CIA ALERT

Blog - Page 209 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 5, 2021
cia_edu-1280x925.jpg
1min552

વાઇબ્રન્ટ ઇન્ટરનેશલ એકેડેમીના સ્થાપક ડો. દિપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે કોવીડ-19 પેન્ડેમિકના કારણે પ્રત્યક્ષ શિક્ષણ ખરેખર ખોરંભે પડ્યું છે. 500થી વધુ દિવસોથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. ધો.1 અને ધો.2 શૈક્ષણિક કારકિર્દીના મહત્વના વર્ષો હોય છે. જ્યાં બાળક, શ્રવણ, લેખન અને સમજણ શીખે છે. છેલ્લા 12 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત વાઇબ્રન્ટ ગ્રુપે આવા ગરીબ બાળકો માટે એક નવતર પહેલ કરી છે અને એ પહેલ છે વિદ્યારથ.

સ્કુલ બસમાં જ એક અનોખો ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્લાસરૂમ ગરીબ બાળકો કે જેઓ સ્કુલે જઇ શક્યા નથી તેમના ઘરની સમીપ જઇને તેમને પ્રત્યક્ષ શિક્ષણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય ગાઇડલાઇનના ચૂસ્ત પાલનની કાળજી લઇને આપવાનું શરૂ કરશે.

વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમી કામરેજના ઉપક્રમે પેન્ડેમિક પાથ-શાલા નામનો આ નવતર પ્રયોગ આજરોજ તા.5મી ઓગસ્ટે કામરેજ સ્થિત વાઇબ્રન્ટ એકેડેમી ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે.

ડો. રાજ્યગુરુએ કહ્યું કે વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમીની આ હરતી-ફરતી શાળા, વિદ્યારથ દ્વારા બાળકોને બિલકુલ નિશુલ્ક, આનંદદાયી વાતાવરણમાં, મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિક વારસા સાથેનું શિક્ષણ આપશે.

August 5, 2021
kumar-mangalam-birla.jpg
1min361

કુમાર મંગલમ બિરલાએ વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.

વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂરી કરી લીધું છે. કંપનીએ આ અંગે બીએસઈને જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે, બિરલાના રાજીનામા બાદ હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા છે.

હિમાંશુ કમાણિયા હાલમાં વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કપાણિયા વોડાફોન આઈડિયાના બોર્ડમાં આદિત્ય બિરલા ગ્રુપના નોમિની છે. તેમને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો 25 વર્ષનો અનુભવ છે. તેમને દુનિયાની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓના બોર્ડનો પણ અનુભવ છે. ત ગ્લોબલ જીએસએમએના બોર્ડમાં પણ બે વર્ષ સુધી રહ્યા છે. તેઓ બે વર્ષ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએએલ)ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

કમાણિયા હાલમાં ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઈકોનોમી પર ફિક્કીની કાઉન્સિલના ચેરમેન છે. કંપનીએ કહ્યું કે, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણ પર બોર્ડે સુશીલ અગ્રવાલને આદિત્ય બિરલા ગ્રુપના નોમિનીના રૂપમાં એડિશનલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે.

વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

August 5, 2021
cia_society-1280x880.jpg
1min421

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નીતિન ધામેલિયા દ્વારા તેમના ટ્વિન્સ પુત્રી જીશા અને પુત્ર જિશાન ના પ્રથમ જન્મદિવસ ની અલગ રીતે ઉજવણી કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું. રક્તદાન અંગે સમાજમાં લોકજાગૃતિ આવે તે હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

નીતિન ધામેલિયાએ તેમની સોસાયટીમાં ૨૫ જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેમની કાળજી અને ઉછેર કરવાનો સંકલ્પ પરિવાર અને મિત્રમંડળ સાથે કર્યો હતો. આ દિવસે તેમણે ૨૦૦ જેટલા મજૂરી કરતા કામદારોને એક ટાઈમનું ભોજન કરાવી તેમના પેટની આગ ઠારી હતી. આ રીતે કોઈ પણ અન્ય દેખાવ કરવાને બદલે સમાજમાં જાગૃતિ માટે પ્રથમ બર્થડેની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

August 5, 2021
VIJAY_rupani.jpg
1min476

રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ  ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન  નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે. 

રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.

 નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. 

August 5, 2021
Cia_business_news-1280x936.jpg
1min448

અત્યાર સુધી ટેક્ષટાઇલ વિક્રેતાઓની સંસ્થા ફોસ્ટા ચેમ્બર સાથે કામ કરતું હતું પણ હવે સમીકરણો બદલાતા સુરત મર્કન્ટાઇલ એસોસીએશન સાથે ચેમ્બરે હાથ મિલાવ્યા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પદાધિકારીઓ અને સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રતિનિધિ મંડળ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે એવો મહત્વનો નિર્ણય લીધો છે કે હવે પછી ચેમ્બર દ્વારા યોજાનારા ટેક્ષટાઇલ ઉદ્યોગ પર આધારિત કાર્યક્રમો, પ્રોજેક્ટ, એક્ષ્પો, સેમિનાર વગેરેમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન કો-ઓર્ગેનાઇઝર તરીકે ચેમ્બર સાથે ખભેખભા મિલાવીને કામ કરશે.

સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સાબુએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબના પ્રતિનિધિ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી અને તેમની ટીમ સાથે અનેક રીતે પરીણામદાયી મિટીંગ યોજાઇ હતી. ભવિષ્યમાં ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન ટેક્ષટાઇલ વેપારીઓની સંસ્થાના પ્રતિનિધિ તરીકે ખભેખભા મિલાવીને કામ કરશે. સુરત મર્કન્ટાઇલ એશોસીએશન વતી પ્રમુખ નરેન્દ્ર સાબૂએ ચેમ્બર ઓફ કોમર્સને આગ્રહપૂર્વક જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સે તેના પ્રશાસનિક પ્રભાવનો ઉપયોગ કરીને ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, વિવર્સ, પ્રોસેસર્સ દરેક ઘટક સંઘોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, રજૂઆતો યોજવા જોઇએ અને તેમાં મર્કન્ટાઇલ એસોસીએશન સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે.

સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવી નવી ટેકનિક, પ્રયોગોની જાણકારી, યોજનાઓ તેમજ ટેક્ષ સંબંધિત પ્રશ્નો સંદર્ભે અનેક રીતે કામો થઇ શકે તેમ છે.

August 5, 2021
indian-hocky.jpg
1min543

ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.

ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.

શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.

August 4, 2021
Root-Kohli.jpg
1min546

ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી

જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.

પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.

ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.

આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ

વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.

India vs England: David Gower Interview - A 2-2 Draw Should Be a Fair  Outcome This Series

કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.

ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.

પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.

ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.

ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.

August 3, 2021
scet.jpg
2min1064

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતની નંબર વન એન્જિનિયરિંગ કોલેજ ગણાતી સુરતની સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (સ્કેટ) કોલેજ હવે બેચલર એન્જિનિયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કેટ કોલેજ હવે સાર્વજનિક યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં કામગીરી કરશે.

Surat Best School List - School Style

SCET કોલેજમાં ચાલતા બી.ટેક. અભ્યાસક્રમો

  • B.TECH. CO – Bachelor of Computer Technology
  • B.TECH. CHEM – Bachelor of Chemical Technology
  • B.TECH. CIVIL – Bachelor of Civil Technology
  • B.TECH. EL – Bachelor of Electrical Technology (NBA Accredited course)
  • B.TECH. EC – Bachelor of Electronics & Communications Technology (NBA Accredited course)
  • B.TECH. IC – Bachelor of Instrumentation & Control (NBA Accredited course)
  • B.TECH. IT – Bachelor of Information Technology
  • B.TECH. TT – Bachelor of Textile Technology (NBA Accredited course)
  • B.TECH. MECH – Bachelor of Mechanical Technology
  • B.TECH AI & DS – Bachelor of Artificial Intelligence & Data Science

સ્કેટ કોલેજને કોમ્યુટરમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નીગ અથવા સાઇબર સીકયોરીટી, ઇલેકિટ્રકલમાં ઇલેક્ટ્રિકલ ઍન્ડ કમ્યુટર તથા સિવીલમાં સ્માર્ટ સિટી જેવા અભ્યાસક્રમોના સ્પેશ્યલાઇઝેશન માટે જીટીયુની મંજૂરી મળી.

ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેની સાથે સાથે આપણા દેશમાં જાહેર થયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP-2020ની લાગુ થવાથી ધણા નવા તથા ઝડપી ફેરફારો જોવામાં આવી રહ્યા છે.

સામાન્ય રીતે એજીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઈ પણ એક ડિસિપ્લિન કે બ્રાન્ચ માં જ પારંગત બનાવવાની કલ્પના વિધમાન હતી, પરંતુ બદલાયેલા વૈશ્વિક પ્રવાહો અને ઇન્ડસ્ટ્રીની માંગને આધારે નવી નવી અને બહુવિધ ટેક્નોલોજીના જાણકાર એજીનીયરોની માંગ થવા લાગી છે. આવા સમયે નવા તૈયાર થનારા એજીનીયરોને મલ્ટી-ડિસીપ્લીનરી અને આધુનિક ટેક્નોલોજીના જ્ઞાનથી પ્રચુર બનાવવા જરૂરી થઇ પડે છે.

આ સંદર્ભે SCET-એજીનીયરીંગના પ્રિન્સીપાલ ડૉ. હિરેન પટેલ દ્વારા જીટીયુ-સંલગ્નિત વિધાર્થીઓને પણ નવા અને આધુનિક વિષયો સાથે સ્પેશ્યિલાઇઝેશન મળે તેની અરજી તાજેતરમાં જીટીયુ દ્વારા માન્ય રખાતા, સ્કેટ-એજીનીયરીંગમાં ભણતા બી. ઈ. ના વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક વર્ષ 2020-21માં નોંધાયેલા હતા, તેઓ ચાલુ વર્ષથી વિવિધ વિદ્યાશાખામાં સ્પેશ્યલાઈઝેસન લેવાનું પસંદ કરી શકશે.

આ ઉપરાંત ડિપ્લોમા ટુ ડીગ્રી માં પ્રવેશ લેનાર નવા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી અભ્યાસક્રમ ના બીજા વર્ષથી આ લાભ મળનાર છે. જે ડિસિપ્લિનમાં મંજૂરી મળી છે તે અનુક્રમે કોમ્યુટર-આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નીગ, કૉપ્યુટર-સાઇબર સીક્યોરીટી, ઇલેકિટ્રકલ-ઇલેક્ટ્રિકલ ઍન્ડ કમ્યુટર તથા સિવીલ-સ્માર્ટ સિટી અભ્યાસક્રમોને જીટીયુ દ્વારા યોગ્ય રીતે રચાયેલી ચકાસણી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

આનાથી એજીનીયરીંગ ના ક્ષેત્રમાં વિકસેલા અદ્યતન અને મલ્ટીડિસીપ્લીનરી ક્ષેત્રમાં ભણવાની અને તે વિષયો સાથે સ્પેશ્યિલાઇઝેશન કરવાની વિદ્યાર્થીઓને તક મળશે. આ તકની ઉપલબ્ધતા ની સાથે જ વિધાર્થી આલમમાં ખુશી જોવા મળેલી છે. વધુમાં નવા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને પણ સ્કેટ-એજીનીયરીંગની કુલ 10 બ્રાન્ચમાં સ્પેશ્યલાઇઝેશન પ્રાપ્ત કરવાની તક મળનાર છે, સાથે સાથે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવા આધુનિક ક્ષેત્રમાં બી.ટેક.નો નવો કોર્સ શરુ થનાર છે. એજીનીયરીંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ થયેલા આ સ્પેશ્યલાઈઝેશન કે માઇનોર ના નવા ઓપ્શનથી વિધાર્થી અલમમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

August 3, 2021
stock.jpg
1min472

વૈશ્વિકના શેર બજારોની સાથે તેજીનું સંતુલન જાળવતા ભારતીય શેરબજારોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. આજે તા.3 ઓગસ્ટે બપોરે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્ષમાં ઐતિહાસિક 16000ની સપાટી વટાવી દીધી હતી. સેન્સેક્સમાં પણ 525 પોઈન્ટ્સના ઉછાળા સાથે 53,475ની સપાટી નોંધાઇ હતી.

Day trading guide for Wednesday: The chart pattern of daily and weekly signal a possibility of an upside bounce in the market from the lows of around 15,650 to 15,680 levels in the next 1-2 sessions, say experts.

આજે વધનારા શેર્સમાં મોટાભાગે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને FMCG શેર્સનો સમાવેશ થાય છે. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો એમ્ફેસિસ 3.21 ટકા અને ટાટા એલેક્સી 2.78 ટકાના ઉછાળા સાથે ટોપ પર રહ્યા છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસિસ પણ આજની તેજીમાં દોડી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ ખરીદી યથાવત જોવા મળી રહી છે.

ટાઈટન 3.89 ટકાના ઉછાળા સાથે 1839ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે HDFC 3.24 ટકાના ઉછાળા સાથે બીજા નંબરે હતો. આ સિવાય સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસિન્ડ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, HUL, એક્સિસ જેવા શેર્સ પણ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસનો શેર પણ આજે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં તેનું માર્કેટ કેપ 7 લાખ કરોડના સ્તરને વટાવી ગયું હતું.

August 3, 2021
cia_windo-1-1280x793.jpg
1min877

જેની શાળાઓ આખા ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ પથરાયેલી છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા આજરોજ તા.3 ઓગસ્ટ 2021ના રોજ ધો.10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના પેન્ડેમિકને કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE સમેત કોઇપણ રાજ્ય બોર્ડ દ્વારા ફિઝિકલ ઓફલાઇન પરીક્ષાઓ થઈ શકી નથી તેવા સંજોગોમાં આંતરીક મૂલ્યાંકન અને અગાઉના વર્ષોના પરીણામોને આધારે સીબીએસઇએ આજે ઔપચારિક પરીણામ જાહેર કર્યું છે.

સુરતની જાણિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એફિલિયેટેડ સ્કુલના સંચાલકે જણાવ્યું કે આજના પરીણામનું મહત્વ દસ્તાવેજી રીતે છે, વિદ્યાર્થીઓને માર્કશીટ આજે નહીં પણ ભવિષ્યમાં જરૂર પડશે એટલે પરીણામ તો જરૂરી હતું પછી ભલે એ ઔપચારિક જ બનીને ભલે ને રહી ગયું હોય. તેમણે કહ્યું કે ધો.11 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝમાં 25 ટકા જેટલો સિલેબસ પૂરો થઇ ચૂક્યો છે અને કોચિંગ ક્લાસીસોએ તો 40 ટકા સુધી ભણાવી દીધું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE પરીણામોની શૈક્ષણિક મહત્વતા રહી નથી.

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીનું રજિસ્ટ્રેશન 14 ઓગસ્ટ સુધી લંબાવાયું

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાતમાં એક મહિના અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, દેશના સૌથી મોટા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEનું ધો.10નું પરીણામ અત્યંત વિલંબથી એટલે કે તા.3 ઓગસ્ટે જાહેર થતાં ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ http://www.acpdc.co.in ની પ્રવેશ કાર્યવાહી તા.14મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.