CIA ALERT

Blog - Page 190 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 18, 2021
Milad-un-Nabi_600.jpg
1min515

ઇસ્લામી વર્ષનો ત્રીજો મહિનો રબી ઉલ અવ્વલનો ૧૨મો રોજ એટલે દીને ઇસ્લામના સૌથી છેલ્લા પયગંબર અને અલ્લાહના મહેબૂબ હઝરત મુહંમ્મદ  સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લામ (સવ.) ના મિલાદ શરીફ (જન્મદિવસ) નો મહાન પ્રસંગ. દર વર્ષે મોમીનોને આ દિવ્યોત્સવનું શરફ (માન, સન્માન) સાંપડે છે અને પયગંબરે ઇસ્લામના સબક આમોઝ (બોધ આપનારા) જીવન પ્રસંગો યાદ કરીને એમાંથી મઝહબી ફરજો સાથે માનવહકોની હિફાઝત (રક્ષા) અર્થે નેક (પ્રમાણિકતાપૂર્વક, ભલાઇ અને સત્ય) કાર્યો કરવાની પ્રેરણા મળે છે.

મિલાદ યાદના અવસર પર આપણી નજર સામે હિજરી સન ૧૪૪૧-૪૨ વર્ષ પૂર્વેનો અંધકાર યુગ ઉપસ્થિત થાય છે કે જયારે અરબસ્તાનની ભૂમિ પર અજ્ઞાનતા અને હેવાનિયત (જંગલી, પશુપણું)ના ઓળા ઉતરેલાં હતા અને ફિત્ના-ફસાદોની હવા ફૂંકાતી હતી. માત્ર નામોમાં જ મુસલમાની દેખાતી હતી પરંતુ કામ ખોટાં થતાં અને ઇસ્લામની ખરી ખૂબીઓ કોઇ સમજી શકતું નહોતું. આપસમાં નાના નાના કબીલાઓ લડતા અને મરતા હતા તેમ જ નજીવી બાબતોમાં મોટા ગુના કરતા હતા. એવા વિપરીત કાળમાં અલ્લાહના ફઝલો કરમ (કૃપા, મહેરબાની)થી પયગંબરે ઇસ્લામ, હુઝૂરે અનવર (સલ.)નો જન્મ થયો અને બચપણથી જ આ બધી બદી અને બૂરાઇઓ આપને ખૂંચવા લાગી. એનો આપે સદાચારી જીવન દ્વારા પ્રતિકાર કર્યો અને આપને નબુવ્વત પ્રાપ્ત થયા પછી તો ઇસ્લામને અજવાળવા અને તેને વ્યવસ્થિત બંધારણ પર મૂકવા માટે આપે જે ભગીરથ કાર્ય કર્યું છે તે ખરેખર અજોડ છે:

* આપ અલ્લાહના મહાન પયગંબર (સંદેશવાહક) એ તવહિદ (ઇશ્ર્વર એક હોવાનો) એકેશ્ર્વરવાદનો નારો લગાવ્યો અને તમામ લોકો એક જ સફ (પંગત)માં એકત્ર થઇ ગયા.
* આપના પર પવિત્ર કુરાન નાઝિલ (ઊતરવું) થયું અને ઇલાહી આજ્ઞા અને કાનૂનની લોકોને આપે સમજણ આપી.
* માલિક અને ગુલામો વચ્ચેનાં ભેદભાવો મિટાવ્યાં.
* જહાલત (મૂર્ખ, મૂઢ) અને ઝનૂન (પાશવીપણું) દૂર કર્યાં.
* જંગલી લોકોનાં જીગર (દિલોદિમાગ)માં  ઉતરી જઇને ઇન્સાનિયત-માનવતાનાં માંડવા બાંધ્યા. 
* માતાઓને દરજજો અપાવ્યો.
* દીકરીઓને હક (અધિકાર) અપાવ્યા.
* પત્નીઓ પર અન્યાય, અત્યાચારની લટકતી તલવારને દૂર કરાવી.
* આપે આપનું પોતાનું જીવન એવી રીતે સાદાઇ અને ગરીબીમાં ગુજાર્યું કે જે આપના ઉમ્મતિ (અનુયાયી, પ્રજાજનો) માટે બોધપ્રદ બની જાય. 

મીલાદુન્નબીના આ શાનદાર અવસરે આપ હુઝૂરે કરીમ (સલ.)ની ખિદમત  (સેવા)માં ન માત્ર મુસ્લિમો તરફથી જ આપના ઇલાહી તેજના બેનમૂન આદર્શ જીવન અને ઇસ્લામ ઉપરનાં આપના અનહદ ઉપકારો બ૨દલ શુક્રગુઝારી (આભાર પ્રદર્શિત) ની સલામી સાદર કરાશે. પરંતુ બિન મુસ્લિમ મહાનુભાવોની જબાનોથી અને કલમોથી પણ આપની મહાનતાનો મહિમા ગવાશે અને સદાકાળ ગવાતો રહેશે.

આપ હુઝૂરે અનવર (સલ.)ની ઇન્સાફી જિંદગી અને માનવ પ્રેમથી સભર જીવનની તવારીખ અતિ લાંબી અને વિશાળ છે. એનાં આલેખન માટે તો આ અદના લેખકના કલમની શાહી રજ જેટલી પણ હેસિયત રાખતી નથી પરંતુ અહીં અહેસાસનો ઇઝહાર રોકી શકાતો નથી કે જયારે જયારે આપના જીવનના હાલાત વાગોળવામાં આવે છે ત્યારે ત્યારે દિલમાં આપની અઝમત (મહત્તા)નો આપની મહાનતાનો એક નવો જઝબો  (ઉત્સાહ) પેદા થાય છે. આ આપમાં રહેલ દેવી ગુણો અને ઉત્તમ ખૂબીઓ નથી તો બીજું શું છે? એથી વધુ સારી દલીલ બીજી કઇ હોઇ શકે?
ઇસ્લામ ખુશગવાર અને કાબિલેકદ્ર અને આગવી ધાર્મિક નીતિનિયમોનો ધર્મ છે. એમાં ઇન્સાફની ખુશ્બો મહેકે છે, એમાં માનવતાની મિત્રતા દેખાય છે.

મિલાદ શરીફનો મહાન અવસર એ દુઆગુઝારી સાથે મનાવીએ કે આપ અલ્લાહના રસૂલ (સલ.) ના સદાચારી જીવનપંથે ઇમાનદારીપૂર્વક પ્રયાણ કરી, સર્વદા આપ પર દિલપૂર્વક દરૂદો સલામ પાઠવીએ.
સૌને ઇદે મિલાદની મુબારકબાદ.       

October 18, 2021
kochi.jpg
1min460

કેરળમાં ભારે વરસાદને લીધે મરનારા લોકોની સંખ્યા વધીને ત્રીસ થઇ હતી. આર્મી, નેવી અને વાયુસેના બચાવકાર્યમાં સહયોગ આપી રહી છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પૂરગ્રસ્ત કેરળને કેન્દ્ર તરફથી બનતી દરેક સહાય આપવાની બાંયધરી આપી હતી. સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૧ ટીમ બચાવ અને રાહતકાર્ય કરી રહી છે. 

Kerala rain: Death toll rises to 24, yellow alert in 11 districts | 10  points | Latest News India - Hindustan Times

dt.17/10/21, રવિવારે સવારે આર્મી, એનડીઆરએફ, પોલીસ અને અગ્નિશમન દળના જવાનોએ સ્થાનિક લોકોની સાથે મળીને કુટ્ટીકલ અને કોકકાયાર પંચાયત ક્ષેત્રમાં થયેલા ભૂસ્ખલનને લીધે ગુમ થયેલી વ્યક્તિઓની શોધ આદરી હતી. 

તપાસ દરમિયાન કાટમાળમાંથી કેટલાક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી એમની ઓળખ થઇ શકી નથી. શનિવારે કુટ્ટીકલમાંથી બે મહિલા અને બે બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.

આ અગાઉ 16/10/21 શનિવારે ઇડુક્કી જિલ્લાના કંજારમાં પૂરના પાણીમાં કાર તણાઇ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા ૩૦ વર્ષના એક પુરુષ અને મહિલાનું મોત થયું હતું. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોટ્ટયમમાં પહોંચેલી આર્મીની ટુકડીએ બચાવકાર્ય શરૂ કર્યું છે અને તેઓ ગુમ થયેલી વ્યક્તિઓને કાટમાળમાંથી શોધી રહ્યા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હજુ કેટલાક લોકો ફસાયા છે. હાલ વરસાદ તો નથી પડી રહ્યો પણ વાદળ ઘેરાયા છે. મદ્રાસ રેજિમેન્ટની ટુકડીએ કુટ્ટીકલથી ચાર કિ. મી. દૂર આવેલા કવાલી ગામે બચાવકાર્ય શરૂ કર્યું છે.

કોચીમાં આવેલા નૌસેનાના જહાજ આઇએનએસ ગરુડા પરથી રાહત સામગ્રી લઇને નૌસેનાનું હેલિકૉપ્ટર અસરગ્રસ્ત વિસ્તાર તરફ રવાના કરાયું હતું. 
ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકૉપ્ટરને વાયુસેનાની થિરુવનન્થપુરમ ખાતેની છાવણીમાં સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યા છે. 
કેરળ-કર્ણાટકના કિનારાના પ્રદેશમાં હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મુખ્ય પ્રધાન પિનારયી વિજયને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કૅમ્પ શરૂ કરાઇ હોવાની માહિતી ટ્વિટર પર જાહેર કરી હતી. 

October 17, 2021
cia_edu-1280x925.jpg
1min776

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.

બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.

નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોલેજોનું વર્તમાન સ્ટેટસ

ગુજરાતની મેડીકલ કોલેજોનું 2020નું કટ ઓફ

October 17, 2021
rte-1280x719.jpg
1min497

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

October 17, 2021
soniya.jpg
1min428

સોનિયા ગાંધીએ શનિવારે dated 16/10/2021 કોંગ્રેસની કાર્યકારિણી બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં જી-23 સમૂહને પરોક્ષ રીતે સંદેશ આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, હું જ કોંગ્રેસની પૂર્ણકાલિન અધ્યક્ષ છું અને મારી સાથે વાત કરવા કોઈએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પૂર્વે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે (જી 23 જૂથના એક નેતા)એ સોનિયા ગાંધીને સંગઠનમાં સુધારો કરવા માટે પત્ર લખ્યો હતો. આ ઉપરાંતે તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવા અને કોંગ્રેયના પૂર્ણકાલીન અધ્યક્ષની ગેરહાજરીમાં કોણ નિર્ણયો લઈ રહ્યું છે તેની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

સીડબલ્યુસીના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે પાર્ટીના દરેક સભ્ય કોંગ્રેસનું પુનરુત્થાન થાય તેવું ઈચ્છે છે. પરંતુ તેના માટે પાર્ટીની એકતા અકબંધ રાખવી પડશે અને પાર્ટીના હિતને સર્વોપરી રાખવું પડશે તેમ સોનિયા ગાંધીએ સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું હતું. આ બધાથી ઉપર સ્વ-નિયંત્રણ અને સ્વયં શિસ્ત પણ એટલી જ જરૂરી રહેશે.

કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસના કાયમી અધ્યક્ષની ચૂંટણી માટેનો રોડમેપ પણ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. 30 જૂન આ માટેની ડેડલાઈન હતી પરંતુ કોરોનાની બીજી લહેરને પગલે તેને લંબાવવી પડી હતી. આજની બેઠક સંગઠન ચૂંટણી મુદ્દે તમામ સ્પષ્ટતાઓ કરવાનો શ્રેષ્ઠ સમય છે તેમ પણ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.

સંગઠન ચૂંટણીઓ માટેની તૈયારીઓ 1લી નવેમ્બરથી શરૂ કરાશે. જી23 નેતાઓને ટાર્ગેટ કરીને સોનિયા ગાંધીએ જણાવ્યું કે, હું નિખાલસ રીતે વાત કરવા તૈયાર છું અને મારી સાથે વાત કરવા કોઈએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. આ માટે બેઠકમાં મુક્ત તેમજ પ્રામાણિક પણે ચર્ચા કરીએ અને આ ચાર દિવાલ બહાર શું સંદેશ ફેલાવવો છે તે સીડબલ્યુસીના સભ્યોનો સર્વાનુમત હોવો જોઈએ તેમ સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું.   

October 17, 2021
ferti.jpg
1min459

ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.

અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.

સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.

એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.

October 17, 2021
bitcoin_1.jpg
1min546

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

October 16, 2021
sumul.jpg
1min1096
Ghari

આ વખતે સુરતીઓ વિક્રમી ઘારી ઝાપટશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતીઓના પોતિકી તહેવાર ચંદની પડવા પર્વે આ વખતે સુરતીઓ ઘારી ખાવાના તમામ રેકોર્ડ તોડી નાંખશે. મળતી માહિતી મુજબ સુરતની સુમુલ ડેરી એકલા હાથે જ 100 ટન (અંદાજે 90 હજાર કિલો) જેટલી ઘારી બનાવીને સુરતીઓની ઘારીની ડિમાંડ પૂરી કરશે. આટલા મોટા જથ્થામાં સુમુલ ડેરીએ અગાઉ ક્યારેય કોઇ એક સિઝન માટે ઘારી બનાવી નથી. ગયા વર્ષ સુધી સુમુલડેરી દ્વારા 70થી 80 ટન જેટલી ઘારી બનાવવામાં આવતી હતી પરંતુ, આ વખતે સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રો જણાવે છે કે 100 ટન ઘારી બનાવીને ચંદી પડવા પહેલા સુમુલ ડેરીએ પોતે જ વિકસાવેલી સપ્લાય ચેઇન દ્વારા સુરત શહેર, જિલ્લા ઉપરાંત તાપી જિલ્લામાં પણ સ્વાદના શોખીન લોકો સુધી પહોંચતી કરશે.

સુમુલ ડેરી સિવાય શહેરના મીઠાઇ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંગઠનો, સંસ્થાઓ પણ એડવાન્સ ઓર્ડર લઇને હજારો કિલો ઘારી તૈયાર કરી રહી છે

ચંદી પડવો તહેવાર ફક્ત સુરત કે દક્ષિણ ગુજરાતના કેલેન્ડરમાં જ જોવા મળે તેવો પર્વ છે. સમગ્ર ભારતમાં શરદ પૂર્ણિમાની ધૂમ હોય છે પરંતુ, સુરતમાં શરદપૂર્ણિમા પછીના દિવસે આવતા ચંદી પડવાની ધૂમ વધુ હોય છે.

ચંદી પડવાએ સુરતવાસીઓ ઘારી અને ભૂસું અને સાથે વેજ નોનવેજ પોતાની પસંદ અનુસાર જયાફત ઉડાવતા હોય છે.

મૂળ સુરતવાસીઓ ઉપરાંત સુરત આવીને વસેલા હિન્દીભાષીઓ, પરપ્રાંતીયો પણ ઘારીના શોખીન બની ગયા હોઇ, ચંદી પડવાએ દર વર્ષે સુરતની ઘારીની ડિમાંડ વધતી જ જાય છે. આ વખતે તો સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ એકલી સુમુલ ડેરી જ એકલા હાથે 100 ટન જેટલી ઘારી બનાવીને બજારમાં મૂકવા જઇ રહી છે.

ઘારીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.40નો વધારો

સુમુલ ડેરીની ઘારીના ભાવમાં આ વખતે રૂ.40 પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ રૂ.560 હતો જે આ વખતે રો મટિરિયલના ભાવ વધારાને ધ્યાને રાખીને રૂ.600 પ્રતિ કિલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન પણ મળશે સુમુલની ઘારી

આ વખતે સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તેવી પ્રતીતિ જે રીતે સુરતમાં ઘારીનું પ્રોડકશન થઇ રહ્યું છે તેના પરથી થઇને રહે છે. કેમકે સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને વેચશે. તદુપરાંત સુરતમાં મીઠાઇ વિક્રેતાઓ, જુદી જુદી સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને બધુ મળીને બીજી 100 ટન ઘારી સુમુલ સિવાયના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થાય તેવો અંદાજ છે. આમ, સુરતી આ વખતે વિક્રમસર્જક જથ્થામાં ચંદી પડવાએ ઘારી ઝાપટી જશે.

October 16, 2021
usa_flag.png
1min416

 કોરોના વાયરસના કારણે અમેરિકાએ હાલમાં વિદેશથી આવતા લોકો માટે ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, વ્હાઈટ હાઉસ દ્વારા શુક્રવારે આ ટ્રાવેલ પ્રતિબંધો હળવા કરવામાં આવે તેવી શક્યતા છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા 8 નવેમ્બરથી વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા વિદેશી નાગરિકો માટે જમીન માર્ગ તથા એર ટ્રાવેલ પરના પ્રતિબંધ ઉઠાવવાની જાહેરાત કરી શકે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે તે કેનેડા અને મેક્સિકો ખાતેની પોતાની સરહદો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવી લેશે અને જેમણે સંપૂર્ણ વેક્સીન લીધી છે તેમને દેશમાં આવવાની મંજૂરી આપશે. જોકે, જેમણે વેક્સીન લીધી નથી તેમને કેનેડા અને મેક્સિકોમાંથી જમીની સરહદેથી પ્રવેશ આપવામાં આવશે નહીં.

કેનેડાએ 9 ઓગસ્ટથી સંપૂર્ણ વેક્સીન લેનારા અમેરિકન પ્રવાસીઓને બિનજરૂરી ટ્રાવેલ માટે મંજૂરી આપી હતી. વ્હાઈટ હાઉસે 20 સપ્ટેમ્બર જાહેર કર્યું હતું કે અમેરિકા નવેમ્બરની શરૂઆતમાં ભારત, ચીન, બ્રાઝિલ તથા યુરોપના મોટા ભાગના દેશો સહિત કુલ 33 દેશોના પ્રવાસીઓ માટેના ટ્રાવેલ પ્રતિબંધો ઉઠાવી લેશે. જોકે, નવેમ્બરમાં કઈ તારીખથી આ પ્રતિબંધો ઉઠાવવામાં આવશે તેની સ્પષ્ટતા કરી ન હતી.

નોન-અમેરિકન એર ટ્રાવેલર્સને ફ્લાઈટમાં બેસતા પહેલા વેક્સીન લીધી હોવાનું પ્રૂફ આપવું પડશે અને તાજેતરમાં કરવામાં આવેલા કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ બતાવવો પડશે. જ્યારે જમીની સરહદેથી અમેરિકામાં દાખલ થનારા વિદેશી પ્રવાસીઓને તાજેતરના કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર રહેશે નહીં.

October 16, 2021
girlion.jpg
1min486

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.