CIA ALERT

Blog - Page 647 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 28, 2018
hazareanna-1280x720.jpg
1min5700

અનેક રાજ્ય અને કેન્દ્ર સરકારોને પોતાના આંદોલનથી ધ્રુજાવી મૂકનાર અણ્ણા હજારે ફરીથી લાઇમલાઇટમાં આવ્યા છે. હવે તેમણે મોદી સરકાર સામે તા.2 ઓક્ટોબર 2018થી અહિંસક ચળવળ કરવાનું એલાન કર્યું છે અને તેમની યોજના મુજબ કોઇ એક સ્થળે નહીં પણ સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં આ ચળવળની અસર જોવા મળશે.

પ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી ગાંધી જયંતી તા.2 ઓક્ટોબર 2018થી આંદોલન શરૂ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાળેગણ સિદ્ધિથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માગતા હોય તેઓ રાળેગણ સિદ્ધિ ન આવે પરંતુ પોતાના ગામ, જિલ્લા, તહસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે.

અણ્ણાનું મોદી સરકાર વિરુદ્ધ આ આંદોલન સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા, ખેડૂતોને તેમના ઉત્પાદનથી દોઢ ગણા બજારભાવ આપવા, વરિષ્ઠ ખેડૂતોને પેન્શન આપવા અને કેન્દ્રમાં લોકપાલ પર અને રાજ્યમાં લોકાયુક્ત નિયુક્ત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવાની માગ સાથે શરૂ થવા જઇ રહ્યું છે. અણ્ણાએ કહ્યું હતું કે આ માગો અંગે તેઓ અનેક વખત વડા પ્રધાનને પત્ર લખી ચૂક્યા છે પણ તેમની માગોને લઇને મોદી સરકારનો રવૈયો સકારાત્મક નથી દેખાઇ રહ્યો, એટલે તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.

August 28, 2018
money-laundering-1280x1024.jpg
1min7240

Jayesh Brahmbhatt   98253 44944

સુરત સહિત મુંબઇના કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ દુબઇ અને હોંગકોંગ જેવા કેટલાક અન્ય દેશોમાંથી અત્યંત ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરીને ભારતીય નાણું મોટા પ્રમાણમાં વિદેશ ભેગું કર્યું હોવાની મળેલી વિગતોના આધાર પર ડીઆરઆઇ તેમજ અન્ય ભારતીય એજન્સીઓએ આ પ્રકારે મની લોન્ડરીંગ કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે મિશન હાથ ધર્યું હોવાની વિગતો જાણવા મળી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રીતે 5,000 કરોડથી વધારે નાણાંનું લોન્ડરિંગ કરાયું હોવાની માહિતીથી ખુદ નાણાં મંત્રાલય પણ ચોંકી ઉઠ્યું છે. ભારતીય ચલણના આંતર રાષ્ટ્રીય સ્તરે થઇ રહેલા અવમૂલ્યન પાછળ રહેલા કારણો પૈકી આ પ્રકારે થતું મની લોન્ડરીંગ પણ એક મજબૂત કારણ બનીને સામે આવ્યું છે.

એન્ટિ સ્મગલિંગ એજન્સી ડીઆરઆઇએ 10 જુલાઈ 2018 ના રોજ બીડીબીના 14 કન્સાઇનમેન્ટ પકડ્યાં હતાં. છૂપી બાતમીના આધારે પકડાયેલા આ કન્સાઇનમેન્ટને મુંબઈ અને સુરત સ્થિત ટ્રેડર્સે હોંગકોંગથી આયાત કર્યા હતા. તેના વાસ્તવિક મૂલ્ય કરતાં 100થી 150 ગણું વધારે મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું. તેનું વાસ્તવિક મૂલ્ય ₹એક કરોડ હતું જ્યારે દર્શાવવામાં આવેલું મૂલ્ય ₹156.28 કરોડ હતું. ત્રણ વેલ્યુઅર્સને હાલમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને સેસન્સ કોર્ટે તેની જામીન અરજી પણ તાજેતરમાં ફગાવી દીધી હતી. 14 કન્સાઇનમેન્ટ પકડાયા પછી ડીઆરઆઇએ અન્ય શકમંદ ઇમ્પોર્ટેડ કન્સાઇનમેન્ટ અંગે પણ તપાસ શરૂ કરી છે. આયાત કરનારી કંપનીઓના વડાઓને કથિત હવાલા પાર પાડવા માટે ચાર ટકા સુધી કમિશન ચૂકવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

તાજેતરમાં મુંબઇ સ્થિત ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)ને લગતા એક મની લોન્ડરિંગ કૌભાંડની તપાસ દરમિયાન ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને રફ ડાયમંડની આયાતમાં મોટા કૌભાંડના પુરાવા મળ્યા છે. સાતથી આઠ કંપનીઓ સાથે સંકળાયેલાં બેથી ત્રણ જૂથ આ કૌભાંડમાં સામેલ છે તેવું પ્રથમદર્શી રીતે જણાય આવે છે.

સુરત સમેત મુંબઇની કેટલીક કંપનીઓએ અત્યંત ઊંચા ભાવ દર્શાવીને રફ હીરાની ખરીદી કરી હતી અને આ રીતે વિદેશમાં કાળું નાણું મોકલ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ આયાત મુખ્યત્વે હોંગકોંગ અને દુબઈથી કરવામાં આવી હતી.

જાણકારોના મત મુજબ ડીઆરઆઇના કહેવાથી કસ્ટમ્સે એક રફ હીરાનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું જેમાં જાણવા મળ્યું કે ત્રણથી ચાર કરોડના અસલ મૂલ્યના હીરાને કેટલાક જૂથ 100 કરોડની ડિક્લેર્ડ વેલ્યૂ પર આયાત કરતા હતા. ડીઆરઆઇએ આ જૂથની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તે કોઈનું મહોરું હોય તેમ લાગે છે. જૂથના બીજા સભ્યો ફરાર છે.

ડીઆરઆઇએ તેની તપાસ વિસ્તારી છે અને કથિત મની લોન્ડરિંગમાં સંકળાયેલા ભેજાબાજ ઉદ્યોગપતિઓના ચહેરા પરનો નકાબ ચિરવાના પ્રયાસો હાથ ધર્યા છે. બહુ આસાનીથી ડીઆરઆઇ ટૂંક જ સમયમાં આવા ઉદ્યોગપતિઓને ઓળખી કાઢશે કેમકે બેન્ક સ્ટેટમેન્ટ અને ફરાર પાર્ટીઓ વચ્ચે થયેલા બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે આસાનીથી કૌભાંડકારી ઉદ્યોગપતિઓ ઓળખાય જશે.0 શકશે. તેના મતે આ કૌભાંડમાં મોટા પાયે ફંડ લેયરિંગ થયું છે અને ગેરકાયદે મેળવાયેલાં નાણાંને સગેવગે કરવાનો પ્રયાસ છે.

ડાયમંડમાં કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં થાય છે. જ્યારે રફ ડાયમંડની આયાત અને પોલિશ્ડ સ્ટોનની નિકાસ ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)થી થાય છે.

August 28, 2018
sharad.jpeg
1min9670

એનસીપીના ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જો મહાગઠબંધન થશે તો જે પક્ષ વધારે બેઠકો જીતશે, તે વડા પ્રધાનપદનો હકદાર બનશે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે મહત્ત્વાકાંક્ષી નથી. એક વાર ચૂંટણી જીત્યા બાદ સાથે બેસી વડા પ્રધાનપદ અંગે ચર્ચા કરી શકાય, પરંતુ પહેલા ભાજપને સત્તા પરથી ફેંકવાની ઈચ્છા છે. પક્ષના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે ૨૦૦૪ની ચૂંટણીમાં યુપીએએ એનડીએને હરાવી હતી. હું દરેક રાજ્યમાં જવાની કોશિશ કરીશ અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોને સાથે જોડાવા જણાવીશ.

પવારે સનાતન સંસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ખોટા માર્ગે જઈ કામ કરતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે બુદ્ધિજીવીઓની હત્યા થઈ હતી તે ધર્મ નિરપેક્ષતા પરનો હુમલો હતો.

August 28, 2018
narmada.jpg
1min4570

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ

 

રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 275018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 49.41 ટકા જેટલો થાય છે.

 

સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે 119.55 મીટર પર નોંધાઈ હતી.

રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં 25.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો છે ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં 20 ઑગસ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.

August 28, 2018
Indian-Railways-Solar-Train-866x487.jpg
1min6950

લાંબી મુસાફરીનો કંટાળો આવે છે? જરાય ગભરાવાની જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથી લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો છો. મધ્ય અને પશ્ર્ચિમ રેલવે તેની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વૉચીસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ઝોનલ રેલવેને ટિકિટ ઉપરાંત ૧૨૦૦ કરોડ રૂપિયાની ઉપજ કરવાનું કહેવામાં આવતાં ઉપરોક્ત ચીજ વસ્તુઓના સેલથી વાર્ષિક આવકમાં વધારો કરવાનું રેલવે વિચારી રહી છે.

સપ્ટેમ્બરમાં પશ્ર્ચિમ રેલવે વેચાણકર્તાઓના ટેન્ડર ખોલશે અને ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં વેચાણ શરૂ કરવાનું તેમનું લક્ષ્ય છે, જ્યારે મધ્ય રેલવે ઓક્ટોબર મહિનાથી કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન દુરન્તોના એ.સી. કૉચમાં ઓન-બોર્ડ સેલ કરવાનું વિચારે છે.

રેલવેના અધિકારીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે બહારગામની ટ્રેનોમાં ગ્રાહકોની જરૂરિયાતની વસ્તુઓના શોપિંગ પરથી અમને વધુ ખ્યાલ આવશે કે લોકોને શું જોઈએ છે? સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટેન્ડરો આવકાર્ય છે અને સર્વિસ અમે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવાના છીએ. જ્યારે મધ્ય રેલવેમાં ટેન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

વસ્તુઓની ગુણવત્તા પર વિશેેષ ધ્યાન આપવામાં આવશે, અને જો અમને સારો પ્રતિભાવ મળશે તો ગ્રાહકો પ્રીમિયમ કક્ષાની ટ્રેનોમાં આરામથી શોપિંગનો અનુભવ લઈ શકશે. જેવી રીતે ફ્લાઈટમાં શોપિંગ કરી શકો છો એ રીતે હવે ટ્રેનમાં પણ તમે શોપિંગ કરી શકશો.

August 27, 2018
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min13120

વોટ્સએટ્સ દ્વારા તેના વપરાશકર્તાઓને સૂચિત કરવામાં આવે છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન કે જે વ્હોટ્સએપ એપ્લિકેશન પર મેસેજીસ અને મીડિયા ફક્ત બે પક્ષકારો પૂરતા સિમીત રાખે છે પરંતુ, જો વ્હોટ્સ એપ પરના ડેટા Google ના સર્વર્સ પર બૅકઅપ તરીકે સંગ્રહિત કરવામાં આવશે તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની કોઇ ખાતરી વ્હોટ્સએપ આપી શકે નહીં. Google ડ્રાઇવમાં વૉટ્સએટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત નથી.

 

વોટ્સએપ મેનેજમેન્ટે તેની સાઇટ પર અપડેટમાં જણાવ્યું હતું કે 16 મી ઓગસ્ટના રોજ ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તેણે ગૂગલ સાથે કરાર કર્યો છે, જે યુઝર્સને ઇન્ટરનેટ કંપનીના મેગા સ્ટોરેજ ઓફર પર સંદેશા સંગ્રહિત કરવાની પરવાનગી આપે છે. ગૂગલ (Google) ડ્રાઇવ પર જુદા જુદા હેતુઓના ડેટાને ફક્ત 15 જીબી સુધી સંગ્રહિત કરી શકાય છે.

ભૂતકાળમાં (2017) વપરાશકર્તાઓને સમજાવ્યું હતું કે Google ડ્રાઇવ પર સંગ્રહિત મેસેજિંગ એપ્લિકેશનનો ડેટા એનક્રિપ્ટ થયેલ નથી. જો કે, વોટ્સએટ્સના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સત્તાવાળાઓ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત સરકારે એપ્લિકેશન પર મોકલવામાં આવેલા સંદેશાઓની ટ્રેસબિલિટી પ્રદાન કરવા મેસેજિંગ પ્લેટફોર્મ પર ફોન કર્યો છે.

વોટ્સએટ્સએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેના સંદેશાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને તે ટ્રેસબિલિટીની ઓફર કરી શકતું નથી. એક સ્વતંત્ર સુરક્ષા સંશોધક, સાઈ ક્રિષ્ના કોઠાપલ્લીએ જણાવ્યું હતું કે, “એક વોટ્સએટ યુઝર તરીકે, તમારી પાસે ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ લેવાનો વિકલ્પ નથી.” “તેઓ તમને બૅકઅપ લેવાની ફરજ પાડતા નથી. તે એક લક્ષણ છે તેથી, જો તમે Google પર ભરોસો રાખો છો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે ઉમેર્યું હતું કે,” જો કાયદા અમલીકરણ એજન્સીઓ ચોક્કસ વપરાશકર્તા ડેટા માટે Google ને વિનંતી કરે છે, ગૂગલ દ્વારા તમારો ડેટા સરકારી એજન્સીઓને આપી શકાય એમ છે. ”

વૉટ્સએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે, જેનો અર્થ થાય છે કે જે વપરાશકર્તા મોકલે છે તે મેસેજ ફક્ત પ્રાપ્તકર્તા અને મોકલનાર એમ બે વ્યક્તિ દ્વારા વાંચી શકાય છે. કોઇપણ ત્રીજા પક્ષકાર દ્વારા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનમાં કોઇપણ પ્રકારે મેસેજિસ કે ઇમેજીસ ટ્રેસ કરી શકાતા નથી.

 

August 27, 2018
hom-1280x720.jpg
1min10120

Jayesh Brahmbhatt  98253 44944

ગુજરાત સરકારની મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટેની કમિટીએ હાલમાં પેરામેડીકલ કોર્સમાં હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને ચોઇશ ફિલિંગ માટે કોલેજોની જે યાદી ફાળવવામાં આવી છે તેમાં 60 ટકા કોલેજો તો નોટ પરમિટેડ સ્ટેટસ એટલે કે તેમને શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષ માટે કોલેજ ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.

ખુદ પ્રવેશ સમિતિ જો આવી નોટ પરમિટેડ કોલેજોને પ્રવેશ યાદીમાં મૂકે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું સમજવું. અહીં નીચે દર્શાવેલી હોમિયોપેથી કોલેજોની યાદી જોઇએ તો રાજ્યમાં હોમિયોપેથીની કુલ 33 કોલેજ છે, પ્રવેશ સમિતિની સત્તાવાર માહિતી એવું કહે છે કે કુલ 33 હોમિયોપેથી કોલેજોમાંથી ફક્ત 11 હોમિયોપેથી કોલેજો જ ચાલુ વર્ષ માટે સક્ષમ સત્તામંડળની પરવાનગી ધરાવે છે, બાકીની કોલેજોને હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.

દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે. હોમિયોપેથી કાઉન્સિલ દ્વારા ખૂબ મોડા એટલે કે દિવાળીના તહેવારો પછી પણ પરવાનગી આપવામાં આવે છે અને ગુજરાત સરકારની કમિટી દિવાળી પછી પણ પ્રવેશ એલોટ કરી દે છે. અહીં કાયદેસર રીતે નીતી  નિયમો અને કાયદાઓની ઐસીતૈસી કરી દેવામાં આવે છે.

એવી પણ બદબૂ આવે છે કે હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોની પરવાનગી મોડી આપવા પાછળ એક મોટું કૌભાંડ છે, મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્યારે સમયસર પ્રવેશ મળતો નથી ત્યારે તેમની ધીરજ ખૂટી જાય છે અને બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી લે છે અને બાદમાં મેરીટ નહીં ધરાવતા હોય તેવા મળતીયા વિદ્યાર્થીઓને કાયદેસર રીતે પ્રવેશ મળી જાય છે.

આવું દર વર્ષે થતું હોવા છતાં હોમિયોપેથી કાઉન્સિલથી લઇને ગુજરાત સરકાર સુધી કોઇ દરમિયાનગીરી કરીને સમયસર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકાય તેવા પગલાં ભરતું નથી.

પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ હોમિયોપેથી કોલેજ માન્ય અને કઇ અમાન્ય

 

પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ આયુર્વેદિક કોલેજ માન્ય અને કઇ અમાન્ય

મેડીકલ પ્રવેશ સમિતિની યાદી મુજબ રાજ્યમાં કુલ 27 આયુર્વેદિક કોલેજો અસ્તિત્વમાં છે અને તેમાંથી ફક્ત 09 જ કોલેજો તા.27મી ઓગસ્ટ 2018 સુધીમાં પરમિશન ધરાવે છે, બાકીની 18 આયુર્વેદિક કોલેજો પાસે 2018-19ના વર્ષ માટેની કોઇ પરવાનગી સક્ષમ સત્તામંડળ પાસેથી મળી નથી.

વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા મૂંઝવણમાં મૂકાઇ ગયા છે કે તેમની તકલીફ સાંભળવા વાળું કોઇ નથી. પ્રવેસ સમિતિએ એ પણ સ્પષ્ટતા કરી નથી કે નોટ પરમિટેડ સ્ટેટસ ધરાવતી કોલેજોમાં પ્રવેશ લેવો કે નહીં લેવો, એથી વિશેષ નજીકના ભવિષ્યમાં કે ચાલુ વર્ષે થોડા દિવસો પછી આ કોલેજોને પરમિશન મળી જશે કે કેમ, પરમિશન મળી જશે તો આ વિદ્યાર્થીઓના પ્રવેશને કાયમ કરાશે કે કેમ ખુદ પ્રવેશ સમિતિ જ વિદ્યાર્થીઓને નરોવા કુંજરોવાની સ્થિતિમાં મૂકી દેતી હોય ત્યારે બીજાનું તો પૂછવું જ શું.

August 27, 2018
shiv_pooja_abhishek3_2932898-m.jpg
1min6040

આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે રક્તચંદનનો ચાંલ્લો કરેલા ૧૦૮ બીલીપત્ર શિવલિંગને અર્પણ કરવા અતિ ઉત્તમ

તા. ૨૭મી ઓગસ્ટ 2018ને આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવા તેમજ કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયેલો છે. આજના દિવસે શિવાલયમાં જઈને જળાભિષેક, બીલીપત્રાભિષેક કરવામાં આવે છે.

આજે તા.27મી ઓગસ્ટ 2018થી મકર રાશિમાં કેતુ સાથે રહેલો વક્રી ભ્રમણ કરી રહેલો મંગળ માર્ગી બની રહ્યો છે. આ દિવસે એક અનુભવસિદ્ધ પ્રયોગ પણ કરી શકાય છે. રક્તચંદનનો ચાંલ્લો કરેલાં ૧૦૮ બીલીપત્ર શિવજીને અર્પણ કરવા જોઈએ. ૧૦૮ બીલીપત્ર આ રીતે અર્પણ કરવાથી અનેક સંકટોમાંથી રાહત મળે છે. સાથોસાથ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે દેશીના ગાયનું દૂધ, એક મુઠ્ઠી કાળા તલ મિશ્રિત જળ સાથે પણ શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો પણ આરોગ્યની પ્રાપ્તિ અને અકસ્માત-સંકટોમાંથી રક્ષણ મળી રહે છે.

 

August 27, 2018
hug-woman.jpg
1min5520
દરેકની જિંદગી વ્યસ્ત છે. દરેકને ટેન્શન છે. સૌ કોઈને હૂંફ અને પ્રેમ જોઈએ, પણ મળતો નથી. એટલે વર્તમાન વિશ્વમાં આલિંગન આપનાર મહિલાઓની ડિમાન્ડ વધી રહી છે. આવી જ એક મહિલાની સ્ટોરી વાયરલ થઈ છે. આ અજનબી લોકોને આલિંગન આપે છે અને આલિંગન આપવું એ જ આ મહિલાનું પ્રોફેશન છે. આલિંગન આપીને આ મહિલા ૪૫ હજાર પાઉંડ એટલે ૪૦ લાખ રૂપિયા કમાઈ લે છે.
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં રહેનાર જેસિકા ઓ નીલ નામની મહિલાએ આ પ્રોફેશનની શરુઆત ૬ મહિના પહેલા કરી હતી અને સપ્તાહમાં ૮૬૦ પાઉન્ડ કમાતી હતી. જેસિકા ઓ નીલ ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટમાં ૧૦ વર્ષથી મસાજ સેન્ટર ચલાવતી હતી. આ સેન્ટરમાં એણે આલિંગન આપવાની સુવિધાને જોડી દીધી. મીડિયા રિપોર્ટ અનુસાર જેસિકાનું કહેવું છે કે, એક કલાક સુધી આલિંગન આપવાનો ચાર્જ ૪૫ પાઉન્ડ છે.
જેસિકા ઓ નીલના જણાવ્યા અનુસાર આલિંગનની થેરાપીના કારણે અકેલાપન અનુભવનાર લોકો અને ડિપ્રેશનની પીડાતા લોકોને ખૂબ ફાયદો પહોંચ્યો છે. એમને અનુભવાય છે કે કોઈ એમને પ્રેમ-હૂંફ આપી રહ્યું છે અને સન્માન આપી રહ્યું છે. જેસિકાનું કહેવું છે કે હું લાગણીશીલ ઈન્સાન છું અને મને લોકોને આલિંગન આપવું ગમે છે.
મારી મા મને આલિંગન આપતી ત્યારે અનુભવાતું કે બધું જ સારું છે,તેમ જેસિકાએ જણાવ્યું હતું. આ કારણે જ જેસિકા અજનબી લોકોને આલિંગન આપતા અચકાતી નથી. જેસિકાએ વધુમાં કહ્યું કે, હમણાં સુધી લોકોને આલિંગન આપવાનો અનુભવ સારો રહ્યો. લોકો ખૂબ પ્રેમ અને સન્માન આપે છે. જેસિકાના પતિને પણ આ વ્યવસાયથી કોઈ પ્રોબ્લેમ નથી.
અહીંયા એ નોંધવું રહ્યું કે, જેસિકાને ત્રણ સંતાન છે. જેસિકાના મોટા ભાગના ગ્રાહક પુરુષ હોય છે. ફક્ત આલિંગન માટે જેસિકાને ૪૬ પાઉન્ડ, આલિંગન આપવાની સાથે કાઉન્સેલિંગ માટે ૬૩ પાઉન્ડ અને ફ્રેન્ડશીપ સ્ટાઈલમાં કોફી અને આલિંગન આપવા માટે ૮૬ પાઉન્ડનો ચાર્જ લે છે.
August 27, 2018
china.png
1min13480

ચીનને મોટો ઝટકોઃ મલેશિયા નહીં આપે સાથ, 22 અરબ ડોલરની યોજના રદ

CHINA MALASIA

ચીના પ્રવાસ પર આવેલા મલેશિયાના પીએમ મહાતીર મમુહમ્મદે કહ્યું કે ચીન સમર્થિત ત્રણ યોજનાઓ રદ કરી દેવાશે. આ યોજનાઓનો કુલ ખર્ચ 22 અરબ ડૉલર (લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા) છે. મહાતીરે કહ્યું કે તેમની સરકાર દેશની ખખડી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે આ પગલું ભરી રહી છે.

આ યોજનાઓમાંથી એક ECRL (ઈસ્ટ કોસ્ટ રેલ લિંક) પણ છે. જે અંતર્ગત મલેશિયાની રાજધાની કુઆલાલામ્પુરથી થાઈલેન્ડના દક્ષિણ ભાગને રેલવે નેટવર્ક દ્વારા જોવાનો હતો. બાકીની બે યોજનાઓ ગેસ પાઈપલાઈન અંગેની હતી.

મહાતીરે કહ્યું કે, ‘અમે ECRL યોજના પર આગળ વધવા નથી ઈચ્છતા. મેં ચીનના નેતાઓને આ માહિતી આપી દીધી છે. આ યોજનામાં ઘણો ખર્ચ છે. અમારો દેશ હાલ કોઈ દેવું ઝીરવી શકે તેમ નથી. અમને તેની જરૂરિયાત પણ નથી.’ મલેશિયા પર હાલ 250 અરબ ડૉલર (લગભગ 17.5 લાખ કરોડ રૂપિયા)નું દેવું છે. મહાતીર ઈચ્છે છે કે પહેલા જૂનું દેવુ ઉતારવામાં આવે.