10 જુનથી અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણના શ્રીગણેશ
અયોધ્યામાં બુધવારથી ઇંટ મૂકીને રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થશે, એવી મંદિર ટ્રસ્ટના પ્રવક્તાએ માહિતી આપી હતી.

ગયા નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ મંદિર માટે ફાળવવામાં આવેલા કુબેર ટીલાના મંદિરમાં ભગવાન શિવને પ્રાર્થના દ્વારા નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે.
ભગવાન રામે લંકા પર હુમલો કરતા પહેલા શિવની પ્રાર્થના કરી હતી. આ પ્રથાને અનુસરતા રુદ્રાભિષેકની ધાર્મિકવિધિ શરૂ કરવામાં આવશે, એમ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ત્યાર બાદ મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
મહંત નૃત્ય ગોપાલ દાસ વતી કમલ નયનદાસ અને અન્ય પૂજારીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાની આસપાસ વિધિનો પ્રારંભ થશે.
કમલ નયન દાસે જણાવ્યું હતું કે ધાર્મિક સમારોહ ઓછામાં ઓછા બે કલાક ચાલશે.
માર્ચ મહિનામાં મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ કરીને સ્થળ પરના કામચલાઉ મંદિરથી રામલલ્લાને વિધિપૂર્વક નવી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ૧૧ મેના રોજ જગ્યાને સમથળ બનાવવા માટે મશીનરી તહેનાત કરવામાં આવી હતી.
અયોધ્યાના વિવાદિત સ્થળે ૧૬મી સદીની બાબરી મસ્જિદ હતી, જેને કારસેવકો દ્વારા ૧૯૯૨માં તોડી પાડવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્થળે અગાઉ રામ મંદિર હતું.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળે મંદિરના બાંધકામની તરફેણમાં આપ્યો હતો અને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય કોઇ જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

