Alert Archives - Page 147 of 510 - CIA Live

August 8, 2021
Cia_business_news-1280x936.jpg
1min364

Jayesh Brahmbhatt 98253 44944

સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કાપડ ઉત્પાદનની સૌથી પહેલી કડી વીવીંગ કારખાનેદારો દ્વારા જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે એ વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન (60 ડેનિયર) પર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અધિરી બનેલી કેન્દ્ર સરકારની સંસ્થા ડીજીટીઆર (ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી) ને આજે ફિયાસ્વીના પ્રમુખ અને કેન્દ્રની ટેક્ષટાઇલ કમિટીમાં સભ્ય સુરતના ભરત ગાંધીએ કચકચાવીને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે સુરતના વીવીંગ કારખાનેદારો જ ભારતમાં વપરાશમાં લેવામાં આવતા ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના 95 ટકા જથ્થાના વપરાશ કર્તા છે, સુરતના વીવીંગ ઉદ્યોગ માટે ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર) કી રૉ મટિરિયલ છે, આવું જાણવા છતા પણ જો આ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ પાડવામાં આવશે તો સુરતમાં 3.50 લાખ જેટલા લૂમ્સ બંધ થઇ જશે અને લાખો લોકો બેરોજગાર બનશે.

ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી (ડીજીટીઆર)ને કચકચાવીને લખેલા પત્રમાં ફિયાસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડીયન આર્ટ સિલ્ક વીવીંગ ઇન્ડસ્ટ્રીઝ)ના પ્રેસિડેન્ટ ભરત ગાંધીએ જણાવ્યું છે કે ટેક્ષટાઇલ મંત્રાલયએ સ્પષ્ટ કર્યુ છે કે કાપડ ઉત્પાદનમાં જે ચીજવસ્તુઓ કી રૉ મટિરિયલ તરીકે વપરાશમાં લેવાતી હોય તેના પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ કરવી નહીં આમ છતાં ડીજીટીઆર કયા કારણોથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી લગાડવા માટે અંતિમ તબક્કામાં પહોંચી છે એ બાબત જ શંકાપ્રેરક છે. ડીજીટીઆર ખુદ જાણે છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સુરતના વીવીંગ કારખાનેદારો માટે કી રો મટિરિયલ છે, સૌથી વધુ ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ જ સુરતના વીવીંગ કારખાનેદારો કરી રહ્યા છે, એવું પણ નથી કે મર્યાદિત કારખાનેદારો આનો ઉપયોગ કરે છે, સુરતમાં હજારો વીવીંગ કારખાનેદારો પોતાના લૂમ્સ મશીનો પર કાપડનું ઉત્પાદન કરવા માટે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ કરે છે અને સુરતના વપરાશની માગને દેશી યાર્ન ઉત્પાદકો પહોંચી વળી શક્તા નથી અને તે જ કારણે આ યાર્ન ઇમ્પોર્ટ કરવું પડે છે. દેશી યાર્ન ઉત્પાદકો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતા યાર્નની ક્વોલિટી સુરતના હાઇસ્પીડ મશીન્સ પર ટકી શકે તેવી પણ નથી.

ફિયાસ્વીએ સ્પષ્ટ કર્યું કે ડીજીટીઆરએ કુદરતી ન્યાયની કોઇ પ્રક્રિયા પૂરી કરી નથી. સુરતના વીવીંગ વપરાશકારોને તેમણે રૂબરૂમાં સાભળવા જોઇએ તે પણ કર્યું નથી અને તેની જગ્યાએ હવે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ઠોકી બેસાડવાની પ્રક્રિયાને અંતિમ તબક્કામાં લઇ આવ્યા છે. તેમણે કહ્યું કે જો વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી નાંખવામાં આવશે તો સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થશે. હાલમાં 6 લાખ લૂમ્સ સુરતમાં કાર્યરત તે પૈકીના 3.50 લાખ લૂમ્સ મશીનો બંધ થઇ જશે અને એ બંધ થતાં લાખો લોકો રોજગારી ગુમાવશે.

ડોમેસ્ટીક યાર્ન ઉત્પાદક ગ્રાસીમને જંગી દંડ થઇ ચૂક્યો છે

ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડયૂટી લાગૂ નહીં કરવા સંદર્ભે ફિયાસ્વીએ કેન્દ્રને લખેલા પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના મુખ્ય ઉત્પાદક ગ્રાસીમ-બિરલા ગ્રુપને કેન્દ્ર સરકારની જ સંસ્થા કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડીયાએ ગઇ તા.16મી માર્ચ 2020ના રોજ રૂ.302 કરોડની જંગી રકમની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી એટલા માટે ફટકારવામાં આવી છે કે ગ્રાસીમ-બિરલા ગ્રુપે તેમને મળેલી ઇજારાશાહીનો દૂરુપયોગ કરીને ચોક્કસ કંપનીઓને જ યાર્ન સપ્લાય કર્યું અને અનેક યાર્નના દરોમાં મનસ્વી રીતે વધારા કર્યા હતા.

કેન્દ્ર સરકારની ટેક્ષટાઇલ કમિટીના સભ્ય સુરતના ભરત ગાંધીએ ડીજીટીઆરને કરેલી રજૂઆતમાં સુપ્રીમ કોર્ટનો એક ચૂકાદો પણ ટાંક્યો છે કે જેમાં ઉત્પાદન માટે જરૂરી મટિરીયલ યાર્ન પર કોઇપણ પ્રકારની વધારાની ડ્યૂટી લાદી શકાય નહીં તેવો સંદર્ભ પણ છે.
પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ડ્યૂટી લાગૂ કરવામાં આવશે તો ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર)ના ઉત્પાદક બિરલા ગ્રુપ પોતાને મળેલી ઇજારાશાહીને બેફામ ઉપયોગ કરે તે સંભવ છે.

August 7, 2021
Neeraj-Chopra-july-afp_d.jpg
1min738
Neeraj Chopra, Shivpal Singh aim to set Indian javelin record straight at  Tokyo Olympics | Other News – India TV

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે 82.52 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો.

બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

ત્રીજા પ્રયાસમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો.

August 7, 2021
Dr.-Sudhir-Shah-1.jpg
1min372

અમેરિકામાં બિઝનેસ માટે જવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે SGCCI દ્વારા સેમિનાર યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૪ ઓગષ્ટ ર૦ર૧ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘અમેરિકા જવું છે?’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ.એ. વિઝા વિન્ડોના એકસપર્ટ ડો. સુધીર શાહ અને વિપુલ દોશીએ માર્ગદર્શન આપ્યું હતું.

ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ અમેરિકા હોવાથી લોકોની ભણવા માટે, ફરવા માટે, કારકિર્દી ઘડતર માટે અને બિઝનેસ માટે પણ પહેલી પસંદ અમેરિકા હોય છે. આથી તેમણે જુદા–જુદા વિઝા અંગે વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને ઇબી– પ અને એલ– ૧ વિઝા અંગે તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે, અમેરિકા જવા માટે વિઝા મળી ગયા હશે તો એનો મતલબ એવો નથી થતો કે અમેરિકા જઇ શકાશે. જો ઇન્ટરવ્યુ દરમ્યાન અધિકારીને એવું જણાય કે ખોટું બોલીને વિઝા મેળવવામાં આવેલા છે તો અમેરિકા જવાનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં.

બી– ૧ વિઝા, બિઝનેસ માટે અને બી– ર વિઝા, ટુરીસ્ટ તરીકે ફરવા માટે આપવામાં આવે છે. બી– ૧ વિઝા લઇને બિઝનેસમેન અમેરિકા જઇને બિઝનેસ મિટીંગ અટેન્ડ કરી શકે છે, એકઝીબીશનમાં ભાગ લઇ શકે છે, સેમિનારમાં ભાગ લઇ શકે છે અને ઓર્ડર લઇ શકે છે અને આપી શકે છે, પરંતુ ઓફિસમાં બેસીને બિઝનેસ કરી શકશે નહીં. જો કે, બી– ૧ વિઝા લઇને બિઝનેસના હેતુથી ગયેલા ઉદ્યોગકારોને અમેરિકામાં જો બિઝનેસની તકો દેખાય તો તેઓ પોતાનું સ્ટેટસ બદલીને એલ– ૧ વિઝા લઇ શકે છે. તેમણે દરેક વિઝા સાથે જોડાયેલા સ્ટેટસ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.

તેમણે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાની કેટલીક મહત્વની બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને અભ્યાસ પૂર્ણ થયા બાદના ૯૦ દિવસની અંદર જોબ કરવા માટેના નિયમો છે તેના વિશે તેઓને અવગત કરાવ્યા હતા. સાથે જ અમેરિકામાં પ૦૦થી ૧૦૦૦ ડોલર લઇને જોબ આપવાની લાલચ આપતી બોગસ કંપનીઓથી પણ સાવધાન રહેવા માટે ચેતવ્યા હતા.

એલ– ૧ એ વિઝા એકઝીકયુટીવ, મેનેજર અને કંપની સંબંધિત ખાસ પ્રકારની જાણકારી ધરાવનારી વ્યકિતઓ માટે હોય છે. ભારતમાં બિઝનેસ કરતી કંપની જો પાર્ટનરશિપ તરીકે અથવા પોતાની બ્રાન્ચ અમેરિકામાં ખોલે છે ત્યારે ભારતમાં આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતા મેનેજર તથા એકઝીકયુટીવને કંપની એલ– ૧ એ વિઝા ઉપર અમેરિકા મોકલી શકે છે. એલ– ૧ એ વિઝાને આધારે વ્યકિત અમેરિકામાં સાત વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે. ત્યારબાદ કંપની કર્મચારીને બબ્બે વર્ષનું એકસટેન્શન આપી શકે છે અને બાદમાં તેઓને ગ્રીન કાર્ડ પણ મળવાની જોગવાઇ કાયદામાં રહેલી છે.

આ સેમિનારમાં ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય અમિષ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને બિજલ જરીવાલાએ સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.

August 7, 2021
cottonseed_oil.jpg
1min438

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દોઢ વર્ષ પહેલા ભારતમાં પહેલી વખત એવું બન્યું હતું કે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો હતો. આવું ઇતિહાસમાં પહેલી વખત બનતા તમામને નવાઇ લાગી હતી કેમકે ડિઝલ પેટ્રોલથી સસ્તું મળી રહ્યું હતું. એવું જ કંઇક ખાદ્યતેલોના ભાવમાં બન્યું છે. લોકોએ સ્વપનેય વિચાર્યું ન હતું કે કપાસીયા તેલનો ભાવ સિંગતેલ કરતા વધી જશે અને એવું જ બન્યું છે. સિંગતેલ કરતા કપાસીયા તેલનો ભાવ વધી જતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. કપાસીયા તેલ સિંગતેલથી બહું જ સસ્તુ મળી રહ્યું હતું.

ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવને ટપી ગયા છે અને રાજકોટમાં સિંગતેલના ડબ્બે રુ.10 ઉંચા ભાવે સોદા થયા હતા. અત્યાર સુધી એવું જ જોવા મળ્યું છે કે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે અચરજ ફેલાયું છે.

રાજકોટમાં તા.4 ઓગસ્ટ 2021ના રોજ જથ્થાબજારમાં 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.2435થી મહત્તમ રુ. 2485ના ભાવે પડ્યા હતા. તા.5 ઓગસ્ટે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે તા.4 ઓગસ્ટે રુ. 2435થી 2465 વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં તા.5મી ઓગસ્ટે રુ.10નો વધારો થતાં તા.5મી ઓગસ્ટે કપાસિયા તેલના ડબ્બાના રુ. 2455-2485ના ભાવે સોદા થયા હતા.

ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કપાસિયા તેલના ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. તેમણે આ સાથે ઉમેર્યું કે એવું લાગી રહ્યું છે કે સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.

પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે, 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં તા.6 ઓગસ્ટે કપાસિયાનો સૌથી ઉંચો રુ. 1790 સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રુ.57નો વધારો થયો છે. આ ઉપરાંત સોયાબીન, સન ફ્લાવર અને પામોલિન સહિતના તેલો કરતાં કપાસિયા તેલ સસ્તુ હોવાથી તેનો વધુ વપરાશ અને સામી બાજુ કપાસિયા તેલની શોર્ટેજ આ કારણો પણ ભાવ વધારા માટે જવાબદાર છે.

August 5, 2021
cia_edu-1280x925.jpg
1min543

વાઇબ્રન્ટ ઇન્ટરનેશલ એકેડેમીના સ્થાપક ડો. દિપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે કોવીડ-19 પેન્ડેમિકના કારણે પ્રત્યક્ષ શિક્ષણ ખરેખર ખોરંભે પડ્યું છે. 500થી વધુ દિવસોથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. ધો.1 અને ધો.2 શૈક્ષણિક કારકિર્દીના મહત્વના વર્ષો હોય છે. જ્યાં બાળક, શ્રવણ, લેખન અને સમજણ શીખે છે. છેલ્લા 12 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત વાઇબ્રન્ટ ગ્રુપે આવા ગરીબ બાળકો માટે એક નવતર પહેલ કરી છે અને એ પહેલ છે વિદ્યારથ.

સ્કુલ બસમાં જ એક અનોખો ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્લાસરૂમ ગરીબ બાળકો કે જેઓ સ્કુલે જઇ શક્યા નથી તેમના ઘરની સમીપ જઇને તેમને પ્રત્યક્ષ શિક્ષણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય ગાઇડલાઇનના ચૂસ્ત પાલનની કાળજી લઇને આપવાનું શરૂ કરશે.

વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમી કામરેજના ઉપક્રમે પેન્ડેમિક પાથ-શાલા નામનો આ નવતર પ્રયોગ આજરોજ તા.5મી ઓગસ્ટે કામરેજ સ્થિત વાઇબ્રન્ટ એકેડેમી ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે.

ડો. રાજ્યગુરુએ કહ્યું કે વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમીની આ હરતી-ફરતી શાળા, વિદ્યારથ દ્વારા બાળકોને બિલકુલ નિશુલ્ક, આનંદદાયી વાતાવરણમાં, મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિક વારસા સાથેનું શિક્ષણ આપશે.

August 5, 2021
cia_society-1280x880.jpg
1min405

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નીતિન ધામેલિયા દ્વારા તેમના ટ્વિન્સ પુત્રી જીશા અને પુત્ર જિશાન ના પ્રથમ જન્મદિવસ ની અલગ રીતે ઉજવણી કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું. રક્તદાન અંગે સમાજમાં લોકજાગૃતિ આવે તે હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

નીતિન ધામેલિયાએ તેમની સોસાયટીમાં ૨૫ જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેમની કાળજી અને ઉછેર કરવાનો સંકલ્પ પરિવાર અને મિત્રમંડળ સાથે કર્યો હતો. આ દિવસે તેમણે ૨૦૦ જેટલા મજૂરી કરતા કામદારોને એક ટાઈમનું ભોજન કરાવી તેમના પેટની આગ ઠારી હતી. આ રીતે કોઈ પણ અન્ય દેખાવ કરવાને બદલે સમાજમાં જાગૃતિ માટે પ્રથમ બર્થડેની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

August 5, 2021
VIJAY_rupani.jpg
1min462

રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ  ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન  નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે. 

રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.

 નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. 

August 5, 2021
Cia_business_news-1280x936.jpg
1min434

અત્યાર સુધી ટેક્ષટાઇલ વિક્રેતાઓની સંસ્થા ફોસ્ટા ચેમ્બર સાથે કામ કરતું હતું પણ હવે સમીકરણો બદલાતા સુરત મર્કન્ટાઇલ એસોસીએશન સાથે ચેમ્બરે હાથ મિલાવ્યા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પદાધિકારીઓ અને સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રતિનિધિ મંડળ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે એવો મહત્વનો નિર્ણય લીધો છે કે હવે પછી ચેમ્બર દ્વારા યોજાનારા ટેક્ષટાઇલ ઉદ્યોગ પર આધારિત કાર્યક્રમો, પ્રોજેક્ટ, એક્ષ્પો, સેમિનાર વગેરેમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન કો-ઓર્ગેનાઇઝર તરીકે ચેમ્બર સાથે ખભેખભા મિલાવીને કામ કરશે.

સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સાબુએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબના પ્રતિનિધિ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી અને તેમની ટીમ સાથે અનેક રીતે પરીણામદાયી મિટીંગ યોજાઇ હતી. ભવિષ્યમાં ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન ટેક્ષટાઇલ વેપારીઓની સંસ્થાના પ્રતિનિધિ તરીકે ખભેખભા મિલાવીને કામ કરશે. સુરત મર્કન્ટાઇલ એશોસીએશન વતી પ્રમુખ નરેન્દ્ર સાબૂએ ચેમ્બર ઓફ કોમર્સને આગ્રહપૂર્વક જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સે તેના પ્રશાસનિક પ્રભાવનો ઉપયોગ કરીને ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, વિવર્સ, પ્રોસેસર્સ દરેક ઘટક સંઘોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, રજૂઆતો યોજવા જોઇએ અને તેમાં મર્કન્ટાઇલ એસોસીએશન સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે.

સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવી નવી ટેકનિક, પ્રયોગોની જાણકારી, યોજનાઓ તેમજ ટેક્ષ સંબંધિત પ્રશ્નો સંદર્ભે અનેક રીતે કામો થઇ શકે તેમ છે.

August 5, 2021
indian-hocky.jpg
1min530

ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.

ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.

શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.

August 4, 2021
Root-Kohli.jpg
1min530

ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી

જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.

પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.

ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.

આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ

વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.

India vs England: David Gower Interview - A 2-2 Draw Should Be a Fair  Outcome This Series

કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.

ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.

પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.

ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.

ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.