CIA ALERT

Blog - Page 528 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 28, 2019
rahul_gandhi-1.jpg
1min9900

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે છેલ્લાં 70 વર્ષ (કૉંગ્રેસના શાસનકાળના) દરમિયાન કોઇએ નૉટબંધી અને ‘ગબ્બર સિંહ ટૅક્સ’ (વસ્તુ અને સેવા કર – જીએસટી) જેવી મૂર્ખામી કોઇએ નહોતી કરી. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારી નોકરીમાં ખાલી પડેલી 22 લાખ જગ્યા ભરવા નથી માગતા, પરંતુ જો અમારો પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવશે તો અમે એક જ વર્ષમાં આ 22 લાખ સરકારી નોકરી આપીશું અને પંચાયતોમાં 10 લાખ નોકરી આપીશું.

કૉંગ્રેસના પ્રમુખે જાહેરસભાને સંબોધતા સવાલ કર્યો હતો કે અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેલમાં છે કે જેલની બહાર? તેમણે જણાવ્યું હતું કે ચોકીદાર (નરેન્દ્ર મોદી)એ રાયબરેલી અને અમેઠીમાં કારખાના અને રોજગારીની ‘ચોરી’ કરી છે (એટલે કે છીનવી લીધા છે). રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો રાયબરેલીનો ખેડૂત રૂપિયા 20,000નું કરજ પાછું ચૂકવી ન શકે તો તેણે જેલમાં જવું પડે છે. જો અમારી સરકાર સત્તા પર આવશે તો આવું થવા નહિ દે. તેમણે જણાવ્યું હતું કે મોદીએ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં નાબૂદ કરવાના બહાના હેઠળ લોકોને મૂર્ખ બનાવ્યા હતા અને નૉટબંધી કરીને સામાન્ય જનતાને લાંબી કતારમાં ઊભી રહેવાની ફરજ પાડી હતી.

April 28, 2019
srilanka.jpg
1min8010

અમેરિકાએ પોતાના નાગરિકોને શ્રીલંકાના પ્રવાસે જવા સામે ચેતવણી આપી હતી. શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે થયેલા 8 ધડાકા અને હજી વધુ ત્રાસવાદી હુમલા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી અપાઇ હતી.

શ્રીલંકામાં ગયા રવિવારે 3 ચર્ચ, 3 પંચતારક હૉટેલ, એક પ્રાણીબાગ પાસે અને એક ઇમારતમાં થયેલા કુલ 8 ધડાકામાં ઓછામાં ઓછા 359 લોકો માર્યા ગયા હતા અને પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે શ્રીલંકાના પ્રવાસના જોખમનું સ્તર શુક્રવારે વધારીને ‘ત્રીજા સ્તર’નું કર્યું હતું. આ ઉપરાંત, શ્રીલંકામાં રહેતા જે અમેરિકાના સરકારી કર્મચારીઓના બાળકો શાળામાં જતાં હોય તેઓને સ્વદેશ જવાની સલાહ અપાઇ હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠનો શ્રીલંકામાં ફરી હુમલા કરે એવી શક્યતા છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાં પરિવહન કેન્દ્રો, બજારો, શૉપિંગ મોલ્સ, સરકારી કચેરીઓ, હૉટેલ્સ, ક્લબ્સ, રેસ્ટૉરાં, ધાર્મિક સ્થળો, બગીચા, મોટા સ્પૉટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ, વિમાનમથકો, હૉસ્પિટલો અને અન્ય જાહેર સ્થળે ત્રાસવાદી હુમલા થઇ શકે છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાંની સલામતીને લગતી હાલની પરિસ્થિતિને કારણે અમેરિકી નાગરિકોને તાકીદની સેવા પૂરી પાડવાની અમેરિકી સરકારની ક્ષમતા મર્યાદિત છે.

April 28, 2019
heatwave.jpg
1min6700

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

April 27, 2019
accident.jpg
1min12500
બે કાર વચ્ચેના અકસ્માતમાં નખત્રાણા પંથકના પટેલ પરિવારના ચાર સભ્ય, ગાંધીનગરના બે સગા ભાઇના મૃત્યુ
માણીયામિયાણા નજીકના હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
ગમખ્વાર અકસ્માતમાં’ હરીભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આજે બપોરે માળિયામિંયાણા-હળવદ સ્ટેટ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે પુરઝડપે જઇ રહેલી એક કાર રોડ ડિવાઇડર’ ઠેકીને સામેથી આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતના પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયુ હતું. બન્ને કારનો બુકડો બોલી ગયો હતો’ અને એક મહિલા અને ચાર પુરૂષના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માતનો મૃત્યુઆંક છ થયો હતો.
બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબીના એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં કચ્છના નખત્રાણા અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના હરીભાઇ દેવજીભાઇ, નરશીભાઇ હંસરાજભાઇ, નર્મદાબહેન નરશીભાઇ, દેવકીબહેન રામાણી અને ગાંધીનગરના સર્વિન શાહ, ચિરાગ શાહના મૃત્યુ થયાનું અને વિમળાબહેન હરીભાઇ પટેલને ગંભીર ઇજા થયાનું ખુલ્યું હતું. અકસ્માતમાં એક દંપતીનું મૃત્યુ થયાનું અને એક દંપતી ખંડિત થયાનું જણાવાય છે.
April 27, 2019
heatwave.jpg
1min5010

સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે, 44.2, કંડલા 44.1 અને અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટ 43.6 ડિગ્રીએ ધખધખ્યું

રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહ્યું છે. સુરેન્દ્રનગર આજે 44.4 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.’ રાજ્યના અન્ય શહેરોના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.
અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, જામનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન આગામી બે દિવસમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
શનિ-રવિવારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને લઇને’ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.27 અને 28 એપ્રિલના રોજ’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની’ રહેશે. આ બે’ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. વધતી જતી ગરમીને લઇ 108 ઇમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનાગર સમગ્ર જિલ્લામાં શનિવારે સીઝનની મહત્તમ ગરમી નોંધાઇ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આટલી ઉંચી ગરમીને કારણે સવારથી જ રસ્તાઓ પર સ્વયંભુ કરર્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સોરઠમાં એકાએક ગરમીમાં આવેલાં ઉછાળામાં વિક્રમી 43 ડિગ્રી મહત્તમ’ તાપમાન શનિવારે પણ નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી જતાં મોડાસા સહિતના શહેરોમાં કુદરતી કરફયુ જોવા મળ્યો હતો. જિલ્લામાં હીટસ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી પહોંચી જતાં આ સીઝનની વિક્રમી ગરમી નોંધાઇ હતી.
શહેરમાં 41 ડિગ્રી ગરમીએ તોબા પોકારાવી હતી ઉપરથી વીજ કાપ લાદવામાં આવ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
કચ્છ કાળઝાળ ગરમીથી લાલચોળ બની ગયું છે. પારો વર્ષોનો વિક્રમ વટાવવા આગળ વધી રહ્યો હોય તેમ આજે 44.2 ડિગ્રી તાપમાને ભુજ જાણે ભડકે બળ્યું હતું. કચ્છના અન્ય શહેરો પણ કાળઝાળ ગરમીમાં શેકાયા હતાં.
April 27, 2019
bitcoinamrely.jpeg
1min5870

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જોખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.

ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.

April 27, 2019
narayan.jpg
1min12320

લાંબા સમયથી દુષ્કર્મ સહિતના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસની છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ સુરતની સ્થાનિક અદાલતે નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો.

April 27, 2019
jalsankat.jpg
1min6050

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 27, 2019
N-Chandrababu-Naidu.jpg
1min9940

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રાબાબુ નાયડુએ ભારતીય ચૂંટણી પંચને અરજ કરી હતી કે ‘રાજ્યના વડા ચૂંટણી અધિકારી તેમના હદક્ષેત્રને ન વટાવે અને રાજ્ય સરકારની ગતિવિધિમાં અવરોધો ઊભા ન કરે એવો તેમને આદેશ આપો.’

નાયડુએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે જેમાં તેમણે આંધ્ર પ્રદેશના વડા ચૂંટણી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. 

નાયડુની ફરિયાદ એ છે કે આ અધિકારીએ મીડિયામાં અભદ્ર અને મનસ્વી ટિપ્પણી કરતા કહ્યું હતું કે ચૂંટણીના સમયગાળા દરમિયાન પોતાના વિભાગોની સમીક્ષા કરવાની મુખ્ય પ્રધાન પાસે સત્તા જ નથી.’

આંધ્ર પ્રદેશમાં 11મી એપ્રિલે વિધાનસભા તેમ જ લોકસભાની બેઠકો માટેનું મતદાન થયું હતું અને એના પરિણામો 23મી મેએ જાહેર થશે. નાયડુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘મેં પીવાનું પાણી, પોલાવરમ પ્રૉજેક્ટ, નવા પાટનગરનું બાંધકામ જેવા વિભાગોની સમીક્ષા મતદાન પછી શરૂ કરી હતી, પરંતુ વડા ચૂંટણી અધિકારીની કમેન્ટ્સ સાંભળીને મને આંચકો લાગ્યો હતો તેમ જ નવાઈ પણ લાગી હતી.

તેમને આવી કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી, કારણકે મુખ્ય પ્રધાન આવી મીટિંગોની સમીક્ષા ન કરી શકે એવી આચારસંહિતાને લગતી કોઈ જોગવાઈ હવે નથી.’

April 27, 2019
udhavmodi.jpg
1min9800

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 29મી એપ્રિલના રોજ છે, જેમાં મુંબઈની છ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકનો સમાવેશ થાય છે. મતદાનના બે દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મિડલ ક્લાસને નમન કરી ખાસ કરીને મુંબઈના સૌથી મોટા મતદાર વર્ગને સંબોધિત કર્યો હતો. મુંબઈના મતદારોમાં સૌથી મોટી સંખ્યા મિડલ ક્લાસની છે ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને રિઝવવાની પૂરી કોશિશ કરી હતી.

મુંબઈગરાઓના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંના લોકો દેશની હવા કઈ તરફ ચાલી રહે છે તે કળી જાય છે અને તેથી તેમણે કોને દેશ સોંપવો તે સારી રીતે ખબર છે. દેશની તમામ આર્થિક યોજનાઓની સફળતા માટે ટેક્સ આપનારા તમામ લોકોનો આભાર માની મોદીએ કરદાતાઓની નોંધ લીધી હતી. પોતાની લાક્ષણિક છટામાં ‘કસ કાય મુંબઈ’ થી શરૂઆત કરી હતી અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો વારાણસી આવવા માટે આભાર પણ માન્યો હતો.

સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરતાં કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મી શિવરાયાંચા માવળા આહે’. જે ભારત પર આંખ ઉઠાવશે તેને ઘરમાં જઈને મારશું. એક સમયે ચૂંટણી સમયે કૉ્ંરગ્રેસે આઈપીએલ મેચ સુરક્ષાના કારણોસર બંધ કરવા જણાવાયું હતું ત્યારે હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, વિવિધ તહેવારો મનાવાઈ રહ્યા છે અને આઈપીએલની મેચ પણ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જેટલા લોકો વડા પ્રધાનની રેસમાં ઊભા છે, તેમાં આતંકવાદને ખતમ કરવાની હિંમત નથી.

તેમણે મુંબઈમાં ચાલી રહેલી તમામ માળખાની યોજનાઓ વિશે વાત કરી હતી અને મુંબઈના લોકોની સુવિધાઓને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર પ્રાધાન્ય આપી રહી છે. તેમણે માછીમાર, ડબ્બાવાલા, ટેક્સીવાળા, પોલીસકર્મી, સફાઈકર્મી વગેરેનો આભાર માન્યો હતો કે તેમણે આ શહેરને ક્યારેય ધીમું પડવા દીધું નથી. સાધ્વી પ્રજ્ઞાએ નવેમ્બર 2008 હુમલાના શહીદ હેમંત કરકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું ત્યારે મોદીએ મુંબઈ પોલીસ અને સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જો પોલીસ આટલી સતર્ક ન હોત તો શહેરે આના કરતા પણ વધારે ખુવારી સહન કરવી પડી હોત.

કૉંગ્રેસને આડે હાથ લેતા તેમણે જમાવ્યું હતું કે આતંકવાદી હુમલો થાય ત્યારે માત્ર મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન બદલવાની સંસ્કૃતિ અમે બદલી છે અને ત્રાસવાદનો ખાતમો બોલાવી રહ્યા છીએ.

કૉંગ્રેસને ઝાટકતા તેમણે જણાવ્યું હતું કે 2014માં તેઓ સૌથી ઓછી 44 બેઠક જીત્યા હતા, 2019માં તેઓ સૌથી ઓછી બેઠક પર લડી રહ્યા છે. કૉંગ્રેસ 44માંથી 40 પર પહોંચશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે ભારત માટે આવનારા પાંચ વર્ષ એક અવસર સમાન છે અને સમગ્ર વિશ્ર્વ ભારત તરફ જોઈ રહ્યું છે ત્યારે દેશને એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે અને તે એનડીએ જ આપી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે ર્કૉંગ્રેસ 21મી સદીના મતદાર અને તેની અપેક્ષાને સમજવામાં નિષ્ફળ રહી છે અને માત્ર એક પરિવારની રાજકીય કારકિર્દી સંભાળવામાં આવી રહી છે. 2014માં મોંઘવારી ચૂંટણીનો મુદ્દો હતો, ત્યારે આજે વિપક્ષ પણ મોંઘવારીની વાત કરતો નથી કારણ કે દેશમાં પહેલીવાર મોંઘવારી સૌથી ઓછી છે અને વિકાસદર સૌથી વધારે છે. કૉંગ્રેસના મેનિફેસ્ટોમાં મિડલ ક્લાસ ક્યાંય નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુંબઈમાં મોદી અને ઠાકરે એક સાથે ઘણાં લાંબા સમય બાદ દેખાયા હતા. બીકેસી ખાતેનું મેદાન ખીચોખીચ ભરેલું હતું અને મોદીએ વિગતવાર ભાષણ આપી મુંબઈના યુતિના છ ઉમેદવારોને ચૂંટવાની અપીલ કરી હતી.