CIA ALERT

અરજદાર પિતાનું નિધન: પુત્ર લડશે VNSGU ના ડો. શિવેન્દ્ર ગુપ્તાની નિયુક્તિ રદ કરાવવાનો કેસ

Share On :
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ  ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂકના હાઇકોર્ટમાં પડકારતી રિટમાં અરજદાર પ્રફુલ દેસાઇનું કોર્ટરૂમમાં જ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું
  • વડોદરાના જાગતે રહો પાર્ટીના પ્રફુલ દેસાઇએ હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની રિટ કરી છે, તેમનું નિધન થતાં હવે પુત્ર લડશે કેસ
  • પિટિશનમાં તેમનું નામ હટાવવાની મંજૂરી અને તેમના પુત્ર ક્ષિતિજનું નામ અરજદાર તરીકે મુકવા ગુજરાત હાઇકોર્ટની મંજૂરી
  • કેસની વધુ સુનાવણી ૧૨મી ડીસેમ્બર પર મુલતવી રાખી

(VNSGU Vice Chancellor Shivendra Gupta, A file photo)

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂકના હાઇકોર્ટમાં પડકારતી રિટમાં અરજદાર પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત રહેતા પ્રફુલ દેસાઈના મૃત્યુ બાદ આ પિટિશનમાં તેમનું નામ હટાવવાની મંજૂરી અને તેમના પુત્ર ક્ષિતિજનું નામ અરજદાર તરીકે મુકવા ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. ૧૨મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ની કોટરૂમ ની અંદર જ વૃદ્ધ અરજદાર પ્રફુલભાઈ દેસાઈને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. હવે આ મામલે એડવોકેટ આનંદ યાગ્નિક અરજદાર વતી એડવોકેટ ઓન રેકોર્ડ તરીકે હાજર રહેશે.અને પિતાના મોત બાદ પુત્ર શિવેન્દ્ર ગુપ્તાની નિમણુક રદ કરવા કેસ લડશે.
મળતી માહિતી પ્રમાણે વડોદરાના જાગતે રહો પાર્ટીના પ્રફુલ દેસાઇએ હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરી હતી કે, દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક માટે ગત બીજી મે 2017ના રોજ અરજીઓ મંગાવવામાં આવી હતી. તેને અંતર્ગત કેટલીક અરજીઓ પણ આવી હતી.
સરકારના નીતિ નિયમો મુજબ વાઇસ ચાન્સેલર પદ માટેના ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 15 વર્ષનો શૈક્ષણિક કાર્યને લગતો અનુભવ હોવો આવશ્યક હોવા ઉપરાંત તેની પાસેથી પારદર્શકતા, નીતિમત્તા જેવા મૂલ્યોની પણ અપેક્ષા રાખવામાં આવી છે.
પિટિશનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કુલપતિ તરીકે નિમણૂક પામનાર શિવેન્દ્ર ગુપ્તા પાસે 1 વર્ષનો પણ શૈક્ષણિક અનુભવ નથી. અલગ અલગ યુનિવર્સિટીઓમાં તેમના દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી માગવા છતાં તેમનો કોઇ શૈક્ષણિક અનુભવ હોવાનું જણાઇ આવ્યું નથી. આ ઉપરાંત તેમની નીતિમત્તા બાબતે સ્થાનિક કક્ષાએ દિવ્ય ભાસ્કર સહિત અન્ય તમામ અખબારોમાં અલગ અલગ સમાચારો છપાયેલા છે.
પિટિશનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો  કે, 52 જેટલી અરજીઓ ધ્યાને લીધા બાદ સ્ક્રુટિની કમિટીએ 3 નામની યાદી તૈયાર કરી હતી. જેમાં અમરેલી કોલેજના પ્રિન્સિપાલ ચાવડા, એલ.ડી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ મહીપતસિંઘ ચાવડા અને ભરૂચ નર્મદા કોલેજના પ્રિન્સિપાલ ભાસ્કર રાવલના નામનો સમાવેશ થયો હતો. જો કે તે લિસ્ટમાં ક્યાંય ડો. શિવેન્દ્ર ગુપ્તાનું નામ ન હતું. અરજદારની માહિતી પ્રમાણે જે બાદ સમિતિને મૌખિક સૂચના આપી સરકારે આ નામનો સમાવેશ કરાવ્યો હતો. આમ તમામ પ્રકારના નિયમો નેવે મૂકી કરાયેલી નિમણૂકને તત્કાલ રદ્ કરવાની દાદ માગવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી ૧૨મી ડીસેમ્બર પર મુલતવી રાખી છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :