સુરતના સમર્થન ગ્રુપની ભારત એક્તા પદયાત્રા 12મીએ સવારે 7 વાગ્યે કારગીલ ચોકથી શરૂ થશે
દેશહિત માટે રસ્તા પર ઉતરવાનો મોકો શોધતા હોવ તો શનિવારે સવારે ઉમટી પડજો કારગીલ ચોક
ભારતમાં એવી ઘણી બધી ઘટનાઓ આકાર પામે છે જે સામાન્ય નાગરીકના હૈયે વસી જતી હોય છે, સરકારના ઘણાં એવા પગલાંઓ હોય છે જેને લઇને સામાન્ય માનવી ઉત્સાહિત થતો હોય છે પરંતુ, સોશ્યલ મિડીયા સિવાય ક્યારેય પણ એ મુદ્દાને લઇને સકારાત્મક રીતે જાહેર પ્રદર્શનમાં કોઇ નાગરીકો જોડાતા નથી.
સુરતના જુદા જુદા ક્ષેત્રોના આગેવાન લોકોના બનેલા સમર્થન ગ્રુપે કાશ્મીના મુદ્દે કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી નીતિને સમર્થન આપવા માટે આગામી શનિવાર તા.12મી ઓક્ટોબર 2019ના રોજ સવારે ભારત એક્તા પદયાત્રાનું આયોજન કર્યું છે.
આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદને સંબોધતા શહેરના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ શ્રી ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, મનોચિકિત્સક શ્રી ડો. મુકુલ ચોક્સી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, વકીલ શ્રી નિલકંઠભાઇ બારોટ, શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાલા, ડો.કશ્યપભાઇ ખરચીયા, પ્રિ.ડો. કિશોરસિંહ ચાવડા સમેતના આગેવાનોએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર હિતના મુદ્દા પર આપણે સૌ ભારત દેશના લોકો સોશ્યલ મિડીયા પર પોસ્ટ મૂકીને આપણી ખુશી વ્યક્ત કરીએ છીએ. એવી કોઇ ઇવેન્ટ થતી નથી કે જેને આપણે સમર્થન કરીને જાહેરમાં ખુશી વ્યક્ત કરી શકીએ.
સુરતના પ્રબુદ્ધ નાગરીકોના બનેલા સમર્થન ગ્રુપે પહેલી વખત એક સકારાત્મક મુદ્દા પર જાહેર કાર્યક્રમ યોજયો છે. સામાન્યતઃ જાહેર કાર્યક્રમો વિરોધ પ્રદર્શન માટે યોજાતા હોય છે પરંતુ, સમર્થન ગ્રુપ આયોજિત કાર્યક્રમ ભારતની એકતાનો સંદેશો પ્રસરાવશે.
કાશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 તથા અનુચ્છેદ 35-એ નાબૂદ કરવાના લીધેલા નિર્ણયના સમર્થનમાં સુરતમાં ભારત એક્તા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં ભારત એક્તા પદયાત્રા ક્યાંથી અને ક્યારે નીકળશે
સુરતમાં કાશ્મીરના મુદ્દે લેવાયેલા નિર્ણયનું જાહેર સમર્થન આપવા માટે સમર્થન ગ્રુપ દ્વારા યોજાઇ રહેલી ભારત એક્તા પદયાત્રા તા.12 ઓક્ટોબર 2019ને શનિવારે સવારે 7 કલાકે પીપલોદના કારગીલ ચોકથી પ્રસ્થાન પામશે. આ પદયાત્રા વાયા કારગીલ ચોક થઇને પુનઃ કારગીલ ચોક આવીને વિરામ પામશે.
10 હજારથી વધુ સૂરતીઓ ઉમટી પડવાનો આશાવાદ
ભારત એક્તા પદયાત્રામાં કમસે કમ 10 હજારથી વધુ સૂરતવાસીઓ ઉમટી પડે તેવો આશાવાદ પદયાત્રા આયોજકોને છે. આપ પણ જો સૂરતના લોકોના આ સમર્થન યાત્રામાં જોડાવા માંગતા હોવ તો શનિવારે સવારે 7 વાગ્યે પહોંચી જજો કારગીલ ચોક પર.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now