CIA ALERT

Blog - Page 144 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 11, 2022
cia_edu-1280x925.jpg
5min1308

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ હવે કોલેજ પ્રવેશ અંગેની કાર્યવાહી સમયસર શરૂ કરવી પડશે. અહીં શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર)ની ટીમ દ્વારા ધો.12 પછીની પ્રવેશ પરીક્ષાઓની સઘળી માહિતીનું સંકલન કરીને પ્રસ્તુત કરી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે પ્રવેશ પરીક્ષાના આધારે જે કોર્સ, કોલેજ પ્રવેશ આપતી હોય તેનું કન્ટેન્ટ સામાન્ય યુનિવર્સિટીઓથી અલગ હોય છે.

ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ

સારા કોર્સ કન્ટેન્ટ અને સારા કેમ્પસ માટે ઓછામાં ઓછી બેથી ત્રણ પ્રવેશ પરીક્ષા આપવી ઘટે

આ કન્ટેન્ટ શિક્ષણ સર્વદાએ વિદ્યાર્થીઓ માટે સંકલિત કર્યું છે,

વન ટુ વન, વ્યક્તિગત કાઉન્સેલિંગ અથવા તો આપના જ્ઞાતિ, સમાજ, મંડળ, ક્લબ, સોસાયટી, સ્કુલ, કોલેજ વગેરેના સભ્યો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવું હોય તો સંપર્ક કરોઃ 98253 44944

SubjectExamFor Whom?Registration up toExam Date
LawCLAT 15 Law Univerties IIM Rohtak IPL12 Any Stream31/03/202208/05/2022
Humanities and Social SciencesHSEE – IIT Madras12 Any Stream27/04/202212/06/2022
ALL SS_web_logo.jpgCUET – Central Universities all over India12 Any Stream01/04/2022July First Week
For Perfect Career GuidanceContact98253 44944Shikshan Sarvada 
ManagementUGAT – India’s 200 Business Schools12 Any Stream29/04/202207/05/2022
ManagementNPAT – Narsee Monjee Mumbai12 Any StreamRunning nowSS_web_logo.jpg
ManagementIPM Aptitude Test – IIM Rohtak12 Any Stream02/05/202221/05/2022
ManagementJIPMET-22 – IIM Bodhgaya – IIM Jammu12 Any Stream30/04/202220/06/2022
ManagementIPMAT – IIM Indore – IIM Ranchi – NIRMA Uni12 Any Stream21/05/202202/07/2022
ManagementSYM-SET – Symbiosis Pune12 Any Stream08/06/202226/06/2022
Engineering SS_web_logo.jpgJEE Main Phase-1   JEE Main Phase-2 – NITs, IIITs12 PCM30/04/202220 to 29 June 2022  21 to 30 July 2022
EngineeringJEE Advanced – IITs12 JEE Main qualified14/06/202203/07/2022
Engineering/PharmGUJCET – Engineering – Pharmacy – Agriculture12 Science A/B05/02/202218/04/2022
EngineeringBITSAT Phase-1 BITSAT Phase-212 PCM21/05/202220-26/06/2022 22-26/06/2022
ArchitectureNATA Phase-1 NATA Phase-2 NATA Phase-312 PCM30/04/202212/06/2022 03/07/2022 24/07/2022
Medical/ParamedicalNEET UG12 PCB06/05/202217/07/2022

કારકિર્દી માર્ગદર્શન એપોઇન્ટમેન્ટ મેળવવા માટે લિંક ઓપન કરીને ફોર્મ ભરો

https://forms.gle/QH7adNwgSLAxYime6

April 11, 2022
rrr.jpg
1min510

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે.

ફિલ્મ હવે 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મોની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.રામચરણ તેજા અને જુનિયર એનટીઆર અભિનિત ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે.

આ પહેલા આમિર ખાનની દંગલ અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 1000 કરોડની ક્લબમાં સામેલ થયેલી છે.બાહુબલીએ 1800 કરોડની લાઈફ ટાઈમ કમાણી કરી હતી.જ્યારે દંગલે 2024 કરોડ રુપિયા કમાણી કરી હતી.

RRRના કારણે જોહન અબ્રાહમની ફિલ્મ એટેક સુપર ફ્લોપપ સાબિત થઈ છે.RRRનુ હિન્દી વર્ઝન પણ 213 કરોડ રુપિયાની કમાણી કરી ચુકયુ છે.ત્રીજા સપ્તાહમાં પણ RRR બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે.

April 11, 2022
fire.jpg
1min767

રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

April 10, 2022
cia_edu-1280x925.jpg
1min736

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના તાજેતરના નિર્દેશો મુજબ, જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની (ઓનર્સ) ગ્રેજ્યુએટ  ડિગ્રી પૂર્ણ કરે છે તેઓ તેમના ઇચ્છિત પસંદગીના કોર્સમાં પીએચડી (ડોક્ટરેટ) ડિગ્રી મેળવવા માટે સીધી અરજી કરી શકશે. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સંશોધન ઇકોસિસ્ટમમાં પ્રવેશવામાં બે વર્ષ જેટલો અમૂલ્ય સમય બચશે. ઓછા સમય તેઓ શિક્ષણ જગતની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી શકશે. અગાઉની સિસ્ટમ મુજબ, વિદ્યાર્થીઓએ પીએચડી કરતા પહેલા પીજી પૂર્ણ કરવા માટે બે વર્ષ ફાળવવા પડતા હતા. દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુ જેવી કેન્દ્રીય યુનિવર્સિટીઓએ ભૂતકાળમાં એમફિલની ડિગ્રી રદ કરી છે.

આરપી તિવારી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના વાઇસ ચાન્સેલર કહે છે, “ઓનર્સ ડિગ્રી એટલે કે ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી પીએચડી કરી શકાય એ સંદર્ભના યુજીસીના આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ ઇકો સિસ્ટમમાં ફરજિયાત વિતાવવા પડતા વર્ષોની સંખ્યામાં ઘટાડો થશે. પીએચડી પૂર્ણ કરવા માટેનો લઘુત્તમ સમયગાળો પણ ત્રણથી ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યો છે. જો કે, પીએચડી પૂર્ણ કરવા માટે મહત્તમ વર્ષ છ વર્ષ તરીકે યથાવત છે.

અગાઉના નીતિ નિયમો મુજબ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની સ્નાતકની ડિગ્રીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરવો પડતો એ પછી બે વર્ષની પીજી ડિગ્રી પાસ કરવી પડતી અને તે પછી જ તેઓ ડોક્ટરેટ ડિગ્રી મેળવવા માટે લાયક બનતા હતા. NEP 2020માં હિમાયત કરવામાં આવી છે કે ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા સ્નાતકોને પીએચડી પ્રોગ્રામ માટે સીધી અરજી કરવાની મંજૂરી આપવામાં આવે.

“વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં UG ડિગ્રી મેળવશે તે જ્ઞાનનું પ્રમાણ આવશ્યક છે કારણ કે તે એક મજબૂત શૈક્ષણિક પાયો નાખશે. આનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે જ્યારે તેઓ ચાર વર્ષ પછી પીએચડી કરશે. સ્નાતકની ડિગ્રીનું ચોથું વર્ષ મુખ્યત્વે સંશોધન ક્ષેત્રને સમર્પિત છે, જે UG સ્તરે જ વિદ્યાર્થીઓને સંશોધનનું એક્સપોઝર આપશે. જો કે, વિદ્યાર્થીઓના એક વર્ગને લાગે છે કે તેઓને તેમની ચાર વર્ષની UG ડિગ્રીમાં સંશોધન ડોમેન માટે જરૂરી એક્સપોઝર મળ્યું નથી, તેમને PGમાં એક વર્ષ આગળ વધવાની અને પછી PhD પ્રોગ્રામમાં જોડાવાની છૂટ હોવી જોઈએ,” એમ આર.પી. તિવારી સમજાવે છે.

આ સિસ્ટમ વિવિધ શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાપિત સિસ્ટમ હોવી જોઈએ. આ નિર્ણયને લીધે, PG કોર્સમાં નોંધણી ઘટશે, પરંતુ તે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) પર અસર કરશે નહીં,” તિવારી વધુમાં ઉમેરે છે.

અનિલ જોસેફ પિન્ટો, રજિસ્ટ્રાર, ક્રાઇસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોર, કહે છે, “UGC દ્વારા લેવાયેલો નિર્ણય વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે, જેઓ તેમના 20 ના દાયકાની શરૂઆતમાં સંશોધનમાં સક્રિયપણે નોંધણી કરાવી શકે છે. સંશોધન ઇકોસિસ્ટમમાં વહેલા પ્રવેશવાથી, વિદ્યાર્થીઓને વધુ સારી પાયો મળશે.” જો કે, હવે મૂળભૂત અને સામાજિક વિજ્ઞાનના મોટાભાગના માસ્ટર પ્રોગ્રામ્સમાં નોંધણીમાં ઘટાડો જોવા મળશે. પિન્ટો ઉમેરે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં આ પ્રકારની સિસ્ટમ અનુસરવામાં આવે છે.

April 10, 2022
Ram-Navami.jpg
1min565

જેમનું નામ માત્ર અૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની અવતરણ જયંતિ ‘રામનવમી’ આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં બે વર્ષ બાદ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. આજે રવિવાર, તા.10મી એપ્રિલે સમગ્ર દેશ દુનિયામાં રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂતની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ  વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.

April 10, 2022
covid-xe-variant.jpg
1min1421

વડોદરા ખાતે આવેલા મહારાષ્ટ્રના ૬૬ વર્ષીય વૃદ્ધની તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. આજે 9/4/22 ગુજરાત બાયોટેક રીસર્ચ સેન્ટરે  પ્રમાણિત કર્યું છે કે એ વ્યક્તિને કોરોના પોઝિટિવ હતો. એ વેરિયન્ટ ઓમિક્રોન XE હતો. ભારત સરકારને આ સેમ્પલ ફરીથી એક વખત રીચેકિંગ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત સરકારે કબૂલ્યું છે કે આ વેરિયન્ટ XE જ છે. આ સંજોગોમાં સમગ્ર ભારતમાં સૌથી પહેલો XE વેરિયન્ટનો સત્તાવાર કેસ ગુજરાતમાં નોંધાયો છે.  આ અગાઉ મુંબઈમાં શંકાસ્પદ XE વેરિયન્ટને કેન્દ્રની લેબોરેટરીએ નેગેટિવ લેખાવ્યો હતો. 

XE Varient

તજજ્ઞાો કહે છે કે જિનોમ સિક્વન્સિંગમાં મળી આવેલો આ XE  વેરિયન્ટ ઓમિક્રોન કરતાં દસગણો વધુ ચેપી છે, પરંતુ ઘાતક નથી. ટૂંકમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન આવેલાં ઓમિક્રોનની માફક અત્યારે ગુજરાતના તમામ નાગરિકોએ આ વેરિયન્ટથી ચેતવાની જરુર છે, ડરવાની જરૂર નથી. કોમ્યુનિકેબલ ડિસીઝ એક્સપર્ટ કહે છે કે કોરોનાની પહેલી લહેરમાં ડેલ્ટા અને ત્યાર બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ગુજરાતમાં અને  સમગ્ર દેશમાં જોવામાં આવ્યો હતો. તબીબોની ભાષામાં કહીએ તો BA1 અને BA2  આ બંને વેરિયન્ટ ભારતમાં અને દુનિયામાં સૌથી વધુ જોવા મળ્યા હતાં.

મૃત્યુદરની સંખ્યા વધુ જોવા મળી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટે દેખા દિધી હતી. જેનું સંક્રમણ પહેલી બે લહેર કરતાં અત્યંત ઓછું હતું અને માત્ર ગળામાં ખરાશ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળતાં હતાં. તજજ્ઞાો હવે ક્હે છે કે આ સંજોગોમાં કોરોનાનો નવો વેરિયન્ટ જો ગુજરાતમાં વ્યાપક બને તો તેનો ચેપ વધુ ફેલાશે પરંતુ કોરોનાની પહેલી અને બીજી લહેર માફક આ સ્ટ્રેઇન ઘાતક નીવડે એવી શક્યતા તદ્દન ઓછી છે. પરંતુ સાથોસાથ તજજ્ઞાો કહે છે કે હોસ્પિટલાઇઝેશન ઓછું હશે પરંતુ ડાયાબીટીસ, હાયપર ટેન્શન કે હૃદય રોગની બીમારીથી પીડાતા લોકોએ આ નવા વેરિયન્ટથી ચેતવાની જરુર છે, માટે માસ્ક પહેરવાની કાળજી સહુએ લેવી જરૂરી છે.

જો કોઈ વ્યક્તિને કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમણ થાય તો એક અઠવાડિયું આઇસોલેશનમાં રહેવું જરુરી છે. એમ કહી આ તજજ્ઞાો ઉમેરે છે કે ગુજરાતમાં કુદરતી રીતે મોટા ભાગની વસ્તીએ રોગ પ્રતિકારક શક્તિ મેળવી લીધી છે જ્યારે મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધાં છે. જ્યારે ફ્રન્ટ લાઇન વર્કર્સે બૂસ્ટર ડોઝ પણ લીધો છે. એ સંજોગોમાં તાજેતરમાં થયેલો સીરો સર્વે સુચવે છે કે ગુજરાતના લોકોમાં એન્ટી બોડી અને ટી સેલ સેલ્યુલર ઇમ્યુનિટી પણ ખાસી વધારે માત્રામાં જોવા મળી છે. એ દૃષ્ટિએ ખાસ ચિંતાજનક માહોલ જણાતો નથી છતાં પણ અણી ચૂક્યો સો વર્ષ જીવે એ કહેવત યાદ રાખવાની જરુર છે. સદનસીબે કોરોનાના નવા વેરિયન્ટથી શૂળીનો ઘા સોયથી સર્યો એમ કહી શકાય.

April 10, 2022
imran.jpg
1min677

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.

સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.

આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

April 10, 2022
lrd.jpg
1min711

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

April 10, 2022
Madhavpur-Mela.png
1min801

ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.

રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.

April 9, 2022
willsmit.jpg
1min505

હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથ (Will Smith)ને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે (Oscars 2022) 10 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ(Will Smith Banned in Oscars) શકે. 28 માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith)ની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના 11 દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.

એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “94મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”

સમગ્ર ઘટના?

28 માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી. જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.

થપ્પડકાંડ બાદ વિલે માફી માગી હતી

થપ્પડકાંડ થયો તે પછી વિલને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. વિલ અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વર્તન માટે માફી માગી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર પણ આખી દુનિયા અને ક્રિસની માફી માગી હતી.

વિલ સ્મિથની ‘Deadshot’ મૂવી બંધ થઈ ગઈ છે. આ ફિલ્મને સત્તાવાર રીતે બંધ કરી દેવાઈ છે. જોકે, આ નિર્ણય પાછળ વિલનો થપ્પડકાંડ જવાબદાર નથી. ફિલ્મને બંધ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.