CIA ALERT

Blog - Page 676 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 18, 2018
cara2.jpg
1min6030

બધી જ ચાઇલ્ડ કેર સંસ્થાઓ (સીસીઆઇ)ની નોંધણી અને એને સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે લિંક કરવી ફરજિયાત

 

ગેરકાનૂની રીતે બાળકોને દત્તક આપવાનો કેસને પગલે થયેલા વિવાદો દેશભરમાં ચર્ચાસ્પદ બનતા આખરે મધર ટેરેસાએ સ્થાપેલી મિશનરી ઑફ ચેરિટી (એમઓસી) દ્વારા ચલાવાતા બધા બાળાશ્રમની તત્કાળ તપાસ કરવાનો આદેશ મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ બધા જ રાજ્યોને આપ્યો હતો.

બધી જ ચાઇલ્ડ કેર સંસ્થાઓ (સીસીઆઇ)ની નોંધણી થયેલી હોવી જોઇએ અને એને દેશની બાળકોને દત્તક લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા સાથે એક મહિનાની અંદર લિંક કરવાનો આદેશ પણ મેનકાએ આપ્યો હતો.

કાયદા પ્રમાણે સીસીઆઇની નોંધણી અને એને સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે લિંક કરવી ફરજિયાત છે, પણ કેટલાક અનાથાશ્રમે એની વૈધતાને પડકારી હોવાની વાત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોએ જણાવી હતી.

ઝારખંડની એમઓસીએ ગેરકાનૂની રીતે બાળકોને દત્તક આપ્યા હોવાની બાબતને ગંભીરતાથી લઇને મેનકાએ બધા રાજ્યોના એમઓસીના અનાથાશ્રમોની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. રાંચીના એમઓસીએ કથિત રીતે ત્રણ બાળકોને વેચી નાખ્યા હતા અને એક બાળકને આપી દીધો હોવાની વાત પ્રકાશમાં આવી હતી.

 

July 18, 2018
amar1.jpg
1min8570

આ વખતે 2018ની અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થયાને હજુ ફક્ત 20 જ દિવસ થયા છે અને આટલા ઓછા દિવસોમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું હોવાના અહેવાલોએ શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને અમરનાથયાત્રાના છેલ્લા તબક્કામાં દર્શને જઇ રહેલા યાત્રાળુઓમાં ચિંતાનું મોજું પ્રસરાવ્યું છે. 20 જ દિવસમાં હિમલિંગ પીગળીને અડધું થઇ જવા પાછળનું કારણ એ છે કે અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્વાસોશ્વાસથી ઉદભવેલી ગરમી છે.

પાછલા કેટલાક વર્ષોથી ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે છે, પણ નિષ્ણાતોના મતે ક્ષમતાથી વધુ ભક્તોને યાત્રાની પરવાનગી આપવાને કારણે શિવલિંગ ઝડપથી પીગળી જતું હોય છે.

દર વર્ષે લાખો ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે શિવલિંગ ઝડપથી પીગળતું હોવાની વાત અધિકારીઓ ખાનગીમાં તો સ્વીકારે છે, પણ જાહેરમાં એ સ્વીકારવા તૈયાર નથી થતા. તેઓ આ પાછળ ગ્લોબલ વૉર્મિેગનું કારણ પણ આપતા હોય છે.

1996માં અમરનાથમાં થયેલી દુર્ઘટના બાદ નીતિન સેનગુપ્તા કમિટિએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દર વર્ષે અમરનાથ યાત્રામાં ફક્ત 75000 ભક્તોને જ સામેલ કરવા, પણ એ પ્રસ્તાવ ક્યારેય અમલમાં ન મુકાયો.

વર્ષ 2013માં તો ફક્ત બે દિવસમાં જ 75000 ભક્તોએ હિમલિંગના દર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2014માં 29 દિવસમાં સાડા ત્રણ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા.

પર્યાવરણવાદીઓ આ મામલે હંમેશ નારાજ રહે છે. એમના મતે ભક્તોની સંખ્યા વધવાની આડઅસર ફક્ત ગૂફામાંના હિમલિંગ પર જ નહીં, પરંતુ યાત્રાના માર્ગ અને પહાડો પર પણ થાય છે. કાશ્મીરના અલગતાવાદીઓ પણ આ પર્યાવરણવાદીઓની વાતનું સમર્થન કરતા હોય છે.

શ્રાઇન બૉર્ડ ભક્તોની સંખ્યા ઓછી કરવા રાજી નથી લાગતું, પણ એ હિમલિંગની સુરક્ષા માટે પગલાં લેવા ઉત્સુક જણાય છે. શ્રાઇન બૉર્ડ તો યાત્રાને આખું વર્ષ ચાલું રાખવા માટે લોકોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

યાત્રા શરૂ થયા બાદ ગુફાની આસપાસ ભક્તોની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનો તહેનાત રહે છે અને એમનાં શ્ર્વાસોશ્ર્વાસને લીધે પણ ગરમી વધવાને કારણે હિમલિંગને અસર થતી હોય છે.  ગયા વખતે પહેલે દિવસે હિમલિંગનું કદ 20 ફૂટનું હતું, પણ ત્યાર બાદ ઝડપથી એ પીગળીને 2-4 ફૂટનું રહી ગયું હતું.

July 17, 2018
pop.jpg
1min6230

મલ્ટિપ્લેક્સ ઉદ્યોગ અત્યારે ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યો છે અને આવકના નવા સ્રોત ઊભા કરવાના વિકલ્પો શોધી રહ્યો છે તેવા સમયે બહારથી ખાદ્ય સામગ્રી લાવવાની છૂટ મળશે તો ઉદ્યોગ માટે ‘એન્ટિક્લાઇમેક્સ’ જેવી સ્થિતિ સર્જાશે અને તેમાં પણ મહારાષ્ટ્ર સરકારે મલ્ટીપ્લેક્સીસ અને સિનેમા ગૃહોમાં બહારનો નાસ્તો લઇ જવા અંગે આપેલી પરવાનગીનો વાઇરસ દેશના દરેક રાજ્યોમાં ઝડપભેર ફેલાય તેવી વકી છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પોપકોર્નથી શરૂ થયેલો વિવાદ મલ્ટીપ્લેક્સીસ માલિકોની કમાણી છીન્નભીન્ન કરી દે તો નવાઇ નહીં. જો વિવિધ રાજ્યો મલ્ટિપ્લેક્સ કંપનીઓને ખાણીપીણીનું વેચાણ MRP પ્રમાણે કરવાની ફરજ પાડશે અને બહારથી ખાદ્ય ચીજવસ્તુઓ લાવવાની છૂટ આપશે તો કંપનીઓની કમાણીમાં આગામી મહિનાઓમાં નીચી વૃદ્ધિ થશે.

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારા દર્શકો માટે પોપકોર્ન એક સામાન્ય નાસ્તો છે પરંતુ મલ્ટિપ્લેક્સ કંપનીઓ માટે તે કમાણીનો મોટો સ્રોત છે. ગઇ તા.13મી જુલાઇ 2018ને શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે મલ્ટિપ્લેક્સમાં બહારથી નાસ્તો લઈ જવાની છૂટ આપતાં PVR અને આઇનોક્સ લીઝરના શેર અનુક્રમે 13 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. તા.16મી જુલાઇએ પણ આ બંને કાઉન્ટર્સમાં વેચવાલી જળવાઈ રહી હતી અને આઇનોક્સનો શેર 5.1 ટકા ઘટીને ₹11.95એ જ્યારે PVRનો શેર 5.06 ટકા ઘટીને ₹1,153એ પહોંચી ગયો હતો. સિનેમાગૃહો અને મલ્ટીપ્લેક્સીસની કુલ આવકમાં ફૂડ & બેવરિજ (F&B) બિઝનેસનો હિસ્સો 26 ટકા જેટલો ઊંચો હોવાથી મલ્ટિપ્લેક્સ કંપનીઓને ફિલ્મ હિટ જવાની ચિંતા કરતાં પોપકોર્ન સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કેટલું વધ્યું તેની ચિંતા રહે છે.

બોમ્બે હાઈ કોર્ટે થોડા મહિના અગાઉ ચુકાદો આપ્યો હતો કે, મલ્ટિપ્લેક્સની અંદર ફૂડ આઇટમ અને બોટલ્ડ વોટરનું વેચાણ MRP પ્રમાણે જ થવું જોઈએ. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે આના સંદર્ભમાં નીતિ ઘડવાની અને 1 ઓગસ્ટથી MRP કરતાં વધારે ભાવ લેવા પર પ્રતિબંધનો કાયદો અમલી કરવાની જાહેરાત કરી હતી.

મલ્ટિપ્લેક્સ ઉદ્યોગની કુલ આવકમાં F&B સેગમેન્ટનો હિસ્સો જબરજસ્ત વધ્યો છે. 2012-’13માં આ બિઝનેસ દ્વારા મલ્ટિપ્લેક્સ ઉદ્યોગને 19 ટકા આ‌વક થતી હતી, જે હવે 25થી 26 ટકા થઈ ગઈ છે. આની સામે ટિકિટના વેચાણથી થતી આવક 2011-’12માં 62 ટકા હતી, જે ઘટીને 56 ટકા થઈ ગઈ હતી. એક અંદાજ પ્રમાણે, મલ્ટિપ્લેક્સ કંપનીઓ F&Bના વેચાણ પર 75 ટકા જેટલું ઊંચું ગ્રોસ માર્જિન મેળવે છે. ટિકિટના ટકામાં સરેરાશ F&B ખર્ચ 2011-’12માં 28 ટકા હતો, જે 2016-’17માં વધીને 41 ટકા થયો હતો.

ભારતના મલ્ટિપ્લેક્સ ઉદ્યોગમાં PVR અને આઇનોક્સ લીઝરનું પ્રભુત્વ છે અને F&B વસ્તુઓ માટે અતિઊંચા ભાવ વસૂલવાને કારણે બંનેને જોરદાર ફાયદો પણ થયો છે. મલ્ટિપ્લેક્સમાં ટિકિટ કરતાં પોપકોર્નના એક ટબનો ભાવ બેથી ત્રણ ગણો હોય છે.

2011-’12માં PVRને F&B સેગમેન્ટમાંથી ₹92.85 કરોડની આવક થતી હતી, જે 2016-’17માં છ ગણી વધીને ₹580 કરોડ થઈ હતી.

July 17, 2018
mill10.jpg
2min8880

અત્રેની મિલેનિયમ સ્કુલ ખાતે ગઇ તા.14મી જુલાઇને શનિવારે ટીએમએસ ટી ટાઇમ અન્વયે સુરતના જાણીતા મહિલા ફિઝીયોથેરાપીસ્ટ અને આયંગર યોગા પ્રેક્ટિશનર ડૉ. સોનલ જૈન સાથે ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સોનલ જૈનએ જીવનમાં યોગકીય પ્રવૃત્તિઓનું મહત્વ, શિસ્ત, સેલ્ફ રેગ્યુલેશન્સ, શારીરિક અને માનસિક શાંતિ વગેરે ઉપરાંત ગુણવત્તાભર્યું જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે રસપ્રદ અને અત્યંત ઉપયોગી માહિતી ધ મિલેનિયમ સ્કુલના મેનેજમેન્ટસ, સ્ટાફ તેમજ ટીચર્સ સાથે શેર કરી હતી. ડો. સોનલ જૈનએ શ્નોતાઓના કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેમણે કેટલીક યોગકીય પ્રવૃતિઓનું પ્રત્યક્ષ નિદર્શન પણ કર્યું હતું.

 

At The Millennium School Surat we believe in lifelong learning. As part of our self development initiative we organise various activities at school, and one of such activity is TMS Teatime, here we invite guests from different walks of life who can motivate and guide our team through their own life experiences. This Saturday we had a special guest at TMS Teatime : Dr. Sonal Jain – a physiotherapist by profession and an Iyengar yoga practitioner and trainer by passion, who shared her experiences about self regulation, peace of mind-body and also postures which helps improve the quality of life. We appreciate Dr. Sonal Jain for inspiring our team.

July 17, 2018
wsc1.jpg
1min10610
કેનેડાના વેનકુવર ખાતે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે વિશ્વ સંસ્કૃત સંમેલનનું તાજેતરમાં આયોજન થયું હતું. સંસ્કૃતના મહાકુંભ સમા આ અવસરે પશ્ચિમ જગતની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વીય જગતના પ્રકાંડ વિદ્વાનો સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિવિધ વિષયો પર ગહન વિમર્શ કર્યો હતો. આ ‘વિશ્વ સંસ્કૃત સંમેલન’ના મંચ પરથી એક ગૌરવવંતી ઘટના ઘટી હતી. જે અંતર્ગત ૨૧મી સદીના એક નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.
જગપ્રસિદ્ધ વિદ્વાન અને પશ્ચિમી જગતના ‘પાણિનિ’ તરીકે ઓળખાતા જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના અશોકજી અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ કુટુંબશાસ્ત્રી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખ વક્તા તરીકે પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર)ના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી હતા.
મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે, આ નામાભિધાન આપીને મહાન સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી સો વર્ષ પહેલાં તેનો ઉદ્ઘોષ કર્યો હતો. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ અક્ષરપુરુષોત્તમ દર્શન પર મૌલિક ભાષ્યો રચી શક્યો છું.’ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના ઉપક્રમે અક્ષરપુરુષોત્તમ દર્શન પર ખાસ એકેડેમિક સત્ર યોજાયું હતું, જેમાં લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કરી ચૂકેલા ડૉ. પરમતત્ત્વદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પ્રાધ્યાપક ડૉ.અક્ષરાનંદદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન ડૉ.દેવેન પટેલ તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(નવી દિલ્હી)ના અક્ષરવત્સલદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષય પર વિવિધ દૃષ્ટિકોણથી સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા હતા.
July 17, 2018
bercelona.jpg
1min7520

ટુરીસ્ટ, મુસાફરોના ધસારાને કારણે અમારું શહેર મરી રહ્યું છે. આવી રજૂઆતો સાથે બાર્સેલોના, એમ્સ્ટર્રડમ, પેરીસ વગેરે જેવા શહેરોમાં ટુરીસ્ટ વિરોધી પ્રદર્શનો દાવાનળની જેમ આગળ વધી રહ્યા છે.

વિશ્વમાં ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે ખ્યાતિ પામેલા અને રોજના લાખો મુસાફરોનું બર્ડન ધરાવતા શહેરોના નાગરિકો હવે ટુરીસ્ટસથી કંટાળી ચૂક્યા છે અને થાકી ગયા છે. આ પ્રકારે તેઓ મુસાફરોની સામે વિરોધ દેખાવો કરી રહ્યા છે.

ટુરીસ્ટ સિટીના પબ્લિક સ્પોટ્સ પર આ પ્રકારના પ્લેકાર્ડ લગાડીને મુસાફરોનો તેમજ ટુરીઝમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર બાર્સેલોના શહેરમાં ચોંટાડવામાં આવેલા પ્લે કાર્ડની છે.

 

July 17, 2018
digital-india.jpg
1min18090

 

બ્રિટનની સ્પીડટેસ્ટર ફર્મ ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર ભારતની 4G ડાઉનલોડ સ્પીડ શ્રીલંકા (13.95 Mbps), પાકિસ્તાન (13.56 Mbps) અને મ્યાનમાર (15.56 Mbps) જેવા નજીકના દેશો કરતાં પણ ઘણી ઓછી છે. ભારતની સ્પીડની સરખામણીમાં અમેરિકા (16.31 Mbps), UK (23.11 Mbps) અને જાપાન (25.39 Mbps) જેવા વિકસિત દેશો ઘણા આગળ છે.

4G ઇન્ટરનેટથી ભલે બધા પરિચિત હોય, પણ ભારતમાં બફરિંગની સમસ્યા હજુ પણ નડે છે. દેશમાં 4G LTE ડેટા સ્પીડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી 6.1 Mbpsના સ્તરે સ્થિર રહી છે, જે 17 Mbpsની વૈશ્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની છે. આ બાબત ભારતને 4G નેટવર્કવાળા દેશોમાં સૌથી ધીમી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં મૂકે છે.

મોટી ટેલિકોમ કંપનીઓ 4G ટેલિકોમ માટે વિસ્તરણ કરી રહી છે અને 5Gની વાતો પણ થવા માંડી છે. ઉપરાંત, સર્વિસ પ્રોવાઇડર્સ ટૂંક સમયમાં 100 Mbpsની સ્પીડ સાથેનું ફાઇબર આધારિત હોમ બ્રોડબેન્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે ડેટા યુઝર્સ માટે ખુશ થવાના દિવસો છે.

બ્રિટનની સ્પીડટેસ્ટર ફર્મ ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર ભારતની 4G ડાઉનલોડ સ્પીડ શ્રીલંકા (13.95 Mbps), પાકિસ્તાન (13.56 Mbps) અને મ્યાનમાર (15.56 Mbps) જેવા નજીકના દેશો કરતાં પણ ઘણી ઓછી છે. ભારતની સ્પીડની સરખામણીમાં અમેરિકા (16.31 Mbps), UK (23.11 Mbps) અને જાપાન (25.39 Mbps) જેવા વિકસિત દેશો ઘણા આગળ છે.

અમેરિકાની ડેટા સ્પીડ ટેસ્ટર ઓક્લાએ ભારતના મોબાઇલ ઇન્ટરનેટની એકંદર સ્પીડની બાબતમાં 124માંથી 109મો ક્રમ આપ્યો છે. મોબાઇલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.12 Mbps છે, જે 23.54 Mbpsની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણી ઓછી છે. ઓક્લાની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડટેસ્ટના પરિણામમાં 2G, 3G અને 4G સ્પીડનો સમાવેશ થાય છે.
ભારતમાં ધીમી ઇન્ટરનેટ સ્પીડનું એક કારણ ગીચ વસ્તીને સર્વિસ પહોંચાડવાનો પડકાર હોઈ શકે. ઓપનસિગ્નલના એનાલિસ્ટ પિટર બોયલેન્ડે ETને જણાવ્યું હતું કે, “ભારતમાં સ્માર્ટફોનની સંખ્યામાં મોટા ઉછાળાને કારણે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોઈ શકે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર LTEને કેટલું સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યું છે તેના પર પણ 4G સ્પીડનો આધાર રહેલો છે.

July 17, 2018
sanju.jpg
1min6410

સંજય દત્તની બાયોપિક ‘સંજુ’એ ૨૯ જૂને રિલીઝ થયા બાદ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવીને માત્ર ૧૬ દિવસમાં ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થનારી બૉલીવુડની આ સાતમી ફિલ્મ છે. ‘સંજુ’એ દસમા દિવસે ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પણ એ પછી ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતાં એને છ દિવસ લાગ્યા છે. ભારતમાં આ ફિલ્મ ૪૦૦૦ સ્ક્રીન પર રજૂ થઈ છે. બીજી તરફ આ ફિલ્મને ૬૫ દેશોમાં પણ ૧૩૦૦ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે અને એનું વર્લ્ડવાઇડ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૦૦ કરોડ રૂપિયા જેટલું થયું છે.

વળી આ ફિલ્મ સૌથી વધારે બિઝનેસ કરનારી છઠ્ઠા નંબરની હિન્દી ફિલ્મ બની છે. હિન્દી ‘બાહુબલી ૨’એ બૉક્સ-ઑફિસ પર સૌથી વધારે ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ બીજા નંબરે આમિર ખાનની ‘દંગલ’ અને ત્રીજા નંબરે ‘ક્ટk’ છે. ચોથા અને પાંચમા નંબર પર સલમાન ખાનની ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘બજરંગી ભાઈજાન’ છે. હવે એવું લાગે છે કે ‘સંજુ’ ટૂંક સમયમાં ‘બજરંગી ભાઈજાન’ને પાછળ છોડીને પાંચમા ક્રમાંકનું સ્થાન મેળવી લેશે.

સૌથી નવાઈની વાત એ છે કે આ ફિલ્મ કોઈ તહેવાર અથવા તો પબ્લિક હૉલિડે પર રિલીઝ નથી થઈ. વરસાદ ખૂબ જ પડી રહ્યો હોવા છતાં આ ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ અઠવાડિયામાં ‘સૂરમા’ અને ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ રિલીઝ થઈ છે. ‘સૂરમા’એ શુક્રવારે ૩.૨૦ કરોડ અને શનિવારે ૫.૦૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ ફિલ્મે શુક્રવારે ૫.૫૦ કરોડ અને શનિવારે ૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. એની સામે ‘સંજુ’એ ૬.૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે.

July 17, 2018
pakhindu2.jpg
1min6850

આશરે 30,000 પાકિસ્તાની નાગરિક પૈકી મોટા ભાગે હિન્દુઓને 2011થી ભારતે લાંબી મુદતના વીઝા આપ્યા છે. ભારતમાં લાંબા સમય સુધી રહેવાના વિઝા મેળવનાર પૅન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી શકશે તથા ભારતમાં મિલકતની ખરીદી કરી શકશે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

 

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાં વસતી લઘુમતીને મદદ કરવા મોદી સરકારની નીતિ અનુસાર 2018માં 6,092 પાકિસ્તાની નાગરિકને એલટીવીએસ આપવામાં આવ્યા છે.

કુલ 14,726 પાકિસ્તાની નાગરિકોએ ભારતના વીઝા મેળવવા અરજી કરી હતી. તેમને 2011 અને 2014ની વચ્ચે એલટીવીએસ આપવામાં આવ્યા હતા.

2015થી એલટીવીએસ મેળવવા ઑનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો ત્યારથી 2015માં 2,142ને, 2016માં 2,298 નાગરિકને અને 2017માં 4,712ને વીઝા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની હાલની નીતિ પ્રમાણે લોંગ ટર્મ વીઝા પર ભારતમાં વસતા કોઈપણ ધર્મ કે કોમના નાગરિકોને રહેવા માટે ઘરની ખરીદી કરવા દેવાશે. તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેઓ પૅન કાર્ડ. આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે.

July 17, 2018
itraid1.jpg
1min6540

તમિળનાડુના હાઇવેના બાંધકામ અને એની સહયોગી કંપનીઓના વીસ ઠેકાણે આઇટીએ પાડેલા દરોડામાં રૂ. 100 કરોડ રોકડા અને 90 કિલો સોનું તથા ઝવેરાત પકડાયા હતા. આ તમામ જથ્થો બેહિસાબી અને બેનામી હોવાનું માનવામાં આવે છે. તમિળનાડુ ખાતેની આ રેઇડને પગલે સ્થાનિક બિલ્ડર્સ સમેત રાજકારણીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.

રોકડની હેરાફેરીની માહિતીના આધારે આવકવેરા ન ભર્યો હોવાના શકને આધારે આઇટી વિભાગે દરોડા પાડયા હતા. નૉટબંધી અગાઉ અને પછી રોકડની શંકાસ્પદ હેરફેર પર નજર રાખ્યા બાદ પોલીસની સુરક્ષા હેઠળ આઇટી વિભાગે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આઇટી રિટર્નની તપાસમાં ગેરરીતિ જણાઇ હતી.

આ કંપની સિવિલ વર્કની અગ્રણી કોન્ટ્રાક્ટર કંપની છે. કંપનીની રાજકીય નેતાઓ સાથે સાઠગાંઠ હોવાનો શક છે અને એમણે રાજ્ય સરકારના હાઇવે તથા જાહેર વિભાગની અનેક યોજનાઓ પર કામ કર્યું હતું.