CIA ALERT
29. April 2024
April 16, 20191min3310

Related Articles



યોગી આદિત્યનાથ 72 કલાક અને માયાવતી 48 કલાક માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

Share On :
Print Friendly, PDF & Email

ચૂંટણી પંચે સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બસપાનાં વડાં માયાવતીને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નિશ્ર્ચિત કલાકો માટે પ્રચાર બંધ કરવાની બંનેને ‘શિક્ષા’ કરી હતી. યોગી આદિત્યનાથ 72 કલાક માટે અને માયાવતી 48 કલાક માટે ચૂંટણી પ્રચાર કાર્ય કરી શકશે નહીં. મંગળવાર સવારના છ કલાક પછી બંને પ્રચારકાર્ય કરી શકશે નહીં. ચૂંટણી પંચે આદિત્યનાથના સંદર્ભમાં કહ્યું કે, તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 324 હેઠળ મળેલી સત્તાની રુએ ચૂંટણી પંચે આદિત્યનાથને ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલી જાહેરસભા, જાહેર સરઘસ, રૉડ શૉ, ઈન્ટરવ્યૂ વિગેરે પર 72 કલાક માટે પ્રતિબંધ મૂકયો હતો.

માયાવતીના નિવેદનને પણ વખોડી કાઢતા ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિ ન કરવા માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ મૂકયો હતો.

બંને નેતા માટે ‘પ્રતિબંધિત સમય’ ઓછોવત્તો હોવા બાબતમાં પૂછવામાં આવતા ચૂંટણી પંચે કહ્યું કે ‘ચૂંટણી પંચે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને શોકોઝ નોટિસ પાઠવી છે. આ અગાઉ પાંચમી એપ્રિલે આદિત્યનાથને ભવિષ્યમાં તકેદારી રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. બસપા પ્રમુખને પ્રથમવાર શોકોઝ નોટિસ આપવામાં આવી હોવાથી તેમની સામેની ‘શિક્ષા’ પ્રમાણમાં હળવી છે.

આદિત્યનાથ અને માયાવતી સામેના આદેશ બાબતમાં દરેક રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આદિત્યનાથ પરના આદેશ બાબતમાં નોંધ કરી હતી કે, ‘તેમના પર ધર્મનિરપેક્ષતા સહિતના પાયાના સિદ્ધાંતો જાળવી રાખવાની અને આ અંગેની પ્રતિબદ્ધતા જાહેરમાં દર્શાવવાની વધારાની જવાબદારી છે. ચૂંટણી પંચને ખાતરી થઈ છે કે આદિત્યનાથે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી જેનો સૂર ધાર્મિક સમાજ વચ્ચે પારસ્પરિક ભેદભાવ વધે અથવા પારસ્પરિક ધિક્કારનું સર્જન થઈ શકે તેવો હતો.

ચૂંટણી પંચે માયાવતીને કહ્યું કે, મીડિયાની વ્યાપક પહોંચના કારણે ઘણાં મત વિસ્તારોમાં ચૂંટણીનું ધ્રૂવીકરણ સંભવ બને તેવો સૂર ધરાવતી ટિપ્પણી કરવાથી માયાવતી જેવા વરિષ્ઠ નેતાએ દૂર રહેવું જોઈએ.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મેરઠમાં એક રેલીમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી ‘અલી’ અને ‘બજરંગબલિ’ વચ્ચેની સ્પર્ધા છે. માયાવતીએ કૉંગ્રેસને મત ન આપવા દેવબંધમાં યોજાયેલી એક રેલીમાં મુસ્લિમોને અપીલ કરી હતી.

ચૂંટણી પંચે બંનેના નિવેદનો સામે નોટિસ મોકલી અને ઉપર જણાવેલી ‘શિક્ષા’ કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :