કુછ લોગ મુજે ગિરાને મેં કઈ બાર ગિરે: મોદી
વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં સવારે 11-30 કલાકે દોઢ વાગે બસ્તીમાં અને બિહારના વાલ્મીકિ નગરમાં સાડા ત્રણ વાગે રેલીઓનો દોર કર્યો હતો. મોદીએ પ્રતાપગઢમાં કવિનો અંદાજ અપાનાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ન મેં ગીરા ઔર ન મેરી ઉમ્મીદો કે મિનાર ગિરે પર કુછ લોગ મુઝે ગિરાને મેં કઈ બાર ગીરે.
બસપાનાં માયાવતી સાથે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ ‘ગેઈમ’ રમી રહ્યા હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો. પ્રતાપગઢ અને બસ્તીમાં રેલીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું કે સપા-બસપા જોડાણના ભાગીદારો ર3મીએ ચૂંટણીપરિણામ જાહેર થશે પછી એકબીજાની વિરુદ્ધ થઈ જશે. તેમણે કહ્યું હતું કે એક બાજુ બસપાનાં વડાં માયાવતી કૉંગ્રેસની ટીકા કરે છે જ્યારે બીજી બાજુ બસપાના જોડાણ ભાગીદાર સમાજવાદી પક્ષ કૉંગ્રેસનાં નેતા સાથે ભેગા થાય છે. ગુરુવારે
રાયબરેલીમાં સમાજવાદી પક્ષની બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભેગા થયાં હતાં તેના તરફ તેમનો ઈશારો હતો. પ્રતાપગઢમાં મોદીએ કહ્યું કે ‘સપા કૉંગ્રેસ સાથે નરમાશથી વર્તી રહી છે, જ્યારે માયાવતી કૉંગ્રેસની આકરી ટીકા કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ‘તમને (માયાવતી) વડા પ્રધાન બનાવવામાં આવશે તેવું કહેવામાં આવતું હતું પણ હવે બહેનજી સમજી ગયાં છે કે સપા અને કૉંગ્રેસ તેમની સાથે ‘ગેઈમ’ રમી રહ્યા છે.
બસ્તીમાં મોદીએ કહ્યું કે ‘સત્તા માટે સિદ્ધાંતો ભૂલી જવાનું સૌથી મોટું ઉદાહરણ સપા, બસપા અને કૉંગ્રેસ છે. તેમની વૉટ બૅન્કનું ગણિત ગણવામાં તેઓ એવા વ્યસ્ત બની જાય છે કે મતદારોને ફક્ત આંકડા ગણે છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘એમડીએની કાર્યસંસ્કૃતિ’ મહામિલાવટી જોડાણથી જુદું છે અને સરકારનું વિકેન્દ્રીકરણ કરવા માગીએે છે, પણ મહામિલાવટીઓ સત્તાની લાલચમાં દિલ્હી આવવા આતુર છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
