CIA ALERT

Blog - Page 620 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 23, 2018
statue-of-unity.jpg
1min12850

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)

October 23, 2018
Sharad_Purnim.png
1min10680

ભારતીય સંસ્કૃતિના અનેક શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા મહાલક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે. તેઓ પૃથ્વીનો વિહાર કરતા હોવાની ચર્ચા દરેક ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે દેશના અનેક વિસ્તારોમાં લક્ષ્મી પૂજનનો મહિમા હોય છે.

11

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદીની દેખાય છે. લાગે છે જાણે ચોમાસા બાદ કુદરત સ્વચ્છ અને નયનરમ્ય થઈ ગઈ છે. કહેવાય છે કે આ ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાતે આવે છે.

શરદ પૂનમ આવતીકાલ તા.24 ઓક્ટોબર 2018ને બુધવારે છે.

12

શરદ પૂનમે થયો હતો માતા લક્ષ્મીનો જન્મ 

1. માન્યતા છે કે માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમના દિવસે થયો હતો. એટલે જ દેશના કેટલાક ભાગમાં શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન પણ થાય છે.

13

શરદ પૂનમના દિવસે રાસલીલા

2. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. ત્યારે માતા લક્ષ્મી પણ રાધા રૂપે અવતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની આ અદભૂત રાસલીલાનો પ્રારંભ શરદ પૂર્ણિમાના દિવસે થયો હોવાની માન્યતા છે.

કુમાર કાર્તિકેયનો જન્મ 

3. શિવ ભક્તો માટે પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂનમના દિવસે થયો હતો. જેને કારણે શરદ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ દિવસે કુંવારિકાઓ સ્નાન કરીને સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી યોગ્ય પતિ મળે છે.

October 23, 2018
ganesh.jpg
1min7930

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ એક એવું ગણેશ મંદિર છે, જ્યાં પત્ર લખવાથી પૂરી થાય છે બાધા

pujari

“ગણપતિ દાદા,

જય ભારત સાથે જણાવવાનું કે અમારા નાના દિકરાના લગ્નનું ગોઠવાય ગયું છે, પણ મોટોનો મેળ પડતો નથી, આપ અંતર્યામી છે, ઝડપથી મોટાનું ગોઠવાય એવું કરી આપશો, આપનો પરમ ભક્ત ……..”

આવા તો સેંકડોની સંખ્યામાં હસ્ત લિખિત પત્રો દરરોજ ગણપતિ મહારાજ સુધી પહોંચે છે.

સૌરાષ્ટ્રમાં એવી લોકવાયકા અને માન્યતા પ્રબળ બની છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની માનતા પૂરી કરે છે. ગામના બસસ્ટેન્ડ પાસે જ એક ગણેશ મંદિર છે. આ મંદિરમાં ગણેશજી ભક્તોની પ્રાર્થના પત્ર દ્વારા સાંભળે છે.

છેલ્લા 27 વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.

ganpati

મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામી કહે છે કે,’આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ ચીલો શરૂ થયો.’

આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી ભરતગિરી ગોસ્વામી તેને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.

સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.

October 23, 2018
smc_anil-1280x622.jpg
1min6400

શનિવાર તા.20મી ઓક્ટોબર 2018ના રોજ મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી શુદ્ધિકરણ અભિયાન બાબતે યુવા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીના આકરાં સરશંધાન બાદ હવે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન સાઇનું હુલામણું નામ ધરાવતા શ્રી અનિલભાઇ ગોપલાણીએ તાપી નદીની સતત બગડી રહેલી ગુણવત્તાને ઝડપભેર સુધારવા તેમજ વધુ નુકસાન ન થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

  • તાપી નદીમાં વિયરના અપસ્ટ્રીમમાં 13 આઉટલેટ છે. તેમાં 12 સુરત પાલિકાની હદમાં છે અને 1 સુડાની હદમાં વાલક ખાતે છે, જે સૌથી વધારે અસર કરી રહ્યાં છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણી પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે હાઈડ્રોલિક(પાણી) અને આરોગ્ય વિભાગના હેડક્વાર્ટર અને તમામ ઝોનના મુખ્ય અધિકારીઓ વચ્ચે એક બેઠક તા.22મી ઓક્ટોબર 2018ના રોજ યોજી હતી. તાપી નદીમાં વિયરના અપસ્ટ્રીમમાં 13 આઉટલેટ છે. તેમાં 12 સુરત પાલિકાની હદમાં છે અને 1 સુડાની હદમાં વાલક ખાતે છે, જે સૌથી વધારે અસર કરી રહ્યાં છે. સુરત પાલિકાની હદમાં છે, તેમાંથી લંકાવિજય હનુમાનના ઓવારા પાસેનો ઓવારો છે, તે સીલ કરી દીધો છે. ઉપરાંત અન્યને પણ દિવાળી સુધીમાં કઈ રીતે બંધ કરી શકાય તે માટે સુચન મગાવ્યા છે. આ માટે ડ્રેનેજ વિભાગ અને પાણી વિભાગ પણ અંદર અંદર સંકલન કરશે.

તાપી નદીમાં રો-વોટરની ક્વોલિટી ઝડપથી બગડી રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ડહોળુ, પીળુ અને દુર્ગંધવાળુ આવતુ હોવાની ફરિયાદ સતત વધી રહી છે. વહીવટી તંત્ર છેલ્લા દસેક દિવસથી થીંગડા મારીને કામ ચલાવવા માટેની મથામણ કરી રહ્યું છે. આ મુદ્દે ચૂંટાયેલી પાંખે કોઈ હસ્તક્ષેપ કર્યો નહતો. જોકે, હવે સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ આ મુદ્દે મોરચો સંભાળ્યો છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણીનું કહેવું હતું કે તાપી નદીના પાણીની ગુણવત્તા સુધરે, પાણી બચે તે માટે તમામ વિભાગોની કામગીરીને સ્પષ્ટ કરી હતી અને દર સપ્તાહે કામગીરીનો રિવ્યુ કરવા માટેનો તખ્તો પણ ગોઠવ્યો છે.

  • સુરત મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણીએ તા.22મી ઓક્ટોબર 2018ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઈડ્રોલિક, આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક બોલાવી સમગ્ર મુદ્દાની છણાવટ કરી
  • જ્યાં સુરત શહેરની વસતિ માટે પીવાના પાણીનો જથ્થો સંગ્રહાયેલો રહે છે એ વિયરના ઉપરવાસમાં સૌથી વધુ અસર કરતાં અને સુડાની હદમાં આવતા વાલક ગામના વરસાદી ગટરના સ્ટ્રોમ ડ્રેનેજના આઉટલેટ ઉપરાંત પાલિકાની હદમાં આવતા આઉટલેટના મુદ્દે પણ આગામી દિવસોમાં નક્કર પગલાં ભરીને કાયમી નિવેડો લવાશે
  • હાઈડ્રોલિક વિભાગ, આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગને સંકલન કરીને કામ કરવા તાકીદ, દર સપ્તાહે કામગીરીની સમીક્ષા કરાશે

તેમણે અન્ય મહત્વની બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શહેરમાં જ્યાં જ્યાં ઓછા દબાણથી પાણી મળવાની ફરિયાદો દૂર કરાશે. ડુમસ તરફના 13 ગામોમાં પાણી આપવાની વ્યવસ્થામાં વાલ્વ ઓપરેટરની સિસ્ટમનો વિકલ્પ પણ તૈયાર કરાશે.

 

October 23, 2018
firecrackers.jpg
2min15180

Jayesh Brahmbhatt 98253 44944

દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં આજે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર્સ એટલે કે લૉ કાર્બન અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવાની બાબત પર કોઇપણ પ્રકારની રોક લગાડવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજે ભારતમાં દિવાળીના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફટાકડાનું ઉત્પાદન કરવા, વેચાણ કરવા કે ફોડવા પર પ્રતિબંધ (બ્લેંકેટ બેન) મૂકવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણસરના ફટાકડાનું ઉત્પાદન કરી શકાશે, નિર્ધારિત સમયે તેને ફોડી પણ શકાશે. ફટાકડાનું વેચાણ ચોક્કસ માર્કેટમાંથી જ કરી શકાશે, લારીઓ કે ફૂટપાથ પર બિલકુલ પણ ફટાકડા વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નિશ્ચિત કર્યું છે કે જો કોઇ પોલીસ મથક વિસ્તારમાં નિર્ધારિત ધારાધોરણોનો ભંગ કરતા ફટાકડાનું વેચાણ થતું ઝડપાશે, અગર તો નિર્ધારિત સમય ઉપરાંત ફટાકડા ફૂટતાં જોવા મળશે તો જે તે પોલીસ મથકની જવાબદારી નિશ્ચિત કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

  • ફટાકડા અંગે આજરોજ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વના આદેશો આ મુજબ છે.
  • દિવાળીના તહેવારોમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ફટકડા ફોડી શકાશે.
  • નવા વર્ષ ક્રિસમસ સેલિબ્રેશનના દિવસોમાં રાત્રે 11.45 કલાકથી 00.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે.
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે જેઓ આડેધડ રીતે ફટાકડાઓનું વેચાણ કરી રહી છે તેમણે પદ્ધતિસર કેવી રીતે ફટાકડા વેચી શકાશે, નીતિ નિયમોની જાળવણી કેવી રીતે થશે એ અંગે સુપ્રીમ કોર્ટને જણાવવું પડશે એ પછી તેમને મંજૂરી મળશે એ સંદર્ભનો આદેશ પણ અપાયો છે.
  • લારીઓ કે ફૂટપાથ પર કોઇપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
  • નિર્ધારિત ડેસીબલની મર્યાદામાં અવાજ કરતા હોય તેવા ફટાકડા વેચવાની જ ફટાકડા બજારમાં મંજૂરી આપી શકાશે.

Ahead of Diwali, the SC permitted the sale and manufacture of “green” crackers which have low emission across the country.

  • The apex court fixed 8 pm to 10 pm time period for bursting of firecrackers on Diwali.
  • For New Year and Christmas celebrations, bursting of firecrackers will be allowed between 11:45 pm to 12:30 am.
  • However, it restrained e-commerce websites like Flipkart and Amazon from selling firecrackers.
  • It said e-commerce websites will be hauled up for contempt of court if they don’t adhere to the direction.
  • The SC also said that selling of ‘larries’ or series firecrackers will not be allowed in the country.
  • Only the firecrackers with permissible decibel sound limits will be allowed to be sold in the market.
  • The top court asked the Centre to encourage community cracker bursting during Diwali and other festivals in Delhi-NCR.
  • It also directed all the states to explore the feasibility of community cracker bursting during festivals.
  • Station house officers of police station concerned will be held liable if banned firecrackers are sold in their areas.
October 23, 2018
nails-removed-from-stom.jpg
1min5690

૩૩ વર્ષના એક યુવક પર ઇથિયોપિયાના ડૉક્ટરોએ તાજેતરમાં સર્જરી કરી હતી

છેલ્લાં દસ વર્ષથી માનસિક બીમારી ધરાવતા ૩૩ વર્ષના એક યુવક પર ઇથિયોપિયાના ડૉક્ટરોએ તાજેતરમાં સર્જરી કરી હતી. એડિસ અબાબા શહેરની સેન્ટ પીટર્સ સ્પેશ્યલાઇઝ્ડ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ એક યુવકના જઠરમાંથી દસ સેન્ટિમીટરના ૧૨૨ ખીલા, ચાર પિન, ટૂથપિક્સ અને કાચના ટુકડા સર્જરી કરીને કાઢ્યાં હતાં. આ યુવકે બે વર્ષ પહેલાં જ માનસિક બીમારીની દવાઓ બંધ કરી હતી અને એ પછી તેનું કંઈ પણ ગળી જવાનું બંધાણ ખૂબ જ વકર્યું હતું. તે પાણી સાથે આવી ધારદાર ચીજો ગળી જતો હતો. છેલ્લાં બે વર્ષથી એ તેના પેટમાં હતી છતાં તેના જઠરમાં ચીરો કે કાણું પડવા જેવું નુકસાન નહોતું થયું. જોકે હવે આ સામાન તેના પેટમાં સડવા લાગ્યો હતો જેને કારણે પેટમાં દુખાવો થવાની ફરિયાદ સાથે તેને હૉસ્પિટલમાં લાવવામાં આવેલો.

October 23, 2018
congress.jpg
1min12090

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાહુલ ગાંધી ભલે કોંગ્રેસને બેઠી કરવા માટે દિવસ રાત એક કરતા હોય પણ ગુજરાતમાં કોંગ્રેસીઓ વચ્ચેના ડખાં ક્યારેય કોંગ્રેસને ઉપર આવવા નહીં દે એવું લાગે છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને સુરત જે બન્ને શહેરો કોંગ્રેસ માટે હાઇપ્રોફાઇલ ગણાય છે, આ બન્ને શહેરોમાં ધારે તો કોંગ્રેસ આગામી દિવસોમાં ભાજપાના કાંગરા ખેરવી શકે તેવા અન્ડર કરન્ટ વચ્ચે કોંગ્રેંસી કાર્યકરો એવા બાખડ્યાં કે મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો. અમદાવાદમાં તો 500 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ અંદરોઅંદરની લડાઇમાં પાર્ટીને જ રામરામ કરી દીધા છે જ્યારે સુરતમાં કોંગ્રેસીઓ એવા બાખડ્યા કે પ્રદેશ પ્રમુખ અમિતભાઇએ દરમિયાનગીરી કરવી પડી. સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને ધક્કો મારીને પાડી દેવાની પેરવીમાંથી ડખો થયો હતો.

અમદાવાદ કોંગ્રેસમાં શું બન્યું 

શહેર કૉંગ્રેસના 500 કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામાં આપ્યા હતા. પ્રદેશ કૉંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન જઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ચાંદખેડાના કૉંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા હતા. કૉંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કૉંગ્રેસના નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢી હતી. આ રેલીમાં જોડાયેલા કૉંગ્રેસના 500 જેટલા કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન ખાતે જઈને રાજીનામાં આપ્યા હતા. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કૉંગ્રેસમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ કૉંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કૉંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે. નિમણૂકોમાં વહાલા-દવલાની નીતિ દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

October 23, 2018
guj.jpg
1min5720

ગુજરાતમાં આ વર્ષે મોટાભાગના તાલુકાઓમાં પૂરતો વરસાદ ન વરસતા તળાવ-નદી નાળા અને ડૅમો ખાલીખમ છે ત્યારે હવે પીવાનાં પાણી અને સિંચાઇ માટે એક માત્ર નર્મદા નીરનો જ મોટો વિકલ્પ બચ્યો છે. અગાઉ કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ આજે વધુ 250 મિ.મી.થી ઓછો સરેરાશ વરસાદ વરસ્યો હોય તેવા તમામ 51 તાલુકાને પણ સરકારે અછતગ્રસ્ત જાહેર કરતા ઉનાળાના દિવસોમાં પરિસ્થિતિ ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારે અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે, કારણ કે સરકારે આગોતરી અછત જાહેર કરી છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં કચ્છના તમામ 10, પાટણના આઠ, બનાસકાંઠાના 9, મહેસાણાના ચાર, સુરેન્દ્રનગરના સાત, રાજકોટના બે, મોરબીના ચાર, દેવભૂમિ દ્વારકાના બે, ભાવનગરના એક, અમદાવાદના ત્રણ, જામનગરના બે તાલુકાનો સમાવેશ થાય છે.

અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે

  • કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત
  • પાટણના 08
  • બનાસકાંઠાના 09
  • મહેસાણાના 04
  • સુરેન્દ્રનગરના 07
  • રાજકોટના 02
  • મોરબીના 04
  • દેવભૂમિ દ્વારકાના 02
  • ભાવનગરના 01
  • અમદાવાદના 03
  • જામનગરના 02

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સરકારના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.3000 કરોડ થી વધુ ચુકવણું થશે આનો અમલ પહેલી ડિસેમ્બર-2018 થી થશે. આ 51 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6800 રૂપિયા સહાય અપાશે તેમજ વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચુકવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે 125 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની પદ્ધતિ હતી. કેન્દ્ર સરકારના ધોરણોને અનુસરીને ગુજરાત સરકારે પણ 125 મિ.મી. સુધીના વરસાદને બદલે 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય અને જે ખર્ચ થયું હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટરદીઠ રૂ.6800 સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી ચુકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘું પડતું હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યાં જ્યાં ઢોરવાડા ઊભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.25 ની મદદ કરવામાં આવે છે તેમાં વધારો કરીને મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મૂકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.70 ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.70 ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.25 ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને બે રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ. બે કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા.01.12.2018 થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂ.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

October 22, 2018
CBI.png
1min7180

CBIમાં બે ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ટુ ગણાતા રાકેશ અસ્થાના વચ્ચે જામેલા યુદ્ધને ઠારવાના પ્રયાસ રૂપે પીએમઓ એ બન્ને અધિકારીઓને મળવા આવવા માટે તેડું મોકલ્યું છે.

ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં પહેલા અને બીજા નંબરના અધિકારી વચ્ચે હાલ ચાલી રહેલા ઓપન વૉરને કારણે સીબીઆઇ સમેત ભારતની સમગ્ર વિશ્વમાં બદનામી થઇ રહી છે. બન્ને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ વચ્ચે આ યુદ્ધ કેવી રીતે શમી શકે એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીબીઆઈમાં નંબર એક સીબીઆઈ પ્રમુખ અને નંબર બે વિશેષ નિર્દેશક વચ્ચેનો ઝઘડો ઉકેલવા માટે બંને અધિકારીઓને તેડાવ્યા છે. સાથે જ સીબીઆઈએ માંસના વેપારી મોઈન ખાનને ક્લીન ચિટ આપવાના મામલે SIT CBIના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી છે.

CBIના પ્રવક્તા અભિષેક દયાળના કહેવા મુજબ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના, એજન્સીના અધિકારી દેવેન્દ્ર કુમાર, લાંચ આપવામાં મદદ કરનાર મનોજ પ્રસાદ અને તેમના ભાઈ સોમેશ વિરુદ્ધ 15 ઓક્ટોબરે કેસ નોંધાયો છે.

October 22, 2018
wedding-1280x859.jpg
1min8200

લાઈવ ડેમો સાથે ભારતમાં સુરત ખાતે પહેલીવાર યોજાયું વેડિંગ રાગા એક્ઝીબિશન

સુરત. દીવાળી બાદ ભારતમાં લગ્નસરાની શરુઆત થશે ત્યારે આજના ઝડપી યુગમાં લગ્ન  જેવા અવિસ્મરણીય પ્રસંગના આયોજનમાં કોઈ કચાશ નહીં રહી જાય તે માટે દરેક પરિવાર કાળજીપૂર્વક તૈયારી કરતું હોય છે ત્યારે આવા પરિવારોની ચિંતા હળવી કરવા માટે અવધ  ઉટોપિયા ખાતે 20 અને 21મી ઓક્ટોબરના રોજ લાઈવ ડેમો સાથે વેડિંગ રાગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું .  જેનું આજરોજ ફેશનશો સાથે સમાપન થયું.  આયોજકોના જણાવ્યા મુજબ આ પ્રકારનું લાઈવ ડેમો સાથેનું વેડિંગ એક્ઝીબીશન ભારતમાં પહેલી વખત યોજાયું હતું.

એક્ઝીબીશનમાં સુરત, ગુજરાત સહીત બહારના વિઝીટર્સ ભાગ લીધો હતો. એક્ઝીબીશનમાં દરેક બાબતનો લાઈવડેમો અને સિંગરો દ્વારા લાઈવ પર ફોર્મન્સ આપવામાં આવ્યું હતું. જેથી મુલાકાતીઓને એવી અનુભૂતિ થઈ હતી કે તેઓ કોઈ લગ્ન પ્રસંગ માં જ આવ્યાં છે. સાથે જ વર્કશોપ અને ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત વેડિંગને લગતી પ્રોડક્ટના લાઈવ પર ફોર્મન્સ, ડેમો સેટઅપ, ન્યુ કોન્સેપ્ટ સાથે ફોટોગ્રાફી, એન્ટ્રી, કેટરિંગ તેમજ ડેકોરેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન જોવા મળશે. અહીં જ્વેલરી, ક્લોથિંગ, મેટ્રીમોની, ડીજે, કોરિયોગ્રાફર, હનીમુન ટ્રાવેલ્સ, સેલુન અને સ્કીન કેર સહીત 30 વધું કેટેગરી ઉપલબ્ધ કરવામાં આવી હતી.

-x-x-x-x-