



દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.
આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે. આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર વગેરે જેવી કેટેગરી જોવા મળશે.
આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે. આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.
સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સ્પાર્કલ એક્ઝીબિશનમાં અત્યંત ટાઇટ સિક્યુરિટી, સતત કેમેરા સર્વેલન્સ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાની હિંમત દાખવે છે. શુક્રવાર તા.14મી ડિસેમ્બર 2018ની સાંજે સ્પાર્કલ પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા ઠીકઠીક હતી ત્યારે એક ગઠીયાએ સુરતના જ એક વેપારીના સ્ટોલ પરથી 99.13 કેરેટના હીરા ચોરીછૂપીથી તફડાવી લીધા હતા. બાદમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી હતી.

ચેમ્બરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ એન્ડ જ્વેલરીના સ્પાર્કલ 2018 પ્રદર્શનમાં 212 નંબરનો સ્ટોલ સુરતના નાનપુરા સ્થિત સિદ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા જ્વેલર તેજશ સુરેશભાઇ શાહ ધરાવે છે. શુક્રવારે સાંજે તેમના સ્ટોલ પર મુલાકાતી બાયર તરીકે આવેલા એક ગઠીયાએ 99.13 કેરેટના હીરા નજર ચૂકવીને ચોરી લીધા હતા. બાદમાં હીરાના સ્ટોકની ઘટ આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ રૂ.6 લાખની બજાર કિંમત ધરાવતા હીરા ગૂમ થયા હતા.
તાત્કાલિક સી.સી. ટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા જે ગઠીયાએ ચોરી કરી હતી એ તમામ સ્પષ્ટ દેખાઇ આવ્યું છે. બનાવ અંગે પોલીસને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસ આશાવાદ સેવી છે કે સ્પાર્કલ પ્રદર્શનમાંથી હીરા તફડાવનાર તસ્કર ટૂંક સમયમાં પોલીસ ઝડપી લેશે.
સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કો (PSB – પબ્લિક સેક્ટર બૅન્ક્સ)એ ઇરાદાપૂર્વકના ડિફૉલ્ટર્સ સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ સંસદને તા.13મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું.

PSB દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિલફુલ ડિફૉલ્ટર્સ સામે ૨૫૭૧ FIR નોંધવામાં આવ્યા છે, તેમની પાસેથી વસૂલાત માટે ૯૩૬૩ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને વિલફુલ ડિફૉલ્ટર્સના ૭૬૧૬ કેસમાં સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રીકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનૅન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ર્ફોસમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ અરુણ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.
સમાજ યુવાનોનો રોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે હવે સમાજ આગળ આવી રહ્યો છે. તા.14મી ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં ભરવાડ અને રાજપૂત સમાજે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોટા ભાગે સમાજ પોતાના બેરોજગાર નવયુવાનોને યા તો સહાનુભૂતિ આપે છે યા તો થોડીઘણી આર્થિક મદદ કરી દે છે. પણ આનાથી બેરોજગાર યુવાનોની મુશ્કેલી પૂરી થતી નથી.
ગુજરાતના ભરવાડ અને રાજપુત યુવા સંગઠન દ્વારા પોતાના સમાજના યુવાનોના બેકારીના પ્રશ્નને દૂર કરવા માટે તેમને આજીવીકા સમાન કાર ભેટ આપી છે જેમાંથી જો લાભકર્તા યુવાન ધારે તો આખી જીંદગી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે.
ભરવાડ સમાજના એવા યુવાનોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમની પાસે રોજગારી નથી. ભરવાડ સમાજે યુવકોને 300 પીકઅપ વાન અને કારનું વિતરણ કર્યું. આવો જ કાર્યક્રમ રાજપૂત સમાજે પણ કર્યો. જેમાં રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કરવામાં આવ્યું.
ભરવાડ યુવા સંગઠના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના યુવાનોને 250 ઈકો અને 50 બોલેરો કાર આપવામાં આવી. સમાજના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સમાજના યુવાનોને રોજગારી મળે તે માટે કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
શું છે આયોજન
ભરવાડ સમાજના યુવાનોને 250 ઈકો કાર અપાશે.
50 બોલેરો કાર આપવામાં આવશે.
1500 લોકોને રોજગારી આપવામાં આવશે.
00 ડાઉનપેમેન્ટ રહેશે, બાકીના હપ્તા આપવાના રહેશે.
રાજપૂત સમાજના યુવાનોને 50 બોલેરો કાર આપવામાં આવશે.
400 લોકોને રોજગારી આપવામાં આવશે.
00 ડાઉનપેમેન્ટ રહેશે, બાકીના હપ્તા આપવાના રહેશે..
આ પહેલા 100 કારનું વિતરણ કરાયું હતું.
કોઇ સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનો માટે આ પ્રકારે આજીવીકાનું સાધન આપવાનો આ પ્રયોગ જો દરેક સમાજ અનુસરે તો ગુજરાતમાં મોટા ભાગે બેરોજગારીનો પ્રશ્ન હલ થઇ શકે.
BNI સુરતની સૌથી મોટી ઇવેન્ટ BNI ઓલમ્પિક્સ રમતોત્સવ હાલમાં સુરતમાં ચાલી રહ્યો છે. BNI સુરતના 16 ચેપ્ટર્સના 1200થી વધુ મેમ્બર પ્લેયર્સ ઉપરાંત તેમના પરિવારજનો, બાળકો આ ઓલમ્પિક્સની જુદી જુદી રમતોમાં ભાગ લઇને ઇનામો જીતી રહ્યા છે.
કોઇપણ ઇવેન્ટ યોજાવાની હોય એટલે પહેલા તો તેનો ખર્ચ, વ્યવસ્થા, વેન્યુથી લઇને તેના સમાપન સમારોહ સુધીની બાબતો વિચારવી પડે. બી.એન.આઇ. ઓલમ્પિક્સ માટે શહેરની જાણીતી બ્રાન્ડસએ ઉદાર મનથી પોતાનાથી શક્ય એટલી હેલ્પ કરીને આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સરળ બનાવ્યું હોવાની નોંધ બી.એન.આઇ.ના જુદા જુદા ચેપ્ટર્સ અને તેના સભ્યો લઇ રહ્યા છે.
BNI સુરતે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે BNI ઓલમ્પિક્સનો રમતોત્સવ તેમના સ્પોન્સર્સ અને પાર્ટનર્સ વગર આટલી ભવ્ય રીતે યોજી શકાયો ન હોત. BNI સુરતના ઓલમ્પિક્સમાં જુદા જુદા હેડ્સમાં પાર્ટનર્સ દ્વારા વીન-વીન સિચુએશન, બાર્ટર સિચુએશનથી BNI સુરત ઓલમ્પિક ગેમ્સને જે સપોર્ટ કર્યો છે એ માટે BNI તમામને આભારી છે. પાર્ટનર્સ અને સ્પોન્સર્સના કારણે રમતોત્સવ પાછળ થતા ખર્ચમાં ભારે ઘટાડો કરી શકાયો હોવાની નોંધ પણ લેવામાં આવી રહી છે.

અલકેમિસ્ટ માધવ પ્રિન્ટર્સ
બેંચમાર્ક જલારામ ખીચડી
ચેમ્પિયન્સ ધરતી સ્વીટ્સ એન્ડ નમકીન
ડાયમંડ ફેસકોમ
ઇલાઇટ એન.એક્સ.વિનઅર
ફાલ્કન અંબા ટ્રેડિંગ
ગ્લેડિએટર સ્કોઇ, ધ ઇન્સ્યુરન્સ સુપર માર્કેટ
હોલમાર્ક સાઇ વર્લ્ડ ટ્રાવેલ
આઇકોન મેટ્રો કુલ કોર્પોરેશન- 24 કેરેટ્સ
જ્યુપીટર જ્યુપીટર
કામા એન.એમ.
માર્વેલ ઇઝ્ઝી-જી ટેલ
બાહુબલી બુક એન ફ્લાય
ચાણક્ય તોષલ ઇન્ફોટેક
હોમ સ્ટુડીયો
જૈનમ
શ્રી રંગ સરીતા
બ્રાઇડલ ઃ બી-મોર
રીચીરીચ
જય બાલાજી ડાયમંડ
ધ રીયલ એસ્ટેટ હબ
કોઝ્મો
બ્રહ્માણી
ટીઆરટી ટેક્નોલોજીસ્ટ એલએલપી
ગૌરાંગ ગ્રુપ
સ્વાસ્થયમ્ આયુર્વેદિક ક્લિનિક
ડિઝાઇન માય હોલીડેઝ

ડીજીટર મિડીયા પાર્ટનર ઓનલાઇન યુગ- સુરતીઝ
વિડીયોગ્રાફી પાર્ટનર ડીએસએલઆર એકેડેમી
ફોટોગ્રાફી પાર્ટનર ફોટોવાલે
એન્ટરટેઇનમેન્ટ પાટર્નર વન-ઓ-સેવન
રેડીયો પાર્ટનર બીગ એફ.એમ.
ઓનલાઇન ન્યુઝ બ્રાન્ડિંગ પાર્ટનર સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ
બેનર્સ પાર્ટનર ફેબ વર્લ્ડ
હેલ્થ એન્ડ મેડીકલ પાર્ટનર બોમ્બે મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ
ઇવેન્ટ પાર્ટનર યુ.એન. આઇ. -ડી વોકા
હાઇડ્રેશન પાર્ટનર વોટર જાપાન
પાવર પાર્ટનર ફર્સ્ટ એનર્જી
મંડપ-ડેકોરેશન પાર્ટનર ક્રિશ્ના મંડપ ડેકોરેશન
બેગ પાર્ટનર હેમિશફિઅર
ગીફ્ટિંગ પાર્ટનર સીઝનલ ડેકોર, આમંત્રણ, ફોન માસ્ટર, શ્રી સાઇનાથ સ્ટોર્સ
મેડલ્સ એન્ડ ટ્રોફી પાર્ટનર ડીકેથ્લોન
બ્રાન્ડિંગ એન્ડ ડિઝાઇનિંગ પાર્ટનર બ્રાન્ડ ઇન્ડિયા
સ્વીમીંગ વેન્યુ પાર્ટનર સી.બી પટેલ હેલ્થ ક્લબ
વેન્યુ પાર્ટનર પ્લેયર્સ સ્પોર્ટસ એન્ડ કાફે
ઇન્ડોર ગેમ વેન્યુ પાર્ટનર સ્ટરલિંગ એકેડેમી
કેટરિંગ પાર્ટનર સાઇ કેટરિંગ

સોનાક્ષી સિંહા સાથે ઑનલાઇન શૉપિંગ સાઇટ ઍમેઝૉન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરીયાદ ખુદ સોનાક્ષીએ ટ્વીટર પર શેર છે.
સોનાક્ષીએ ૧૮,૦૦૦ના બોઝ કંપનીના હેડફોન ઑર્ડર કર્યા હતા, પરંતુ બદલામાં તેને લોખંડનો એક ટુકડો મોકલવામાં આવ્યો છે.
સોનાક્ષીએ ટ્વિટર પર તેણે કરેલા ઑર્ડરના બદલામાં મળેલા લોખંડના ટુકડાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મેં કરેલા બોઝના હેડફોનના ઑર્ડરની જગ્યાએ મને શું મળ્યું છે એ જુઓ ઍમેઝૉન. એકદમ બરાબર બંધ થયેલું અને ક્યારેય ઓપન ન કર્યું હોય એવું બૉક્સ દેખાઈ રહ્યું હતું, પરંતુ ફક્ત બહારથી જ. આના કરતાં પણ સૌથી ખરાબ બાબત એ છે કે તમારી કસ્ટમર કૅર સર્વિસ કોઈ મદદ કરવા નથી માગતી. શું કોઈ ૧૮,૦૦૦માં આ ભંગાર ખરીદવા માગે છે? ડરવાની જરૂર નથી, આ ભંગાર હું વેચી રહી છું; ઍમેઝૉન નહીં. એથી તમે જે ઑર્ડર કર્યો હશે એ જ તમને મળશે.’
કામરેજ વિધાનસભાથી ભાજપની ટિકીટ પરથી ચૂંટાયેલા વી.ડી. ઝાલાવડીયા અને તેમના સગાસબંધીઓના કારનામાઓથી સુરત ભાજપની જે બદનામી થઇ રહી છે એ જોતા આજે પ્રદેશ ભાજપના એક દિગ્ગજ નેતા બોલી ઉઠ્યા હતા કે ખુદ અમે ભાજપના લોકો ઝાલાવડીયાથી કંટાળી ચૂક્યા છે. ભાજપાના ઘણા નેતાઓ તેમની સાથે સ્ટેજ શેર કરવાનું પણ ટાળી રહ્યા છે એટલી હદે લોકોમાં તેમની છાપ ખરાબ થઇ ચૂકી છે.

કામરેજના વી.ડી. ઝાલાવડીયાની આ રીતરસમો ભાજપની છબિ ખરડી રહી છે
વી.ડી. ઝાલાવડીયા ફરીથી એક મોટા વિવાદમાં સપડાયા છે અને પોતાના મતવિસ્તારમાં બહુજન (સામાન્ય લોકો)નું હિત જોવાની જગ્યાએ ધનકુબેરોની બ્રિફ પકડીને ચાલતા વી.ડી. ઝાલાવડીયાને કહેવાય છે કે તેમના મતવિસ્તારના લોકોએ રીતસર ભગાડ્યા હતા. પોલીસે પરાણે તેમને ટોળામાંથી ઉગાર્યા હતા. એવી પણ વાતો વાઇરલ થઇ કે સીમાડા વિસ્તારમાં બિલ્ડરોને ફાયદો થાય એ રીતે અને સોસાયટીવાસીઓને અન્યાય થાય એ પ્રકારે વી.ડી. ઝાલાવડીયા તંત્રવાહકો પાસે કામ કરાવવા પહોંચ્યા હતા. વી.ડી. ઝાલાવડીયાની આ અન્યાયી હરકતથી ઉશ્કેરાયેલા લોક ટોળાએ ઝાલાવડીયાનો એવો તે હૂરીયો બોલાવ્યો કે તેણે સ્થળ છોડીને ભાગવાની ફરજ પડી હતી. આ સંઘર્ષ દરમિયાન કોઇ મહિલાએ વી.ડી. ઝાલાવડીયાને તેના કારનામાઓ બદલ લાફા ઠોકી દીધા હતા. જોકે, વી.ડી. ઝાલાવડીયા આ વાતને રદીયો આપી રહ્યા છે. પણ જે રીતે વિડીયો વાઇરલ થયો છે, એ જોતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે સવાર પડે ને ફક્તને ફક્ત કમાણી થાય એવી ફાઇલ કે એવું કામ હાથ પર લેતા વી.ડી. ઝાલાવડીયા સામાન્ય લોકોના કામો ક્યારે કરતા હશે. યુ ટ્યુબલ અને ફેસબુક પર વી.ડી. ઝાલાવડીયાને ધક્કે ચઢાવતો વીડીયો ભારે વાઇરલ થયો છે અને તેને કારણે ભાજપના ભારે બદનામી થવા પામી છે.
વી.ડી. ઝાલાવડીયા માટે તો કહેવાય છે કે પોતાની ગ્રાન્ટના કામમાંથી પણ તેમના કેટલાક મળતીયાઓ કામ મંજૂર થાય એટલે કટકી પડાવવા માટે પહોંચી જાય છે. ઇરાદાપૂર્વક એવી વ્યક્તિને કટકી માટે મોકલાય છે કે જ્યારે મામલો વિવાદિત બને અને છાપરે ચઢીને પોકારે ત્યારે વી.ડી. ઝાલાવડીયા સરળતાથી છટકી જઇ શકે.
વી.ડી. ઝાલાવડીયાના આ તાજા વિવાદ અંગે પ્રદેશ પ્રમુખથી લઇને અમિત શાહ સુધી રજૂઆતો કરવામાં આવી છે. ભાજપની છબી આવા ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવતા નેતાઓને કારણે જ ખરડાય રહી હોઇ, આગામી દિવસોમાં વી.ડી. ઝાલાવડીયા સામે ભાજપા મોવડીમંડળ આકરાં સરશંધાન વ્યક્ત કરે તો નવાઇ નહીં.
શરદ વી.ડી. ઝાલાવડીયાની કરતૂત પોલીસ ફરીયાદ સ્વરૂપે દર્જ

(કામરોજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા તેમના પુત્ર શરદ સાથે, ફાઇલ ફોટો)
અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં જ વી.ડી. ઝાલાવડીયાના દિકરા શરદ સામે ગુનો નોંધાયો છે. રેતીની લીઝના મુદ્દે દાદાગીરી કરતા આ ધારાસભ્યના પુત્રના કારનામાઓ છોટા ઉદેપુરમાં પણ થયા છે.
દેશના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક
https://timesofindia.indiatimes.com/city/surat/kamrej-bjp-mlas-son-booked-for-threatening-transporter/articleshow/62922751.cms
દેશના અગ્રગણ્ય મિડીયા સમૂહ નેટવર્ક 18માં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક
https://gujarati.news18.com/news/south-gujarat/surat-illegal-drawing-issues-in-kamrej-743850.html
રાજસ્થાન કુલ બેઠક ૧૯૯ પક્ષ જીત્યા કૉંગ્રેસ ૧૦૦ ભાજપ ૭૩ બીએસપી ૦૬ અન્યો ૨૦

૧૯૯ સભ્યની રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસે ૧૦૦ બેઠક પર વિજય મેળવી સરકાર બનાવવા જરૂરી બહુમત મેળવી લીધા બાદ સમગ્ર ધ્યાન મુખ્ય પ્રધાનની પસંદગી કરવા પર કેન્દ્રિત કર્યું છે. શાસક ભાજપની કારમી હાર થઇ છે અને તેને ૭૩ જ બેઠક મળી છે તો બહુજન સમાજવાદી પક્ષને છ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૨૦ બેઠક મળી છે.
મુખ્ય પ્રધાનની પસંદગી માટે ચર્ચા કરવા આજે કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠક મળશે.
રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનપદના બે મુખ્ય દાવેદારમાં રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાઇલટ અને બે વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહેલા અશોક ગેહલતના નામનો સમાવેશ થાય છે.
ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્યો જયપુરમાં બુધવારે યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે અને તેઓ ત્યાંથી દિલ્હી પાછા ફરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણકારી આપશે.
એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ બેઠકમાં ભાગ લેવા જયપુર આવી પહોંચ્યા છે, એમ સચિન પાયલટે હજુ મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ કહી દીધું હતું.
નીરિક્ષકો મુખ્ય પ્રધાનપદના બંને દાવેદારને વ્યક્તિગત રીતે પણ મળે એવી શક્યતા છે.
એકતાનો સંકેત આપતા સચિન પાયલટ અને ગેહલોત બંને અન્ય નેતાઓ સાથે વિજયના સંકેત દર્શાવતા પ્રસારમાધ્યમ સમક્ષ સાથે આવ્યા હતા.
૨૦૦ સભ્યની રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરના રામગઢ મતદારસંઘના બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં એ બેઠકની ચૂંટણી મૂલતવી રાખવાની ફરજ પડતા રાજસ્થાનમાં ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
સામાન્ય રીતે મહારાણી તરીકે જાણીતાં રાજસ્તાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમની ઝાલરપાટણ બેઠક પરથી વિજય મેળવી લીધો હતો, પરંતુ તેમના પક્ષ ભાજપે કૉંગ્રેસ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય પ્રધાન તરીકે આ તેમની બીજી મુદત હતી, પરંતુ મતદારોએ ભાજપ અને કૉંગ્રેસને વારાફરતી સત્તા પર બેસાડવાની પરંપરા જાલવી રાખી હતી જેને પગલે શાસક પક્ષ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
રાજસ્થાનના છેલ્લા મહારાજા જિવાજી રાવ સિંધિયા અને ભાજપનાં જાણીતાં નેતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા વર્ષ ૨૦૦૩-૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં તેમ જ વર્ષ ૨૦૦૮-૨૦૧૩ દરમિયાન તેઓ વિપક્ષનાં નેતા હતાં.
પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ તરફ નજર નાખીએ તો તેલંગણા એક એવું રાજય છે જયાં તેલુગુ દેશમ સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને તેલંગણા જનસમિતિના મહાગઠ બંધનનો સામનો કરી કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી ફરી વખત તેલંગણામાં સરકાર રચવાની છે. આ સાથે જ તેલંગણામાં ગુલાબી ક્રાંતિ આવી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે છ મહિના પૂર્વે જ વિધાનસભાનું વિસર્જન કરી ફરી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

કેસીઆર પાર્ટીએ ચૂંટણી વિશ્ર્વલેષકોની ગણતરી ખોટી પાડી છે. તેના મુખ્ય કારણમાં ચંદ્રશેખર રાવની પ્રજાની નાડ પારખવાની નીતિ સહાયત બની છે. કેસીઆર પક્ષની પૈસા, શાદી, પાણી અને મકાન ફોર્મ્યુલાએ ચંદ્રશેખર રાવના પક્ષને જવલંત સફળતા અપાવી છે. અન્ય કોઈ ફોર્મ્યુલા પર આધાર રાખવાને બદલે રાવે જનતાના કલ્યાણની યોજના જનતા સમક્ષ મૂકી પ્રજામત મેળવી લીધો છે.
રાવની પાર્ટીએ ખેડૂતોને પ્રતિસિઝન પર એકર રૂ. 4000 રોકડા આપવાની ફોર્મ્યુલા અપનાવી હતી. તેલંગણાની રવી પાક અને ખરીફ પાક એમ બે સિઝનનો પાક લેવા ટેવાયેલા ખેડૂતોને પ્રતિએકર રૂ. 8000 વાર્ષિક મળવાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
ઉપરાંત તેલંગણાની કેસીઆર સરકારે દીકરીવાળા પરિવાર માટે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક (મુસ્લિમ પરિવાર) યોજના અમલમાં મૂકી હતી, જે મુજબ પ્રતિલગ્ન સરકારે રૂ. 1 લાખની સહાય જાહેર કરી હતી.
તેલંગણા રાષ્ટ્ર સમિતિ દ્વારા વૃદ્ધ, વિધવા તથા વિકલાંગો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી. તદ્ઉપરાંત ગરીબ પરિવારો માટે બે બેડરૂમના મકાનની જાહેરાત પણ કરવામાં આવી. જોકે આવાસ યોજના પૂર્ણ થઈ નહતી, પરંતુ ઘર અંગે બાંધકામ શરૂ થઈ ગયા હતા. જેથી પ્રજામાં પણ એક એવો ભરોસો બેઠો કે આવાસ યોજનાની પૂર્ણાહુતિ માટે પણ કેસીઆર સરકારને વિજયી બનાવવી જરૂરી છે. કેસીઆર સરકારે પ્રત્યેક ઘરને વીજળી તથા ચોખ્ખા પાણીનું પણ વચન આપ્યું હતું. મતલબમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ પ્રજાની નાડ પારખી તેમની જરૂરિયાત પરત્વે પ્રજાને પૂરા પેકેજની સહાય જાહેર કરી એ અંતર્ગત કામ પણ કર્યા.
તેલંગણામાં મોટા બેનર અને મોટા રાજકીય નેતાઓના ગઠબંધન વચ્ચે પણ પ્રજાની નાની અને મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરનાર કેસીઆર પાર્ટીએ ચૂંટણી નિષ્ણાતોના સમીકરણો ખોટા સાબિત કરી તેલંગણામાં મેદાન મારી લીધું છે.