CIA ALERT
19. May 2024

P.S.O. જ મારી હત્યા કરાવી શકે : કેજરીનો દાવો

Share On :
Print Friendly, PDF & Email
મારી આસપાસ જે પોલીસવાળા છે તે ભાજપને રિપોર્ટ કરે છે : મુખ્યમંત્રી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના અંગત સુરક્ષા અધિકારી (પી.એસ.ઓ.)થી જ જીવનું જોખમ હોવાનો સનસનીખેજ દાવો કર્યો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મારી આસપાસ જે પોલીસવાળા છે તે તમામ ભાજપને રિપોર્ટ કરે છે અને બની શકે કે ભાજપ ઈન્દિરા ગાંધીની જેમ જ પી.એસ.ઓ. થકી જ મારી હત્યા કરાવી નાખે.
જરીવાલે અગાઉ 2016માં પણ પોતાની હત્યાની આશંકા દર્શાવી હતી. તેમણે એ વખતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી હત્યા કરાવી શકે છે. હવે તેમણે પોતાની સુરક્ષામાં લાગેલા જવાનો જ પોતાને ખતમ કરી નાખશે એવી ભીતિ વ્યક્ત કરી છે. કેજરીવાલના દાવાને આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન આપ્યું છે. ભારદ્વાજે કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના પર પોલીસની હાજરીમાં જ છવાર હુમલા થઈ ચૂક્યા છે. આવી ઘટનાઓ બાદ પણ’ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :