ડેન્માર્ક, આયર્લેન્ડ અને થાઇલેન્ડ સહિતના કેટલાક દેશે કોરોના સામેની રસી એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ કામચલાઉ અટકાવ્યો છે.
એસ્ટ્રાઝેનેકા રસીથી લોહી ગંઠાઇ જતું હોવાના કોઇ પુરાવા નહિ હોવા છતાં કેટલાક દેશે તેનો વપરાશ હાલમાં અટકાવ્યો છે.
યુરોપિયન મેડિસિન્સ ઍજન્સી અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસી લેવાથી લોહી ગંઠાઇ જતું હોવાના અહેવાલ પુરાવા વિનાના છે.
ડેન્માર્કમાં એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડૉઝ લીધા બાદ એક વ્યક્તિમાં લોહી અનેક સ્થળે ગંઠાઇ ગયું હોવાનો આક્ષેપ કરાયો હતો અને દસ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
ડેન્માર્કના આરોગ્ય વિભાગે પણ કબૂલ કર્યું હતું કે રસી અને લોહી ગંઠાઇ જવાની બાબત એકબીજા સાથે સંબંધિત હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી સુધી નથી મળ્યા.ઉ
નોર્વે, આઇસલેન્ડ, બલ્ગેરિયા, થાઇલેન્ડ અને કોંગોએ પણ આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવી દીધો છે.
નેધરલેન્ડ્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અમે તકેદારીના પગલાં તરીકે આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવ્યો છે.
ગુજરાત રાજ્યમાં તા.૧૪મી માર્ચ ૨૦૨૧ની રાત્રે ૯ કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 810 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના 586 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગુજરાતમાં રાજ્યમાં કુલ 2,69,361 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 96.82%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 163, સુરતમાં 241, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 70 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4422 એક્ટિવ કેસમાંથી 54 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 4368 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને ખેડામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4424એ પહોંચ્યો છે.
દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શનિવાર, ૧૩ માર્ચ, ર૦ર૧ના રોજ ‘પ્લેટીનમ હોલ’, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ખજોદ ચાર રસ્તા પાસે, સરસાણા, સુરત ખાતે એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રામકૃષ્ણ એકસપોર્ટસ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા. જ્યારે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ ૧૯૯૦માં ઉદ્યોગ અને વેપારની સેવા કરતા પ૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજના એવોર્ડ ફંકશનમાં ખાસ કરીને ભારતમાં સંરક્ષણ શસ્ત્રસરંજામનું નિર્માણ શરૂ કરીને શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર સુરતમાં હજીરા સ્થિત એલ એન્ડ ટી ડિફેન્સ કંપનીને સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવી રહી છે. તેમણે કહયું કે, દક્ષિણ ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ એન્ડ ટી કંપનીએ ‘આત્મનિર્ભર ભારત’અભિયાનને સાકારિત કરીને દેશની સીમા ઉપર અભેદ્ય કિલ્લા સમાન સ્વચાલિત કે૯ વજ્ર ટેન્કનું ઉત્પાદન કર્યું છે. સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
મુખ્ય મહેમાન ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને ચેમ્બર જે રીતે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે છે તે ખૂબ જ સરાહનીય પગલું છે. આનાથી સારું કામ કરવા માટે પ્રેરણા મળે છે. એક ઉદ્યોગપતિને જ્યારે એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે અન્ય ઉદ્યોગકારોને પણ તેમની દિશાએ આગળ વધવાની આપોઆપ પ્રેરણા મળે છે. આથી સુરતના અને ઉદ્યોગના વિકાસ માટે પણ આ એવોર્ડ આભારી હોઇ શકે છે. તેમણે વધુમાં કહયું કે, ઉદ્યોગોએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી જ રહી પણ તેની સાથે સાથે તેમની સમાજ પ્રત્યે પણ જવાબદારી બને છે. આથી ઉદ્યોગોએ સમાજમાં પણ પોતાનું યોગદાન આપવું જોઇએ. આજે હું મારી જ સંસ્થામાં મુખ્ય મહેમાન તરીકે આવ્યો છું ત્યારે ગર્વની લાગણી અનુભવું છું.
અતિથિ વિશેષ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને આપણે સફળતાને બિરદાવીએ છીએ. સફળ થયેલા ઉદ્યોગપતિની સાથે નિષ્ફળ થયેલા વ્યકિતઓના અનુભવમાંથી પણ બોધપાઠ લેવો જોઇએ. જો કે, આ એક મોટી એકસરસાઇઝ છે અને ચેમ્બર જેવી સંસ્થાએ આ અંગે સંશોધન કરવું જોઇએ. આજનો ખૂબ જ સારો પ્રસંગ છે અને તેમાં મને સુરતની જાણકારી પ્રાપ્ત થઇ છે. વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં શું થઇ રહયું છે તેની ખબર પડે છે.
તેમણે વધુમાં કહયું હતું કે મને લાગે છે કે હવે સુરત, ગુજરાતના કે દેશના નહીં પણ વિશ્વના વિકાસ પામેલા શહેરો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે છે તે અંગે વિચારવું જોઇએ. એના માટે ઉદ્યોગોની સાથે શૈક્ષણિક સંસ્થાઓએ સારી રીતે વિકસિત થવું પડશે. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓ માટે નવા વિકલ્પો શોધવા જોઇએ. નવી ટેકનોલોજી કેવી રીતે અને શા માટે ડેવલપ કરવી જોઇએ? તે દિશામાં પણ આગળ વધવું જોઇએ. સાથે જ લિબરલ આર્ટ્સનો વિષય હોવો જોઇએ. જેથી કરીને વિદ્યાર્થીઓને બધી જ માહિતી મળી રહે.
‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’થી સન્માનિત થયેલા યઝદી કરંજીયાએ જણાવ્યું હતું કે, પાંચ ફૂટના પારસીને તેની આજીવન સિદ્ધી માટે સન્માનિત કરવામાં આવ્યો તે મારા માટે અકલ્પનીય હતું. હું અહીં માત્ર જ્યુરી તરીકે આવ્યો હતો પણ ચેમ્બરે મને જે રીતે બિરદાવ્યો છે તેના માટે મારી પાસે કોઇ શબ્દ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યઝદી કરંજીયાએ તેમની ૬૦ વર્ષની કારકિર્દીમાં કયારેય નાટકનો ઉપયોગ આજીવિકા મેળવવા માટે કર્યો નથી. નાટક થકી જે કઇ કમર્શિયલ એકટીવિટી કરી તેનો ઉપયોગ માત્ર રકતપિત્તના અને કેન્સરના દર્દીઓની સેવા માટે કર્યો છે. તદુપરાંત શહેરમાં કોમી એખલાસભર્યું વાતાવરણ ઉભું કરવા માટે પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આથી ચેમ્બર દ્વારા તેમને ઉપરોકત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટના ચેરમેન રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, R&D, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્સનું વિતરણ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦૧૮–૧૯ માટે ૧પ કેટેગરી જેટલા એવોડર્સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
આ સંસ્થાઓને એવોર્ડ એનાયત થયા
૧. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર’બ્રાઇટ વિવ્જ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
ર. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસીંગ સેકટર’ગોકુલાનંદ ટેકસ્ચ્યુરાઇઝર્સ પ્રા.લિ. (જીટીએકસ) સુરતને એનાયત કરવામાં આવ્યો હતો.
૩. ‘શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ’સોન્ગવોન સ્પેશ્યાલિટી કેમિકલ્સ – ઇન્ડિયા પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૪. ‘શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’પેસિફીક સ્કૂલ ઓફ એન્જીનિયરીંગને એનાયત કરવામાં આવ્યો હતો.
પ. ‘કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન’પિરામલ ગ્લાસ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૬. ‘એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી’લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ હેવી એન્જીનિયરીંગ ડિવીઝનને એનાયત કરવામાં આવ્યો હતો.
૭. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ’ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એન.પી.સી.આઇ.એલ.)ને એનાયત કરવામાં આવ્યો હતો.
૮. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય એનજીઓ’દીપ – ડેવલપમેન્ટ એફર્ટસ ફોર રૂરલ ઇકોનોમી એન્ડ પિપલને એનાયત કરવામાં આવ્યો હતો.
૯. ‘ફેરડીલ ફિલામેન્ટ્સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આન્ત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ’અમી ઓર્ગેનિકસ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૦. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ’શ્રી આર.ડી. ઘાયલ એન્ડ શ્રીમતી વી.બી.એન. શાહ માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૧. ‘મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન’આર.એન.જી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – આર.એન.જી.પી.આઇ.ટી.ને એનાયત કરાયો હતો.
૧ર. ‘શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ફોર ધ ઇયર ર૦૧૮–૧૯’શ્રી એમ.આર. શર્મા – ઓપરેશન્સ ડાયરેકટર, કૃભકોને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૪. ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’શ્રી યઝદી કરંજીયાને એનાયત કરવામાં આવ્યો હતો.
૧પ. દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ ફંકશનમાં ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તથા એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ સરાવગી અને ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિક અને ચેતન શાહ તથા માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને ચેમ્બરની લાયબ્રેરી કમિટીના એડવાઇઝર સુનીલ જૈને પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સમારોહનો ટૂંકમાં સાર રજૂ કરી સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૫,૩૨૦ કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લાં ૮૪ દિવસમાં કોરોનાના દૈનિક નવા વધુ કેસનો આ સર્વોચ્ચ આંક હતો, એમ તેમણે કહ્યું હતું. છેલ્લે ૨૦ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૬૧ જણનાં મોત થયાં જે છેલ્લાં ૪૪ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો સર્વોચ્ચ આંક હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૨,૧૦, ૫૪૪ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૮૫ ટકા છે.
દેશમાં કોરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૭ ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનાં આંકને વટાવી ગયો હતો.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિળનાડુ અને મધ્ય પ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દરદીઓમાંના ૮૭.૭૩ ટકા દરદી ધરાવે છે.
કોવિડ-૧૯ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૬૦૨, કેરળમાં ૨,૦૩૫ અને પંજાબમાં ૧,૫૧૦ નવા દરદી નોંધાયા હતા.
દેશમાંના કોરોનાના કુલ ઍક્ટિવ દરદીઓમાંના ૭૬.૯૩ ટકા દરદી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.
દેશમાં કોરોનામાંથી ૧,૦૯,૮૯,૮૯૭ દરદી સાજા થયા હતા. નવા સાજા થયેલા દરદીઓમાંના ૮૩.૧૩ ટકા દરદી છ રાજ્યના જ હતા.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં ૮૮, પંજાબમાં ૨૨ અને કેરળમાં ૧૨ કોરોનાના દરદી મૃત્યુ પામ્યાં હતાં.
દેશમાં કોરોનાની રસીના અંદાજે ૨,૯૭,૩૮,૪૦૯ ડૉઝ અપાયા હતા.
દેશના ૧૪ રાજ્ય – રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમ જ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક પણ દરદી મૃત્યુ નહોતો પામ્યો.
એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એકાએક કોરોનાના કેસો વધી ગયા છે અને સાથોસાથ આજે તા.૧૫મી માર્ચે જ ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની વર્તમાન મુદત પૂરી થઇ રહી છે. આજે સાંજ સુધીમાં એવી જાહેરાત સરકાર તરફથી શક્ય છે કે, સુરત સમેત રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવા ઉપરાંત અનેક આકરાં નિયંત્રણો લાગૂ કરવામાંં આવશે.
રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ 12થી સવારના 6 વાગ્યા સુધી અમલી છે જેની અવધિ આજે 15મી માર્ચના રોજ પૂર્ણ થાય છે.
વિતેલા સપ્તાહે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠક યોજી હતી અને તેમાં કોરોના વધતા જતા કેસો સંદર્ભેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી હતી. આજે ફરી બેઠક યોજી કર્ફ્યૂ અંગે નિર્ણય લઈ જાહેર કરાય તેવી શક્યતા છે.
સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રીના જે રેસ્ટોરાં કે પછી હોટેલોમાં વધુ લોકો એકઠા થતા હોય અને નિયમોનો ભંગ થયો હોય તો હોટેલ અને રેસ્ટોરાંને બંધ કરાવવામાં આવી છે.
આ વખતે હોળી દહનમાં ગોબર સ્ટીક ટ્રેન્ડમાં જોવા મળશે. લાકડા મોંઘા અને તેના પર નિયંત્રણો લદાયા હોઇ, લોકો હવે ગોબર સ્ટીકની મદદથી હોલિકા દહનનો કાર્યક્રમ કરશે એમ માનવામાં આવે છે.
એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘સચિન વઝેની NIA કેસ RC/1/2021/NIA/MUMમાં રાત્રે 11.50 કલાકે ધરપકડ કરવામાં આવી હતી.’ એનઆઈએએ કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ કાર્મિકલ રોડ નજીક વિસ્ફોટક ભરેલી કાર મૂકવામાં ભૂમિકા અને સંડોવણી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
તા.૧૩મી માર્ચને શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રમાં કાર્યરત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાવલિસ્ટ પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ મુકેશ અંબાણીના ઘર, એન્ટીલિયા નજીક મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના કેસમાં કરી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની મૃત્યુ બાદ તેમની પત્નીએ પણ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી જ સચિનની ધરપકડની માંગ કરવામાં આવી રહી હતી.
વઝે પોતાનું નિવેદન નોંધાવા માટે સવારે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈના કુંબલા હિલ ખાતેની એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા.
25 ફેબ્રુઆરીના રોજ કાર્મીકલ રોડ પર અંબાણીના ઘરની નજીક પાર્ક કરેલી સ્કોર્પિયો કારમાં કેટલીક જીલેટીન સ્ટીક અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વઝે પર થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેન હત્યા કેસમાં સંડોવણીનો આરોપ છે. જણાવી દઈએ કે, 5 માર્ચના રોજ થાણે જિલ્લામાં મનસુખ હિરેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (ATS) હિરેન હત્યા કેસની તપાસ કરી રહી છે. હિરેનનો મૃતદેહ મળ્યા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હિરેનની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિએ ગયા વર્ષે નવેમ્બરમાં વઝેને એસયુવી આપી હતી અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કાર પરત કરી હતી. જો કે વઝેએ આ વાતનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખના પત્ની વિમલા હિરેનની હત્યાના આરોપ બાદ સચિન વઝે પોતે જ પૂછપરછ માટે એટીએસ પહોંચ્યા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.
શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.
દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.
કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.
વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.
દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.
અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.
આ વર્ષે અમરનાથ યાત્રાએ જવાનું વિચારતા હોવ તો અત્યારથી તૈયારી કરવા માંડો, કેમકે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડે અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરી છે.
અમરનાથ યાત્રા ૨૦૨૧નો પ્રારંભ ૨૮ જૂનથી કરવામાં આવશે. જોકે, યાત્રા દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
અમરનાથયાત્રા માટે ૧લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને કેટલીક યસ બેંકની બ્રાન્ચમાંથી અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે
તા.૨૨મી ઓગસ્ટ ૨૦૨૧ના પૂર્ણિમા (રક્ષાબંધન)ના દિવસે અમરનાથ યાત્રાને પૂર્ણ જાહેર કરાશે
યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યાની કોઇ મર્યાદા રાખવામાં નથી આવી. બાબા અમરનાથની ૫૬ દિવસની યાત્રા ૨૮મી જૂનથી શરૂ થશે અને ૨૨મી ઑગસ્ટ સુધી ચાલશે. દેશવિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે યાત્રાની વ્યવસ્થાની મોટે પાયે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
યાત્રાળુઓની સુરક્ષા વિશે સતર્ક સરકાર આ વર્ષે રેડિયો ફ્રિક્વન્સી દ્વારા યાત્રાળુઓ પર નજર રાખશે. આ માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરી રાખી છે અને બાલટાલ તથા પહલગામમાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયા છે.
યાત્રાની શરૂઆતમાં યાત્રાળુઓને ટૅગ આપવામાં આવશે અને એની મદદથી એમના પર નજર રાખવામાં આવશે. આ ટૅગની મદદથી આપત્તિના સમયે યાત્રાળુને ઝડપથી મદદ પહોંચાડી શકાશે.
Amarnath Yatra would commence on June 28 on auspicious day of Ashaad Chaturthi & conclude on Shravan Purnima (Raksha Bandhan)
The annual Amarnath yatra to the 3,880-metre high cave shrine in the south Kashmir Himalayas will commence on 28 June 28 and culminate, as per the tradition, on the day of Raskha Bandhan festival on 22 August, officials said today.
A decision to this effect was taken at the 40th board meeting of the Shri Amarnath Shrine Board (SASB) chaired by Lt Governor Manoj Sinha at Raj Bhavan here, the officials said.
The Jammu and Kashmir administration said, “Advance registration of pilgrims from Amarnath Yatra will commence from April 1 through 446 designated branches of Punjab National Bank, Jammu and Kashmir Bank and YES Bank, located in 37 states and UTs.”
દેશમાં નોંધાતા નવા દૈનિક કુલ કેસમાં પૈકી ૮૫ ટકા કેસો છ રાજ્યો, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ છ રાજ્યમાં કોરાનોના નવા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૦૮,૮૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૧,૯૭,૨૩૭ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૭૪ ટકા છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર ૧૪,૩૧૭, કેરળ ૨૧૩૩, પંજાબ ૧૩૦૫નો સમાવેશ થાય છે.
દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાં પાંચ રાજ્યનું યોગદાન ૮૨.૯૬ ટકા, મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યમાં કુલ યોગદાન ૭૧.૬૯ ટકા હોવાનું તેમણે કહ્યું હતું.
ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યાનો આંક ૧,૯૭,૩૩૭ પર પહોંચ્યો છે જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલો હોવાનું કોરોના દેખરેખ અધિકારીએ નવી દિલ્હી ખાતેથી કહ્યું હતું.
દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૭૮ દિવસનો સર્વોચ્ચ આંક હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૧૭ જણનાં મોત થયાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૩૦૬ પર પહોંચી ગયો છે.
છેલ્લે ૨૪ ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા છ દિવસમાં દેશમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા હતા.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૨,૪૯,૯૮,૬૩૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૭ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.