CIA ALERT

Blog - Page 674 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 20, 2018
bri.jpg
1min5200

લાંચ આપનારને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરતો નવો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો રાજ્યસભામાં પસાર કરાયો હતો. ૩૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં પ્રિવેન્શન ઑફ કરપ્શન (સુધારો) ખરડાએ કેટલીક કલમોમાં ફેરફાર કર્યા છે. આ ખરડો મૌખિક મતદાન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના પર્સોનેલ ખાતાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનો આ ઐતિહાસિક ખરડો છે. ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અને નિવૃત્તિ બાદ પણ અમલદારો સામે ખોટી ફરિયાદો ન થાય એ માટે ખરડામાં અનેક કલમ ઉમેરવામાં આવી છે.

એક તરફ કાયદાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, તો બીજી તરફ એનો અમલ કરતા અમલદારોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ખરડો હવે લોકસભામાં મંજૂરી માટે જશે.

July 19, 2018
vnsgu.jpg
2min11960

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1463 / 2018 DATE:- 19/07/2018
M.Sc. (I.C.T.) ( FIRST,SECOND,THIRD & FOURTH SEMESTER ) Examination, APRIL – 2018
—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( FIRST SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 3 7

TOTAL RESULT : 37.50 %
PASS : 3
FAIL : 5

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( SECOND SEMESTER ) Examination held by this University in APRIL – 2018

FIRST DIST. :

19 23 27 28 30 31 32 33 46 47 51 52
53 57 59

FIRST CLASS :

1 2 3 5 6 8 9 10 11 12 16 18
20 21 22 24 26 29 34 35 36 44 45 54
56 58 61 66

SECOND CLASS :

4 7 13 15 50 55 60 63 64

A.T.K.T. :

14 17 25 37 38 39 40 42 43 48

FORM WITHDRAWN :

41 49

TOTAL RESULT : 74.29 % WITH A.T.K.T. : 88.57 %
FIRST DIST. : 15
FIRST CLASS : 28
SECOND CLASS : 9
FAIL : 8
FORM WITHDRAWN : 2

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( THIRD SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 2 3 4 5 7 8 9 11

TOTAL RESULT : 52.94 %
PASS : 9
FAIL : 8

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. ( I.C.T. )
( FOURTH SEMESTER ) Examination held by this University in APRIL – 2018

FIRST DIST. :

2 4 12 14 15 17 19 20 21 25 29 30
31 34 37 39 40 41 45 46 47 48 49 51
53 55

FIRST CLASS :

5 6 7 8 13 16 18 22 26 27 28 35
43 44 50 52

SECOND CLASS :

3 24

The result of the following candidates is WITHHELD whose cases falls
UNDER O.165 as they have not passed their Lower Examination :

10 23 32 33 36 38 42

TOTAL RESULT : 91.67 %
FIRST DIST. : 26
FIRST CLASS : 16
SECOND CLASS : 2
FAIL : 4
W.O.165 : 7

No. Exam/MSC/7452/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
19 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 19, 2018
w4-1280x722.jpg
1min8360

સુરતના જાણીતા ડો. વિમલ રાઠીના ‘અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત’ દ્વારા દર ૧૫ ઓગસ્ટે ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડેWorld PHD) ની સ્થાનિક ઉજવણી વિવિધ રીતે થાય છે.

‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડે)ની ઉજવણીના ભાગ રૂપે આઠ પ્રવૃત્તિઓ પર ધ્યાન અપાય છે.

૧. મિશન ઓક્સીજન (વૃક્ષ વાવો અને તેનું જતન કરો),

૨. મિશન સ્પ્રેડ સ્માઈલ્સ (યોગ અને ધ્યાન દ્વારા આરોગ્ય),

૩. મિશન ક્લીન્લીનેસ (કચરાટોપલી વિતરણ),

૪. મિશન અવોઈડ મોસ્કીટો (મચ્છરદાની વાપરી/વહેંચી મચ્છરથી બચીને મેલેરિયાથી બચાવ),

૫. મિશન વુમન એન્ડ ચાઈલ્ડ કેર (મહિલાઓ તથા બાળકોના કુપોષણ અંગે જાગૃતિ– એનીમિયા અવેરનેસ-અને મહિલાઓ માટે સ્વબચાવ),

૬. મિશન હંગર પ્રિવેન્શન (સાત્વિક ખોરાકના ફૂડપેકેટનું વિતરણ),

૭. મિશન એન્ટી ટોબેકો (તમાકુથી દૂર રહેવાના શપથ લેતા ફોર્મ ભરવા),

૮. મિશન ઈમરજન્સી કેર (લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ અને મેડીકલ ઈમરજન્સી ટ્રેઈનીંગ).

વધુને વધુ શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ આ ઉપયોગી ‘વિશ્વ રોગ નિવારણ કાર્યક્રમ’ સાથે જોડાય તે માટે આ વર્ષે

‘ફેસ ધ કેમેરા’

સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીએ મોબાઈલ સામે આવી બે મિનીટના વિડીયો દ્વારા રજૂઆત કરવાની રહેશે. તેઓ નીચેનામાંથી કોઈ એક વિષય પર રજૂઆત કરી શકે.

૧. ૧૫ ઓગસ્ટના વિશ્વ રોગ નિવારણ દિન (વર્લ્ડ પી.એચ.ડી.) ની ઉજવણીનું મહત્વ.

૨. તમે એ દિન કેવી રીતે ઉજવશો અને સમાજને શું સંદેશો આપશો?

૩. આ ઉજવણીમાં તમે વધુને વધુ લોકોને કેવી રીતે જોડશો?

૪. ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પીએચડી) શું છે અને તેના હેતુઓ શું છે?

ઉપરના કોઈ પણ એક વિષય પર વિદ્યાર્થી મોબાઈલ કેમેરા સામે બોલીને બનેલી ‘શોર્ટ ફિલ્મ’ ૩૧ જુલાઈ સુધી પોતાની શાળામાં જ જમા કરાવશે.એ શાળા જ તેમની શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓની ‘શોર્ટ ફિલ્મ’ પસંદ કરશે અને વિજેતા વિદ્યાર્થીઓના નામવ્હોટસએપ/ઈ મેઈલ દ્વારા અમને મોકલશે.શોર્ટ ફિલ્મમાં વિદ્યાર્થીએ સૌથી પહેલાં પોતાનું અને શાળાનું નામ બોલીને સંદેશો આપવાનો રહેશે. દરેક શાળાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને અને જે શાળામાંથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે તે શાળાઓને ઇનામ અપાશે. આ સંદર્ભે શાળાના આચાર્યની વિડીયો મુલાકાત પણ લેવાશે. જે સ્થાનિક ટીવી પર બતાવાશે. ભાગ લેનાર શાળાના શિક્ષકોને ‘ગુરુ+હેલ્થ કાર્ડ’ ભેટ અપાશે, જેના દ્વારા તેઓ સો જેટલાં ક્લિનિક-હોસ્પિટલમાં ફ્રી હેલ્થ ચેક-અપ કરાવી શકશે.

જે શાળાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે તેમને ૧૫ ઓગસ્ટે ‘સ્વતંત્રતા દિને’ જ ‘વિશ્વ રોગ નિવારણ દિનની ઉજવણી’ માટે પસંદ કરાશે.

આપની શાળાના વધુને વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રેરિત કરશોજી. આપની શાળાના રજીસ્ટ્રેશન તથા અન્ય મદદ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નરેશ કાપડીઆ (99099 21100) મદદરૂપ થશે. આ પ્રવૃત્તિ ટ્રસ્ટના માનદ પ્રમુખ ડો. વિમલ રાઠી અને માનદ મંત્રી શ્રી પ્રવીણ વોરાના માર્ગદર્શનથી થનાર છે.

આવો, રોગમુક્ત વિશ્વ બનાવવામાં આપનો સહકાર આપો. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન ઈ-મેઈલ અને વ્હોટ્સએપથી જ ‘પેપરલેસ’ થશે, જે જાણશોજી.

July 19, 2018
sp11.jpg
1min9350

શ્રીમતી આઈ. વી.પટેલ ફાઉન્ડેશન ફોર એજયુકેશન, લર્નીંગ એન્ડ રીસર્ચ,સુરત તરફથી મમતા માનસિક સ્વાસ્થય કેન્દ્ર,અઠવાલાઈન્સ, સુરત મા તાલીમ મેળવનાર 45 થી વધુ મંદબુદ્ધિ ધરાવતા બાળકોને વિના મૂલ્યે સ્કુલ બેગ આપવામા આવી અને આવા બાળકો સાથે સંગીતના તાલે જુલી ફરી પાછા બાળપણના સ્મરણો ને યાદ કર્યા…!!!! ટ્રસ્ટી શ્રી સનિલ પટેલ તેમજ સહાયકોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ આનંદ માણ્યો હતો. પ્રસ્તુત છે આ ઇવેન્ટની તસ્વીરી ઝલક

July 19, 2018
st2-1.jpg
1min5370

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

ગુજરાતે સપ્ટેમ્બર 2017માં ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

આ વખતે સમિટમાં આઠ થીમ પર ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં કુલ ₹3 કરોડ જેટલી ઊંચી રકમ સ્ટાર્ટઅપને ફંડિંગ તરીકે આપવામાં આવશે. ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ આઇટી બેઝ આવ્યા છે. દેશના વિશાળ હિતમાં નાગરિકોને લાભ થાય તેવા વિચારો ધરાવનારા લોકો છે, પરંતુ તેમના આઇડિયા વેરવિખેર છે. આવા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અમારો પ્રયાસ છે.

ભાવિ ટેક્‌નોલોજીને સમસ્યાઓ સાથે જોડીને ઉપાયની દિશામાં આગળ વધી શકાશે. સ્ટાર્ટઅપની સાથે જ ગુજરાતની આઇટી- સોફટવેર કંપનીઓનું એસોસિયેશન ગેસિયાની સાથે યોજાનારી ટેક્‌નોલોજી સમિટમાં આવનારા સીઇઓ સાથે બેઠકો યોજાશે. કેટલાંકને ફંડિંગ પણ મળે તેવા વેન્ચર કેપિટાલિસ્ટ કે નાના રોકાણકારો કે રાજ્યના જ ઉદ્યોગકારોને તેમાં જોડીને ફંડિંગ માટે નવી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે અને સમિટમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ જોડાશે. આ સમિટમાં અપાનારી ઇનામની રકમ અગાઉ ક્યારેય અપાઈ નથી. યુકેમાં ફંડિંગ મિકેનિઝમ સારી છે, તેમની સાથે ફિક્કી દ્વારા જોડાણ કે સહયોગ કરીશું.

અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં યુકે આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ યુકે-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.”

રાજ્યની આઇટી-ટેક કંપનીઓ તેમની ટેક્‌નોલોજી-સર્વિસિસ રજૂ કરશે. રાજ્યમાં એસએમઇનો મોટો બેઝ અને આઇટી કંપનીઓ બંને ભેગા થઈ વધુ સારી સેવા આપવા અને નેક્સ્ટ જેન ટેક્‌નોલોજીમાં કેવી રીતે કામ કરે તેના પર ભાર મૂકશે. કંપનીઓ તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે રોબોટિક્સને સ્થાનિક ઉદ્યોગોમાં કેવી રીતે પ્રાથમિકતા અપાય તેના પર પણ ફોકસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ₹3 કરોડ પ્રાઇઝ મની અપાશે. પ્રથમ આવનારને ₹25 લાખ, દ્વિતીયને ₹27 લાખ, તૃતીયને ₹25 લાખ અને પછીના 12 વિજેતાઓને ₹12 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, માત્ર આઇડિયા રજૂ કરનારને પણ ₹10,000 આપવામાં આ‌વશે. રેડી પ્રોડક્ટ ધરાવનારાને પણ ₹નવ લાખનું ઇનામ મ‌ળશે.

July 19, 2018
bc1-1.jpg
1min10580

બેન્કોની લોન ભર્યા વગર દેશ છોડીને ભાગી જતા પ્રમોટર્સને અટકાવવા માટે પગલાં નક્કી કરવા કેન્દ્ર સરકારે કમિટીની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા હાઈ-પ્રોફાઇલ કેસ પરથી બોધપાઠ લઇને અને ભવિષ્યમાં આવા કેસોનું પુનરાવર્તન ન થાય તે માટે હાથ ધરવામાં આવેલી આ કવાયતમાં ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડું નાગરિકત્વ) ધરાવતા પ્રમોટર્સ પર ચાંપતી નજર પણ રાખવામાં આવશે.

ફાઇનાન્શિયલ સર્વિસિસના સચિવ રાજીવ કુમારના વડપણ હેઠળની આ કમિટીમાં RBI, ગૃહમંત્રાલય, વિદેશમંત્રાલય, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) અને CBIના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થશે. આ કમિટી વર્તમાન કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તેની ભલામણ કરશે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા હોય અને તેની વિગતો જાહેર ન કરી હોય તેવા પ્રમોટર્સ પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. આવા પ્રમોટર્સની કંપની જો બેન્કનો હપતો ભરવામાં ડિફોલ્ટ થઈ હશે તો સરકાર આવા પ્રમોટર્સની વિદેશમાં જવાની યોજનાઓની માહિતી પણ માંગી શકે છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોઈ કંપની/પ્રમોટર લોનમાં ડિફોલ્ટ થાય તો બેન્ક દ્વારા તેને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)માં વર્ગીકૃત કરવામાં ઘણો સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો લેભાગુ પ્રમોટર આવી લાંબી પ્રક્રિયાનો લાભ ઉઠાવીને કૌભાંડ કરીને વિદેશ છટકી જાય છે. જરૂરી નથી કે આપણે આવા પ્રમોટર્સને સમયસર અટકાવી શકીશું પરંતુ જ્યારે કોઈ પ્રમોટર કે કંપની અંગે ઇન્ટેલિજન્સ એજન્સીઓ કે બેન્કો તરફથી નેગેટિવ રિપોર્ટ્સ આપવામાં આવે તો સરકાર આવા કિસ્સામાં તેમની ટ્રાવેલિંગની અને અન્ય વિગતોની માંગણી કરી શકશે.

આવા પ્રમોટર્સ અંગે જો કોઈ શંકાસ્પદ માહિતી મળે અને તેઓ કાયદાનો ભંગ કરતા હોવાના સંકેત મળે તો તેમના ટ્રાવેલિંગ પર માત્ર પ્રતિબંધ લગાવી શકાશે અથવા તેમના પાસપોર્ટ સસ્પેન્ડ થઈ શકશે.” એમ અધિકારીએ સમજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા બાદ બેન્કોએ આ‌વા સંભવિત જોખમ ટાળવા માટે જંગી માત્રામાં લોન લેનારા પ્રમોટર્સના પાસપોર્ટની વિગતો પણ માંગી હતી.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે ₹14,000 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આરોપ છે જ્યારે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યા સામે પણ ₹૯,૦૦૦ કરોડના કૌભાંડના આરોપો છે. આ બે હાઈ-પ્રોફાઇલ ડિફોલ્ટર સિવાય પણ દેશના ઘણા પ્રમોટર્સને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

વિવિધ અહેવાલો મુજબ, બેન્કોને ₹7,000 કરોડ નહીં ચૂકવનારી કંપની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિના પ્રમોટર જતિન મહેતા અને તેમના પત્નીએ ભારતીય નાગરિકત્વ છોડીને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના નાગરિક બની ગયા છે.

સરકારે સંસદના આગામી સત્રમાં ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ, 2018’ પસાર કરાવવાના પ્રયાસ પણ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ’ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરેલી છે.

July 19, 2018
pc-1280x720.jpg
1min6040

સાથે કામ કરનારી મહિલાઓ કામ કરવા તેમની પસંદગીનો સમય સિલેક્ટ કરી શકશે

પ્રિયંકા ચોપડાએ તેના બર્થ-ડેના દિવસે પોતાના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને એક અનોખી ગિફ્ટ આપી છે. તા.18મી જુલાઇના રોજ પોતાની 36માં બર્થ ડે નિમિત્તે પ્રિયંકા ચોપરાએ પોતાના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને કામના સમય માટે છૂટછાટ આપી છે. પ્રિયંકા મહિલાઓ સાથે કોઈ ભેદ ન થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રોડક્શન-હાઉસના દરેક ડિપાર્ટમેન્ટમાં મહિલાઓનો સમાવેશ કરવાનું નક્કી કર્યું હતું. તેમ જ આ વર્ષની શરૂઆતમાં તેણે પુરુષ અને સ્ત્રી વચ્ચેના સૅલરીના તફાવતને દૂર કર્યો હતો. પ્રિયંકાનો જન્મદિવસ હોવાથી તેણે તેના સ્ટુડિયોમાં કામ કરતી મહિલાઓને પોતાની મરજી મુજબ કામના કલાકો પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. પ્રોફેશનલ સક્સેસ મળેવવા માટે મહિલાઓને તેમની પર્સનલ લાઇફમાં ઘણી વાર કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. પ્રિયંકા નથી ઇચ્છતી કે તેની કંપનીની કોઈ પણ મહિલા આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થાય. આ કારણસર તેણે દરેક વર્કિંગ મધર માટે ફ્લેક્સિબલ ટાઇમની સુવિધા આપી છે. આ સાથે જ તેણે મૅટરનિટીની રજા માટે પણ નવી જોગવાઈ બનાવી છે.

July 19, 2018
st1-1280x720.jpg
1min5850

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેક્સ કાઉન્ટી સાથે ક્ર્યો કરાર

ભારતરત્ન અને સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેન્ડુલકરે તા.18મી જુલાઇ 2018ના દિવસે મિડલસેક્સ ક્રિકેટ ક્લબ સાથે મળીને તેન્ડુલકર મિડલસેક્સ ગ્લોબલ ઍકૅડેમી (TMGA) લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઍકૅડેમી ૯થી ૧૪ વર્ષના છોકરાઓ અને છોકરીઓને તેન્ડુલકર અને મિડલસેક્સ ક્રિકેટ ક્લબ પાસેથી ક્રિકેટ શીખવાની તક આપશે.

આ ઍકૅડેમીની પહેલી શિબિર નૉર્થવુડની મર્ચન્ટ ટેલર્સમાં ૬થી ૯ ઑગસ્ટ દરમ્યાન યોજાશે. ત્યાર બાદ મુંબઈ અને લંડનમાં પણ શિબિરનું આયોજન કરવામાં આવશે. મિડલસેક્સે ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસ, માઇક ગૅટિંગ જેવા પ્લેયરો આપ્યા છે. આ ઍકૅડેમી જરૂરિયાતમંદ ખેલાડીને સ્કૉલરશિપ પણ આપશે. તેન્ડુલકરે જણાવ્યું હતું કે ‘મિડલસેક્સ સાથેની પાર્ટનરશિપથી મને ઘણો આનંદ થયો છે. અમારું ધ્યેય ફક્ત સારા ક્રિકેટર તૈયાર કરવાનું જ નહીં, પણ ભવિષ્યના સારા નાગરિક બનાવવાનું પણ છે. આ વેન્ચરથી હું અને મિડલસેક્સ શ્રેષ્ઠ ક્રિકેટ-કોચિંગ આપીશું.’

July 19, 2018
bal.jpg
1min17330

ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

 

જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે.

ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે. વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.

વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દર્શાવ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એમ જણાવીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

July 19, 2018
cn1.jpg
1min5320

મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી(ડીએ) કરવા ઉપયોગમાં લેવાતા બૅઝ યર અને ઇન્ડેક્સમાં સુધારા કરવા કેન્દ્ર સરકાર સજજ છે. આ પગલાંને પરિણામે આ વર્ષે ભથ્થામાં બે ટકા વધારો મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજી વાર વધારો મળશે.

મોંઘવારી ભથ્થાની રકમ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને જીવન ખર્ચપેટે આપવામાં આવે છે. વેતનનો એક ભાગ છે અને તેની ગણતરી વ્યક્તિના બેઝિક વેતનની નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે કરવામાં આવે છે.

એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા પ્રમાણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો(સીપીઆઇ-આઇડબ્લ્યુ) માટે નવી પ્રાઇસ ઇન્ડેક્સ પર કામગીરી ચાલી રહી છે. મંત્રાલય હેઠળના લેબર બ્યૂરોએ નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ બેઝ યર 2016 તરીકે નક્કી કર્યું છે અને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચ બદલાતો રહેતો હોવાથી દર છ વર્ષે બેઝ પ્રમાણે સુધારા કરવા જોઈએ.

સીપીઆઇ-ડબ્લ્યુ માટે હાલનું બૅઝ યર 2001 હોવાથી આ પગલું મહત્ત્વનું બની રહે છે.

કિંમતમાં વધુ પારદર્શકતા લાવવા નવા ઇન્ડેક્સમાં નવા ઔદ્યોગિક સેન્ટરનો ઉમેરો કરવામાં આવશે. 78 સેન્ટર સામે 88 સેન્ટરનો સમાવેશ કરાશે. અહેવાલમાં જણાવાયા પ્રમાણે નવા સીપીઆઈ-આઈડબ્લ્યુમાં કાર અને મોબાઈલ જેવી આઈટેમનો સમાવેશ કરવામાં આવશે.

નવા ઇન્ડેક્સની ઝીણવટભરી તપાસ કરવા ટૅક્નિકલ એડવાઈઝરી કમિટીને મોકલવામાં આવ્યા પછી તેને આખરી ઓપ આપતાં પહેલાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપક્ષી સલાહ મસલત કરાશે. લેબર બ્યુરોએ દરેક સ્ટેજ પર ઈન્ડેક્સ નક્કી કરવા સ્ટેન્ડિંગ ટ્રાઈપાઈટ્રાઈટ કમિટીની મંજૂરી મેળવી છે. આ પગલાંનો 110 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારક ને લાભ થશે.

આ વર્ષે કૅબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) પાંચ ટકા પરથી વધારીને સાત ટકા કર્યું હતું. આ પગલાંથી આશરે 48.41 લાખ સરકારી કર્મચારી અને 61.17 લાખ પેન્શનધારકને લાભ થયો હતો. સાતમા વેતન પંચની ભલામણ અનુસાર ઉક્ત વધારો કરવામાં આવ્યો હતો.