CIA ALERT

Blog - Page 650 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 24, 2018
china-1.jpg
1min4140

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરમાં હવે વધુ સંઘર્ષ ન થાય એ માટેની વાટાઘાટો ચાલુ છે ત્યારે અમેરિકાએ ચીન દ્વારા પોતાની ટૅક્નોલોજીની બેફામ ચોરી થઈ રહી હોવાનું જણાવીને ચાઇનીઝ માલ પર બીજા ૧૬ અબજ ડૉલરની આયાત ડ્યૂટી લાદી છે.

ચીને એવું જણાવ્યું છે કે અમેરિકાએ હાર્લી મોટર સાઇકલો, બૉનબોન તથા ઑરેન્જ જ્યૂસ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટોને ટાર્ગેટ કરીને તોતિંગ ડ્યૂટી લાદી છે. અમે એટલી જ સંખ્યાની અમેરિકી પ્રોડક્ટો પર ડ્યૂટી લાદીને તાત્કાલિક વળતો જવાબ આપીશું. વિશ્ર્વના આ બે મોટા રાષ્ટ્રો વ્યાપક અસર પાડનારી ટ્રેડ-વૉર અંગે પહેલીવાર મંત્રણા યોજી રહ્યા છે ત્યારે અમેરિકાએ આ ધડાકો કર્યો છે. ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા આક્રમક વ્યાપારી પગલાં લીધા છે, પરંતુ અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનરો આક્રમકતાપૂર્વક તેનો વિરોધ દર્શાવીને પ્રત્યારોપ કર્યા છે. તેમના મત મુજબ આ પગલું અમેરિકી ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકોને માટે નુકસાનકર્તા છે. અમેરિકાના બિઝનેસ હાઉસો ઉત્પાદકો માટે ભાવ વધારનારી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા ટેરિફ વિશે ખૂબ ચિંતિત છે. હજી બીજા ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ માલ-સામાન પર નવી ડ્યૂટીની સંભાવના છે જે વિશે આ અઠવાડિયે જાહેર સુનાવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે તમામ ઑટો આયાત પર ૨૫ ટકાના ટૅક્સનું સૂચન કર્યું છે.

August 23, 2018
cbse1.jpg
1min13020

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2020 થી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની પ્રશ્નપત્ર પેટર્ન બદલવાની યોજના ધરાવે છે, જેમાં સુધારણાના ભાગરૂપે વ્યાવસાયિક વિષયના પરીક્ષણો ફેબ્રુઆરીમાં અને શક્ય એટલી ઝડપથી તેના પરિણામ જાહેર કરવાની બાબતો પ્રાથમિકતા પર છે.

 

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી પરીક્ષા પદ્ધતિ કહો કે પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ક્ષમતાઓ (એનાલિટીકલ) પરીક્ષણ કરશે અને ગોખણપટ્ટી કરીને માર્ક લાવવાની બાબત પર બ્રેક લગાડશે.

સેન્ટ્રલ બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્નોમાં સમસ્યા હલ કરવાની બાબત (પ્રોબ્લેમ સોલ્વિંગ) પર પ્રાથમિકતા હશે. 1 થી 5 માર્ક સુધીના ટૂંકા જવાબો ધરાવતા સવાલો વધુ પ્રમાણમાં પ્રશ્નપત્રમાં સામેલ કરવામાં આવશે. તણાવજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્વયં નિર્ણાયક વિચાર કરી શકે અને પોતાની ક્ષમતા આધારે જવાબ આપી શકે તેવા પ્રશ્નો સામેલ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની સમજશક્તિ અનુસાર પ્રશ્નોના જવાબો આપે નહીં કે ગોખણપટ્ટી કરીને પૂરેપૂરા માર્કસ મેળવે એ પ્રકારનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ 2020થી પ્રશ્નોના પેટર્નમાં ફેરફારો કરવાની યોજના પર હાલ કામગીરી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ માર્ચ માસમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા તેમજ મૂલ્યાંકન માટે વધુ સમય આપવા અને પરિણામોને શક્ય એટલા વહેલા જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડના બે ભાગમાં પરીક્ષાઓ – વ્યવસાયિક અને બિન-વ્યાપારી વિષયોને સુનિશ્ચિત કરવાની સંભાવના છે. “વ્યાવસાયિક વિષયો માટેની પરીક્ષાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે, ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવી શકે છે જેથી અન્ય વિષયો માટેની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લગભગ 15 દિવસમાં પૂર્ણ થઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

સીબીએસઈ તેના પેટા-નિયમોને બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે જે શાળાઓ માટે જોડાણના નિયમો પર અસર કરશે. સૂચિત બાયલો શાળાઓના શૈક્ષણિક ગુણવત્તા પર વધુ ભાર મૂકે છે, જેમ કે શિક્ષકોની ગુણવત્તા, શિક્ષણના પરિણામો અને શિક્ષણ શાસ્ત્ર. બોર્ડ શાળાના ભૌતિક માળખાકીય નિરીક્ષણનું સંચાલન કરશે નહીં, જેના માટે તે શાળાઓના માન્યતા આપતા સંબંધિત રાજ્યના શિક્ષણ / શાળા શિક્ષણ વિભાગોના ડિરેક્ટોરેટના અહેવાલો પર આધારિત હશે.

 

 

 

August 23, 2018
vasundhra_750_1534868510_618x347.jpeg
1min5510
રાજસ્થાનમાં હાલ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા કાઢવામાં આવી રહેલી ગૌરવ યાત્રામાં લખલૂંટ અને બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા સંદર્ભે રાજસ્થાન હાઈકોર્ટમાં એક રીટ પીટીશન થઇ છે. જેમાં અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, વસુંધરા રાજેની યાત્રામાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને રાજસ્થાન હાઈકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ મંડળ લાલ સૈનીને પાર્ટી તરફથી કરાયેલી ખર્ચ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો.
ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ૪ ઓગષ્ટથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલી ગૌરવ યાત્રા માટે રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની વિગતો સાંપટી છે. પ્રથમ તબક્કાની ગૌરવયાત્રામાં ઉદયપુર-મેવાડ ક્ષેત્રની ૨૩ વિધાનસભા બેઠકમાં પ્રચાર કર્યો હતો. ગોરવયાત્રામાં વસુંધરા રાજેના રથના બ્રાંડિગ માટે ૧.૭૫ લાખ ખર્ચ્યા, ઇંધણના રૂ. ૧.૪૦ લાખ  તેમજ  અન્ય પરચૂરણ ખર્ચ્યા હતાં. જોકે, મીડિયા અહેવાલ અનુસાર ભાજપે ગૌરવ યાત્રા માટે ૧.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ૪૧.૩૦ લાખ રૂપિયા ટેન્ટ હાઉસ, ૩૮.૯૮ લાખ રૂપિયા પબ્લિસિટી, જેમાં બેનર્સ અને કટઆઉટ સામેલ છે અને ૨૫.૯૯ લાખ રૂપિયા જાહેરાતનો ખર્ચ થયો. ભાજપા પ્રદેશ એકમે જણાવ્યું કે, ૧૬ હજાર રુપિયા પેન ડ્રાઈવ માટે ખર્ચવામાં આવ્યા, એનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા દરમિયાન ગીત વગાડવા માટે થયો.
જ્યારે, ૩,૫૦,૦૦૦નો ખર્ચ ગીત કમ્પોઝ કરવા માટે થયો. માસ્ક માટે ૨૦ હજાર અને ભગવા-લીલા રંગના મફલર માટે ૬૩ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પાર્ટીએ સ્ટીકલ માટે ૨૬ હજાર, ઝંડા માટે ૧.૧૭ લાખ રૂપિયા સહિતનો ખર્ચ કર્યો હતો. ભાજપે હાઈકોર્ટમાં સોગંધનામું કરીને કહ્યું કે, ગૌરવયાત્રાનો ખર્ચ પાર્ટી એકમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
August 23, 2018
bandhan.jpg
1min12390

લિસ્ટિંગના પાંચ મહિનામાં બંધન બેન્કનો શેર ₹375ના ઓફર ભાવથી 87 ટકા ઊછળ્યો છે. તેનું માર્કેટ-કેપ યસ બેન્કની નજીક આવ્યું છે. બંધન બેન્ક કરતાં યસ બેન્કની લોન બૂક છ ગણી મોટી અને કુલ આવક સાડા ચાર ગણી વધુ છે. શેરમાં તીવ્ર ઉછાળાથી પ્રાઇસ ટુ બૂક (P/B)ના સંદર્ભમાં ટોચની 10 બેન્કોમાં બંધન બેન્ક સૌથી મોંઘો બેન્ક શેર બન્યો છે.

તા.17મી ઓગસ્ટે બંધન બેંકનો શેર ₹703.20એ બંધ આવ્યો હતો અને માર્કેટ-કેપ ₹83,878 કરોડ હતું, જેનાથી તે દેશની આઠમા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. સાતમા ક્રમની સૌથી મોટી બેન્ક યસ બેન્કનું માર્કેટ-કેપ ₹90,628 કરોડ હતું. બંધન બેન્કનો શેર 8.9ના P/B રેશિયોએ ટ્રેડ થાય છે. ટોચની દસ ખાનગી બેન્કોનો P/B રેશિયો 2.5થી 5.1ની રેન્જમાં છે, જ્યારે સરકારી બેન્કનો 0.9થી 1.4 છે. માર્કેટ-કેપના સંદર્ભમાં HDFC બેન્કનો P/B રેશિયો 5.1 છે.

બંધનનું પ્રીમિયમ વેલ્યુએશન તેના ઊંચા રિટર્ન રેશિયો અને વધુ સારી એસેટ ક્વોલિટીનું પ્રતિબિંબ પાડે છે. FY18માં તેનું રિટર્ન ઓન એસેટ (RoA) 4 ટકાના સ્તરે સૌથી ઊંચું હતું. ટોચની દસ બેન્કોનું RoA બે ટકાથી નીચું છે. બંધનની કુલ એનપીએ 1.25 ટકા હતી, જે સૌથી નીચી છે.

FY18માં બંધનની કુલ આવક ₹5,508 કરોડ અને કુલ ધિરાણ ₹32,339 કરોડ હતું. આ બંને માપદંડમાં તે આ યાદીની સૌથી નાની બેન્ક છે. એનાલિસ્ટ્સ બંધનના શેર માટે હકારાત્મક વલણ ધરાવે છે. બ્લૂમબર્ગનું સરેરાશ રેટિંગ દર્શાવે છે કે છમાંથી પાંચ એનાલિસ્ટ્સે બાય રેટિંગ આપેલું છે અને એકે હોલ્ડ રેટિંગ આપેલું છે.

August 23, 2018
tc1.jpg
1min5820

સોશિયલ મીડિયા દ્વારા તિરંગા ચેલેન્જમાં ભાગ લેનાર દેશભરના ઉત્સાહી 55 યુવાન સામાજિક કાર્યકર્તાઓને નોબલ એશિયન ઓફ ઘી યરપુરસ્કારથી સમ્માનવામાં આવ્યા

 

 

સુરત, તા. 17 – દેશભરના સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ફેસબૂક પર ‘તિરંગા ચેલેન્જ’ નામની ડિજિટલ ફ્રેમ હાલ ઓગસ્ટ મહિનામાં ખુબ જ વાયરલ થઈ છે. આ ફ્રેમ દ્વારા એક અવનવો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કે ઓગસ્ટ મહિનામાં એક છોડ વાવો અને અન્ય ત્રણ મિત્રોને છોડ વાવવા માટે ચેલેન્જ પડકારો. સુરતથી શરુ થયેલી આ મુહિમ જોતજોતામાં આખા ભારતમાં પ્રસરી ગઈ અને લોકોમાં છોડ વાવી અન્ય ત્રણ મિત્રોને ચેલેન્જ કરવાની જાણે હોડ લાગી ગઈ.

તિરંગા ચેલેન્જ દ્વારા દેશના ખૂણે-ખૂણાથી લોકો જોડાયા જેમાં વિવિધ બ્યુટી પેજન્ટ્સ જીતનાર મોડેલ્સ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ તેમજ ડોક્ટરો પણ શામેલ છે. આ તમામ લોકો જેઓએ આ ડિજિટલ ફ્રેમનો ફેસબૂક પર ઉપયોગ કરી પોતપોતાના શહેરમાં હરિયાળી ક્રાંતિ માટે વિશેષ કામ કર્યું તેઓને 15મી ઓગસ્ટે સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે બોલાવી ‘નોબલ એશિયન ઓફ ઘી યર’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત સહિત લગભગ 29 શહેરના લોકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓએ આ ‘ગો ગ્રીન’ મુહિમને હજી વધુ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં શહેરના મેયર જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ કોર્પોરેટર રૂપલબેન  શાહે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા પર ‘તિરંગા ચેલેન્જ’ની ડિજિટલ ફ્રેમ બનાવનાર ડો. વિમલ રાઠી અને અવેરનેસ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવીણભાઈ વોરાએ જણાવ્યું હતું કે ફ્રેમની સફળતાથી તેઓ ખુશ છે પણ એનાથી વિશેષ આ ફ્રેમના કારણે દેશના વિવિધ શહેરોમાં વૃક્ષારોપણ થઇ રહ્યું છે તેનાથી તેઓને વધુ આનંદ છે.

 

 

 

 

August 23, 2018
socialmedia1-900px.jpg
1min6180

Jayesh Brahmbhatt   98253 44944

સોશ્યલ મિડીયા પર પોસ્ટિંગ અંગે કોઇ ધારોધોરણો તો ઠીક પણ નીતિ-નિયમો ન હોવાથી કેટલાક લોકો તેને બેફામ દૂરુપયોગ કરીને લોકોને રંજાડી તો રહ્યા છે પરંતુ, તેની સાથોસાથ અફવાઓ ફેલાવીને સામૂહિક હિંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોઇ, ભારત સરકારે આગામી સપ્ટેમ્બર માસથી લાગુ થાય તે રીતે સોશ્યલ મિડીયા પર કાનુની લગામ કસવાની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે. ભારતના કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં નવી ગાઇડલાઇન્સ દાખલ કરશે. ગાઇડલાઇન્સની રૂપરેખા તૈયાર છે અને તેની જવાબદારી કાનૂની ફર્મને સોંપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં રહેલી એક અત્યંત મહત્વની જોગવાઇએ છે કે ફેસબુક કે વ્હોટ્સ એપ પર ખોટા સમાચારો, ઉત્તેજક સમાચારો, અફવાઓ, નિંદા કરતી પોસ્ટ્સ વગેરે મોકલનારના મૂળ સુધી કંપનીઓએ પહોંચવું પડશે એટલું જ નહીં પણ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે. વાંધાનજક પોસ્ટ માટે સ્થાનિક સ્તરે ફરીયાદ થઇ શકે તે માટે સક્ષમ અધિકારીની નિમણૂંક કરવી પડશે

કેન્દ્ર સરકારની ગતિવિધિઓ જોતા એવું જણાય આવે છે કે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને વ્હોટ્સ એપ સંબંધી માર્ગરેખાનું નોટિફિકેશન કલમ 79 હેઠળ આવશે. વોટ્સએપના પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે થયેલી હિંસા સામે પગલાં લેવા વોટ્સએપને કરેલી તાકીદ સામે મેસેજિંગ કંપનીના નબળા પ્રતિસાદ પછી સરકારે કાયદો કડક બનાવવાની કવાયત હાથ ધરી છે.

સંભવતઃ સપ્ટેમ્બર 2018થી દાખલ થઇ શકે નિમ્નલિખિત જોગવાઇઓ

(1) બોગસ, ખોટો, ઉત્તેજક મેસેજ ફેલાવનારા સુધી પહોંચવું પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(2) અફવાઓ ફેલાવનારા, ખોટા મેસેજ કરનારા સુધી પહોંચ્યા પછી તેમની સામે ફોજદારી દાખલ કરવી પડશે

(3) સ્થાનિક રાષ્ટ્રીય સ્તરે ફરીયાદ અધિકારીઓની નિમણૂંક કરવી પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(4) વાંધાજનક કન્ટેન્ટ ચોક્કસ સમય મર્યાદામાં દૂર કરવું પડશે કંપનીઓએ

સૂચિત સોશ્યલ મિડીયા રેગ્યુલેશન્સ ગાઇડલાન્સમાં ગ્લોબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં ફરિયાદ અધિકારી નીમવાનું ફરજિયાત બનશે. તેણે ફરિયાદના ગણતરીના કલાકોમાં પ્રતિસાદ આપવો પડશે અને કન્ટેન્ટ માટે જવાબદાર વ્યક્તિ કે ગ્રૂપને પકડવાની જવાબદારી પણ તેની રહેશે. IT એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ 2011માં નોટિફાય કરવામાં આવી હતી.

કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા 36 કલાકનો સમય આપવાની જોગવાઈ છે. ઉપરાંત, કંપનીએ તેની વેબસાઇટ પર ફરિયાદ અધિકારીનું નામ લખવું પણ જરૂરી છે. જોકે, આ માર્ગરેખાનો કડક અમલ થયો ન હતો.

ઇન્ટરનેટ ફર્મ્સ ગૂગલ અને વોટ્સએપની માલિક ફેસબૂક ઇન્ટરમીડિયરીઝની કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ સંદેશની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ માહિતીના સર્જન કે ફેરફારમાં સક્રિય ભૂમિકા ભજવતી નથી. હવે અમારે IT એક્ટની કલમ 79 હેઠળ માર્ગરેખા જાહેર કરવાની છે. ત્યાર પછી અમે વોટ્સએપ (કે અન્ય ઇન્ટરનેટ કંપની)ને કાયદાનું પાલન નહીં કરવા બદલ જવાબદાર ઠેરવી શકીએ. કાયદો અમને કડક પગલાંના અમલમાં મદદ કરશે. અત્યારે કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી મેસેજનું મૂળ શોધી શકાતું નથી.

August 22, 2018
narmada.jpg
1min5950

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે.

ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

August 22, 2018
16_nurese.png
1min5370

એક સાથે 16-16 પરિચારીકાઓ મેટરનિટી લિવ પર

હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર અને સંભાળ માટે નર્સો પર મોટી જવાબદારી હોય છે પણ અમેરિકાની એક હોસ્પિટલ નર્સોના કારણે એક મોટી સમસ્યામાં સપડાઇ ગઇ છે. અમેરિકાના અરિઝોનાના મીસામાં સ્થિત ડિઝર્ટ મેડિકલ સેન્ટરના આઈસીયુમાં ફરજ બજાવતી ૧૬ નર્સો એકસાથે ગર્ભવતી થઈ છે.

આ ઘટનાની જાણકારી અનુસાર હોસ્પિટલના આઈસીયુમાં કામ કરતી તમામ નર્સો એક સાથે ગર્ભવતી થઈ છે. હોસ્પિટલ તંત્રને આ ઘટનાનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે એક એક કરીને તમામ નર્સ ગર્ભવતી મહિલાઓ માટે બનાવવામાં આવેલી ફેસબુક ચેટમાં સામેલ થઈ હતી.

આ અંગેના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિઝોનાના મીસામાં સ્થિત ડિઝર્ટ મેડિકલ સેન્ટરના આઈસીયુમાં ૧૬ નર્સો કામ કરે છે.  આ તમામ નર્સો હોસ્પિટલ માટે એક કોયડો બની ચૂકી છે. કેમકે ડોક્ટરોનું અનુમાન છે કે આ તમામ નર્સો ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે માતા બની જશે. થોડા જ દિવસોમાં આ તમામ નર્સો ૧૨ સપ્તાહની મેટરનિટી લિવ પર જતી રહેશે.

August 22, 2018
Bhumi-Pednekar-at-the-brand-launch-of-Raisin.jpg
1min7320

સુરત : ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં અગ્રણી હોવાની સાથે વિવિધ દેશોમાં ઉચ્ચ ગુણવત્તાસભર ફેબ્રિક્સ અને ડિઝાઇનર મહિલા વસ્ત્રોની નિકાસ માટે જાણીતું નામ પાર્વતી ફેબ્રિક્સ લિમિટેડ હવે પોતાની બ્રાન્ડ રાઈસીન સાથે રિટેલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર રાઈસીનને રજૂ કરી હતી.

પાર્વતી ફેબ્રિક્સનો આ રજૂઆત પાછળનો હેતુ પ્રવાતને સાથે રાખી વસ્ત્રોની રેન્જનું સર્જન કરવાનો છે કે જે આધુનિક સ્ત્રીના સફળતાપૂર્વક પ્રતિબિમ કરે છે હેતુને ધ્યાનમાં રાખી તેઓનું મહત્વપૂર્ણ લક્ષ્ય ગ્રાહકને ઉત્પાદક સાથે સાંકળવાની તક આપવાનો છે ત્યારે રાઈસીનએ સંસ્કૃતિક અને આધુનિક પ્રભાવના યોગ્ય મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે રાઈસીનના દ્રષ્ટિકોણ પૈકી એક બ્રાન્ડના રૂમમાં પોતાને સ્થાપિત કરવાનો  પણ છે જે આધુનિક મહિલાઓને કન્ટેમ્પરરી ફ્યુઝન વસ્ત્રો પ્રદાન કરવાનો છે કે જે ન માત્ર વિશેષ રીતે આરામદાયક હોય પણ સ્ટાઇલિશ પણ હોય વસ્ત્રોની શ્રેણીયો વિવિધ સ્ટાઈલમાં આવે છે જેમાં ફેન્સીસ કુરતા, ટુનિક્સ અને અન્યનો સમાવેશ થાય છે ત્યારે આ બધું જ રાઈસીનને આજની મહિલાઓ માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે.

 

આ અંગે રાઈસીનના કો-ફાઉન્ડર્સ અને પાર્વતી લિયના મેનેજિંગ ડિરેક્ટર્સ વિકાસ અને વિશાલ પચેરીવાલે જણાવ્યું હતું કે અમારું વિઝન દાયકાઓ સુધી જળવાઈ રહે તથા આજની આધુનિક મહિલાઓ માટે આરામદાયક ફેશન પ્રદાન કરવા માટે જાણીતી હોય તેવી બ્રાન્ડના નિર્માણ કર્યું હતું આજે જ્યારેનવીનતમ ફેશન સુધી ગ્રાહકો ઓનલાઈન પહોંચ બનાવી શકે છે ત્યારે અમે ગ્રાહકોને ભૌતિક રૂપે ઓનલાઇન પ્રવાહ જોવાનું તક આપી રહ્યા છે જેમ કે મોટાભાગની બ્રાન્ડ માત્ર MOBS અને EBOS માધ્યમો દ્વારા જ ઉપલબ્ધ છે. સમગ્ર કલેક્શન રાઈસીનની સજાવટ ઈ-કોમર્સ વેબસાઈટ, એમેઝોન, જબૉન્ગ, મિન્ત્રા અને  અજજો પર ઉપલબ્ધ રહેશે. હાલ પ્રથમ તબક્કામાં આ વસ્ત્રો શ્રેણીને અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, સુરત, લખનઉ, ચંદીગઢ, રાજકોટ, ગાઝીયાબાદ, મેરૂત, મુજ્જફરનગર, મુરાદાબાદ, દહેરાદુન, સહારનપુર, આણંદ, નડિયાદ, ગુરુગામ, જલંધર, લુધિયાના અને જમ્મુમાં રજૂ કરવામાં આવી છે.

-x-x-x-x-

 

 

August 22, 2018
bn2-1280x853.jpg
1min8650

Jayesh Brahmbhatt   98253 44944

ઓગસ્ટ, 2018 : મુંબઈની હોટલ સહારા સ્ટાર ખાતે યોજાયેલી બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં ભારતના 65થી વધુ શહેરોના બીએનઆઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, રિજનલ ડિરેક્ટર્સ, ડિરેક્ટર કન્સલ્ટન્ટ્સ અને લીડરશીપ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોના પણ નેશનલ ડિરેક્ટર્સે આ ભવ્ય કોન્ફરન્સમાં હાજર રહીને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 

 

 

 

 

બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં 6નેશનલ રેકગ્નિશન્સમાંથી બીએનઆઇ સુરતે નીચે મૂજબની ચાર કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યાં છે.

(1) ટોપ પર્ફોર્મિંગ રિજન ટુ સ્કોર 100પોઇન્ટ્સ ઇન લાસ્ટ 12મંથ્સ,

(2)હાઇએસ્ટ વર્લ્ડ એવરેજ ચેપ્ટર સાઇઝ,

(3) ટોપ પર્ફોર્મિંગ રિજન એઝ પર 3+1 ટ્રાફિક લાઇટ્સ અને

(4)હાઇએસ્ટ રિટેન્શન.

ઉલ્લેખનીય છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં અત્યંત ઝડપી પ્રગતિ સાધીને 14ચેપ્ટર્સમાં 1,000થી વધુ સભ્યોને જોડ્યાં છે તથા તેણે બીએનઆઇમાં વિશ્વભરમાં અત્યાર સુધીના સૌથી ઝડપે વૃદ્ધિ સાધતા રિજનનું ટાઇટલ પણ મેળવ્યું છે.

આની સાથે-સાથે બીએનઆઇ સુરતે 5રિજનલ એવોર્ડ્સ પણ મેળવ્યાં છે. હવે બીએનઆઇ સુરતે પોતાના સભ્યોને કારોબારમાં વિસ્તાર કરવામાં મદદરૂપ બનવા માટે એક્ઝિમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી મહત્વપૂર્ણ પહેલ કરી છે.

-x-x-x-