CIA ALERT

Blog - Page 22 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 7, 2026
Cia_business_news-1280x936.jpg
2min113

સોશ્યલ મિડીયાને કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં હાઇપ્રોફાઇલ બનેલી વરાછા કો.ઓ.બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં આજે યોજાયેલી મતગણતરીના અંતે સત્તાધારી પક્ષની સહકાર પેનલના તમામ 12 ઉમેદવારોનો ખાસ્સા માર્જિનથી વિજય થયો હતો. સોશ્યલ મિડીયામાં ચૂંટણી જીતવાનો દાવો કરનારા 4 ઉમેદવારો મતગણતરીના પહેલા રાઉન્ડથી સતત પછડાતા ગયા હતા અને છેલ્લા પાંચ હજાર કરતા વધુ મતોના માર્જિનથી તમામ ચારેય ઉમેદવારોએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 31 વર્ષ પૂર્વે સ્થપાયેલી વરાછા મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંકના વહીવટમાં અત્યાર સુધી જેમનો દબદબો હતો એવા બેંકના સ્થાપક પીબી ઢાકેચા અને કાનજી ભાલાળા જેવા આગેવાનો હવે વહીવટની બહાર થઇ ગયા હોવાની ચર્ચાઓ પણ વરાછામાં વ્યાપક પણે શરૂ થવા પામી છે.

ગઇ તા.5મી એપ્રિલને રવિવારે વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાલી પડેલી 12 બેઠકો માટે મતદાન યોજાયું હતું અને એ પછી આજે મંગળવારે સવારે 8ના ટકોરે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 9766 મત પડ્યા હતા, જે પૈકી આજે 10 ટકા એટલે કે 981 મતો રદ બાતલ જાહેર કરવામાં આવ્યા હતા. રદ કરાયેલા મતો એવા હતા કે જેમાં કોઇક મતદારે 12ની જગ્યાએ વધુ સંખ્યામાં અને કેટલાક મતદારોએ તો તમામ 18 ઉમેદવારોને મત આપ્યા હતા. કેટલાક મતો યોગ્ય રીતે ચોકડી નહીં મારવાના કારણે રદ કરવામાં આવ્યા હતા. આજે કુલ ત્રણ રાઉન્ડની મતગણતરી હાથ ધરવામા આવી હતી. જેમાં પહેલા જ રાઉન્ડથી સત્તાધારી પક્ષની સહકાર પેનલના ઉમેદવારોને 75 ટકા મતો મળતા ગયા હતા. ચૂંટણી મતદાન પૂર્વે બે ઉમેદવારોએ સત્તાધારી પક્ષની સહકાર પેનલના સમર્થનમાં નામ પાછું ખેચી લીધું હતું, આમ છતાં સરકારના ચૂંટણીના નિયમો મુજબ એ ઉમેદવારોનું નામ બેલેટ પેપરમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને એ ઉમેદવારોને પણ 1 હજારથી વધુ મતો મળ્યા હતા. સહકાર પેનલમાં સૌથી વધુ મતો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા બાબુભાઇ રાદડીયાને 7926 મળ્યા હતા. વીવીંગ ઉદ્યોગના આગેવાન હરીભાઇ કથિરીયાને 7692 જ્યારે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીને 7621 મતો મળ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે 31 વર્ષના વરાછા બેંકના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજવી પડી છે અને આ ચૂંટણીમાં પણ પહેલીવહેલી વખત સ્થાપક પીબી ઢાકેચા કે વરાછા બેંકનું અત્યાર સુધી નેતૃત્વ કરનાર કાનજી ભાલાળાનું નામ ક્યાંય ચર્ચામાં નહતું. 

વિજેતા ઉમેદવારોમાં કોને કેટલા મત મળ્યા

બાબુભાઇ રાદડીયા – 7926

બિપીનભાઇ વિરાણી – 7802

ભદ્રેશભાઇ લખાણી – 7758

હરીભાઇ કથિરીયા – 7692

મનહરભાઇ સાસપરા – 7676

સી.પી. વાનાણી – 7621

નૈષધ જાસોલિયા – 7608

હરેશ કાપડીયા – 7602

કાંતિભાઇ મારકણા – 7496

નરેન્દ્ર કુકડીયા – 7456

રાજેન્દ્ર બાંભરોલિયા – 7183

વલ્લભભાઇ ચોથાણી – 7162

પરાજિત ઉમેદવારોમાં કોને કેટલા મત મળ્યા

હિતેશભાઇ જોસોલિયા -1523

ઘનશ્યામ કળથિયા – 1471

જુલિયન વાઘાણી – 1284

પ્રતાપ ચોડવડિયા – 1184

તુષાર દોમડિયા – 1142

સંજયકુમાર ઉમરેઠિયા – 1081

April 7, 2026
WhatsApp-Image-2026-04-06-at-19.45.30-1280x854.jpeg
1min102

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયને આદરેલા પ્રયાસોને પગલે સુરતના હીરા ઉદ્યોગપતિઓને આજે તા.6 એપ્રિલથી શરૂ કરીને આગામી તા.10મી મે 2026 સુધીના 35 દિવસ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ ખાતે રૂ.1 હજાર કરોડની જંગી માર્કેટ વેલ્યુ ધરાવતા લાખો કેરેટના નેચરલ રફ ડાયમંડનો જથ્થો ઘર આંગણે જોવા, ચકાસવા મળશે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાની પસંદના હીરાના પાર્સલોની બોલી લગાવીને તેની ખરીદી પણ ઘરે બેઠા કરી શકશે. જીજેઇપીસી ગુજરાત રિજિયને આજે સુરત ડાયમંડ બુર્સમાં ઇન્ડીયા રફ ડાયમંડ શૉનો આરંભ કર્યો હતો.

સુરત કે જ્યાં હીરાની એક પણ ખાણ નથી આમ છતાં વિશ્વના દર 10માંથી 9 કાચા હીરા કટ એન્ડ પોલિશ થાય છે, એ સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત રફ ડાયમંડની સૌથી મોટી ઇન્વેન્ટરીનું એક્ઝિબિશન કમ સેલ યોજવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા જીજેઇપીસીના ગુજરાત ચેરમેન જયંતિ સાવલિયા, દિનેશ નાવડીયા, હિતેશ શાહ, રજત વાણી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીજેઇપીસીને 35 દિવસની પરવાનગી આપી છે તેઓ વિદેશી કંપનીઓને સુરતમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે તેડાવીને તેમની પાસે ઉપલબ્ધ રફ ડાયમંડ્સના જથ્થાનું વેચાણ કરવા અર્થે પ્રદર્શન, વ્યૂઇંગ કરી શકશે. હીરાનો જથ્થો લઇને આવનાર વિદેશી કંપનીઓ પાસેથી ન તો જીએસટી વસૂલ કરાશે કે ન તો કોઇપણ પ્રકારનો ટેક્સ કે ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. વિદેશી કંપનીઓ અહીંયા ફક્ત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓને પોતાના રફ ડાયમંડના પાર્સલો બતાવી શકશે. રફ ડાયમંડનું વ્યૂઇંગ, પ્રદર્શન પૂર્ણ થઇ ગયા બાદ કંપનીઓ પોતાનો જથ્થો પુનઃ પોતાના હેડક્વાર્ટર દેશમાં પરત લઇ જશે અને ત્યાંથી તેની ઓનલાઇન હરાજી-બિડીંગ કરશે અને જેણે ઉંચી રકમની બોલી લગાડી છે એ ગ્રાહકને તેના સરનામે માલ પહોંચતો કરશે.

આ પ્રકારે સુરતમાં પહેલી વખત રફ ડાયમંડ્સના રૂ.1000 કરોડનો જંગી જથ્થો 35 દિવસ દરમિયાન સુરતમાં આવશે. અને સુરત ડાયમંડ બુર્સની પ્રીમાઇસીસમાં તેનું પ્રદર્શન યોજાશે. હાલમાં દુબઇની કંપનીને 6 દિવસના બે સ્લોટ તેમજ ઇઝરાયેલની એક કંપનીને 6 દિવસનો એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે. હજુ 6 દિવસનો એક સ્લોટ ખાલી રહે છે, આ ખાલી સ્લોટ ફાળવણી માટે અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. સુરતમાં લાખો કેરેટ નેચરલ રફ ડાયમંડ્સનું એક્ઝિબિશન માટેની તમામ વ્યવસ્થા જીજેઇપીસી દ્વારા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનને મળતી સુવિધા હંગામી રીતે 35 દિવસ માટે જીજેઇપીસીને કરી આપી છે.

યુદ્ધની આફત વચ્ચે સુરતે અવસર શોધી કાઢ્યોઃ દિનેશ નાવડીયા

સુરતમાં હીરા ઉદ્યોગપતિઓને નેચરલ રફ ડાયમંડ્સનો જથ્થો સુરતમાં જ જોવા મળે અને સુરતથી જ તેની બોલી લગાડી શકાય તે માટેની સ્પેશ્યલ સુવિધા વિકસાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર હીરા ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે મિડલ ઇસ્ટના યુદ્ધની નકારાત્મક અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. અમે આ આફત વચ્ચે અવસર શોધી કાઢ્યો અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી કે જ્યાં વિશ્વના 90 ટકા હીરાનું કટીંગ પોલિશિંગ થાય છે તે સુરતમાં જ રફ ડાયમંડનું ટ્રેડિંગ હબ વિકસાવવું હોય તો હાલમાં દુબઇનો કારોબાર સદંતર બંધ છે, દુબઇની કંપનીઓ રફ ડાયમંડ વેચવા માટે સુરત આવવા માટે તૈયાર છે, કેટલીક છૂટછાટ આપવામાં આવે તો આ શક્ય છે. જીજેઇપીસી સુરતના નેજા હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કર્યાના ગણતરીના દિવસોમાં જ 35 દિવસ માટે જીજેઇપીસીને આ અવસર મળી ગયો. હાલમાં હીરા ખરીદી માટે કોઇ દુબઇ જઇ શકતું નથી કે જવાની હિંમત કરી શકતું નથી, એટલે ઉદ્યોગકારોને સુરતમાં જ 1000 કરોડ રૂપિયાના રફ ડાયમંડનો જથ્થો ખરીદવા માટેની તક સાંપડી છે.

નેચરલ રફ હીરા ખરીદવા દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલા, કેનેડા નહીં જવું પડે

અત્યારે સુરતના હીરા ઉદ્યોગપતિઓ અગર તો તેમના પરચેઝ સ્ટાફે નેચરલ રફ ડાયમંડ્સ ખરીદવા માટે નિયમિત રીતે દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અવારનવાર જવું પડે છે. હવાઇ ટિકીટ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને સમય પછી રફ હીરાની ક્વોલિટી કે પ્રાઇસ અનુકૂળ ન આવે તો ફેરો ફોગટ જાય છે. આવી સ્થિતિમાં જો રફ ડાયમંડ્સની હરાજી નિયમિત રીતે સુરતમાં જ યોજાવાનું શરૂ થઇ જાય તો ઉદ્યોગપતિઓ કે તેમના સ્ટાફે હીરાની ખરીદી માટે અવારનવાર વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને જવું ન પડે. તેઓ સુરતમાં જ હીરા જોઇ, ચકાસીને ખરીદી કરી શકે તો મોટી રકમની બચત થઇ શકે એમ હીરા ઉદ્યોગપતિ હિતેશ શાહે જણાવ્યું હતું.

April 6, 2026
chardham.jpg
1min225

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની ટૂંક જ સમયમા શરૂઆત થવાની છે. જેની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આ યાત્રા 19 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામથી શરૂ થશે. ત્યારબાદ કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ બુધવારના રોજ અને બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલ, ગુરુવારના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે.

શ્રદ્ધાળુઓ સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનું અગાઉથી આયોજન કરે. જેમાં ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રા તેના ટ્રેકિંગ રૂટને કારણે પડકારજનક છે. તેથી, સમયસર તૈયારી કરવી જરૂરી છે. ચાર ધામ યાત્રા માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં પણ તેના મનમોહક દૃશ્યો બરફથી ઢંકાયેલા શિખરો અને વહેતા પ્રવાહો પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

ચારધામ યાત્રામાં જનારા દરેક યાત્રાળુ માટે નોંધણી ફરજિયાત છે. ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાથી યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવાઓ, રૂટની માહિતી અને ધાર્મિક સ્થળોએ પ્રાથમિકતા પ્રાપ્તિનો લાભ મળે છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે યાત્રા સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા માટે આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.

આ ચારધામ યાત્રાનું બજેટ પ્રવાસીઓના પ્રવાસ કાર્યક્રમ અને તેમના દ્વારા પસંદ કરાયેલા પરિવહનના માધ્યમો પર આધાર રાખે છે. ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા યાત્રાળુઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. આમાં સૌથી વધુ 3,41,000 થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત બનાવી છે. પ્રવાસન વિભાગે 6 માર્ચે યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી હતી. આજ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરવા માટે નોંધણી કરાવી છે.

April 6, 2026
image-1.png
1min143

ગુજરાતમાં કારનું વેચાણ વધ્યું છે. નાણાકીય વર્ષ 2026માં ગુજરાતના પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 11% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ વૃદ્ધિ ક્લીન મોબિલિટી તરફના સંપૂર્ણ ઝુકાવને બદલે વિવિધ પ્રકારના ઈંધણના વિકલ્પો પર વધુ આધારિત રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ 2025માં 3.47 લાખ યુનિટથી વધીને નાણાકીય વર્ષ 2026માં 3.86 લાખ યુનિટ થયું છે. આ આંકડા ખર્ચ, પર્ફોર્મન્સ અને ઉપયોગની પદ્ધતિના આધારે બદલાતી ગ્રાહકોની પ્રાથમિકતા દર્શાવે છે.

ડીઝલ વાહનો આ વૃદ્ધિમાં સૌથી મોટા ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યા છે. ડીઝલ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 11,800 યુનિટનો વધારો થયો છે, જે લગભગ 16% નો ઉછાળો સૂચવે છે. ઉદ્યોગના નિષ્ણાતો આ સ્થિરતા પાછળ SUV અને મોટા વાહનોની સતત માંગને જવાબદાર માને છે, જ્યાં ડીઝલ એન્જિન હજુ પણ શ્રેષ્ઠ ટોર્ક, ઈંધણ કાર્યક્ષમતા અને હાઈવે પર્ફોર્મન્સ આપે છે.

સૂત્રોએ જણાવ્યું કે, SUV પ્રત્યેનો મજબૂત આકર્ષણ ડીઝલની માંગ વધારી રહ્યો છે. જે ગ્રાહકો વારંવાર લાંબા અંતરની મુસાફરી કરે છે તેઓ હજુ પણ ડીઝલને સૌથી વ્યવહારુ વિકલ્પ માને છે. સમગ્ર ગુજરાતમાં SUVની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે પરિવારો હવે લાંબા અંતરની સડક મુસાફરીને વધુ પસંદ કરી રહ્યા છે. સેડાન પસંદ કરતા ગ્રાહકો હવે હાઈવે પર વધુ આરામ, જગ્યા અને ડ્રાઈવિંગ કોન્ફિડન્સ માટે SUV પસંદ કરી રહ્યા છે. ઘરોમાં હવે એક SUV પ્રવાસ માટે અને બીજી કાર રોજિંદા ઉપયોગ માટે રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સ્થિતિમાં, ઊંચી કિંમત હોવા છતાં ડીઝલ SUV લોકપ્રિય પસંદગી બની રહી છે.

પેટ્રોલ-CNG વાહનોમાં પણ 14% થી વધુ અથવા 18,000 થી વધુ યુનિટ્સનો મજબૂત વધારો નોંધાયો છે. ઈંધણના ઊંચા ભાવોને કારણે શહેરી અને અર્ધ-શહેરી ગ્રાહકો ઓછા રનિંગ કોસ્ટ માટે CNG તરફ વળી રહ્યા છે. આનાથી ભારતના સૌથી મજબૂત CNG વ્હીકલ માર્કેટ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત થયું છે.

હાઈબ્રિડ સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ડીઝલ હાઈબ્રિડમાં 55% અને હાઈબ્રિડ EVમાં 36% નો વધારો થયો છે. જોકે, તેમની કુલ સંખ્યા હજુ મર્યાદિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EV અપનાવવામાં આવતા પડકારો વચ્ચે હાઈબ્રિડ વાહનો એક મધ્યમ માર્ગ તરીકે સ્વીકૃતિ મેળવી રહ્યા છે, જોકે ઊંચી કિંમત અને મર્યાદિત મોડેલો હજુ પણ તેના વ્યાપક ઉપયોગને મર્યાદિત કરે છે.

માત્ર પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. ડેટા મુજબ ગ્રાહકો ઈલેક્ટ્રિફિકેશન તરફ એકધારો ફેરફાર કરવાને બદલે ખર્ચ અને જરૂરિયાત મુજબ ઈંધણની પસંદગી કરી રહ્યા છે.

April 6, 2026
image-1280x720.png
1min126

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે 05/04/2026 અહીં તેમની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપતા ગુજરાતના લોકોને “અભણ” ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને “મૂરખ” બનાવવામાં આવી રહ્યા છે. આને કારણે મોટો વિવાદ થયો છે. આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.

ખડગેએ કહ્યું હતું કે મોદી કે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી, તેમણે કેરળના લોકોને “ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત” ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, “કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત છે. મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ જે લોકો અશિક્ષિત છે તેમને મૂરખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી.

તેમણે એવો આક્ષેપ કરતા આ ટિપ્પણી કરી હતી કે મોદી અને વિજયન બંને એક જ રસ્તા પર ચાલી રહ્યા છે અને તેઓ જે પક્ષોનું નેતૃત્વ કરે છે તે સિવાય તેમની વચ્ચે કોઈ તફાવત નથી. ખડગેએ કહ્યું કે, “એલડીએફ અને ભાજપ સાથે મળીને આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. દિલ્હીમાં મોદી અને કેરળમાં વિજયનની કાર્યશૈલી સમાન છે. તેઓ સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત રાખવા માંગે છે.”
તેમણે દાવો કર્યો હતો કે, હકીકતમાં, મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે પિનારાયી વિજયન કેરળના મોદી છે અને ભાજપ તથા એલડીએફએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ગુપ્ત રીતે કાવતરું ઘડ્યું છે.

ખડગેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિજયન પર મોદીનું નિયંત્રણ છે અને તેઓ હવે સ્વતંત્ર માણસ રહ્યા નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ સૌથી કોમવાદી પક્ષ છે અને તે આરએસએસની સાથે મળીને દેશને બરબાદ કરી દેશે. ખડગેએ મોદીને “જૂઠા” ગણાવ્યા અને લોકોને તેમના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પીએમ સત્તામાં આવ્યા પછી દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું તેમનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જ્યારે આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ માત્ર ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન જ નથી કરતી પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે.

ગુજરાતે હંમેશા રાષ્ટ્રનિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. આવા નિવેદનો કોંગ્રેસ પક્ષની સંકુચિત માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપની વિકાસની રાજનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જાહેર સમર્થન સામે કોંગ્રેસ કેટલી અસ્વસ્થતા અને અસુરક્ષિત અનુભવે છે. ગુજરાતના જાગૃત લોકો આવા નિવેદનોનો જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. તેમજ એ ચોક્કસ છે કે આવનારા સમયમાં, કેરળના લોકો પણ કોંગ્રેસને નકારી કાઢશે અને ભાજપની વિકાસની રાજનીતિને ટેકો આપશે.

April 6, 2026
bad_weather.jpg
1min163

એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.

બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

March 31, 2026
image-15.png
1min75
  • પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે.
  • જૂન 2025માં વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશની વસ્તી ગણતરીનું કાર્ય ૧ એપ્રિલથી શરુ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જાતિગણના આ પ્રક્રિયાની બીજા તબક્કામાં શરુ થશે જેને જનસંખ્યા ગણના નામ આપવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર જનરલ અને જનગણવા આયુકત મુત્યુજય કુમાર નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનગણનાની વ્યૂહરચનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં આવાસ સૂચીકરણ અને જન ગણના, આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ પર કેન્દ્રીત છે જે બીજા ચરણ માટે એક મૂળભૂત આધાર આપશે.

વસ્તી ગણતરીના બીજા ચરણમાં જનસાંખ્યિકીય,સામાજિક- સાંસ્કૃતિક અને આર્થિક માપદંડો પરના ડેટા પ્રદાન કરે છે જેમાં પ્રવાસન અને પ્રજનનદરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીનું પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે. જનગણના ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો,૭૮૪ જિલ્લા,૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એક અધિસૂચના બહાર પાડીને ૨૦૨૭ની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

March 31, 2026
dolor_vs_rupee.jpg
1min89
  • રૂપિયાને તૂટતો બચાવવા આરબીઆઈના પગલાંની બજાર પર અસર માંડ અડધો કલાક રહી
  • એક જ દિવસમાં રૂપિયા-ડોલર વચ્ચે 167 પૈસાની રેકોર્ડ ઉછળકુદ : શેરબજાર તૂટતાં તથા ક્રૂડ ઉછળતાં રૂપિયા પર દબાણ વધ્યું : 30/03/2026 મોડી સાંજે રૂપિયો તૂટી ૯૪.૭૭ બોલાયો
  • રિઝર્વ બેન્કે કરન્સીમાં સટ્ટાખોરી રોકવા બેન્કો, સટ્ટોડિયાઓ પર 10 કરોડ ડોલરની મર્યાદા બાંધી

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની આજે 30/03/2026 હુંડિયામણ અને શેર બજાર સહિતના બજારો પર અસર યથાવત્ રહી હતી. બીજીબાજુ આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા માટે લીધેલા પગલાંના કારણે હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં બેતરફી રેકોર્ડ બ્રેક અફડાતફડીના અંતે ડોલર ઉછળી પ્રથમવાર રૂ.૯૫ની સપાટી કુદાવી રૂ.૯૫.૨૪ની નવી ટોચે પહોંચી જતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો.

આરબીઆઈએ રૂપિયામાં અસ્થિરતા રોકવા લીધેલા પગલાંના કારણે સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી વધ્યો હતો પરંતુ તેની અસર માંડ અડધો કલાક રહી હતી. વૈશ્વિક પરિબળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો અને બપોર પછી રૂપિયો ફરી ગબડયો હતો. ડોલરના ભાવ ઇન્ટ્રા-ડે સ્પ્રિંગની જેમ ઉછળી ૯૫.૨૪ પહોંચ્યા હતા. રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્કના વિવિધ પગલાઓ વચ્ચે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે રૂ.૯૫ બોલાયા હતા તે સોમવારે સવારે રૂ.૯૩.૫૯ ખુલી નીચામાં ભાવ રૂ.૯૩.૫૭ સુધી બોલાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૯૫.૨૪ની ટોચે પહોંચી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. શેરબજારમાં નવો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૧૭ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો વચ્ચે ં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું

રિઝર્વ બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનશોર ડિલીવરેબલ માર્કેટમાં દરેક દિવસના અંતે ભારતીય રૂપિયાની નેટ ઓપન પોઝીશન ૧૦ કરોડ ડોલરની સપાટીની અંદર રાખવાનું ઓથોરાઈઝડ ડિલર્સને જણાવવામાં આવ્યું છે. ડોલરમાં તેજીનો સટ્ટો કાબુમાં રાખવા રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડતાં મુંબઈ કરન્સી બજારમાં સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. જો કે ત્યાર બાદ ડોલર ફરી ઉછળતાં રૂપિયો ગબડી રૂ.૯૫ની અંદર જતો રહ્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૩૪ થઈ ૧૦૦.૨૫ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં માર્ચમાં નોંધાયેલી વૃદ્ધિ છેલ્લા ૮ મહિનાની સૌથી મોટી મંથલી વૃદ્ધિ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વોર-ઈફેકટ વચ્ચે વિશ્વ બજારમાં ડોલરમાં સેફ-હેવન બાઈંગ જોવા મળ્યું હતું.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૪.૧૭ થઈ રૂ.૧૨૫.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૮૨ થઈ રૂ.૧૦૮.૯૪ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૧ ટકા માઈનસમાં રહી હતી.

ડોલર સામે આજે 30/03/2026 રૂપિયામાં બેતરફી ૧૬૭ પૈસાનો ઉછળકુદ નોંધાતા દૈનિક વધઘટનો પણ નવો રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે.

મુંબઈ કરન્સી બજારમાં 30/03/2026 સોમવારે મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઘટી રૂ.૯૪.૭૭ રહ્યા હતા જે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. આમ સોમવારે આખા દિવસ દરમિયાન રૂપિયા તથા ડોલરના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતકી. દરમિયાન, મોડી સાંજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૨૫.૫૧ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ મોડી સાંજે રૂ.૧૦૯ બોલાઈ રહ્યા હતા.

March 30, 2026
કેમિકલ-એક્ષ્પો-1280x853.jpg
1min110

કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તા. ૧પથી ૧૭ મે ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બેઝીક કેમિકલ્સ, કોસ્મેટિકસ એન્ડ ડાઇઝ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CHEMEXCIL) દ્વારા સંયુક્તપણે ગુરૂવાર, તા. ર૬ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે અમોરે, ડુમસ રોડ, સુરત ખાતે ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ માટે કર્ટન રેઇઝર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર હંમેશા ઉદ્યોગ અને વેપારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને વિવિધ એકિઝબિશન્સ, સેમિનાર તથા નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગકારોને નવી તકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તથા વેલ્થ એક્ષ્પો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, રોકાણ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ દ્વારા કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાહસિકોને ડાયનેમિક બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ એક્ષ્પો ખાસ કરીને મેન્યુફેકચરર્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ, રિસર્ચર્સ તથા ઉદ્યોગના અગ્રણીઓને એક જ મંચ પર લાવશે. જેથી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં નવી તકો સર્જાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બંને એક્ષ્પો દ્વારા સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગકારોને જોડાવાનો અને વ્યવસાયને વિસ્તૃત કરવાની ઉત્તમ તક મળી રહેશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સસ્ટેનેબિલિટી, પ્રીસિઝન મેન્યુફેકચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ એક્ષ્પો વ્યવસાયિકોને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા, વ્યાપારિક નેટવર્ક વધારવા અને નવા બજાર શોધવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી રાકેશ જૈને ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક્ષ્પો તા. ૧પ, ૧૬ અને ૧૭ મે, ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ એક્ષ્પો કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે તેમજ ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડશે.

આ પ્રસંગે ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને CHEMEXCILના હોદ્દેદારો તથા કમિટી સભ્યોના શુભહસ્તે કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ના કર્ટન રેઇઝરને વિધિવત લોન્ચ કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમ્યાન ઓપન ફોરમમાં ઉપસ્થિત ચેમ્બરના સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

March 30, 2026
image-14.png
1min137

ગુજરાત સહિત દેશની જુદી જુદી સરકારી કચેરીઓ, શાળાઓ, અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેલથી સુરક્ષાને મુદ્દે ખૂબ સવાલો ઉઠયા હતા. ત્યારે દેશની વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ અને અદાલતોમાં બોમ્બ હોવાની નકલી ધમકીભર્યા ઈમેલ મોકલીને ગભરાટ ફેલાવનાર આરોપીની દિલ્હી પોલીસે કર્ણાટકના મૈસુરુથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ શ્રીનિવાસ તરીકે થઈ છે, જે મૈસુરુના વૃંદાવન લેઆઉટ વિસ્તારમાં એક મકાનમાંથી આ ગતિવિધિઓ ચલાવી રહ્યો હતો. છેલ્લા એક મહિનાથી સતત મળી રહેલી આ નકલી ધમકીઓને સત્તાવાળાઓએ ગંભીરતાથી લીધી હતી, જેના પગલે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શ્રીનિવાસ ટૂંકા ગાળામાં અનેક ધમકીભર્યા ઈમેલ મોકલતો હતો, જેમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપીને વ્યાપક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. દિલ્હી પોલીસની ટીમે ટેકનિકલ ઇનપુટ્સ અને સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કર્યું હતું, જેમાં માલૂમ પડ્યું કે આ તમામ મેસેજ મૈસુરુથી મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક વી.વી. પુરમ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી દિલ્હી પોલીસે ઓચિંતો દરોડો પાડીને શ્રીનિવાસને તેના રહેઠાણ પરથી ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૈસુરુમાં છુપાઈને ઈમેલ દ્વારા ધમકીઓ આપવાનું ચાલુ રાખતો હતો. દરોડા દરમિયાન પોલીસને તેના કબજામાંથી અનેક સિમ કાર્ડ અને એક લેપટોપ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ હોક્સ (નકલી) મેસેજ મોકલવા માટે કરવામાં આવતો હોવાનું મનાય છે. હાલ પોલીસ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે દિલ્હી લઈ જઈ રહી છે, જેથી આ ગુના પાછળનો તેનો હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.