Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
આ વર્ષે આઇપીએલના પહેલા તબક્કામાં સાતમાંથી પાંચ મેચમાં જીત મેળવનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનું આ શાનદાર ફોર્મ જાળવી રાખવાના લક્ષ્ય સાથે સોમવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે.
આરસીબી હાલ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ સામે ઇયોન મોર્ગનના કપ્તાન પદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાત મેચમાં ફક્ત બે જીત સાથે ચાર અંક ધરાવે છે અને સાતમા સ્થાને છે. પ્લેઓફ માટે કેકેઆરને બીજા તબક્કાના પ્રથમ મેચથી જ કરો યા મરોનો જંગ ખેલવો પડશે.
કોલકતાની ટીમને બીજા તબક્કાથી ભાગ્ય બદલાશે તેવી આશા છે. 2014માં આવી સ્થિતિમાં સતત નવ મેચ જીતીને ખિતાબ તેનાં નામે કર્યો હતો. ટીમના મેન્ટર ડેવિડ હસ્સીએ કહ્યંy છે કે યુએઇની બદલાયેલી પરિસ્થિતિમાં ટીમ સારાં પરિણામ હાંસલ કરશે. જો કે પહેલા મેચમાં જ કેકેઆરની રાહ કઠિન રહેશે. સામે મજબૂત આરસીબી છે. જેનો કેપ્ટન કોહલી વર્લ્ડ કપ બાદ સુકાન છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. તે હવે મોટી ઈનિંગો રમવા બેતાબ છે.
બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 27 ટક્કર થઈ છે. જેમાં કેકેઆરે 14 અને આરસીબીએ 13 જીત મેળવી છે. આ સિઝનના પહેલા ભાગના મેચમાં કેકેઆરનો આરસીબી સામે 38 રને વિજય મેળવ્યો હતો. કેકેઆરને સુકાની ઇઓન મોર્ગન, યુવા શુભમન ગિલ, સ્ટાર આંદ્રે રસેલ, અનુભવી દિનેશ કાર્તિક અને શકિબ અલ હસન પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ આરસીબીને સુકાની કોહલી, સ્ટાર ડિ’વિલિયર્સ, યુવા પડીકકલ અને ગ્લેન મેકસવેલ પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, જેમિસન અને ચહલ જેવા સારા બોલર બેંગ્લોરની ટીમને વધુ મજૂબત કરી રહ્યા છે. શ્રીલંકન સ્પિનર હસરંગા છૂપો રૂસ્તમ બની શકે છે.
કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા પછી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ કચ્છમાં ધામા નાંખીને બેઠા હતાં એ સમયે ભારતીય જળસીમામાંથી અજાણ્યા સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરી ગુજરાત એટીએસે કોડ લેગ્વેજને ઉકેલતા પોરબંદર અને ઓખાની વચ્ચે મોટા પાયે ડ્રગ્સ લેન્ડ થઇ રહ્યું હોવાની વિગત મળતા ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડની મદદથી ઓખા અને પોરબંદરની વચ્ચે 200 નોટિકલ માઇલ દૂર 250 કરોડનું 50 કિલો હેરોઇન સાત ઇરાનીઓ સાથે ઝડપી પાડયું હતું.
અત્યાર સુધી ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં આવતું હતું. પરંતુ ડ્રગ પેડલરોએ અફઘાનિસ્તાનની બોટનો ડ્રગ્સની હેરાફેરીમાં પહેલો પ્રયોગ કર્યો, મુંદ્રા બંદરેથી ટેલ્કમ પાવડરની આડમાં 3500 કરોડનુ ડ્રગ હસન હુસેન કંપની દ્વારા કંદહારથી ઇન્ટરસિડની જહાજમાં લાવ્યા પછી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.
આ જ કેસની તપાસમાં મુંદ્રા પહોચેલી એટીએસની ટીમે કંદહારથી આવેલા ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટમાં કનેક્શન શોધવા માટે દરિયામાં વપરાતા સેટેલાઇટ સિગ્નલ્સને ઇન્ટરસેપ્ટ કરવાનું ચાલુ કર્યું. આ સિગ્નલોને આંતરી રહ્યા હતા ત્યારે શુક્રવારે બપોરે અલગ ફ્રિકવન્સીથી ભારતીય જળસીમા પાસે સેટેલાઇટ સિગ્નલ આવી રહ્યા હતાં. અરબી અને ઉર્દુ ભાષામાં આવતા કોડના સિગ્નલ શુક્રવારે મોડી સાંજ સુધીમાં ઉકેલાઇ ગયા. કોસ્ટ ગાર્ડના કમાન્ડર ચંદ્રા મહાપાત્રાએ જણાવ્યું કે, અમને એટીએસ તરફથી માહિતિ મળી. પેટ્રાલિંગ દરમિયાન અમે અમારી બોટ સિગ્નલની દિશા તરફ વાળી દીધી જ્યાં એક ઇરાની બોટ અમનૈ નજરે પડી હતી. ભારતીય જળસીમાં ઘુસેલી આ ઇરાની બોટ 200 નોટિકલ માઇલ દૂર હતી. ઇરાનની આ કોમર્શિયલ બોટમાં અમારી ટીમે હલ્લો બોલ્યો ત્યારે એમાં સાત ઇરાની હતા અને બોટની તપાસ કરતાં અંદરથી 250 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.
આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારી એ. કે. શર્માએ કહ્યું કે, સામાન્ય રીતે ઇરાન અને અફઘાનથી આવતી બોટમાં ડ્રગ્સ આવતા ન હતાં. ઇરાન અને અફઘાન વચ્ચે 40 મિલિયન ડોલરનો વેપાર છે. અફઘાનિસ્તાન જ્યાં સુધી તાલિબાનના કબજામાં ન હતું ત્યાં સુધી એમણે પોતાની બોટમાં કે ઇરાનની મદદ લઇને કોઇની બોટમાં ભારતમાં ડ્રગ્સ પહોંચાડવાની હિંમત કરી ન હતી, પણ હવે અફઘાનમાં તાલિબાની રાજ આવી ગયું છે ત્યારે અફઘાની બોટ ઉપરાંત ઇરાની બોટનો પણ ડ્રગ ટ્રાફાકિંગમાં ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. ‘
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live
ગુજરાતના પાટીદારોની મોટી અને મહત્વની સંસ્થા સરદારધામ દ્વારા GPBS -2022નું 26/27/28 ફેબ્રુઆરીમાં સુરત ખાતે આયોજન થવા જઇ રહ્યું છે, આ બિઝનેસ સમિટનો લોંચિંગ સમારોહ તા.18મી સપ્ટેમ્બર 2021ના રોજ સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પાટીદારોએ ભેગા થઇને દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે સરદારધામનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં સુરતના અનેક અગ્રણીઓ અને સામાજીક વડાઓની ઉપસ્થિતીમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર બાદ હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો.
આ રીતે સાકાર થશે સરદાર ધામ
સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1માં 300 કરોડના ખર્ચે GPSC UPSC તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહિતના યુવાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા કાર્યો માટેના ભવનનું નિર્માણ કરાશે અને અને ફેઝ 2 માં બાળભવનથી ઉચ્ચ શિક્ષણના ભવનો નિર્માણ પામશે. આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જીલ્લા અને ગ્રામ્યનાં હજારો વિદ્યાર્થીઓને થશે.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડકટનું બ્રાંન્ડીંગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખો ને વિસ્તરવા માટે ખુલ્લું આકાશ આપી શકે છે.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં એવું નથી કે ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉદ્યોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ માટે પણ અહી સ્થાન હશે. આ સમિટમાં 950+ સ્ટોલસ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, ઓટૌમોબાઇલ, કેમીકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પેટ્રો-કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શીપીંગ, સર્વિસ સેક્ટર, હેલ્થ કેર, સોલાર પાવર ઉપરાંત અને અનેક બિઝનેસ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. GPBS 2018 અને 2020 ની જેમ આ સમીટમાં પણ પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ વિજેતાઓની માહિતી સભર કોફીટેબલ બુક બહાર પાડવામાં આવશે. આ વખતે પણ બહોળા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેશે એવું અનુમાન છે.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે, સરદારધામના લક્ષબિંદુમાંના એક લક્ષબિંદુ એવા GPBS અને GPBO યુવાશક્તિના સર્વાગી વિકાસનું એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે. જ્યાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે. સ્ત્રીશક્તિકરણના ભાગ રૂપે આ સમીટમાં નાના મોટા ઉદ્યોગો કરતી મહિલાઓને માટે અલાયદો સ્પેશ્યલ ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગ રૂપે 10% સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના અગ્રણી બિઝનેસમેનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનના GPBS, GPBO તેમજ યુવા તેજ-તેજ્સ્વીનીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
સુરતમાં બહું જૂજ એવા મંડળો બચ્યા હશે કે જેઓ વર્ષોથી નહીં પણ દાયકાઓથી પરંપરાગત રીતે આજે પણ ગણેશોત્સવનું રસ્મોરિવાજથી આયોજન કરતા હોય છે. આવા જ એક મંડળનું નામ છે ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળ.
ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળ અંગે માહિતી આપતા યુવા કર્મકાંડી બ્રાહ્મણ હાર્દિકભાઇ ઉપાધ્યાયે 98255-73335 જણાવ્યું હતું કે તેમના જન્મ અગાઉથી ગોપીપુરા ખાતે ગણેશોત્સવનું આયોજન શરૂ થયુ હતું જે આજે પણ અવિરત પણે ચાલી રહ્યું છે. પૂર્ણ શાસ્ત્રોક્ત વિધી વિધાનથી અહીં ગણેશજીની મુખ્ય પ્રતિમા અને મંગલમૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આસપાસના રહેવાસીઓમાં એવી માનતા છે કે મંગલમૂર્તિની સ્થાપના પોતાના સ્વનિમિત્તે કરાવે તો ભગવાન શ્રીજી તમામ મનોકામના પૂર્ણ કરે છે અને એટલે જ એક વર્ષ અગાઉથી મંગલમૂર્તિના સૌજન્ય માટે સ્થાનિક રહેવાસીઓ એડવાન્સમાં બુકિંગ કરાવી લે છે.
હાર્દિકભાઇએ જણાવ્યું કે અહીં ફક્ત બે જ મૂર્તિઓનું સ્થાપન કરવાનો રિવાજ છે. શહેરના અન્ય મંડળોમાં જુદા જુદા પરિવારો પોતાની નાની મૂર્તિઓ સાર્વજનિક આયોજન સાથે સ્થાપિત કરે છે પરંતુ, ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળમાં ફક્ત બે જ મૂર્તિની સ્થાપના થાય છે અને આસપાસના મહોલ્લાવાસીઓ પૂરી શ્રદ્ધાથી દસ દિવસ શ્રી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરે છે.
આવતીકાલ રવિવાર તા.19મી સપ્ટેમ્બરના રોજ અનંત ચઉદશ પર્વે બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત સફરજનનું વિતરણ ભાવિક ભક્તોમાં કરવામાં આવે છે. અહીં એવી પરંપરા છે કે ભાવિકો પોતે સફરજનનો ભોગ ગણપતિ બાપ્પાને ચઢાવે છે અને અભિમંત્રિત સફરજનનો પ્રસાદ અચૂક મેળવે છે.
નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠક dt. 17/9/21 પૂર્ણ થઈ છે.
નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે કોરોનાની સારવારમાં મદદરૂપ થતી દવાઓ ઉપર જીએસટી છૂટ યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર 2021 સુધી આ છૂટ મળશે. આ ઉપરાંત જીવનરક્ષક દવાઓ ઉપર પણ જીએસટી છૂટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોલ્ગેન્સ્મા અને વિલ્ટેપ્સો દવાઓ ઉપર જીએસટી છૂટ આપવામાં આવી છે. આ બન્ને દવાઓની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે. જીએસટી કાઉન્સિલે આ બન્ને દવાઓને જીએસટીમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સાધનો ઉપર જીએસટી છૂટ નથી આપવામાં આવી.
મૂળ ભાવનગરના વતની અને હાલમાં કતારેશ્વર મહાદેવ શિવશક્તિ સોસાયટીમાં રહેતો યોગેશ ડાંગર અને જ્યોતી સુંદરલાલ દાસ પીપલોદમાં ઓલ વિમળહબના આઠમાં માળે સ્પા મસાજ સેન્ટર ચલાવતા હોઈ તેમાં થાઈલેન્ડની છ યુવતીઓને રાખી સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવવામાં આવતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે સ્પા સંચાલક યોગેશ ડાંગર અને ગ્રાહક વેસ્મા કાલાગચ્છા ગામના ઈસ્માઈલ નસીમ નૈનાને ઝડપી લીધા હતા અને ચાર મોબાઈલ, નાની ડાયરી, રોકડ સહિત રૂ. 71,600ની મતા કબજે કરી હતી. જ્યારે સંચાલિકા જ્યોતી સુંદરલાલ દાસ ફરાર થઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પામાં ગ્રાહકો પાસેથી રૂ. 3 હજાર લેવામાં આવતા હતા અને યુવતીઓને રૂ. 1 હજાર આપવામાં આવતા હતા. પોલીસે થાઈલેન્ડની છ યુવતીઓને મુક્ત કરાવી હતી.
સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં.
ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.
ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે.
વીજચોરી અટકાવવા માટે મહાવિતરણ ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ ટેક્નોલોજીમાં વીજચોરો એક ડગલું આગળ છે. હાલમાં રિમોટનો વપરાશ કરીને વીજચોરી કરવાની નવી તરકીબ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતી હોવાથી મહાવિતરણની જાણ બહાર કરોડો રૂપિયાની વીજચોરી થઈ રહી છે. વસઈની એક કંપનીની છ કરોડથી વધુ રૂપિયાની વીજચોરી મહાવિતરણે હાલમાં જ પકડી છે. આ ચોરી પકડવા માટે મહાવિતરણને ચાર વર્ષ નીકળી ગયાં હતાં. આ ઠેકાણે રિમોટના સહારે વીજચોરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી થતી વીજચોરીને પકડવી શક્ય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રિમોટ દ્વારા ચોરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે.
વીજચોરી રોકવી મહાવિતરણ સામે માટો પડકાર છે. વીજળી વાયર પર ગેરકાયદે ચોરી કરવા માટે લંગર ફેંકતા હોય છે. તેમાં ટેક્નોલોજીમાં સુધારો થયો છે. વીજચોરીને કારણે મહાવિતરણને આર્થિક નુકસાન થતું હોવાને કારણે ચોરી રોકવા માટે મહાવિતરણ પ્રશાસન તરફથી વીજચોરી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના પણ દાખલ કરવામાં આવે છે. જોકે ગુના નોંધાવા હોવા છતાં વીજચોરીના પ્રકાર થંભ્યા નથી. એનાથી ઊલટું નવી નવી તરકીબો અજમાવીને વીજચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં વીજચોરો દ્વારા રિમોટનો સહારો લેવામાં આવ્યો છે.
વસઈની એક કંપની ૨૦૧૭થી વીજચોરી કરતી હતી. રિમોટ કંટ્રોલના માધ્યમથી કંપનીના વીજવપરાશમાં ૯૦ ટકા ઘટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કાળમાં કંપનીએ અંદાજે ૩૩ લાખ યુનિટની ચોરી કરી હતી. આ પ્રકરણે સંબંધિત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનના ઉપલક્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્તમ લોકોને વેક્સીન મળે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થા તંત્રના કારણે રાત્રે 9 વાગ્યા સુધીમાં રેકોર્ડતોડ અંદાજે 2 લાખ 2 હજાર જેટલા લોકોને કોરોના વિરોધી રસી મૂકી આપવામાં આવી હતી. આજે સુરતમાં સેંકડો સ્થળો પર વેક્સીનેશ કેમ્પ યોજવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની આગેવાની હેઠળ ખાનગી, એન.જી.ઓ., શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ મળીને જબરદસ્ત વેક્સીનેશન કાર્યવાહી હાથ ધરી હતી અને તેના કારણે જ વેક્સીનનો સૌથી તોતિંગ રેકોર્ડ સુરત દ્વારા પાર પાડવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કર્યું આ ટ્વીટ
In Surat city, Record number of Maximum vaccination of 1,43,909 people vaccination done and counting today
મ્યુનિસિપિલ કમિશનરના આ ટ્વીટ પછી પણ જારી રહેલા વેક્સીનેશન અંગે સાંજે સાડાસાત કલાકે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે આજે સુરતમાં પોણા બે લાખથી વધુ લોકોને વેક્સીન મૂકવામાં આવી છે. આટલું વેક્સીનેશન અગાઉ ક્યારેય ગુજરાતના કોઇ શહેરમાં થઇ શક્યું નથી.
સચિન જીઆઇડીસીમાં ફાયર સ્ટેશન ખાતે 4100નું વેક્સીનેશન
સચિન જીઆઇડીસીના આગેવાન શ્રી મહેન્દ્ર રામોલીયાએ જણાવ્યું હતું કે આજે સુરતમાં જો કોઇ સેન્ટર પર સૌથી વધુ વેક્સીનેસન થયું હોય તો એ સચિન જીઆઇડીસી ફાયર સ્ટેશન ખાતેના વેક્સીનેશન બુથ છે. સચિન જીઆઇડીસીના આ વેક્સીનેસન બુથ પર આજે દિવસ દરમિયાન કુલ 4100 જેટલા લોકોને કોરોના રસી બિલકુલ સરળતાથી મૂકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સચિન અને આસપાસના વિસ્તારોના હજારો લોકો અત્યાર સુધી વેક્સીનેશન કેમ્પનો લાભ લઇ ચૂક્યા છે.
પ્રસ્તુત તસ્વીર સુરતના સચિન વિસ્તારમાં આવેલી રોટરી હોસ્પિટલ ખાતે આયોજિત વેક્સીનેશન કેમ્પની છે. જ્યાં આજે તા.17મી સપ્ટેમ્બરે દિવસ દરમિયાન અંદાજે 1600થી વધુ લોકોને રસી મૂકવામાં આવી હતી.
આજે તા.17મી નવેમ્બરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે આયોજિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથેના સંવાદ કાર્યક્રમ જોરદાર રીતે સફળ રહ્યો હતો. ખુદ પિયુષ ગોયેલે કાર્યક્રમના વખાણ કરતા કહ્યું કે ચેમ્બર દ્વારા આયોજિત આવા લાઇવ ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો બધી જગ્યાએ યોજાય તો ઉદ્યોગોને કોઇ પ્રશ્નો જ નહીં રહે.
ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરએક્ટીવ સેશનમાં કુલ 25 જેટલા પ્રશ્નો જુદા જુદા ઉદ્યોગપતિઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના સ્પષ્ટ જવાબો પિયુષ ગોયેલે સમારોહના અંતે આપ્યા હતા.
પિયુષ ગોયેલે સુરતના વિકાસ અંગે દર્શના જરદોષ અને ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પાસેથી વાતો સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા હતા. તેમણે સુરતને ભવિષ્યમાં ટેક્ષટાઇલ ક્રાંતિની આગેવાની લેવાનું આહવાન કર્યું હતું.
સુરતના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટીવ સેશનને સંબોધતા દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વાત વાતમાં એ બાબતનો સંકેત આપી દીધો હતો કે મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરત દાવેદાર છે, સુરતમાં 45 કિ.મી. ત્રિજ્યામાં સમગ્ર ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે, આમ છતાં પણ મિત્રા જેવા મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરતે શહેરથી 40-50 કિ.મી. દૂરનું સ્થળ વિચારવું જોઇએ, જેથી જમીન પણ સસ્તી મળી રહે અને સુરતના ટેક્ષટાઇલ ઉધોગનો દાયરો પણ વધી જાય, રોજગારીનું સર્જન પણ વધુ થાય એકંદરે તમામને ફાયદો મળી રહે.
તેમણે કહ્યું કે સુરત મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે દાવેદાર છે જ એમાં કોઇ બેમત નથી.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આજે બપોરે સુરતના ઉદ્યોગપતિઓ અને કેન્દ્ર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથે યોજવામાં આવેલા ઇન્ટરએક્ટિવ સેશનમાં પહેલા તો પિયુષ ગોયલે બધા જ પ્રશ્નકર્તાઓના પ્રશ્નો એક પછી એક સાંભળ્યા હતા. કુલ 25 જેટલા પ્રશ્નો એક પછી એક દરેક ક્ષેત્રમાંથી લોકોએ કર્યા અને તેને સાંભળ્યા અને નોટિંગ કર્યા બાદ પિયુષ ગોયેલે તેના જવાબો આપવાનું શરૂ કર્યું હતું.
પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્સ સ્કીમમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડકશન ટાર્ગેટના આંકડા ઘણાં ઉંચા હોવા બાબતની રજૂઆતના પ્રતિસાદમાં પિયુષ ગોયેલ કહ્યું કે સુરતના ઉદ્યોગપતિઓએ હવે મોટા મેદાન પર રમવાનો વખત આવી ગયો છે. રૂ.100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એકલા નહીં કરો તો બે ત્રણ જણાં ભેગા થઇ ને કરો, આ બાબત તમારી સાથે ભારતનો પણ વિકાસ કરશે.બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસનો ઉલ્લેખ કરતા પિયુષ ગોયેલે કહ્યું હતું કે હવે આપણે સેકન્ડ ક્વોલિટીનું વિચારવાનું છોડી દેવું જોઇએ.
અવ્વલ દરજ્જાની ક્વોલિટી માટે સરકાર તમારો સાથ આપવા તૈયાર છે, તેમણે કહ્યું કે કોઇપણ ઉત્પાદન માટે બીઆઇએસ સ્ટાન્ડર્ડ લાગૂ કરવા હોય તો તેઓ બેશક અમને મળે અમે એ પ્રોડક્ટ માટે બીઆઇએસ ધોરણો લાગૂ કરવામાં પૂરેપૂરી મદદ કરીશું. બીઆઇએસને કારણે ભારતનો માલ એટલે ક્વોલિટી માલ એવી પ્રતિષ્ઠા ભારતની થઇ જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.