અમદાવાદના ઓઢવમાં ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના ગૂંગળામણથી મોત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગૂંગળામણથી મોત નિપજ્યાના સમાચારોએ અમદાવાતમાં અરેરાટી ફેલાવી દીધી છે. કોઇપણ પ્રકારના પ્રોટેકશન વગર મજૂરોને ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.
અમદાવાદના ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી ગટરમાં ચોક્કસ પ્રકારના ગેસ ને કારણે તેમાં ઉતરેલા મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાએ ઘટના બાદ જણાવ્યું હતું કે પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now