CIA ALERT

Blog - Page 67 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 5, 2024
educationpolicyjpg.jpg
2min598

Jayesh Brahmbhatt 98253 44944

IITમાં કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચને સૌથી વધુ ચોઇશ, કોર બ્રાન્ચિસ પણ પ્રવેશાર્થીઓની પ્રથમ પસંદગી

પાછલા વર્ષોની જેમ, 23 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs)માં સૌથી વધુ લોકપ્રિય અભ્યાસક્રમો કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ છે. જોઈન્ટ ઈમ્પ્લીમેન્ટેશન કમિટી (JIC) રિપોર્ટ 2024માં જોઈન્ટ એડમિશન બોર્ડ (JAB) દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ ચાલુ વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગને તેમની ઇચ્છિત શાખા તરીકે પહેલી પસંદ કરી હતી.

કઇ બ્રાન્ચને કેટલી ચોઇશ મળી

સિવિલ – 2,22,027
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ – 4,30,238
મિકેનિકલ એન્જિનિયરિંગ – 3,18,477
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ – 3,12,631

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) એ IIT ના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય શાખાઓમાંની એક રહી છે. તાજેતરના JIC અહેવાલોમાં પણ સમાન પેટર્ન દેખાય છે. ડેટા મુજબ, 2024માં કુલ 4,30,238 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ માટે અરજી કરી હતી, જે આશરે 12 ટકા (ગત વર્ષે 3,82,296 થી) 2022માં 3,99,642 અને 2021માં 3,86,360નો વધારો છે. જો કે, એ ફક્ત 2020 માં નોંધાયું હતું જ્યારે આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની પસંદગી કરનારાઓની સંખ્યા 4 લાખ 30 હજારને સ્પર્શી ગઈ હતી.

અહીં 2019 થી 2024 સુધી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો આલેખ છે. અહીં 2019 થી 2024 સુધી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો ગ્રાફ છે.

Here is the graph representing the number of students applying for Computer Science Engineering (CSE) from 2019 to 2024.

મિકેનિકલ એન્જિનિયરિંગ પણ આ વર્ષની સૌથી લોકપ્રિય શાખાઓમાંની એક છે જેમાં 3,18,477 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. 2019 માં, મિકેનિકલ એન્જિનિયરીંગ બ્રાન્ચ માટે ઉમેદવાર પસંદગીની સંખ્યા 2,97,817 હતી, જે પછી 2020 માં તીવ્રપણે વધીને 3,37,115 થઈ ગઈ હતી, પરંતુ 2021 માં લોકપ્રિયતામાં મોટો ફટકો પડ્યો જ્યારે તે ઘટીને 2,52,906 થઈ ગયો. 2022 અને 2023 (2,76,384)માં લોકપ્રિયતા (2,78,629)માં થોડો સુધારો જોવા મળ્યો હતો.

આ વર્ષે બીજી લોકપ્રિય શાખા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 2024માં 3,12,631 વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો. 2024 પહેલાં, તે માત્ર 2020માં જ હતું જ્યારે આ એન્જિનિયરિંગ શાખામાં રસ દર્શાવનારા ઉમેદવારોની સંખ્યા ત્રણ લાખ (3,38,352)ને પાર કરી ગઈ હતી. 2023 માં, કુલ 2,86,966 વિદ્યાર્થીઓએ EE માં રસ દર્શાવ્યો હતો. 2022 માં, કુલ 2,80,724 અને 2021 માં 2,80,724 ઉમેદવારોએ તેમની ઇચ્છિત શાખા તરીકે EE મૂકી હતી. 2019માં પણ આ આંકડો ત્રણ લાખ (2,92,267)ને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો.

અહીં 2019 થી 2024 સુધી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (EE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યાને રજૂ કરતો ગ્રાફ છે.

Here is the graph representing the number of students applying for Electrical Engineering (EE) from 2019 to 2024.

રોગચાળા પછી સિવિલ એન્જિનિયરિંગ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. JIC ના અહેવાલો મુજબ, 2019માં સિવિલ એન્જિનિયરિંગ માટે ઉમેદવારોની પસંદગીની સંખ્યા 2,15,651 હતી, જે પછી 2020માં ઘટીને 241096 થઈ ગઈ અને 2021માં તે ઘટીને 1,82,000 થઈ ગઈ. જો કે, તે પછી 2022માં વધીને 198620 થઈ ગઈ, પરંતુ 2020માં તે વધીને 198620 થઈ ગઈ. 2023 માં ફરીથી (1,95,248 સુધી)

અહીં 2019 થી 2024 સુધી સિવિલ એન્જિનિયરિંગ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો ગ્રાફ છે.

Here is the graph showing the number of students applying for Civil Engineering from 2019 to 2024.

CSE માં, સૌથી વધુ લોકપ્રિય IIT એ IIT બોમ્બે છે જ્યાં આ વર્ષે કુલ 25,481 પસંદગીની ગણતરી નોંધવામાં આવી હતી. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સમાન વલણ જોવા મળ્યું હતું જ્યાં 19,469 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેના ME પ્રોગ્રામમાં રસ દર્શાવ્યો હતો.

જો કે, IIT દિલ્હી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે વધુ લોકપ્રિય બન્યું કારણ કે 21,855 વિદ્યાર્થીઓએ ભારતની રાજધાનીમાં સ્થિત આ IITમાંથી આ ચાર વર્ષના પ્રોગ્રામને અનુસરવામાં રસ દર્શાવ્યો હતો. સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે દિલ્હી પણ લોકપ્રિય હતું કારણ કે 15,122 વિદ્યાર્થીઓએ આ IITમાં રસ દાખવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, JIC રિપોર્ટ 2024માં IIT (BHU) વારાણસી, IIT હૈદરાબાદ, IIT કાનપુર અને IIT રૂરકી પછીના ક્રમે IIT પટના આ વર્ષની ‘બધા અભ્યાસક્રમો માટે ઉમેદવારોની પસંદગીની ગણતરી’ની યાદીમાં સૌથી વધુ લોકપ્રિય તરીકે દેખાઈ હતી. જો કે, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સંસ્થાની લોકપ્રિયતા નક્કી કરતું નથી, કારણ કે આ વધુ કે ઓછી સંખ્યામાં બેઠકો, કાર્યક્રમો અને અન્ય વિવિધ પરિબળોના સંયોજનને કારણે પણ હોઈ શકે છે.

October 5, 2024
mumbai-airport.png
1min395

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.

MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.

October 5, 2024
stock-down.jpeg
1min262

ભારતીય શેરબજારમાં(Stock Market) First Week October 2024 દરમ્યાન રોકાણકારોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. જેમાં 30 સપ્ટેમ્બરે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આ અઠવાડિયું તેમના માટે નુકશાનકારક સાબિત થશે. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે 4/10/2024 સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલા વિક્રમી ઘટાડા વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 16,26,691.48 કરોડ ઘટીને રૂપિયા 4,60,89,598.54 કરોડ થયું હતું.

સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 4/10/2024 સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.

October 5, 2024
voting.jpg
1min253

હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન, 1031 ઉમેદવારે ચૂંટણી મેદાને, ભાજપની નજર હેટ્રિક પર
હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની 90 બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે.

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.

90 વિધાનસભા બેઠકો પર કુલ 1031 ઉમેદવારો ઊભા છે અને તેમાથી 101 મહિલા છે તો 464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ 20632 બૂથ રાખવામાં આવ્યા છે.

હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.

October 4, 2024
nirav-mandlewala.jpeg
1min317

શ્રી નિરવ માંડલેવાલાને FICCI CMSMEના સુરત ( ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે દક્ષિણ ગુજરાતના MSME ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ના વર્ષ ર૦ર૪–રપના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI CMSME (કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ)ના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે વરણી કરાઇ છે. FICCI – CMSMEના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે શ્રી નિરવ માંડલેવાલાને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના એમએસએમઇ ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.

ડિસેમ્બર ર૦૧૩માં સ્થપાયેલી કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) એ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની એક સંલગ્ન સંસ્થા છે, જે ભારતના ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા તરીકે ઓળખાય છે. આ સંસ્થાનો હેતુ ભારતીય MSMEsને સક્ષમ બનાવવા અને તેમની સ્પર્ધાત્મકતા વિકસાવવા માટેનો છે.

આ સંસ્થા સુક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ કરવાના હેતુથી તેઓને મેન્ટર્સ, ઇન્કયુબેટર્સ અને એકસેલરેટર્સ સાથે જોડવાનું કામ કરે છે. એમએસએમઇઝને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત એમએસએમઇ ક્ષેત્રની કાર્યક્ષમતા પર અસર કરે તેવી નીતિ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને તેઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમજ અન્ય સંબંધિત વિભાગો તથા બેંકોને રજૂઆતો કરવામાં આવે છે.

કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) દ્વારા એમએસએમઇઝને સરકારી યોજનાઓથી તથા ગ્લોબલ ટ્રેન્ડથી માહિતગાર કરવા માટે વિવિધ વર્કશોપ્સ, મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ મિટીંગો કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આ સંસ્થા દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મળીને જાન્યુઆરી ર૦રપમાં ગુજરાત એમએસએમઇ સમિટ– ર૦રપનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

October 3, 2024
amba-1280x1700.jpg
1min325

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે મનાવાશે. અલબત્ત, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાનું આયોજન કરાયું છે.

જે ચેતના, જે ઊર્જા, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેના દ્વારા સઘળી સૃષ્ટિની રચના છે એ શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.

ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન કરવા સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 શુભ, સવારે 11:01થી બપોરે 12:31 ચલ, બપોરે 12:31થી 2:01 લાભ, બપોરે 2:01થી ૩:30 અમૃત, સાંજે 5થી 6:30 શુભ, સાંજે 6:30થી 8 અમૃત જ્યારે રાત્રે 8થી 9:31 વાગ્યે ચલ મુહૂર્ત છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય-સંતતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય-આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા, સુખ-સંપત્તિ -સૌભાગ્ય વગેરે લાભ થાય છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપ દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. રામાયણના યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિના વ્રત કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આમ, પોતાનું શુભ ઈચ્છનારે નવરાત્રિ દરમિયાન વ્રત કરવા જોઇએ. નવરાત્રિમાં ભક્તિ કરવાથી પૂર્વજન્મના દોષ, અપરાધ તેમજ આ જન્મમાં કોઇ દ્વિધા-સંતાપ હોય તે દૂર થાય છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે સાંજે 8 થી 6 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના નોરતાં દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ધુમી શકશે.

નવરાત્રિમાં માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમય

શક્તિપીઠ અંબાજી : આરતી સવારે 7:30થી 8, દર્શન સવારે 8થી 11:30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 13:30થી 4:15, આરતી સાંજે 6:30થી 7, દર્શન સાંજે 7થી 9 વાગ્યા સુધી.

ચોટીલા ચામુંડા માતાજી: પગથીયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારે 5 વાગ્યે આરતી. સાંજની આરતી સૂર્યાસ્તના સમયે.

પાવાગઢ મંદિર : પ્રથમ-આઠમા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલાશે અને રાત્રિના 8 વાગ્યે બંધ થશે. આ સિવાયના નોરતામાં સવારે 5 વાગ્યે દ્વાર ખોલાશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે.

ભદ્રકાળી મંદિર અમદાવાદ: સવારે 6થી રાત્રિના 12 સુધી દર્શન થઈ શકશે. રોજ રાત્રિના 9થી 12 મંદિરના ચોકમાં ગરબાનું પણ થશે.

October 3, 2024
sensex.jpg
1min283


ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે 3/10/24 સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો 500 જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.

શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.

October 3, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min394

યુએઇમાં ગુરુવારે 3/10/24 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ નિમિત્તે આઇસીસીએ પોસ્ટ કરેલી તમામ 10 ટીમની કૅપ્ટનોવાળી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ગુરુવારે પ્રથમ મૅચ બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. બીજી મૅચ સાંજે 7.30 વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મૅચ આવતી કાલે ન્યૂ ઝીલૅન્ડ સામે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મૅચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે જે રવિવારે બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

હરમનપ્રીત કૌર ભારતની અને ફાતિમા સના પાકિસ્તાનની કૅપ્ટન છે.

મહિલાઓની ક્રિકેટમાં ભારતને ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી મળી. જોકે આ વખતે ભારતની મજબૂત ટીમ જોતાં ટાઇટલ મળવાની સંભાવના છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક મુલાકાતમાં કહ્યું છે, ‘એક જ વર્ષમાં જો ભારતને બે મોટા ટાઇટલ મળી જાય તો મજા પડી જાય.’

ભજ્જીનો કહેવાનો અર્થ એ હતો કે જૂનમાં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પણ મળશે તો આ વર્ષ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

આ નવમો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ છે. આઠમાંથી છ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા જીત્યું છે. એક ટાઇટલ ઇંગ્લૅન્ડ અને એક વેસ્ટ ઇન્ડિઝ જીત્યું છે. આ વખતે પણ વિકેટકીપર અલીસા હિલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ બુધવારે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં કોઈ પણ ટીમને એક પણ ભૂલ કરવી ન પરવડે. તેમની સામે દરેક પ્લેયરે બેસ્ટ પર્ફોર્મન્સ જ બતાવવો પડે.’

ભારત-ઑસ્ટ્રેલિયાની લીગ મૅચ રવિવાર, 13મી ઑક્ટોબરે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

October 2, 2024
uceed-2025.png
7min637

હાલમાં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં અભ્યાસ કરતા અને આગામી વર્ષે ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ કોલેજ IIT ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી ગણાય. હા. આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાંચ જુદી જુદી IIT બોમ્બે, હૈદરાબાદ, દિલ્હી, ગૌહાતી, રૂરકીમાં બેચલર ઓફ ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવીને કારકિર્દી બનાવી શકે છે. આ માટે UCEED નામની પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. 2025ના વર્ષ માટેની UCEED પ્રવેશ પરીક્ષા તા.19મી જાન્યુઆરી 2025ના રોજ લેવાશે અને તેના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે જેની માહિતી નીચે મુજબની ફાઇલ પરથી મળી શકશે.

Indian Institute of Technology, Bombay (IIT-B) today started the Undergraduate Common Entrance Exam for Design (UCEED) 2025 registration at its official website— uceed.iitb.ac.in at 1 pm. The examination for UCEED is scheduled for January 19 between 9 am and noon in a single shift.

The last date to register for the UCEED is October 31 with no late fees. The candidate should have been born on or after October 1, 2000, if belonging to the OPEN/EWS/OBC-NCL category and born on or after October 1, 1995, if belonging to the SC, ST or PwD category.

“A candidate should have appeared for the Class 12(or equivalent) examination for the first time in either 2024 OR 2025 to be eligible for attempting UCEED 2025. Students from all streams (science, commerce, and humanities) are eligible. Those who appeared for the first time in their qualifying examination (Class 12) in 2023 or earlier are not eligible to appear in UCEED 2025,” read the information brochure.

A candidate can attempt UCEED for a maximum of two times and those two shall be in consecutive years.  The UCEED score is valid for only one year. Students from all streams are eligible for UCEED. Here are the important dates of the examination:

EventsDates
Registration startsOctober 1 at 1 pm
Deadline with regular application feesOctober 31
Registration with late feesNovember 8
Admit card download optionJanuary 3
Window for modification of admit cardJanuary 9
Exam dateJanuary 19

UCEED 2025: How to apply

Step 1: Visit the official website – uceed.iitb.ac.in and click on the registration link.

Step 2: Designing aspirants are then required to fill in the required information such as name, mobile number and email ID and submit it to get the login credentials on the email address.

Step 3: Using the login credentials, fill in more personal details such as name, parents’ name, contact info, gender, date of birth, academic details, and exam centre and also upload necessary documents in the prescribed format.

tep 4: Pay the UCEED registration fee and submit and take a printout of the submitted UCEED application form 2025 for future reference.

UCEED 2025: What next?

Once the examination is conducted, here is when provisional answer keys, final key and cut off will be announced.

EventsDates
Provisional answer key with candidates’ responseJanuary 21
Last date to raise objectionsJanuary 23
Final answer keyJanuary 29
Cut off marks for part AFebruary 6
Declaration of resultsMarch 7
Scorecard downloading startsMarch 10
Scorecard downloading endsJune 11

IIT Bombay conducts the exam under the guidance of the UCEED-CEED Implementation Committee 2024 (hereafter referred to as the UCI Committee). The examination verifies admissions for the degree of Bachelor of Design (B.Des) into the IITs of 27 cities in India.

UCEED 2025 is open to all nationals (Indian/Foreign). Candidates seeking admission to the

  • Bachelor’s Degree programme in Design (BDes) at
  • Indian Institute of Technology Bombay (IITB),
  • Indian Institute of Technology Delhi (IITD),
  • Indian Institute of Technology Guwahati (IITG),
  • Indian Institute of Technology Hyderabad (IITH),
  • Indian Institute of Technology Roorkee (IITR) and
  • Indian Institute of Information Technology Design and Manufacturing Jabalpur (IIITDMJ), must appear for the exam.
October 2, 2024
supreme.jpg
1min348

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય.

સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.

બુલડોઝર એક્શન સામે અનેક અરજીઓ થઇ છે અગાઉ સુપ્રીમે બુલડોઝર ન્યાય પર રોક લગાવી હતી, સુપ્રીમના આ આદેશને લઇને મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશની અજાણતા કોઇ ચોક્કસ સમાજ પર અસર થઇ શકે છે. જેનાથી એક ચર્ચાને વેગ મળશે. જે બાદ સુપ્રીમે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, અમારો આદેશ તમામ ધર્મ કે સમાજના લોકો માટે સમાન રીતે લાગુ પડશે. અમે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ જાહેર સ્થળે અવરોધ ઉભા કરતા ધાર્મિક સ્થળોને હટાવવા સામે અમે કોઇ જ આદેશ નથી આપ્યો. રોડ વચ્ચે કોઇ પણ ધાર્મિક સ્થળ હોય તો તે લોકો માટે અવરોધ ઉભો કરનારા ના હોવા જોઇએ. અમે આવા અવરોધક બાંધકામોને હટાવવા માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બુલડોઝર એક્શન પર જે વચગાળાની રોક લગાવી હતી તેને યથાવત રાખીને ચુકાદાને અનામત રાખ્યો હતો.