ટિકિટ વગરનો વ્યક્તિ ભાગી ગયો તો રેલ્વેએ તેની બકરીની ૨૫૦૦ રૂપિયામાં વેચી મારી
મસ્જિદ બંદર સ્ટેશન પર બુધવારે એક અજીબ ઘટના ઘટી.
એક યાત્રી ટિકિટ વિના પોતાની બકરી લઈને સફર કરી રહ્યો હતો. રેલવેના નિયમ અનુસાર સામાન્ય ડબ્બામાં પ્રાણીઓને લઈને સફર કરવાની પરવાનગી નથી હોતી. ટિકિટચેકરે જ્યારે આ ભાઈ પાસે ટિકિટ માગી ત્યારે પહેલાં તો તે ગભરાઈ ગયો. ઊભો થઈને ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને પછી ચકમો આપીને ત્યાંથી ભાગી ગયો. જોકે તેની બકરી ટ્રેનમાં જ રહી ગઈ.
આવા સંજોગોમાં હવે આ બકરીનું શું કરવું એ બાબતે ટિકિટચેકર મૂંઝવણમાં મુકાયા. તેમણે આ બકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી અને CSMTના લગેજ રૂમમાં બાંધી દીધી.
તા.3 ઓગસ્ટે આ બસંતી નામની આ બકરીની પણ હરાજી કરવામાં આવી હતી. લગેજ રૂમમાં બાંધેલી બકરી પર બાકાયદા ‘૩૦૦૦ રૂપિયામાં વેચાણ માટે’ એવી તકતી લગાવવામાં આવી હતી. રેલવે-અધિકારીઓને તા.3 ઓગસ્ટે એનો ખરીદદાર મળ્યો હતો અને એ ૨૫૦૦ રૂપિયામાં વેચાઈ હતી. અબ્દુલ રહેમાન નામની વ્યક્તિએ આ બકરી ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે બકરીનું શું કરવું એ વિશે મેં હજી વિચાર્યું નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now