CIA ALERT

Alert Archives - Page 129 of 510 - CIA Live

November 8, 2021
demonitaisan.jpg
1min759

પ્લાસ્ટિક કાર્ડસ, નેટ બૅંકિંગ અને યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ વડે ડિજિટલ પેમેન્ટસના પ્રમાણમાં ધૂમ વધારો થયો છે. ઑક્ટોબર મહિનામાં યુપીઆઈ (યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ) દ્વારા કુલ ૪૨૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ ઑક્ટોબર મહિનામાં રૂપિયા ૭.૭૨ લાખ કરોડ અથવા ૧૦૦ અબજ ડોલરથી વધુના ટ્રાન્ઝેકશન્સ થયા હતા. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી.

૮મી નવેમ્બર-૨૦૧૬ તારીખે વડા પ્રધાન મોદીએ રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની બેન્ક નૉટ રદ થયેલી જાહેર કરી હતી. કાળાં નાણાનો પ્રવાહ ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટસને ઉત્તેજન આપવા નૉટબંધી જાહેર કરવામાં આવી હતી. પાછલા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસનું ચલણ તો વધ્યું પણ રોકડનો ઉપયોગ હજુ ધીમી ગતિએ વધી રહ્યો છે. ૪ નવેમ્બર-૨૦૧૯ તારીખે નૉટસ ઈન સર્ક્યુલેશન (એનઆઈસી) એટલે કે રૂા. ૧૭.૭૪ લાખ કરોડ મૂલ્યની ચલણ નૉટ વપરાશમાં હતી. જે ૨૯ ઑક્ટબર-૨૦૨૧ તારીખે વધીને રૂા. ૨૯.૧૭ લાખ કરોડ થઈ હતી, તેવું આરબીઆઈ ડેટા જણાવે છે.

૩૦ ઑક્ટબર-૨૦૨૦ તારીખે રૂા. ૨૬.૮૮ લાખ કરોડ મૂલ્યની ચલણી નૉટ સર્ક્યુલેશનમાં હતી. નૉટબંધી અગાઉ ઑક્ટોબર-૨૦૧૪થી ઑક્ટોબર-૨૦૧૬ના સમયગાળા દરમિયાન એનઆઈસી (ચલણી નૉટનું પ્રમાણ)ના સરેરાશ વૃદ્ધિદર ૧૪.૫૧ ટકા હતો. ૨૦૧૯-૨૦ દરમિયાન મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે ૧૪.૭ ટકા અને ૬.૬ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૨૦-૨૧ દરમિયાન આ જ વૃદ્ધિદર અનુક્રમે ૧૬.૮ ટકા અને ૭.૨ ટકા હતો.

November 7, 2021
iraqi-pm.jpg
1min455

વિસ્ફોટકથી ભરેલા ડ્રોને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીના નિવાસસ્થાન પર હુમલો કર્યો છે. આ હુમલો Dt.7/11/21 રવિવારે સવારે થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈરાકી પીએમ આ હુમલામાંથી બચી ગયા હતા. ઈરાકી સેનાએ તેને પીએમની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

ઈરાકી સૈન્ય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો કરનારે કાદિમીના બગદાદ સ્થિત નિવાસસ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવ્યો હતો. જોકે, હાલમાં સેના દ્વારા કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી.

અન્ય બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે “કાદિમીના નિવાસસ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.” બંનેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને પણ માહિતી આપી હતી કે “વડાપ્રધાન કાદિમી આ હુમલામાંથી બચી ગયા હતા.” તે જ સમયે, કાદિમીએ હુમલા પછી ટ્વીટ કર્યું છે કે તે સુરક્ષિત છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. વડાપ્રધાનના આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો અને વિદેશી દૂતાવાસો આવેલા છે. અહીં રહેતા પશ્ચિમી રાજદૂતોએ કહ્યું કે તેમણે વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઈરાન સાથે મળીને સશસ્ત્ર જૂથોએ ગયા મહિને ગ્રીન ઝોનની નજીક યોજાયેલી સંસદીય ચૂંટણીના વિરોધમાં તાજેતરના અઠવાડિયામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

November 7, 2021
bjp_logo.png
1min537

તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનો વ્યૂહ બનાવવા માટે રવિવારે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. કોવિડ-૧૯નો રોગચાળો ફેલાયા બાદ પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી.

ભાજપના મહામંત્રી અરુણસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના અનેક પ્રધાનો સહિત રાષ્ટ્રીય કારોબારી મંડળના ૧૨૪ સભ્ય આ બેઠકમાં પ્રત્યક્ષ ભાગ લેશે તથા મુખ્ય પ્રધાનો સહિતના અન્ય રાજ્યોના સભ્યો કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. 

બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દાઓ અને નિયમ પ્રમાણે એજેન્ડાની બાબતો સિવાય આવતા વર્ષે પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બેઠકને મોદી સંબોધશે અને એક રાજકીય ઠરાવ પસાર કરાવાની શક્યતા છે, જે વિવિધ મુદ્દે પક્ષના મતને ઓપ આપશે. નડ્ડા પ્રારંભિક સંબોધન કરશે. 

મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના, ગરીબોને મદદરૂપ થાય એવી, અનાજ મફતમાં આપવા જેવી યોજનાઓ અને કોવિડ માટેનો રસીકરણ કાર્યક્રમ જેવી યોજનાઓનું પ્રદર્શન કારોબારી બેઠકના સ્થળે યોજવામાં આવશે. 

રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવા એમણે કરેલા પ્રયત્નોને દર્શાવવાનો પક્ષ પ્રયત્ન કરશે.

November 7, 2021
t20_world.jpg
1min404

ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શરૂ થનારી ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ આ સ્પર્ધામાં ભારતની આગેકૂચનું ભાવિ નક્કી કરવાની છે. અફઘાનિસ્તાન જો ન્યૂ ઝીલેન્ડને હરાવે તો ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા ઘણી વધી જશે.

ન્યૂ ઝીલેન્ડનો વિજય થશે તો તેના આઠ પૉઇન્ટ થઇ જશે અને ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાનું લગભગ અશક્ય બની જશે.

અફઘાનિસ્તાન જો આ મૅચ જીતે તો તેના માટે પણ આગેકૂચ કરવાની થોડી આશા જન્મશે.
ભારતે પોતાની નામિબિયા સામેની અંતિમ મૅચ મોટા તફાવતથી જીતવી પડશે.

ન્યૂ ઝીલેન્ડનો આ મૅચમાં વિજય થાય તો ભારતની સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે નામિબિયા સામે રમાનારી મૅચનું ખાસ મહત્ત્વ નહિ રહે. અફઘાનિસ્તાને આ મૅચ જીતવા મોટો જુમલો કરવાની જરૂર છે. તેની બૉલિંગ અત્યાર સુધીની મૅચમાં સારી રહી હતી.        

November 6, 2021
bhai_dooj.jpg
1min450

આજે 6 નવેમ્બર શનિવારના રોજ ભાઈબીજ છે. આ સાથે જ પાંચ દિવસનો દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ જશે. ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભોજન કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજ અને ચિત્રગુપ્તને પ્રાર્થના કરે છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન યમ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતાં. ત્યારથી જ આ પર્વની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના મસ્તક ઉપર ટીકો લગાવીને તેની લાંબી ઉંમરની મનોકામના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી યમરાજ તે ભાઈ-બહેનના કષ્ટ દૂર કરે છે. ત્યારે આવો જાણીએ આજે ભાઈના કપાળે તિલક લગાવવાના શુભ મુહૂર્ત ક્યા ક્યા છે.

ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમની બહેન યમુના છે અને માન્યતા છે કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કરે છે, યમ તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે. આ દિવસે ભાઈ-બહેન સવારે સ્નાન કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે. બહેન આસન ઉપર ચોખાના ખીરાથી ચોક બનાવે છે. આ ચોક ઉપર ભાઈને બેસાડીને બહેન ભાઈના હાથની પૂજા કરે છે અને ભાઈને નાડાછડી પહેરાવે છે અને તિલક કરવું જોઈએ. ત્યારબાદ બહેનને પ્રાર્થના કરવી જોઈએ કે માર્કણ્ડેય, હનુમાન, બલિ, પરશુરામ, વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને અશ્વત્થામા, આ આઠ ચિરંજીવિઓની જેમ મારા ભાઈને પણ ચિરંજીવી થવાનું વરદાન આપો.

પૂજા પછી ભાઈ બહેનના ઘરે ભોજન કરે છે. ભોજન કર્યા પછી બહેન ભાઈને તિલક લગાવે છે. ભાઈ બહેનને કોઈ ભેટ આપે છે. યમુના નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં યમુના નદી કે ગંગા નદીનું જળ મિક્સ કરવું અને પવિત્ર નદીનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી યમરાજ અને યમુનાની પૂજા કરવી જોઈએ.

આ વર્ષે ભાઈબીજનું શુભ મુહૂર્ત બપોરે 1.26 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન સૌથી ઉત્તમ સમય 1.26 મિનિટથી 2.48 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત જો તમારા માટે સવારનો સમય વધુ યોગ્ય રહેતો હોય તો સવારે 8થી 9.19 સુધી શુભ ચોઘડિયામાં ભાઈબીજના પર્વની ઉજવણી કરી શકો છો ત્યાર બાદ બીજુ એક મુહૂર્ત 11.45થી 12.25 સુધી પણ રહેશે તમે આ સમયમાં પણ ભાઈબીજની ઉજવણી કરી શકો છો.

November 4, 2021
modi.png
1min435

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min635

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 3, 2021
cia_multi-1280x1045.jpg
1min1282

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોર્સીસ દ્વારા ધો.12 પછી મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ લેવાની ઇચ્છા રાખનારા વિદ્યાર્થીઓએ કયા ડોક્યુમેન્ટસ હાથવગા રાખવા પડશે તેની વિગતો પ્રકાશિત કરી છે.

એક મહત્વના મુદ્દા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે. જેમનો જન્મ ગુજરાતમાં થયો છે એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની કોઇ જ જરૂરીયાત નથી. હાલમાં દરેક વિદ્યાર્થીઓ ડોમિસાઇલ કઢાવવા માટે ધક્કા ખાય રહ્યા છે. તેમણે આ બાબત ધ્યાનમાં લેવી.

નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ હાથવગા રાખવા.

November 3, 2021
gjepc_logo.jpg
1min347

સુરત સમેત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગકારો ઉપયોગ કરી શકે એ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં નવરત્ન ગેલેરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. હીરાની હરાજી માટે સુરતમાં એક ઉમદા માળખાકીય સુવિધા જીજેઇપીસીએ ડેવલપ કરીને તેને લોકસમર્પિત કરી દીધી હોવાનું જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે નવરત્ન ગેલેરીમાં અદ્યતનમાં અધતન સુવિધાઓ, સેફ્ટી અને સિક્યુરિટી, સ્ટોરેજ ફેસેલિટી, ઓકશન પહેલાના વ્યૂઇંગ માટે સાધન સંપન્ન 11 જેટલી કેબિનો સમેતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

November 2, 2021
t20_world.jpg
1min861

ટી-૨૦ વર્લ્ડ કપની બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મૅચમાં ભારત કમબૅક કરીને આબરૂ બચાવશે? એવો પ્રશ્ર્ન ચાહકો અને પ્રશંસકોના મનમાં ઊઠી રહ્યો છે. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ સામેના નાલેશીજનક પરાજયને કારણે ભારતીય ટીમની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. 

ભારત માટે હજુ પણ સ્પર્ધામાં પાછા ફરવાની તક છે છતાં ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન  નિરાશાજનક જ રહ્યું છે. 

અફઘાનિસ્તાને આશ્ર્ચર્યજનક રીતે બે મૅચ જીતી છે ને તેમાં તેણે સ્કૉટલૅન્ડ અને નામિબિયાને પરાજય આપ્યો હતો. ટી-૨૦ના કૅપ્ટન તરીકે કોહલીની કદાચ આ છેલ્ લી ત્રણ મૅચ હશે. 
અશ્ર્વિન જેવા સક્ષમ બૉલરની સતત અવગણના કરી રહેલા કોહલી વિરુદ્ધ સવાલ ઊઠી રહ્યા છે. પ્રતિભા અને ક્ષમતાની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો ભારતની વર્તમાન ટીમનો અન્ય કોઈ બૉલર અશ્ર્વિનની બરોબરી કરી શકે એમ નથી. 

આ બધું જાણવા છતાં અફઘાનિસ્તાન સામેની મૅચમાં પણ જો કોહલી અશ્ર્વિનની અવગણના કરશે તો અચૂક એમ માની લેવામાં આવશે કે આમાં ક્રિકેટ સિવાયનું કોઈ અન્ય કારણ છે. 

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઈસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિસાન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્ર્વરકુમાર, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, રવીચંદ્રન અશ્ર્વિન. 

અફઘાનિસ્તાનની ટીમ: 
મોહમ્મદ નબી (કૅપ્ટન), હઝરતુલ્લા ઝાઝઈ, અહમદ શાહઝાદ, ગુલબદીન નઈબ, નવીન ઉલ હક, રાશીદ ખામ, હમીદ હસન, રહેમાનુ લા ગુરબેઝ, નજીબુલ્લા ઝદરન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, હસમતુલ્લા શાહીદી, ઉસ્માન ઘાની.