CIA ALERT

Blog - Page 302 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 7, 2020
blackhole-nobel.jpg
1min5750

બ્લૅક હૉલને લગતી શોધો માટે ત્રણ વિજ્ઞાનીઓને આ વર્ષે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રોયલ સ્વીડિશ ઍકેડેમી ઑફ સાયન્સિઝે જણાવ્યું હતું કે આ વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોજર પેનરોઝ, રિનહાર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ઘીઝને આપવામાં આવશે. રોજર પેનરોઝને અડધું ઇનામ મળશે અને બાકીનું ૫૦ ટકા ઇનામ રિનહાર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ઘીઝને સંયુક્ત રીતે આપવામાં આવશે. બ્લૅક હોલ એ સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનું સીધું પરિણામ છે એ સાબિત કરવા બદલ બ્રિટનના રોજર પેનરોઝને ભૌતિકશાસ્ત્રનું નોબેલ ઇનામ આપવામાં આવશે.

October 7, 2020
dinesh_navadia_cialive.jpg
1min8030

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો 80મો પદગ્રહણ સમારો આજરોજ તા.7મી ઓક્ટોબર 2020ની શમી સાંજે યોજાઇ રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૦–ર૧ માટેના વરાયેલા પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા અને ચૂંટાયેલા ઉપપ્રમુખ શ્રી આશિષ ગુજરાતી મર્યાદિત આમંત્રિતો વચ્ચે પદગ્રહણ કરશે. સાથે જ દિનેશ નાવડીયાની ટીમમાં નિખીલ મદ્રાસી સેક્રેટરી તરીકે, મનીષ કાપડીયા ખજાનચી તરીકે તથા અન્ય ટીમ મેમ્બરો જુદી જુદી જવાબદારી સાથે કામકાજ શરૂ કરશે.

ન ભૂતો ન ભવિષ્યતિ જેવા પડકારો વચ્ચે SGCCIનું સુકાન સંભાળી રહ્યા છે દિનેશ નાવડીયા

SGCCIમાં હાલ ન ભૂતો ન ભવિષ્યતિ જેવા પ્રતિકુળ સંજોગો જોવા મળી રહ્યા છે. હાલ ચેમ્બરની આવક ઝીરો છે. SGCCIની જે મિલકતો ભાડે અપાયેલી હતી એ તમામ ભાડુઆત સંસ્થાઓ ખાલી કરી ગયા છે, બીજી તરફ હાલની સ્થિતિમાં એકેય એક્ઝિબીશન થયા નથી કે તેની આવક ચેમ્બરને મળી રહે. આમ સાવ ઝીરો ઇન્કમ વચ્ચે અને પેન્ડેમિકની કપરી પરિસ્થિતિમાં દિનેશ નાવડીયા પોતાની ટર્મ શરૂ કરી રહ્યા છે. આમ છતાં દિનેશ નાવડીયાએ જે પ્રકારે હીરા ઉદ્યોગ માટે કામગીરી કરી છે એ જોતા તેમના શુભેચ્છકોનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના વેપાર વાણિજ્યના વેલ્ફેર માટે દિનેશ નાવડીયાની SGCCIમાં ટર્મ યાદગાર બની રહેશે.

ટેક્સટાઇલ-હીરા ઉદ્યોગની સાથે દક્ષિણ ગુજરાતના દરેક ધંધા-રોજગારના વેલ્ફેર માટે કામ કરશે દિનેશ નાવડીયાની ટીમ

SGCCIમાં એવું જોવાયું છે કે મોટા ભાગે ટેક્સટાઇલ, બાંધકામ, ઓટો, ઝવેરાત જેવા ઉધોગો માટે જ પ્રદર્શનો, સેમિનારો, મેળાવડા થતાં હોય છે પરંતુ દિનેશ નાવડીયાએ ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકેની કામગીરીમાં જ સંકેતો આપી દીધા છે કે ફક્ત ટેક્સટાઇલ, હીરા-ઝવેરાત કે બાંધકામ ઉદ્યોગ જ નહીં બલકે દક્ષિણ ગુજરાતના દરેકે દરેક ઉદ્યોગ, ધંધા, રોજગારોને સ્પર્શતી દરેક બાબતો કે જ્યાં SGCCIની મધ્યસ્થિ, પ્રતિનિધિત્વ, સંકલન, પ્રેઝન્ટેશન કોઇપણ પ્રકારે ભૂમિકાની આવશ્યકતા હશે ત્યાં SGCCIના દિનેશ નાવડીયાની ટીમ કાર્ય કરશે.

બર્થ ડે વીશ કન્સેપ્ટ વખાણી રહ્યા છે SGCCIના મેમ્બર્સ

SGCCIના પૂર્વ પ્રમુખ કેતન દેસાઇ રજા પર ઉતાર્યા અને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયાએ કામગીરી શરૂ કરી ત્યારે તેમણે SGCCIના કમિટી મેમ્બર્સને તેમના ઘરે જઇને SGCCI વતી બર્થ ડે વીશ કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. આ શરૂઆતને SGCCIના મેમ્બર્સ વખાણી રહ્યા છે. SGCCI વતી બર્થડે વીશની સાથે જ જે તે મેમ્બરને જુદી જુદી ગીફ્ટ સમાવતું એક હેમ્પર ભેંટ આપવામાં આવી રહ્યું છે.

પહેલીવાર SGCCI સ્ટાફ સાથે મિટીંગ યોજી

ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે અનેક નવા ચીલા ચાતરતા દિનેશ નાવડીયાએ પહેલીવાર SGCCI સ્ટાફ સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો જાણ્યા હતા. એક મેન્ટર તરીકેની ભૂમિકા ભજવવાના કોલ સાથે તેમને કોઇપણ તકલીફ હોય તો બેધડક જણાવવા કહ્યું હતું. SGCCI સ્ટાફને સ્પેસિફિક એપ્રોચ સાથે કામગીરી કરવાની સિસ્ટમ પણ તેઓ સુપેરે સેટ કરી શક્યા છે.

ઇન્સ્ટોલેશન સેરેમની પણ મર્યાદિત મહેમાનોની હાજરીમાં

કોવિડ– ૧૯ની સરકારની ગાઇડ લાઇન્સ મુજબ માત્ર ર૦૦ આમંત્રિતોને નિમંત્રવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેમ્બરના તમામ ૯ હજાર સભ્યોને ઝૂમ એપ દ્વારા નિમંત્રવામાં આવ્યા છે.

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા અતિથિ વિશેષ તરીકે સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની (આઈ.એ.એસ.) અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ (આઇ.એ.એસ.) સ્થાન શોભાવશે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min6400

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

October 6, 2020
hepatitis.jpeg
1min4580

અમેરિકાના હાર્વી જે. ઑલ્ટર તથા ચાર્લ્સ એમ. રાઇસ અને બ્રિટનના વિજ્ઞાની માઇકલ હાઉટનને હૅપટાઇટિસ-સી વાઇરસ શોધવા બદલ નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર મેડિસિન/ફિઝિયોલૉજી વિભાગમાં છે.

નોબેલ કમિટીના વડા થૉમસ પર્લમૅને સ્ટૉકહૉમમાં પારિતોષિક વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-ડબ્લ્યૂએચઓ)ના અંદાજ પ્રમાણે વિશ્ર્વભરમાં પ્રતિવર્ષ હૅપટાઇટિસ (યકૃતમાં દાહ કે સોજો)ના સાત કરોડ કેસ બનતા હોય છે અને આ બીમારીથી ચાર લાખ જેટલા લોકોના મૃત્યુ નીપજતા હોય છે. આ ગંભીર બીમારી યકૃત તથા કૅન્સરની વધુ ગંભીર બીમારીને જન્મ આપતી હોય છે.

સોમવારે આ પુરસ્કારોની જાહેરાત વખતે નોબેલ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે ‘ત્રણેય સંશોધકો અને વિજ્ઞાનીઓના આ કાર્યથી રક્ત-આધારિત હૅપટાઇટિસના મુખ્ય ોતનું વર્ણન કરવામાં ઘણી મદદ મળી છે. હૅપટાઇટિસ-એ અને હૅપટાઇટિસ-બી વાઇરસને લગતા સંશોધનો બાદ આવું

વર્ણન સંભવ નહોતું થયું, પરંતુ હવે હૅપટાઇટિસ-સી વાઇરસ શોધવા બદલ થઈ શક્યું છે. તેમના આ કાર્યને કારણે અત્યંત સંવેદનશીલ બ્લડ-ટેસ્ટ તથા દવા સંભવ બન્યા છે. આને કારણે લાખો લોકોના જાન બચી શકશે. આ નવી શોધને પરિણામે હવે પહેલી વાર હૅપટાઇટિસની બીમારીમાંથી દર્દી સાજો થઈ શકે એમ છે. વિશ્ર્વમાંથી હવે હૅપટાઇટિસ-સી વાઇરસ નાબૂદ થઈ

શકે એમ છે.’

નોબેલ પારિતોષિકના પ્રત્યેક વિજેતાને ગોલ્ડ મેડલની સાથે એક કરોડ સ્વિડીશ ક્રોનર (૧૧,૧૮,૦૦૦ ડૉલરથી પણ વધુ રકમ) મળે છે. નોબેલ પ્રાઇઝનો ઇતિહાસ ૧૨૪ વર્ષ જૂનો છે અને આ પુરસ્કારનું નામ સ્વિડનના આલ્ફ્રેડ નોબેલના નામ પરથી પડ્યું છે.

આ વર્ષે નોવેલ કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં લેતાં આ વખતે ખાસ કરીને તબીબી ક્ષેત્રના આ પુરસ્કારનું મહત્ત્વ વધી ગયું છે.

October 5, 2020
chirag-ram_1601729505.jpg
1min4870

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ રવિવારે જણાવ્યું હતું કે જેડી (યુ)ના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમને સ્વીકાર્ય નથી.

Bihar Assembly election 2020: With NDA or solo, LJP to decide today | India  News | Zee News

એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાનના નેતૃત્વમાં મળેલી પક્ષની સંસદીય સમિતિની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

અને જણાવવામાં આવ્યું હતું કે તેમના બધા વિધાનસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કામ કરશે. એનડીએ બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે એવી ભાજપે અગાઉ જાહેરાત કરી હતી.

October 4, 2020
dinesh_navadia_cialive.jpg
2min7930
  • 4/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી ચૂંટાઇ આવ્યા
  • 5/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની AGM
  • 6/10 એ વિજયી મૂહૂર્તમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI દિનેશ નાવડીયાની ટીમ ચાર્જ ગ્રહણ કરશે
  • 7/10 બુધવારે 7/10 બુધવારે પ્લેટીનમ હોલ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI નવા પ્રમુખ તરીકે દિનેશ નાવડીયા માટે ઇન્સ્ટોલેશન સેરેમની
  • દિનેશ નાવડીયાની ટીમમા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી, સેક્રેટરી તરીકે નિખીલ મદ્રાસી અને ખજાનચી તરીકે મનીષ કાપડીયા ચાર્જ ગ્રહણ કરશે

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયા આગામી તા.7મી ઓક્ટોબરને બુધવારે સત્તાવાર રીતે ચાર્જ લેશે. દિનેશ નાવડીયા સાથે તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ પ્લેટિનમ પ્લાઝા ખાતે યોજાશે. દિનેશ નાવડીયાને એક મહિના માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ બનાવાયા હતા એ સમય દરમિયાન જ તેમણે ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિઓને એવી ધમધમાવી દીધી હતી કે તેમના વિરોધી જૂથે તરકટ રચીને પ્રમુખ પદથી દૂર રાખવાના પ્રયાસો કરી જોયા હતા. પરંતુ, વિરોધીઓની એકેય કારી કારગત નિવડી ન હતી.

આજરોજ તા.4 ઓક્ટોબર 2020ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયા બાદ આવતીકાલ તા.5મી ઓક્ટોબર 2020ના રોજ વર્તમાન પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની એન્યુઅલ જનરલ મિટીંગ ઝુમ એપ્લિકેશન પર યોજી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આશિષ ગુજરાતી વિજયી

અપેક્ષા મુજબ જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વિતેલા વર્ષથી જ દિનેશ નાવડીયા અને બીએસ અગ્રવાલની બનેલી ધરી શક્તિશાળી નિવડી છે અને સતત બીજા વર્ષે દિનેશ નાવડીયા જૂથે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી જીતી લીધી છે. જે રીતે પ્રચારમાં બન્ને ઉમેદવારો આશિષ ગુજરાતી અને મિતીશ મોદી વચ્ચે કાંટાની ટક્કર હોવાનો પ્રભાવ ઉભો કરાયો હતો એનાથી વિપરીત આશિષ ગુજરાતીએ આસાનીથી અને મોટા માર્જિન સાથે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી કમિટીના સભ્યો સર્વશ્રી હેતલ મહેતા અને શ્રી કમલેશ યાજ્ઞિકે પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને મિતીશ મોદીને સાથે રાખીને ખેલદીલીભર્યો માહોલ ખડો કર્યો હતો

આશિષ ગુજરાતીની જીત નિશ્ચિત હતી

સોમવારે 5/10 એ ચેમ્બરની AGM

October 4, 2020
guj.jpg
1min4900

ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકોની સરળતા અને લાભ માટે હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરને ગુજરાતી ભાષામાં હાઇ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશાનિર્દેશ આપ્યા છે.

ગાંધીજ્યંતીના દિવસે આ સુવિધા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેબસાઈટ પર ઓફિશિયલ અંગ્રેજી ભાષામાં ચુકાદા અને ઓર્ડર મૂકવામાં આવશે. હાઇ કોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.

ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે, જ્યારે હાઈ કોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.

October 4, 2020
tet.jpg
1min13120

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 4, 2020
HOME-LOAN-HIKE.jpg
1min4740

કોરોના કાળમાં બેંકોની લોનના હપ્તા ભરવામાં મળેલી રાહતના મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે છ મહિના સુધી રૂ.2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજ પરનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણયથી લોનધારકો તેમજ મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજનું વ્યાજ) માફ કરવા સહમત છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ માટે તેઓ સંસદ પાસેથી યોગ્ય અધિકાર માટે માંગ કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રૂ. 3.7 લાખ કરોડની મદદ થશે તેમજ હોમ લોનધારકોને અંદાજે 70,000 કરોડની રાહત મળી રહેશે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે ભારત સરકાર વતી દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કોરોનાને પગલે મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી લોનધારકોને મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય મોરેટોરિયમ લીધું હોય અથવા ના લીધું હોય તેવા તમામ લોનધારકો માટે લાગુ પડશે. રૂ. 2 કરોડ સુધીની લોન લેનાર પાસેથી છ માસ સુધી વ્યાજનું વ્યાજ નહીં લેવામાં આવે.  

આ માટે આઠ શ્રેણીમાં લોનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં એમએસએમઈ, શૈક્ષણિક, હાઉસિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો, પર્સનલ અને કન્ઝમ્પ્શન લોનનો સમાવેશ કરાયો છે.

જો કે બે કરોડથી વધુની લોન લેનારને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી નથી. વિપરિત પરિસ્થિતિમાં કાળજીપૂર્વકના અધ્યયન બાદ તમામ વિકલ્પોની વિચારણાના અંતે સરકારે નાના ઋણદાતાઓનો હાથ પકડવાની પ્રથાને જાળવી રાખી છે.

આરબીઆઈએ કોવિડ 19ની પ્રતિકૂળતાઓ વચ્ચે 27 માર્ચના એક પરિપત્ર જાહેર કરીને તમામ બેન્કોને ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ ગાળો આપવા જણાવ્યું હતું. ત્યારબાદ મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટ સુધી લંબાવાયો હતો.

આરબીઆઈએ મોરેટોરિયમની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જેમાં વ્યાજ ચૂકવણીને મુલતવી રાખવાનું કહ્યું હતું નહીં કે વ્યાજ માફી. જોકે લોનધારકો વ્યાજ માફી અને લોનના હપતાને મુલતવી રાખવાનો ભેદ સમજી શક્યા નહતા. મોટાભાગના ઋણદાતાઓએ મોરેટોરિયમ માટે અરજી કરી નહતી. કેન્દ્રે એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલા લોકોએ મોરેટોરિયમ માટે અરજી નથી કરી તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ તે 50 ટકાથી વધુ હોવાની ધારણા છે.

કેન્દ્રે જણાવ્યું કે, તમામ લોન્સ પર છ માસ સુધી વ્યાજના વ્યાજને માફ કરવામાં આવશે તો બેન્કોને અંદાજે રૂ. 6 લાખ કરોડ જતા કરવા પડે તેમ છે. બેન્કો પર આ ભારણ વધવાથી તેમની નેટવર્થનું ધોવાણ થશે અને બેન્કોને ટકી રહેવા સામે ગંભીર સવાલ ઉપસ્થિત થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભુષણની વડપણ હેઠળની બેન્ચ આ કેસની વધુ સુનાવણી 5 ઓક્ટોબરના કરશે.

October 4, 2020
coronaworld.jpg
1min6900

વિતેલા 24 કલાકમાં વિશ્વસ્તરે 3 લાખથી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત ભારતમાં થઇ હોવાનું જણાયુ છે. ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી ત્રણ કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. 

ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે. 

વિશ્વના કુલ કેસ પૈકી 54 ટકાથી વધુ કોરોના સંક્રમણના કેસ અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં છે અને મૃત્યુઆંકમાં 45 ટકાથી વધુ મોત આ ત્રણેય દેશોમાં જ થઇ છે. વિતેલા 24 કલાકમાં અમેરિકામાં 51,403, ભારતમાં 79,974 અને બ્રાઝીલમાં 33,002 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુઆંકમાં ભારતમાં સૌથી વધુ 1071, અમેરિકામાં 864 અને બ્રાઝીલમાં 664 કેસ નોંધાયા છે.

વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ આંકડો 75,49,323એ પહોંચી ગયો છે, જેમાં 2,13,524 લોકોના મોત નીપજ્યા છે. એ પછી બીજા નંબરે ભારતમાં 64,71,934 કેસ છે. બ્રાઝીલમાં કુલ કેસ 48,42,231 સુધી પહોંચી ગયા છે. અહીં 1,45,431થી વધુ લોકોના મોત નીપજ્યા છે.