CIA ALERT

Blog - Page 316 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 29, 2020
vinesh-phogat-2-1280x720.jpg
1min5780

દિગ્ગજ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવિયો છે. તેને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જ ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવાની હતી. તેને વર્ષ 2016માં પણ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારના રોજ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે તેની પસંદગી દેશમાં ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત થવા માટે કરવામાં આવી હતી. હાલમાં તે પોતાના કોચ ઓમ પ્રકાશની દેખ-રેખ હેઠળ સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી.

ફ્રીસ્ટાઈલ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલ પુરસ્કારોની તૈયારીઓ અંતર્ગત મારો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોનીપતમાં કોરોના માટે મારો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. ભગવાન ઈચ્છશે તો હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.

હરિયાણાની 26 વર્ષીય વિનેશ ફોગાટ એ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા હતા. તેમજ ગયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે પણ તે ક્વોલિફાય થઈ હતી.

August 28, 2020
csk.jpg
1min6680

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચેલી ભારતની આઠ ટીમો પૈકી દુબઇ ખાતે 7 દિવસનો ફરજિયાત કોરન્ટાઇન પિરીયડ પૂરી કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણેક સભ્યોને કોરોના થયો હોવાની પુષ્ટી થતાં જ આઇ.પી.એલ. ઇવેન્ટ સામે મોટું જોખમ ઉભું થયું છે. ચેન્નઇ ક્રિકેટ ટીમના કયા સભ્યોને કોરોના થયો એ સત્તાવાર ઘોષિત થયું નથી પરંતુ, ફાસ્ટ બોલર ચહર તેમજ અન્ય ક્રુ મેમ્બર્સને કોરન્ટાઇન પીરીયડ પૂરો થવાના છેલ્લા દિવસે જ કોરોના હોવાનું ટેસ્ટિંગમાં જણાયું છે.

મળતી માહિતી મુજબ હવે ચેન્નઇ ક્રિકેટ ટીમના તમામે તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના તમામને વધુ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા બનાવવામાં નિયમો અંતર્ગત છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટીન સમય પૂરો કરી દીધો હતો. આઈપીએલનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે.

આઇપીએલ શરૂ થવા પહેલા જ જોખમ

યુએઈમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનની શરૂઆત પહેલા જ લીગને કોરોના વાયરસે મોટું જોખમ ઉભું કરી દીધું છે. કોરોના વાયરસના કારણે લીગ શરૂ થવામાં વિલંબ થયો છે અને તેને ભારતની બહાર રમાડવાની ફરજ પડી છે. જોકે, હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેન્નઈ ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે ટીમ આજે તા.27મી ઓગસ્ટને શુક્રવારથી દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી.

August 28, 2020
CIA_Live_Logo_New2.jpg
2min15730

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.28મી ઓગસ્ટના રોજ ગઇ તા.24મી ઓગસ્ટે લીધેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વિષયવાર પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આ આન્સર કી નીચે પ્રમાણે છે.

ગણિત વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)

બાયોલોજી વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)

જે વિદ્યાર્થીઓને આન્સર કી માં પ્રોબ્લેમ હોય તેઓ વાંધા અરજી તા.1લી સપ્ટેમ્બર સુધીમાં મોકલાવી શકે છે

August 28, 2020
real_cia-1-1280x1022.jpg
1min8100

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના એક્ટીવ કેસોમાં ભારત તા.28મી ઓગસ્ટ 2020ના રોજ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયું છે. એક્ટીવ કેસો અને કુલ કેસોમાં હવે ભારતથી આગળ અમેરીકા રહ્યું છે.

વર્લ્ડો મીટરના આંકડા મુજબ તા.28મી ઓગસ્ટે બપોરે 1 કલાકે ભારતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 7 લાખ 45 હજાર 540 થઇ હતી. જ્યારે અત્યાર સુધી ભારતથી આગળ ચાલતા બ્રાઝીલમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા 6 લાખ 98 હજાર 517 થઇ છે. આમ, બ્રાઝીલમાં કુલ કોરોના કેસ ભલે ભારત કરતા વધુ હોય પરંતુ, એક્ટીવ કેસોમાં હવે ભારત અમેરીકા પછી બીજા નંબરે પહોંચ્યું છે.

વિશ્વમાં સૌથી વધુ કોરોના એક્ટીવ કેસ અમેરીકામાં છે. તા.28મી ઓગસ્ટ 2020ની લેટેસ્ટ માહિતી મુજબ અમેરીકામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 25 લાખ 15 હજાર 137 છે. જે ભારતથી સાડા ત્રણ ઘણી વધુ છે.

કોરોનાની સંખ્યામાં વિશ્વના ટોચના પાંચ દેશોની સંખ્યા

વિશ્વમાં કુલ કોરોના એક્ટીવ કેસોની સંખ્યા 67 લાખ 3 હજાર 590 છે.

August 28, 2020
kanji_bhalala_cialive.jpg
1min13160

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને વરાછા બેંકના યશસ્વી ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાની સુરત નાગરિક સંરક્ષણ દળના (સિવિલ ડિફેન્સ સુરત યુનિટ) ચીફ વોર્ડન તરીકે તેમજ યુવા આગેવાન વિજય છૈરાની ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકેની વરણી કરવામાં આવી છે. બન્ને મિત્રો પ્રજાકીય કાર્યોમાં જીવન સમર્પિત કરી રહ્યા છે જ, એમા બે મત નથી.

સુરત સિવિલ ડિફેન્સ યુનિટના ચીફ વોર્ડન

કાનજીભાઇની વાત કરીએ તો કાનજીભાઇ ભાલાળાએ સુરતને કર્મભૂમિ બનાવી ત્યારથી જ તેઓ સામાજિક કાર્યોમાં એટલા ડૂબેલા રહ્યા છે કે કદાચ તેઓ તેમના પરિવારજનોને પર્યાપ્ત સમય આપી શક્તા નથી. વરાછા રોડ પર કાનજીભાઇ ભાલાળાને સામાજિક ક્રાંતિના પ્રણેતા ગણવામાં આવે છે અને આ દરજ્જો યથાયોગ્ય છે.

સિવિલ ડિફેન્સ સુરત યુનિટ હવે ધમધમતું જોવા મળશે. ખાસ કરીને આકસ્મિક સંજોગોમાં વહીવટીતંત્રને સમાંતર બચાવ-રાહતની કામગીરીમાં સિવિલ ડિફેન્સ કાનજીભાઇની ટીમ પણ જોવા મળશે એમાં બે મત નથી.

સી.આઇ.એ લાઇવ પરિવાર માને છે કે કાનજીભાઇ ભાલાળાને સામાજિક કાર્યની જવાબદારી આપવી એનાથી વિશેષ તેમનું જાહેર બહુમાન ન હોઇ શકે. સન્માનિય વ્યક્તિત્વ તેઓ દ્વારા કરવામાં આવી રહેલા સામાજિક કાર્યોથી પ્રજવળિત છે જ અને કાનજીભાઇ પોતે એવું દ્રઢ પણે માને છે કે બહુમાન, સન્માન કરવા કરતા સામાજિક કાર્ય, પ્રજાહિતના કાર્યની જવાબદારી એ તેમના માટે વિશેષ બહુમાન બરાબર છે.

સુરત સિવિલ ડિફેન્સ યુનિટના ડેપ્યુટી ચીફ વોર્ડન

1967માં સુરતમાં સિવિલ ડિફેન્સની સ્થાપના કરવામાં આવી હતી

1967માં સુરત સમીપ વિસ્તરેલા હેઝાર્ડસ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સિવિલ ડિફેન્સની રચના તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આકસ્મિક કે અકસ્માતજન્ય સ્થિતિ સર્જાય ત્યારે વહીવટીતંત્રો, પોલીસની સાથે સ્વૈચ્છીક વોર્ડન શ્રેષ્ઠ કામગીરી કરી શકે એ હેતુથી સિવિલ ડિફેન્સ સુરત યુનિટને આકાર આપવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ સુરત સિવિલ ડિફેન્સના મુખ્ય નિયંત્રક હોય છે. સુરત સિવિલ ડિફેન્સનું સ્ટ્રક્ચર એવું છે કે દરેક પોલીસ મથક વાઇઝ ડિવિઝન હોય છે અને દરેક ડિવિઝનના વડાને ડિવિઝનલ વોર્ડન કહેવામાં આવે છે. તમામ ડિવિઝન વોર્ડનની ઉપર વાઇસ ચેરમેન અને ચેરમેન કાર્ય કરતા હોય છે.

કાનજીભાઇ ભાલાળા 2006થી સિવિલ ડિફેન્સમાં જોડાયેલા છે.

August 28, 2020
corona_india.jpg
1min4670

ભારતમાં છેલ્લા બે દિવસોમાં કોરોના વાયરસની મહામારીનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે કોવિડના 76 હજારથી વધારે કેસ મળી આવ્યા છે. બુધવારે જ્યાં 76,014 નવા કેસ નોંધાયા હતા, તો ગુરુવારે પણ 76,489 કેસ સામે આવ્યા, જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા હાઈએસ્ટ કેસ છે. આટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં વાયરસથી 1081 મોત થયા છે, જે એક દિવસમાં થયેલા મોતનો બીજો સૌથી મોટો આંકડો છે.

આ સાથે જ ઓગસ્ટમાં અત્યાર સુધી 16,86,162 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડો લગભગ તમામ પાછલા મહિનાઓમાં સામે આવેલા કેસની સંખ્યા (16,94,918) બરાબર છે. મહિનામાં કોવિડ-19ના મોતનો આંકડો 25,000ને પાર કરી ગયો છે. જુલાઈમાં 19,122 મોત થયા હતા. છેલ્લા બે દિવસોમાં નવા કેસોમાં વધારાના કારણે મંગળવારથી લગભગ 35,000 સક્રિય કેસોમાં વૃદ્ધિ થઈ છે, જે હાલના દિવસોમાં સૌથી વધારે છે.

એક દિવસમાં ત્રીજો સૌથી મોટો આંકડો
દેશમાં હાલ 7.4 લાખથી વધારે કોરોનાના કેસ એક્ટિવ છે, જ્યારે રિકવરી 25.8 લાખ સુધી પહોંચી છે. દેશમાં નવા નોંધાયેલા કેસનો આંકડો દુનિયામાં એક દિવસમાં સામે આવેલા ત્રીજા સૌથી વધુ કેસ છે. જ્યારે પહેલા બંને નંબર માત્ર અમેરિકાના (25 જુલાઈએ 78,427 અને 17 જુલાઈએ 76,730) કેસનો છે. આ આંકડા ourworldindata.org અનુસાર છે.

ભારતમાં કોરોનાના કેસ 33.8 લાખથી વધારે થઈ ગયા છે, જ્યારે મોતનો આંકડો 61,621 છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે સૌથી વધારે 14,718 નવા કેસ સામે આવ્યા છે. જોકે બુધવારે નોંધાયેલા 14,888થી તે ઓછા કહી શકાય. જ્યારે મૃતકોની સંખ્યા 355 રહી. આંધ્ર પ્રદેશમાં 10,000થી વધારે કેસ (10,621) નોંધાયા. જ્યારે કર્ણાટકમાં 9,386 નવા કેસ નોંધાયા. આ પહેલીવાર છે જ્યારે અહીં એક જ દિવસમાં 9000થી વધુ કેસ નોંધાયા હોય. ઉપરાંત રાજ્યમાં 141 મોત થયા.

August 28, 2020
corona-gujarat.jpg
1min4890

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ મહાનગરો, જિલ્લાઓમાંથી નવા ૧૧૯૦ દર્દીઓ મળી આવ્યા છે એની સામે ચોવીસ કલાકમાં વધુ ૧૧૯૦ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ સાજાં થઇ જવાથી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, આ સમયમાં સુરતમાં વધુ ૫, અમદાવાદ અને રાજકોટમાં ૩-૩, વડોદરા, અમરેલી, આણંદ, કચ્છ, પાટણ અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૧૭ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯ના કારણે થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ સાથે રાજ્યમાં કોરોનાના ચેપગ્રસ્તો શોધવા માટે ચાલી રહેલી વ્યાપક ટેસ્ટીંગ ઝુંબેશના પગલે કુલ ટેસ્ટનો આંક ૨૦ લાખને પાર થઇ ગયો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંક પણ વધીને ૯૧૩૨૯ થયો છે જ્યારે સાજા થનારાની સંખ્યા ૭૩૫૦૧ થઇ છે. જોકે, મૃત્યુ આંક ૨૯૬૪ સુધી પહોંચ્યો છે જે ૩.૪ ટકા જેટલો થવા જાય છે. જુલાઇ મહિનાની સરખામણીમાં મૃત્યુનું દૈનિક સ્તર ખાસ્સું ઘટ્યું છે એવો દાવો સરકારે કર્યો છે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત દર્દીઓમાં સુરતમાં કુલ ૨૫૩ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૬૪ કેસનો સમાવેશ થાય છે અને ૩ દર્દીના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સતત બીજા દિવસે નવા ૮૯ કેસ મળ્યા છે અને બે દર્દીના અવસાન થયા છે. અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૩ કેસ મળ્યા છે અને ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ નવા કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા વીસ કેસ તો ગ્રામ્યમાંથી ઘટીને ૮ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરામાં સતત વધતાં કેસ વચ્ચે નવા ૮૯ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી બીજા દિવસે નવા ૩૪ કેસનો ચિંતાજનક ઉમેરો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૭૯ કેસ અને ગ્રામ્યમાંથી ૧૦ કેસ મળી ૮૯ કેસનો ઉમેરો થયો છે. રાજકોટ શહેરમાંથી ૬૬ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ ગ્રામ્યામંથી નવા ૩૦ કેસ અને એક દર્દીનું મૃત્યુ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી નવા ૩૦ અને ગ્રામ્યના ૨૧ મળી કુલ ૫૧ કેસ, જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાંથી નવા ૩૦ કેસ, પંચમહાલમાંથી ૨૮, કચ્છમાંથી ૨૭, મોરબીમાંથી ૨૪, ભરૂચ અને મહેસાણામાંથી ૨૧-૨૧ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી વધુ ૧૯ કેસ, બનાસકાંઠા, દ્વારકા, ગીર સોમનાથમાંથી ૧૭-૧૭ કેસ સત્તાવાર જાહેર કરાયા છે. પાટણ જિલ્લામાંથી નવા ૧૬ કેસ નોંધાયા છે જ્યારે બોટાદ અને નર્મદામાંથી ૧૪-૧૪ કેસ ઉમેરાયા છે. નવસારીમાંથી ૧૨, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૧-૧૧ કેસ, ખેડામાંથી નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ડાંગ, સાબરકાંઠા અને તાપીમાંથી ૭-૭ નવા કેસ નોંધાયા છે. પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાંથી નવા ૫-૫ કેસ તેમજ અરવલ્લીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭૬,૨૨૭ ટેસ્ટ કરાયા હતા એ સાથે કુલ આંક ૨૦,૪૫,૯૫૧ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૪૮૬૪ સુધી પહોંચી છે તો એમાંથી ૯૧ દર્દી વેન્ટીલેટર ઉપર રાખવા પડ્યા છે અને બાકીના ૧૪૭૭૩ સ્ટેબલ હોવાનો દાવો કરાયો છે.

August 27, 2020
viratkohli.jpg
1min6560

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક અને સફળ કેપ્ટન વિરાટ કોહલી હાલ આઇ.પી.એલ. 2020 રમવા માટે યુએઇમાં છે, આજરોજ તા.27મી ઓગસ્ટે સવારે 11 કલાકે તેમણે ટ્વીટ કરીને એ વાત જાહેર કરી દીધી છે કે તે અને અનુષ્કા હવે ત્રણ બનવા જઇ રહ્યા છે. 2021 જાન્યુઆરીમાં તે આવી રહ્યું (બેબી) છે.

વિરાટ કોહલીએ કરેલું આ ટ્વીટ એટલું ઝડપથી વાઇરલ થયું કે ન પૂછો વાત. સમગ્ર વિશ્વભરમાં લોકોએ વિરાટ કોહલીના આ ટ્વીટને રીટ્વીટ કરવા માંડ્યું. વિરાટ અને અનુષ્કા ભારતમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત સેલિબ્રિટી છે.

આ રીતે વિરાટ કોહલીએ જાણકારી આપી

August 27, 2020
daru4.jpg
1min638

દારુના શોખીન હવે તો સુરત નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતના દારૂના શોખીન લોકોને કદાચ આ સમાચાર થોડી ઠેસ જરૂર પહોંચાડશે. પણ દારુબંધીનો કડક અમલ કરાવતા ગાંધીનગર જિલ્લામાં 8 પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના સૌથી મોટા જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો છે.

1.45 લાખ દારુની બાટલીઓ હતી

473 ગુનાઓમાં ઝડપાઇ હતી દારૂની બાટલીઓ

4 કરોડ 78 લાખ 67 હજાર 438 રૂપિયાનો દારુ હતો

ગાંધીનગર સબડિવિઝન વિસ્તારમાં આવતા 8 પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન કરવામાં આવેલા પ્રોહિબિશનના કુલ 473 કેસોમાં દારુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. કુલ 1,45,188 જુદી જુદી બ્રાન્ડની દારુની બોટલોની કુલ બજાર કિંમત રૂ.4.78 કરોડ જેટલી થવા જાય છે.

રાજ્ય સરકારની કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત જે દારુનો જથ્થો પોલીસ ઝડપી પાડે છે તેનો નાશ કરવામાં આવે છે. આ જોગવાઇ અંતર્ગત ગતરોજ દારુના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો કચ્ચરઘાણ કાઢી નાંખવામાં આવ્યો હતો.

August 27, 2020
harsh_shanghvi_CiA_live-1.jpg
1min1230

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો એ દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઇને ફૂડપેકેટ વિતરણની કામગીરીમાં શહેર, રાજ્ય જ નહીં બલ્કે દેશમાં સૌથી વધુ અને સતત વ્યસ્ત રહેલા સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી તેમણે ખુદ ટ્વીટર પર આપી હતી. તેમણે અપીલ કરી હતી કે પાછલા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઇન થઇને પોતાનો ટેસ્ટ પણ કરાવી લે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કર્યો છે.