CIA ALERT

Blog - Page 542 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 11, 2019
indiavtoes.jpg
1min11870

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન સાથે આજે ગુરુવારે પહેલા તબક્કાના મતદાનના આરંભ સાથે બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે દેશની 91 લોકસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થવા પામ્યો છે.

લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

સમગ્ર દેશમાં કુલ 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 11 એપ્રિલે 20 રાજ્યોમાં 91 બેઠકો માટે મતદાન યોજાશે.

આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ અને તેલંગાણાની તમામ સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુર સાંસદીય વિસ્તારમાંથી મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે મતદાન કરવું એ આપણી ફરજ છે, જેને દરેકે કરવું જોઈએ.

આ ઉપરાંત આંધ્ર, સિક્કીમ અને ઓડિશા વિધાનસભા માટે પણ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આંદામાન તથા લક્ષદીપમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યાના અહેવાલો મળ્યા છે. આજે સાંજે પાંચ કલાકે દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કિરણ રિજીજુ, વી કે સિંહ સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે એક સાથે મતદાન યોજાઇ રહ્યું છે. તેલંગાણાની તમામ 17 લોકસભા બેઠકો, યુપીમાં આઠ બેઠકો, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં ચાર, અરૂણાચલ પ્રદેશમાં બે, છત્તીસગઢમાં એક (બસ્તર), ઓડિશામાં છ, ઉત્તરાખંડમાં તમામ પાંચ, પશ્ચિમ બંગાળમાં, જમ્મુ કાશ્મીર અને મેઘાલયમાં બે-બે બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપમાં એક-એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે.

April 11, 2019
cash.jpg
1min6260
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઇન્કમટેક્ષ વિભાગ પણ મોટી રકમની હેરફેર પર ‘બાજ’ નજર રાખી રહી છે. ત્યારે રાજકોટના પ્રહલાદ પ્લોટ રોડ પર આવેલી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.1.10 કરોડની રોકડ સીઝ કરી હતી.
(Symbolic Pic)
ચૂંટણી દરમિયાન કાળાનાણાની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્ષ વિભાગ સજ્જ બન્યુ છે. એરપોર્ટ સહિતના સ્થળોએ આઇ.ટી.ની ખાસ સ્કવોડ દ્વારા વોચ ગોઠવાય છે. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટુ ઓપરેશન કરાતા આંગડિયા પેઢીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્રની જાણીતી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સર્ચની’ કામગીરી હાથ ધરાઇ હતી.
વિંગ કમિશનર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 ઇન્સપેકટરો સહિતની ટીમ આ ઓપરેશનમાં જોડાઇ હતી. ગઇકાલે મોડી સાંજે આંગડિયા પેઢી’ પર તવાઇ ઉતારાતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ સર્ચ કામગીરી શરૂ થતાની સાથે જ પેઢીમાંથી રૂ.1.10 કરોડની રોકડ મળી આવી હતી. જેની તપાસ’ બાદ પેઢી સંચાલક વિકાસ મેકવાનની પૂછતાછ કરાઇ હતી. પરંતુ આ રકમ અંગે સંચાલકે મૌન સેવી લીધું હતું. આઇ.ટી. વિભાગ દ્વારા અંતે રકમ સીઝ કરી ચૂંટણી કમિટીમાં રીપોર્ટ મોકલ્યો છે.
મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ થયાના થોડા સમયમાં જ રોકડ મળી આવતા તપાસનો દૌર વધુ ઘનિષ્ઠ કરાયો હતો. સર્ચ ઓપરેશનની જાણ આંગડિયા પેઢી એસોસીએશનને મળતા સંગઠનના સભ્યો દરોડાના સ્થળે પહોંચી ગયા હતા. જેના પગલે આઇ.ટી. વિભાગને પોલીસ બોલાવવી પડી હતી અને 8 થી 10 હથિયારધારી પોલીસને બોલાવ્યા બાદ બંદોબસ્ત હેઠળ કામગીરી કરી હતી.
April 11, 2019
therasa.jpg
1min8740

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બુધવારે કહ્યું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ ઈન્ડિયન ઈતિહાસ પર ‘શરમજનક દાગ’ છે. જો કે તેમણે વિધિવત માફી માગી ન હતી. થેરેસા મેએ એક નિવેદનમાં કહ્યું કે ‘1919ની જલિયાંવાલા બાગ કરુણાંતિકા બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર શરમજનક દાગ છે. 1997માં જલિયાંવાલા બાગની મુલાકાત લેતા અગાઉ હર મેજેસ્ટી ધ ક્વિન (એલિઝાબેથ દ્વિતીય)એ કહ્યું હતું તે પ્રમાણે ભારત સાથેના આપણા ભૂતકાળના ઈતિહાસમાં કરુણ બનાવ છે.’ થેરેસા મેએ રાષ્ટ્રવતી ઔપચારિક માફી ન માગી હતી અને ફક્ત ‘ખેદ’ વ્યક્ત કર્યો હતો. સંસદમાં વિવિધ નેતાઓ દ્વારા વિધિવત માફીની માગ કરવામાં આવી હતી, પણ વડા પ્રધાન મેએ કહ્યું કે ‘જે થયું હતું અને જે યાતના સહન કરવી પડી હતી તેનો અમને ખૂબ જ ખેદ છે.’

મંગળવારે વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્વિને માગ કરી હતી કે ‘જે થયું હતું તેને માટે સંપૂર્ણ, સ્પષ્ટ માફી’ હોવી જોઈએ. 13મી એપ્રિલ 1919ના દિવસે જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો અને આગામી શનિવારે તે કરુણાંતિકાને સદી પૂરી થશે તે ધ્યાનમાં રાખી મંગળવારે બ્રિટિશ સાંસદોએ વિધિવત માફીના મુદ્દા પર વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચા કરી હતી.

ભારતીય મૂળના સાંસદ પ્રીતકૌર ગિલે કહ્યું હતું કે ‘હત્યાકાંડમાં બ્રિટનની ભૂમિકાનો યુકે સરકારે સ્વીકાર કરવો જોઈએ અને ઔપચારિક માફી માગવી જોઈએ.’

April 11, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min6010

કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતને ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ નકારી હતી. તેમણે કહ્યું હતું કે, ઘણા બધાં અમારા સંપર્કમાં હોય છે પરંતુ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહ્યા હોવાનું હાલના તબક્કે કોઇ વાત નથી. કૉંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર કૉંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરવાના સમચારા વાયુ વેગે વહેતા થયા છે. આખા હાઇવોલ્ટેજ ડ્રામામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ વાત કરતા ફોડ પાડ્યો હતો કે બધા લોકો અમારા સંપર્કમાં છે, પરંતુ અત્યારે ભાજપમાં જોડાય એવી વાત નથી. બીજી તરફ કૉંગ્રેસના નેતાઓ અલ્પેશ કૉંગ્રેસમાં જ છે અને બધું સારું થઇ જશે. આમ કૉંગ્રેસ પોતાનો બચાવ કરી રહ્યું છે બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ અલ્પેશભાઇ સહતિ તમામ કાર્યકર્તાઓને માન આપે છે. માન સન્માન સાથે જ તેમને જવાબદારી પણ આપવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, આ કૉંગ્રેસ પરિવારનો આતંરિક મામલો છે. અલ્પેશની નારાજગી મામલે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં બધું બરાબર થઈ જશે.

April 11, 2019
modi_tw-1.jpg
1min5300

સરદાર સાહેબ ના હોત તો જૂનાગઢ ક્યાં હોત? સરદાર ન હોત તો સોમનાથની દશા શું હોત? એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરઝી હકૂમતને ટાંકીને જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું. વડા પ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પાંચ વર્ષ માટે આદેશ લેવા આવ્યો છું. ચોકીદાર ચૌક્કના હૈ, પૈસા લૂંટવા કૉંગ્રેસ સત્તામાં આવે છે, ગરીબ બાળકોનો કોળિયો છીનવી લૂંટે છે. મોદી આતંકવાદને હટાવવાની વાત કરે છે કૉંગ્રેસ મોદીને હટાવવાની, કોઇ ગાળ મને દેવામાં બાકી નથી રાખી. જવાનોએ પરાક્રમ કર્યું પાકિસ્તાનમાં અને ભારતમાં કૉંગ્રેસને પેટમાં દુખે છે. જવાનો જીવતા પાછા આવ્યાં એટલે કંઇ ન થયું, કોઇને કંઇ થયું હોત તો મોદીના વાળ ખેંચી લેત. પ્રથમવાર વોટ કરનાર યુવાનોને કહ્યું તમારો વોટ શહીદ જવાનોને સમર્પિત કરીને આપજો. જૂનાગઢની સભામાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ભાજપના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી જૂનાગઢ પહોંચ્યા હતાં. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં બે પીએમ હોવા જોઇએ? કૉંગ્રેસ આવી માગણી કરે છે. જમ્મુ-કાશ્મીરમાં અલગ પીએમને કૉંગ્રેસ સમર્થન આપે છે. કૉંગ્રેસના ગોટાળામાં એક નવું નામ જોડાયું છે. સુબ્રતો સાથે નવો ગોટાળો કૉંગ્રેસનાં ખાતામાં આવ્યો છે. કૉંગ્રેસ ગરીબનાં મોઢામાંથી મળવાપાત્ર આહાર છીનવી એના નેતાના પેટ ભરે છે.

April 10, 2019
alpesh_thakor.jpeg
1min11710

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે નિયુક્તિ પામેલા અલ્પેશ ઠાકોરે આજે તા.10મી એપ્રિલ 2019ના રોજ સાંજે પાંચ કલાકે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

ભારે હૈયે રાજીનામું આપતા અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં કહ્યું હતું કે તેની સાથે હળાહળ અન્યાય થયો છે અને તેની અનુભૂતિ કરી રહ્યો છે.

અલ્પેશનો રાજીનામા પત્ર આ મુજબ 

April 10, 2019
congress.jpg
2min15370

ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં 500થી વધુ ભાજપીઓ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

સુરત જિલ્લામાં આવતી બારડોલી અનુસૂચિત જનજાતિ માટેની રિઝર્વ લોકસભા બેઠક પર આ વખતે ભાજપા માટે આકરાં ચઢાણ હોવાનું ખુદ ભાજપીઓના આંતરિક રિપોર્ટમાં બહાર આવ્યું છે અને એટલે જ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજરોજ તા.10મીએ જાહેરસભા યોજવી પડી છે. નરેન્દ્ર મોદી આજે તા.10મી એપ્રિલે બારડોલી લોકસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા છે એ જ સમયે કોંગ્રેસે કેટલાક ભાજપી આગેવાનો સમેત 500થી વધુ લોકો પાસે ભાજપા છોડાવીને કોંગ્રેસની કંઠી બંધાવી લીધી છે.

ભાજપીઓ પોતાના પાયાના કાર્યકર્તાઓને બચાવી ન શક્યા

સુરત જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ થવાની હોય ત્યારે જ કોંગ્રેસે ભાજપના પાયાના મનાતા નેતાઓ અને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો. ભાજપના રહીને આ નેતાઓ તેમની અવગણના સહી ન શક્યા હતા. છેલ્લી ઘડી સુધી ભાજપના કેટલાક નેતાઓએ આજનો કોંગ્રેસ પ્રવેશનો પ્રોગ્રામ વિફળ બનાવવાની કોશિસ કરી હતી પરંતુ, તમામ પ્રયાસો વિફળ રહ્યા હતા.

કોણ કોણ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના ચાણક્ય સમા જિલ્લા કોંગ્રેસના અગ્રણી દર્શનભાઇ નાયકે સી.આઇ.એ. સાથે વાતચીતરમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ તા. 10-4-19ના રોજ ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં ડૉ. તુષારભાઈ ચૌધરી તાપી-સુરત જિલ્લા પ્રમુખની હાજરીમાં સુરત જીલ્લા પંચાયત સભ્ય રેખાબેન ચૌધરી (હળપતિ ગૃહ નિર્માણના અધ્યક્ષ) માંડવી તાલુકાના ભાજપના મહામંત્રી શ્રી અજુઁનભાઈ માલાભાઈ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી (માજી સરપંચ વાંકલ) હરેશભાઈ વસાવા (માજી સરપંચ વાડી ગામ, મંત્રી ગણપત વસાવા PA) બારડોલી તાલુકાના ભાજપના માજી તાલુકા પંચાયત સભ્ય અેવા જયેશભાઈ મણીલાલભાઈ હળપતિ, લાલુભાઈ શંકરભાઈ રાઠોડ,મહુવા તાલુકાના વાંસકુઈ ગામના સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ નાયકા,500 આગેવાનો સાથે ભાજપને રામ રામ કરી કોગ્રેસમાં જોડાઇ ગયા છે.

બારડોલી લોકસભા અને જિલ્લા ભાજપ સંગઠન ભાજપા માટે બળતું ઘર

બારડોલી લોકસભા સીટ પર પહેલેથી જ ભાજપમાં આંતરિક ડખાં જોવાય રહ્યા છે. ગણપત વસાવા એક સમયે પરભુભાઇ વસાવાની બ્રિફ પકડીને ચાલતા હતા, હવે તેમના વિરોધી બની ચૂક્યા છે. એથી વિશેષ કેટલાક આદિવાસી નેતાઓ, વ્યારા-માંડવીના અગ્રગણ્ય લોકો પણ ભાજપની નીતિ રીતીથી કંટાળી ચૂક્યા છે. સુરત જિલ્લા ભાજપાના વર્તમાન હોદ્દેદારોની પાયાના કાર્યકરો પર કોઇ પકડ નથી. આવી સ્થિતિમાં બારડોલી લોકસભા સીટ કહો કે સુરત જિલ્લા ભાજપ સંગઠન, ભાજપીઓ માટે બળતું ઘર બની ગયું છે. સુગર ફેક્ટરીઓના પ્રશ્ન હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય, સિંચાઇના મુદ્દાઓ પર ભાજપ સરકારે કોઇ સહયોગ આપ્યો ન હોઇ, સુરત જિલ્લામાં ભાજપા માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જુના જોગી ડો. તુષાર ચૌધરી આ બેઠક પર ભાજપાના કાંગરા ખેરવી જાય તો નવાઇ નહીં.

April 10, 2019
jitu-2.jpg
1min12550

મોદીને સારુ લગાડવા ભાજપા પ્રમુખ વાઘાણી સમેતના નેતાઓનો બેફામ વાણી વિલાસ

ભાજપાના સુપ્રીમો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે ભાજપાના નેતાઓ કંઇપણ હદે ઉતરી શકે છે. છેલ્લા સપ્તાહથી જે રીતે ગુજરાતમાં રાજકીય નેતાઓ ખાસ કરીને ભાજપી નેતાઓ એવું નથી કે તેમની જીભ લપસી જાય છે પરંતુ, ઇરાદાપૂર્વક કેટલાક શબ્દ પ્રયોગ કરીને રાહુલ ગાંધી કે કોંગ્રેસને ભાંડી રહ્યા છે, બેફામ વાણી-વિલાસને મિડીયા ચગાવે છે અને એ રીતે મોદીની નજરમાં આવી શકાય, એ રૂએ ભાજપીઓ બેફામ વાણી વિસાલ કરી રહ્યા છે. તાજેતરમાં પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ખાતે કોંગ્રેસીઓને હરામજાદા કરીને સંબોધ્યા હતા.

થોડા દિવસો પહેલા જીતુ વાઘાણીના દિકરાને કોલેજે પરીક્ષામાંથી ચોરી કરતા પકડ્યો હતો, હવે ચૂંટણી પંચે જીતુ વાઘાણીને પકડ્યા છે ચૂંટણીના નિયમ ભંગ માટે

એવું નથી કે ફક્ત ભાજપીઓ જ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે પરંતુ, જાહેરસભામાં કોંગ્રેસીઓ પણ ભાજપીઓને અનેક ખરીખોટી ખરાબ ભાષામાં સંભળાવી પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવું કરી રહ્યા છે જ્યારે ભાજપીઓ મોદીની નજરમાં આવવા માટે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયાગ કર્યો હતો, જેની ચૂંટણી પંચે ગંભીર નોંધ લઇ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પાસે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. સુઓમોટો એટલે કોઇ ફરિયાદી વગર ચૂંટણી પંચે જાતે જ ઘટનાની નોંધ લઇને ફરીયાદ દાખલ કરી છે.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી, જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું  કે કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે એવું કહ્યું હતું કે, રાહુલ જ્યારે નાના હતા અને દૂધ પીતા હતા ત્યારે પણ તેમના રક્ષણ માટે કમાન્ડો રહેતા હતા ત્યાર બાદ તેમણે માફી  પણ માગી હતી. ઉપરાંત તેઓએ ફરીથી તાજેતરમાં એવું કહ્યું કે, રાજીવ ગાંધી જુઠા હતા. તેમનો પુત્ર પણ જુઠો છે અને પુત્રી પણ જુઠી છે. જેને લઇને પણ ભારે હોબાળો મચ્યો હતો. હવે ફરીથી સુરતની જાહેરમાં કોંગ્રેસની આલોચના કરતા તેઓએ કોંગ્રેસને હરામજાદા જેવા શબ્દથી નવાજ્યા હતા.

કોંગ્રેસીઓ પણ પોતાનું વજુદ બતાવવા ભાજપીઓને

શરમાવે તેવા નિવેદનો કરી રહ્યા છે

કોંગી ધારાસભ્ય ગેનીબેન, નેતા મોઢવાડિયાની અભદ્ર ટિપ્પણી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બેફામ કરેલા નિવેદનોએ ભાજપીઓને વધુ ઉશ્કેર્યા છે.

થરાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયના આરંભ પ્રસંગે વાવના ધારાસભ્ય  ગેનીબેને વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા કહ્યું કે, કાળું નાણું  5 વર્ષમાં તમારા રાજમાં આવ્યું નથી પરંતુ મારે એમને સીધુ પૂછવું છે કે કાળું નાણું બહારથી લાવવા કોણે, એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા.  આમ ગેનીબેન અભદ્ર શબ્દો બોલીને વડાપ્રધાનની ગરીમા જાળવી ન હતી. અગાઉ પણ ગેનીબેન પોતાના વિવાદિત વિધાનોના કારણે અનેક વખત ચર્ચામાં રહેલા છે.

એવી જ રીતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ડીસા ખાતે સભાને સંબોધતા કહ્યું કે, એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી 56 ઇંચની, અમારા સાહેબની છાતી 100 ઇંચની. કોઇ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય 36 ઇંચની, ઠઠના પહેલવાન હોય એની છાતી 42 ઇંચની હોય અને 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને 100 ઇંચની છાતી પાડાની હોય.

April 10, 2019
congressMLa.jpg
1min5520
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.
April 10, 2019
voting.jpg
1min6010

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની તા. 8મી એપ્રિલને છેલ્લો દિવસ હતો ત્યારે કુલ452 ઉમેદવારોમાંથી 81 ઉમેદવોરોએ ઉમેદવારી પરત ખેચતા હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. જેના કારણે હવે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

રાજ્યની ર6 બેઠક પૈકી સુરેન્દ્રનગર, જામનગરમાં સૌથી વધુ અને પંચમહાલ, દાહોદ, ખેડામાં સૌથી ઓછા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતર્યા છે. દરમ્યાન ચૂંટણીપંચ દ્વારા સુરેન્દ્રનગર-ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ)માં વધારે ઉમેદવારો હોઇ જે તે વિધાનસભા વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. એટલે કે આ ત્રણે બેઠક પર બે બેલેટ યુનિટ રાખવામાં આવશે.

તા.8મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ 452 ઉમેદવારોમાંથી 81 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેચતાં હવે કુલ 371 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

રાજ્યની સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાંથી સૌથી વધુ 31 ઉમેદવાર છે. આ બેઠક પર ઉમેદવારની સંખ્યા પંદરથી વધારે હોઇ ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકદીઠ બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટ મૂકીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત આરંભાઇ છે. જ્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસના સી. જે. ચાવડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જોકે ગાંધીનગરમાં કુલ 34 ઉમેદવાર પૈકી 17 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતાં હવે કુલ 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

આ બેઠક પર પણ 1પથી વધુ સંખ્યામાં ઉમેદવાર હોઇ ત્યાં મતદાન મથકદીઠ બે બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે.