Blog - Page 417 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 18, 2019
aus.jpg
1min5750

ઑસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં સુધારિત નાગરિકત્વ ધારાને મુદ્દે ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ભારતના પ્રવાસ સામે ચેતવણી આપી હતી.

અગાઉ, અમેરિકા, યુકે, સિંગાપોર, કેનેડા અને ઇઝરાયલે પણ પોતાના નાગરિકોને આવી ચેતવણી ગયા અઠવાડિયે આપી હતી.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બરની પહેલાં નાસીને ભારત આવેલા હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની સુધારિત નાગરિકત્વ ધારામાં જોગવાઇ છે.

ઑસ્ટ્રેલિયાના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં અને ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય વિસ્તારોમાં નહિ જવાની સલાહ પણ અપાઇ હતી.

ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને ચેતવણી આપતા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગુવાહાટી સિવાયના આસામ, નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ અને તેઓના પાડોશી રાજ્યોમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ત્યાં નહિ જવાની નાગરિકોને સલાહ આપીએ છીએ.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુધારિત નાગરિકત્વ કાયદાથી ભારતના કોઇપણ વિસ્તારને માઠી અસર નહિ થાય.

તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત હિત ધરાવતા લોકો સમાજનું વિભાજન કરવા પ્રયાસ કરી રહ્યા છે અને તેથી જનતાએ અફવા પર ધ્યાન આપવું ન જોઇએ.

December 17, 2019
CR.jpg
1min9630

હોમલોન ધિરાણ પર 2.67 લાખ વ્યાજ સબસિડી નાની રકમ નથી

પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ કેન્દ્ર સરકારની આવાસ ધિરાણના વ્યાજ પર સબસિડી આપવાની યોજના હેઠળ પ્રતિ આવાસ રૂ.2.25 લાખથી લઇને રૂ.2.67 લાખ જેટલી જંગી રકમની વ્યાજ સબસિડી મળવાપાત્ર છે. આ યોજનામાં સૂરતની સેંકડો ફાઇલો અને દેશની હજારો ફાઇલો કેટલાક ટેકનિકલ કારણોસર અટકી જવા પામી છે.

નવસારીના સાંસદ સી.આર. પાટીલએ આજે આ મુદ્દે જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી આવાસ ધિરાણ વ્યાજ સબસિડી યોજનાના અમલીકરણ અંગેની કમિટીમાં છે અને આ યોજનાના અરજદારોને કયા કારણોસર લાભ મળતો અટકાવી દેવાયો છે એનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આવાસ ધારકોમાં પતિ-પત્નિ બન્નેનું નામ ન હોવાના કારણે તેમને આવાસ ધિરાણ વ્યાજ સબસિડી મળતી નથી.

સી.આર. પાટીલે ઉમેર્યું કે કેટલાક કારણો જેવા કે

  • ફક્ત પતિનું નામ આવાસ ધારક તરીકે દર્જ થયેલું હોય તેવા કિસ્સામાં
  • વિધુર હોય તેવા કિસ્સામાં
  • અપરણિત પુરુષ હોય તેવા કિસ્સામાં

આવાસ ધિરાણ સબસિડીનો લાભ અટકાવી દેવાયો હતો. સૂરતમાં આવી સેંકડો ફાઇલો અટકાવી દેવામાં આવી છે. સાંસદ સી.આર. પાટીલએ કહ્યું કે આ પ્રકારે લાભાર્થીઓને મળતો લાભ અટકાવી શકાય નહીં. આથી એકલા પુરુષ અરજદારો હોય તેવા કિસ્સામાં માતા, બહેન કે પુત્રીનું નામ સામેલ કરાવીને આવાસ ધિરાણ વ્યાજ સબસિડીનો લાભ આપવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરી દેવામાં આવી છે.

સી.આર. પાટીલે જણાવ્યું કે ટૂંક સમયમાં આ અંગેની માર્ગદર્શક સૂચનાઓ સમગ્ર દેશમાં જારી કરી દેવામાં આવશે. એકલા સૂરતના જ નહીં પણ સમગ્ર દેશના લોકોને આ યોજનામાં અટકેલા લાભો મળવા માંડશે.

December 17, 2019
libya.jpg
1min5030

સંયુક્ત રાષ્ટ્ર મુજબ લિબિયામાં આશરે નવ લાખથી વધારે લોકોને વર્ષ 2020માં માનવીય સહાયતાની જરુરત છે. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 

OCHAએ શુક્રવારે જણાવ્યું કે, લિબિયામાં લગભગ 897000 લાખ લોકોને માનવીય મદદની જરુરિયાત છે. આ તમામ લોકો સૌથી વધારે નબળા લોકો છે જેમને ગંભીર રીતે મદદની જરુર છે.  OCHA મુજબ આ એવા લોકો છે જે આંતરિક રીતે વિસ્થાપિત છે, દેશમાં પરત ફરનારા, બિન-વિસ્થાપિત પરંતુ સંઘર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓ છે.

OCHAએ જણાવ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત અને પરત ફરનારા આવા હજારો લોકો માટે સ્વચ્છ પેયજળ, ચિકિત્સા સેવા અને સુરક્ષિત આવાસ જેવી પ્રાથમિક જરુરિયાતો દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ખોરવાઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. 

સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે લિબિયામાં 6,55,000 શરણાર્થી અને પ્રવાસી છે જેમાં 48,000 શરણાર્થી રજિસ્ટર થયેલા છે.

December 17, 2019
kamrej.jpg
1min5280

કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસુલવાના નિર્ણયને છેવટે પાછો ખેંચવો પડ્યો છે, છેલ્લા કેટલાય દિવસ ટોલટેક્સ મુકિત માટે આંદોલન ચલાવતી ના કર સમિતિના આગેવાનો અને સામાન્ય જનતાની ન્યાયી લડતનો વિજય થયો છે, જેના પગલે નવા વર્ષથી જીજે-05 સિરિઝના સ્થાનિક વાહનચાલકોએ હવે કામરેજ ટોલપ્લાઝા પર કોઈ પણ ટોલટેકસ આપવાનો રહેશે નહિ. 

કામરેજ ટોલનાકા પર અત્યાર સુધી સ્થાનિક વાહનો જીજે-5 અને જીજે-19ને ટોલટેક્સમાંથી મુકિત અપાઈ હતી પરંતુ ફાસ્ટેગના અમલથી ટોલટેક્સ વસુલવાની શરૂઆત થનાર હતી. કેન્દ્ર સરકારના ફાસ્ટેગના નોટિફિકેશનના પગલે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસુલી કરવા નીકળેલા કારભારીઓની મુરાદ પર છેવટે પાણી ફરી વળ્યું છે. કેમકે છેલ્લા 15 દિવસથી ના કર સમિતિ દ્વારા ટોલટેક્સ નાબુદી માટે લડત ચલાવાઈ રહી હતી જે માટે સાંસદો દ્વારા પણ કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રી ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓની રજૂઆતને પણ કેન્દ્રએ યોગ્ય રીતે ધ્યાન પર નહિં લેતા ના કર સમિતિ 15મી ડિસેમ્બરના તેના ચક્કજામના કાર્યક્રમ માટે મક્કમ હતી.

તેથી જ 15મી હજારોની સંખ્યામાં લોકો વિરોધ માટે એકઠા થવાના હોવાથી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રજાનો મિજાજ અને તેમની લડતને ત્યારે સફળતા મળી જ્યારે ટોલટેકસના વિરોધમાં હાઈવે પર ચક્કાજામ કરવા એકઠા થયેલા ના કર સમિતિના આગેવાનો અને કાર્યકરોને ટોલપ્લાઝા મેનેજરે સ્થળ પર આવીને ખાતરી આપી કે જીજે-5 અને જીજે-19ના વાહનચાલકોને ટોલટેક્સમાંથી મુકિત આપવામાં આવી છે.  

આ જાતખાતરી બાદ જ આંદોલનને સમેટવામાં આવ્યું હતું.  સદર જાહેરાત બાદ ના કર સમિતિના આગેવાનો દ્ધારા  એક કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી. જ્યાં તેઓએ વિજયી લડત બાદ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી.

December 17, 2019
tapsi.jpg
1min5690

અનુભવસિંહાની તાપસી પન્નુને લીડ રોલમાં ચમકાવતી નવી ફિલ્મ ‘થપ્પડ’ 28 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે તેવું આજે જાહેર થયું છે. અનુભવસિંહાની પાછલી ફિલ્મ’ ‘આર્ટિકલ-15’ આ વર્ષે જ રિલીઝ થઇ હતી અને હિટ રહી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પોલીસ અધિકારીના પાત્રમાં હતો. વિવેચકોએ પણ આર્ટિકલ-15ની ભારોભાર પ્રશંસા કરી હતી. અનુભવસિંહા હવે ‘થપ્પડ’ લઇને આવી રહ્યાં છે. જેમાં તાપસી પન્નુ ઉપરાંત રત્ના પાઠક શાહ, માનવ કૌલ, દિયા મિર્ઝા, તન્વી આઝમી અને રામ કપૂર છે. ફિલ્મને ટી સિરીઝવાળા ભૂષણ કુમારે પ્રોડયુસ કરી છે.

December 17, 2019
amitshah.jpg
1min5410

ઝારખંડનાં પાકુડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. શાહે કહ્યું કે, ચાર મહિનાની અંદર આકાશને આંબતું ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.

શાહે કહ્યું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સો વર્ષોથી દુનિયાભરનાં ભારતીયોની માગણી હતી કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. હવે, ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. આ કોંગ્રેસ પક્ષ ન તો વિકાસ કરી શકે છે કે ન તો દેશને સુરક્ષિત કરી શકે છે, દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરી શકે છે ?

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યંy કે, દેશની દરેક વ્યક્તિ રામમંદિર બને તેવું ઈચ્છે છે, હવે અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી ઈમારત બનશે.

December 17, 2019
coldwave.jpg
1min6670

રાજ્યમાં કમોસમી વરસાદમાંથી મળેલી રાહત બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ પારો હવે 12થી પણ નીચે પહોંચી ગયો છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠુઠવાઇ રહ્યા છે. આગામી બે મહિના સુધી ગુજરાતના તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 9 ડિગ્રી નોંધાયું છે. સૂરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાનું કહેવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનો માહોલ

સૌરાષ્ટ્રમાં આજે સૌથી નિચુ તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે ગીરનાર પર્વત પર તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતુ. આ સિવાય સુરેન્દ્રનગરમાં 12.2, અમરેલીમાં 12.4, જામનગરમાં 14, ભાવનગરમાં 16.5 અને જૂનાગઢમાં 18.5 ડિગ્રી’ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 9.6 ડિગ્રી થઇ ગયું હતું. જ્યારે ડિસામાં પારો 10.6 રહ્યો હતો. ગાંધીનગરમાં 11.8 અને વીવીનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું.

ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફૂડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

December 17, 2019
government_gujarat.jpg
1min6030

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૭ નવેમ્બરે ૨૦૧૯ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો આખરે સરકારે સ્વીકાર કરીને હવે આ પરીક્ષા નવેસરથી લેવાનો નિર્ણય કર્યો છે.

કૉંગ્રેસે આ પરીક્ષામાં થયેલી ચોરીના સીસીટીવી કૂટેજ જાહેર કરીને આખી પરીક્ષા રદ કરવાની માગણી કર્યા બાદ યુવાનોએ ગાંધીનગર સહિતના સ્થળોએ દેખાવો અને ધરણાં કરીને આંદોલન શરૂ કર્યા બાદ સરકારે ગેરરીતિ સહિતના મુદ્દા માટે સીટની રચના કરીને તપાસ કરવાનું કામ સોપ્યું હતું.

16 ડિસેમ્બર 2019ને સોમવારે સીટના અહેવાલમાં પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાની બાબત બહાર આવી હતી. બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગ થઇ હતી.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ એ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે ૧૦ જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા.

સીટના રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેને સાચી પુરવાર કરવા માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વીડિયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ પડ્યું છે. તે સિવાય અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વૉટ્સએપ મારફતે પ્રશ્ર્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યા હતા અને તે તસવીરો થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગઇ હતી. એસઆઇટીએ આ બાબતની સચ્ચાઇ તપાસતા તે વાત પણ સાચી પડી હતી.

December 17, 2019
mamta.jpg
1min5640

પશ્ર્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવા કેન્દ્રને પડકાર ફેંકતાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્રમક સૂરમાં કહ્યું હતું કે, એન. આર. સી. અને નાગરિકત્વ સુધારા ધારાનો અમલ રાજ્યમાં કરાશે નહીં અને જો કરવો હશે તો મારી લાશ પરથી પસાર થઈને કરી શકશે.

મમતાએ કોલકતામાં સોમવારે મોટી રેલી યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે જૂજ લોકોને પૈસા આપીને ભાજપની કઠપૂતલી રાજ્યમાં હિંસા ફેલાવે છે.

મુસ્લિમ સમાજના મિત્ર બનીને રાજ્ય બહારનાં તત્ત્વો તોફાન કરે છે, એવો આક્ષેપ કર્યો હતો.

ટીએમસીના કાર્યકરોએ એનઆરસી અને સીએએ નહીં લખેલા બોર્ડ સાથે રેલી કાઢી હતી.

અસાઉદ્દીન ઓવૈસી સાથે મમતાનું શાબ્દિક યુદ્ધ ચાલે છે. તેમનો સીધો ઉલ્લેખ કર્યા

વિના કહ્યું હતું કે, લઘુમતીના મિત્ર બનીને બહારનાં તત્ત્વો હિંસા ફેલાવે છે તેના ટ્રેપમાં નહીં ફસાવા જનતાને કહ્યું હતું.

હું જીવીશ ત્યાં સુધી એનઆરસી અને સીએએનો અમલ રાજ્યમાં કરવા દઈશ નહીં એવી ધમકી આપી હતી. રાજ્ય સરકારને બરખાસ્ત કરો અથવા મને જેલના સળિયા પાછળ ધકેલશે તો પણ કાળો કાયદો અમલી બનાવીશ નહીં.

કેન્દ્ર જો અમલ કરાવશે તો મારી ડેડબોડી પરથી જ કરી શકશે. રાજ્યમાંથી કોઈને બહાર કરાશે નહીં. કાર્યકરોને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે.

અમુક ટ્રેન બાળવાની ઘટના બન્યા બાદ કેન્દ્રે રાજ્યની ઘણી ટ્રેન સેવા સ્થાગિત કરી છે. કાર્યકરોને લોહીથી પત્ર લખીને રાષ્ટ્રપતિને મોકલવા વિનંતી કરાઈ છે.

પ. બંગાળના રાજ્યપાલે મમતાની રેલીને ગેરબંધારણીય અને ઉશ્કેરણીજનક ગણાવી છે.

December 17, 2019
caa.jpg
1min6460

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકોના જીવ અને સંપત્તિની રક્ષા માટે હિંસા અને બોગસ સમાચાર રોકવાની સલાહ આપતો શ્ર્વેતપત્ર જાહેર કર્યો હતો.

શ્ર્વેતપત્રમાં ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોશિયલ મીડિયા અને અન્યત્ર લોકોને ભડકાવે એવા બોગસ સમાચાર ફેલાતા રોકવાની અને એ માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપી છે.

દેશના કેટલાક ભાગોમાં નાગરિકત્વના મામલે ફાટી નીકળેલી હિંસા અને સંપત્તિને કરવામાં આવેલા નુકસાનને ધ્યાનમાં લઇને આ ઍડવાઇઝરી જાહેર કરી હોવાની વાત ગૃહ મંત્રાલયે જણાવી હતી. કાયદો અને વ્યવસ્થા તથા સમાજમાં શાંતિ જળવાઇ રહે એ માટે બધા જ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્કતાની દૃષ્ટિએ યોગ્ય પગલાં લેવાની વિનંતી પણ કરવામાં આવી છે.