હું ‘ગરીબ’ જાતિનો છું: વડા પ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે હું દેશના બધા ‘ગરીબો’ની જાતિનો છું.
કૉંગ્રેસના નેતા સામ પિત્રોડાએ 1984ના શીખવિરોધી રમખાણ અંગે ‘હુઆ તો હુઆ’ કહેતા કરેલા નિવેદનની મોદીએ અહીં ચૂંટણીસભામાં ટીકા કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે અગાઉની યુતિ સરકારે ગુપ્તચર એજન્સીઓને નબળી કરી હતી, પરંતુ અટલ બિહારી વાજપેયીની સરકારે આ એજન્સીઓને ફરી મજબૂત બનાવી હતી. આજના દિવસે 21 વર્ષ પહેલાં પોખરણ ખાતે અણુબૉમ્બનું પરીક્ષણ કરાયું હતું.
તેમણે વિપક્ષો દ્વારા પોતાની (મોદીની) જાતિ અંગે પુછાતા સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓ હવે મારી જાતિ અંગે શંકા વ્યક્ત કરવા લાગ્યા છે. હું વિપક્ષના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે દેશના ગરીબોની જે જાતિ છે એ જ જાતિ મોદીની છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશમાં જ્યારે પણ ‘મહામિલાવટ’ સરકાર આવી છે, ત્યારે રાષ્ટ્રીય સલામતી સામે જોખમ ઊભું થયું છે.
મોદીએ જણાવ્યું હતું કે મનમોહન સિંહની નબળી સરકાર ‘રિમૉટ ક્ધટ્રૉલ’થી ચાલતી હતી અને તેને લીધે દેશ બદનામ થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે પાકિસ્તાનમાંના બાલાકોટમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલા કરવાની હિંમત કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે પોખરણમાં 1998માં આજના દિવસે અણુબૉમ્બનું પરીક્ષણ કરાયું હતું. હું આ કાર્ય માટે મહેનત કરનારા વિજ્ઞાનીઓ અને અન્ય લોકોને સલામ કરું છું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
