ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500
વિદેશી બજારોના નબળા સંકેતો અને ક્રૂડની ક્રૂર ચાલને પગલે Dt.07/03/2022ના સત્રમાં ભારતીય શેરમાર્કેટમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ડોલરમાં મક્કમ ચાલ જોવા મળી રહી છે.
શરૂઆતી સત્રમાં એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 52,542નું તળિયું બનાવીને સેન્સેકસ 12 કલાકે 1166 અંકોના કડાકે કારોબાર કરી રહ્યો છે.
યુક્રેન રશિયા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળતા ભારતનું ઈમ્પોર્ટ બિલ વધવાની ભીતિ છે. આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસરની આશંકાએ રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ડોલરની સામે રૂપિયો આજે 77 તરફ આગળ વધ્યો છે.
શેરબજારના કડાકાને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હતું અને 77ને સ્પર્શ્યા બાદ સવારે 10:00 કલાક આસપાસ 76.95 પર વેપાર કરી રહ્યો હતો જે અમેરિકી ડોલર સામે ભારતીય કરન્સીનું નીચલું સ્તર છે. અગાઉનો ઘટાડો એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન કોરોનાના પીક વખતે 76.87 રૂપિયા નોંધાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Dt.7/3/22 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ફોન પર લગભગ 35 મિનિટ સુધી વાત ચાલી હતી. પીએમએ ઝેલેન્સ્કી સાથે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સમર્થનની પણ માંગ કરી હતી. સૂત્રો અનુસાર, વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી.
આ પહેલા 26 ફેબ્રુઆરીએ પણ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ સંકટને લઈને વાતચીત થઈ હતી. ઝેલેન્સ્કીએ આ દરમિયાન ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી. તે સમયે યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.
એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.
માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.
હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે, બંગાળનાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળશે. જેને કારણે 6 માર્ચ પછી અને 10 તારીખ સુધીમાં વાતાવરણમાં થોડો પલટો આવશે. આ વચ્ચેનાં દિવસોમાં એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જ્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 6/3/22થી કેટલાક દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેવાની વકી છે. વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 6 થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.
દેશ પર પડકારો આવે છે ત્યારે વંશવાદીઓ પોતાનું રાજકીય હિત જુવે છે : મોદીએ બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કરી
મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, એકના મોતની સ્થિતિ તંગદીલ
વારાણસી : ઉત્તર પ્રદેશમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે અંતિમ સાતમા તબક્કા માટે સાતમી માર્ચે મતદાન યોજાશે. સાતમા તબક્કામાં અંતિમ બાકી રહેલી 54 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો કુલ નવ જિલ્લાને આવરી લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.
આ સાથે જ વિધાનસભાની એક મહિના સુધી ચાલેલી ચૂંટણીઓનો પણ અંત આવી જશે. આ સાથે જ એક મહિનો લાંબી ચાલેલી મતદાન પ્રક્રિયાનો પણ અંત આવશે જેની શરૂઆત 10મી ફેબુ્રઆરીએ થઇ હતી, કુલ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા આ સાથે જ પૂર્ણ થઇ જશે.
ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું જ્યારે મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કા માટે કુલ 76.04 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 82 ટકા મતદાન સેનાપતિ જિલ્લામાં થયું હતું. દરમિયાન મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
એવા આરોપો છે કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઇંફાલમાં ભારે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. 25 વર્ષીય એલ અમુબા સિંહ નામના આ વ્યક્તિની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.
હત્યાનો આરોપ ભાજપે કોંગ્રેસના એક કાર્યકર્તા પર લગાવ્યો છે. જ્યારે કેટલાક મતવિસ્તારોમાં હિંસાની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે પણ વારાણસીમાં જોવા મળ્યા હતા.
અગાઉ તેમણે અહી રોડ શો યોજ્યો હતો જ્યારે બીજા દિવસે શનિવારે મોદીએ વારાણસીના પદ્મશ્રી તેમજ પદ્મભુષણ એવોર્ડ વિજેતા બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર રચવા માટે જનતાને અપીલ કરી હતી.
મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં જો સિૃથર સરકાર હશે તો મોટા અને સાહસીક નિર્ણયો લેવામાં સરકાર સક્ષમ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાષ્ટ્રની સામે પડકારો આવે છે ત્યારે વંશવાદી પોતાનંુ રાજકીય હિત જ જોવે છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આઝમગઢમાં સપા વડા અખિલેશ યાદવની જાહેરીમાં તેઓ સપામાં સામેલ થયા હતા.
તા.૭ માર્ચના રોજ પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે, જેમાં વલસાડ-ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ રદ રહેશે. બે ટ્રેનો આંશિક રદ રહેશ જ્યારે ૨૦ ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી ચાલશે.
વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કાર્યને લઇને આગામી તા.૭ માર્ચે ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર ભિલાડ-વાપી વચ્ચે રદ રહેશે, વાપી-વિરાર શટલ વાપી અને ભિલાડ વચ્ચે રદ રહેશે.
મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મોડી પડશે. આ દિવસે મુંબઇથી વલસાડ, પોરબંદર, માતા વૈષ્ણોદેવી, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જોધપુર, અમદાવાદ, ઉદયપુર સહિતના સ્ટેશનોએ જતી ટ્રેનો મોડી પડશે. રેલવેની વેબસાઇડ, હેલ્પલાઇન નંબર પર ટ્રેનોના સંચાલનને લગતી છેલ્લી માહિતી મેળવીને મુસાફરોએ મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવે દ્વારા જણાવાયું છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રી અને સૌરાષ્ટ્રના સાંસદ મન્સુખ માંડવીયાની આજે રવિવાર, તા.6 માર્ચ 2022ની સુરતની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થતાં સુરતમાં સરકારી મેડીકલ કોલેજના નવા ભવનની ઉદઘાટન વિધીથી લઇને શહેરમાં યોજાયેલા અનેક સરકારી, ખાનગી કાર્યક્રમો આજે સવારે રદ કરી દેવાયા હોવાની માહિતી સરકારના અધિકૃત માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. મન્સુખ માંડવીયાની સુરત મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓ પણ આ સાથે જ વ્યર્થમાં ગઇ હતી.
સુરતમાં આજે રવિવાર, તા.6 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ માટે ભપકાદાર તામઝામ કરવામાં આવ્યા હતા જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ, મન્સુખ માંડવીયાએ એકાએક દિલ્હી જવાનું થતા તેમના સુરત ખાતેના આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી.
અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ, આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીના આવ્યા પછી જાહેર પ્રવેશ પરીક્ષાઓની તારીખોમાં ઢંગધડા વગરનું સંકલન, જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષામાં જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા જ બેસી શકવાના છે તેની તારીખ જાહેર કરી દેવાઇ પણ હજુ મેઇન્સ ક્યારે લેવાશે, કેવી રીતે લેવાશે કેટલી ટ્રાયલ મળશે એ અંગે કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી
ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ પર પ્રવેશ પરીક્ષાઓની તારીખોના નામે એક પ્રકારનો જુલમ જ કરવામાં આવી રહ્યો છે. ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને વાલીઓની વાત કરીએ તો તેઓ જેઇઇ મેઇન્સ, ઇજનેરીની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાની તારીખની કાગડોળે રાહ જોઇને બેઠા છે તે ક્યારે જાહેર કરાશે તેવી પણ કોઇ સ્પષ્ટતા નથી કરાતી, જ્યારે બીજી તરફ જેઇઇ એડવાન્સ્ડ કે જે જેઇઇ મેઇન્સ પછી લેવાય છે તેની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓને ઉલ્ટાની મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે.
આ વખતે જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાનું સંચાલન આઇ.આઇ.ટી. બોમ્બે દ્વારા કરવામાં આવશે. તા.3 જુલાઇના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન તા.8થી 14 જૂન દરમિયાન કરી શકાશે.
Schedule of JEE (Advanced) 2022 The examination consists of two papers (Paper 1 and Paper 2) of three hours duration each. Appearing in both the papers is compulsory. The examination schedule is as follows.
Date of Examination
July 03, 2022 (Sunday)
Paper 1
09:00 IST to 12:00 IST
Paper 2
14:30 IST to 17:30 IST
JEE (Advanced) 2022: Full Schedule
S. No.
Event
Date & Time
1
Registration for JEE (Advanced) 2022
Wednesday, June 08, 2022 (10:00 IST) to Tuesday, June 14, 2022 (17:00 IST)
2
Last date for fee payment of registered candidates
Wednesday, June 15, 2022 (17:00 IST)
3
Admit Card available for downloading
Monday, June 27, 2022 (10:00 IST) to Sunday, July 03, 2022 (14:30 IST)
4
Choosing of scribe for PwD candidates
Saturday, July 02, 2022
5
JEE (Advanced) 2022
Sunday, July 03, 2022 Paper 1: 09:00-12:00 IST Paper 2: 14:30-17:30 IST
6
Copy of candidate responses to be available on the JEE (Advanced) 2022 website
Thursday, July 07, 2022 (10:00 IST)
7
Online display of provisional answer keys
Saturday, July 09, 2022 (10:00 IST)
8
Feedback and comments on provisional answer keys from the candidates
Saturday, July 09, 2022 (10:00 IST) to Sunday, July 10, 2022 (17:00 IST)
9
Online declaration of final answer keys
Monday, July 18, 2022 (10:00 IST)
10
Result of JEE (Advanced) 2022
Monday, July 18, 2022 (10:00 IST)
11
Online registration for Architecture Aptitude Test (AAT) 2022
Monday, July 18, 2022 (10:00 IST) to Tuesday, July 19, 2022 (17:00 IST)
12
Tentative Start of Joint Seat Allocation (JoSAA) 2022 Process
Tuesday, July 19, 2022
13
Architecture Aptitude Test (AAT) 2022
Thursday, July 21, 2022 (09:00-12:00 IST)
14
Declaration of results of AAT 2022
Sunday, July 24, 2022 (17:00 IST)
જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા ટોપ 2.40 લાખ વિદ્યાર્થીઓ જ એડવાન્સ્ડની પરીક્ષા આપી શકે છે
જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાના સ્કોરથી આઇ.આઇ.ટી.માં પ્રવેશ મળે છે.
જેઇઇ મેઇન્સ પરીક્ષા સ્કોરથી એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી.માં પ્રવેશ મળે છે
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને શક્ય તેટલી વહેલી તકે શસ્ત્રો મૂકવાની ધમકી આપી અન્યથા યુદ્ધ ટાળી શકાશે નહીં.
રશિયાના રાષ્ટ્રપતિ પુતીને યુક્રેન પર હુમલાની ઘોષણ કર્યા બાદ રશિયન સેનાએ યુક્રેનના શહેર પર મિસાઈલોનો મારો શરુ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે યુક્રેનની રાજધાની કિવમાં પણ ધડાકાઓ સંભળાયા છે. કિવના એરપોર્ટ પર પણ ગોળીબારીના અહેવાલો આવ્યા છે. રશિયાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો યુક્રેનના એર ફિલ્ડમાં પ્રવેશી ચુક્યા છે ત્યારે સાઈરન વગાડી નાગરિકોને સાવચેત કરાયા હતા. રશિયાના રક્ષા મંત્રાયલે દાવો કર્યો છે કે યુદ્ધની ઘોષણાના કલાકોમાં જ તેમની સેનાએ યુક્રેનના એરબેઝ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. સાથે સાથે કિવની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી છે.
બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયન સેનાને વળતો જવાબ આપતા રશિયાના પાંચ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તોડી પાડયા છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને હથીયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું. જેથી રણમેદાનમાં લોહી ના રેડાય. બીજી તરફ યુક્રેન પોતાની રક્ષા કરવા કટિબદ્ધ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.