ શરૂઆતના વલણમાં પહેલીવાર 15000ના સ્તને પાર કરી ગયો. એસબીઆઈના શેરે 10 ટકાના અપર સર્કિટ સુધી સ્પર્શ કર્યો. સેન્સેક્સના 30માંથી 25 શેર્સ તેજી સાથે ખુલ્યા હતા.

આ સાથે જ બીએસઈ માર્કેટ કેપ પહેલીવાર 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. બિઝનેસ દરમિયાન સેન્સેક્સે 49926.45નો ન્યૂનતમ અને 50614.29નો ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 17 શેર તેજી સાથે બંધ થયા હતા. આઈટીસીના શેરોમાં સૌથી વધારે 6.21 ટકાનો વધારો રહ્યો. આ ઉપરાંત એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સના શેર સૌથી વધારે ફાયદામાં રહ્યા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક અને એરટેલના શેર્સમાં ઘટાડો રહ્યો.

આ પહેલા સતત ચાર દિવસો શેર માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. બજેટ પહેલા જ શેર માર્કેટમાં સતત 6 દિવસ ઘટાડો આવ્યો હતો. પરંતુ બજેટ બાદ તેમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ગુરુવારે 358.4 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 50614 પોઈન્ટના નવા સ્તરે પહોંચી ગયું હતું. નિફ્ટી પણ 106 પોઈન્ટ એટલે કે 0.7 ટકાના ઉછાળા સાથે 14896ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

February 3, 2021
CIA_Live_Logo_New2.jpg
1min924

આગામી તા.7મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાઇ રહેલી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીમાં અમે અત્યાર સુધી પરિવર્તન પેનલના મેનિફેસ્ટો તેમજ પ્રેસ કોન્ફરન્સના નિવેદનો પ્રકાશિત કર્યા હતા. આજરોજ તા.3 ફેબ્રુઆરીએ સુરત ટેનિસ ક્લબ ખાતે સ્ટેડીયમ પેનલ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના અંશો અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ.

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના પ્રણેતા અને ચૂંટણીમાં સ્ટેડીયમ પેનલના સુકાની કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, ખજાનચી સી.એ. મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ વગેરેએ જણાવ્યું હતું કે પરિવર્તન પેનલ દ્વારા તેમના મેનિફેસ્ટોમાં જે પણ કંઇ ચાર્જીસ મૂકવામાં આવ્યા છે એ તમામ બેબુનિયાદ છે. આગેવાનોએ કહ્યું કે પરિવર્તન પેનલ નકારાત્મક પ્રચારથી ચૂંટણી જીતવા માગે છે જ્યારે સ્ટેડીયમ પેનલ તેમણે કરેલા કાર્યોથી આ ચૂંટણી જીતશે.

સ્ટેડીયમ પેનલે કહ્યું

  • હેલ્થક્લબ, જિમ્નેશિયમ પ્લાન મુજબ અને હકીકતમાં પ્લાનથી પણ સારી રીતે તૈયાર કરવામાં આવશે.
  • સ્ટેડીયમની જમીનના દાતાઓને પ્રતિનિધિત્વ આપવાના દરેક ઠરાવોને નિયમાનુસાર એસ.ડી.સી.એ.ની વાર્ષિક સાધારણ સભામાં પસાર કરવામાં આવ્યા છે. આપબળે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
  • હિતેષ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા દાન તેમજ તેમાંથી નિર્માણ પામનારા પ્રોજેક્ટ એઝ ઇટીઝ સાકાર થશે, પણ એ તબક્કાવાર હાથ ધરાશે. હિતેશ પટેલ પોતે કરેલી જાહેરાતના સાર્થક કરવા માટે કટિબદ્ધ છે.
  • સ્ટેડીયમના સભ્યોને કોરોના કાળમાં બંધ સુવિધાઓની સામે 25 ટકા રાહત આપવાની પરિવર્તન પેનલની જોગવાઇ ફગાવતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ રાહત આપવી એ એસ.ડી.સી.એ.ના સભ્યોનું અપમાન બરાબર છે. આવી રાહત એક ગતકડાથી વિશેષ કશું નથી.
  • સ્ટેડીયમ પેનલે કહ્યું કે સુરતથી જુદી જુદી ટીમોમાં કુલ 45 જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે એટલું જ નહીં પણ વર્ષે દહાડે લાલભાઇ સ્ટેડીયમ પર કુલ 500 જેટલી નાની મોટી મેચો રમાઇ રહી છે.
  • ક્રિકેટ માટે સ્ટેડીયમ પર ઉભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓને ભારતના રાષ્ટ્રીય સ્તરના કોચ, ખેલાડીઓ વખાણી ચૂક્યા છે.
  • સ્ટેડીયમ પેનલના કાર્યકાળમાં દરેકે દરેક આર્થિક વ્યવહારોનું પેમેન્ટ ચેકથી જ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ અગાઉ ડેવલપ થઇ ન હતી.

પરિવર્તન પેનલે નેગેટીવ પ્રચાર કરીને ચૂંટણી જીતવી છે, અમે પોઝીટીવ પ્રચારથી ચૂંટણી જીતી બતાવીશું હેમંત કોન્ટ્રાક્ટર (સ્ટેડીયમ પેનલ)

21 ઉમેદવારો પૂરા નહીં હોવા અંગે પણ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે તેમની સાથે થોડી રાજરમતો રમાઇ અને તેના કારણે તેઓ 21માં સભ્યનું ફોર્મ ભરાવી શક્યા નથી. એમાં કોઇ મોટી વાત નથી. અમારી પેનલમાં 21મું નામ એક ક્રિકેટર તરીકે સુરતના ગૌરવશાળી ક્રિકેટર અને ભૂતપૂર્વ રણજીટ્રોફી પ્લેયરનું લખ્યું છે.

February 3, 2021
CIA_Live_Logo_New2.jpg
2min748

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક જાગૃત નાગરિક હક-અધિકારની લડાઇ લડે તો એ ભલભલા સિંહાસનોને ડોલાવી શકે, ઇતિહાસ ગવાહ છે એવું નથી કહેતો પણ આવો જાગૃત નાગરિક હાજરાહજૂર છે. એક સુરતી (કાઢીયાવાડી) એ ટોરન્ટ પાવર સામે એકલા હાથે લડીને વીજ બિલમાં 14 પૈસાનો ઘટાડો કરાવ્યો છે. આ લડતનો હકદાર કોઇ સંસ્થા, ટ્રસ્ટ કે રાજકીય પાર્ટી નથી પણ એકલો વ્યક્તિ છે અને એ સુરતીનું નામ છે મન્સુખભાઇ નાનજીભાઇ ખતરી (ખોરાસીયા). મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇએ ટોરન્ટ કંપની સામે ગુજરાત ઇલેક્ટ્રીક રેગ્યુલેટરી કમિશનમાં અરજી કરી હતી અને જીઇઆરસીએ તેમની અરજી ગ્રાહ્ય રાખીને ગુજરાતના ટોરન્ટ પાવર કંપનીના લાખો ગ્રાહકોના વીજ બિલમાં 14 પૈસાની રાહત આપવી પડી છે.

લડાઇ લડવા ટોળાની જરૂર જ નથી, એક વ્યક્તિ કાફી છે એ પુરવાર કરી આપ્યું છે મનસુખભાઇ ખોરાસીયાએ

મનસુખભાઇ નાનજીભાઇ ખતરીએ ટોરન્ટ પાવરના લાખો કસ્ટમર્સને વીજબીલમાં 14 પૈસાનો ફાયદો કરાવ્યો

સમગ્ર હકીકત અંગે મનુસખભાઇ નાનજીભાઇ ખતરીએ સી.આઇ.એ. લાઇવને આપેલી માહિતી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરે સી.એન.જી. (ગેસ)ના દરોમાં ઘટાડો થતા ગુજરાત સરકારે પણ ગેસના દરોમાં ઘટાડો કર્યો હતો. સુરતના મનસુખભાઇએ આ બાબતને આધારસ્તંભ બનાવીને ટોરન્ટ પાવર કંપનીને અરજી કરી હતી કે આંતર રાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવો ઘટ્યા છે અને ટોરન્ટ કંપનીના બધા જ પાવર જનરેશન પ્લાન્ટ ગેસ બેઝ છે, આવી સ્થિતિમાં ગેસના ઘટેલા ભાવોનો લાભ ટોરન્ટ પાવર કંપનીના દરેક ગ્રાહકોને આપવો જોઇએ.

મનસુખભાઇએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge માં કુલ 21 પૈસાનો ઘટાડો કરીને તેનો સીધો લાભ સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતેના ટોરન્ટ કંપનીના લાખો કસ્ટમર્સને આપવો જોઇએ. આ અંગે આધારભૂત પુરાવાઓ સાથે ટોરન્ટ કંપનીને રજૂઆત કરી હતી.

પરંતુ, મનસુખભાઇના કહેવા મુજબ ટોરન્ટ કંપનીએ તેમની રજૂઆતોનો એકાદ મહિના સુધી કોઇ જ રિસ્પોન્સ કે રિપ્લાય નહીં આપતા મનસુખભાઇ ખતરીએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ મામલો દર્જ કરાવીને ત્યાં પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.

આંતર રાષ્ટ્રીય સ્તરે જ્યારે ગેસના ભાવો ઘટ્યો છે, ગુજરાત સરકારે પણ ગેસના ઘટેલા ભાવોને પગલે Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge ઘટાડ્યા હોય તો ટોરન્ટ પાવરે ગેસ ઘટાડાનો લાભ કસ્ટમર્સને કેમ નહીં આપવો જોઇએ આ પ્રશ્ને જીઈઆરસીના અધિકારીઓએ પણ મનસુખભાઇની અરજી ગ્રાહ્ય રાખીને ટોરન્ટ કંપનીને Fuel Power Purchase Price Adjustment. The FPPPA chargeમાં મનસુખભાઇની 21 પૈસાના ઘટાડાની માગણી નહીં પણ 14 પૈસા ઘટાડાની માગણીને ગ્રાહ્ય રાખવો સૂચના આપી છે.

ટોરન્ટના બિલમાં આ રીતે અસર જોવા મળશે

સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતે ટોરન્ટ પાવર કંપનીના કસ્ટમર્સને ફેબ્રુઆરી 2021 માસના બિલમાં Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge રૂ.1.97 પૈસા લખાઇને આવશે. જે ગત મહિના બિલ સુધી રૂ.2.11 પૈસા હતો. આમ, મનસુખભાઇની લડતને કારણે ટોરન્ટ કંપનીના હજારો કસ્ટમર્સને તેમના ઇલેક્ટ્રીક બિલમાં 14 પૈસીનો ઘટાડાનો લાભ મળશે.

Advertisement

February 2, 2021
taxpay.jpg
5min631

Here are the 10 things individual taxpayers should know:

  1. Interest on employee’s share of contribution to EPF on or after April 1, 2021 will be taxable at the stage of withdrawal if it exceeds Rs 2.5 lakh in any year. This will lead to additional tax liability, especially for HNIs, who make higher contributions, and will also discourage voluntary EPF contributions. Coupled with taxation of aggregate employer’s contributions in excess of Rs 7.5 lakh to EPF, NPS and superannuation fund and interest thereon introduced last year, this may make EPF an even less attractive retirement scheme.
  2. Taxpayers will not be required to estimate their dividend income while making advance tax payments. Advance tax will now be payable only when dividend is declared or paid by the company. This will save payment of interest by taxpayer due to underestimation while paying advance taxes.
  3.  HNI taxation juggernaut rolls on! Proceeds from ULIPs issued on or after February 1, 2021 will be taxable as capital gains if the amount of premium exceeds Rs 2.5 lakh in any year (except when received on death). Where a taxpayer pays premium for more than one ULIP (issued after February 1, 2021) exemption shall apply to thoseULIPs where aggregate premium does not exceed Rs 2.5 lakh.
  4.  Senior citizens get some relief ! Resident senior citizens, aged 75 or above, earning only pension and bank interest income (from the same bank where pension is credited) are not required to file income tax return. On the basis of declaration submitted by such a taxpayer, bank has to compute taxable income and deduct tax thereon
  5. More is better! In addition to salary income, bank accounts, tax payments and TDS details, pre-filled income-tax returns will now also include details of capital gains from listed securities, dividend income, interest from banks, post office etc.
  6. Affordable housing — extension on extension! Tax exemption for affordable housing further extended by 1 year. It will benefit middle-class first-time home buyers who will get enhanced deduction of Rs 1.5 lakh (over and above the existing deduction of Rs 2 lakh) for interest on housing loan for a house valued up to Rs 45 lakh if the loan is taken before March 31, 2022 (earlier March 31, 2021).
  7. Good news for individuals with overseas retirement funds! Central government will announce rules to determine the manner and year of taxability of income from overseas retirement funds opened by a resident taxpayer while he was a residing in a foreign country. This will provide relief from hardship faced on account of double taxation due to mismatch in timing of taxation in different countries
  8. Time limit for filing delayed (belated) / revised income-tax return is reduced by 3 months: last date to file income-tax return now stands at December 31 after the close of tax year. Similarly, timeline for completion of assessment has been reduced by 3 months. While this will reduce the overall tax compliance timelines, it may create practical difficulties for taxpayers with overseas income in claiming tax exemption or relief where such benefit is dependent on tax filing in the other country.
  9. Dispute Resolution Committee (DRC) to be set up to help taxpayers with taxable income of up to Rs 50 lakh, and disputed income up to Rs 10 lakh. All proceedings before DRC to be faceless and jurisdiction-less. This will reduce litigation and provide impetus to small and medium taxpayers to settle disputes at initial stages.
  10. National Faceless Income-tax Appellate Tribunal Centre proposed to be set up for all second-level appeal cases.

February 2, 2021
sensex_green.jpg
1min456

બજેટના બીજા દિવસે પણ 2300થી વધુની તેજી જોવા મળશે. આજે પણ શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં 1300 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી છે.

બજેટના દિવસે સેન્સેક્સ 48,600 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજે બજેટના બીજા દિવસે પણ 593 પોઈન્ટની તેજી સાથે 49,193 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. જે બાદ સેન્સેક્સમાં સતત તેજી ચાલુ રહી હતી અને તેણે 50 હજારના સ્તરને પાર કરી લીધું હતું. એ જ પ્રમાણે બજેટના દિવસે નિફ્ટી પણ 14,281 પોઈન્ટના સ્તરે બંધ રહી હતી. આજે 200 પોઈન્ટની શાનદાર તેજી સાથે 14,481 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. અને હજુ પણ તેજી ચાલુ રહેતા આ લખાય છે ત્યાં સુધીમાં નિફ્ટીએ પણ 14,700ના સ્તરને સ્પર્શ્યો હતો.

February 2, 2021
bjp_logo.png
1min431

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.

  • અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
  • વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
  • સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

February 2, 2021
bhavya.jpg
1min538

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી  રહેશે.

ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.

February 2, 2021
chakkajam.jpg
1min427

ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.

દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.

Farmers announce 'chakka jam' on Feb 6 | Hindustan Times

દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.

આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.

January 27, 2021
CIA_Live_Logo_New2.jpg
2min546
No description available.
તા.26મી જાન્યુઆરી 2021ના રોજ સચિન જીઆઇડીસી ખાતે બંધ પડેલી રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે. આ હોસ્પિટલને સચિન ઇન્ડસ્ટ્રીયલના આગેવાન મયુરભાઇ ગોળવાલાના હસ્તે ઉદઘાટિત કરવામાં આવી હતી. CiA Live

તા.26મી જાન્યુઆરી 2021નો દિવસ સચિન જીઆઇડીસીના કામદારો માટે આરોગ્ય સેવાનું કિરણ લઇને ઉગ્યો હતો. ઘણા સમયથી બંધ અવસ્થામાં પડેલી સચિન જીઆઇડીસીની રોટરી હોસ્પિટલને સચિન ઇન્સ્ટ્રીયલના આગેવાન અને માજી સેક્રેટરી મયુરભાઇ ગોળવાલા તેમજ નિલેશભાઇ ગામીએ પ્રયાસો કરીને ફરી ધમધમતી કરાવી છે.

No description available.
તા.26મી જાન્યુઆરી 2021ના રોજ સચિન જીઆઇડીસી ખાતે બંધ પડેલી રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે. આ હોસ્પિટલને સચિન ઇન્ડસ્ટ્રીયલના આગેવાન મયુરભાઇ ગોળવાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટિત કરવામાં આવી હતી. CiA Live

આ પ્રસંગે મયુરભાઇ ગોળવાલાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં કામદારો દિવસ રાત કામ કરી રહ્યા છે, તેમને છાશવારે નાની મોટી બિમારીઓ માટે તબીબી સેવાની જરૂરીયાત વર્તાતી હોય છે. આવી સ્થિતિમાં રોટેરીયન મિત્રો સાથે મળીને સચિન જીઆઇડીસીની રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે અને એ પણ પ્રજાસત્તાક પર્વે.

No description available.
તા.26મી જાન્યુઆરી 2021ના રોજ સચિન જીઆઇડીસી ખાતે બંધ પડેલી રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે. આ હોસ્પિટલને સચિન ઇન્ડસ્ટ્રીયલના આગેવાન મયુરભાઇ ગોળવાલાના હસ્તે ઉદઘાટિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભઆવોએ મયુરભાઇ ગોળવાલા અને તેમન ટીમની કામગીરીને બિરદાવી હતી. CiA Live

મયુરભાઇ ગોળવાલા તેમજ નિલેશભાઇ ગામીએ સચિન વિસ્તારના ઉદ્યોગકારો તેમજ તેમના કારખાના, મિલોમાં કામ કરતા કામદારોને બહોળા પ્રમાણમાં સચિન રોટરી હોસ્પિટલનો લાભ લેવા માટે અપીલ કરી છે.

No description available.