CIA ALERT

Alert Archives - Page 181 of 511 - CIA Live

March 10, 2021
amc.jpg
1min628
Image

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા

Image
AMCના નવા મેયર કિરીટ પરમાર

ભાજપે અમદાવાદ મહાનગરપાલિકા AMCમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. કિરીટ પરમારને અમદાવાદના મેયર પદે નિયુક્ત કર્યા છે તેમજ ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને કમાન સોંપવામાં આવી છે. 

અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

Vadodara Municipal

વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે, જ્યારે નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડો. હિતેન્દ્ર પટેલ અને અલ્પેશભાઈ લીંબચીયા મનપા ભાજપ નેતા બન્યાં છે. દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી છે

Bhavnagar Municipal

ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરવામાં આવી છે.

March 10, 2021
vaccine-1.jpg
1min418

ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.

રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.

March 10, 2021
SGCCI.jpg
1min654

કોવીડ-19 પેન્ડેમિક હોય કે સુરતમાં ભૂતકાળમાં આવેલી રેલ હોય, સુરતમાં જ્યારે જ્યારે કોઇ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ત્યારે સુરતની સામાજિક, સ્વૈચ્છીક, સેવાકીય બિનસરકારી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો, સંગઠનો દ્વારા સરકારી સિસ્ટમ સાથે ખભેખભા મિલાવીને કામગીરી કરી છે. સુરતમાં આવી હજારો સંસ્થાઓ જુદા જુદા ક્ષેત્રોમાં અવિરત પણે લોકોપયોગી કાર્યો કરી રહી છે. આવી બધી સંસ્થાઓની માહિતીનું સંકલન હજુ સુધી થયું નથી. પરીણામે સુરતની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવી બિનસરકારી સ્વૈચ્છીક, સામાજિક સંસ્થાઓ કે જે બિનધંધાકીય રીતે લોકોપયોગી કાર્યો કરી રહી છે તેમની ડિરેક્ટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપ આવી કોઇ સંસ્થા સાથે સંકળાયેલા હોવ તો ત્વરીત આપની સંસ્થા અંગેની માહિતી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અહીં દર્શાવેલા ઇમેલ પર મોકલશો જેથી ડિરેક્ટરીમાં તેનો સમાવેશ કરી શકાય.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે દક્ષિણ ગુજરાતની સામાજિક ક્ષેત્રે કાર્યરત સેવા સંસ્થા / એનજીઓની ડિરેકટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી ચેમ્બર દ્વારા વિવિધ સંસ્થાઓને તેઓની માહિતી તા. ૧પ માર્ચ, ર૦ર૧ સુધીમાં અહીં આપેલા ઇ–મેઇલ databank@sgcci.in ઉપર મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચેનું ફોર્મ ભરીને ચેમ્બર ઓફ કોમર્સને મેઇલ કે હાથોહાથ પહોંચાડી શકો

March 10, 2021
nm1.jpeg
3min496

શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, સુરતની યુવા સંસ્થા “સ્પર્શ” ના નવા વરાયેલા પ્રમુખ દેશના મંથન મદ્રાસીનો પદગ્રહણ વિધિ સમારોહ શ્રી અજય લાકડાવાલા, શ્રી કેતન ઝવેરી, શ્રી પારસ જરીવાલા, શ્રી નરેશ મદ્રાસી અને શ્રી મહેન્દ્રભાઈ ઝવેરીના સાન્નિધ્યમાં સંપન્ન થયો હતો.

સ્વાગત પ્રવચન નીમા ચિંતન ઝવેરીએ કર્યું હતું. નિવૃત્ત થયેલા પ્રમુખ જીગર લાકડાવાલાએ તેમના વર્ષમાં હાથ ધરેલ પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો અને ખાસ કરીને કોરોના દરમ્યાન હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ તેમજ આયોજિત કરવામાં આવેલા વેબીનારો વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.

નવા વરાયેલા પ્રમુખ દેશના મદ્રાસીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજના ઉત્થાન અને વિકાસમાં યુવાનોનો વિશિષ્ટ ફાળો હોય છે. જ્ઞાતિના યુવાનોએ વડીલોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને બતાવ્યો છે અને તેથી જ જ્ઞાતિના યુવાનોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.

જ્ઞાતિના વડીલ શ્રી નરેશ મદ્રાસીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો જે કંઈક કરી શકે છે તે બીજું કોઈ કરી શકતું નથી. વડીલોનું કામ યુવાનોમાં વિશ્વાસ મૂકવાનું છે અને જો યોગ્ય સમયે તેઓને માર્ગદર્શન આપવામાં આવે તો ચોક્કસ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. તેઓએ દેશના મદ્રાસીને હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા.

નવી કાર્યવાહક સમિતિની ટીમને સાજનાના મંત્રી શ્રી અજયભાઈ લાકડાવાલાએ શપથ લેવડાવ્યા હતા અને નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.રિદ્ધિ શાહે આભાર વિધિ કરી હતી અને પદગ્રહણ વિધિ સમારોહનું સંચાલન નિખિલ મદ્રાસીએ કર્યું હતું.

નવી કાર્યવાહક સમિતિના સભ્યોના નામો નીચે મુજબ છે.

  • પ્રમુખ – દેશના મદ્રાસી
  • તત્કાલીન નિવૃત પ્રમુખ – જીગર લાકડાવાલા
  • ઉપ પ્રમુખ – અક્ષત કચરા
  • મંત્રી – અભિષેક દમણીયા
  • સહમંત્રી – મૈત્રક નાણાવટી
  • ખજાનચી – કિંજલ લાકડાવાલા
  • સહ ખજાનચી – વિરતી જરીવાલા
  • હ્યુમન ડેવલપમેન્ટ ઓફિસર્સ – ધ્વનિ મદ્રાસી, શ્રેયલ કચરા અને હર્ષિલ કણીયા
  • ડિરેક્ટર્સ – રિદ્ધિ શાહ, નીમા ઝવેરી, દર્શન દમણીયા અને મંથન દમણીયા

સળંગ બે દિવસ સુધી આ નિમિત્તે બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ટુર્નામેન્ટનું પરિણામ નીચે મુજબ છે.

સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખોની પ્રેસિડન્ટ પેન્થર્સ ટીમ વિજેતા બની હતી અને ફેન્ટાસ્ટિક ફિફ્ટી ટીમ રનર્સ અપ વિજેતા ઘોષિત કરાઈ હતી.

બેસ્ટ બેટ્સમેન : મલય શાહ (કુલ પાંચ મેચોમાં ૩૭૧ રન)

બેસ્ટ બોલર : ચિંતન દમણીયા (કુલ ૭ વિકેટ)

સૌથી વધારે છગ્ગાઓ : મલય શાહ (૫૧ છગ્ગા)

મેન ઓફ ધી સિરીઝ : મલય શાહ

સમગ્ર ટુર્નામેન્ટની કોમેન્ટ્રી “સ્પર્શ”ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મંથન મદ્રાસી અને શ્રી રાજુભાઈ દવાવાળાએ કરી હતી.

March 9, 2021
Ranbir-Kapoor-Sanjay-Bhansali.jpg
1min446

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.

રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.

સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.

સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.

March 9, 2021
wtc_final.jpg
1min473

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારો ફાઇનલ મેચ લોર્ડસના મેદાન પર નહીં, પણ સાઉથમ્પટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ જાણકારી આજે બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુકલાએ આપી છે. લંડનમાં કોવિડ-19ના વધતા કેસને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી જૂનમાં 18થી 22 દરમિયાન રમાનાર ડબ્લ્યૂટીએનો ફાઇનલ મેચ લોર્ડસના બદલે સાઉથમ્પટનના સ્ટેડિયમમાં રમાશે.

ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1ની જીતથી ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા અને ચોથા ટેસ્ટ મેચમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની ફિરકીથી ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બે અને ત્રણ દિવસમાં જ વિજય થયો હતો.

March 9, 2021
jandhan.jpg
1min536

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.

સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.

સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.

March 8, 2021
cia_society-1280x880.jpg
1min668

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનેરોઅવસર સ્ત્રીત્વની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરે છે. આ વર્ષે, કોવિડ-19 મહામારી સામેના લડાઈમાં ભાગ લેનાર સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા (જેમોલોજી ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકાની સ્વતંત્ર સબસિડિયરી);  જેમ & જવેલરી નેશનલ રિલીફ ફોઉંડેશન (જી.જે.એન.આર.એફ.) એ શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરનું મહિલા સશક્તિકરણ અભિયાન – ‘રાજ ઉપહાર’ના ગિફ્ટ પેકેટ્સથી બિરદાવવામાં આવી હતી.

સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આ અભિયાનની શરૂઆત ૬થી માર્ચના દિવસે કરવામાં આવી હતી.

મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યેકૃતજ્ઞતા દર્શાવતાં આ ગિફ્ટ પેકેટ્સ તેમના સન્માનનું પ્રતીક તો બન્યા જ પણ સાથે જ’રાજ ઉપહાર’માં કામ કરતી સેંકડો આદિવાસી મહિલાઓની આજીવિકાનું સાધન પણ બન્યાં છે! 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. CiA Live News (www.cialive.in)
સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા અભિયાનની શરૂઆત ૬થી માર્ચે કરવામાં આવી. CiA Live News (www.cialive.in)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરના ટ્રસ્ટી ડૉ. બીજલ મેહતા CiA Live News (www.cialive.in)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા જી. આઈ. એ. ઈન્ડિયાના પ્રતિનિધિ. CiA Live News (www.cialive.in)

March 8, 2021
IPL_2021.jpg
1min417

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.

March 8, 2021
parliament.jpg
1min384

બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી એક મહિના માટે શરૂ થશે.

આ તબક્કે સરકારનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૧-૨૨ માટે બજેટમાં વિવિધ કર માટેના પ્રસ્તાવો માટે મંજૂરી મેળવવાનો રહેશે.

આ સત્ર ૮મી એપ્રિલે પૂર્ણ થશે અને સત્ર દરમિયાન સરકારના એજેન્ડામાં એમણે રજૂ કરેલા અનેક બિલ પસાર કરાવવાના છે.

પેન્શન ફંડ રૅગ્યુલેટરી ઍન્ડ ડૅવલપમેન્ટ ઑથોરિટી (સુધારા) ખરડો, નેશનલ બૅન્ક ફોર ફાઈનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડૅવલપમેન્ટ ખરડો, ઇલેક્ટ્રિસિટી (સુધારા) ખરડો, ક્રિપ્ટો કરન્સી ઍન્ડ રૅગ્યુલેશન ઑફ ઑફિસિયલ ડિજિટલ કરન્સી ખરડો જેવાં મહત્ત્વનાં ખરડાઓ આ સત્રમાં રજૂ થવાના છે.

સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થઇ રહ્યો છે, જ્યારે ચાર રાજ્ય પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ અને કેરળ તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે. ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાવાની છે.

બજેટનું પહેલું સત્ર ૨૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સદનને સંયુક્ત રીતે કરેલા સંબોધનથી શરૂ થયું હતું. એ વખતે ખેડૂત આંદોલનને ટેકો આપવા વીસથી વધુ પક્ષોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બોયકોટ કર્યો હતો.

કેન્દ્ર સરકારે ૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ સતત ચાર દિવસ સુધી વિરોધ પક્ષે કૃષિ કાયદા મુદ્દે હોબાળો મચાવીને કામ ચાલવા નહોતું દીધું.