આંધ્રપ્રદેશને 900 કરોડ, ગુજરાતને 130 કરોડ, મહારાષ્ટ્રને 4,700 કરોડ અને કર્ણાટકના ખેડૂતો માટે 950 કરોડ રૂપિયાનું પેકેજ
બજેટ અને લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર અચાનક જ ખેડૂતો પર વરસી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 6,680 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ચાર રાજ્યોના ખેડૂતો માટે મોદી સરકારે આ પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે.
કેન્દ્ર સરકારના કૃષિ પ્રધાન રાધામોહન સિંહે ટ્વિટ કરીને આ રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, નાના અને મધ્ય ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી સર્જાયેલી મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશને 900 કરોડ, ગુજરાતને 130 કરોડ, મહારાષ્ટ્રને 4,700 કરોડ અને કર્ણાટકના ખેડૂતો માટે 950 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવાયું છે. આ ચારેય રાજ્યોમાં સમયાંતરે ખેડૂતો સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. આ રાજ્યોમાં ખેડૂતો દુષ્કાળથી પીડિત હતા એટલે કેન્દ્ર સરકારનો નિર્ણય ખેડૂતોને લાભદાયી સાબિત થઈ શકે છે.
સુરત હવે ગુજરાત કે ભારતનું જ નહીં બલ્કે વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું ધંધાકીય સિટી બન્યું છે. સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, મોડેલ સિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી એવા કઇ કેટલાય હુલામણા નામો સુરતને એમ જ નથી મળ્યા. સુરત સફળ થયું છે તેના સફળ બિઝનેસમેન, સફળ પ્રોફેશનલ્સ થકી. મૂળ સુરતીઓ કે સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા ગુજ્જુ હોય કે પછી ભારતના કોઇપણ રાજ્યમાંથી સુરતને કર્મભૂમિ બનાવીને અહીં સ્થાયી થયેલા લોકો હોઇ, તાપી નદી તટે વસેલા આ સુરત શહેરે તમામને અપનાવ્યા અને સબકા સાથ સબકા વિકાસ સૂત્રને વાસ્તવિક રીતે ચરિતાર્થ કરી દેખાડ્યું છે.
સુરતમાં છેલ્લા દાયકાઓમાં જબરદસ્ત પ્રગતિ સાધનાર અનેક હસ્તીઓ મૌજુદ છે. આ સુપર સુરતીઓની સક્સેસ સ્ટોરીઝ પાછળ અનેક સિક્રેટ સંતાયેલા છે. આ સફળ સુરતીઓની સક્સેસ સ્ટોરીઝના સિક્રેટ સુરતના જાણીતા કપલ અને પબ્લિક સ્પિકીંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પિયુષ વ્યાસ અને પૂજા વ્યાસની જોડી બખૂબી ઉજાગર કરી રહી છે. પિયુષ-પૂજાની જોડીએ અગાઉ પહેચાન સીઝન-1 બાદ હાલમાં જ પહેચાન સીઝન-2 લોંચ કરી છે. પહેચાન એવો ટૉક શૉ છે જેમાં સુરતમાં રહીને પોતાના કર્મો થકી પોતાની ઓળખ ઉભી કરનારા બિઝનેસમેન, પ્રોફેશનલ્સ કે સેવાકીય કામ કરતા આગેવાનો સાથે વાતચીત, ચર્ચા વિચારણા કરીને તેમના જીવનની એવી અતરંગ વાતો બહાર લાવે છે કે જેનાથી પ્રેરાયને અનેક સામાન્ય લોકોને તેમની મુશ્કેલીઓમાંથી આગળ વધવાનું બળ મળે છે, પ્રેરણા મળે છે. આ જ કારણથી પિયુષ-પૂજા વ્યાસનો ટૉક શૉ પહેચાન સિરીઝ ટુ હાલમાં હીટ થઇ રહ્યો છે.
પહેચાન સીઝન ટુમાં પહેલા જ એપીસોડમાં સુરતમાં વિકલાંગો માટે કાર્યરત એવા કનુભાઇ ટેલરની સાથે પૂજા-પિયુષ વ્યાસની વાતચીત સુપર હીટ રહી અને જુદા જુદા ટેલિવિઝન, સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આ શૉ લાખો લોકોને આકર્ષવામાં સફળ નિવડ્યો છે.
પિયુષ-પૂજા વ્યાસના પહેચાન સીઝન-2 ટોક શૉના એપિસોડ્સ શરૂ થઇ ચૂક્યા છે અને તેને વી ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ, સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ, જુદા જુદા ડિજીટલ પ્લેટફોર્મ્સ જેવા કે ગ્લોબલ સિટી, સિટી તડકા, જલ્સા કરો ને જેંતીલાલ, સુરત પ્રાઇડ વગેરે પરથી નિહાળી શકાય છે.
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.
આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી
રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.
સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.
રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.
સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.
આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.
રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી
All INDIA Rankers from SURAT
Name
Rank in India
Marks
Dhara Tailor
17th
353
Akash Bothra
25th
345
Anshul Agarwal
25th
345
Rushab Khaitan
32nd
338
Harshit Chanduka
32nd
338
Vishvas Nandwani
33rd
337
Mayank Jajoo
35th
335
Dipti Seksaria
43rd
327
Divyansh Jain
44th
326
Mayank Jain
47th
323
Prachi K Shah
48th
322
Amish Ramgarhia
49th
321
સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી
પોતાના વતનથી હજ્જારો કિલોમીટર દૂર રહીને ગુજ્જુ ગર્લ ઉર્જા હજારો યુવાન-યુવતીઓના ભવિષ્યને દિશા બતાવી રહી છે. તો સંખ્યાબંધ મહિલાઓ માટે પણ ઉર્જા ગાંધી માર્ગદર્શક બની છે. આજે જુદી જુદી કંપનીઓમાં ઉંચી ઉંચી પોસ્ટ પર એવા ઘણા બધા લોકો છે, જેમની કરિયર ઉર્જાએ બનાવી છે. પોતાના વતનથી દૂર ઉર્જા એક અન્ય ઉર્જાથી કામ કરીને ગૌરવવંતી ગુજરાતી સાબિત થઈ રહી છે.
વાત છે અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીની. આ અમદાવાદી યુવતી સિએટલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. મોટી ટેક્નોલોજી મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, માઇક્રોસોફ્ટ અને એક્પિડિયામાં તેને કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. તેણે શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી લીધું છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઊર્જાને આ વર્ષે સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ મળ્યો છે. રેવિશિંગ વિમેન એ સ્ત્રીઓના પ્રયત્નો અને તેમની સિદ્ધિઓને બિરદાવવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે.
અહીંથી શરૂ થઇ હતી ઉર્જાની સફર
એક ઇન્ટરર્નના મોંઢામાંથી આ વાત સાંભળી કે ‘કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઈ મેન્ટોર મળ્યું હોત!’ ને ગુજ્જુ ગર્લ ઉર્જાને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત કરિયર માટે ગાઇડન્સ આપીને તેમને કોર્પોરેટ વર્લ્ડ માટે તૈયાર કરવામાં આવે તો કેમ! બસ આ વિચારથી અમેરીકામાં ગુજ્જુ ગર્લની સફર શરૂ થઇ હતી.
ઉર્જા ગાંધીઃ રેવિશિંગ વુમન-2018
ગુજ્જુ ગર્લ ઊર્જાએ જ્યારે યુનિવર્સિટી અને ટેક્નોલોજી વર્ક ઇન્ડસ્ટ્રી વચ્ચે આ ગેપ જોયો તો તેણે તેમાં વિદ્યાર્થીઓ માટે પરિવર્તન લાવવાનું વિચાર્યું. જાન્યુઆરી 2018માં તેણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘હસ્કી ટેક ઇન્ડસ્ટ્રી મેન્ટોરશિપ પ્રોગ્રામ’ શરૂ કર્યો ,જેથી વિદ્યાર્થીઓને તેમના ટેક્નોલોજી કરિયરમાં મદદ મળી શકે.
આ માટે તે UW Husky Tech કંપનીના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટને મળી અને તેમની સાથે કેટલાંક આઇડિયા પર ચર્ચા કરી. બાદમાં તેમણે આ પ્રોગ્રામ માટે સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ માઇક્રોસોફ્ટ, એક્સપિડિયા, ગૂગલ, એમેઝોન અને નાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સના 25 કરતાં વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને તૈયાર કર્યા અને 100 કરતાં પણ વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેમના એસ્પાયરિંગ કરિયર માટે તૈયાર કર્યાં. હવે તેમનું આગામી લક્ષ્ય 60 કરતા વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને આ પ્રોગ્રામ સાથે જોડીને 200 જેટલા વિદ્યાર્થીઓને તેમની કરિયરમાં સફળ બનાવવાનું છે.
ઊર્જા હવે UW Husky Techની ઇન્ડસ્ટ્રી એડવાઈઝર અને મેન્ટોર છે. તે કંપનીને સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરાવી આપવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળ બનવા માટે પોતાની સલાહ અને માર્ગદર્શન આપે છે. તેણે 50 જેટલી હાઈસ્કૂલ અને કોલેજની યુવાન છોકરીઓને વિવિધ પ્રોગ્રામ્સ દ્વારા સફળતા અપાવી છે. ઊર્જા કહે છે, મારે દરેક વિદ્યાર્થીને“I wish” (મારી ઇચ્છા છે)નું વાક્ય બદલીને “I’m glad” (હું ખૂબ ખુશ છું) સુધીની સ્થિતિમાં પહોંચાડવા છે.
એક સેમિનાર દરમિયાન ઉર્જા ગાંધી
આ ઉપરાંત, ઊર્જા એ સ્ત્રીઓની પણ મદદ કરે છે જેઓ કરિયર બ્રેક લીધા પછી ફરીથી કામ શરૂ કરવા માંગતી હોય પણ ફરી શરૂઆત કરવામાં મુશ્કેલી આવતી હોય. આ માટે જુલાઈ 2018માં સિએટલમાં ઊર્જાએ ‘દિશા – ધ મલ્ટિફેસેટેડ શી’ની એમ્બેસેડર તરીકે ‘દિશા’ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તે હેઠળ તેણે પહેલી ઇવેન્ટ USAમાં લોન્ચ કરી, જેને નામ આપ્યું, ‘She inspires me’ (તેણી મને પ્રેરણા આપે છે). આ પ્રોજેક્ટે રેવિશિંગ વિમેન ઇન્કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં રેવિશિંગ વિમેનના ફાઉન્ડર મેનકા સોનીને આમંત્રિત કરવામાં આવ્યા.
આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં અને સમાજના વિવિધ સ્તરે કામ કરતી સ્ત્રીઓ એક જ પ્લેટફોર્મ પર એકઠી થઈ હતી અને તેમણે પોતાની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. આ ઇવેન્ટમાં ઊર્જાને દિશા, સિએટલ USAની એમ્બેસેડર જાહેર કરવામાં આવી. આ ઇવેન્ટનું નેતૃત્વ પણ ઊર્જાએ જ કર્યું હતું. પ્રોજેક્ટ ‘દિશા’ને ઇન્ટ્રોડ્યુસ કરતાં ઊર્જાએ સમાજમાં જેન્ડર ડાયવર્સિટીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં ઊર્જાના સૌથી મોટાં પ્રેરણાસ્ત્રોત એવાં તેના માતા-પિતા પણ હાજર હતાં. તેનો પતિ મૌક્તિક ગાંધી, જે પોતે પણ એક સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે પણ ઊર્જાને તેના કામ માટે સતત સપોર્ટ કરે છે અને તેને મોટિવેટ કરે છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલા ઉર્જા ગાંધી
આ ઇવેન્ટમાં ‘દિશા- ધ મલ્ટિફેસેટેડ શી’ ઉપર એક નાની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી. ઇવેન્ટમાં આવેલ દરેક મહેમાન પોતાની સાથે એક પ્રેરણા લઈને ગયા. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ઊર્જાનો હેતુ હતો કે સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિઓને સમજે અને પોતાની અટકી ગયેલી કરિયરમાં આગળ વધે.
સુરતના કતારગામ સ્થિત અને 17 મહિનામાં જ દેશ-દુનિયામાં જાણીતી બનેલી કિરણ હોસ્પિટલ (મેનેજ્ડ બાય સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ)ના સંચાલકોએ આગામી તા.6 જાન્યુઆરી 2019ના રોજ બપોરે 3 વાગ્યે ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ, જોલી પાર્ટી પ્લોટની સામે, ઉધના-મગદલ્લા રોડ, વેસુ – સુરત ખાતે એક મેગા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.
6 જાન્યુઆરી 2019ના મિશન હેલ્થકેર માટે નોંધણી કરાવો અને હેલ્થ ચેકઅપ પેકેજમાં મેળવો 50 ટકા ડિસ્કાઉન્ટ
કિરણ હોસ્પિટલ આયોજિત મિશન હેલ્થ કેરની વિશેષતા એ છે કે વક્તાઓ તરીકે 17 એક્સપર્ટસ તબીબો જ સામાન્ય લોકોને કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની માહિતી આપશે. અને એથી વિશેષ આ હેલ્થ ચેક અપ માટે ઓનલાઇન રજિસ્ટ્રશેન કરાવનાર 12 હજારથી વધુ લોકોને કિરણ હોસ્પિટલના રૂ.1000થી લઇને રૂ.25000 સુધીના હેલ્થ ચેકઅપ પેકેજીસમાં સીધા 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
(Photo of Press conference held At Kiran Hospital on 3 Jan. 2019)
પત્રકાર પરિષદમાં કિરણ હોસ્પિટલના મેનેજમેન્ટ પૈકી શ્રી મથુરભાઇ સવાણીએ માહિતી આપી હતી જ્યારે વહીવટી મંડળમાં શ્રી મનજીભાઇ, શ્રી બી.એન. ગુજરાતી, શ્રી જયેશભાઇ લાઠીયા, શ્રી રવજીભાઇ મોણપરા, શ્રી રાજેશભાઇ મકવાણા, શ્રી સુરેશભાઇ કુકડીયા, શ્રી રાજુભાઇ વાનાણી સમેત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દિકરીઓને જન્મ આપનારી માતાઓનું વિશિષ્ટ સન્માન
કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં સંસ્થાના સુકાની શ્રી મથુર સવાણીએ જણાવ્યું કે તા.6 જાન્યુઆરી 2019નું આ અભિયાન અનેક હેતુઓ સર કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોને તંદુરસ્ત કેવી રીતે રહી શકાય, રોગથી દૂર કેવી રીતે રહી શકાય તે અંગે જાણકારી તો આપવામાં આવશે જ સાથોસાથ આ જ સમારોહમાં બેટી બચાવો અભિયાનના ભાગરૂપે કિરણ હોસ્પિટલના ઉદઘાટન સમારોહ પ્રસંગે કરાયેલી જાહેરાત કે જેમાં એક દિકરી હોવા ઉપરાંત બીજી પણ દિકરીને જન્મ આપનાર 300 જેટલી માતાઓને દિકરીના નામે રૂ.1 લાખના કિરણ સુકન્યા બોન્ડ, તેમજ બે દિકરીઓના જન્મ પછી ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂ.5 લાખના કિરણ સુકન્યા બોન્ડના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. બોન્ડની રકમ દિકરીઓની ઉંમર 1 વર્ષની થશે ત્યારે રોકડમાં રૂપાંતરીત થઇ શકશે.
કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનુંં વિસર્જન નહીં કરનારા ગણેશ આયોજકોને બિરદાવવા માટે તેમને પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવશે. તેમજ આ માટે ઓનલાઇન રજિસ્ટ્રશન કરાવનાર ગણેશ આયોજકો પૈકી ડ્રોથી 100 જેટલા આયોજકોને સિલેક્ટ કરીને તેમને સમારોહમાં જ રૂ.11000ની સહાય આપવામાં આવશે.
17 મહિનામાં કિરણ હોસ્પિટલ એક વટવૃક્ષ બની ગયું
આજથી 17 મહિના અગાઉ કિરણ હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવી હતી. આ 17 મહિનાની સફર દરમિયાન કિરણ હોસ્પિટલે દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી.550 બેડની હોસ્પિટલમાં 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવી દેવાયા છે. જનરલ વોર્ડ એટલે ત્યાં સામાન્યમાં સામાન્ય દર્દીઓ રહી શકે અને એક જનરલ વોર્ડમાં 5થી વધુ બેડ નહીં. કિરણ હોસ્પિટલ કેમ એક વટવૃક્ષ બન્યું એની એટ અ ગ્લાન્સ વિગતો આ રહી.
550 બેડની સંપૂર્ણ હોસ્પિટલ
કીડની ટ્રાન્સપ્લાન્ટની માળખાગત સુવિધાઓને પગલે સરકાર દ્વારા મંજૂરી
66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવાયા, એક જનરલ વોર્ડમાં પાંચથી વધુ પેશન્ટ નહીં.
3.5 લાખ જેટલા આઉટ ડોર પેશન્ટસની સારવાર કરાઇ
30મી નવેમ્બર 2019ની સ્થિતિએ કુલ 26,622 દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત રૂ.300 આપીને ઘરે પરત મોકલાયા
3789 દર્દીઓને માં અમૃતમ યોજના અન્વયે મોટા મોટા ઓપરેશનનો ખર્ચ બિલકુલ ફ્રીમાં આપવામાં આવ્યો
આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo
(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)
૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.
(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)
બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)
દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.
(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)
દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.
આજના જમાનામાં એન.જી.ઓ. બનાવીને સમાજ સેવાની જાણે ફેશન ચાલી નીકળી છે. સમાજ સેવાના ક્ષેત્રમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક પ્રકાર એવો હોય છે જેમાં કેટલાક લોકો પબ્લિસિટી મેળવવા માટે જ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાતા હોય છે અને બીજો પ્રકાર એવો હોય છે કે જેમાં લોકો ખરેખર ઉમદા સમાજ સેવા કોઇપણ જાતની પબ્લિસિટી વગર કર્યે રાખતા હોય છે. બીજા પ્રકારના લોકોને સી.આઇ.એ. ન્યુઝ પોર્ટલ પ્લેટફોર્મ આપે છે. અમે એવા લોકો, એવી સંસ્થાઓને શોધીને તેમની પ્રવૃતિને મહેક ચારે કોર પ્રસરાવવાનું કામ કરે છે.
આજે અહીં એવા જ એક ગ્રુપની વાત કરી રહ્યા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર એવી સંસ્થા છે જે સિનિયર સિટીઝન્સ (વયોવૃધ્ધ) માટે કાર્યરત છે. આ ગ્રુપ ડો.રમેશ ઠક્કરે 2010માં સ્થાપ્યું હતું. આ ગ્રુપમાં 11 જેટલા તબીબો જોડાયેલા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે જોડાયેલા તબીબોમાં એક કોમન શોખ છે અને એ છે સંગીત. મ્યુઝિકની પેશન ધરાવતા આ તબીબો શહેરના સિનિયર સિટીઝન્સની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ શબ્દ અમે આપ્યો છે, કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સિનિયર સિટીઝન્સ માટે ઓડિટોરીયમમાં સંગીત સંધ્યા રાખે છે, અહીં સિનિયર સિટીઝન્સના તેમના ઠેકાણેથી બસમાં લાવીને તેમની સામે 11 તબીબો એક એકથી ચઢીયાતા ગીતો ગાય છે, મનોરંજન કરાવે છે, સંગીત સંધ્યા બાદ તેમને પ્રેમથી જમાડે છે અને ફરીથી તેમને તેમના મુકામ સુધી સહીસલામત પહોંચાડે છે. તાજેતરમાં આ જ પ્રકારે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હારના ડો.રમેશ ઠક્કર, ડો. યોગેશ કાંઠાવાલા અને ડો.મુકેશ વાઘેલા સમેત અન્યોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના ઓડિટોરીયમ ખાતે ખાસ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કર્યું હતું. સિનિયર સિટીઝન્સની આવી સેવા જો કોઇ કરતું હોય તો એ ફ્કત મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર છે.
(મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે યોજાયેલી સંગીત સંધ્યામાં શહેરના સિનિયર સિટીઝન્સને લઇ જવામાં આવી રહ્યા હતા એ પ્રસંગની તસ્વીર)
મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે 11 તબીબો જોડાયેલા હોવા ઉપરાંત 30 જેટલા મેમ્બર્સ પણ છે જેઓ કોઇપણ જાતની અપેક્ષા, સ્વાર્થ વગર સિનિયર સિટીઝન્સની દેખભાળ રાખે છે, સ્વૈચ્છીક બધી જ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા શહેરના અંદાજે 1200 જેટલા સિનિયર સિટીઝન્સ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરી ઝલક આ મુજબ છે.
The Statement of The Music group of Malhar Founder Member Dr.Ramesh Thakkar. ( Pediatrician )
I m founder member of my group, named ” Music group of Malhar ” ! The name was given by me. I have started this group ( as a founder members ) in 2010. This is small group of ( 11 ) doctors, having common, passion for music. The concept was generated in my mind (in 2010 ). Do some social services for the benefits of those section of society , who are socially deprived from their home – society and who are really in need of help-support . ( group of people from Old age home, poor Students from orphan center , poor Patients, and students from tribal area’s school ). What me and my group are doing…? As we all members are music lovers. So, we are doing once -twice large scale music concerts in big auditorium, usually after diwali. We ourselves are performing ( singing ) on stage with live orchestra. We invite people from old age home and from different senior citizens clubs for this live music program. We make arrangements of transport (of almost 20 plus buses ) for these all people. The group viewers( almost plus 1500) are there, to attend our program. Really, it’s worth to watch, how these old aged group of persons are enjoying in our program! ! ! It’s really great enjoyment for all of them. Prog is running for, almost 3 hrs plus. Afterwards, at the end of program, We all serving food ( dinner ) for all. After dinner, they will return to their place through buses. 30 Volunteers are working with my group, to help us this kind work. Charity should be start from our home. So, we individual( all my members ) contribute for this prog. And during program, we many times receiving donation from rich members of different seniors citizens clubs. Here, we ( me & my group) are using this donation for those, who are socially deprived from society, ( old age homes ) poor patients and poor students of tribal area’s school. So, in brief, my self and members of my group are doing such social activities, through music platform. Sometimes, we are receiving invitation for music program out of Surat also. Small scale music program are running every 3 – 4 months at local (surat ) level round the year. Regards ! Dr.Ramesh Thakkar. ( Pediatrician )
સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.
જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી
પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.
બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.
પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.
વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.
બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.
દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.
હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું. શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.