CIA ALERT

Blog - Page 143 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 15, 2022
hardik1-1280x720.jpg
1min596

ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટી ઉથલ-પાથલની સંભાવના દેખાઈ રહી છે. પાટીદાર સમાજના મોટા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે કોંગ્રેસ પર નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા પાટીદાર સમાજના અપમાનનો આરોપ લગાવ્યો છે. ” ‘
માત્ર 26 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્યમાં નેતા વધારે હોવાના કારણે નિર્ણય થઈ શકતો નથી. પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના મોટા ભાગે મીડિયામાં નિવેદન આવે છે તેના કારણે આખા પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે. એ પાટીદાર સમાજ સહન નહીં કરે બે મહિના થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય થઈ શક્યો નથી અને સ્થાનિક નેતૃત્વએ તેના પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.’

એક અહેવાલ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મને પ્રદેશ પાર્ટી કમિટીની બેઠકમાં આમંત્રિત કરવામાં આવતો નથી. કોઈ પણ નિર્ણય લેવા પહેલા તેઓ મારી પાસ સલાહ લેતા નથી પછી આ પદનો અર્થ શું છે? ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો અર્થ લગ્ન બાદ વરરાજાની નસબંદી ”’ કરાવવા બરાબર છે.
હાર્દિક પટેલ દાવો કરે છે કે વર્ષ 2015ની સ્થાનિક ચૂંટણી અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના આંદોલનથી કોંગ્રેસને ચૂંટણીમાં મોટો ફાયદો થયો. ત્યારબાદ શું થયું? કોંગ્રેસમાં ઘણા લોકો માને છે કે પાર્ટી વર્ષ 2019 બાદ હાર્દિક પટેલનો સારી રીતે ઉપયોગ ન કરી શકી. તેનું કદાચ કારણ એ છે કે પાર્ટીમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આગામી 5-10 વર્ષમાં હું તેમની પ્રગતિમાં બાધા બની શકું છું અને એટલે જ કોંગ્રેસના નેતાઓ ઇચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.
દરમિયાન હાર્દિક પટેલના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિકને કહ્યુ કે, બધાએ શિસ્તમાં રહેવું જોઈએ. શું હાર્દિકે નરેશ પટેલને પૂછીને નિવેદન આપ્યું હતું? દરેક પાર્ટી અને વ્યક્તિની સમસ્યા હોય જ છે કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય.

હાર્દિક પટેલની નારાજગી બાબતે જ્યારે ગુજરાત કોંગ્રસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે હાર્દિક પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવીશ કે તેમની નારાજગીનું કારણ શું છે. નરેશ પટેલને સામેલ કરવા માટે પાર્ટી તૈયાર છે. તેમની સાથે કેટલીક વાતચીત પણ થઈ ચૂકી છે પરંતુ આ નિર્ણય તેમણે જ કરવો પડશે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં અને કોંગ્રેસ તેમનું અને તેમના સમુદાયનું અપમાન કઈ રીતે કરી શકે છે.

April 14, 2022
societynews-1280x1040.jpg
1min619

સ્કુલે જતી છાત્રાઓની સાથે કનડગતથી લઇને દુષ્કર્મ સુધીના બની રહેલા ગંભીર કેસોને નાથવાના પ્રયાસ રૂપે સુરતના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાતા ઉધના, પાંડેસરા, સચિન, ડીંડોલી વગેરે વિસ્તારની સ્કુલે જતી છાત્રાઓને ઉનાળા વેકેશન દરમિયાન સેલ્ફ ડિફેન્સની 6 દિવસની ટ્રેનિંગ બિલકુલ નિશુલ્ક મળી રહે તે પ્રકારનું આયોજન સુરત શહેર પોલીસ તેમજ ઉધનામાં કાર્યરત લિઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો

https://forms.gle/Bho7PukUtyTCqopa9

9737699499 અથવા 9925110009 પર સંપર્ક કરો

કન્યાઓ માટેની આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં વહેલા તે પહેલાના ધોરણે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે અને સેંકડો વિદ્યાર્થિનીઓએ આમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. વધુ વિગતો આપતા લિયો ગ્રુપના ચેરમેન જયસુખ કથિરીયાએ જણાવ્યું હતું કે સેલ્ફ ડિફેન્સની આ ટ્રેનિંગ ઉનાળા વેકેશન દરમિયાન જ સ્કુલમાં જ આપવામાં આવશે. આ ટ્રેનિંગનું આયોજન સુરત શહેર પોલીસ કમિશનર અને જે તે વિષય નિષ્ણાંત લોકો દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. સનગ્રેસ સ્કુલ ઉધના, સનરેઝ સ્કુલ, સનલાઇટ સ્કુલ, લિયો ગ્રુપમાં હાથ ધરવામાં આવશે. સ્કુલે જતી કન્યાઓ માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે.

April 14, 2022
bmc.jpg
1min437

મુંબઈ મહાનગરપાલિકાએ બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ડિફૉલ્ટર ખાનગી કંપનીના જપ્ત કરેલા હેલિકૉપ્ટરનું મૂલ્ય માત્ર ૪૫ લાખ રૂપિયા થઈ ગયું છે. તેથી પાલિકાનું મોટી રકમ વસૂલવાના સપના પર પાણી ફરી વળ્યું હોવાનું કહેવાય છે.

BMC seizes 2 choppers for unpaid property tax | Mumbai News - Times of India

કોરોના મહામારી પહેલાં પાલિકાએ ખાનગી કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કર્યાં હતાં. પાલિકાએ આ કંપની પાસેથી ૧.૯૫ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો હતો. જપ્ત કરેલાં હેલિકૉપ્ટર હાલ જુહૂમાં પાર્ક કરેલાં છે. આ હેલિકૉપ્ટરમાંથી પાલિકાને મોટી વસૂલી થવાની અપેક્ષા હતી, જોકે હેલિકૉપ્ટરના અમુક ભાગ ગાયબ થયા હોવાને કારણે તેનું મૂલ્ય હવે ફક્ત ૪૫ લાખ રૂપિયા થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાના અસેસમેન્ટ ખાતાના અધિકારીના કહેવા મુજબ આ ખાનગી ઍરોસ્પેસ કંપનીની પ્રોપટી ટૅક્સની બાકી રહેલી રકમ ૨.૭૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે જપ્ત કરેલા હેલિકૉપ્ટરના મહત્ત્વના ભાગ ચોરાઈ ગયા છેે. તેથી આ હેલિકૉપ્ટર હવે ફક્ત ભંગારમાં વેચાઈ શકે છે. તેથી બાકી રહેલી રકમ વસૂલવા માટે પાલિકાએ ઍરપોર્ટ ઑથોરિટીને પત્ર લખ્યો છે. આ ખાનગી કંપની પાસે માર્ચ, ૨૦૧૯ સુધી પાલિકાએ એક કરોડ ૬૫ લાખ રૂપિયા વસૂલવાના હતા. આ રકમ વસૂલવા માટે પાલિકાએ પહેલાં જ કંપનીના પાણી અને વીજળીનાં જોડાણ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ પણ કર ભર્યો ન હોવાથી આ કંપનીને અનેક વખત પત્ર લખવામાં આવ્યા હતા. કંપનીએ સતત તેના તરફ દુર્લક્ષ કરતા સંબંધિત કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. છતાં કંપનીએ બાકી રહેલી રકમ નહીં ભરતા પાલિકાએ હેલિકૉપ્ટરની લિલામી કરીને પ્રોપર્ટી ટૅક્સના પૈસા વસૂલ કરવાનો નિર્ણય લીધો હતો.     

April 13, 2022
Cia_business_news-1280x936.jpg
1min657

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ભરેલા એક અભૂતપૂર્વ પગલામાં, સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 737 MAX વિમાન  ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ 90 પાઇલોટ્સ જ્યાં સુધી ડીજીસીએના નિરીક્ષણ હેઠળ યોગ્ય તાલીમ ન લે ત્યાં સુધી તેઓ 737 મેક્સ બોઇંગ વિમાન નહીં ઉડાડી શકે. નોઇડામાં ઉપલબ્ધ સુવિધામાં આ 90 પાઇલટ્સે લીધેલી સિમ્યુલેટર તાલીમમાં વિસંગતતાઓ શોધી કાઢ્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ પગલું લીધું હતું.

સ્પાઇસ જેટના 90 પાઇલોટ્સ પર મૂકાયેલા પ્રતિબંધને સમર્થન આપતા ભારતના ઉડ્ડયન નિયમનકાર અરુણ કુમારે મંગળવારે તા.12મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ટ્રેનિંગમાં રહી ગયેલી કથિત ક્ષતિને પગલે એરલાઇનની પાઇલટ તાલીમ પણ રેગ્યુલેટરના સ્કેનર હેઠળ છે. સ્પાઇસ જેટના (90) પાઈલોટ્સને બોઈંગ 737 MAX ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. તેઓએ DGCA ના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે,

બીજી તરફ સ્પાઇસજેટ એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું: “DGCA એ 90 પાઇલોટ્સએ ભૂતકાળમાં અનુસરેલી તાલીમ પ્રોફાઇલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમાં કેટલીક કચાશ રહી ગઇ હોવાથી DGCAની સૂચના મુજબ, સ્પાઈસજેટે 90 પાઈલટોને MAX એરક્રાફ્ટ ઉડાડવાથી હંગામી ધોરણે દૂર કર્યા છે. આ પાઇલોટ્સ ડીજીસીએના સંતોષ માટે ફરીથી તાલીમ લેશે.

સ્પાઇસ જેટ એરલાઇન્સ હાલમાં તેના કાફલામાં ઉપલબ્ધ બોઇંગ 737 MAX પ્રકારના 13  માંથી 11 વિમાનોનું સંચાલન કરે છે, આ 11 વિમાનો પર ભારતમાં 60 દૈનિક ફ્લાઇટ્સ ઉડી રહી છે, 90 પાઇલોટ્સ પર આ વિમાન ચલાવવા પર મૂકાયેલા પ્રતિબંધની અસર સ્પાઇસ જેટની દૈનિક ફ્લાઇટ પર નહીં પડે.

 “11 એરક્રાફ્ટ (MAX) નું સંચાલન કરવા માટે લગભગ 144 પાઇલોટ્સ જરૂરી છે. સ્પાઇસજેટ પાસે હાલમાં MAX પર 560 પ્રશિક્ષિત પાઇલોટ્સ છે. પ્રશિક્ષિત પાઇલટની સ્ટ્રેન્થ હોવાથી દૈનિક ઉડ્ડયનની સામાન્ય કામગીરી ચાલુ રાખવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે,” એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ 90 પાઈલટ તેમની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે નિર્ણાયક “મેન્યુવરિંગ લાક્ષણિકતાઓ વૃદ્ધિ પ્રણાલી” (MCAS) સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. MAX માટે બોઇંગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવાદાસ્પદ ફ્લાઇટ સ્ટેબિલાઇઝિંગ પ્રોગ્રામ MCAS, આખરે ઓક્ટોબર 2018 અને માર્ચ 2019માં Lion Air અને Ethiopian Airlines B737 MAX ક્રેશ માટે જવાબદાર હોવાનું જણાયું હતું, જેમાં 346 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

“આ સિસ્ટમનો એક ભાગ, ‘સ્ટીક શેકર’ જે કંટ્રોલ કોલમને વાઇબ્રેટ કરે છે અને જ્યારે જેટ લિફ્ટ ગુમાવવાનું જોખમ લે છે ત્યારે જોરથી અવાજ કરે છે, તે પણ આ પાઇલટ્સને તાલીમ આપતી વખતે સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરતું ન હતું,” એક સ્ત્રોતે જણાવ્યું હતું.

લાયન એર અને ઇથોપિયન MAX બંને ક્રેશમાં, એરક્રાફ્ટ નોઝ નીચે ધકેલવામાં આવ્યું હતું કારણ કે ઘણા પરિબળોને કારણે પાછળથી ધ્યાન આપવામાં આવ્યું હતું જ્યારે MAX ને વૈશ્વિક ગ્રાઉન્ડિંગ પછી ફરીથી ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી. MAX સિમ્યુલેટર પર MCAS માટે સાચી પાયલોટ તાલીમ આ પ્લેનને સુરક્ષિત રીતે ઉડાડવાની ચાવી છે.

સ્પાઇસજેટ હાલમાં એકમાત્ર ભારતીય એરલાઇન છે જે MAXનું સંચાલન કરે છે.

April 13, 2022
coronaworld.jpg
1min441

કોરોના તેના નવા વેરિઅન્ટો સાથે ફરી સક્રિય થઈ રહ્યો છે ત્યારે દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો છે. આ મહામારીના પહેલા કેસથી 50 કરોડ દર્દી થવામાં માત્ર 877 દિવસનો સમય લાગ્યો છે. જોકે રાહતની વાત એ પણ રહી છે કે, દુનિયાભરમાં 45 કરોડ 02 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે દુનિયામાં અત્યાર સુધીમાં 62 લાખથી વધુ મૃત્યુ નોંધાયાં છે. દરમ્યાન, ભારતમાં કોરોના સતત નબળો પડી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં 796 નવા કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓએ મહામારી સામેની લડાઈમાં પોતાનો જીવ ખોયો હતો.

વિશ્વમાં અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ 8.20 કરોડ કેસ જોવા મળ્યા છે, જ્યારે ભારતનો ક્રમ બીજો છે. હાલમાં વિશ્વમાં 6થી 10 લાખ લોકોને આ સંક્રમણ થઈ રહ્યું છે.

ભારતમાં નવા કેસના ઉમેરા સાથે કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4,30,36,828 પહોંચી હતી, જ્યારે 19 નવાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,21,710 થયો હતો. નોંધાયેલાં 19માંથી 18 મોત એકલાં કેરળ રાજ્યનાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા અદ્યતન આંકડાઓ અનુસાર સક્રિય કેસોની સંખ્યા ઘટીને 10,889 થઈ હતી. એક્ટિવ કેસોની ટકાવારી કુલ કેસના 0.03 ટકા છે.

વીતેલા 24 કલાક દરમ્યાન કોવિડના કુલ કેસોમાંથી 169 કેસનો ઘટાડો થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,04,329 લોકો મહામારીને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં કોવિડ સામે જારી રસીકરણ અભિયાન તળે અત્યાર સુધીમાં 185.90 કરોડ ડોઝ અપાયા છે.

April 13, 2022
degree.jpg
1min759
Dual Degree Education in India - Dr. Yaduvir Singh

સરકારે પહેલીજ વખત કોઈ પણ વિદ્યાર્થીને સમાંતર રીતે બે ફુલ ટાઇમ ડિગ્રી કોર્સ ભણવાની છૂટ આપી છે. બે ડિગ્રી પ્રોગ્રામ્સ એક જ યુનિવર્સિટીના હોય કે અલગ અલગ યુનિવર્સિટીના હોય તોયે સાથે ભણી શકે, એવી જાહેરાત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચૅરમૅન એમ. જગદીશકુમારે કરી હતી. કમિશન તરફથી આ બાબતે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એમ. જગદીશકુમારે Dt. 12/4/22, મંગળવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી જાહેરાત અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્યો હાંસલ કરવાની મોકળાશ આપવાના ઉદ્દેશથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નવી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડશે. વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીની બે પદવીઓ કે બે જુદી યુનિવર્સિટીની પદવીઓ મેળવવા સમાંતર રીતે અભ્યાસ કરી શકશે. બન્ને કોર્સ ક્લાસરૂમમાં હાજરી (ઑફ્ફલાઇન)ના ધોરણે કે એક ઑફ્ફલાઇન અને એક ઑનલાઇનના ધોરણે અથવા બન્ને ઑનલાઇન કોર્સ ભણવાની વિદ્યાર્થીઓને છૂટ અપાશે.

April 12, 2022
dornier_plane-1280x853.jpg
1min739

અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે

કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.

અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.

એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે. 

દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.

April 12, 2022
cia_edu-1280x925.jpg
3min789

પ્યોર સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ કરાવતા ચાર વર્ષના બેચલર ઓફ સાયન્સ (રિસર્ચ) અભ્યાસક્રમ આઠ સેમેસ્ટરમાં પૂર્ણ થાય છે. ચાર વર્ષના બેચલર ડિગ્રી પ્રોગ્રામને ઓનર્સ પણ કહેવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં અંતિમ (આઠમું) સેમેસ્ટર ફક્ત સંશોધન પ્રોજેક્ટ માટે સમર્પિત છે.

ભારતને સૌથી વધુ જરૂર રિસર્ચ કરનારા લોકોની છે અને ભારત સરકાર સૌથી વધુ પ્રોત્સાહન પણ રિસર્ચ ફેલોને આપી રહી છે. ધો.12 પછી બાયોલોજી કે મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ રિસર્ચ ફિલ્ડમાં કારકિર્દી ઘડવા માટે આ કોર્સમાં જવું જોઇએ.

Indian Institute of Science (IISc) Employees, Location, Alumni | LinkedIn
IISc Bangluru Campus..

બેચલર ઑફ સાયન્સ (સંશોધન) B.S. Research પ્રોગ્રામમાં નીચેની મુખ્ય શાખાઓ ઉપલબ્ધ છે: બાયોલોજી

  • રસાયણશાસ્ત્ર Chemistry
  • પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન Earth and environment
  • સામગ્રી Material Science
  • ગણિત Mathematics
  • ભૌતિકશાસ્ત્ર Physics

ઉપરોક્ત કોઈપણ વિદ્યાશાખામાં વિશેષતા ધરાવતા વિદ્યાર્થીઓએ પસંદ કરેલા ફિલ્ડમાં મુખ્ય (મેજર) અને વૈકલ્પિક (ઓપ્શનલ) વિષયો પસંદ કરવાના રહે છે. તેઓ સારી રીતે ગોળાકાર શિક્ષણ અનુભવ માટે એન્જિનિયરિંગ, માનવતા અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પણ લેશે. જ્યારે વિદ્યાર્થી એક મુખ્ય વિદ્યાશાખામાં નિષ્ણાત હોય છે, ત્યારે તે અન્ય વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમો લઈને તેના/તેણીના જ્ઞાન અને કૌશલ્યોને પણ વિસ્તૃત કરી શકે છે. વિદ્યાર્થીઓ કે જેઓ તેમના મુખ્ય સિવાયની કોઈ ફિલ્ડમાં પર્યાપ્ત સંખ્યામાં પસંદગીના અભ્યાસક્રમો લે છે તો તેમને માન્યતા આપવામાં આવે છે. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોનું સંયોજન તેની/તેણીના અંતિમ ટ્રાન્સક્રિપ્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.

પ્રવેશ રજિસ્ટ્રેશન માટે આ લિંકનો ઉપયોગ કરોઃ https://admissions.iisc.ac.in/

Important Dates

Commencement of submission of online applications:01-04-2022
Last date for submission of online applications:31-05-2022

સેમેસ્ટર 1, 2 અને 3:

પ્રથમ ત્રણ સેમેસ્ટર દરમિયાન વૈજ્ઞાનિક, ગાણિતિક અને ઈજનેરી સિદ્ધાંતોનું વ્યવસ્થિત એક્સપોઝર થશે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, એન્જિનિયરિંગ અને માનવશાસ્ત્રમાં પ્રત્યેક એક કોર્સ લેશે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ફરજિયાત મુખ્ય અભ્યાસક્રમોના શિક્ષણમાં પ્રયોગશાળાના પ્રદર્શનો અને હાથ પરના પ્રયોગોના નોંધપાત્ર ઘટકોનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને માનવતાના અભ્યાસક્રમોથી પણ પરિચિત કરવામાં આવશે જે તેમને વિજ્ઞાન અને સમાજ માટે તેની અસરોની પ્રશંસા કરવામાં મદદ કરશે અને નિષ્ણાતો અને સામાન્ય લોકો બંને સાથે વિજ્ઞાનની વાતચીતમાં તેમની કુશળતાને વધુ તીવ્ર બનાવશે.

સેમેસ્ટર 4, 5 અને 6:

ચોથા સેમેસ્ટરની શરૂઆતમાં, દરેક વિદ્યાર્થી તેની/તેણીની શૈક્ષણિક રુચિ અનુસાર વિશેષતા (“મેજર”) માટે એક ફિલ્ડ પસંદ કરવાનું રહેશે. નીચેની વિશેષતાઓ ઉપલબ્ધ છે: (1) જીવવિજ્ઞાન (2) રસાયણશાસ્ત્ર (3) પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન (4) સામગ્રી (5) ગણિત (6) ભૌતિકશાસ્ત્ર. આ તમામ વિશેષતાઓ આંતરશાખાકીય છે અને અન્ય વિદ્યાશાખાઓમાં પર્યાપ્ત એક્સપોઝર હશે. દરેક વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સમાન હશે. વિદ્યાર્થીની શૈક્ષણિક રુચિઓ અને પ્રથમ ત્રણ સેમેસ્ટરમાં તેનું પ્રદર્શન બંનેને મુખ્ય શિસ્ત સોંપવામાં ધ્યાનમાં લેવામાં આવશે. “મેજર” ફિલ્ડ ઉપરાંત, વિદ્યાર્થી “માઇનોર” ફિલ્ડ પણ પસંદ કરી શકે છે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પસંદ કરેલ મેજર અને માઇનોર શાખાઓમાં ચાર અભ્યાસક્રમો લેશે; તેઓ એન્જિનિયરિંગનો એક વૈકલ્પિક અભ્યાસક્રમ અને માનવતામાં એક સેમિનાર અભ્યાસક્રમ પણ લેશે.

સેમેસ્ટર 7 અને 8: અદ્યતન વૈકલ્પિક અભ્યાસક્રમો સાથે સાતમા સેમેસ્ટરમાં સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અંતિમ સેમેસ્ટર ફક્ત પ્રોજેક્ટને જ સમર્પિત કરવામાં આવશે. પ્રોજેક્ટ પસંદ કરેલ મુખ્ય શિસ્ત અથવા આંતરશાખાકીય વિષયમાં હોવો જોઈએ જે મુખ્ય શિસ્ત સાથે નોંધપાત્ર રીતે ઓવરલેપ થાય છે. તમામ વ્યાખ્યાન અભ્યાસક્રમો IISc ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવશે જેઓ તેમના સંશોધન અને સ્નાતક તાલીમના સમૃદ્ધ અનુભવને અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ પર સહન કરવા માટે લાવશે. માર્ગદર્શન અને ટ્યુટોરિયલ્સ IISc ખાતે અંડરગ્રેજ્યુએટ અનુભવના બે મહત્વપૂર્ણ પાસાઓ હશે. લેક્ચર કોર્સ ટ્યુટોરિયલ્સ સાથે હશે જેમાં IISc ના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને મદદ કરશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ પ્રયોગશાળાના વર્ગો ચલાવવામાં સામેલ થશે. જે વિદ્યાર્થીઓ બેચલર ઓફ સાયન્સ (સંશોધન) ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેમની પાસે પાંચમા વર્ષ માટે સંસ્થામાં અભ્યાસ કરીને માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ હોય છે. અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં હાલમાં ઉપલબ્ધ છ મુખ્ય શાખાઓમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે. માસ્ટર ઓફ સાયન્સ પ્રોગ્રામ માટે પસંદગી કરતા વિદ્યાર્થીઓ પાંચમા વર્ષના અંતે બેચલર ઓફ સાયન્સ (સંશોધન) અને માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી બંને મેળવશે જો તેઓ માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે.

April 12, 2022
Mataji-Dahanu.jpg
1min719

કોરોનાના પ્રતિબંધોના કારણે છેલ્લા બે વર્ષથી મોકૂફ રાખેલી માતા મહાલક્ષ્મીની શોભાયાત્રા આ વર્ષે ૧૭ એપ્રિલથી શરૂ થઇ રહી છે. યાત્રા કાઢવાની પરવાનગી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવવા છતાં તેના નક્કી કરાયેલ સમય મર્યાદા માટે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. યાત્રાનો ઉત્સાહ રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી ચાલે છે, પરંતુ સમય મર્યાદાને કારણે આર્થિક આવક પર અસર પડશે, એવું વેપારીઓનું કહેવું છે.

Mahalaxmi: डहाणूची महालक्ष्मी यात्रा १९ एप्रिलपासून - mahalaxmi tour of  dahanu from april 19th | Maharashtra Times

દહાણું તાલુકાના મહાલક્ષ્મી માતાના દર્શન માટે અને ખરીદી માટે ગુજરાત, પાલઘર, દાદરા નગર હવેલી અને નાસિક વગેરે પ્રાંતમાંથી લાખો ભક્તો આવે છે. હાલમાં ગરમીના કારણે સાંજ પડતાં જ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે અને રાત્રે બેથી અઢી વાગ્યા સુધી યાત્રાળુંઓ તીર્થયાત્રાનો આનંદ માણે છે. આ યાત્રા પંદર દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓ અને ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. કોરોના પ્રતિબંધોને લીધે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હોવાના કારણે મંદિર વિસ્તાર તેમ જ બહારગામથી આવેલા ફેરિયાઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

એક બાજુ, આ વર્ષે યાત્રા શરૂ થતા વેપારીઓ ખુશ છે, તો બીજી તરફ તેની સમય મર્યાદાને લઇને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વેપારીઓ મંદિરની આસપાસની જમીન કામચલાઉ ધોરણે લીઝ પર આપે છે. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ હંગામી ધોરણે દુકાન લગાવે છે.

પંદર દિવસનું ભાડું ત્રીસ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનું હોય છે. યાત્રા શરૂ થવાની હોવાના કારણે વેપારીઓએ મોટા પ્રમાણમાં માલનો ભરાવો કરી દીધો છે. તેથી વેપારીઓ યાત્રાની સમય મર્યાદાને લઇને ચિંતિત છે કે સમય મર્યાદાને કારણે કેટલો ધંધો થશે અને માલનું  વેચાણ થશે કે કેમ. જો આ સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં આવે તો વેપારી માટે  કર્મચારીઓને પગાર અને વીજળીના બિલની ચૂકવણી કરવી પણ શક્ય બનશે નહીં. વેપારીઓ માગ કરી રહ્યા છે કે જિલ્લા વહિવટીતંત્ર શોભાયાત્રાને રાબેતા મુજબ ઓછામાં ઓછા બાર વાગ્યા સુધીની મંજૂરી આપે.

April 11, 2022
WhatsApp-Image-2022-04-11-at-7.40.56-PM.jpeg
1min739
રમેશ વઘાસીયા 2022-23ના વર્ષ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે

સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, જનક પચ્ચીગર અને નીતિન ભરૂચાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું પણ સમજાવટથી માની ગયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ પદે હિમાંશુ બોડાવાળા જે રીતે બિનહરીફ ચૂંટાયા છે એવી જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી પરત ખેંચવાના આજે તા.11મી એપ્રિલ 2022 સાંજે 6 કલાકની અંતિમ મુદત બાદ સૌરાષ્ટ્રવાસી મેમ્બર્સ સમર્થિત ઉમેદવાર રમેશ વઘાસીયા સિવાયના બાકીના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રમેશ વઘાસીયા પણ બિનહરીફ ચૂંટાયા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચવાના આજે અંતિમ દિવસે સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, ટેક્સ કન્સલ્ટન્ટ જનક પચ્ચીગર, વર્તમાન સેક્રેટરી દિપક શેઠવાલા અને મનિષ કાપડીયાએ પોતપોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. સોમવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો સાંજે 6 વાગ્યા સુધીનો સમય હતો એ પછી ફક્ત માત્ર રમેશ વઘાસીયા જ ઉમેદવાર બાકી રહેતા હવે તેમને આગામી વર્ષ માટે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.