રમત જગત Archives - Page 16 of 45 - CIA Live

October 14, 2021
IPL_cia.jpg
1min431

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 59મો મુકાબલો 13/10/2021 સાંજે ૭.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. કોલકત્તાના કેપ્ટન ઇઓન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૩૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૧૯.૫ ઓવરમાં ૧૩૬ રન બનાવી ૭ વિકેટના નુકસાન સાથે મેચ જીતી હતી.

ક્વોલિફાયર 2માં દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 136 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKRના ઓપનર વેંકટેશ અય્યર અને શુભમન ગિલે 96 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. અય્યરે સિઝનની ત્રીજી અર્ધસદી મેળવી હતી જ્યારે ગિલે 46 રન મેળવીને તેની ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, DCએ બેક-ટુ-બેક વિકેટ અને ઉત્તમ બોલિંગ સાથે મેચમાં વાપસી કરી હતી. KKRને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિને શાનદાર રીતે પ્રથમ ચાર બોલ ફેંક્યા હતા અને બે વિકેટ મેળવી હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ ઓફ સ્પિનર ​​સામે પાંચમા બોલ પર વિનિંગ સિક્સ ફટકારી અને મેચ KKRના નામે કરી હતી. અગાઉ પ્રથમ બોલિંગ કરતી વખતે, વરુણ ચક્રવર્તીએ તેની બે વિકેટ સાથે ફરી બોલ સાથે પ્રદર્શન કર્યું અને DC બેટ્સમેનો પર પ્રભુત્વ મેળવ્યું હતું.

હવે KKR શુક્રવારે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની ત્રીજી આઈપીએલ ટ્રોફી માટે રમશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની IPL ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર સિઝન બાદ પણ તેની પ્રથમ આઈપીએલ ટ્રોફીની શોધ ચાલુ જ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે KKRએ ક્યારેય IPL ફાઇનલમાં હાર્યું નથી, તે પહેલાં બે વખત વર્ષ 2012 અને 2014માં પહોંચ્યા હતા અને બંને વખત વિજેતા તરીકે ઊભરી હતી.

દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ ૧૧માં પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કાગીસો રબાડા, અવેશ ખાન, એનરિચ નોર્ટજે હતા.

જ્યારે કોલકત્તા નાઈટ રાઇડર્સના પ્લેઇંગ ૧૧માં શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી હતા

October 13, 2021
IPL_cia.jpg
1min798

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બુધવારે દિલ્હી કૅપિટલ્સની કપરી કસોટી થવાની છે. દિલ્હી કૅપિટલ્સની ટીમ પોતાનું પ્રથમ આઇપીએલ ટાઇટલ મેળવવા કમર-કસશે. દિલ્હી કૅપિટલ્સ પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી અને હવે તેને પરાજય નહિ પરવડે.

દિલ્હી કૅપિટલ્સ ૧૦ વિજય સાથે ૨૦ પૉઇન્ટ મેળવીને લીગ સ્ટૅજમાં ટોચ પર રહી હતી.
દિલ્હી કૅપિટલ્સ પાસે શિખર ધવન, પૃથ્વી શૉ અને શ્રેયસ ઐયર જેવા આક્રમક બૅટ્સમેન છે.
સુકાની ઋષભ પંત અને શિમરન હેટમાયર વચલા ક્રમે બૅટિંગમાં આવીને મોટો જુમલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

દક્ષિણ આફ્રિકાના ઝડપી બૉલરોની જોડી – કાગીસો રબાડા અને એનરિચ નોર્ટજ હરીફ ટીમના જુમલાને સીમિત રાખવામાં સક્ષમ છે. આ ઉપરાંત, તેઓને મદદ કરવા અન્ય ઝડપી બૉલર આવેશ ખાન છે. દિલ્હી કૅપિટલ્સે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં રમાઇ રહેલા સ્પર્ધાના તબક્કામાં પાંચ વિજય મેળવ્યા હતા અને એક મૅચમાં પરાજય થયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના મોટા ભાગના બૅટ્સમેન આક્રમક બૅટિંગથી મોટો જુમલો કરી નથી શક્યા.
બૉલિંગમાં શુભમન ગિલ, વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી હરીફ ટીમના બૉલરોને કાબૂમાં રાખવા માટે સક્ષમ છે.  

October 12, 2021
IPL_cia.jpg
1min559

આઈપીએલના પ્લે ઓફમાં આજે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની અંતિમ મેચ હતી. કેમ કે, વિરાટ કોહલીએ આઈપીએલની આ સિઝન બાદ સુકાની પદ છોડવાની જાહેરાત કરી હતી. જો કે, આ મેચમાં પણ કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટીમને પ્લે ઓફ સુધી તો ખેંચી લાવ્યો હતો. પણ તેને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.

કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે

11/10/2021 બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના એલિમિનેટર મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે બેંગ્લોરની ટીમ 7 વિકેટના નુકસાન પર માત્ર 138 રન બનાવી શકી હતી.

કોલકાતા તરફથી સુનીલ નારાયણે ચાર વિકેટ ઝડપીને બેંગ્લોરની ટીમને ઘુંટણિયે પાડી દીધી હતી. કોલકાતાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. અને આમ કોલકાતાની જીત સાથે કેપ્ટન કોહલીની સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે.

October 9, 2021
IPL_cia.jpg
1min425

હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા સ્કોરે મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે, હૈદરાબાદે 65 રન બનાવતાં જ મુંબઈ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આજે હૈદરાબાદ સામેની મેચ કરો કે મરોની જંગ જેવી હતી. પણ હૈદરાબાદની ટીમે 65 રન બનાવતાની સાથે જ ખુબ જ નિરાશા સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગુરુવારે કોલકાતાએ રાજસ્થાન સામેની મેચ જીત બાદ મુંબઈને પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે હૈદરાબાદને 65 રનોમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. જો કે તે શક્ય ન બનતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ છે. અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્લે ઓફમાં જંગ જામશે.

કોલકાતાએ રાજસ્થાન સામે જીત બાદ મુંબઈ માટે પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 250 રનોથી વધારે રનોનો સ્કોર બનાવવો પડશે, જ્યારે 170 રનોથી વધારે રનો સાથે હૈદરાબાદને માત આપવી પડશે તેવી સ્થિતિ હતી. અને રન ચેઝ કરશે તો પ્લે ઓફથી બહાર ફેંકાવવાનું નક્કી હતું. જો કે, આજે ટોસ જીતવામાં નસીબે મુંબઈને સાથ આપ્યો હતો. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. અને 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. જેથી પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને હૈદરાબાદને 65 રનમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. પણ હૈદરાબાદે 65 રન બનાવતાંની સાથે જ મુંબઈ માટે પ્લે-ઓફની રેસ પુર્ણ થઈ ગઈ હતી.

મુંબઈ તરફથી આજે ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પણ તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર નીકળતી જતાં ભારે નિરાશાનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈની ટીમ માટે આ સિઝન ખુબ જ નિરાશાજનક રહી હતી. આ સિઝનમાં 7 મેચોમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. 2018 બાદ આ સિઝનમાં મુંબઈ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકી ન હતી. મુંબઈ 2020, 2019, 2017, 2015, 2013માં આઈપીએલની ચેમ્પિયન રહી ચૂકી છે.https://00513150e5d40265fe816133ccd5f6f9.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html

મુંબઈ પણ બહાર થઈ ગયા બાદ હવે પ્લે ઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે પ્લે ઓફમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે. ટોપ 2માં રહેતી ટીમોને ફાઈનલમાં પહોંચવા માટે એક વધારેનો મોકો મળે છે. આ બંને પહેલા ક્વોલિફાયર હોય છે, જેમાં જીત મેળવતી ટીમ સીધી ફાઈનલમાં પહોંચે છે. અને ત્યારબાદ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. જેમાં જીત મેળવતી ટીમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરનાર ટીમ સાથે બીજી ક્વોલિફાયર મેચ રમે છે. અને તેમાં જીતનાર ટીમ ફાઈનલમાં પહોંચે છે.

પ્લે ઓફની મેચઃ

– પ્રથમ ક્વોલિફાયરઃ 10 ઓક્ટોબર (દુબઈ)- દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ

એલિમિનેટરઃ 11 ઓક્ટોબર (શારજહા)- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ

બીજી ક્વોલિફાયરઃ 13 ઓક્ટોબર (શારજહા)- એલિમિનેટરની વિજેતા અને પ્રથમ ક્વોલિફાયરમાં હારતી ટીમફાઈનલઃ 15 ઓક્ટોબર (દુબઈ)- પ્રથમ ક્વોલિફાયરની વિજેતા અને બીજી ક્વોલિફાયરની વિજેતા ટીમ

October 8, 2021
IPL_cia.jpg
1min623

આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર શુક્રવારે એક સાથે જ બે મેચ રમાશે. પહેલો મેચ પાંચ વખતની મુંબઇ ઇન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદનો હશે. જે અબુધાબીના મેદાન પર સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે. બીજો મેચ પણ સાંજે 7-30થી દુબઇમાં રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થશે. શુક્રવારે એક સાથે રમાનાર આ બન્ને મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પરથી થશે. આવતીકાલના મુંબઇ અને હૈદરાબાદ વચ્ચેના મેચ પર સહુની નજર રહેશે. કારણ કે આ મેચના પરિણામ પરથી મુંબઇની પ્લેઓફની સ્થિતિ ફાઇનલ થશે. જયારે બેંગ્લોર અને દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. આથી બન્ને ટીમનું લક્ષ્ય જીત સાથે પ્લેઓફમાં પહોંચવાનો રહેશે. આઇપીએલની 2021ની સિઝનના આ આખરી બે લીગ મેચ છે. આ પછી રવિવારથી પ્લેઓફના મેચ શરૂ થશે.મુંબઇનું હૈદરાબાદ સામે હલ્લાબોલ
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પ્લેઓફમાં પહોંચવા માટે હરહાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. મુંબઇની ટીમના ખાતામાં 13 મેચમાં 12 પોઇન્ટ છે અને પાંચમા સ્થાને છે. જો કે તેનો નેટ રન રેટ માઇનસ 0.048 છે. આ સામે કોલકતાના પણ 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે ચોથા નંબરે છે. તેનો આખરી મેચ રાજસ્થાન સામે છે. તેમાં જો કેકેઆરને જીત નસીબ થશે તો મુંબઇની સ્થિતિ કઠિન બનશે. કારણ કે કેકેઆરનો રન પ્લસ 0.294 છે.
મુંબઇના સુકાની રોહિત શર્માએ કહ્યંy છે કે સારી વાત એ છે કે કોકલતાનો મેચ અમારી પહેલા છે. આથી અમને ખબર પડી જશે કે અમારે શું કરવાનું છે. સનરાઇઝર્સ સામેના મુકાબલામાં મુંબઇની તેના કેપ્ટન રોહિત શર્મા પાસેથી મોટી અને આતશી ઇનિંગની આશા રહેશે. જે રોહિતના બેટમાંથી આ સિઝનમાં હજુ સુધી નીકળી શકી નથી. ટીમ માટે સારી નિશાની એ છે કે ઇશાન કિશને ફોર્મમાં વાપસી કરી લીધી છે. જો કે ટીમને હાર્દિક અને પોલાર્ડનું નબળુ પ્રદર્શન ભારે પડી રહ્યંy છે. પાછલા મેચમાં નાથન કુલ્ટર નાઇલે 4 અને જિમ્મી નિશમે બે વિકેટ લીધી હતી અને રાજસ્થાન સામે મુંબઇને મોટી જીત અપાવી હતી. જે મુંબઇની ટીમ માટે સારી નિશાની છે.
બીજી તરફ સનરાઇઝર્સ તેના આખરી લીગ મેચમાં સન્માનજક જીત સાથે વિદાય લેવા ઇચ્છશે. તેણે પાછલા મેચમાં બેંગ્લોરને હાર આપીને મનોબળ વધાર્યું છે. જો કે આ ટીમ આઇપીએલમાં સાતત્યસભર દેખાવ કરી શકી નથી. આથી મુંબઇ સામે તેની રાહ કઠિન બની રહેશ. ખાસ કરીને મુંબઇના ઝડપી બોલરો સામે સનરાઈઝર્સના બેટધરોની આકરી કસોટી થશે.

આરસીબી-ડીસી’ વચ્ચે પ્લેઓફમાં જીત સાથે પહોંચવાની રેસ

8/10/2021 શુક્રવારના જ સાંજના અન્ય એક મેચમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી સામે ઋષભ પંતની ટીમ ડીસી હશે. આ બન્ને ટીમ પહેલેથી પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. બેંગ્લોરનું નંબર ત્રણ પર રહેવું નિશ્ચિત છે. જયારે દિલ્હીએ ટોચ પર રહેવા બેંગ્લોરને હાર આપવી પડશે અને ચેન્નાઇની ટીમનું પંજાબ સામે શું પરિણામ આવે છે તે પર જોવું પડશે. કારણ કે દિલ્હીથી ચેન્નાઇનો નેટ રન રેટ સારો છે. દિલ્હીના હાલ 13 મેચમાં 20 અંક છે.

પ્લેઓફ અગાઉના આ મેચમાં બન્ને ટીમ તેની ઇલેવનમાં પ્રયોગથી બચીને સિતારા ખેલાડીઓ પર જ ફરી વિશ્વાસ મુકશે. જયાં સુધી દિલ્હીની વાત છે તો તેને યુવા ઓપનર પૃથ્વી શોનું યૂએઇમાં ખરાબ પ્રદર્શન સતાવી રહ્યંy છે. તો આરસીબીને સ્ટાર એબી ડિ’વિલિયર્સ તરફથી ધારણા અનુસારનું યોગદાન મળી રહ્યંy નથી. તે પાછલા હૈદરાબાદ સામેના મેચમાં ટીમને જીત અપાવી શકયો ન હતો. તેની સામે આખરી ઓવરમાં ભુવનેશ્વર ભારે પડયો હતો.

વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આઇપીએલની આ આખરી સિઝન છે. તેનું લક્ષ્ય બેંગ્લોરને પહેલીવાર ચેમ્પિયન બનાવીને કપ્તાનીના તાજને મુકવાનો છે. આ ખુદ કોહલીએ હવે ટૂર્નામેન્ટના નિર્ણાયક તબકકે જબરદસ્ત દેખાવ કરીને ટીમની આગેવાની લેવી પડશે. બીજી તરફ યુવા સનસની ઋષભ પંતની નજર પણ દિલ્હી કેપિટલ્સને પહેલીવાર વિજેતા બનાવવાની છે.

October 5, 2021
IPL_cia.jpg
1min466

આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આજે રમાનારી મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મૅચમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ગાડી ફરી પાટે ચડાવવાના અને સ્પર્ધામાં ટકી રહેવાના છેલ્લા પ્રયાસ કરશે. પાંચ વખત ટુર્નામેન્ટની ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું લક્ષ્ય વિજયની હેટ્રીક કરવાનું હશે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એમ કરવામાં સફળ થશે તો તે ટુર્નામેન્ટના ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ જ વાર હશે. 

બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના શાનદાર બૅટિંગ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને આંચકાજનક પરાજય આપ્યો હોવાને કારણે તેનો આત્મવિશ્ર્વાસ આભને અડી રહ્યો છે. મંગળવારની મૅચમાં પરાજિત થનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

September 28, 2021
IPL_cia.jpg
1min389

DC Vs KKR –

શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.

અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે. 

આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે. 

ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે. 

દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું. 

આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર

અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે.  કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.

September 23, 2021
IPL_cia.jpg
1min396

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં 23/9/21 ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે.

આઇપીએલની ગયા વખતની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા પોતાની ટીમ માટે આ મૅચમાં પ્રેરણાદાયક બની રહેવાની આશા રખાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ગયા રવિવારે રોહિત શર્મા અને સ્ટાર ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામેની મૅચમાં ૨૦ રને હારી ગઇ હતી. આ બન્ને ખેલાડીને તકેદારીના પગલાંના ભાગરૂપે રવિવારની મૅચમાં આરામ અપાયો હતો. આમ છતાં, મુખ્ય પ્રશિક્ષક મહેલા જયવર્દેનેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ગુરુવારની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રમવા માટે શારીરિક રીતે સુસજ્જ થઇ જશે.

કોલકાતા નાઇટ રાઇડર્સે આ લીગના બીજા તબક્કાની પ્રારંભિક મૅચમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલોરને નવ વિકેટથી હરાવ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ આઠ પૉઇન્ટની સાથે ચોથા ક્રમે છે. ગયા વખતની વિજેતા આ ટીમે લીગ ટૅબલમાં આગળ આવવા માટે હવે વિજય મેળવવો જરૂરી છે. રોહિત શર્મા અત્યાર સુધી સારા ફૉર્મમાં રમી રહ્યો છે અને તે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે પોતાનું આ ફૉર્મ જાળવી રાખે અને પોતાની ટીમમાં જુસ્સાનો સંચાર કરે એવી આશા છે.

આ ઉપરાંત, સૌરભ તિવારીની આક્રમક બૅટિંગ પણ ઉપયોગી થઇ શકે છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મૅચમાં અણનમ અડધી સદી કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની અગાઉની મૅચ મોટા તફાવતથી જીતી હોવાથી તેને નવું જોમ મળ્યું છે.

September 21, 2021
IPL_cia.jpg
1min438

અહીં મંગળવારે રમાનારી આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચેની મૅચમાં બંને ટીમ પૉઈન્ટ ટેબલમાં મધ્યમ ક્રમમાં પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસ કરશે. 

છેલ્લી અમુક સિઝન દરમિયાન આ બંને ટીમનું રમત પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાને કારણે બંને ટીમ પોતાની યોગ્યતા અને ખેલપ્રદર્શન સુધારવાના પ્રયાસ કરશે. આઈપીએલની છેલ્લી ૧૪ સિઝનથી પંજાબની ટીમમાં સ્થિરતા જોવા નથી મળી રહી. કૅપ્ટન અને કોચ સહિતના ખેલાડીઓની સંગીત ખુરશીની જેમ બદલી કરવામાં આવી રહી છે. 

પંજાબની ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલની કસોટી થશે કેમ કે તે અનિલ કુંબલેના માર્ગદર્શન હેઠળ તે કેવી બૅટિંગ કરે છે તેના પર જ નહીં, પરંતુ ટીમનું નેતૃત્વ કઈ રીતે કરે છે તેના પર પણ લોકોની નજર હશે. કુંબલે પણ ટીમના કોચ તરીકે પોતાની ક્ષમતા પુરવાર કરવાના પ્રયાસ કરશે. જોકે, પંજાબની નબળી બૉલિંગ રાજસ્થાન રોયલ્સ માટે લાભકારક પુરવાર થશે. 

ટીમ: 
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કૅપ્ટન), લીઆમ લિવિંગસ્ટન, ઈવિન લૅવિસ, ડૅવિડ મિલર, ક્રિસ મૉરિસ, ઑશાન થૉમસ, મુસ્તફિઝુર રહેમાન, ટાબ્રૅઈઝ શામસી, ગ્લૅન ફિલિપ્સ, ચેતન સાકરિયા, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, આકાશસિંહ, અનુજ રાવત, કે. સી. કેરિઅપ્પા, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મયંક માર્કન્ડે, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મહિપાલ લોમરોર. 

પંજાબ કિંગ્સ: કે. એલ. રાહુલ (કૅપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદીપસિંહ, ઈશાન પોરેલ, શાહરૂખ ખાન, મોહમ્મદ શમી, નાથન ઍલિસ, આદિલ રાશિદ, મુરુગન અશ્ર્વિન, હરપ્રીત બ્રાર, મૉસિસ હૅન્રિક્સ, ક્રિસ જૉર્ડાન, ઍડન માર્કરામ, મનદીપ સિંહ, દર્શન નાલકંડે, પ્રભસિમરનસિંહ, રવિ બિશ્ર્નોઈ, ઉત્કર્ષસિંહ, ફાબિઅન ઍલન, સૌરભકુમાર, જાલજ સક્સેના. 

September 20, 2021
IPL_cia.jpg
1min486

આ વર્ષે આઇપીએલના પહેલા તબક્કામાં સાતમાંથી પાંચ મેચમાં જીત મેળવનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનું આ શાનદાર ફોર્મ જાળવી રાખવાના લક્ષ્ય સાથે સોમવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે.

આરસીબી હાલ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ સામે ઇયોન મોર્ગનના કપ્તાન પદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાત મેચમાં ફક્ત બે જીત સાથે ચાર અંક ધરાવે છે અને સાતમા સ્થાને છે. પ્લેઓફ માટે કેકેઆરને બીજા તબક્કાના પ્રથમ મેચથી જ કરો યા મરોનો જંગ ખેલવો પડશે.

કોલકતાની ટીમને બીજા તબક્કાથી ભાગ્ય બદલાશે તેવી આશા છે. 2014માં આવી સ્થિતિમાં સતત નવ મેચ જીતીને ખિતાબ તેનાં નામે કર્યો હતો. ટીમના મેન્ટર ડેવિડ હસ્સીએ કહ્યંy છે કે યુએઇની બદલાયેલી પરિસ્થિતિમાં ટીમ સારાં પરિણામ હાંસલ કરશે. જો કે પહેલા મેચમાં જ કેકેઆરની રાહ કઠિન રહેશે. સામે મજબૂત આરસીબી છે. જેનો કેપ્ટન કોહલી વર્લ્ડ કપ બાદ સુકાન છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. તે હવે મોટી ઈનિંગો રમવા બેતાબ છે.

બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 27 ટક્કર થઈ છે. જેમાં કેકેઆરે 14 અને આરસીબીએ 13 જીત મેળવી છે. આ સિઝનના પહેલા ભાગના મેચમાં કેકેઆરનો આરસીબી સામે 38 રને વિજય મેળવ્યો હતો. કેકેઆરને સુકાની ઇઓન મોર્ગન, યુવા શુભમન ગિલ, સ્ટાર આંદ્રે રસેલ, અનુભવી દિનેશ કાર્તિક અને શકિબ અલ હસન પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ આરસીબીને સુકાની કોહલી, સ્ટાર ડિ’વિલિયર્સ, યુવા પડીકકલ અને ગ્લેન મેકસવેલ પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, જેમિસન અને ચહલ જેવા સારા બોલર બેંગ્લોરની ટીમને વધુ મજૂબત કરી રહ્યા છે. શ્રીલંકન સ્પિનર હસરંગા છૂપો રૂસ્તમ બની શકે છે.