CIA ALERT
19. March 2024

એન.આર.આઇ. Archives - CIA Live

October 27, 2023
Cia_business_news-1280x936.jpg
1min239

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમેરીકામાં યોજાઇ રહેલી ગ્લોબલ મિલેટ્સ મીટમાં ઉપસ્થિત રહેનારા 100થી વધુ દેશોના ડેલિગેટ્સ માટે અમેરીકાના ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ સુરતની અતુલ બેકરીને 2 હજાર કિલો (2 ટન) મિલેટ્સ બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો, સુરતના ઇચ્છાપોર ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતી અતુલ બેકરીએ આ ઓર્ડર સફળતાપૂર્વક ડિસ્પેચ પણ કરી લીધો છે.

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ન્યુટ્રીશીયસ ધાન તરીકે ખ્યાતિ પામી રહેલા મિલેટ્સની ગ્લોબલ મિલેટ્સ મીટ અમેરીકામાં યોજાઇ રહી છે. ભારતમાં બાજરી, જુવાર, રાગી તેમજ જુદા જુદા પ્રકારના ફાઇબર યુક્ત ઑટ્સનો સમાવેશ શ્રીઅન્ન એટલે કે મિલેટ્સમાં થાય છે. મિલેટ્સને વધુ પ્રચલિત બનાવવા તેમજ બાળકો નાનપણથી જ મિલેટ્સ આધારીત વાનગીઓ આરોગે તે માટે મિલેટ્સમાંથી અવનવી વેરાઇટીઝ બની રહી છે.

અમેરીકામાં યોજાઇ રહેલી વર્લ્ડ મિલેટ્સ મીટ્સમાં ઉપસ્થિત રહેનારા જુદા જુદા દેશોના ડેલિગેટ્સમાં મિલેટ્સ બેઝ વેરાઇટીની વહેંચણી કરવા માટે સુરતની બેકરીને ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસી તરફથી 2 હજાર ટન મિલેટ્સ બિસ્કીટ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો હતો.

સુરતમાં બિસ્કીટ બનાવીને અમેરીકામાં સપ્લાય કરનાર જાણિતી અતુલ બેકરીના ઑનર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે મિલેટ્સ બિસ્કીટની વેરાઇટી તેમણે પહેલીવાર જ ઉત્પાદન કર્યું હતું અને ભારતમાં હજુ એકેય પેકેટ વેચાયું નથી અને 2000 કિલોનો માલ અમેરીકામાં સપ્લાય કરી દીધો છે. બાજરી, રાગી, ઓટ્સ અને શક્ય એટલી કુદરતી સાધન સામગ્રીમાંથી મિલેટ્સના બિસ્કીટ તૈયાર કર્યા હતા, તેના સેમ્પલિંગ અમેરીકાની ચુસ્ત કડકાઇભરી પ્રક્રિયામાંથી પસાર થયા અને એ પછી તેમણે ઓર્ડર સપ્લાય કર્યો છે.

February 6, 2020
bhutan-1280x720.jpg
1min5210

ભૂટાન સરકારે નિયમોમાં ફેરબદલ કરતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નિયમોમાં ફેરફાર કરતા હવે જૂલાઇ 2020થી ભારતીય ટૂરિસ્ટએ ભૂટાન જવા માટે પ્રતિ દિવસના હિસાબથી 1200 રુપિયા ફી પેટે ભૂટાન સરકારને ચૂકવવા પડશે. ભૂટાને ફી નિયમમાં ફેરફાર ભારત સહિત માલદીવ અને બાંગ્લાદેશથી આવતા ટૂરિસ્ટ માટે પણ કર્યા છે. ભૂટાન જતાં ટૂરિસ્ટમાં 6થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે પ્રવેશ ફી 600 રુપિયા રહેશે. ભૂટાન સરકાર મુજબ આ પ્રવેશ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)કહેવામાં આવે છે.

ભારતીય ટૂરિસ્ટ માટે SDF હેઠળ વસૂલવામાં આવતી ફી, અન્ય દેશોના ટૂરિસ્ટ માટે રાખવામાં આવેલી ફીની સરખામણીએ ઘણી ઓછી છે. અન્ય દેશોના ટૂરિસ્ટએ હવે ભૂટાનમાં પ્રવેશ ફી તરીકે 65 ડોલર એટલે કે 4631 રુપિયા ચૂકવવા પડશે. આ સિવાય તેઓએ 250 ડોલરનું ફ્લેટ કવર ચાર્જ પણ આપવો પડશે. 

December 16, 2019
toni_singh.jpg
1min5720

લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2019 પ્રતિયોગિતામાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન.િસંહનાં શિરે વિશ્વસુંદરીનો તાજ અલંકૃત થયો છે. વર્ષ 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેનાં માથે તાજ પહેરાવ્યો હતો. આ વિશ્વ સુંદરી સ્પર્ધામાં દુનિયાભરની કુલ 120 સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોની સિંહ જમૈકાની ચોથી મહિલા છે જેણે આ તાજ જીત્યો છે.

આ વર્ષે 2019માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બન્નેની વિજેતાઓ અશ્વેત રહી છે. આ પહેલા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાની 26 વર્ષની જોઝિબિની ટુંઝી મિસ યુનિવર્સ બની હતી. આ વર્ષ સુંદરતા જગતમાં ભારતની સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યુ છે. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે. બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો આવી છે.’


November 29, 2019
usa_flag.png
1min4930

અમેરિકામાં રહેતા ૨,૨૭,૦૦૦ ભારતીયો ગ્રીનકાર્ડ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ૧૫ લાખ મેક્સિકન સહિત કુલ ચાલીસ લાખ લોકોએ ગ્રીનકાર્ડ મેળવવા અરજી કરી છે તેવું અધિકૃત માહિતીમાંથી જાણવા મળ્યું છે. ચીનના લગભગ ૧,૮૦,૦૦૦ લોકો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું તેવા વિદેશી મૂળના નાગરિકોના ભાઈ-બહેનની સંખ્યા વધુ છે. અમેરિકાના નાગરિકો તેમના પરિવારના સભ્યોને અથવા ભાઈ-બહેનોને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરી શકે છે તેવી જોગવાઈ હાલના કાયદામાં છે. અમેરિકાના પ્રમુખ આવી વ્યવસ્થાનો વિરોધ કરે છે અને આવી છૂટછાટ બંધ કરવા માગે છે. વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી પરિવારજનોને સ્પોન્સર કરવાની હાલની ઈમિગ્રેશન સિસ્ટમ ચાલુ રાખવા માગે છે.

પરિવાર આધારિત સ્પોન્સરશિપ ૨,૨૭,૦૦૦ ધરાવતા ચાલીસ લાખ અરજદારો ઉપરાંત લગભગ ૮,૨૭,૦૦૦ લોકો નોકરી આધારિત ગ્રીનકાર્ડ મેળવવા પ્રતીક્ષા કરી રહ્યા છે જેમાં મોટા ભાગના લોકો ભારતના છે. ભારતીય આઇટી પ્રોફેશનલને ગ્રીનકાર્ડ મેળવવા દસ વર્ષથી વધુ સમય રાહ જોવી પડે છે.

પરિવાર આધારિત સ્પોન્સરશિપના ભારતીય અરજદારો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી ૧,૮૧,૦૦૦ જેટલા યુએસ સિટિઝનના ભાઈ અથવા બહેન છે. ૪૨૦૦૦ જેટલા યુએસ સિટિઝન્સના પરિણીત બાળકો છે અને ૨૫૦૦ જેટલા અરજદારોમાં ગ્રીનકાર્ડ ધરાવતા લોકોના જીવનસાથી અથવા સગીર બાળકોનો સમાવેશ થાય છે.

April 4, 2019
kamlesh_bassi.jpg
1min12430

કમલેશ બસ્સી નામની ભારતીય મૂળની 58 વર્ષીય મહિલા પોતાને મેડિકલ ડૉક્ટર, નર્સ, ઑક્યુપેશનલ થૅરપિસ્ટ, ફિઝિયૉથેરપિસ્ટ, ઑસ્ટિયૉપેથ અને હાડવૈદ્ય જેવી વિવિધ ઓળખ આપીને બ્રિટનમાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોને ઠગતી પકડાઇ ગઇ છે અને વૉરવિક ક્રાઉન કૉર્ટે તેને આવા સાત કિસ્સામાં દોષી ઠેરવી હતી.

કમલેશ બસ્સી પોતાને મેડિકલ પ્રૉફેશનલ ગણાવીને વૃદ્ધોની સાથે છેતરપિંડી કરતી હતી. તે મસાજ અને ઘરેલુ કામકાજમાં મદદની પણ ઑફર કરતી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સમાંની ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના વકીલ હેના સિડવેએ જણાવ્યું હતું કે કમલેશ બસ્સી ઇરાદાપૂર્વક વૃદ્ધોને પોતાના શિકાર બનાવતી હતી. તે આવા લોકોનો વિશ્ર્વાસ મેળવીને તેઓના ઘરમાં ઘૂસી જતી હતી અને લોકોના જાન જોખમમાં મૂકતી હતી.

કમલેશ બસ્સીએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેને દોષી ઠેરવ્યા બાદ કસ્ટડીમાં રખાઇ છે. તેની સજાની સુનાવણી પાંચમી મેએ કરાશે.

April 3, 2019
amarnath_yatra.jpg
7min11910
  • 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે.
  • જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે
  • રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે, એવી સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી. કોઇ પણ વ્યક્તિને પરમિટ વિના યાત્રા કરવા દેવામાં નહીં આવે. આ પરમિટ કેટલાક દિવસ અને રૂટ માટે આપવામાં આવે છે.

અમરનાથયાત્રાના યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે.

46 દિવસ સુધી ચાલનારી આ યાત્રાની શરૂઆત પહેલી જુલાઇના માસિક શિવરાત્રીના દિવસથી થશે અને તેની પૂર્ણાહુતિ 15 ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ થશે.

હાલની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપરાંત બૉર્ડે દરરોજ ચોક્કસ સંખ્યામાં યાત્રાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું પણ નક્કી કર્યું છે, એવી અધિકારીએ માહિતી આપી હતી. રજિસ્ટ્રેશન માટે યાત્રાળુએ ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક છે. દરેક રાજ્યના યાત્રાળુઓ માટે ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ લેવા માટે અધિકૃત ડૉક્ટર્સ અને મેડિકલ સંસ્થાની યાદી શ્રાઇન બૉર્ડની વૅબસાઇટ પર મૂકવામાં આવી છે.

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે. જે વ્યક્તિઓ હૅલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવા માગતા હોય તેમને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. તેમની હૅલિકોપ્ટરની ટિકિટ આ માટે પૂરતી છે. જોકે તેમણે યાત્રા પહેલાં ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ આપવું પડશે.

અમરનાથ યાત્રા માટેનું ફોર્મ અહીં પ્રસ્તુત છે

સી.એચ.સી.નું ફોર્મ ભરવું પણ અનિવાર્ય

હેલીકોપ્ટર સેવા માટે હેલ્પ લાઇન નંબર

અમરનાથ યાત્રા રૂટ તેમજ અન્ય વિગતો માટે નીચે મુજબની લિંક પર ક્લીક કરો

http://www.shriamarnathjishrine.com/Yatra2019/Booklet%20Yatra%20Nirdeshika.pdf  

 

યાત્રા રૂટ

Traditional Route

From Jammu: How to Reach Amarnath Holy Cave:

A. JAMMU – PAHALGAM – HOLY CAVE

Jammu to Pahalgam (315 km) – The distance between Jammu to Pahalgam can be covered by taxi / buses which are available at Tourist Reception Centre, J & K Govt., Raghunath Bazaar only early in the morning. Another option is going to Srinagar by air and then proceeding to Pahalgam by road.

PAHALGAM – HOLY CAVE

PAHALGAM

Situated 96 Kms from Srinagar, Pahalgam is known all over the world for its beauty. Lidder and Aru Rivers and high mountains kiss the valley. Good Hotels are available for accommodation. Arrangements for free Langars (food kiosks) are also made by Non Government Organisations at Nunwan Yatri Camp, 6 kms. short of Pahalgam. Pilgrims camp at Pahalgam for the first night.

CHANDANWARI

The distance from Pahalgam to Chandanwari is 16 kms. Mini buses run from Pahalgam to reach Chandanwari. The trail runs along the Lidder River with a fabulous scenic view. There are many Langars that offer food to the Yatris.

PISSU TOP

As the Yatra proceeds further from Chandanwari one climbs a height to reach Pissu Top. It is said that to be the first to reach for darshan of Bhole Nath Shivshankar, there was a war between Devtas and Rakshas. With the power of Shiv, devtas could kill the rakshas in such large number that the heap of their dead bodies resulted in this high mountain.

SHESHNAG

Sheshnag – is actually a mountain which derives its name from its Seven Peaks, resembling the heads of the mythical snake. The second night’s camp at Sheshnag overlooks the deep blue waters of Sheshnag lake, and glaciers beyond. There are legends of love and revenge too associated with Sheshnag, and at the camp these are narrated by campfires. The stillness of the Himalayan night increases your inner joy. Once you take bath and enjoy the scenic view, life takes a whole new meaning altogether.

PANCHTARNI

From Sheshnag one has to climb a steep height across Mahagunas Pass at 4276 mtrs.(14000 ft) for 4.6 Km and then descend to the meadow lands of Panjtarni at a height of 3657 mtrs (12000 ft). Due to cold harsh winds it is strongly recommended that Yatris should carry their quota of Woolens and Vaseline! Some Yatris are also affected by deficiency of oxygen. Some may get the feeling of nausea. Dry fruits, sour and sweet eatables like Lemon appear to control these symptoms but it is best to contact the nearest medical post immediately. The route to Mahagunas is full of rivulets, water falls and springs. At Panjtarni, at the feet of BHAIRAV MOUNT, Five Rivers flow which apparently originated from Lord Shiva’s Hair (Jataon). Pilgrims camp at Panjtarni on the 3rd night.

THE HOLY CAVE SHRI AMARNATH

On the way to The Holy Cave, one comes across the Sangam of Amravati and Panjtarni rivers. Some pilgrims take bath at Amravati near the Holy Cave before going for Darshan. There are two smaller Shivlings one of Maa Parvati and other of Shri Ganesh. It may be noted that after having early Darshan of the Shiv Linga at Holy Cave, one can return to Panjtarni well in time the same day.

JAMMU-BALTAL-HOLY CAVE

Sonamarg-Baltal

From Jammu, one has to go by road to Srinagar and then to reach Baltal via Sonamarg.

Baltal- Holy Cave

This is a 14 km. steep trek – one way. Only the very fit can go and come back the same day after trekking for 28 kms. It is possible to hire ponies or palkies. Baltal is, more popular because of its shorter distance.

 

 

March 21, 2019
h-1b_visa_1mmn.jpg
1min1174

યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)એ પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે એચ-૧બી વિઝા પિટિશન્સ સ્વીકારવાનું શરૂ કરી દેશે. આ વિઝા માટે રોજગાર શરૂ કરવાની તારીખ પહેલી ઓક્ટોબર રહેશે.

જોકે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ એચ-૧ માટે નિયમિત વિઝાની મર્યાદા પણ ૬૫,૦૦૦એ સ્થિર રહેશે. આ ઉપરાંત યુએસ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી અથવા માસ્ટર્સ મેળવનાર અન્ય ૨૦,૦૦૦ પિટીશનર્સને પણ વિઝા મળશે. પરંતુ ઘણાં વકીલોનું કહેવું છે કે આ વર્ષ અસાધારણ બની શકે છે મોટાભાગે એટલે કે આ વર્ષના પ્રારંભમાં જ અનેક નિયમો બદલાયા હતા.

યુએસસીઆઇએસે જાન્યુઆરીમાં ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ હવે ફાળવણીની ગણતરી કરશે. હવે તમામ પિટિશનોને નિયમિત મર્યાદામાં જ ગણાશે. જેમાં એડવાન્સ્ડ ડિગ્રીનો પણ સમાવેશ થાય છે. બીજા રાઉન્ડમાં તે બાકીની પિટીશન્સની પસંદગી કરશે. યુએસસીઆઇએસના જણાવ્યાનુસાર નવો ફેરફાર ૧૬ ટકા વધારો થશે. જેને કારણે એડવાન્સ્ડ યુએસ ડિગ્રી સાથે પસંદગી પામેલા એચ-૧ બી પિટીશનરોમાં ૫,૩૪૦ કામદારોનો વધારો થશે. જોકે, કેટલાક વકીલોનું કહેવું છે કે એચ-૧ બી પર અમેરિકાના દેખીતા અંકુશને કારણે ઇમીગ્રેશન પર એકંદરે નકારાત્મક સેન્ટિમેન્ટ દેખાશે અને તેની અસર ફાઇલિંગ્સ પર દેખાશે.

February 19, 2019
suratairport1.jpg
2min14370

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

November 10, 2018
raghu-1280x720.jpg
1min10960
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આજરોજ તા.10મી નવેમ્બરે અમેરિકાના કેર્લિફોનિયા ખાતે જાહેર સમારોહને સંબોધતા કહ્યું હતું કે નોટબંધી તેમજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લીધે વિતેલા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સાત ટકાનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાત માટે પર્યાપ્ત નથી.
બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે એક સંબોધનમાં રાજને જણાવ્યું કે નોટબંધી અને જીએસટી લાગુ થતા પૂર્વે ચાર વર્ષ (2012-2016) સુધી ભારતના આર્થિક વિકાસ દરની ગતિ ઝડપી રહી હતી.
ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે જણાવ્યું કે, નોટબંધી તેમજ જીએસટી એમ એક પછી એક બે આંચકાથી ભારતના વિકાસ દર પર ગંભીર અસર પડી છે. વિકાસ દર એવા સમયે નીચો ગયો છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો.
November 8, 2018
firing.jpg
1min6970

એક તરફ ગુજરાતમાં નવા વર્ષની સવાર હતી અને એ જ સમયે અમેરિકાના સર્ધન કેર્લિફોનિયા ખાતે આવેલા એક બારમાં એક સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં કમસે કમ 12 લોકોના કમોતે મોત નિપજ્યા હતા. શૂટ આઉટને અંજામ આપનારને પોલીસે ઘટના સ્થળે જ ઠાર મારી દીધો હતો.

સાઉથ કેર્લિફોનિયાના સબર્બન એરીયા ગણાતા થાઉઝન્ડ અૉકસ ખાતે આવેલા બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રીલ ખાતે સેંકડો મુલાકાતીઓ ફૂડ એન્ડ ડ્રીંકની મજા માણી રહ્યા હતા ત્યારે જ માથાફરેલ સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાન ત્યાં શસ્ત્રો લઇને ઘૂસ્યો હતો અને તેણે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લોકો કશું સમજે એ પહેલા તો ગોળીઓનો શિકાર બન્યા હતા. કમસે કમ 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. 12 જેટલા નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની 5 મિનીટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે, ગુનેગારને શોધીને ઠાર મારે એ પહેલા થયેલા ફાયરિંગમાં અનેક લોકોએ પોતાના જાન ખોયા હતા.

ઘટનાથી થોડે જ દૂર એક કોલેજનું ફંકશન ચાલી રહ્યું હતું અને તેમાં કમસે કમ 3 હજારથી વધુ લોકો હતા, જોકે ત્યાં હુમલાની કોઇ અસર થઇ ન હતી.

શૂટ આઉટને નજરે જોનારા તેમજ તેનો ભોગ બનેલા લોકોનું કહેવું હતું કે અંધાધૂંધ ફાયરિંગ વચ્ચેથી લોકોને બચાવવા માટે ઘણાંએ કાચની બારીઓમાં બારના સ્ટુલ્સ ફેંકીને કાચ તોડ્યા હતા જેથી લોકો બારીમાંથી કૂદીને ફાયરીંગથી બચી શકે.